Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
રસ ગ્રહ
સંયમ, તેના સામાયિક, છેદપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ, સૂક્ષમ સં૫રાય અને યથાખ્યાત એમ મુખ્યત્વે પાંચ ભેદ છે, પરંતુ માગણાની દષ્ટિએ દેશવિરતિ તથા અવિરતિ સહિત સાત સંદ છે.
(૧) સમતા અથવા જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ગુણો જેમાં હેય તે સામાયિક ચારિત્ર. ઈવરિક અને વાવ-કથિક એમ બે પ્રકારે છે. (૧) પહેલા–છેલ્લા તીર્થકરના તીર્થમાં પ્રથમ જે લઘુદીક્ષા અપાય છે ત્યાંથી વડી દીક્ષા સુધી ઇત્વરિક સામાયિક ચારિત્ર અને (૨) ભરતઐરાવતક્ષેત્રમાં મધ્યના બાવીશ તીર્થકરેના તીર્થમાં તથા મહાવિદેહક્ષેત્રમાં પ્રથમથી જ મહાત્રતાનું આરોપણ કરાવવામાં આવતું હોવાથી દીક્ષાના સમયથી જીવનપર્યન્ત જે ચારિત્ર તે ચાવઋથિક.
(૨) જેમાં પૂર્વના ચારિત્ર પર્યાયને છેદ કરી મહાવ્રતનું આરોપણ કરવામાં આવે તે છેદેપસ્થાપનીય (૧) સાતિચાર તથા (૨) નિરતિચાર એમ બે પ્રકારે છે. (૧) મહાવ્રતાદિકને વાત થવાથી પૂર્વપર્યાય છેદ કરી ફરીથી મહાત્રનું આરોપણ કરવામાં આવે તે સાતિચાર અને (૨) વડદીક્ષા વખતે પૂર્વના પર્યાયને જે છેદ કરવામાં આવે તેમજ ભરત-ઐરવત ક્ષેત્રમાં પ્રથમ તીર્થકરના સાધુ ભગવતે બીજા તીર્થકરના તીર્થમાં પ્રવેશ કરે તે મચે પાંચમાંથી ચાર મહાવતે સ્વીકારે ત્યારે અને વેવીશમાં તીર્થકરના તીર્થમાંથી વીશમાં તીર્થકરના તીર્થમાં પ્રવેશ કરતાં ચારમાંથી પાંચ મહાવ્રતને સ્વીકાર કરે ત્યારે નિરતિચાર છે પરથાપનીય ચારિત્ર હોય છે. આ ચારિત્ર મહાવિદેહ ક્ષેત્રમાં સર્વથા હેતું નથી.
(૩) જેમાં વિશિષ્ટ પ્રકારના તપવડે ચારિત્રની શુદ્ધિ કરવામાં આવે તે પરિહારવિકૃદ્ધિ, આ ચાગ્નિને સ્વીકાર કરનાર નવ નવને સમૂહ હોય છે. તે નવમાંથી ચાર ચારિત્રનું પાલન કરનારા, ચાર વેયાવચ્ચ કરનારા અને એક વાચનાચાર્ય થાય છે. એમ યથાસંભવ છ-છ માસ વારા ફરતી કરી અઢાર માસ પૂર્ણ કરે છે.
આ ચારિત્રને સ્વીકાર કરનાર પ્રથમ સંઘયણી અને કઈક ન્યૂન નવ પૂરના અભ્યાસી હોય છે. આ ચારિત્ર શ્રી તીર્થંકરદેવ પાસે અગર જેણે પૂર્વે આ ચારિત્રનું પાલન કર્યું હોય તેમની પાસે જ ગ્રહણ કરી શકાય છે. કાળ પૂર્ણ થયે છતે ફરીથી આ જ ચારિત્રને અગર જિનકલ્પને સ્વીકાર કરે અથવા ગરછમાં જાય.
( જેમાં કિરિરૂપે કરાયેલ માત્ર લેભ કષાયને ઉદય હોય તે સૂમ સંપરા ચારિત્ર, તે (૧) વિશુધ્યમાન અને (૨) સંકિવશ્યમાન એમ બે પ્રકારે છે. (૧) ક્ષપક અથવા ઉપશમ શ્રેણિએ ચડતાં દશમા ગુણસ્થાનકે વિશુધ્ધમાન અને ( ઉપશમણિથી પડતા દશમા ગુણસ્થાનકે સંમિલમાન હોય છે. - (૫) સર્વ કલેકમાં પ્રસિદ્ધ કષાય રહિત, અત્યંત નિરતિચાર જે ચારિત્ર તે યથાખ્યાત અથવા અથાણાત ચારિત્ર છે. તે અગિયારમાથી ચૌદમા-એમ ચાર ગુણસ્થાનકે હેય છે. તેના (૧) છાવસ્થિક અને (૨) કેવલિક એમ બે પ્રકાર છે. વળી છાઘરિક યથાખ્યાતના ઉપશાના