Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૮
પંચમહ-દ્વિતીયકાર કેઈ આત્મા પૂવક્રેટિવર્ષના આયુવાળી મનુષ્યની સ્ત્રી કે તિચિની સીમાં પાંચ છ ભાવે સ્વીપણે અનુભવી ઈશાનદેવકમાં પંચાવન પાપમપ્રમાણુ ઉત્કૃષ્ટ આયુવાની અપરિ. ગૃહીતા દેવીમાં દેવીપણે ઉત્પન્ન થાય, ત્યાંથી આયુ ભયે મરી ફરી પૂર્વકેટિવર્ષના આર્યું વાળી નારી કે તિય ચણીમાં સ્ત્રીપણે ઉત્પન્ન થાય. ત્યાંથી બીજીવાર ઈશાન દેવેલેકમાં પંચાવન પલ્યોપમના આયુવાળી અપરિગ્રહીતા દેવીમાં દેવીપણે ઉત્પન્ન થાય, ત્યારપછી અવશ્ય અન્ય વેદને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સીપણું પ્રાપ્ત કરનાર જીવ આથી પૂર્વકેટિપૃથફત અધિક એક સે દશ પાપમની કાયસ્થિતિ સંભવે છે.
શંકા–જે દેવકુર કે ઉત્તરકુરુમાં ત્રણ પાપમના આયુવાળી માં ઉત્પન્ન થાય તે પૂર્વોક્ત કાળથી અધિક કાયસ્થિતિ પણ સંભવે છે, તે શા માટે આટલીજ કહી ?'
ઉત્તર-તમે જે કહ્યું કે અમારે અભિપ્રાય નહિ સમજતા હેવાથી અયુક્ત છે. કારણ કે દેવીમાંથી થવીને અસંખ્ય વર્ષના આયુવાળી સ્ત્રીમાં આપણે ઉત્પન્ન થાય જ નહિ. કેમકે દેવાનિમાંથી વેલાને અસંખ્યવર્ષના આયુવાળામાં ઉત્પત્તિને નિષેધ છે.
કદાચ એમ કહેવામાં આવે કે અસંખ્યવકના આસુવાળી સ્ત્રી ઈશાન દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુવાળી સ્ત્રીમાં ઉત્પન્ન થાય, તે તે પણ અયુક્ત છે. ઉલ્ક આયુવાળી સુગલિક સ્ત્રી ઉત્કૃષ્ટ આયુવાળી દેવીમાં ઉત્પન્ન ન થાય. કેમકે યુલિયા અહિં જેટલું આયુ હોય તેટલા અગર તેથી જૂન આઉખેજ દેવગતિમાં ઉત્પન્ન થાય પણ અધિક આઉખે ઉત્પન્ન થાય નહિ. તેથી ઉપર કહ્યા પ્રમાણે કઈ જીવ ભ્રમણ કરે તેજ સ્ત્રીને તેટલે કાળ સંભવે છે.
પ્રજ્ઞાપના ટીકાકાર મહારાજે પણ કહ્યું છે કે-અસંખ્યવર્ષના આસુવાળી યુગલિક શી દેવગતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરે નહિ.”
દ્વિતીય આદેશવાદિ આ પ્રમાણે કહે છે-પૂર્વકેટિ વર્ષના યુવાળી નારી કે તિયચણીમાં પાંચ છ સ્ત્રીવેદપણે અનુભવી પૂર્વોક્ત પ્રકારે ઈશાન દેવલોકમાં બે વાર ઉસ્થિતિવાળી દેવીમાં ઉત્પન થાય, તે અવશ્ય પરિગ્રહીતા દેવીમાં જ ઉત્પન્ન થાય, પરંતુ અપરિગ્રહીતા દેવીમાં ઉત્પન્ન ન થાય. તેમના મતે સ્ત્રીને ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાળ પૂવકટિ પૃથફત અધિક અઢાર પલ્યોપમ હોય છે. પરિગ્રહીતાનું ઉત્કૃષ્ટ આયુ નવ પલ્યોપમ હોવાથી બે ભાવના અઢાર પલ્યોપમ થાય છે.
ત્રીજા આદેશવાદિના મતે બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિવાળી દેવીમાં ઉત્પન્ન થાય તે સૌધર્મ દેવલોકમાં સાત પળેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુવાળી પરિગ્રહીતા દેવીમાંજ ઉત્પન થાય. તેથી તેમના મતે પૂર્વ કેટિ પૃથકત્વ અધિક ચૌદ પોપમ વેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે.
ચેથા આદેશવાદિના મતે પચાસ પલ્યોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ આયુવાની સલમ દેવલોકની અપરિગ્રહીતા દેવીમાં પૂર્વોક્ત પ્રકાર બે વાર દેવીપણે ઉત્પન્ન થાય. તેથી તેમના અભિપ્રાયે પૂર્વ કેટિ પૃથફવ અધિક સો પલ્યોપમ સીવેદની ઉણ કાયસ્થિતિ ઘટે છે. આ ચેશે આદેશ જ થકાર મહારાજે ગ્રહણ કર્યો છે, કારણ કે પ્રાયઃ ઘણા આચાર્યોએ આજ આદેશને માન્ય રાખ્યા છે. :