Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસ ગ્રહ-પાંચમું દ્વાર સારસંહે
અતિસકિલષ્ટ પરિણામથી અટકી ગયા બાદ તે તે નિદ્રાના ઉદયકાલે નિદ્રાદિકને જઘન્ય પ્રદેશદય હોય છે. વળી તિબુક સંક્રમદ્વારા ઉદ્યોત નામકર્મના દલિકે દેવગતિમાં ન આવે માટે ઉદ્યોતના ઉદયવાળા દેવને દેવગતિને જઘન્ય પ્રદેશોદય હોય છે. એટલું વિશેષ સમજવું * સંયમી આત્મા અવધિજ્ઞાન અને દર્શન પ્રાપ્ત કરે ત્યારે ઉપરોકત પ્રકૃતિનાં ઘણાં દલિકને ક્ષય થાય અને સત્તામાં ઘણાં ઓછાં રહે, વળી અવધિજ્ઞાન યુક્ત ચતુર્થ ગુણસ્થાનક લઈને દેવલોકમાં ગયા બાદ અન્તમુહૂત પછી જ મિથ્યાત્વે જાયે. મિથ્યાવે ગયા વિના કેઈપણ પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ થઈ શકતું નથી. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિના ઘણી ઉદ્ધત્તના પણ થતી નથી. ઘણી ઉદ્ધત્તના ન કરે તે શરૂઆતના સ્થામાં દલિકો ઘણું રહે, વળી બંધાવલિકા વીત્યા પછી ઉઠ્ઠષ્ટ સ્થિતિબધ કરેલ દલિકે પણ ઉદીરણા દ્વારા ઉદયમાં આવે તેથી જઘન્ય પ્રદેશદય ન ઘટે-માટે ઉપર મુજબ કહેલ છે. - *. અસરકરણમાં રહેલ ઉપશમ સમ્યફી આત્મા પડતી વખતે કંઈક અધિકઅર્થલિકા કાળ બાકી રહે ત્યારે દ્વિતીય સ્થિતિમાંથીદલિકાને ગ્રહણ કરી અંતકરણની ચરમે આલિકામાં પ્રથમ સમયથી ચરમ સમય સુધી ગપુછાકારે એટલે કે પ્રથમ ઘણાં અને પછી વિશેષહીન-હીન દલિકેની રચના કરે છે. તેને ઉદીરણાદય આયિકા કહેવાય છે. તે આવલિકાના ચરમ સમયે યથાયોગ્ય ઉદય પ્રાપ્ત ત્રણે દર્શનમોહનીયને તે આત્માને જઘન્ય પ્રદેશેાદય હોય છે.
એ જ પ્રમાણે ઉપશમશ્રેણિના આ તરકરણમાં કાળ કરી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલ દેવને ઉદીરણાદય આવલિકાના ચરમસમયે અત્યન્ત અલ્પ દલિકે ઉદયમાં આવતાં હેવાથી અપ્રત્યાખ્યાનીય વગેરે બાર કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા અને પુરુષવેદ એમ મોહનીયની ઉદયપ્રાપ્ત યથાસંભવ સત્તર પ્રકૃતિને જઘન્ય પ્રદેશેાદય હોય છે.
સંસારમાં પરિભ્રમણ કરતા જીવ ચારવાર મોહનીયને ઉપશમ કરી, પ્રથમ ગુણસ્થાને આવી અંતમુહૂર્ત કાળ સુધી સ્વભૂમિકાનુસાર જઘન્ય રોગથી ચારે અનંતાનુઅધિને બધ કરી પુનઃ સમ્યક્ત્વ પામી, એકસ બત્રીશ સાગરોપમ સુધી સમ્યકત્વનુ પાલન કરી મિથ્યાત્વ ગુણસ્થાને આવે ત્યારે બંધાવલિકાના અન્ય સમયે તે જીવને
થાસંભવ ચાર, અનંતાનુબંધિને જઘન્ય પ્રદેશદય હોય છે. *: ચાર વાર મેહનો ઉપશમ કરવાથી સત્તામાં રહેલ અપ્રત્યાખ્યાનીય વગેરે કષાયનાં દલિકે પણ ઘણું ક્ષય થાય છે. એથી જ્યારે મિથ્યાત્વ ગુણસ્થાને આવી અંતર કાળ સુધી અનંતાનુબંધિને બંધ કરે ત્યારે તેમાં અન્ય કક્ષાનાં અલ્પ દલિકને જ -સંક્રમ થાય વળી એકસો બત્રીશ સાગરોપમ પ્રમાણ સમ્યકત્વના કાળમાં. અનલાસુ