Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
મંચસગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
૮૭૫
દીર્ઘકાળ સુધી બંધાયેલ ઘણાં દલિકે સત્તામાં હોય તે ઉઇલના વખતે જઘન્ય પ્રદેશસત્તા ન થાય માટે સમ્યક્ત્વ પામી અનંતાનુબંધિની વિસાજના કરી. મિથ્યાત્વ ગુણસ્થાને અન્તર્મુહૂર્ત માત્ર બંધ કરવાનું કહેલ છે. વળી અન્તર્મુહૂર્ત માત્ર બંધ કરી સાધિક એકસો બત્રીશ સાગરોપમ પ્રમાણ સમ્યફવને કાળ પૂર્ણ કરતાં તિબુક સંક્રમ તથા અન્ય સંક્રમ દ્વારા સત્તામાંથી ઘણાં દલિક નાશ થાય માટે ઉપરોક્ત આત્મા જઘન્ય પ્રદેશસત્તાને સ્વામી કહેલ છે.
અપ્રમત્ત ગુણસ્થાને સ્વભૂમિકાનુસાર જઘન્યાગે વર્તતા સ્વબંધ યોગ્ય જઘન્ય અન્તમુહૂતકાળ પ્રમાણ આહારકસપ્તકને બંધ કરી પ્રથમ ગુણસ્થાને આવેલ આત્મા ઉદ્ધલના દ્વારા સંપૂર્ણ અતિમ સ્થિતિઘાતનો ક્ષય કરી સ્તિબુકસંક્રમ દ્વારા ઉદયાવલિકાનો ક્ષય કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ એક સમય પ્રમાણુ અને કર્મ ત્વની અપેસાએ બે સમય પ્રમાણુ સ્થિતિ શેષ રહે ત્યારે આહારકસપ્તકની જઘન્ય પ્રદેશસત્તાને સ્વામી થાય છે.
સાધિક એક બત્રીશ સાગરેપમ કાળ પ્રમાણ સમ્યકત્વનું પાલન કરતાં યથાસંભવ ઉદય તથા સંક્રમ દ્વારા સત્તામાંથી ઘણાં દલિકે ઓછાં કરી મિથ્યાત્વે ગયેલા પિતકર્માશ જીવ ઉકલના કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમય પ્રમાણ અને કર્મત્વની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે સમ્યક્ત્વ મેહનીય તથા મિશ્રમેહનીયની જઘન્ય પ્રદેશસત્તાને સ્વામી થાય છે. ( પિતકમશ જે જીવ એકેન્દ્રિયપણુમાં વિક્રિય એકાદશને ઉકલના દ્વારા ક્ષય કરી સંસિ-તિયચમાં ઉત્પન્ન થઈ અન્તમુહૂર્ત કાળ સુધી ઉપરોક્ત પ્રકૃતિઓને બંધ કરી સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં તેત્રીશ સાગરેપમના આયુષ્યવાળા નારકપણે ઉત્પન્ન થાય. ત્યાં ઉદય તથા સંક્રમ દ્વારા યથાસંભવ સત્તામાંથી ઘણા પ્રદેશ ઓછા કરી ત્યાંથી સંજ્ઞિ–તિર્યંચમાં ઉત્પન્ન થઈ તથા પ્રકારના અધ્યવસાયના અભાવે ત્યાં આમાંની એક પણ પ્રકૃતિને બંધ કર્યા વિના જ કાળ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે જીવ ઉદલના કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમય પ્રમાણુ અને કર્મ ત્વની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે વિક્રિયસપ્તક, દેવદ્રિક તથા નરકકિક આ અગિયાર પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તાને સ્વામી થાય છે.
ઘણાં દલિક સત્તામાં હોય તે જધન્ય પ્રદેશસત્તા ન થાય. માટે પ્રથમ એકેનિયપણામાં ઉદ્ધલના કરવાનું અને અસંક્ષિ સાતમી નરકમાં જતા ન હોવાથી તેમ જ બંધ દ્વારા ઘણાં દલિક ન આવે તેથી સંગિ–તિર્યંચમાં ઉત્પન્ન થઈ અતમુહુર્તાકાળ પ્રમાણ બંધ કરવાનું કહેલ છે. - અલ્પકાળમાં બંધાયેલ દલિકે પણ યથાસંભવ ઉદય તથા સંક્રમ દ્વારા સત્તા માંથી ઘણાં ઓછા થાય અને ફરીથી બંધ દ્વારા નવાં દલિકે સત્તામાં ન આવે તેથી