Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 922
________________ ૮૮૮ પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી પ્ર. ૨૧, મિથ્યાષ્ટિને અનંતાનુબંધિને ઉદય ન હોય ત્યારે જઘન્યથી મોહનીય સંબંધી સાત પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે તેથી તેને વિગ્રહગતિમાં સર્વોત્તર પ્રકૃતિનું પીસ્તાલીશનું ઉદયસ્થાન કેમ ન ઘટે ? મિથ્યાત્વગુણસ્થાને અનંતાનુબંધિના ઉદય રહિત જઘન્યથી મોહનીયનું સાત પ્રકૃતિનું ઉદયસ્થાન પર્યાપ્ત સંશિ–પંચેન્દ્રિયને જ હોય છે અને તે પ્રથમાવલિકામાં કાળ કરતું નથી એથી વિગ્રહગતિમાં સાતને ઉદય ઘટતે ન હવાથી સત્તરપ્રકૃતિનું પીસ્તાલીશનું ઉદયસ્થાન પણ ઘટતું નથી. પ્ર. ૨૨. સર્વોત્તર પ્રવૃતિઓનાં છાશ ઉદયસ્થાનમાં ટીકાકાર મહર્ષિએ દર્શાવેલ ચાવીશ અ૫તરાદયથી વધારે કયા અલ્પતરાદય ઘટી શકે? ટીકાકાર મહાર્ષિએ ઓગણસાઠ અને ચોવીશ વિના શેષ ચોવીશ અલ્પત દય બતાવેલ છે. પરંતુ ભાવિ તીર્થકરને બારમા ગુણસ્થાનકના ચરમસમયે સુડતાલીશના ઉદયમાંથી નવ આવરણ અને પાંચ અંતરાય એ ચૌદને ઉદયવિચ્છેદ થવાથી અને પછીના સમયે તીર્થકર નામકર્મને ઉદય થવાથી, તેરમા ગુણસ્થાનકના પ્રથમ સમયે ચેત્રીશ પ્રકૃતિના ઉદયસ્થાન સ્વરૂપ પચીશમે અલ્પતરોદય પણ ઘટી શકે છે. છતાં તે ન બતાવવાનું કારણ તે અતિશય જ્ઞાનીઓ જ જાણે. પ્ર. ૨૩. નામકર્મનાં બાર સત્તાસ્થાનમાં એવાં કયાં સત્તાસ્થાને છે કે જે બે રીતે પ્રાપ્ત થાય? અને તે કઈ રીતે ? સપણું નહિ પામેલ અથવા એકેન્દ્રિયમાં જઈ ક્રિયાણકની ઉદ્ધના કરેલા એકેન્દ્રિયાદિ જીવને વિક્રિય અષ્ટક, આહારક ચતુષ્ક અને જિનનામ એ તેર વિના એશીનું અથવા ક્ષપકશ્રેણીમાં ત્રાણુની સત્તાવાળાને નામકર્મની તેર પ્રકૃતિઓને ક્ષય થયા પછી નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી એંશીનું સત્તાસ્થાન હોય છે. આ રીતે એંશીનું સત્તાસ્થાન બે રીતે થાય છે. વળી એકેન્દ્રિયાદિમાંથી આવેલ એંશીની સત્તાવાળા પચેન્દ્રિયને પર્યાપ્તાવસ્થામાં વૈક્રિયચતુષ્ક અને દેવદ્વિકના અથવા વક્રિયચતુષ્ક અને નરકટ્રિકના અંધકાલે છની સત્તા બે રીતે વધવાથી ક્યાસીનું સત્તાસ્થાન પણ બે રીતે થાય છે. પ્ર. ૨૪. સર્વોત્તરપ્રકૃતિના અડતાલીશ સત્તાસ્થાનમાં અગિયાર તથા બારનું સત્તા સ્થાન અગિના ચરમ સમયે અને ચોરાણું તથા પંચાણુનું સત્તાસ્થાન ક્ષીણમાહના ચરમ સમયે એક સમય માત્ર હોવાથી એ ચાર વર્જિત શેષ ચુમ્માલીશ સત્તાસ્થાને અવસ્થિત કહ્યાં છે. ત્યાં રાણું અને પંચાણુની જેમ. અઠ્ઠાણુ અને નવાણુનું સત્તાસ્થાન પણ ક્ષણમોહના ચરમ સમયે એક સમમાત્ર હોવાથી આ બે સત્તાસ્થાને પણ અવસ્થિત કેમ કહેવાય ? ઉ૦

Loading...

Page Navigation
1 ... 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950