________________
૨૪૮
તપોરન રતનાકર
વારિધારોચારણ, મર્કટતત્ચારણ, વાયુચારણ વિગેરે આ લબ્ધિનાં અનેક પ્રકારે છે.
૧૧. આશીવિષ લબ્ધિ-મુનિવરના દાંત-દાઢમાં ઝેર જેવી શક્તિ ઉત્પન્ન થાય છે, જેથી અન્યને શિક્ષા કરવા માટે દાંત દેતાં-કરડતાં પ્રાણી તત્કાળ મૃત્યુ પામે છે.
૧૨. કેવળ લબ્ધિ -જે જ્ઞાનવડે લેક અને અલેકનાં સર્વ પદાર્થોના સર્વ ભાવ-પર્યાયે જાણવાની શક્તિ. આ લબ્ધિના પ્રભાવથી ઇંદ્રિય અને મનની મદદ વિના આત્મા સાક્ષાત્ –પ્રત્યક્ષ જાણે-દેખે.
૧૩. ગણધર લબ્ધિ-જેનાથી ગણધરપણું પ્રાપ્ત થાય. ૧૪. પૂર્વધર લબ્ધિ -ચૌદપૂર્વનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય.
૧૫. તીર્થકર (અરિહંત) લબ્ધિ-તીર્થકરપદની પ્રાપ્તિ થાય.
૧૬. ચક્રવર્તી લબ્ધિ-ચક્રવર્તી પદની પ્રાપ્તિ થાય. છ ખંડનું રાજ્ય, ચૌદ રત્ન, નવ નિધિ વિગેરેની ચક્રવર્તીને પ્રાપ્તિ થાય છે.
૧૭. બળદેવ લબ્ધિ -બળદેવ પદવીની પ્રાપ્તિ થાય છે. તે વાસુદેવના વડીલ બ્રાતા હોય છે.
૧૮. વાસુદેવ લબ્ધિ-વાસુદેવપણાની પ્રાપ્તિ થાય. વાસુદેવને ત્રણ ખંડનું રાજ્ય હોય છે. તેમને ચક્ર વિગેરે સાત રત્નની પ્રાપ્તિ થાય છે.
અમૃતાશ્રવ લબ્ધિ-અમૃત જેવાં વચને હોય તે