________________
(૧૨) શ્રી ચંદ્રાનન સ્વામી ઃ પશ્ચિમ ધાતકીખંડદ્વીપના અચલમેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૪મી નલિનાવતી વિજયની વીતશોકા નગરીના વાલ્મિક રાજાની પદ્માવતી રાણીથી જન્મ્યા. સ્ત્રીનું નામ લીલાવતી. ચિહ્ન વૃષભનું.
(૧૩) શ્રી ચંદ્રબાહુ સ્વામી : પૂર્વ પુષ્કરાર્ધદ્વીપના મંદિર મેરુથી પૂર્વ મહાવિદેહની ૮મી પુષ્કલાવતી વિજયની પુંડરીકિણી નગરીના દેવકર રાજાની યશોજ્જવલ રેણુકા રાણીથી જન્મ લીધો. સ્ત્રીનું નામ સુંદરા. ચિહ્ન પદ્મ-કમળનું.
(૧૪) શ્રી ભુજંગ સ્વામી : પૂર્વ પુષ્કરાર્ધદ્વીપના મંદિર મેરુથી પશ્ચિમ મહાવિદેહની ૯મી વત્સ વિજયની સુસીમા નગરીના મહાબલ રાજાની મહિમાવતી રાણીથી જન્મ્યા. સ્ત્રીનું નામ ગર્વસેના. ચિહ્ન પદ્મનું.
(૧૫) શ્રી ઈશ્વર સ્વામી : પૂર્વ પુષ્કરાર્ધદ્વીપના મંદિર મેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૫મી વપ્રા વિજયની વિજય નગરીના કુલસેન રાજાની યશોજ્જ્વલા રાણીથી પેદા થયા. સ્ત્રીનું નામ ભદ્રાવતી. ચિહ્ન ચંદ્રમાનું.
(૧૬) શ્રી નેમપ્રભ સ્વામી : પૂર્વ પુષ્કરાર્ધદ્વીપના મંદિર મેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૪મી નલિનાવતી વિજયની વીતશોકા નગરીના વીરસેન રાજાની સેનાદેવી રાણીથી ઉત્પન્ન થયા. સ્ત્રીનું નામ મોહનાદેવી. ચિહ્ન સૂર્યનું.
(૧૭) શ્રી વીરસેન સ્વામી : પશ્ચિમ પુષ્કરાર્ધદ્વીપના વિદ્યુમ્માલી પર્વતથી પૂર્વ મહાવિદેહની ૮મી પુષ્કલાવતી વિજયની પુંડરીકિણી નગરીના ભૂમિપાલ રાજાની ભાનુમતી રાણીથી જન્મ્યા. સ્ત્રીનું નામ રાજસેના, ચિહ્ન વૃષભનું.
(૧૮) શ્રી મહાભદ્ર સ્વામી : પશ્ચિમ પુષ્કરાર્ધદ્વીપના વિધુન્નાલી મેરુથી પશ્ચિમ મહાવિદેહની ૨૫મી વપ્રા વિજયની વિજયા નગરીના દેવસેન રાજાની ઉમાદેવી રાણીથી પેદા થયા. સ્ત્રીનું નામ સૂર્યકાંતા, ચિહ્ન હાથીનું.
(૧૯) શ્રી દેવસેન સ્વામી ઃ પશ્ચિમ પુષ્કરાર્ધદ્વીપના વિદ્યુઝ્માલી મેરુથી પૂર્વ મહાવિદેહની ૯મી વત્સ વિજયની સુસીમા નગરીના સર્વાનુભૂતિ રાજાની ગંગાદેવી રાણીથી પેદા થયા. સ્ત્રીનું નામ પદ્માવતી. ચિહ્ન ચંદ્રમાનું.
(૨૦) શ્રી અજીતવીર્ય સ્વામી ઃ પશ્ચિમ પુષ્કરાર્ધદ્વીપના વિદ્યુમ્માલી મેરુથી પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ૨૪મી નલિનાવતી વિજયની વીતશોકા નગરીના રાજપાલ રાજાની કનની રાણીથી પેદા થયા. સ્ત્રીનું નામ રત્નમાલા. ચિહ્ન સ્વસ્તિકનું.
આ વીસ વિહરમાન તીર્થંકરોનો જન્મ જંબૂઢીપના ભરત ક્ષેત્રમાં તીર્થંકર શ્રી કુંથુનાથજીના નિર્વાણ થયા પછી એક જ સમયમાં થયો હતો. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતના નિર્વાણ પછી આ બધાએ એક જ સમયે દીક્ષા લીધી. વીસેય એક મહિના સુધી છદ્મસ્થ રહીને એક જ સમયે કેવળજ્ઞાની થયા અને આ વીસેય ભરત ક્ષેત્રની ભવિષ્યકાળની ચોવીસીના સાતમા તીર્થંકર
૩૪
જિણધમ્મો