Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૭૬
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંહ સાતમી નરકમાં તેત્રીશ સાગરેપમ પ્રમાણ કાળ સુધી રહી તિથીમાં આવીને પણ બંધ કર્યા વિના જ એકેન્દ્રિયમાં જાય-એમ કહેલ છે.
- પિતકમશ તેઉકાય અથવા વાયુકાય ઉકેલના દ્વારા મનુષ્યદ્ધિક અને ઉચ્ચગેત્રને ક્ષય કરી સૂવમ પૃથ્વીકાય આદિમાં ઉત્પન્ન થઈ જઘન્યાગે સ્વબંધોગ્ય જઘન્ય અન્તર્મુહૂર્ત કાળ સુધી તે ત્રણને બંધ કરી ફરીથી તેઉકાય અથવા વાયુકાયમાં ઉત્પન્ન થઈ દીર્ઘ ઉદ્ધલના કરે. ત્યાં છેલ્લી ઉદયાવલિકાનો ક્ષય કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ એક સમય અને કર્મવની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે તે આત્મા મનુષ્યદ્રિક અને ઉચગોત્રની જઘન્ય પ્રદેશસત્તાને સ્વામી થાય છે.
પહેલાંના ઘણા કાળનાં બંધાયેલ દલિક સત્તામાં ન રહે માટે પહેલાં તેઉકાય કે વાયુકાયમાં ઉદ્વલના કરવાનું અને અન્ય જીવ કરતાં સૂક્ષમ પૃથ્વીકાયાદિને ચગ અલ્પ હોવાથી નવીન બંધ વખતે પણ ઘણાં જ અલ્પ દલિકે બંધાદિથી પ્રાપ્ત થાય તેથી સૂકમ પૃથ્વીકાયાદિમાં જઘન્યાગે અલ્પકાળ બંધ કરવાનું કહેલ છે.
જે મેહનીયને ઉપશમ કરે તે અપૂવકરણ ગુણસ્થાનકથી અખધ્યમાન અશુભ પ્રકૃતિઓનાં ઘણાં દલિકે ગુણસંક્રમ દ્વારા પ્રાપ્ત થઈ જાય એથી જઘન્ય પ્રદેશસત્તા ન થાય. માટે મોહનીયના ઉપશમ સિવાયની ક્ષપિતકમીશની શેષ ક્રિયાઓ કરી શપકશ્રેણિને પ્રારંભ કરતાં અપ્રમત્ત ગુણસ્થાનક્તા અત્યસમયવતી આત્મા યથાપ્રવૃત્ત કરથના અને યશકીર્તિ અને સંજવલન લાભની જઘન્ય પ્રદેશસત્તાને સ્વામી થાય છે. પછી અપૂર્વકરણના પ્રથમ સમયથી ગુણસંક્રમ દ્વારા અનધ્યમાન અશુભ પ્રવૃતિઓનાં ઘણાં દલિકો ઉપરોક્ત પ્રકૃતિઓમાં આવતાં હોવાથી જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકતી નથી.
જો કે આ ગ્રંથમાં જિનનામકર્મની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામીમાં કઈ વિશેષતા બતાવેલ નથી, પરંતુ કમપ્રકૃતિ-સત્તાધિકાર ગા. ૪૩ ની ટીકામાં જિનનામકર્મની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી, સાધિક ચેરાશી હજાર વર્ષ પ્રમાણ જિનનામને બંધ કરી કેવલજ્ઞાન પામી દેશના પૂર્વવર્ષ સોગિ-ગુણસ્થાનકે રહી અગિ ગુણસ્થાનકના ચરમસમયવતીં જણાવેલ છે અને કેટલાક આચાર્યોના મતે તપ્રાયોગ્ય જઘન્ય જિનનામકર્મને બંધ કરનાર ક્ષપિતકમાંશ જીવ બંધના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશસત્તાને સ્વામી કહેલ છે.
પ્રદેશસત્તાસ્થાન પ્રદેશસત્તાસ્થાનની વિચારણા માટે સ્પદ્ધકની વિચારણા કરે છે. •
ક્ષપિતકમાંશ આત્માને કેઈપણ પ્રકૃતિના ક્ષયના ચરમસમયે એક સમયની સ્થિતિ પ્રમાણ સત્તા વખતે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પ્રથમ સત્કર્મસ્થાન કહે વાય છે. તેનાથી એક પરમાણુ અધિક સત્તાવાળા જીવને બીજુ, બે પરમાણુ અધિક