________________
પ૧
કાળના અટલ નિયમને કણ અટકાવી શકયું છે? આખરે અમારી આશાઓ પણ અધુરી જ રહી અને એ વન્દનીય પૂજનીય દેહને પણ અગ્નિ સંસ્કાર કરી ગૃહસ્થાએ પિતાનો ધર્મ બજાવ્ય.
ગુરૂજી ગયાં, પણ તેમના ગુણે વિસરે તેમ નથી. અમારી પ્રાર્થના છે કે ભાભવ શ્રી જિનશાસનનાં આરાધક ઉત્તમ એ ગુરૂને અમને વેગ મળે અને અમે કૃતાર્થ થઈએ.
તેઓના કાળધર્મને વેગે અનેક સ્થળે એકચ્છ મહોત્સવ ઉજવાયા હતા. રાજનગરમાં પણ ફતાશાની પળના ચરમતીર્થપતિ શ્રી મહાવીર પ્રભુના મન્દિરમાં ભવ્ય અઠ્ઠાઈ મહોત્સવ બૃહદ સ્નાત્ર સહિત ઉજવાયે હતો. - અમે અને બીજા પણ ભવ્યજીવ પૂજ્ય ગુરૂણીના ઉપકારનું અને ગુણાનું વારંવાર સ્મરણ કરી શકીએ એ ઉદ્દેશથી યાદ રહેલું જેની પાસેથી જે જે મલ્યું તે તે મેળવીને અહીં લેખ રૂપે સંકલિત કરાવ્યું છે. ભવ્ય આત્માઓ તેને વાંચી વિચારી યથાશક્ય લાભ લેશે એવી અમો આશા રાખીએ છીએ.
છેલ્લે આ વિગતોમાં અમારી અજ્ઞાનતાદિને કારણે કોઈને પણ અન્યાય થાય તેવું કે અનુચિત યા જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તે તેને “મિચ્છામિ દુક્કડું ” દઈએ છીએ.
લી. અમે છીએ તેઓના ઉપકારનાં બાણી
શિષ્યા-પ્રશિષ્યાઓ,