Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
૮૩૯
પોપમ આ ચારેને ઉ&થી નિરંતર અંધકાળ ઘટી શકે, પરંતુ અંતમુહૂર્ત ન્યૂન પૂર્વકેટિના ત્રીજા ભાગની અહિં અવિવક્ષા કરી હોય તેમ લાગે છે.
તિયચદ્ધિક અને નીચગાત્રને તેઉકાય અને વાયુકાર્યમાં નિરંતર બંધ થાય છે તેઉકાય, વાયુકાયની સ્વકાસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણ-અવસર્પિણી પ્રમાણ છે. માટે આ ત્રણેને ઉત્કૃષ્ટ નિરતર અંધકાળ અસંખ્ય ઉત્સર્પિણ-અવસર્પિણી કાલ પ્રમાણ છે.
સાતમાથી તેરમા ગુણસ્થાનક સુધીમાં અસાતાને બંધ ન હોવાથી કેવળ સાતા જ બંધાય છે અને તેરમા ગુણસ્થાનકને ઉત્કૃષ્ટ કાળ દેશના પૂર્વવર્ષ હોવાથી સાતાદનીયને ઉત્કૃષ્ટથી નિરંતર અંધકાળ પણ તેટલે જ છે.
સ્થાવર ભવમાંથી બહાર આવી પુનઃ સ્થાવરમાં ગયેલ છે ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણે અસંખ્ય પુદગલ પરાવર્તન સ્વરૂપ અનંતકાળ સ્થાવરમાં રહે છે, વળી ત્યાં વિઢિયશરીરને બંધ જ ન હોવાથી અસંખ્ય પુદ્ગલ પરાવર્તન કાળ સુધી દારિક શરીર જ બાંધે છે. તેથી ઔદારિક શરીરને ઉત્કૃષ્ટથી નિરંતર બંધકાળ પણ તેટલે જ છે.
શુભવિહાગતિ, પુરુષવેદસૌભાગ્યત્રિક, સમચતુરસ સંસ્થાન અને ઉચ્ચગોત્ર આ સાત પ્રકૃતિએ સાસ્વાદન ગુણસ્થાનકથી આગળ બંધાતી જ નથી અને મિથ્યાત્વ તથા સાસ્વાદ ગુણસ્થાને ગયા વિના જીવ સંસારમાં કેટલાક મનુષ્યભવ અધિક એક અવીશ સાગરોપમ સુધી રહી શકે છે. પછી અવશ્ય મા કે મિથ્યાત્વે જાય, માટે આ સાતેને પાંચથી છ મનુષ્યભવ યુક્ત એકસે બત્રીશ સાગરોપમ ઉત્કૃષ્ટથી નિરતર અંધકાળ છે.
પરાઘાત, ઉચ્છવાસ, પચેન્દ્રિય જાતિ અને રસ ચતુષ્ક આ સાતને ઉકઈથી નિરંતર બંધકાળ છ થી સાત મનુષ્યભવ યુક્ત એકસો પચાશી સાગરોપમ છે તે આ પ્રમાણે
છઠ્ઠી નરકમાં રહેલ આત્મા પ્રતિપક્ષ પ્રકૃતિઓને બંધ ન હોવાથી બાવીશ સાગઉપમ સુધી સતત આ સાત પ્રકૃતિએને બંધ કરે અને મરણના અંતમુહૂર્ત પહેલા સમ્યકત્વ પામી સમ્યફલ સહિત નરકમાંથી નીકળી મનુષ્યભવમાં આવી ત્યાં સુંદર સંયમનું પાલન કરી એકવીશ સાગરેપમના આયુષ્યપણે નવમી ગ્રેવેયકમાં ઉત્પન્ન થાય, -ત્યાં ઉત્પન્ન થયા બાદ અતમુહૂર્ત મિથ્યાત્વ પામે પણ ભવપ્રત્યયથી જ પ્રતિપક્ષ પ્રકૃતિઓના બંધને અભાવ હોવાથી નિરતર આ સાત પ્રકૃતિઓ જ બાંધે, ત્યાં પણ મરણના અતિમુહૂર્ત પહેલા સમ્યકત્વ પામી સમ્યકત્વ સહિત જ ત્યાંથી કાળ કરી મનુષ્યમાં આવે, મનુષ્યભવમાં દેશવિરતિ અથવા સર્વવિરતિનું પાલન કરી બાવીશ સાગરોપમના આયુષ્યવાળા અચુત દેવેલેકમાં ત્રણવાર દેવપણે ઉત્પન્ન થઈ છાસઠ