Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૬૪
પંચસંગ્રહ-ચતુર્થદ્વાર પર્યાપ્ત ચૌરિન્દ્રિયને જઘન્યપદે સેળ બંધહેતુઓ હોય છે, તે આ પ્રમાણે એક મિથ્યાત્વ, છ કાયને વધ, ચાર ઈન્દ્રિયની અવિરતિમાંથી કેઈપણ એક ઇન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, અનતાનુબંધિ ક્રોધાદિમાંથી કોઈપણ ક્રોધાદિ ચાર કષાય, નપુંસકવેદ અને ઔદારિક કાયયોગ તથા અસત્ય અમૃષા વચનગ એ બે ગમાંથી એક યોગ.
અંકસ્થાપના આ પ્રમાણે–મિથ્યાત્વના સ્થાને એક, ઈન્દ્રિયની અવિરતના સ્થાને ચાર, યુગલના સ્થાને બે, કષાયના સ્થાને ચાર, વેદના સ્થાને એક અને રોગના સ્થાને , ‘એ. ૧-૧-૪-૨-૪-૧-૨. ક્રમશઃ અ કેને ગુણાકાર કરતાં સોળ બંધહેતુના સહ. ૬૪ ભાંગા થાય.
તે સળમાં ભય મેળવતાં સત્તર થાય, તેના પણ ચોસઠ ૬૪ ભાંગા થાય, જુગુપ્સા મેળવતાં સત્તર હેતના પણ ચેસ ૬૪ ભાંગા થાય. ભય અને જુગુપ્સા બને મેળવતાં અઢાર હેતુ થાય તેના પણ ચોસઠ ૬૪ ભાંગા થાય.
આ પ્રમાણે ચૌરિન્દ્રિય પર્યાપ્ત મિથ્યાષ્ટિના બંધહેતુના બસ છપ્પન્ન ૨૫૯ ભાંગા થાય. ચૌરિન્દ્રિયના સઘળા મળી આઠસે અને છનુ ૮૬ ભાંગા થાય. આ રીતે ચૌરિન્દ્રિયના ભાંગા કહ્યા
હવે તેઈન્દ્રિયના ભાંગા કહે છે—-અપર્યાપ્ત ઈન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે જઘન્ય પદે ચીરિન્દ્રિય પ્રમાણે પંદર હેતુ હોય છે. માત્ર ઈન્દ્રિયની અવિરતિના સ્થાને ત્રણ ઈન્દ્રિયની અવિરતિમાંથી એક ઈન્દ્રિયની અવિરતિ કહેવી.
પૂર્વની જેમ અને ગુણાકાર કરતાં પંદર બંધહેતુના અડતાલીસ ૪૮ ભાંગા થાય. તે પંદરમાં ભય મેળવતાં સેળ થાય, તેના પણ અડતાલીસ ૪૮ ભાંગા થાય. અથવા જુગુપ્સા મેળવતાં સોળ હેતુના પણ અડતાલીશ ૪૮ ભાંગા થાય.
ભય અને જુગુપ્સા બંને મેળવતાં સત્તર હેતુ થાય, તેના પણ અડતાલીસ ૪૮ ભાંગા થાય.
સઘળા મળી અપર્યાપ્ત તેઈન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે બંધહેતુના એક્સ બાણું ૧૨ ભાંગા થાય.
પૂર્વોક્ત પંદરમાં મિથ્યાત્વરૂપ હેતુ મેળવવાથી મિથ્યાષ્ટિ અપર્યાપ્ત તેઈન્દ્રિયને સોળ અપહેત હોય છે. અહિં ચગે કામણું, ઔદારિકમિશ્ર અને ઔદારિક એ ત્રણ હોય છે. માટે ભેગને સ્થાને ત્રણ મૂકી પૂર્વવત્ અને ગુણાકાર કરતાં સેળ બંધહતના બહેતર ૭૨ ભાંગા થાય.
તે સાળમાં ભય મેળવતાં સત્તર થાય તેના પણ બહોતેર ૭૨ ભાંગા થાય.