Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પીસાગહ પંચમું કાર
તેમાં ઉદયાવલિકા મેળવતા જેટલી સ્થિતિ થાય, તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે. તાત્પર્ય એ કે–
સાતવેદનીયને વેદતા કેઈ આત્માએ અસાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી અને ત્યાર પછી સાતવેદનીય બાંધવાનો આરંભ કર્યો તે વેદાતી અને બંધાતી સાતવેદનીયમાં તેની ઉદયાવલિકા ઉપર જેની બંધાવલિકા વ્યતીત થઈ છે તેવી અસાતવેદનીયની ઉદયાવલિકા ઉપરની કુલ બે આવલિકા ન્યૂન ત્રિીશ કેડાછેડી સાગરોપમ પ્રમાણ સઘળી સ્થિતિ સંક્રમાવે છે. તેથી સાતવેદનીયની ઉદયાવલિકા ઉપર સંક્રમ વડે જે બે આવલિકાનૂન ઉત્કૃષ્ટ સ્થિતિને આગમ થયો તે આગમ ઉદયાવલિકા સહિત કરતાં એટલે થાય તેટલી સાતવેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કહેવાય છે.
આ પ્રમાણે સમ્યકત્વમોહનીય સિવાય શેષ અઠ્ઠાવીશ પ્રકૃતિએની બે આવલિકા ન્યૂન સ્વજાતીય પ્રકૃતિએના ઉત્કૃષ્ટ સ્થિતિના સંક્રમ વડે જે આગમ થાય તે ઉદયાવલિકા સહિત કરતાં જેટલું થાય તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમજવી.
સમ્યકત્વમોહનીયની અંતમુહૂત જૂન ઉત્કૃષ્ટ સ્થિતિને જે આગમ થાય તે ઉદથાવલિકા સહિત કરતા જે થાય તે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમજવી. કારણ આ પ્રમાણે
મિથ્યાત્વાહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી મિથ્યાષ્ટિ ગુણઠાણે અંતમુહૂર્ત રહીને જ સમ્યકત્વ પ્રાપ્ત કરે. સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી મિથ્યાત્વમેહનીયની ઉદયાવલિકા ઉપરની અંતમુહૂર્ત ન્યૂન સિજર કોડાકોડી સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિને સમ્યલિમોહનીયમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે તેથી અંતમુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિનો
૧ બ ધાવલિકા અને ઉદયાલકામાં કોઈ કારણું લાગતું નથી માટે બંધાવલિકા ગયા પછી ઉદચાવલિકા ઉપરની આલિકા ન્યૂન ત્રિીસ કોઠાડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બ ધાતી સાતવેદનીયમાં સંજમાવે છે. સંક્રમાવે છે એટલે બે આલિકા ન્યૂન જેટલા સ્થિતિસ્થાન છે. તેમાંના દલિને સાતવેદનીયરૂપે કરે છે.
અહિં એટલું સમજવું કે અસાતવેદનીય સાતારૂપે થાય એટલે અસાતવેનીયની સત્તા જ નષ્ટ થાય એમ નહિ પરંતુ બે આલિકા ચૂત અસાતવેદનીયના દરેક સ્થાનકમાંના દલિકને ગના પ્રમાણમાં સાતારૂપે કર વળી જે સ્થાનકમાં દલિ રહ્યા છે તે જ સ્થાનકમાં દલિા રહે, નિષેક રચનામાં ફેરફાર ન થાય, માત્ર સ્વરૂપને જ ફેરફાર થાય. એટલે કે અસાતા બંધાતા જે પ્રમાણે નિપક રચના થઈ છે તે કાયમ રહી માત્ર સ્વરૂપને ફેરફાર થયે. અકાતરૂપે ફળ આપનાર હતા તે સાતારૂપે થયા. એટલે ઉથાવલિકા ઉપરનું અસાતાનું જે લિક સાતામાં સંક્રમાવે તે સાતાદનીયની ઉદયવલિકા ઉપર સંક્રમાવે એમ કહ્યું છે.
આ પ્રમાણે હોવાથી જે સમયે અસાતાની બે આવલિકા ચૂત ઉત્કૃષ્ટ સ્થિતિ સાતવેદનીયમાં સક્રમી તે સમયે સાતવેદનીયની ઉદયાવલિકા ઉપર બે આલિકા ન્યૂત ત્રિીસ કેડીકેડી પ્રમાણ સ્થિતિ થઈ. તેમાં તે ઉદયાવલિકા મેળવતાં કુલ એક આવલિકા ન્યૂન ત્રિીશ કેડાછેડી સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સાતવેદનીયની થઈ. આ પ્રમાણે અન્યત્ર પણ સમજવું.