Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૪૫ પચસહચતુર્થદ્વાર
તથા સ્ત્રીવેદને અને નપુસકવેદનો ઉદય છતાં ઔદારિકમિશ્ર કાયમ હેતો નથી. કારણકે જીવેદના અને નપુકવેદના ઉદયવાળા તિય ચ અને મનુષ્યમાં અવિરતિ સમ્યગૃષ્ટિ આત્મા ઉત્પન્ન થતું નથી. આ પણ ઘણા છમાં સંભવ આશ્રયી કહ્યું છે, એટલે કદાચ કેઈકમાં ન ઘટે તેથી કંઈ દેષ પ્રાપ્ત થતું નથી. સ્ત્રીવેદના ઉદયવાળા મતિવામી, બ્રાહ્મી, સુંદરી વિગેરે ચોથું ગુણઠાણું લઈ મનુષ્યગતિમાં ઉત્પન્ન થયા છે અને તેને વિગ્રહગતિમાં કાર્પણ અને અપર્યાપ્તાવસ્થામાં ઔદારિકમિશગ પણ ઘટી શકે છે.
આ પ્રમાણે સીવેદે દિયમિક, ઔદારિકમિશ્ર અને કાશ્મણકાગ ઘટતા નથી અને નપુસક વેરે દ્વારિકમિશ્ર કાગ ઘટતો નથી માટે વેદ સાથે મેંગેને ગુણ તેમાંથી ચાર ઓછા કરવા,
અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે જઘન્યપદે નવ બંધહેતુઓ હોય છે. તે આ પ્રમાણે છાયામાંથી કોઈપણ એક કાયને વધ, પાંચ ઈન્દ્રિયમાથી એક ઇન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, ત્રણ વેદમાથી એક વેદ, અપ્રત્યાખ્યાનાવરણાદિ કોઈપણ ક્ષેધાદિ ત્રણ કષાય, તેર ચોગમાંથી કોઈપણ એક રોગ, આ પ્રમાણે ઓછામાં ઓછા નવ બંધહેતુ એક સમયે એક જીવને હોય છે.
એક સમયે અનેક જીવ આશયી ભાંગાની સંખ્યા લાવવા માટે એક સ્થાપના આ પ્રમાણે કરવી. છ કાયના એક એકના ચોગે છ ભાંગા થાય માટે કાયની હિંસાને સ્થાને છે મૂકવા, એ પ્રમાણે ઇન્દ્રિયની અવિરતિને સ્થાને પાંચ, વેદના સ્થાને ત્રણ, યુગલના સ્થાને એ, કષાયને સ્થાને ચાર, રોગને સ્થાને તેર મૂકવા તેમાં પણ પહેલાં વેદ સાથે ગો ગુણી તેમાથી ચાર ઓછા કરી ત્યારપછી શેષ અકે સાથે ગુણાકાર કરવો. એટલે ગુણાકાર કરવા માટે અઢે આ પ્રમાણે મૂકવા.-૪-૨-૫-૬-૧૩-૩.
હવે તેઓને ગુણાકાર આ પ્રમાણે કરવે–ત્રણ વેદ સાથે તેર ચોગને ગુણતા એગણચાલીસ ૩૯ થાય તેમાથી ચાર ઓછા કરતા શેષ પાત્રીસ રહે તેને છ કાયે ગુણતાં બસ દશ ૨૧૦ થાય, તેને પાંચ ઈન્દ્રિયની અવિરતિ સાથે ગુણતાં એક હજાર અને પચાસ ૧૦૫૦ થાય, તેને બે યુગલ સાથે ગુણતાં એકવીસસે ૨૧૦૦ થાય, અને તેને ચાર કષાય સાથે ગુણતા રાશીસે ૮૪૦૦ થાય, આ પ્રમાણે નવ બંધહેતુના અનેક જીવ આશ્રયી ચોરાશીસે ભાંગા થાય,
હવે દશ વધતુના ભાંગા કહે છે તે પૂર્વોક્ત નવ હેતુમાં બે કાયને વધ મેળવતા દશ હેતુ થાય. છ કાયના કિસને પંદર ભાગા થાય માટે કાયસ્થાને પંદર મૂકી પૂત કિમે અકેનો ગુણાકાર કરતાં એકવીસ હજાર ૨૧૦૦૦ ભાગા થાય.
અથવા ભય મેળવતાં દશ થાય તેના સાંગા પૂર્વવત્ રાશીસે ૮૪૦૦ થાય. એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં પણ દશ બંધહેતુના રાશીસે ૮૪૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે દશ બહેતુ ત્રણ પ્રકારે થાય. તેના કુલ ભાંગ સાડત્રીશ હજાર અને આઠસો ૩૭૮૦૦ થાય આ રીતે દશ બંધહેતુના સાંગા કહો,