________________
૧૭૪
તપોરને ૨નાકર
૬૬. આયતિજનક તપ कार्य द्वात्रिंशदाचाम्लैः, स्वसत्त्वेन निरंतरैः । एवं स्यादायतिशुभं, तप उद्यापनान्वितम् ॥१॥
આયતિ એટલે ઉત્તરકાળ, તેને શુભપણે જે ઉત્પન્ન કરે તે આયતિ(શુભ)જનક તપ કહેવાય છે. આ તપ નિરંતર બત્રીશ આંબીલ કરવાથી પૂર્ણ થાય છે. શક્તિ ન હોય તે એકાંતરિક પારણાંવાળાં અબીલ કરવાં. ઉધાપને મોટી સનાત્રવિધિપૂર્વક બત્રીશ પફવાન, ફળ વિગેરે કવાં, સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી ઉત્તર કાળમાં શુભ થાય છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણું “» હીં નમો અરિહંતાણં' પદનું ગણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૬૭/૧ અક્ષયનિધિ તપ જેિને કદાપિ ક્ષય ન થાય તે નિધિ-ભંડાર તે અક્ષયનિધિ. જે તપના પ્રભાવથી તેવા અખૂટ નિધિની પ્રાપ્તિ થાય તે અક્ષયનિધિ તપ કહેવાય. આ તપને લગતી સર્વ વિધિ નીચે દર્શાવવામાં આવી છે એટલે તેનું વિશેષ વિવેચન નથી કરવામાં આવતું.
આ તપના પ્રભાવથી સુંદરીને કેવી રીતે અક્ષયનિધનની પ્રાપ્તિ થઈ તેનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે –
જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં રાજગૃહી નામની નગરીમાં