Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૪૦
પંચસહ-પાંચ દ્વાર • एका सप्तदश एकोत्तराणि यावत् द्वाविंशतिः पड्विंशतिः तथा त्रिपश्चाशदादीनि ।
यावत् चतुःसप्ततिः द्वापष्टिरहितबन्धस्थानानि एकोनत्रिंशत् ॥१८॥ • અર્થક, સત્તર, તેનાથી એક એક અધિક કરતાં બાવીશ સુધીના પાંચ તથા છવ્વીશ, અને ત્રેપનથી એક એક અધિક કરતાં અને બાસઠમું બંધસ્થાનક રહિત કરતાં ચુમ્માન્તર સુધીના એકવીશ, આ પ્રમાણે સઘળી ઉત્તર પ્રકૃતિના સામાન્યથી ઓગણત્રીશ અધિસ્થાનકે થાય છે.
ટીકાનુ–સામાન્યતઃ સઘળી ઉત્તર પ્રકૃતિએના ઓગણત્રીશબંધસ્થાનકે થાય છે. તે આ– - એક, સત્તર, સત્તરથી એક એક અધિક કરતાં બાવીસ સુધીના પાંચ. તે આ પ્રમાણે-અઢાર, ઓગણીશ, વીશ, એકવીશ, અને બાવીશ. તથા છબ્બીસ, તથા ત્રેપનથી આરંભી એક એક અધિક કરતાં વચમાં બાસઠમા બંધસ્થાન વિનાના ચુમોતેર સુધીના એકવીશ બંધસ્થાનકે. તે આ પન, ચેપન, પંચાવન, છપન, સત્તાવન, અઠ્ઠાવન, ઓગણસાઠ, સાઠ, એકસઠ, ત્રેસઠ, ચોસઠ, પાંસઠ, છાસઠ, સડસઠ, અડસઠ, ગણેતેર, સિત્તેર, એકેતેર, બહોતેર, હેતેર, ચુમાર. ૧–૧૭–૧૮–૧૯-૨૦-૨૧-૨૨-૨૬પ૩–૫૪–૫૫-૫૬-૫૭-૫૮-૫૯-૬૦-૬૧-૬૩-૬૪-૬૫-૬૬-૬૭-૬૮-૬૯-૭૦–૭૧– ૭૨-૭૩-૭૪,
આ એગણવીશ બંધસ્થાનમાં ભૂસ્કાર અઠ્ઠાવીશ થાય છે. તે આ પ્રમાણે
એક પ્રકૃતિનું બંધસ્થાન ઉપશાંત મહાદિ ગુણસ્થાનકે હોય છે. જ્યારે ઉપશાંત મહ ગુણસ્થાનકેથી પડી સુકમ સં૫રાય ગુણસ્થાનકે આવે ત્યારે ત્યાં જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દશનાવરણય ચાર, યશકીર્તિ, અને ઉચ્ચગેત્ર એ સોળ પ્રકૃતિ અધિક બાંધતાં સત્તર કર્યપ્રકૃતિના બંધરૂપ પહેલે ભૂયકાર. ત્યાંથી પડી અનિવૃત્તિ બાદર સપરાય ગુણસ્થાનકે પ્રવેશ કરતા શરૂઆતમાં સંજવલન લેભ અધિક બાંધતા અઢાર પ્રકૃતિના બંધરૂપ બીજો ભૂયસ્કાર. ત્યારપછી માયાને પણ બંધ કરતાં
ગણેશ પ્રકૃતિના બંધરૂપ ત્રીજે ભૂયસ્કાર. ત્યારપછી તેજ ગુણસ્થાનકે માનને અધિક બંધ કરતા વીશ પ્રકૃતિના બંધરૂપ ભૂયસ્કાર. ત્યારપછી ત્યાંજ ક્રોધ અધિક બાંધતા એકવીશ પ્રકૃતિના બંધરૂપ પાંચમે ભૂયસ્કાર. ત્યાંથી પડતા તેજ ગુણસ્થાનકે પુરુષવેદ અધિક બાંધતા બાવીશ પ્રકૃતિના બંધારૂપ છ ભૂયસ્કાર. ત્યારપછી અનુક્રમે અપૂર્વકરણ ગુણરથાનકે પ્રવેશ કરતા , જુગુપ્સા, હાસ્ય અને રતિ એ ચાર પ્રકૃતિ અધિક બાંધતા છવ્વીશ પ્રકૃતિના અધરૂપ સાતમે ભૂયકાર,
ત્યાંથી નીચે ઉતરતાં એજ ગુણસ્થાનકે નામકર્મની દેવગતિ પ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિ બાંધતાં પરંતુ પૂર્વોક્ત છ વીશ પ્રકૃતિમાં યશકીર્તિ આવેલી હેવાથી તે એક