Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચય ગ્રહ મથકાર
કના ચરમસમય પછીના સમયે લેકના અતે જાય છે. આવશ્યકર્ણિમાં કહ્યું છે કે આમા જેટલા આકાશપ્રદેશને અહિં અવગાહીને રહ્યો છે, તેટલાજ આકાશપ્રદેશને અવગાહત, ઋજુશ્રેણિવડે સિદ્ધાવસ્થાના પહેલેજ સમયે લેકના અને જાય છે. વાંકે જતે નથી, તેમ બીજા સમયને પણ સ્પર્શતું નથી. ત્યાં ગયેલા ભગવાન શાશ્વતકાળ પર્યત એજ સ્થિતિમાં રહે છે. ફરી કેઈપણ કાળે સંસારમાં આવતા નથી, કે જન્મ ધારણ કરતા નથી ત્યાં ગયેલા ભગવાન અનતકાળપયત તેજ સ્થિતિમાં રહે છે એ કેવી રીતે જાણી શકાય? તેના ઉત્તરમાં સમજવું કે સંસારના બીજભૂત રાગ અને દ્વેષાદિ મુક્તિ-સિદ્ધપર્યાયને નાશ કરવા સમર્થ છે, તેઓને તે સર્વથા નાશ કર્યો છે. સર્વથા નાં થયેલા તે રાગ દ્વેષ ફરીવાર ઉત્પન્ન થતા નથી, કારણકે રાગ-દ્વેષનું કારણ જે મેહનીય કર્મનાં પુદગલો છે. તેજ સત્તામાં નથી, દશમા ગુણસ્થાનકના અંતે સર્વથા વિચ્છિન્ન થયેલા છે ફરીવાર તે બંધાતાં પણ નથી, કારણ કે સંકલેશ વિના તેને બંધ થતું નથી. સિદ્ધના જીવમાં ફરી સંકલેશની ઉત્પત્તિજ થતી નથી, કારણ કે તેઓ રાગાદિ કલેશથી સર્વથા મુક્ત છે. તેથી જ મોક્ષમાગયેલા તે પરમાત્મા અનંતકાળ પર્યત તેજ સ્થિતિમાં રહે છે. આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ કહ્યું કયા ગુણસ્થાનકને કેટલો કાળ છે તે બીજ દ્વારમાં આવશે. ૧૫ આ પ્રમાણે ગુણસ્થાનકેનું સ્વરૂપ કહ્યું હવે ગુણસ્થાનકમાં એને કહેવા ઈચ્છતા કહે છે—
जोगाहारदुगुणा मिच्छे सासायणे अविरए य । अपुव्वाइसु पंचसु नव ओरालो मणवई य ॥१६॥ योगा आहारकद्विकोना मिथ्यात्वे सासादने अविरते च ।
अपूर्वादिषु पञ्चसु नव औदारिकं मनो वाक् च ॥१६॥ અર્થ–મિથ્યાત્વ, સાસાદન, અને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણકાણે આહારકટિક જૂન તેર ચાગ હોય છે. અપૂર્વકરણાદિક પાંચ ગુણઠાણે મનના ચાર, વચનના ચાર અને દારિક એમ નવ ગે હોય છે.
ટકાનુ –મિથ્યાત્વ સારવાદન અને અવિરતિસમ્યષ્ટિ એ ત્રણ ગુણઠાણે આહારક અને આહારકમિશ્રવિના શેષ તેર ગે હોય છે. ચૌદપૂર્વના જ્ઞાનને અભાવ હોવાથી આહારક હિક એ ત્રણ ગુણસ્થાનકે હેતું નથી અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સપરાય, સૂમસ પરાય, ઉપશાંત મેહ અને ક્ષીણમાહ એ પાંચ ગુણઠાણે મનેગના ચાર ભેદ, વચન ચાગના ૪ ભેદ અને દારિક કાગ એ નવ રોગાજ હોય છે. અન્ય કોઈ પણું ગાને સંભવ નથી. કારણ કે કદાચ કે લબ્ધિસંપન્ન આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છતાં અહિ તેની ઉપયોગ કરતા નથી. દારિકમિશ અને કામણ તે અનુક્રમે અપર્યાપ્તાવસ્થામાં અને વિગ્રહગતિમાં હેય છે, તેથી તે પણ લેતા નથી. ૧૬
वेउविणा जुया ते मीसे साहारगेण अपमचे । देसे दुविउविजुया आहारदुगेण य पमत्ते ॥१७॥