Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 914
________________ ૮૮૦ પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ થીણદ્વિત્રિક વગેરે બાવીશ અને નરકહિક એમ ચોવીશ પ્રકૃતિનાં નવમા ગુણસ્થાને પિતાપિતાના ક્ષય વખતે ક્રિયસપ્તકની જેમ આવલિકાના સમય પ્રમાણ અને નરકકિનાં પ્રથમગુણસ્થાને ઉદ્ધલના અવસરે પણ આવલિકાના સમય પ્રમાણ પદ્ધકે થાય છે. અનંતાનુબંધીચતુષ્ક તથા મિથ્યાત્વ એ પાંચનાં ચોથાથી સાતમાં ગુણસ્થાને અને સમ્યકત્વ મોહનીય તથા મિશ્રમેહનીયનાં પહેલા ગુણસ્થાને વિક્રિયસપ્તકની જેમ આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધાકા થાય છે, મનુષ્ય વિના શેષ ત્રણ આયુષ્યનાં પિતપિતાના ભવના અને સમયાધિક આવલિકાના સમય પ્રમાણ સ્પર્ધકો થાય છે. સંજવલન લેભનું પણ અપ્રમત્ત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અને એક સ્પદ્ધક યશકીર્તિની જેમ થાય છે. તેમજ સમયાધિક સૂમસં૫રાયના સંધ્યાતમા ભાગના સમયપ્રમાણ સ્પર્ધકે આ રીતે થાય છે– ક્ષપિતકમાંશ જીવને ક્ષપકશ્રેણિમાં સૂમસંપરામના ચરમસમયે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પહેલું પ્રદેશસત્કર્મસ્થાન, ત્યારબાદ એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિ. તકમીશ છવ સુધીના ભિન્ન-ભિન્ન છો આશ્રયી તે જ ચરમસમયે અનન્તપ્રદેશસત્કમસ્થાને થાય છે. તેને સમૂહ તે પહેલું સ્પદ્ધક, એ જ પ્રમાણે સૂકમસંપાયના હિચરમસમયે ભિન્ન ભિન્ન છો આશ્રયી અનંત પ્રદેશસત્કર્મના સ્થાનરૂપ બે સમયની સ્થિતિનું બીજું, ત્રણ સમયની સ્થિતિ શેષ રહે ત્યારે ત્રીજું, ચાર સમયની સ્થિતિ શેષ રહે ત્યારે ચોથું એમ ક્ષપકશ્રેણમાં સૂમસં૫રાય ગુણસ્થાનકના સંસ્થાના ભાગે ગયા પછી એક સંખ્યામાં ભાગ શેષ રહે અને સંવલન લોભના સ્થિતિઘાતાદિ અટકી જાય તે સમયથી આ ગુણસ્થાનકના ચરમસમય સુધીના સંખ્યામા ભાગના કાળના જેટલા સમય છે તેટલા સમય પ્રમાણ સ્પદ્ધ થાય છે. અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પશ્ચાતુપૂર્વીએ પિતાની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સુધીનું એક સ્પર્ધક અધિક થાય છે. પાંચ જ્ઞાનાવરણ, છ દર્શનાવરણ અને પાંચ અંતરાય એ સોળમકૃતિઓનાં પણ જે પ્રમાણે સૂમસં૫રાય ગુણસ્થાને સંજવલન લેભનાં સ્પર્ધકે થાય છે, તે જ પ્રમાણે ક્ષીણામોહ ગુણસ્થાનકના સંખ્યાના ભાગે ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે આ સેલ પ્રકૃતિઓના સ્થિતિવાતાદિ અટકી ગયા બાદ ક્ષીણમેહના શેષ રહેલા સંખ્યાતમા ભાગના સમયપ્રમાણ અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પશ્ચાતુપૂર્વીએ સંપૂર્ણ સત્તા સુધીનું એક એમ કુલ સંખ્યાતમા ભાગના સમયથી એક અધિક પદ્ધક થાય છે. માત્ર ક્ષીણમાના ચરમસમયે નિદ્રાદ્ધિકની સ્વરૂપ સત્તા ન હોવાથી શેષ ચૌદ પ્રકૃતિઓ કરતાં આ બે પ્રકૃતિઓનું ચરમસમયરૂપ એક સ્પર્ધક ઓછું થાય છે.

Loading...

Page Navigation
1 ... 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950