Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૫૮
પચાસગ્રહ-દ્વિતીયાધાર સઘળા નિલેપ થાય છે નાશ પામે છે. એટલે કંઈક અધિક અગીઆર મુહૂર્ત ગજ અને પર્યાપ્તા, અને કંઈક અધિક ત્રેવીસ મુહૂર્ત મૂછિમ અપયા લેતા નથી. તેથીજ ઉપર કહ્યું છે કે ગર્ભજ અપથતા મનુષ્ય અને સમૃમિ મનુષ્ય કેઈ વખત હોય છે, અને કોઇ વખત હોતા નથી.
જયારે ગર્ભજ પર્યાપ્તા અપર્યાપ્તા અને સંછિમ અપર્યાપ્તા એ સઘળા મળી વધારેમાં વધારે હોય ત્યારે તેનું પ્રમાણ આ પ્રમાણે છે-ઉત્કૃષ્ટપદે ગભરજ અને સંપૂમિ મનુષ્યની સર્વેદ સંખ્યા હોય ત્યારે જેટલી સંખ્યા થાય તેનાથી જે કે વાસ્તવિક રીતે નથી, છતાં એસકલ્પનાયે એક મનુષ્ય વધારે હોય તે, સુચિણિના એક અંશુલ પ્રમાણુ ક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશના પિલા મૂળને ત્રીજા મૂળ સાથે ગુણતાં જેટલા આકાશ પ્રદેશ આવે તેટલા આકાશપ્રદેશવડે ભાગતાં-અસત્કલ્પનાયે સૂચિશ્રેણિના એક અંગુલક્ષેત્રના બસે છપ્પન આકાશપ્રદેશ કપીએ તેનું પહેલું મૂળ સાળ, બીજું મૂળ ચાર, ત્રીજું મૂળ છે, પહેલા મૂળને ત્રીજા મૂળ વડે ગુણતાં બત્રીસ આવે તેટલા આકાશ પ્રદેશવડે ભાગતાં-સંપૂર્ણ એક સુચિશ્રેણિને અપહાર થાત. . તાત્પર્ય એ છે કે-સુચિશ્રેણિના અંગુલમાત્ર ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશ છે, તેના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળવડે ગુણતાં જેટલા આકાશપ્રદેશ થાય તેટલા તેટલા પ્રમાણુવાળા એક એક ખંડને પર્યાપ્ત અપર્યાપ્ત ગજ અને સંમૂછિમ એક એક મનુષ્ય ગ્રહણ કરે, અને કુલ મનુષ્યની સંખ્યા છે તેનાથી એક વધારે હોય તે સંપૂર્ણ શ્રેણિને એકજ સમયે અપહાર કરી શકાય. પરંતુ એક મનુષ્ય ઓછો છે એટલે એક કે વધે છે.
બીજી આ રીતે પણ કહી શકાય-સૂચિાણના અંગુલમાત્ર ક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ સાથે ગુણતાં જેટલા આકાશપ્રદેશ આવે, તેટલા આકાશપ્રદેશવ આખી સૂચિશ્રેણિના આકાશપ્રદેશને ભાગતાં જે જવાબ આવે તેમાંથી એકરૂપ ઓછું કરવું, તેટલી સંમછિમ અને ગજ મનુષ્યની સર્વોત્કૃણ સંખ્યા છે. કેવળજ્ઞાની મહારાજે તેઓની તેટલી જ સંખ્યા જોઈ છે. •
અનુગદ્વાર ચૂર્ણિમાં કહ્યું છે કે ઉત્કૃષ્ટપદે જે મનુષ્ય છે, તેમાં એક મનુષ્ય નાગ્યે છતે તે મનુષ્યો વડે સંપૂર્ણ સૂચિબ્રેણિને અપાર થાય. '
તે શ્રેણિને કાલ અને ક્ષેત્ર વડે અપહાણને વિચાર કરે છે. કાલથી અસંખ્યાતી ઉત્સMિણી અવસર્પિણીના સમય પ્રમાણ છે. અને ક્ષેત્રથી સુચિણિના અંશુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ આકાશપ્રદેશના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળવડે ગુણવા.
આ પંક્તિમાં શું કહ્યું? તે કહે છે–તે શ્રેણિના અંશુલ પ્રમાણ ક્ષેત્રમાં જે પ્રદેશ રાશિ છે. તેના પહેલા વર્ગમૂળમાં જે પ્રદેશરાશિ આવે, તેને ત્રીજા વર્ગમૂળમાં આવેલા પ્રદેશ રાશિ વડે ગુણાકાર કર. ગુણાકાર કર્યો છતે જે પ્રદેશશિ થાય, એવડા એવડા એક એક અંકને અપહાર કરે, બીજી બાજુ એક એક મનુષ્યને અયહાર કરે એટલે કે એવડા એવડા સૂચિ