Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચગ્રહ-પાંચમું ર
૭૧
અગિ કેવળીને જેને ઉદય વિચ્છેદ થાય છે તે પ્રકૃતિએને, લઘુક્ષપણુ વડે ક્ષય કરતા તે તે પ્રકૃતિઓના ઉદયના અંતસમયે ગુણિતકમાંશ આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. માત્ર અધિદ્ધિકને જેને અવધિજ્ઞાન નથી થયુ તેને ઉત્કૃષ્ટ પ્રદેશદય હોય છે.
ટીકાનુ–સમ્યકત્વમોહનીય, ત્રણ વેદ અને સંક્વલન ચતુષ્ક એ આઠ પ્રકૃતિ-એને લઘુક્ષપણા વડે ખપાવવા માટે ઉદ્યમવત થયેલા ગુણિતકમાં આત્માને તે તે -પ્રકૃતિના ઉદયના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે.
અહિં ક્ષપણ બે પ્રકારે છે–૧ લઘુક્ષપણા અને ૨ ચિરક્ષપણા. તેમાં સાત માસ -અધિક આઠ વરસની ઉમરને કઈ ભવ્યાત્મા સંયમનો સ્વીકાર કરે તે સ્વીકાર્યા બાદ -અંતમુહૂતકાળે જ સપકણિને આરંભ કરે, તેને જે કમને ક્ષય થાય તે લઘુક્ષપણું કહેવાય છે અને જે ઘણા લાંબા કાળે સંયમને પ્રાપ્ત કરે અને સંયમ પ્રાપ્ત ક્ય -પછી ઘણે કાળ ગયા બાદ ક્ષપકશ્રેણિનો આરંભ કરે તેને જે કર્મનો ક્ષય થાય તે ચિરક્ષપણ કહેવાય છે. . દીર્ઘકાળે જે સંયમને પ્રાપ્ત કરે અને ત્યારપછી દીકાળે જે શપકણિના આરંભ કરે તેને ઉદય ઉદીરણ વડે ઘણા પુદગલને ક્ષય થાય છે થોડા જ બાકી રહે છે તેથી ચિરક્ષપણુ વડે ઉત્કૃષ્ટ પ્રદેશદય ઘટી શકતો નથી. માટે જ લઘુક્ષપણું -વડે ખપાવવાને ઉદ્યમવત થયેલાને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય એમ કહ્યું છે. જે આત્મા ઓછામાં ઓછા જેટલા કાળે ચારિત્ર પ્રાપ્ત થાય તેટલા કાળે ચારિત્ર પ્રાપ્ત કરે અને ત્યારપછી અંતર્મુહૂર્ત કાળે જ ક્ષપકશ્રેણિને આરંભ કરે તેને ઉદય-ઉદીરણા વડે ઘણા કમપુદગલે ઓછા કરવાને સમય મળી શકો તે નથી તેથી સત્તામાં વધારે કર્મ પુદગલે હોય છે એટલે તેવા ગુણિતકમશ આત્માને તે પ્રકૃતિના ઉદયના ચરમ-સમયે ઉત્કૃષ્ટ પ્રદેશેાદય થાય છે.
- ઉપરોક્ત હકીકતને અનુસરી જે પ્રકૃતિઓને જયાં ઉત્કૃષ્ટ પ્રદેશદય હોય છે -તે કહે છે.
- ક્ષીણમેહ ગુણસ્થાનકે જે પ્રકૃતિને ઉદયવિચ્છેદ થાય છે તે જ્ઞાનાવરણપંચક, અતરાયપંચક અને દર્શનાવરણચતુષ્કરૂપ ચૌદ પ્રકૃતિઓને લઘુક્ષપણા વડે ખપાવવા ઉધમવત થયેલા ગુણણિના શિરે વર્તમાન ક્ષપક આત્માને ક્ષીણુમેહ ગુણસ્થાનકના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેાદય થાય છે.
માત્ર અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણને ઉત્કૃષ્ટ પ્રદેશદય જેને અવધિજ્ઞાન અને અવધિદર્શન ઉત્પન્ન થયુ નથી તેને હોય છે. કારણ કે અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતા ઘણા કર્મ પુદગલેને તથાસ્વભાવે ક્ષય થાય છે, તેથી અવધિજ્ઞાનીને ઉત્કૃષ્ટ પ્રદેશિદય હોતો નથી, માટે જ અવધિલબ્ધિ રહિત આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય એમ કર્યું છે. તથા બે જિન એ પદ વડે સોગિકેવળી અને અગિકેવળી એ બે લેવાના છે.