Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
૫૭૭
સાથે કઈ પણ કરણ ન લાગે તે તે રૂપે ટકી શકે છે અને અબાધાકાલીન શેષ સ્થિતિ અનુભવ ચય છે.
જે કમની જેટલી કડાકોડી સાગરોપમપ્રમાણ સ્થિતિ બંધાય તેને તેટલા સે. વરસને અબાધાકાળ હોય છે. આ જ પ્રકરણમાં આગળ ઉપર કહેશે gazયા વાહવાસર” જે કર્મની જેટલી કડાકેડી પ્રમાણ સ્થિતિ બંધાય તેટલા સે વરસને અબાથાકાળ હોય છે.
જેમ કે– મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તર કોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધાતી હોવાથી તેને સાત હજાર વરસને અબાધાકાળ છે. એટલે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું બાંધેલ મેહનીય કર્મ સાત હજાર વરસ પયત પિતાના ઉદય વડે જીવને કાંઈ પણ બાધા ઉત્પન્ન કરતું નથી. ત્યારપછી જ. બાધા ઉત્પન્ન કરે છે. કારણ કે સાત હજાર વરસના જેટલા સમયે થાય તેમાં આત્મા તથાસ્વભાવે દલિકની રચના કરતે નથી. ત્યારપછીના સમયથી આર ભી સાત હજાર વરસે ન્યૂન સિત્તેર કડાકોડી સાગરેપમના જેટલા સમયે થાય તેટલામાં રચના કરે છે. તેથી જ સાત હજાર વરસ પર્વત ફળને અનુભવ કરતા નથી અને સાત હજાર વરસ ન્યૂન સિત્તેર કેડીકેડી સાગરોપમ પર્યત ફળ અનુભવે છે.
જેટલા સ્થાનકમાં દલરચના થતી નથી તેને અબાધાકાળ કહે છે અને જેટલા સ્થાનકેમાં દલરચના થાય છે તેને નિષેક રચના કહે છે.
૧ જે સમયે જે કર્મ બંધાય તેના ભાગમાં જે દલિ આવે તેઓ ક્રમશઃ ભગવાય તેટલા માટે તેની વ્યવસ્થિત રચના થાય છે જે સમયે કમ બંધાયુ તે સમયથી આર ભી કેટલાક સમયમાં રચના થતી નથી, પરંતુ તેની ઉપરના સમયથી થાય છે. જેટલા સમયમાં રચના થતી નથી, તેને અબાધાકાળ એટલે દલિક રચના વિનાને કાળ. બંધ સમયથી આરંભી અમુક સમયમાં દલરચના નહિ થવામાં કારણ જીરવભાવ છે. અબાધાકાળના ઉપરના સમયથી આરંભી અમુક સમયે આટલા જ દલિક ફળ આપે, અમુક સમયે આટલા દલિ ફળ આપે એ પ્રમાણે રિથતિના ચરમ સમયપત નિશ્ચિત રચના થાય છે. જે જે સમયમાં જે જે પ્રમાણે રચના થઈ હોય તે તે સમય પ્રાપ્ત થાય ત્યારે તેટલા તેટલા દલિના ફળને ભોગવે છે. તેથી જ અબાધાકાળ ગયા પછી એક સામટા દલિકે ફળ આપતા નથી, પરંતુ ગોઠવણ અનુસાર જ ફળ આપે છે. જેટલા સ્થાનમાં રચના થઈ નથી તેને અબાધાકાળ કહે છે તેનું પ્રમાણ આગળ ઉપર કહેશે. ફળ ભેગવવા માટે થયેલી વ્યવસ્થિત લિકરચનાને'નિષેક રચના કહે છે. અબાધાકાળમાં દલિક નહિ ગોઠવાયેલુ હેવાથી તેટલા કાળપર્ય ત વિવક્ષિત સમયે બંધાયેલા કર્મના ફળને અનુભવતા નથી. તેટલો કાળ ગયા પછી અનુભવે છે. અહિં જે સ્થિતિ કહી છે તે અબાધાકાળ સહિત કર્મ સ્વરૂપે રહે. નારી કહી છે. કારણ કે અબાધાકાળમાં પણ તે કર્મ સંબંધ જીવ સાથે છે જ, આયુ વિના સાતકમની સ્થિતિ સાથે અમાધાકાળ જેડીને એની સ્થિતિ કહી છે કારણ કે તે કર્મોના અબાધાકાળનું પ્રમાણુ ચોક્કસ છે આયુના અખાષાકાળનું પ્રમાણ ચેકસ નહિ હોવાથી તેની રિથતિ સાથે અબાધાકાળ જેવો નથી. •