Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 888
________________ પંચસગ્રહ-પાંચમું. દ્વારા સારસંગ્રહ - * ઘણું ઉધના કરવાથી નીચેનાં એટલે શરૂઆતનાં સ્થાનમાં દલિકો તદ્દન અલ્પ રહે એથી જઘન્ય પ્રદેશોદય થઈ શકે માટે “ઘણી ઉદ્વર્તન કરવાનું કહ્યું. - « " અપર્યાપ્ત અવસ્થામાં પ્રતિસમયે યોગની અસંખ્ય ગુણ વૃદ્ધિ હોવાથી ઉદીરણા દ્વારા લિકે અધિક ઉદયમાં આવે છે. વળી, દેવભવમાં સમયગૂન આવલિકામાં અંધાયેલ તથા ઉદવર્તિતકર્મ પણ બંધાવલિકા અને ઉદ્ધવતનાવલિકા વ્યતીત થઈ જવાથી ઉદયમાં આવે છે. તેથી દ્વિતીયાંકિં સમયમાં જઘન્ય પ્રદેશોદય ન થાય માટે એકેઢિયને પ્રથમસમએ કહેલ છે. . . . . . . . : : ' . ' . અતિસંક્લિષ્ટ પરિણામથી અનુભાગની ઉદીરણા વધારે થાય છે. અને જ્યારે અનુભાગ-ઉદીરણા. વધુ થાય ત્યારે તથાસ્વભાવે પ્રાયઃ પ્રદેશઉદીરણા -અતિઅલ્પ થાય છે. તેથી પ્રદેશ-ઉદીરણા દ્વારા પણ ઘણાં કલિકે ઉદયમાં ન આવે માટે અતિકિલષ્ટ પરિણામ એકેન્દ્રિય ગ્રહણ કરેલ છે : ' . . . . ઉપર જણાવેલ એકેન્દ્રિયને જ જે સમયે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય તે સમયે યથાસંભવ ઉદયપ્રાપ્ત થીણદ્વિત્રિક સબંધી નિદ્રાને જઘન્ય પ્રદેશોદય શા છે પછીના સમયથી ઉદીરણા દ્વારા દલિક અધિક ઉદયમાં આવે છે તેથી જઘન્ય પ્રદેશદય સંભવી શકતું નથી. * * * * શરીરપંથીપ્તિએ પર્યાસનેન્દ્રિયજયક્તિ પૂર્ણ થાય ત્યાં સુધી યથસવ નિદ્રાનો ઉદીરણ વિના કેવળ ઉદય જ હોય છે એથી એને તે સંબંધી કોઈપણ સમયે જઘન્ય પ્રદેશેાદય કહેવો જોઈએ. પરંતુ તે કાલે પણ અપવત્તના ચાલુ હોય છે અને અપવ નાદ્વારા શરૂઆતના સ્થાનમાં દલિકનિક્ષેપ વધારે વધારે અને પછી-પછીના સ્થાનોમાં હીન હીન થાય છે. તેથી ઈન્દ્રિયપર્યાપ્તિએ પર્યાપ્ત થાય તે સમયે અપવર્તનાત નિક્ષેપથી પ્રાપ્ત થયેલ દલિકે ઘણાં ઓછાં હોય છે. માટે પૂર્વના સમયમાં ન કહેતાં ઈન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તને જ પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય કહેલ છે. જે જીવ મનુષ્યભવમાં સંયમને સ્વીકાર કરી સ યમના પ્રભાવથી અવધિજ્ઞાન પ્રાપ્ત કરી આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરી સમ્યક્ત્વ સહિત દેવલોકમાં ઉત્પન્ન થાય. વળી ત્યાં અન્તમુહૂર્ત બાદ મિથ્યાત્વ પામી છે તે પ્રકૃતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તથા ઘણાં દલિની ઉદ્વર્તન કરે તે જીવને બંધાવલિકાના ચરમસમયે અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણુ, બે વેદનીય, અરતિ, શોક, ઉચ્ચગોત્ર, પાંચ અંતરાય, દેવગતિ, નિદ્રા તથા પ્રચલા આ પંદર પ્રકૃતિને જઘન્ય પ્રદેશદય થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસંકિલષ્ટ પરિણામથી જ થાય છે. અને અતિસંકિલન્ટ પરિણામવાળા જીવને નિદ્રાહિકનો ઉદય સંભવતા નથી, તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી

Loading...

Page Navigation
1 ... 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950