Page #1
--------------------------------------------------------------------------
________________
ઉદાહરા સમ હોય તો તેની માતા
છે
ગુજરાતી અનુવાદ
=
છે
:
જ0
કાર
વિ
માહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
ગુજરાતી અનુવાદ
: અનુવાદક : કવિવર્ય પંડિતશ્રી નાનચંદ્રજી સ્વામીના
સુશિષ્ય લઘુશતાવધાની પં. મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી (સંતબાલ)
પ્રકાશક
મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૪
Page #3
--------------------------------------------------------------------------
________________
0િ પ્રકાશક :
મનુભાઈ જ. પંડિત મંત્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૪
0 પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૧૯૩૪ : પ્રત : ૩૨૦૦ બીજી આવૃત્તિ : જાન્યુઆરી ૧૯૩૫ : પ્રત : ૩૩૦૦ ત્રીજી આવૃત્તિ : નવેમ્બર ૧૯૫૮ : પ્રત : ૧OOO ચોથી આવૃત્તિ : ૧૬મી મે, ૧૯૯૧ : પ્રત : ૧OOO પાંચમી આવૃત્તિ : એપ્રિલ, ૨૦૦૦ : પ્રત : ૧000
2 કિંમત રૂપિયા ચાલીસ
4 મુદ્રક :
અર્થ કૉપ્યુટર, ૨૭, અડવાણી માર્કેટ, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦ ૦૦૪, ફોન : પ૬ ૨૪૩૦૬
Page #4
--------------------------------------------------------------------------
________________
વંદનીય ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજી સ્વામીનું ! અભ્યાસ, ચિંતન અને અસાંપ્રદાયિકતાનો આ સેવકમાં જે કાંઈ વિકાસ થયો છે તે આપની અસીમ કૃપાનું જ ફળ છે. એ આભારવશ આ ગ્રંથ આપના કરકમળમાં સાદર
અર્પણ કરું છું.
મુનિ સૌભાગ્ય
(સંતબાલ)
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિનું નિવેદન આ ઊગતું મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર થોડા જ વખતમાં આટલું પ્રગતિમાન થશે એવી પહેલાં કલ્પના પણ ન હતી. આજે દિનપ્રતિદિન સંખ્યાબંધ જિજ્ઞાસુઓના ઉત્સાહ પ્રેરિત પત્રો અને પુસ્તકોની પુષ્કળ માંગ સતત ચાલુ રહેવા ઉપરાંત સંસ્થાને સાથ પણ બહોળા પ્રમાણમાં મળ્યો છે.
ભગવાન મહાવીરના સાહિત્યની જનતાને ખૂબ જ ભૂખ હોય, પ્રથમ આવૃત્તિની ૩૨૦૦ નકલ કઢાવેલી પરંતુ તે પુસ્તક બહાર પડે તે પહેલાં જ ગ્રાહકની સંખ્યા છપાયેલા પુસ્તકો કરતાં વધી જવાથી બીજી આવૃત્તિનાં ૩૩૦૦ પુસ્તકો તરત જ છપાવવાની જરૂર પડી છે.
સૌ સભ્યોની અનુમતિ અને શ્રી બુધાભાઈ શાહ તથા શ્રી જૂઠાભાઈ શાહના અતિ આગ્રહથી આ વર્ષની મંત્રીપદની જવાબદારી શ્રી લક્ષ્મીચંદભાઈએ કબૂલ રાખી છે.
વિદ્વાન મુનિ મહારાજશ્રીની ભાવનામય અનુગ્રહ બુદ્ધિ તથા તેમના ગુરુશ્રીની ઉદારતા આ સંસ્થાની ઉત્પાદકતા અને જીવનશક્તિ છે.
શ્રી બુધાભાઈ અને શ્રી જૂઠાભાઈની મૂકસેવા આ સંસ્થાની પ્રેરણા છે. અને અન્ય કાર્યવાહકોની કાર્યદક્ષતા આ સંસ્થાની ચાલક શક્તિ છે.
સહાયક, પોષક અને ગ્રાહકોની અમીદષ્ટિનું સિંચન સદા મળતું રહે એ જ અભ્યર્થના સાથે વિરમું છું.
(ટૂંકાવીને) સંવત ૧૯૯૧, કાર્તિક સુદ ૧
વ્યવસ્થાપક નવેમ્બર ૧૯૩૪
Page #6
--------------------------------------------------------------------------
________________
બીજી આવૃત્તિ વિષે થોડુંક પ્રથમ આવૃત્તિનાં પુસ્તકો બહાર પડે કે તુરત જ ૩૭00 ગ્રાહક થઈ ચૂકેલાં અને ઉપરા ઉપરી માંગ ચાલુ રહેવાથી બીજી આવૃત્તિની શીધ્રાતિશીધ્ર આવશ્યકતા ઊભી થઈ છે તે પૂરી પાડવા માટે આ બીજી આવૃત્તિ બહાર પડે છે. આ આવૃત્તિથી સંસ્થાનું સંચાલન વ્યવસ્થિત કરવામાં આવ્યું છે.
હવેથી આ સંસ્થાના કાયમ આર્થિક સહાયદાતા તરીકે શ્રી ડુંગરશી ગુલાબચંદ સંઘવી નિયત થયા છે અને આ વર્ષના મંત્રી તરીકે શ્રી લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવીને ચૂંટવામાં આવ્યા છે. શ્રી બુધાભાઈ, શ્રી જૂઠાભાઈ, શ્રી મણિભાઈ અને ઇતર સજજનો પણ સંસ્થાના સભ્યો રૂપે રહી કાર્ય કરવાના છે. જાન્યુઆરી, , ૧૯૩૫
-સંતબાલ
ત્રીજી આવૃત્તિ પ્રસંગે
પ્રથમ પ્રથમ જ્યારે “ઉત્તરાધ્યયન સૂત્ર બહાર પડ્યું, ત્યારે કલ્પના એવી હતી કે શક્ય તેટલાં ઘણાં જૈન આગમો બહાર પડશે. આ માટે સૌથી પ્રથમ ફુરણા બુધાભાઈ (હાલના મુનિરાજ દયાનંદજી)ને થઈ હતી. ત્યારબાદ તેની “મહાવીર કાર્યાલયની એક કાયમી યોજના પણ ચાલુ થઈ હતી. જે બીજી આવૃત્તિની પછવાડે અપાઈ છે. પરંતુ મુનિશ્રી સૌભાગ્યમુનિજી (હાલ “સંતબાલ' તરીકે પ્રખ્યાત છે, તેઓ)નો સમૌન એકાંતવાસ આવી પડ્યો, ત્યારબાદ તેમના નિવેદન પછી સંપ્રદાયોમાં ઉહાપોહ મચ્યો. ધીમે ધીમે પરિસ્થિતિ એવી થઈ કે થોડા સૂત્રગ્રંથો બહાર પડ્યા પછી લગભગ તે કામ સ્થગિત થઈ ગયું. જોકે ઉત્તરાધ્યયન પછી ‘દશવૈકાલિકઅને ‘સાધક સહચારી' બહાર પડી ચૂકેલાં. “શ્રી આચારાંગ સૂત્ર'નું પૂર્વાર્ધ પણ પ્રગટ થયેલું. ‘ભગવતી સૂત્ર' બે શતક લખાયેલું છે અને આચારાંગ સૂત્રનું ઉત્તરાર્ધ લખાયેલું, તે બંનેય અપ્રકાશિતપણે રહી ગયાં. ત્યારબાદ “સંતબાલ' દ્વારા
Page #7
--------------------------------------------------------------------------
________________
બીજા નાના મોટા અનેક ગ્રંથો લખાયા અને તેમાંના ઘણાખરા ‘મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર' તરફથી જ બહાર પડ્યા છે. તે દરમિયાન ભાલ-નળકાંઠા પ્રયોગને કારણે નવલભાઈ, અંબુભાઈ વ. કાર્યકરો મળ્યા, તેમનું પણ સાહિત્ય આ સંસ્થા તરફથી છપાતું હોય છે. આ રીતે ‘વિશ્વવ્યાપકતા’નું આ સાહિત્ય પછવાડ઼ેનું ધ્યેય છે, તે તો જીવંત રીતે સાર્થક થયું, પણ જૈન આગમો વધુ બહાર નથી પડ્યાં અને હવે તેવી સંભાવના પણ ઓછી લાગે છે.
‘ઉત્તરાધ્યયન સૂત્ર’ની ગુજરાતી ભાષાંતરની બંનેય આવૃત્તિઓ આજે વર્ષોથી ખલાસ થઈ ચૂકી હતી જ્યારે જૈનજૈનેતરોની માંગ સતત અનેક સ્થળેથી ચાલુ હતી. મુનિમહારાજની લેખનશૈલી કોઈ એવી અનોખી છે કે બીજાં ભાષાંતરો ચાહે તેટલાં હોય, તોય આ ભાષાંતર અને નોંધો તરફ જૈનજૈનેતર વાચકોનું આકર્ષણ રહેતું હોય છે.
આ વખતે ઘાટકોપર સ્થાનકવાસી જૈન સંઘે મુંબઈ જેવા મહાનગરમાં ધર્મક્રાંતિને સંઘવ્યાપી બનાવવાની પહેલ કરી તે વખતનાં અનેક કાર્યોમાંનું એક આ પણ થયું. આથી લગભગ ચોવીસ વર્ષ પછી ઉત્તરાધ્યયન સૂત્રની ગુજરાતી ભાષાની આ ત્રીજી આવૃત્તિ બહાર પડે છે. તેમાં આર. કે. મોતીશા ટ્રસ્ટ તરફથી ભાઈશ્રી અમૃતલાલભાઈ દ્વારા સંસ્થાને મળેલી રૂપિયા સત્તરસોની મદદ નિમિત્ત રૂપ બની છે, તેમ મારે કહેવું જ ઘટે. આર્થિક મદદ મળવાથી આ પુસ્તકની કિંમત માત્ર દોઢ રૂપિયો રાખેલ છે. જિજ્ઞાસુઓ આ પુસ્તકનો પૂરેપૂરો લાભ ઉઠાવશે એવી આશા છે.
નવેમ્બર,
સને ૧૯૫૮
ξ
લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી મંત્રી, મહાવીર સા. પ્ર. મંદિર
Page #8
--------------------------------------------------------------------------
________________
ચોથી આવૃત્તિ પ્રસંગે ૧૯૮૯માં શ્રી આચારાંગ સૂત્રના પુનર્મુદ્રણ પ્રસંગે, અમે મુનિશ્રીનાં અન્ય સૂત્રોને પણ, – જે અપ્રાપ્ય છે તેને – પ્રગટ કરવાની યોજના રજૂ કરી હતી. તે રીતે આ ઉત્તરાધ્યયન સૂત્રની ચોથી આવૃત્તિ ઠીક ઠીક લાંબા ગાળે પ્રગટ થઈ રહી છે. ઉત્તરાધ્યયન સૂત્રની માંગ તો આવ્યા જ કરતી હતી, પરંતુ સંતબાલ સ્મૃતિગ્રંથનું કામ મોટો સમય માગી લે તેવું હોવાથી આ કાર્ય થોડું વિલંબિત થયું છે. | મુનિશ્રીના આ અનુવાદમાં ભ. મહાવીરની વાણીમાં જે માંગલ્ય છે, તેને મુનિશ્રીએ પોતાની મધુરતા અને મૌલિકતાથી ભરી દીધું છે. - ઉત્તરાધ્યયન ગ્રંથ એ મુનિશ્રીનો પ્રથમ ગ્રંથ-અનુવાદ છે. ૧૯૩૪માં તેની પ્રથમ આવૃત્તિ પ્રગટ થતાં તે વાંચીને રવિશંકર મહારાજ સંતબાલજીને મળવા આવે છે. આ અંગે સંતબાલજી મહારાજ નોંધે છે :
એક ભાઈ એક વખત શ્રી રવિશંકર મહારાજને લઈ આવ્યા. મહારાજ કહે : “આ ગુજરાતીમાં ઉત્તરાધ્યયન વાંચીને અમૃત પીધા જેવો આનંદ થયો.”
મેં પણ મહારાજશ્રીને ત્યારે જ પહેલી વાર જોયા.
ત્યાર પછી આ બંને મહાપુરુષોની મૈત્રી કેવી જામે છે, તે વર્ણવવાની જરૂર છે ખરી ?
આ ગ્રંથમાં જે અમૃત ભર્યું છે, તેના આસ્વાદ માટે કેવળ આ ગ્રંથની અનુક્રમણિકા વાંચતાં પણ, તે આપણને ગ્રંથના વાચન ભણી દોરી જાય છે.
ગ્રંથ પ્રગટ કરવાની યોજના મૂકી ત્યારે ૪૦ રૂપિયા ખર્ચ આવશે એવી ગણતરી હતી. પણ વિશ્વવાત્સલ્યમાં તેની જાહેરાત આપતાં બે ત્રણ માસમાં જ તેના ૭૦૦ ઉપરાંત આગોતરા ગ્રાહકો થઈ ગયા, એટલે ઘટાડીને ૩૦ રૂપિયા કરી. ગ્રંથના છેલ્લા ફરમા છપાતા હતા ત્યાં મદુરાઈથી ગાંગજીભાઈ કુંવરજીભાઈ વોરાનો પત્ર આવ્યો કે અમારા તરફથી આ ગ્રંથના છાપકામમાં રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય સ્વીકારશો, અને ગ્રંથની કિંમત ઘટાડી શકાય તો ઘટાડશો. તે રીતે હવે ગ્રંથની કિંમત માત્ર રૂપિયા પચીસ રાખી છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરની વાણીના અંતિમ ઉપદેશનું આ અમૃત લોક સુલભ કરવામાં જેણે જેણે સહાય કરી તે સૌના અમે આભારી છીએ.
૧૬-૫-૧૯૯૧
મનુ પંડિત
મંત્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર
પાંચમી આવૃત્તિ પ્રસંગે ચોથી આવૃત્તિ પ્રગટ થતાં તેના આગોતરા ગ્રાહકો નોંધાયા હોવાથી છપાતાં જ ઊપડી ગઈ. ત્યાર પછીનો આ લાંબો – દસકા જેવો – સમય તેની છૂટક છૂટક માંગ આવવા છતાં પ્રગટ કરી શકાઈ નહોતી. તે શ્રી રજનીકાન્તભાઈ સંઘવી, કે જેઓ આ સંસ્થાના પ્રમુખપદે છે, તેમના આદર્શરૂપ દાનથી આ નવી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે.
નવી આવૃત્તિમાં ટાઈપ મોટા લેવામાં આવ્યા છે, જેથી નિત્યપાઠી વાચકોને વધુ ઉપયોગી થઈ પડશે.
શ્રી રજનીકાન્તભાઈ સંઘવી તરફથી આ ગ્રંથના છાપકામમાં રૂપિયા વીસ હજારનો ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થતાં કિંમત માત્ર ચાળીસ રૂપિયા રાખવામાં આવી છે. અમારી સમિતિના સભ્ય ભાઈ શ્રી કુમારપાળ દેસાઈને રજનીકાન્તભાઈનો પરિચયાત્મક લેખ લખી આપવા વિનંતી કરેલ, તે લખી આપવા બદલ તેમનો તથા દાતાના દાન બદલ અમે સંઘવી પરિવારના આભારી છીએ. | મુનિશ્રીનાં અન્ય સૂત્રોને પણ જો આવી ઉદાર સહાય મળતી રહે તો સૂત્ર-પ્રાગટ્યનું ચક્ર ચાલુ રાખી શકાશે. તા. ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૦
મનુ પંડિત
મંત્રી, મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિનું વક્તવ્ય જ્યારથી ઉત્તરાધ્યયન સૂત્રનું વાચન કરેલું ત્યારથી તે સૂત્ર પ્રત્યે આકર્ષણ થયેલું અને જેમ જેમ બીજાં સૂત્રો અને ગ્રંથોનો અભ્યાસ થતો ગયો તેમ તેમ તે આકર્ષણ ભિન્ન ભિન્ન રીતે પરિણમવા લાગ્યું. ત્યારબાદ ઇતર દર્શનોના એટલે ખાસ કરીને વૈશેષિક, નૈયાયિક, સાંખ્ય, વેદાંત ઇત્યાદિ દર્શનોના સાહિત્યનો અભ્યાસ અને નિરીક્ષણ કરવાનો સમય મળતો ગયો, તેમ જ દર્શન, વાદો અને મતો એ બધાનું અવલોકન થોડું ઘણું જે કંઈ થતું ગયું તેમ તેમ જૈનદર્શન પ્રત્યેની અભિરુચિ કંઈક વિશેષ અને વિશેષતર જ થવા લાગી અને તેમ થવું સ્વાભાવિક જ હતું.
છેલ્લે છેલ્લે બૌદ્ધદર્શનના ગ્રંથો વાંચવા મળ્યા.જૈનસાહિત્ય સાથે તેનો તુલનાત્મક અભ્યાસ કરતાં ખૂબ જ રસ પડ્યો. બૌદ્ધસાહિત્ય વાંચ્યા પછી જૈન સાહિત્ય પ્રત્યેનો આદર તો વિશેષતમ થયો જ, પરંતુ તેની પરિણતિ પ્રથમ કરતાં કંઈક જુદી રીતે જ થવા પામી. પરંપરાગત સંસ્કારથી જૈનદર્શન એ વિશ્વવ્યાપી દર્શન છે એમ માની લીધેલું તેને બદલે જૈનદર્શનની વિશ્વવ્યાપકતા શી રીતે અને શા માટે ? આ બધું ચિંતન કરવાનો વિશેષ અવસર મળ્યો હોય તો તે બૌદ્ધ ધર્મના વિશિષ્ટ વાચન પછી જ. અને તે ચિંતનના પરિણામે જૈનદર્શન પ્રત્યેનો આદર પ્રથમ કરતાં વિશેષ થયો ખરો. પરંતુ તેની દિશા પલટી ગઈ અને ત્યારથી એવો નિશ્ચય થતો ગયો કે, એ બધું તુલનાત્મક દૃષ્ટિએ વિચારીને તે વિશેષતાઓ આગળ કરવી.
વૈજ્ઞાનિક, ઐતિહાસિક અને લોકોપયોગિતાની દૃષ્ટિએ જૈનદર્શન કઈ કઈ વિશેષતાઓ ધરાવે છે ? લોકમાનસનું નિદાન કરનારું તેની પાસે કયું રસાયણ છે ? આ બધું માનસમંથન થયા પછી તે તે દૃષ્ટિએ વાંચતાં જે જે બુદ્ધિગ્રાહ્ય થયું તેના ગાઢ સંસ્કારોનું ચિત્ર માનસપટમાં આલેખાતું ગયું.
ભગવાન મહાવીરનાં અન્ય સૂત્રોમાં જે અમૃત વચનો છે તે પૈકી પ્રથમ ઉત્તરાધ્યયનને તદ્દન નવી ઢબે સંસ્કારવાની ભાવના પ્રથમ ઉદ્ભવવાનાં બે કારણો હતાં. (૧) સરળતા અને (૨) સર્વવ્યાપકતા : અને તેથી જ સૌ પહેલાં તેને નવીનતા આપવાની જિજ્ઞાસા રહ્યા જ કરતી હતી. તે સાથે
Page #11
--------------------------------------------------------------------------
________________
ભિન્નભિન્ન દૃષ્ટિબિંદુથી જૈનવાયને ગુર્જરગિરામાં વિકસાવવાના કોડ પણ રહ્યા કરતા હતા.
માનસશાસ્ત્રના નિયમ મુજબ એ આંદોલને જ જાણે અસર ન કરી હોય તેમ થોડા જ વખતમાં એક તત્ત્વજિજ્ઞાસુ ભાઈ મળી આવ્યા. “મહાવીરનાં અમૂલાં સર્વતો ગ્રાહી અમૃતવચનો ઘર ઘર કાં ન પહોંચે ?' એવી તેમને પણ સ્વતઃ પ્રેરણા જાગી હતી. તે ભાઈનું નામ શ્રી બુધાભાઈ મહાસુખભાઈ. તેમની પ્રેરણાથી બીજા ભાઈ મળી આવ્યા, જેમનું નામ શ્રી જૂઠાભાઈ અમરશી. તે અને બીજા સહસ્થોએ મળી વાટાઘાટ કર્યા પછી ભિન્ન ભિન્ન યોજનાઓ પૈકી એક ખાસ વિશિષ્ટ યોજના નક્કી કરી લીધી.
અને તેના ફળ સ્વરૂપે મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર નામની સંસ્થા ઊભી થઈ. તેના જે જે વિદ્વાન સભ્યો થયા તેમણે સેવાવૃત્તિને મોખરે કરી લોક સેવાર્થે સાવ સસ્તું સાહિત્ય બહાર પાડવાનો નિશ્ચય કર્યો.
આવી રીતે મારી તીવ્ર ઇચ્છાને તાત્કાલિક ન્યાય મળતાં મને સંતોષ તો થયો જ, પરંતુ તેની સાથે મારા સંકલ્પબળમાં સર્વોત્તમ ટેકો મળ્યો અને આ દિશામાં વધુ ને વધુ પ્રયત્ન કરવાની આ સંસ્થા દ્વારા એક ઉત્તમ તક સાંપડી તે આહ્વાદનું વર્ણન શબ્દોમાં શી રીતે આવે ?
આજે આપણી પાસે ઉત્તરાધ્યયન સૂત્રની દીપિકા, ટીકા, અવચૂરી, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ગુજરાતી ટબાઓ અને હિન્દી ટીકાઓ ભિન્ન ભિન્ન સંસ્થાઓ તરફથી ખૂબ ખૂબ બહાર પડી ગયાં છે તો આ ઉત્તરાધ્યયનના અનુવાદમાં કઈ વિશેષતાઓ છે ? આ પ્રશ્નનો એક સીધો અને સરળ ઉત્તર એ છે કે એ બધું હોવા છતાં જૈનવાધયથી જૈનેતર વર્ગ સાવ જ અજાણ રહ્યો છે એટલું જ નહિ પણ જૈનો સુધ્ધાં તે વસ્તુથી લગભગ અપરિચિત જ છે. તેનું અનુરૂપ દૃષ્ટાંત આજની પ્રવર્તી રહેલી આપણી ધાર્મિક અવ્યવસ્થા જ તે નિર્દેશ માટે પ્રર્યાપ્ત થશે.
આમ થવાનાં ત્રણ કારણો છે : સૂત્રોની મૂળ ભાષાનું અજ્ઞાતપણું, અનુવાદન શૈલીની દુર્બોધિકતા, મૂલ્યની અધિકતા. શિષ્ટ સાહિત્યની પ્રચારદષ્ટિથી થયેલી આ યોજના એ બધી અગવડોને દૂર કરવામાં ઉપયોગી નીવડશે તેમ માનવું અસ્થાને નથી.
૧0
Page #12
--------------------------------------------------------------------------
________________
લેખન પદ્ધતિ : તુલનાત્મક દૃષ્ટિના સંસ્કારોની છાપ કેવી અને કેવા પ્રકારની છે ? તેમાં હું કેટલે અંશે સફળ થયો છું ? તેનો નિર્ણય તો વાચક દ્વારા જ થઈ શકે; પરંતુ આ ઉત્તરાધ્યયનનું સાંગોપાંગ અનુવાદન કરતી વખતે જે જે દૃષ્ટિઓ રાખવામાં આવી છે તેનું ટૂંક દૃષ્ટિબિંદુ રજૂ કરી લઉં.
સમાજદૃષ્ટિ : જૈનદર્શન પોતાને વિશ્વવ્યાપી મનાવે છે અને પોકારી પોકારીને કહે છે કે મુક્તિ પ્રાપ્ત કરવાનો અધિકાર જીવમાત્રને છે, માત્ર યોગ્યતા જોઈએ; આથી જ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે અંગોને સંઘ તરીકે માને છે અને તે બધાંને મોક્ષના સમાન અધિકારો પણ આપે છે, તો આવા ઉદાર શાસનના સિદ્ધાંતોમાં કેવળ એકાંત એક પક્ષને લાગુ પડતું કથન હોઈ જ શી રીતે શકે ? તેથી ગૃહસ્થજીવનમાં પણ ત્યાગ સંભવે છે, અને તે દૃષ્ટિબિંદુને અનુલક્ષી ભગવાન મહાવીરે અણગારી અને અગારી એમ બે પ્રકારના માર્ગો સ્પષ્ટ બતાવ્યા છે. ઉત્તરાધ્યયનમાં ગૃહસ્થના ત્યાગની એક સ્થળે સ્પષ્ટ રેખા તરી આવે છે કે
'सन्ति एगेहिं भिक्खुहिं गारत्था संजमुत्तरा'
અર્થ : ‘ઘણા કુસાધુઓ કરતાં સંયમી ગૃહસ્થો પણ ઉત્તમ હોય છે.' સારાંશ કે ગૃહસ્થ જીવનમાં પણ મોક્ષની અભિલાષા સેવી શકાય છે અને અલ્પાંશે ત્યાગ પણ કરી શકાય છે.સૂત્રકારે આ ઉદાર આશયને લક્ષમાં લઈ અહીં બંનેને લાગુ પડતી શૈલી સ્વીકારવામાં આવી છે.
ભાષાદૃષ્ટિ : ભાષાદૃષ્ટિએ તથા આજુબાજુના સંયોગોનું નિરીક્ષણ કરી વાસ્તવિક મૌલિકતા જાળવવા ખાતર કેટલાક અર્થો નક્કી કરેલા છે. તેમાં પરંપરા કરતાં કંઈક ભિન્નતા અવશ્ય દેખાશે, પરંતુ તે ભિન્નતા ઉચિત અને સૂત્રકારના આશયને અનુસરીને થયેલી હોઈ તે બદલ વાચકવર્ગ સહિષ્ણુ થશે એમ માની લઈને જ તેટલી ભિન્નતાને સ્થાન આપેલું છે. તેનાં બે ચાર દૃષ્ટાંતો અહીં આપવાથી તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકશે. ‘નિયવટ્ટી’ આ પ્રાકૃત શબ્દનું સંસ્કૃત ‘નીચવર્તી’ થાય છે. પરંપરા પ્રમાણે તેનો અર્થ ‘ગુરુથી નીચા આસન પર બેસનાર' એ પ્રમાણે થાય છે. આ અર્થ બહુ જ સંકુચિત છે એટલું જ નહિ પણ ચાલુ પ્રકરણમાં અસંગત છે. તે શબ્દનું રહસ્ય એકાંત નમ્રતા સૂચક છે. ‘હું કાંઈ નથી તેવી જાતની નમ્રતાયુક્ત
૧૧
Page #13
--------------------------------------------------------------------------
________________
ભાવના' એ અર્થ પ્રકરણસંગત અને અર્થસંગત લાગે છે. તે જ પ્રકારે ગુરુણામુવવાયકારએ'માં પણ ગુરુની સમીપ રહેવાનો ભાવ વ્યંજના શક્તિથી તે જ ઘટી શકે છે કે ગુરુના હૃદયમાં રહેનાર. શું ભગવાન મહાવીરના બધા જ શિષ્યો પાસે રહેતા હતા ? માટે તેમ માનવું સુઘટિત ન લાગતાં ઉપરનો અર્થ નોંધમાં સ્પષ્ટ કર્યો છે. આ અને એવાં બીજાં પણ સ્થાનો નોંધમાં યથોચિત રીતે સ્પષ્ટ કર્યા છે.
અર્થદૃષ્ટિ : આ જ પ્રમાણે કેટલીક ગાથાઓના અર્થો પણ પરંપરાથી ભિન્ન ભિન્ન ચાલ્યા આવે છે જેમ કે –
'सपूवमेबं नलमेज्ज पच्छा एसोवमा सासयवाईयाणं । विसीयई सिढिले आयुयम्मि कालोवणीए सरीरस्स मेए ॥
સંસ્કૃત છાયા 'सपूर्वमेवं न लभेत पश्चाद् एषोपमा *शाश्वतवादिकानाम् । विषीदति शिथिले आयुषि कालोपनीते शरीरस्य भेदे ॥'
આનો અર્થ ટબાની પરંપરા પ્રમાણે એ થાય છે કે “પહેલાં ન થયું તો પછી થશે' આમ કહેવું જ્ઞાની પુરુષો માટે યોગ્ય છે, કારણ કે તે પોતાના ભવિષ્યકાળને પણ જાણે છે, પરંતુ સામાન્ય મનુષ્ય જો તેમ કરે અને પોતાની ઉન્નતિનો માર્ગ ચિંતવ્યા સિવાય મૃત્યુ પામે તો તે વખતે તેને ખેદ કરવો પડે છે.' અહીં ત્રણ પ્રકારના પ્રશ્નો ઉદ્દભવે છે :* (૧) ચાલુ પ્રસંગમાં જ્ઞાની પરત્વેનું કથન શું ઘટિત છે? (૨) કદાચ તેમ હોય તોપણ શાશ્વતવાદી વિશેષણ જ્ઞાનીવાચી કેમ હોઈ શકે ? કારણ કે શાશ્વતવાદી અને શાશ્વતદર્શી એ બંનેમાં ઘણી ભિન્નતા છે. શાશ્વત બોલવું તો સૌ કોઈ માટે સુલભ છે, પણ નિત્યદર્શન તો કેવળ જ્ઞાની પુરુષો જ કરી શકે. (૩) જ્ઞાની અર્થ લેવા છતાં પણ એ બંને પદોનો આખો અર્થ શું બરાબર ઘટી શકે છે ? આ બધા પ્રશ્નોની વિચારણા કર્યા પછી જે કંઈ અર્થ ઘટે છે તે નીચે પ્રમાણે છે :
“જે પહેલાં નથી પામતો તે પછી નથી પામતો' અર્થાત્ કે આખા જગતની રચના નિશ્ચિત છે. પહેલાં જે હતું તે જ આજ છે અને રહેવાનું. લોક પણ શાશ્વત અને આત્મા પણ શાશ્વત છે. આપણે કશું ફેરવી શકવાના નથી. તો પછી આત્મવિકાસનો પ્રયત્ન કરવાની આવશ્યકતા શી ? આવી
૧ ૨
Page #14
--------------------------------------------------------------------------
________________
શાશ્વત (નિયતિ) વાદીઓની માન્યતા હોય છે, પરંતુ જયારે આયુષ્ય શિથિલ થાય છે ત્યારે તેની તે માન્યતા ફરી જાય છે અને તેને ખૂબ જ પશ્ચાત્તાપ થાય છે વગેરે.
અનુવાદ શૈલી : અનુવાદન બે પ્રકારનાં હોય છે. (૧) શબ્દાર્થ પ્રધાન અનુવાદન અને (૨) વાક્યર્થ પ્રધાન અનુવાદન. શબ્દાર્થ પ્રધાન અનુવાદનમાં શબ્દ પર જેટલું લક્ષ્ય અપાય છે તેટલું અર્થસંકલના ઉપર અપાતું નથી. આથી શબ્દાર્થ તો સ્પષ્ટ રીતે જણાય છે. પરંતુ તેની મતલબ સમજવામાં ખૂબ વિલંબ થાય છે. અને તેથી ઘણીવાર કિલષ્ટ પણ થઈ પડે છે. જ્યારે વાક્યર્થપ્રધાન અનુવાદનમાં શબ્દાર્થ પર બહુ ગૌણતા રખાય છે, પરંતુ તેની શૈલી એવી સુંદર અને રોચક હોય છે કે વાચન કરતાં જ તેનું રહસ્ય બરાબર સમજી શકાય છે. આ સ્થળે એ બંનેનું સમન્વયીકરણ કર્યું છે. અર્થાત્ કે મૂળ શબ્દોને યથાર્થ અનુસરવા છતાં શૈલી તૂટવા દીધી નથી. તેમ જ સામાન્ય ગુજરાતી જાણનારને પણ વાચનમાં કઠણ ન પડે તેવી સરળ અને સુંદર ભાષા રાખવા યથાશક્ય પ્રયત્ન પણ કર્યો છે.
સંસ્કાર : અર્થ કરતી વખતે સાવ સરળ શબ્દ વાપરવાની ખૂબ ચીવટ રાખી છે. તેમ જ કેટલાક પારિભાષિક શબ્દોમાં સુંદરતા લાવવા માટે તેનું રહસ્ય જાળવી ક્વચિત્ ભાષા સંસ્કાર પણ કર્યો છે. જેમ કે - “નિયોપી' અર્થાત્ “નિયાથી મોક્ષાર્થી આ શબ્દ જૈન પરિભાષામાં બહુધા આ રીતે પ્રસિદ્ધ છે. પરંતુ તે જ શબ્દને મુમુક્ષુ તરીકે વાપરીએ તો તે વિશિષ્ટ અને સર્વવ્યાપી લાગશે. આ અને એવા બીજા પણ “, મન, બુદ્ધિ' એ બધા પારિભાષિક શબ્દોને ઉચિત પ્રસંગે પ્રકરણ સંગતિ જાળવીને તથા ભાષા પરત્વેની વર્તમાન સંસ્કારિતા તેમ જ શૈલીને અનુસરીને સંસ્કાર આપ્યા છે. આમ કરવા છતાં સૂત્રના મૂળ આશયને જાળવવાનો હેતુ તો પ્રધાનપણે રાખવામાં ખાસ સાવધાન રહ્યા છીએ.
સૂત્રની જીવનવ્યાપકતા : અહિંસાના સિદ્ધાંતનું ગંભીર પ્રતિપાદન, ત્યાગાશ્રમની યોગ્યતા, વિશ્વવ્યાપી પ્રેમ, સ્ત્રીપુરુષ આદિ સૌને સમાન અધિકાર, સંયમની મહત્તા, કર્માવલંબી વર્ણવ્યવસ્થા, જાતિવાદનાં ખંડન, ગૃહસ્થ શ્રાવકનાં કર્તવ્યો એવા એવા ઉત્તમ પદાર્થપાઠો ભગવાન મહાવીરના
૧૩
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રતિપાદિત પ્રવચનોમાં સ્પષ્ટ મળે છે કે જે આજના વર્તમાન યુગને ધાર્મિક દિશા તરફ દોરવા માટે ખૂબ જ પ્રેરણાજનક નીવડે તેવા છે. સૂત્રની આ જીવનવ્યાપી દષ્ટિ સ્પષ્ટ કરવાનું લક્ષ્ય પણ આખા અનુવાદમાં સારી પેઠે રાખ્યું છે.
અસાંપ્રદાયિકતા : ખાસ કરીને એક જ જાતની સાંપ્રદાયિકતા કે માન્યતાને પોષતાં કેવળ તાત્વિક બુદ્ધિએ જ કાર્ય કરવાનો ઉદ્દેશ કાયમ જાળવી રાખ્યો છે.
આ બધાં દૃષ્ટિબિંદુઓ રાખવાનું એક જ કારણ છે કે આ ગ્રંથમાં રહેલી વિશ્વવંદ્ય ભગવાન મહાવીરની પ્રેરણાત્મક વાણીનો લાભ જૈન કે જૈનેતર સૌ કોઈ લઈ શકે.
આ અનુવાદમાં જે કાંઈ અસાંપ્રદાયિકતા આવી હોય તે મારા પૂજ્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજની સંસ્કૃતિનો વારસો જ છે, એટલું જ નહિ પરંતુ આ આખા અનુવાદને સાંગોપાંગ તપાસી જઈ સંશોધન કરવામાં તેમના વિશાળ અવલોકનનો જ ફાળો છે. એટલે તેમનો આભાર તો અકથ્ય છે.
ઉપરાંત “દિનકર'ના ઉત્સાહી તંત્રી ભાઈ જમનાદાસ રવાણી તેમ જ તેમના લઘુબંધુ તારકચંદ્ર પાકા લખાણથી માંડીને બધાં પૂરો” તપાસવામાં જે કંઈ જહેમત ઉઠાવી છે તે પ્રશંસનીય છે. પરંતુ આ બધા સંયોગો હોવા છતાં વિશેષ સફળતાનો આધાર તો શ્રી બુધાભાઈ તથા શ્રી જૂઠાભાઈ ઉપર જ છે. આખા “મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર'ની યોજના તેઓની સૂત્ર સેવા બજાવવાની ભાવનાને અંગે જ થવા પામી છે. કાગળ ખરીદવાના કાર્યથી માંડીને પ્રેમના અંતિમ કાર્ય સુધી તે બંનેએ ઝીણવટભરી કાળજી રાખી છે અને રાખતા રહેવાના છે. તે આ ઉત્તરાધ્યયનના વાંચકોએ નોંધવા યોગ્ય છે.
- સંતબાલ
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ધાત ભગવાન મહાવીરનાં ઉપલબ્ધ સૂત્રોના બે વિભાગ પડે છે. (૧) અંગપ્રવિષ્ટ (૨) અંગબાહ્ય. અંગપ્રવિષ્ટ સૂત્રોનું ગુંથન ગણધરો (ભગવાન મહાવીરના પટ્ટ શિષ્યો)એ કર્યું છે અને અંગબાહ્ય સૂત્રોનું ગૂંથન ગણધરોએ તેમ જ બીજા પૂર્વાચાર્યોએ કર્યું છે. પરંતુ તે બંનેમાં રહેલાં તાત્ત્વિક સૂત્રો ભગવાન મહાવીર અને તેમના પૂર્વવર્તી તીર્થકરોના આત્માનુભવની જ પ્રસાદી છે.
ઉત્તરાધ્યયન સૂત્રનો સમાવેશ અંગબાહ્યમાં થાય છે. તેમ છતાં તે આખું સૂત્ર સુધર્મસ્વામી (ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાંના પાંચમા ગણધર કે જેમનું ગોત્ર અગ્નિ વૈશ્યાયન હતું : એ જંબૂસ્વામી ૮ સુધર્મસ્વામીના શિષ્યને સંબોધીને કહેલું છે. અને તેમાં આવતા ઠેર ઠેર સમયે યમ મા પમાયા', ‘ાસજી મહાવીરે વિમવય' ઇત્યાદિ સૂત્રો સાક્ષી પૂરે છે કે ભગવાન મહાવીરે પોતાના જીવન કાળમાં તે સૂત્રો ગૌતમને સંબોધીને કહ્યાં હતાં.
જૈન પરંપરા પ્રમાણે ઉત્તરાધ્યયનનો કાળનિર્ણય* શ્વેતાંબર મંદિરમાર્ગી અને શ્વેતાંબર સ્થાનકવાસી એ બંને ફિરકાને માન્ય ગણતાં બત્રીસ સૂત્રો પૈકીનું આ એક ઉત્તમ સૂત્ર છે અને અંગ, ઉપાંગ, મૂળ અને છેદના ચાર વિભાગો પૈકી મૂળ વિભાગમાં તેની ગણના થાય છે.
ભગવાન મહાવીર મોક્ષે ગયા પછી (બારમે વર્ષે ગૌતમ મુક્ત થયા હતા) તે જ પાટે બ્રાહ્મણ કુળજાત શ્રીસુધર્મસ્વામી આવ્યા, અને વીરનિર્વાણ પછી તેમની વીસમે વર્ષે મુક્તિ થઈ. ત્યારબાદ તેમની પાટે શ્રી જંબુસ્વામી વિરાજિત થયા. (‘વીર વંશાવલી-જૈનસાહિત્ય સંશોધક')
આ વિગત પરથી ઉત્તરાધ્યયનની પ્રાચીનતા અને અભુતતા સ્વયં સ્પષ્ટ થઈ જાય છે.
પૂર્વકાલીન ભારત-ધાર્મિક યુગ ઃ ભગવાન મહાવીરનો યુગ એ ધાર્મિક યુગ તરીકે ગણાય. તે યુગમાં ત્રણ ધર્મો મુખ્ય હતા. જેને અનુક્રમ વેદ, જૈન અને બૌદ્ધ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે.
*ઉત્તરાધ્યયનના પરિચયમાં પ્રો. શ્રી. દવેએ આ સંબંધી પાછળ આપેલ હોવાથી જૈન પરંપરાની માન્યતા જ આપેલી છે.
૧૫
Page #17
--------------------------------------------------------------------------
________________
તે સમયે વેદ અને જૈન એ બંને પ્રાચીન હતા, અને બૌદ્ધદર્શન અર્વાચીન હતું. એક સ્થળે ડૉ. હર્મન જેકોબી આચારાંગ સૂત્રની પ્રસ્તાવનામાં લખે છે :
“It is now admitted by all that Nataputta (Gnatriputra), who is commonly called Mahavira or Vardhmana, was a contemporary of Buddha, and that the Niganthas (Nirgranths) now better known under the name of Jains of Arhatas, already existed as an important sect at the time when the Buddhist Church was being founded.
“શ્રમણ ભગવંત મહાવીર પ્રભુને નામે ઓળખાતા જ્ઞાતપુત્ર વર્ધમાન સ્વામી, જે વખતે બુદ્ધ વિચરતા હતા તે વખતે જ તેમના સમકાલીન તરીકે વિદ્યમાન હતા. અને જે વખતે બૌદ્ધ ધર્મ હજી અપાતો હતો તે વખતે જૈનો અથવા અહિતના નામે ઓળખાતા નિગ્રંથો એક અગત્યના પંથ તરીકે ક્યારનાએ વિચરી રહ્યા હતા. એ હવે સર્વમાન્ય થઈ ચૂક્યું છે.'
આ પરથી એમ સિદ્ધ થાય છે કે પાશ્ચાત્ય વિદ્વાનો કે જે પ્રથમ બૌદ્ધ ધર્મ કરતાં જૈન ધર્મને અર્વાચીન ગણતા, તેઓ હવે પુષ્ટ પ્રમાણ મળતાં તેની પ્રાચીનતા બરાબર સ્વીકારી શક્યા છે. પ્રથમ ડૉ. બેંબર, ડૉ. લેસન વગેરે કેટલાક વિદ્વાનોએ તેમ શી રીતે માની લીધું હશે ? તેમ કોઈને શંકા થાય તેનું સમાધાન ડૉ. હર્મન જેકોબી જૈનસૂત્રોની પ્રસ્તાવનામાં આ પ્રમાણે આપે છે :
પ્રો. લેસન બંને ધર્મની એકતા માને છે. તેનાં ચાર કારણો નીચે દર્શાવ્યાં છે :
(૧) ભાષાદષ્ટિ : બુદ્ધનું બધું મૌલિક સાહિત્ય પાલિભાષામાં છે, જ્યારે ભગવાન મહાવીરનું સાહિત્ય અર્ધમાગધી ભાષામાં છે. બંને સાહિત્યમાં બહોળે અંશે ભાષાની સમાનતા તેમને લાગી.
(૨) કેટલાક પારિભાષિક શબ્દોની સમાનતા : જેમકે, જિન, અર્વત, સર્વાજ્ઞ, સિદ્ધ, બુદ્ધ, સંબુદ્ધ, પરિનિવૃત, મુક્ત વગેરે સમાન હોવાથી.
(૩) ગત તીર્થકરોની સમવર્તી ગુણપૂજા. (૪) અહિંસા વગેરે કેટલાક સિદ્ધાંતોની સ્થળ સમાનતા :
પરંતુ આ ચારેની પૃથકતા જૈન સૂત્રની પ્રસ્તાવના ડૉ. હર્મન જેકોબીએ કરી વેદ તથા બૌદ્ધધર્મના સિદ્ધાંતો કરતાં જૈનધર્મના ઘણા સિદ્ધાંતો સાવ
Page #18
--------------------------------------------------------------------------
________________
ભિન્ન અને તે બંને કરતાં ઘણી વિશેષતાઓ દર્શાવતાં તેણે સચોટ પ્રમાણપૂર્વક પુરવાર કર્યા છે.
જૈન ધર્મનો પ્રચાર : આ સ્થળે એક સંદેહ થશે કે જૈનધર્મના વિશ્વવ્યાપી સિદ્ધાંતો હોવા છતાં તેનો પ્રચાર હિંદ સિવાય ઇતર દેશોમાં બૌદ્ધધર્મના પ્રચારની જેમ કેદ થવા ન પામ્યો ? તેનાં ઘણાં કારણો છે. તેમાંનાં આ પણ હોઈ શકે : (૧) ભગવાન મહાવીરે ભગવાન પાર્શ્વનાથની પરંપરા કરતાં ઘણાં કડક વિધિવિધાનો સ્થાપ્યાં હતાં અને તેથી જૈનધર્મનો મુખ્ય પ્રચારક શ્રમણ વર્ગ હિંદ બહાર જઈ શક્યો ન હતો અને (૨) પ્રચાર કરવા કરતાં ધર્મની નક્કરતા પર તે વખતે જૈન સંસ્કૃતિનું વિશેષ લક્ષ્ય હોવું જોઈએ. આટલું પ્રસંગોચિત કહ્યા પછી ઉત્તરાધ્યનની વિશેષતા પર આવીએ.
જેનધર્મના વિશિષ્ટ સિદ્ધાંતો આત્માનું નિયત્વ : આત્માને પરિણામી નિત્ય માનવો, અર્થાત એકાંત કૂટસ્થ-નિત્ય કે કેવળ અનિત્ય નહિ.
આત્મા એ અખંડ નિત્ય હોવા છતાં કર્મશાત્ તેનું પરિણમન થાય છે. કહ્યું છે કે : नो इंदियगेज्झो अमुत्तभावा ।
अमुत्तभावा वि अ होइ निच्चो । अज्झत्थहेउं निययस्स बंधा ।
સંસાર ર વયંતિ વંધે છે. આત્મા અમૂર્ત હોવાથી બહિરિન્દ્રિયોથી પ્રત્યક્ષ થઈ શકતો નથી. વળી તે અમૂર્ત હોવાથી નિત્ય છે, પરંતુ આમ હોવા છતાં અજ્ઞાનવશાત્ તે કર્મબંધનોથી બંધાયેલો છે અને બંધન એ જ આ સંસારનો હેતુ છે.
સાંખ્યદર્શન તેને કૂટસ્થ નિત્ય માને છે. જ્યારે બૌદ્ધદર્શન એકાંત અનિત્ય માને છે. આ બંને સિદ્ધાંતો વિચારતાં અપૂર્ણ ભાસશે. કારણ કે જો એકાંત કૂટસ્થ નિત્ય હોય તો તેનું પરિણમન થઈ શકે નહિ. પરિણમન ન હોય તો બંધન પણ ન હોય અને બંધન ન હોય તો મુક્ત, નિર્વાણ કે મોક્ષનો પ્રયત્ન પણ હોઈ શકે નહિ.
જયારે આપણને તો ક્ષણે ક્ષણે દુ:ખનું સંવેદન થાય છે, શરીરના સારા માઠા દરેક પ્રસંગે આત્મા શુભાશુભ ભાવો અનુભવે છે. તેથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આત્મા પોતે નિત્ય હોવા છતાં કર્મબંધનથી બંધાયેલો છે.
૧૭
Page #19
--------------------------------------------------------------------------
________________
વળી જો આત્મા કેવળ અનિત્ય હોય તો પાપ, પુણ્ય, સુખ, દુઃખ એ કંઈ સંભવે જ નહિ. વળી જે આત્મા કર્મબંધન કરે તે જ નાશ પામે તો પછી તે કર્મનું પરિણામ કોણ ભોગવે ? એમ પરસ્પર અસંબદ્ધતા જણાય છે. આથી જ જૈનદર્શન તેને પરિણામી નિત્ય માને છે. વિશ્વનું અનાદિવ: આ જગત ઈશ્વરે બનાવ્યું નથી. આખું વિશ્વ અનાદિ છે.
કેટલાંક દર્શનો માને છે કે દરેક કાર્યનું કંઈક ને કંઈક કારણ હોય જ છે. જેમ કે ઘડા રૂપ કાર્ય કરનાર કુંભાર તેમ નાના મોટા દરેક કાર્યનો કર્તા કે પ્રેરક કોઈ ને કોઈ અવશ્ય છે. તે જ રીતે આ જગતનો કર્તા પણ કોઈ ને કોઈ હોવો જ જોઈએ. અને તેને જ તે ઈશ્વર કિંવા કોઈ શક્તિરૂપ કહ્યું છે.
આમ સ્વીકારતાં નીચેના પ્રશ્નો ઉદ્દભવે છે.
(૧) જો બધા કાર્યનો સંચાલક ઈશ્વર માનીએ તો જીવોને સુખદુ:ખ આપવામાં તેની સારી માઠી અસર અને ઇચ્છાનું આરોપણ થાય છે; કારણ કે જગતમાં એવો નિયમ છે કે ઇચ્છા વિના પ્રવૃત્તિ થઈ શકે નહિ અને એવી ઇચ્છા થવી તેને રાગ અને દ્વેષ કહેવાય છે. જે આત્મા રાગ અને દ્વેષથી કલુષિત હોય તે ઈશ્વર કે સર્વજ્ઞ શી રીતે હોઈ શકે ?
(૨) તેવી કોઈ શક્તિ હોય તો વળી તે શક્તિનું ભાજન કે તેનો સ્વામી તેથી અતિરિક્ત સ્વીકારવો જ પડે અને તે સ્વીકારવા જતાં તો પાછો તેનો તે આરોપ લાગુ પડે.
(૩) જો કર્તા અન્ય હોય તો જ ફળ દેવાની સત્તા બીજાની હોઈ શકે.
(૪) ઈશ્વર કે તેવી શક્તિ પર આધાર રાખવામાં પુરુષાર્થને જરાપણ અવકાશ રહેતો નથી. અને જો પુરુષાર્થ નથી તો જીવન પણ વ્યર્થ છે, અને જીવન વ્યર્થ હોય તો જગતનો પણ હેતુ સરતો નથી. આથી જ જૈનદર્શન કહે છે કે :
'अप्पा कत्ता विकत्ता य सुहाण य दुहाण य' ।
આત્મા પોતે જ કર્મનો કર્તા અને સુખદુ:ખનો ભોક્તા છે. બીજો કરે ને તમે ભોગવો કે તમે કરો ને બીજો ભોગવે તે સુઘટિત નથી, અને તેથી જ આ વિશ્વ ઈશ્વરે કે કોઈએ બનાવ્યું નથી કે તેનો પ્રેરક પણ નથી, કારણ કે રાગદ્વેષથી રહિત થયેલા સિદ્ધ આત્માને સંસારનો સંબંધ રહેવા પામતો નથી.
આત્મસંગ્રામ : આખા સંસારમાં એક નાનાથી માંડીને મોટા જંતુ સુધી પરસ્પર એક બીજાને ભોગે જીવતા હોય છે અને એમ સ્વાર્થનાં પારસ્પરિક હૃદયુદ્ધો ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં ભિન્ન ભિન્ન રીતે પ્રવર્તી રહ્યાં છે.
૧૮
Page #20
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શન કહે છે કે “બહારના બધા સંગ્રામોથી વિરમો. તમારું કલ્યાણ, તમારું હિત, તમારું સાધ્ય એ બધું તમારામાં છે. તમો જે બહાર શોધી રહ્યા છો તે સાવ મિથ્યા વસ્તુ છે. પોતાના કોઈપણ સુખ માટે બીજા સાથેના અત્યાચાર, હિંસા કે યુદ્ધ એ બધ નકામાં છે.' કહ્યું છે કે,
अप्पामेव जुज्झाहि किंते जुज्झेण बज्झओ । अप्पाणमेव अप्पाणं, जइत्ता सुह मेहए ॥१॥ बरं मे अप्पा दंतो संजमेण तवेण य ।
माहं परेहिं दम्मतो बंधणेहिं वहे हि य ॥२॥ (૧) બહારના યુદ્ધથી શું વળવાનું છે ? માટે આંતરિક યુદ્ધ કરો. આત્માના સંગ્રામથી જ સુખ પામી શકશો.
(૨) બહારના વધ કે બંધનથી દમવા કે દમાવા કરતાં સંયમ અને તપથી પોતાનું આત્મદહન કરવું તે જ ઉત્તમ છે.
કર્મના અચળ કાયદાથી પુનર્જન્મનો સ્વીકાર : જડ, માયા કે કર્મથી સંડોવાયેલું ચૈતન્ય જે જે જાતની ક્રિયા કરે છે તેનું ફળ તેને પોતાને જ ભોગવવું પડે છે. જૈનદર્શન કહે છે કે :
'कडाण कम्माण न मोक्खअत्थि' કરેલાં કર્મને ભોગવી લીધા વિના કર્મથી છૂટી શકાતું નથી.'
કર્મનો કાયદો જ એવો છે કે જ્યાં સુધી તેનું બીજ બળી ન જાય ત્યાં સુધી શુભ કે અશુભરૂપે પરંપરાગત પરિણમન થતું રહેવાનું, અને જયાં સુધી કર્મથી સંબંધ રહે ત્યાં સુધી તે જીવાત્માનાં ભિન્ન ભિન્ન સ્થાને યોજાવાનાં નિમિત્ત બનવાના અને પુનરાગમન થતું જ રહેવાનું. | મુમુક્ષુ અને તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુએ જે ચાર વસ્તુઓ જ્ઞાતવ્ય છે તે જ આ છે; આત્માની ઓળખાણ, વિશ્વનું કારણ, જન્મ-જન્માંતરનું કારણ અને તેનું વિવરણ. આ વસ્તુઓનું જ્ઞાન જ યથાર્થ રીતે થાય તો તેને પોતાના ઐહિક જન્મની સફળતાનાં સાધનો સાર્થક્ય કરવામાં ઉઘુક્ત થાય કે નહિ એ કેવળ જુદો જ પ્રશ્ન છે, પરંતુ દુનિયાના દરેક મહાન ધર્મસંસ્થાપકો અને તત્ત્વવેત્તાઓએ આ મુખ્ય વસ્તુઓને દૃષ્ટિ સમીપે જ રાખીને પૃથફ પૃથક્ સિદ્ધાંતો ઘટાવ્યા છે તથા મુમુક્ષુઓ પ્રતિ વિવિધ પ્રકારનાં કર્તવ્ય કર્મ પ્રબોધ્યાં છે.
ભગવાન મહાવીરના કાળમાં વેદધર્મ પ્રચલિત હતો, જો કે તેનાં વિધિવિધાનોમાં ખૂબ સંકરતા પ્રસરી ગઈ હતી, પરંતુ એ ધર્મના પ્રચારકો તથા તત્ત્વસંશોધકોની દષ્ટિ પણ ઉપર કહી તે ચાર વસ્તુઓ પ્રતિ જ હતી.
૧૯
Page #21
--------------------------------------------------------------------------
________________
એક સ્મૃતિનાં આ વાક્યો છે,
किं कारणं ब्रह्म । कृतः स्म जाता जीवामः केन क्व च संप्रतिष्ठिताः । के सुखेतरेषु वर्तामह इति ॥
અર્થાત્ (૧) શું આ વિશ્વનું કારણ બ્રહ્મ છે ? (૨) આપણે ક્યાંથી ઉત્પન્ન થયા, શાથી જીવીએ છીએ અને ક્યાં રહ્યા છીએ તથા (૩) શાથી સુખદુઃખમાં વર્તીએ છીએ ? આ ત્રણે પ્રશ્નાત્મક સ્મૃતિ વાક્યોમાં વિશ્વનું કારણ, આત્માની ઓળખાણ, પૂર્વજન્મ–વર્તમાન જન્મ-પુનર્જન્મનું કારણ અને તેના નિવારણ માટે સુખ-દુઃખના કારણનાં સંશોધન દ્વારા કર્તવ્ય કર્મનું વિધાન : એ ચારે પ્રશ્નો સમાવિષ્ટ થાય છે. વેદધર્મ આ ચારે પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે કર્યું છે અને તેમાં કઈ વિશેષતા-ન્યૂનતા છે એ વિચાર અત્રે વિસ્તારથી કરવો યોગ્ય નથી, તે વિચાર તો ઇતર મહાત્માઓની સાથે જૈન મહાત્માઓએ પણ સૂત્ર ગ્રંથોમાં સારી પેઠે કરેલો છે.
મહાવીરના સમકાલીન બુદ્ધે પણ આ જ શ્રેણીને સ્વીકારી મુમુક્ષુ ધર્મનું વિધાન કર્યું છે. જેવી રીતે તત્ત્વ વિચારણાની દૃષ્ટિએ જૈન અને વેદ ધર્મ વચ્ચે મતભેદ છે તેવી જ રીતે બુદ્ધના નિર્ણયો તથા વિધાનો વચ્ચે પણ મતભેદ છે પરંતુ તત્ત્વ શ્રેણીનું સામ્ય જ અત્રે વક્તવ્ય છે. બ્રહ્મ, આત્મા, પૂર્વજન્મ-પુનર્જન્મ અને તેની કારણ નિવારણની વિચારણા એટલે ઈહલોકનું કર્તવ્ય કર્મ એ બુદ્ધના તત્ત્વદર્શનની શ્રેણી છે. (૧-૨) બુદ્ધ, બ્રહ્મ તથા આત્માના અસ્તિત્વને માન્ય રાખવા ના કહે છે એટલે વિશ્વને અનાદિ તથા આત્માને અવાસ્તવિક માને છે, પરંતુ (૩) કર્મ વિપાકથી નામ રૂપાત્મક દેહને નાશવંત જગતમાં પુનઃ પુનઃ જન્મ લેવો પડે છે એમ સ્વીકારે છે અને (૪) જે જન્મના ફરાનું કારણ સમજી લઈને તે કારણ જે વડે નાબૂદ થાય તેવો માર્ગ સ્વીકારવાનું પણ વિધાન કરે છે.
આ જ ચારે વસ્તુઓનું નિરાકરણ ભગવાન મહાવીર ઉત્તરાધ્યયનસૂત્રમાં જે પદ્ધતિએ કરે છે અને જે નવનીત કાઢી આપે છે તે આ ઉપોદ્ધાતમાં પૂર્વાર્ધમાં આ સૂત્રમાંનાં જ પ્રમાણો આપીને જે નિષ્કર્ષ કાઢી બતાવ્યો છે તે ઉપરથી જોઈ શકાશે. ભારતના પ્રાચીન તત્ત્વજ્ઞાનની ઉપર્યુક્ત ત્રણ મુખ્ય શાખાઓમાંની જૈનધર્મની મુખ્ય શાખા પ્રમુખ તત્ત્વો વિશે શો નિર્ણય આપે છે તે જાણવાની જિજ્ઞાસુ જૈન તથા જૈનેતરોને સંતોષવાના હેતુપૂર્વક આ સૂત્રની સૌથી પહેલી પસંદગી અને પ્રસિદ્ધિકરણ કરવામાં આવ્યાં છે.
સંતબાલ
Page #22
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્રનો પરિચય જૈનના ધાર્મિક ગ્રંથોમાં ઉત્તરાધ્યયનનું સ્થાન અનોખું છે. ઉત્તરાધ્યયન, આવશ્યક, દશવૈકાલિક અને પિણ્ડનિર્યુક્તિ આ ચાર સૂત્રગ્રંથોને જૈનો મૂળ સૂત્રરૂપ સામાન્ય સંજ્ઞાથી ઓળખે છે. મૂળ સૂત્રો શા માટે કહેવાયાં તે પણ જાણવા જેવું છે. શાપેન્ટીયર નામના જર્મન વિદ્વાન એક કલ્પના કરે છે કે આ ગ્રંથોને આવું નામ મળવાનું કારણ એ જ કે એ ગ્રંથો 'Mahavira's own words' (Utt. Su. Introd. p. 32) અર્થાત્ મહાવીર સ્વામીના પોતાના જ શબ્દો તેમાં ગ્રંથિત થયેલા છે. તેમનું આ વિધાન દશવૈકાલિકને દેખીતી રીતે લાગુ પડી શકતું નથી એમ કહી મૂળસૂત્રનો બીજો જ અર્થ Dr. Schubring (ડૉ. બિંગ) કરે છે. તેઓ કહે છે કે “સાધુ તરીકેના જીવનની શરૂઆતમાં જે યમનિયમાદિ આવશ્યક છે, તેનો આ ગ્રંથોમાં ઉપદેશ હોઈ આ ગ્રંથોને મૂળસૂત્રો sèqchi 241047 614 (Work Plahaviviras, P.I.) Prof. Cuerinot (2. ગોરીનોટોનું માનવું એમ છે કે આ ગ્રંથો "Traite's Originaux* અર્થાત અસલ ગ્રંથો છે, જેના ઉપર અનેક ટીકાઓ, નિયુક્તિઓ થઈ છે. ટીકા ગ્રંથને અભ્યાસ કરતાં આપણે પણ જે ગ્રંથ ઉપર ટીકા કરવી હોય તે ગ્રંથને મૂળ ગ્રંથ કહીએ છીએ. વળી જૈન ધાર્મિક ગ્રંથોમાં આ ગ્રંથો ઉપર સૌથી વધારે ટીકાગ્રંથો છે. આ કારણોથી આ ગ્રંથોને ટીકાઓની અપેક્ષાએ મૂળગ્રંથો અથવા “મૂળ સૂત્ર” કહેવાની પ્રથા પડી હશે એમ કલ્પી શકાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રને પોતાની સંજ્ઞા શી રીતે મળી તે માટે પણ સહેજ મતભેદ પ્રવર્તે છે. Leuman (લ્યુમન) અને 'Later readings' અથવા પાછળથી રચાયેલા ગ્રંથો માને છે, અને તેના સમર્થનમાં જણાવે છે કે આ ગ્રંથ અંગગ્રંથોની અપેક્ષાએ પાછળથી રચાયેલ હોઈ એને “ઉત્તર' એટલે પાછળનો ગ્રંથ કહ્યો છે. પરંતુ ઉત્તરાધ્યયન ઉપરના ટીકા ગ્રંથોમાંથી આપણને જાણવાનું મળે છે કે
મહાવીર સ્વામીએ તેમના છેલ્લા ચોમાસામાં છત્રીસ અણપૂછ્યા પ્રશ્નોના ઉત્તર' અર્થાતુ જવાબો આપેલા જે જવાબો આ ગ્રંથના રૂપમાં સંગૃહીત છે. આ માહિતી સત્ય માનવાને આપણી પાસે સબળ પ્રમાણ છે. અને ‘ઉત્તર’ શબ્દનો અર્થ તેમાં પૂર્તિ કરે છે, જેથી એ મત વધારે વજનદાર ગણવામાં કશો વાંધો જણાતો નથી.
* La Religion Djaina, p. 79
૨૧
Page #23
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્રની નીચે પ્રમાણે આવૃત્તિઓ પ્રસિદ્ધ છે :
૧. Charpentierની આવૃત્તિ ઉપોદઘાત, ટીકા, ટિપ્પણ સાથે (૧૯૨૨). (આ આવૃત્તિ સારામાં સારી છે.).
Achieves d'Eludes Orientales 241014 ECHT 49181. ૨. જૈન પુસ્તકોદ્ધાર માળાના મંણક નં. ૩૩, ૩૬, ૪૧.
૩. ઉત્તરાધ્યયન સૂત્ર, વિજયધર્મસૂરિજીના શિષ્ય મુનિશ્રી જયંતવિજયજી (આગ્રા, ૧૯૨૩-૨૭, ૩ ભાગમાં)
આ ગ્રંથમાં ખરતર ગચ્છના ઉપાધ્યાય કમલાસંયમની ટીકા પણ છે.
૪. અંગ્રેજી ભાષાંતર, Jacobi, Sacrad Books of the East માળાનો ૪પમાં મણકો.
૫. સિવાય ભાવનગર, લિંબડી વગેરે સ્થાનોમાં પ્રસિદ્ધ થયેલ આવૃત્તિઓ છે.
તે બધાં પૈકી આ ગુજરાતી અનુવાદ સૌથી ઉત્કૃષ્ટ છે. ટિપ્પણ, નોંધ અને વાક્યાર્થપ્રધાન ભાષાંતર પદ્ધતિએ આ આવૃત્તિની ઉપયોગિતામાંઅને મૌલિકતામાં વધારો કરે છે; ભાષાની સરળતા આ આવૃત્તિને લોકભોગ્ય બનાવે છે.
આ ગ્રંથને ૩૬ અધ્યયનો છે, એ પદ્યમાં લખાયેલો છે અને તેમાં યમનિયમોનું મુખ્યત્વે કરીને નિરૂપણ કરવામાં આવ્યું છે. શિખામણના રૂપમાં સૂત્રાત્મક શિક્ષાવાક્યો, યતિઓને તિતિક્ષા તરફ દોરનાર પ્રેરણાશીલ ભાવભર્યા કથનો અને જન્મ, ધર્મશિક્ષા, શ્રદ્ધા તથા સંયમરૂપ લાભચતુ જ્યનો મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગ, ખરા સાધુ અને ખોટા સાધુ વચ્ચેનો ભેદ વગેરે વગેરે વિષયો વિશદતાથી નિરૂપ્યા છે. સિવાય નાનાં પણ સુંદર ઉદાહરણો, વિષયને સરળ કરવાને મૂકેલાં ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. ચોરનું ઉદાહરણ, રથ હાંકનારનું ઉદાહરણ (અધ્ય. ૬, ગ્લો. ૩) ત્રણ વેપારીની વાત (અધ્યયન ૭મું ગ્લો. ૧૪-૧૬), વગેરે ટુચકાઓ કુન્દનમાં ગોઠવેલા હીરાની માફક ચળકી રહે છે. નમિનાથ સ્વામીની વાર્તા અહીં પહેલી જ વખત કહેવામાં આવે છે. આ સિવાય સંવાદો એ આ ગ્રંથની વિશેષતા છે. નમિનાથનો સંવાદ આપણને બુદ્ધગ્રંથ સુત્તનિપાતમાંની પ્રત્યેક બુદ્ધની વાર્તાને યાદ કરાવે છે. હરિકેશ અને બ્રાહ્મણનો સંવાદ ધાર્મિક ક્રિયા અને ધાર્મિક વૃત્તિના બલાબલનો ખ્યાલ આપે છે. પુરોહિત અને તેના પુત્રોનો સંવાદ સાધુ જીવન કરતાં ગૃહસ્થ જીવન કેટલે અંશે ન્યૂન છે તે પ્રતિપાદન કરે છે. આ સંવાદ મહાભારત તેમ જ બૌદ્ધ જાતકમાં પણ અમુક ફેરફાર સાથે જોવામાં આવે છે. એ પુરવાર કરે છે કે
૨ ૨
Page #24
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્રના કાર્તિલિક (સં. પિતીયમ્ અર્થાત્ કપિલનું*) કહેવાય છે. અને શાંતિસૂરિની ટીબમાં કાશ્યપસુત કપિલની વાર્તા પણ આપવામાં આવી છે જે બ્રાહ્મણ ગ્રંથોમાના કપિલના ઇતિહાસને ઘણે અંશે મળતી આવે છે. બાવીસમા અધ્યયનમાં શ્રીકૃષ્ણની વાર્તા છે તે પણ અનેક દૃષ્ટિએ આકર્ષક છે પરંતુ જૈનધર્મના ઇતિહાસ માટે ઉપયોગી વસ્તુ તો ૨૩ મા અધ્યયનમાં છે, પાર્શ્વનાથ અને મહાવીરના શિષ્યોના સંવાદનો એ પ્રસંગ છે, અને તે સંવાદમાંથી મૂળ પાર્શ્વપ્રવૃત્ત જૈન કેવો હતો અને મહાવીરે તેમાં શા શા સુધારા કર્યા તેનો કંઈક અંશે તેમાંથી ખ્યાલ આવે છે. ઉત્તરાધ્યયન (અ.૨૫)નું વસ્તુ ધમ્મપર (ગ્વાન )ની સાથે મળતું આવે છે. ખરો બ્રાહ્મણ કોને કહેવો એ વસ્તુ ઉપર આ અધ્યયનમાં કેટલાંક સુંદર સૂત્રો મૂકેલાં છે, આ પ્રમાણે આ ગ્રંથની વસ્તુ છે.
ઉપર જણાવી ગયા પ્રમાણે આ ગ્રંથ ઉપર ઘણી ટીકાઓ થઈ છે, અને જૂનામાં જૂની ટીકાઓ પણ આ મૂળસૂત્રો ઉપર જ મળી આવે છે. આમ હોવાથી ઉત્તરાધ્યયનની ટીકાઓ વિશે થોડો ઉલ્લેખ બાકી રહી જવો ન જોઈએ.
સૌથી જૂની ટીકા ભદ્રબાહુની છે, જે નિજ્જુત્તિ, (સં. નિયુત્તિ)ને નામે ઓળખાય છે. આ ટીકા બધી ટીકાઓ કરતાં ઉપયોગી ગણાય છે કારણ કે તેમાં જૈનધર્મ વિશે જૂની માહિતી ખૂબ મળી આવે છે. પછીની ટીકાઓ દશમા શતકમાં લખવામાં આવેલી; તેમાં શાંતિસૂરિનો ભાવવિજય અને દેવેન્દ્રગણિની (સન ૧૦૭૩) ટીકા મુખ્ય ગણાય છે. આ બંને વ્યક્તિઓ જૈનશાસનના અલંકારરૂપ અને પ્રખર વિદ્વાનો હતા તેથી તેની ટીકાઓમાં ઠેકાણે ઠેકાણે શાસ્ત્રાર્થ અને ખંડનમંડનની ઝલક જોવામાં આવે છે.
ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ તપાસતાં ઉત્તરાધ્યયન સૂત્રની ભાષા ઘણી જ જૂની છે, અને જૈનઆગમમાં જે ગ્રંથોમાં સૌથી જૂની ભાષા સંગૃહીત થઈ છે તે પૈકી આ ગ્રંથ પણ એક છે, જૈન શાસનમાં સૌથી જૂની ભાષા આચારાંગ (માં છે, ત્યાર પછી જૂની સૂયગડાંગમાં છે. અને ત્રીજે જ સ્થાને ઉત્તરાધ્યયન સૂત્ર આવે છે, એમ ભાષાશાસ્ત્રીઓ માને છે.
આ પ્રમાણે ઉત્તરાધ્યયનની સમાલોચના સ્થૂળ જિલ્લાથી કરવાનો ઉપરનો પ્રયત્ન છે, વિદ્વાનો તેમાં સ્ખલનો જુએ તો ક્ષમા આપે એ જ અભ્યર્થના. ત્ર્યં. નં. દવે (એમ.એ.બી.ટી.) પીએચ.ડી. (લંડન) પ્રોફેસર, ગુજરાત કૉલેજ, અમદાવાદ. *સાંખ્યશાસ્રના પ્રવર્તક કપિલને આ કપિલ સાથે કશો સંબંધ નથી.
૨૩
Page #25
--------------------------------------------------------------------------
________________
ત્રીજી આવૃત્તિ વિશે થોડું એક
જૈનસૂત્રોમાં મૂળ તરીકે ઓળખાતાં સૂત્રોમાં શ્રી ‘ઉત્તરાધ્યયન’નો સમાવેશ છે. જે દરેક શ્વેતાંબર સંધોને સર્વમાન્ય છે. ઘણા જૈન ભાઈબહેનો આ સૂત્રને ખાસ કંઠસ્થ કરી નાખે છે. કેટલેક સ્થળે દિવાળીના દિવસોમાં આનું વાંચન ચાલે છે. ભગવાન શ્રી મહાવીર સ્વામીએ છેલ્લા ચોમાસામાં જે અંતિમ ઉત્તરો અને બોધ આપ્યો તે અહીં આપવામાં આવ્યાની માન્યતા સર્વમાન્ય હોવાથી મહાવીર નિર્વાણદિને આનો વાચન મહિમા ખાસ રહેલો જણાય છે. આ સૂત્રમાં એવું વૈવિધ્ય અને લગભગ ચારે અનુયોગનું એટલું સુંદર સંકલન છે કે તેને વાંચવાનું હિંદી, સંસ્કૃતના કોઈપણ ધર્મપ્રેમીને ગમે છે. એમાંની વાર્તાઓ પણ ઘણી આકર્ષક છે.
આ ગ્રંથ આજે વર્ષો પછી ત્રીજી આવૃત્તિમાં છપાય છે. બીજી આવૃત્તિ વિશે થોડું એક લખાયું તે વખતે જે વિસ્તીર્ણ યોજના અપાયેલી, તે સ્થગિત જ થઈ ચૂકી. વર્ષોથી લક્ષ્મીચંદ સંઘવી કાયમી મંત્રી રહ્યા છે. એ એમની સરળ પ્રકૃતિનો નમૂનો ગણાય. બુધાભાઈ જૈનમુનિ થવાને કારણે તથા જૂઠાભાઈ બીજા અનેક વ્યવસાયોને કારણે સંસ્થાથી મુક્ત થયા છે. છતાં તે બંનેની પોતપોતાની મર્યાદામાં સહાનુભૂતિ રહ્યા જ કરી છે. તે સંસ્થા માટે સૌભાગ્યની વાત છે. જમુ ૨વાણી તથા તા૨ક ૨વાણી વર્ષોથી છૂટા થયા છે. પરંતુ ભાલનળકાંઠા પ્રયોગને કારણે જે વિશાળ એવો સર્વધર્મપ્રેમી સમાજ ઊભો થયો છે, તેને લીધે ‘મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર' સંસ્થાને સારું એવું કૌટુંબિકભાવનું જૂથ અનાયાસે મળી ગયું છે.
અલબત્ત સંસ્થાએ સસ્તાપણાનો જે આગ્રહ રાખેલો તેમાં વેચાણ વ્યવસ્થાની જોઈએ તેટલી સગવડ ન હોવાને કારણે તે આગ્રહને બદલે કમિશનની પ્રથાની છૂટ ક્ષમ્ય માનવી પડે છે. બીજી પ્રકાશન સંસ્થાઓને પણ અમુક શરતોએ જૂનું નવું છપાનારું સાહિત્ય અપાયું છે ને અપાતું જાય છે. એ વાચકોને જ્ઞાત રહે તે ખાતર જણાવી દેવું ઉચિત ગણાશે. તા. ૧૧-૧૦-૫૮ ઘાટકોપર સ્થા. જૈન ઉપાશ્રય
૨૪
સંતબાલ
Page #26
--------------------------------------------------------------------------
________________
વિરલ વ્યક્તિત્વ : ડો. આર. એલ. સંઘવી પિતા લક્ષ્મીચંદભાઈ અને માતા લક્ષ્મીબહેન પાસેથી મળેલો ઉજ્જવળ સંસ્કાર વારસો, પ્રખર તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી, કૉલેજના આચાર્ય તરીકે દૃષ્ટાંતરૂપ સંચાલન અને કેળવણી, આરોગ્ય માનવસેવા જેવાં અનેકવિધ ક્ષેત્રોમાં મહત્ત્વનું પ્રદાન કરનાર રજનીકાન્ત એલ. સંઘવીએ એમની નિષ્ઠા અને કાર્યદક્ષતાથી સમાજમાં આગવી પ્રતિભા ઊભી કરી છે. પિતા લક્ષ્મીચંદભાઈએ સ્થાનકવાસી સમાજની સર્વતોમુખી ઉન્નતિ માટે અથાગ પ્રયાસ કર્યો. આજે પણ અમદાવાદના નારણપુરા વિસ્તારનો સ્થાનકવાસી જૈન ઉપાશ્રય “સ્વ. લક્ષ્મીચંદભાઈ ઝવેરચંદ સંઘવી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય' એવું નામાભિધાન ધરાવે છે. મુંબઈ, અમદાવાદ, વઢવાણ અને લીંબડી જેવાં શહેરોમાં એમણે જૈન સંઘો, ઉપાશ્રયો, કન્યા કેળવણી, છાત્રાલય પ્રવૃત્તિ તેમજ માનવરાહતનાં કાર્યો માટે એમણે દાનની ગંગા વહેવડાવી હતી. લક્ષ્મીચંદભાઈનાં પત્ની લક્ષ્મીબહેન પોતે ભણ્યાં નહોતાં, પરંતુ બીજા ખૂબ ભણે અને આગળ વધે એવી ભાવનાથી એમણે કન્યાકેળવણીમાં જીવંત રસ લીધો હતો. ડૉ. રજનીકાંત સંઘવીએ બી.એ., એમ.એ. એલએલ.બી.ની પદવી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવ્યા બાદ અમેરિકાની યુનિવર્સિટી ઓફ વિસ્કીન્સીનમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ દેશના લબ્ધપ્રતિષ્ઠ અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાળાના માર્ગદર્શન હેઠળ ૧૯૭૭માં પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓએ યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સીનમાં અભ્યાસ કરવા માટે Smith-Mundi અને Fulbright સ્કોલરશીપ મેળવી હતી.
- ૧૯૫થી શિક્ષણના વ્યવસાયમાં કાર્યરત એવા ડૉ. આર. એલ. સંઘવી ૧૯૬૯માં અમદાવાદની સુપ્રસિદ્ધ એચ. એલ. કોલેજ ઑફ કૉમર્સમાં આચાર્ય અને અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા. અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સ કેળવણીની ઉત્તમ પ્રણાલિકા અને શિસ્તની પરંપરા ધરાવતી હતી. આચાર્ય શ્રી એસ. વી. દેસાઈએ આ કૉલેજમાં સ્થાપેલી શિસ્ત અને કેળવણીની પરંપરાને ડૉ. આર. એલ. સંઘવીએ સતત બાવીસ વર્ષ સુધી જાળવી રાખી. કૉલેજમાં વિદ્યાર્થીઓમાં પ્રિય, વિષયના ઊંડા અભ્યાસી, કાર્યક્ષમ વહીવટકર્તા અને શિસ્ત તથા મૂલ્યોના આગ્રહી આચાર્ય અને અધ્યાપક તરીકે યુનિવર્સિટીના કેળવણી-જગતમાં એમણે આગવું સ્થાન હાંસલ કર્યું. અધ્યાપનકાર્યની સાથોસાથ અર્થશાસ્ત્રના વિષયમાં એમનાં સંશોધનપત્રો અને પુસ્તકો પ્રકાશિત થતાં રહ્યાં.
વર્ગખંડના સફળ શિક્ષક તરીકે ડૉ. આર. એલ. સંઘવીએ અપાર ચાહના મેળવી. શિસ્તના આગ્રહી એવા ડૉ. આર. એલ. સંઘવીએ કેળવણીની ઉચ્ચ પરંપરા જાળવવા માટે સિદ્ધાંત કે ગુણવત્તાના ભોગે ક્યારેય કોઈ સમાધાન કર્યું નહોતું. ઉચ્ચ શિક્ષણમાં સર્વત્ર ઉદાસીનતા, ગેરશિસ્ત અને અવ્યવસ્થા પ્રવર્તતી હતી, ત્યારે પ્રિ. આર. એલ. સંઘવીએ એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સમાં કેળવણીના ઉચ્ચ મૂલ્યો જાળવી રાખ્યાં. ૧૯૭૯માં ગુજરાત સરકારે ગુજરાતની આર્ટ્સ, સાયન્સ, કૉમર્સ અને એજયુકેશન કૉલેજોમાંથી જે સર્વશ્રેષ્ઠ કૉલેજ હોય તેને ૫૦,૦૦૦ રૂ. નું પારિતોષિક આપવાનું નક્કી કર્યું અને પહેલે જ વર્ષે એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સન બેસ્ટ કૉલેજ એવોર્ડ એનાયત થયો. એ પછી પુનઃ ૧૯૮૪માં આ કૉલેજને ‘બેસ્ટ કોમર્સ કોલેજ'નો એવોર્ડ મળ્યો. સમગ્ર ગુજરાતના કેળવણી જગતમાં બે-બે વખત આવા એવોર્ડથી સન્માનિત
૨પ
Page #27
--------------------------------------------------------------------------
________________
થનાર એક માત્ર કૉલેજ તે એચ. એલ. કૉલેજ ઑફ કોમર્સ બની. ૩૩ વર્ષ સુધી કૉલેજના પ્રાધ્યાપક તરીકે અને તેમાંય ૨૨ વર્ષ એચ.એલ.કૉલેજ ઑફ કૉમર્સ જેવી પ્રતિષ્ઠિત કોલેજમાં સેવા આપનાર ડૉ. આર. એલ. સંઘવીને એમના નિવૃત્તિ સમયે એમના ચાહકો અને વિદ્યાર્થીઓએ ઉદાહરણીય સમારંભ યોજયો હતો. એ સમયે રચાયેલી ‘મિ. આર. એલ. સંઘવી સન્માન સમિતિ’ના ભંડોળમાં થોડો વધાર રહેતા ‘વિધા વિકાસ ટ્રસ્ટ' નામની સંસ્થાનું સર્જન થયું. જેના દ્વારા આજે શિક્ષણ-વિષયક પ્રવચનો તેમજ શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય કરનાર વ્યક્તિને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. દીવ દીવો પેટાય તે આનું નામ ! | ડૉ. આર. એલ. સંઘવીએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનને ત્રણ લાખ રૂપિયાનું દાન આપ્યું. જેમાંથી આજે પ્રતિ વર્ષ અર્થશાસ્ત્રના વિષયમાં નામાંકિત અને નિષ્ણાત એવી વ્યક્તિનું વાર્ષિક પ્રવચન યોજાય છે. આનું પ્રથમ પ્રવચન ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અને હાલના આંધ્રપ્રદેશના ગવર્નર એવા ડૉ. સી. રંગરાજને આપ્યું હતું.
ડૉ. આર. એલ. સંઘવીની પ્રતિભાનો લાભ માત્ર કેળવણીના ક્ષેત્રને મળ્યો છે એવું નથી, પરંતુ સમાજની અનેકવિધ સેવાઓ કરનારી જુદી જુદી સંસ્થાઓને પણ એમની કાર્યકુશળતા દૂરંદેશીનો લાભ મળ્યો છે. જૈન જાગૃતિ સેન્ટર-કર્ણાવતીના સ્થાપક તરીકે તેમજ મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, ઝાલાવાડ વીસા શ્રીમાળી સ્થાનકવાસી સમાજ અને સમાન મેમ્બર્સ એસોસિયેશનના પ્રમુખ તરીકે તેઓ કાર્યરત છે. શ્રી ચંપકલાલ ચુનીલાલ શાહ કલ્યાણ કેન્દ્ર, સુલભ હેલ્થ એન્ડ હાર્ટ કેર ફાઉન્ડેશન, મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર અને વિદ્યાવિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેઓ સેવા આપે છે. તપોવન સંસ્કારપીઠના સલાહકાર તરીકે તેઓ આ ધાર્મિક સંસ્થાને અદ્યતન દષ્ટિ અને રૂપ આપી રહ્યા છે. એમનાં આ બધા કાર્યોની સફળતા પાછળ એમનાં પત્ની શ્રીમતી મંજુલાબહેન સંઘવીનો આતિથ્યપ્રિય હસમુખો સ્વભાવ કારણભૂત છે. પરગજુવૃત્તિ ધરાવતાં મંજુલાબહેનનાં સૌમ્ય પ્રકૃતિ અને સેવાપરાયણ ભાવનાશીલ વ્યક્તિત્વથી સમાજમાં આગવી સુવાસ ધરાવે છે.
આજના સમયમાં કેળવણી ક્ષેત્રે ચોપાસ ભ્રષ્ટાચાર અને અંધાધૂધી જોવા મળે છે એવા સમયે ડૉ. આર. એલ. સંઘવી આજની પેઢીને માટે દીવાદાંડીરૂપ છે. નિયમિતતા અને વ્યવસ્થા માટેના એમના આગ્રહા સંસ્થાને સુંદર સ્વરૂપ આપે છે. આમ શિક્ષણ, સમાજ, ધર્મ અને માનવકલ્યાણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ડૉઆર.એલ. સંઘવીએ કરેલું પ્રદાન દૃષ્ટાંતરૂપ બની રહ્યું છે.
લક્ષ્મીચંદભાઈ, લક્ષ્મીબહેન, રજનીકાન્તભાઈ તથા સમગ્ર પરિવાર પ્રારંભથી જ મુનિશ્રી સંતબાલજીનાં ભક્ત અને અનુયાયી રહેલ છે. સ્વ. લક્ષ્મીચંદભાઈએ મહાવી. સાહિત્ય પ્રકાશન મંદિરના માનદ્ મંત્રી તરીકે અનન્ય સેવા આપેલી છે. વર્તમાનમાં રજનીકાન્તભાઈ મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિરના પ્રમુખ છે. આચારાંગસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, ઇત્યાદિ સૂત્રો ગુજરાતી ભાષામાં મુનિશ્રીએ લખ્યાં છે અને તેનું ચિરંતન મૂલ્ય છે. 'ઉત્તરાધ્યયનસૂનની નવી આવૃત્તિ તેમના આર્થિક યોગદાનથી પ્રકાશિત થઈ રહેલ છે.
-કુમારપાળ દેસાઈ
૨૬
Page #28
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા પ્રથમ આવૃત્તિનું નિવેદન બીજી આવૃત્તિનું નિવેદન ત્રીજી આવૃત્તિ પ્રસંગે
લક્ષ્મીચંદ ઝ. સંઘવી ચોથી અને પાંચમી આવૃત્તિ પ્રસંગે મનુ પંડિત પ્રથમ આવૃત્તિનું વક્તવ્ય
સંતબાલ ઉપોદઘાત
સંતબાલ ઉત્તરાધ્યયન સૂત્રનો પરિચય
ચં. ન. દવે અધ્યયન ૧. વિનયકૃત
વિનીતનાં લક્ષણ – અવિનીતનાં લક્ષણ અને તેનું પરિણામ-સાધકનું કઠિન કર્તવ્ય – ગુરુધર્મ-શિષ્યશિક્ષા-ચાલતાં, ઊઠતાં, બેસતાં તથા ભિક્ષા લેવા જતાં ભિક્ષુનું વર્તન
૨. પરિષહ ભિન્નભિન્ન સ્થિતિમાં ભિન્નભિન્ન પ્રકારનાં આવી પડેલાં આકસ્મિક સંકટોમાં સહિષ્ણુતા અને શાંતિ ભિક્ષુએ કેવી રીતે જાળવવાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ. ૩. ચતુરંગીય
૧૫ મનુષ્યત્વ-ધર્મશ્રવણ – શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ કરવો. એ ચારે આત્મવિકાસનાં અંગોનો ક્રમપૂર્વક નિર્દેશ – સંસારચક્રમાં ફરવાનું કારણ – ધર્મ કોણ પાળી શકે ? શુભ કર્મનું સુંદર પરિણામ. ૪. અસંસ્કૃત
૧૯ જીવનની ચંચળતા-દુષ્ટ કર્મનું દુઃખદ પરિણામ – કર્મનો કર્યા હોય તે જ કર્મનો ભોક્તા-પ્રલોભનમાં જાગૃતિ-સ્વછંદના વિરોધમાં જ મુક્તિ.
૫. અકામમરણીય
અજ્ઞાનીનું ધ્યેયશૂન્ય મરણ – ક્રૂર કર્મ કરનારનો પ્રલાપ -- ભાગની આસક્તિનું દુષ્પરિણામ – બંને પ્રકારના રોગોની ઉત્પત્તિ – મરણ સમયે દુરાચારીની સ્થિતિ – ગૃહસ્થ સાધકની યોગ્યતા-સાચા યમનું પ્રતિપાદન
૨ ૨
Page #29
--------------------------------------------------------------------------
________________
૩૫
સદાચારીની ગતિ-દેવગતિના સુખનું વર્ણન-સંયમીનું સફળ મૃત્યું. ૬. ક્ષુલ્લક નિગ્રંથ
૨૭ ધન, સ્ત્રી, પુત્ર કે પરિવાર, કર્મથી પીડાતાને શરણભૂત થતાં નથીબાહ્ય પરિગ્રહનો ત્યાગ – જગત માત્રના જીવો પર મિત્ર ભાવ-વાણી અને શાસ્ત્રવિદ્યા વર્તન વગરનાં નકામાં છે – સંયમીની પરિમિતતા. ૭. એલક
૩) ભોગી અને બકરાનો સમન્વય-અધમગતિમાં જનારનાં વિશિષ્ટ લક્ષણોલેશમાત્ર ભૂલનું અતિ દુ:ખદ પરિણામ – મનુષ્ય જીવનનું કર્તવ્ય – કામભોગોની ચંચળતા.
૮. કાપિલિક
કપિલમુનિનું પૂર્વ જીવન – શુભ ભાવનાના અંકુરને લીધે પતનમાંથી વિકાસ – ભિક્ષુકોને માટે તેમનો ઉત્તમ ઉપદેશ – સૂક્ષ્મ અહિંસાનું સુંદર પ્રતિપાદન – જે વિદ્યા દ્વારા ભિક્ષુનું પતન થાય તે વિદ્યાનો ત્યાગ – લોભનું પરિણામ-તૃષ્ણાનું આબેહૂબ ચિત્ર – સ્ત્રી સંગનો ત્યાગ. ૯. નમિપ્રવજ્યા
४० નિમિત્ત મળતાં નમિરાજાનું અભિનિષ્ક્રમણ-નમિરાજાના ત્યાગથી થયેલો હાહાકાર – શકેન્દ્ર સાથે તાત્ત્વિક પ્રશ્નોત્તરો અને સુંદર સમાધાન. ૧૦. દ્રુમપત્રક
૪૮ વૃક્ષના જીર્ણ પાંદડા સાથે જીવનની સરખામણી-જીવનની ઉત્ક્રાંતિનો ક્રમ – મનુષ્ય જીવનની દુર્લભતા-ભિન્નભિન્ન સ્થાનોમાં ભિન્નભિન્ન આયુષ્ય સ્થિતિનું પરિમાણ – ગૌતમને ઉદ્દેશી ભગવાન મહાવીરે આપેલો અપ્રમત્તતાનો ઉપદેશ – પરિણામે ગૌતમના જીવન પર થયેલી અસર અને તેમનું અંતિમ નિર્વાણ. ૧૧. બહુશ્રુતપૂજ્ય
પપ જ્ઞાની અને અજ્ઞાનીનાં લક્ષણ – સાચા જ્ઞાનીની મનોદશા – જ્ઞાનનું સુંદર પરિણામ – જ્ઞાનીની સર્વોચ્ચ ઉપમા. ૧૨. હરિકેશીય
પ૯ જાતિવાદનાં ખંડન – જાતિમદનું દુષ્પરિણામ-તપસ્વીની ત્યાગ દશા – શુદ્ધ તપશ્ચર્યાનો દિવ્ય પ્રભાવ-– સાચી શુદ્ધિ શામાં ? ૧૩. ચિત્તસંભૂતીયા
૬૮
૨૮
Page #30
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિ અને જીવનનો સંબંધ – પ્રેમનું આકર્ષણ – ચિત્ત અને સંભૂતિ એ બંને ભાઈઓનો પૂર્વ ઇતિહાસ – સહજ વાસનાને માટે આપવો પડેલો ભોગ-પુનર્જન્મ શાથી ?-પ્રલોભનના પ્રબળ નિમિત્તમાં ત્યાગીની દશા — ચિત્ત અને સંભૂતિનું પરસ્પર મિલન – ચિત્તમુનિનો ઉપદેશ.
૧૪. ઈષુકારીય
૭૮
ઋણાનુબંધ કોને કહેવાય ? છ સાથીદારોનું પૂર્વજીવન અને ઇષુકાર નગરમાં પુનર્મિલન – સંસ્કારની સ્ફૂરણા – પરંપરાગત માન્યતાની જીવન પર અસર – ગૃહસ્થાશ્રમ શા માટે ? સાચા વૈરાગ્યની કસોટી – આત્માની નિત્યતાનો સચોટ ખ્યાલ આખરે છએનાં પરસ્પરના નિમિત્તથી સંસાર
ત્યાગ ને અંતિમ મુક્તિ. ૧૫. સભિક્ખ
આદર્શ ભિક્ષુ કોણ ? તેનું સ્પષ્ટ અને હૃદયસ્પર્શી વર્ણન. ૧૬. બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાનો
૯૨
મન, વચન અને કાયાથી બ્રહ્મચર્ય શી રીતે પાળી શકાય તેનાં દશ પથ્યો – બ્રહ્મચર્ય પાલનનું ફળ શું ? – તેનાં વિસ્તૃત વર્તન.
-
૧૭. પાપશ્રમણીય
૯૯
પાપી શ્રમણ કોને કહેવાય ? શ્રમણ જીવનને પતિત કરનાર સૂક્ષ્માતિસૂક્ષ્મ દોષોનું પણ ચિકિત્સાપૂર્ણ વર્ણન.
૧૮. સંયતીય
-
८८
૧૦૩
કાંપિલ્યનગરના સંયતિ રાજાનું મૃગયા માટે ઉઘાન ગમન – સહજ લહેર કરવા જતાં આવી પડેલો પશ્ચાત્તાપ – ગર્દભાલી મુનિના સમાગમથી થયેલી અસર – સંયતિરાજાનો ગૃહત્યાગ – સંયતિ તથા ક્ષત્રિયમુનિનો સમાગમજૈનશાસનની ઉત્તમતા શામાં ? – શુદ્ધ અંતઃકરણથી થયેલું પૂર્વજન્મનું સ્મરણચક્રવર્તી જેવા મહાસમૃદ્ધિવાન જીવાત્માઓએ આત્મવિકાસ માટે આદરેલો ત્યાગ અને તેવા અનેક પુરુષોનાં આપેલાં સચોટ દષ્ટાંતો.
૧૯. મૃગાપુત્રીય
૧૧૩
સુગ્રીવનગરના બલભદ્ર રાજાના તરુણકુમાર મૃગાપુત્રનો ભોગ પ્રસંગમાં એક મુનિને જોવાથી સ્ફુરેલો વૈરાગ્ય – પુત્રનું કર્તવ્ય –– માતાપિતાનું વાત્સલ્ય
૨૯
Page #31
--------------------------------------------------------------------------
________________
ત્યાગ માટે આજ્ઞા લેતાં થયેલી પારસ્પરિક તાત્ત્વિક ચર્ચા – પૂર્વકાલે અધમગતિમાં ભોગવેલી વેદનાનું વર્ણન – આદર્શ ત્યાગ. ૨૦. મહાનિર્ગથીય
૧ ૨૫ શ્રેણિક મહારાજા અને અનાથીમુનિનો આશ્ચર્યકારક સંયોગ – અશરણ ભાવના – અનાથતા અને સનાથતાનું બયાન-કર્મનો કર્તા તથા ભોક્તા આત્મા જ છે તેની પ્રતીતિ – આત્મા પોતે જ પોતાનો શત્રુ તથા મિત્ર છે – સંતના સમાગમથી મગધપતિને ઉપજેલો આનંદ. ૨૧. સમુદ્રપાલીયા
૧૩૩ ચંપાનગરીમાં વસતા ભગવાન મહાવીરના શિષ્ય પાલિતનું ચારિત્ર – તેના પુત્ર સમુદ્રપાલને એક ચોરની દશા જોતાં જ ઉત્પન્ન થયેલો વૈરાગ્ય – તેમની અડગ તપશ્ચર્યા – ત્યાગનું વર્ણન. ૨૨. રથનેમીય
૧૩૭ અરિષ્ટનેમિનું પૂર્વજીવન – તરુણવયમાં યોગસંસ્કારની જાગૃતિ – સહજ નિમિત્તથી પરણવા જતાં ઉત્પન્ન થયેલો વૈરાગ્ય – સ્ત્રીરત્ન રાજુમતીનું અભિનિષ્ક્રમણ – રથનેમિ અને રાજુમતીનું આકસ્મિક એકાંતમાં મિલન – રથનેમિની જાગૃત થયેલી વાસના – રાજી મતીની અડગતા – પ્રબળ પ્રલોભનમાંથી રથનેમિનો ઉદ્ધાર – સ્ત્રીશક્તિનું જવલંત દશ્ય. ૨૩. કેશિગૌતમીય
૧૪૬ શ્રાવસ્તીનગરીમાં મહામુનિ કેશીશ્રમણ અને જ્ઞાની ગૌતમનું મિલનગંભીર પ્રશ્નોત્તર– કેશી મહારાજની કાર્યદક્ષતા-સમયનો સાદ પરસ્પરના સમાગમથી પરિષદમાં વ્યાપી રહેલો આહ્વાદ. ૨૪. સમિતિઓ
૧૬) આઠ પ્રવચન માતાઓનું વર્ણન – ભિક્ષુની તે માતાનું વાત્સલ્ય – સાવધાની અને સંયમનું સંપૂર્ણ વર્ણન – કેમ ચાલવું, બોલવું, આજીવિકા મેળવવી, વ્યવસ્થા જાળવવી – મન, વચન અને કાયાનો સંયમ કેમ જાળવવો તેનું સંપૂર્ણ બયાન. ૨૫. યજ્ઞીય
૧૬૬ યાજક કોણ ? યજ્ઞ કયો ? – અગ્નિ કઈ ?-બ્રાહ્મણ કોને કહેવાય ? –
૩)
Page #32
--------------------------------------------------------------------------
________________
વેદનું રહસ્ય
સાચો યજ્ઞ-જાતિવાદનાં ખંડન – કર્મવાદનું મંડન – શ્રમણ, મુનિ અને તાપસ કોને કહેવાય ?-સંસારની ચિકિત્સા-સાચા ઉપદેશની અસ૨. ૨૬. સમાચારી
૧૭૨
સાધક ભિક્ષુની દિનચર્યા – તેના દશ પ્રકારોનું વર્ણન-ઝીણવટથી આખા દિવસનો વર્ણવેલો સુંદર કાર્યક્રમ – સમયને ઓળખી કાર્ય કરવાની શિખામણ – એક સામાન્ય ક્રિયામાં પણ સાધકોને જાળવવાની સાવધાનતા દિવસ તથા રાત્રિનો વખત ઘડિયાળ વિના જાણવાની પદ્ધતિ.
૨૭. ખલુંકીય
૧૮૦
-
ગણધર ગાર્ગ્યુનું સાધક જીવન – ગળિયા બળદ જેવા શિષ્યોની જીવનસમીક્ષા – સ્વચ્છંદતાનું પરિણામ – શિષ્યોની આવશ્યકતા ક્યાં સુધી ? – આખરે ગણધર ગાગ્યે સ્વીકારેલો આત્મોન્નતિનો સાચો માર્ગ – તેમાં પ્રગટ થતી નિરાસક્તિ.
૨૮. મોક્ષમાર્ગ ગતિ
Vedr
૧૮૩
મોક્ષમાર્ગનાં સાધનોનું સ્પષ્ટ વર્ણન – જગતનાં બધાં તત્ત્વોનાં તાત્ત્વિક લક્ષણો – આત્મવિકાસનો માર્ગ સરળતાથી શી રીતે મળે ? તેનું વર્ણન. ૨૯. સમ્યક્ત્વ પરાક્રમ
૧૮૮
જિજ્ઞાસાની સામાન્ય ભૂમિકાથી માંડીને અંતિમ સાધ્ય (મોક્ષ) પામવા સુધીની બધી ભૂમિકાઓનું બહુ સરસ અને સચોટ વર્ણન – ઉત્તમ પ્રકારના તોતેર ગુણોનું અને તેના ફળનો નિર્દેશ.
૩૦. તપોમાર્ગ
૨૦૩
કર્મરૂપી કાષ્ઠને બાળવાની અગ્નિ કઈ ? – તપશ્ચર્યાનું વૈદિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક એમ ત્રણે દૃષ્ટિએ થયેલું નિરીક્ષણ – તપશ્ચર્યાના ભિન્નભિન્ન પ્રકારના પ્રયોગોનું વર્ણન અને તે દ્વારા થતી શારીરિક અને માનસિક અસર. ૩૧. ચરણવિધિ
૨૦૯
સદ્બોધની શાળા તરીકે બતાવેલો સંસાર વસ્તુ માત્રમાં કેટલીક જાણવા લાયક, કેટલીક ત્યાગવા લાયક અને કેટલીક ગ્રહણ કરવા લાયક હોય છે - અહીં એકથી માંડીને ક્રમથી તેત્રીસ પ્રકારની વર્ણવેલી વસ્તુઓ – ઉપયોગ એ જ ધર્મ.
३१
-
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૨૬
૩૨. પ્રમાદસ્થાન
૨૧ ૨ પ્રમાદનાં સ્થાનોનું ચિકિત્સાપૂર્ણ વર્ણન-વ્યાપી રહેલા દુઃખની મુક્તિના ઉપાય-તૃષ્ણા, મોહ અને લોભનો જન્મ શાથી-રાગ અને દ્વેષનું મૂળ શું ?ઇંદ્રિયો તથા મનના અસંયમનું પરિણામ – મુમુક્ષુને બતાવેલી કાર્યદિશા.
૩૩. કર્મ પ્રકૃતિ
જન્મમરણના દુઃખનું મૂળ – આઠે કર્મોનાં નામ, ભેદ, સ્થિતિ અને પરિણામનું સંક્ષિપ્ત છતાં ચિંતનીય વર્ણન. ૩૪. વેશ્યા
૨૩૦ સૂક્ષ્મ શરીરના ભાવો અથવા શુભાશુભ કર્મોનું પરિણામ – છ લેશ્યાઓનાં નામ, રંગ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ, આયુષ્ય વગેરે સમસ્ત પ્રકારોનું વિસ્તૃત વર્ણન – ક્યા દોષો અને કયા ગુણોથી અસુંદર અને સુંદર ભાવોનું થવાપણું – સ્થૂળ ક્રિયા સાથે સૂક્ષ્મ મનનો સંબંધ-કલુષિત કે અપ્રસન્ન મનની આત્મા પર થતી સારીમાઠી અસર – મૃત્યુ પહેલાં જીવન કાર્યના ફળનો દેખાવ. ૩૫. અણગારાધ્યયન
૨૩૭ ગૃહસંસારના મોહ-સંયમીની જવાબદારી – ત્યાગની સાવધાનતા – પ્રલોભન અને દોષના નિમિત્તમાં સમાનતા કોણ જાળવી શકે ? – નિરાસક્તિની વાસ્તવિકતા-શરીરમમત્વનો ત્યાગ. ૩૬. જીવાજીવ વિભક્તિ
૨૪૦ સંપૂર્ણ લોકના પદાર્થોનું વિસ્તૃત વર્ણન – મુક્તિની યોગ્યતા-સંસારનો ઈતિહાસ-શુદ્ધ ચૈતન્યની સ્થિતિ – ઈશ્વર સંસારમાં આવે છે ? – સંસારી જીવોનું પૃથક્ પૃથક ગતિઓમાં આપેલું વર્ણન-એકેન્દ્રિય, બેઇંદ્રિય, ત્રીઇંદ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના ભેદપ્રભેદોનું વર્ણન – જડ પદાર્થોનું વર્ણન – ભિન્ન ભિન્ન આયુષ્યસ્થિતિ – જીવાત્મા પર કર્મની થતી અસર – અફળ અને સફળ મૃત્યુ સાધવાની કલુષિત તેમજ સુંદર ભાવનાનું વર્ણન, આ બધું કહી ભગવાન મહાવીરની થયેલી મુક્ત દશા ઇત્યાદિ.
૩૨
Page #34
--------------------------------------------------------------------------
________________
વિનયકૃત
• અધ્યયન : પહેલું
વિનયશ્રુત
-
-
-
| વિનયનો અર્થ અહીં અર્પણતા છે. જૈનદર્શનના સિદ્ધાંત પ્રમાણે પરમાત્મા પ્રત્યે અર્પણતા બજાવવાની હોય છે ત્યારે તે ભક્તિ કહેવાય છે. પરંતુ જયારે તે ગુરુજન તરફ બજાવવાની હોય છે ત્યારે તે સ્વધર્મ કે સ્વકર્તવ્ય તરીકે ઓળખાય છે. આ અધ્યયનમાં ગુરુને ઉદ્દેશી, શિષ્ય અને ગુરુના પારસ્પરિક ધર્મો બતાવેલા છે.
અર્પણતાથી અહંકારનો લય થાય છે. અહંકારના નાશ થયા વિના આત્મશોધન થઈ શકતાં નથી અને આત્મશોધનના માર્ગ વિના શાંતિ કે સુખ નથી. સૌ કોઈ જિજ્ઞાસુને અવલંબન (સત્સંગ)ની આવશ્યકતા હોય જ છે.
ભગવાન બોલ્યા : ૧. સંયોગથી વિશેષ કરીને મુકાયેલા અને ઘરબારના બંધનથી છૂટેલા ભિક્ષુના વિનયને પ્રગટ કરીશ. તમે કમપૂર્વક અને સાંભળો.
નોંધ : સંયોગ એટલે આસક્તિ, આસક્તિ છૂટે ત્યારે જ જિજ્ઞાસા જાગે. એટલે ઘરબારનું મમત્વ ઊડી જાય. આવી ભાવના શું આપણે જીવનમાં નથી અનુભવતા ?
૨. જે આજ્ઞાને પાળનાર, ગુરુની નિકટ રહેનાર અને ઇંગિત તથા આકાર (મનોભાવ તથા મુખાદિના આકાર)ને જાણનાર હોય તે વિનીત કહેવાય છે.
નોંધ : આજ્ઞાપાલન, પ્રીતિ અને વિચક્ષણતા–આ ત્રણે ગુણો અર્પણતામાં હોવા જોઈએ. નિકટનો અર્થ પાસે રહેવું તેટલો જ નથી, પણ હૃદયમાં સ્થાન જમાવવું તે છે.
૩. આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર, ગુરુજનોના હૃદયથી દૂર રહેનાર, શત્રુસમાન (વિરોધી) અને અવિવેકી પુરુષ અવિનીત કહેવાય છે.
૪. જેમ સડેલી કૂતરી સર્વ સ્થળેથી અપમાન પામે છે એમ શત્રુ જેવો, વાચાળ અને દુરાચારી (સ્વચ્છેદી) સર્વ સ્થળેથી તિરસ્કાર પામે છે.
૫. ભૂંડ સુંદર અનાજના ડૂડાને છોડીને વિષ્ટાને ખાવું પસંદ કરે છે, તેમ સ્વચ્છંદી મૂર્ખ સદાચાર છોડી સ્વચ્છેદે વિચરવામાં જ આનંદ માને છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર ૬. કૂતરું, ભૂંડ અને મનુષ્ય, એ ત્રણે દષ્ટાંતોના ભાવને સાંભળીને પોતાનું હિત ઇચ્છનાર મનુષ્ય વિનય માર્ગમાં પોતાના મનને સ્થાપે.
૭. આ ઉપરથી મુમુક્ષુ અને સત્યશોધકે વિનયની વિવેકપૂર્વક આરાધના કરવી અને સદાચાર વધારતા જવું. આમ કરવાથી તે કોઈ સ્થળે નાસીપાસ (તિરસ્કૃત) થશે નહિ.
૮. અતિ શાંત થવું અને મિત્રભાવે જ્ઞાનીજનો પાસે ઉપયોગી સાધનો શીખવાં, નિરર્થક વસ્તુઓને તો છોડી જ દેવી.
૯ મહાપુરુષોની શિક્ષાથી મૂર્ખની પેઠે કોપિત ન થવું. શાણા થઈ સહનશીલતા રાખવી. હલકા મનના માણસોનો સંગ ન કરવો. હાસ્ય અને ગમ્મતો પણ છોડી દેવી.
નોંધ : મહાપુરુષો જ્યારે શિખામણ આપતા હોય ત્યારે કેમ વર્તવું તે બિના ઉપરની ગાથામાં છે.
૧૦. ચંડાલનું કર્મ (કોપ) ન કરવું અને બહુ પ્રલાપ પણ ન કરવો. સમય પ્રમાણે શિક્ષણ કે ઉપદેશ મેળવીને પછી એકાંતમાં તે શબ્દોનું ચિંતન કરવું.
૧૧. ભૂલથી ચંડાલ કર્મ થઈ જાય તો તેને કદી છુપાવવું નહિ, જે દોષ થઈ ગયો હોય તે ગુરુજન પાસે કબૂલ કરી લેવો. જો પોતાની ભૂલ ન થઈ હોય તો તેનો ખુલાસો કરી દેવો.
નોંધ : ચંડાલકર્મ એટલે દુષ્ટકર્મ, તેમાં અન્યાય, અકર્તવ્ય કે કોપ, કપટ અને વિષયનો સમાવેશ થાય છે.
૧૨. ગળિયો ઘોડો (કે પૂંછલેલ બળદ) વારંવાર ચાબૂક માગે છે, તેમ વારંવાર મહાપુરુષોની શિક્ષા ન માગવી. પરંતુ ચાલાક ઘોડો જેમ ચાબૂક જોતાં જ ઠેકાણે આવે છે તેમ મુમુક્ષુએ પાપકર્મને ભાન થતાં જ છોડી દેવું.
૧૩. સત્પરુષોની આજ્ઞાને તરછોડનાર અને કઠોર વચન કહેનાર કેટલાક દુરાચારી શિષ્યો કોમળ ગુરુને પણ ક્રોધી બનાવે છે. અને અંત:કરણને ઓળખી અનુસરતા કેટલાક ચાલાક વિનીત શિષ્યો ખરેખર ક્રોધી ગુરુને પણ શાંત કરી મૂકે છે.
નોંધ : ગુરુ કે શિષ્ય બંને સાધક દશામાં હોઈ ભૂલને પાત્ર છે. પરંતુ અહીં શિષ્ય કર્તવ્ય જ બતાવ્યું છે.
૧૪. પૂક્યા સિવાય ઉત્તર ન આપવો. પૂછે તો ખોટું ન બોલવું. ક્રોધને શાંત કરી અપ્રિય વાતને પણ પ્રિય બનાવવી.
Page #36
--------------------------------------------------------------------------
________________
વિનયક્ષત
૧૫. પોતાનો આત્મા જ દમવો જોઈએ, કારણ કે આત્મા એ જ દુર્દશ્ય છે. આત્મ-દમન કરવાથી આ લોક અને પરલોકમાં પણ સુખી થવાય છે.
૧૬. “તપ અને સંયમથી મારા આત્માને દમવો તે જ ઉત્તમ છે. હું બીજું બંધનો કે મારથી રખે દમાઉં !'
નોંધ : આ શ્લોક સ્વયં આપણા પર ઉતારવાનો છે. સંયમ અને તપથી શરીરનું દમન થાય છે તે સ્વતંત્ર હોય છે. પણ અસંયમ અને સ્વચ્છેદથી ઉપસ્થિત થતું દમન પરતંત્ર અને તેથી વધુ દુઃખદ થઈ પડે છે.
૧૭. વાણી કે કર્મથી, છાની રીતે કે પ્રગટરૂપે કદી પણ જ્ઞાનીજનો (ગુરુજનો) સાથે વૈર ન કરવું.
મહાપુરુષો પાસે બેસવાની શિષ્ટતા બતાવે છે : ૧૮. ગુરુજનોની પીઠ પાસે કે આગળ પાછળ ન બેસવું. તેમ એકદમ પાસે બેસી પગ સાથે પગ ન અડાડવા. વળી શય્યા કે પોતાના આસન પર બેસીને પ્રત્યુત્તર ન આપવો.
૧૯. ગુરુજનોની પાસે પગ પર પગ ચડાવી ન બેસવું કે પગના ગોંઠણ છાતી પાસે રાખી હાથ બાંધી ન બેસવું. પગ ફેલાવીને પણ ન બેસવું.
૨૦. આચાર્ય બોલાવે તો કદી મીંઢ (મૌન) ન થવું. મુમુક્ષુ અને ગુરુકૃપાના ઇચ્છુકે તુરત જ તેમની પાસે જવું.
૨૧. આચાર્ય ધીમે કે જોરથી બોલાવે ત્યારે કદી પણ બેસી ન રહેતાં વિવેકપૂર્વક પોતાનું આસન છોડીને ધીર પુરુષે તેમની પાસે જઈને સાંભળવું.
૨૨. શય્યામાં કે આસને રહીને કદી પૂછવું નહિ. ગુરુ પાસે આવી હાથ જોડી નમ્રતાપૂર્વક બેસી કે ઊભા રહીને સમાધાન કરવું.
૨૩. આવા વિનયી શિષ્યને સૂત્રવચન અને ભાવાર્થ બંને વસ્તુ અધિકાર મુજબ ગુરુએ સમજાવવી. (એ ગુરુધર્મ છે.)
ભિક્ષુઓએ વ્યવહાર કેવો રાખવો તે બતાવે છે : ૨૪. ભિક્ષુએ ખોટું ન બોલવું કે નિશ્ચયાત્મક વચનો ન કહેવાં. ભાષાના દોષને છોડી દેવો અને કપટને પણ છોડી દેવું.
૨૫. પૂછે તો સાવદ્ય (દૂષિત) ન કહેવું. પોતાના સ્વાર્થ સારુ બીજાને માટે કે કોઈ બીજા કારણોથી નિરર્થક અને મર્મવાળું વચન ન બોલવું.
૨૬. બ્રહ્મચારીએ એકાંતના ઘર પાસે, લુહારની કોઢ કે અયોગ્ય સ્થાન ઉપર કે બે ઘરની વચ્ચે, તેમ જ મોટા રસ્તા પર એકલા, એકલી સ્ત્રી સાથે ન ઊભા રહેવું કે ન વાર્તાલાપ કરવો.
Page #37
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર નોધ : બ્રહ્મચર્ય એ તો મુમુક્ષુનું જીવનવ્રત છે. એટલે તેનો વ્યવહાર કેવો હોય તે અહીં બતાવ્યું છે.
૨૭. “મહાપુરુષો મને ઠંડા ઠપકાથી કે કઠોર વાણીથી જે શિક્ષા કરે છે, તે તમારું સદ્ભાગ્ય છે) મને બહુ લાભદાયક છે.' એમ માનીને વિવેકપૂર્વક તેનું પાલન કરવું.
૨૮. શિખામણ કઠોર અને કઠિન હોવા છતાં દુષ્કતને દૂર કરનાર છે, તેથી શાણા સાધક તેને હિતકારી માને છે. પણ અસાધુ જનને તે દ્વેષ કરાવનાર નીવડે છે.
૨૯. નિર્ભય અને ડાહ્યા પુરુષો કઠોર શિક્ષાને પણ ઉત્તમ ગણે છે. જયારે ક્ષમા અને શુદ્ધિ કરનારું હિતવાક્ય પણ મૂઢપુરુષોને દ્વેષનું નિમિત્ત બની જાય છે.
૩૦. ગુરુથી ઊંચું ન હોય તેવું કે કચકચાટ ન થાય તેવા સ્થિર આસન પર બેસવું. ખાસ કારણ સિવાય ત્યાંથી ન ઊતાં ચંચલતાને છોડી બેસી રહેવું. - ૩૧. ભિક્ષુએ સમય થયે સ્થાનથી બહાર આહાર નિહારાદિ ક્રિયા માટે જવું. અને કાળ થયે પાછા ફરવું, અકાળને છોડીને કાળધર્મને અનુકૂળ થઈ સર્વ કાર્યો કરવાં.
નોંધ : ખાસ કારણ સિવાય આશ્રમ છોડવો નહિ અને વખતોવખત કાળને તપાસી અનુકૂળતાએ કામ કરવું.
ભિક્ષાર્થે જનાર ભિક્ષના ધર્મ સમજાવે છે : ૩૨. ભિક્ષુએ ઘણા મનુષ્યો જમતા હોય તેવી પંગતમાં ન જવું. પ્રેમપૂર્વક આપેલી ભિક્ષા જ લેવી. આવી કઠિનાઈથી મેળવાતું અન્ન પણ સમય થયે અને તે પણ પરિમિત જ ગ્રહણ કરવું.
૩૩. ઘરથી (ભોજનાલયથી) અતિ દૂર નહિ, તેમ અતિ પાસે નહિ કે બીજા શ્રમણો દેખે તેમ પણ નહિ, એવી રીતે ભિક્ષા માટે ઊભા રહેવું. બીજા કોઈને ઓળંગીને આગળ વધવું નહિ.
નોંધ : બીજા ભિક્ષુ પુરુષો દેખે તો તેનું દિલ દુભાય કે દાતાના હૃદયમાં ફેર પડે માટે તેમ નહિ કરવું એમ કહ્યું છે.
૩૪. (દાતારથી) ઊંચે મેડા ઉપર ઊભા રહીને કે નીચે રહીને અથવા અતિ દૂર કે અતિ પાસે ભિક્ષા નહિ લેતાં પરને અર્થે કરાયેલો નિર્દોષ આહાર જ સંયમીએ ગ્રહણ કરવો.
Page #38
--------------------------------------------------------------------------
________________
વિનયકૃત
નોંધ : બીજાને માટે એટલે સાધુ નિમિત્તે નહિ કરેલી ભિક્ષા. કેવા સ્થાને ત્યાગીએ આહાર કરવો ને કેમ કરવો તે બતાવે છે :
૩૫. જ્યાં બહુ જંતુઓ ન હોય, બીજ ન વેરાયાં હોય અને ઢાંકેલું સ્થાન હોય ત્યાં સંયમી પુરુષે વિવેકથી કંઈ નીચે ન વેરાય તેવી રીતે સમભાવથી ખાવું જોઈએ.
૩૬. બહુ સરસ કર્યું છે, બહુ સુંદર રીતે પકાવ્યું છે, બહુ સારી રીતે છેવું છે, બહુ સારી રીતે સમાયું (સંસ્કાર કર્યા) છે, બહુ રસિક બનાવ્યું મને કેવું સુંદર મળ્યું છે, એવી દૂષિત મનોદશા મુનિએ છોડી દેવી.
' ગુરુજન અને શિષ્યજનની કર્તવ્યભાવના સ્પષ્ટ કરે છે : - ૩૭, સુંદર ઘોડાને ચલાવતાં સારથિ જેમ આનંદ પામે છે, તેમ શાણા સાધકોને શિખામણ આપતાં ગુરુ આનંદ પામે છે. અને ગળિયા ઘોડાને ચલાવતાં સારથિ જેમ થાકી જાય છે, તેમ મૂર્ખને શિખામણ આપતાં ગુરુ પન્ન થાકી જાય છે. છે : ૨૮. કલ્યાણકારી શિક્ષાને પામ્યા છતાં મને આ ચપેટા, ચાબખા, આક્રોશ કે વધ રૂપ છે તેમ પાપદૃષ્ટિવાળો (શિષ્ય) પુરુષ માને છે.
૩૯. સાધુ પુરુષ મને પુત્ર, ભાઈ કે સ્વજન (જાણી ગુરુ એમ કહે છે) એ પ્રમાણે માની શિક્ષાને કલ્યાણકર માને છે. અને પાપ દષ્ટિ તેવી દશામાં પોતાની જાતને દાસરૂપ માની દુઃખી થાય છે.
નોંધ : એક જ શિક્ષાનાં દૃષ્ટિભેદથી બે સ્વરૂપ થાય છે.
૪૦. આચાર્યને પણ કોપ ન કરાવવો અને આત્માને પણ કોપિત ન કરવો. જ્ઞાનીપુરુષોનો ઉપઘાત (હાનિ) ન કરવો. અને કોઈનાં છિદ્રો પણ ન જોવાં.
૪૧. કદાચ આચાર્ય કારણવશાત કોપાયમાન થાય તો પ્રેમ વડે તેમને પ્રસન્ન કરવા. હાથ જોડી તેમને વિનવવા અને કહેવું કે ફરીથી આ પ્રમાણે નહિ કરું.
૪૨. જ્ઞાની પુરુષોએ જે ધાર્મિક વ્યવહારને આચર્યો છે તે આચરવો. ધાર્મિક વ્યવહારને આચરતો મનુષ્ય નિંદાને પામતો નથી.
નોંધ : અહીં વ્યવહારનું વિધાન કરી ભગવાન મહાવીરે આધ્યાત્મિકતા પણ વ્યવહારશૂન્ય શુષ્ક દશા નથી તેમ સમજાવ્યું છે.
૪૩. આચાર્યના મનમાં રહેલું કે વાણીથી બોલાયેલું જાણીને કે સાંભળીને તેનો વાણીથી સ્વીકાર કરી કર્મથી આચરી લેવું જોઈએ.
Page #39
--------------------------------------------------------------------------
________________
૬
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : વાણી કરતાં વર્તનનાં મૂલ્ય અધિક છે.
૪૪. વિનીત સાધક નહિ પ્રેરવા છતાં શીધ્ર પ્રેરિત થાય છે. એવું કહ્યું તેવું કર્યું જ છે.' એ પ્રમાણે કર્તવ્યો હમેશાં કર્યા કરે છે.
૪૫. એ પ્રમાણે (ઉપરનું) જાણીને જે બુદ્ધિમાન શિષ્ય નમે છે (તે પ્રમાણે વર્તે છે, તેનો લોકમાં યશ ફેલાય છે, અને જેમ પ્રાણીઓનો આધાર પૃથ્વી છે તેમ તે આચાર્યોના આધારભૂત થઈ રહે છે.
જ્ઞાની શું આપે છે તે બતાવે છે : ૪૬. સાચા જ્ઞાની અને શાસ્ત્રજ્ઞ પૂજયો શિષ્ય પર જ્યારે પ્રસન્ન થાય છે, ત્યારે શાસ્ત્રનાં ગંભીર રહસ્યો સમજાવે છે.
૪૭. અને શાસ્ત્રજ્ઞ શિષ્ય નિઃસંદેહ થઈને કર્મસંપત્તિમાં મનની રુચિ લગાડી સ્થિતપ્રજ્ઞ થાય છે અને તપ, આચાર અને સમાધિને ક્રમથી પ્રાપ્ત કરીને તથા દિવ્યજયોતિ ધારીને, પાંચ વ્રતો પાળીને -
૪૮. દેવ, ગાંધર્વ તથા મનુષ્યોથી પૂજાયેલો તે મુમુક્ષુ મુનિ મલિન દેહને છોડીને તે જ જન્મમાં સિદ્ધ થાય છે. અથવા મહાન ઋદ્વિધારી દેવ બને છે.
નોંધ : આ ત્રણ શ્લોકમાં સાધકની શ્રેણી બતાવી તેનું ફળ દર્શાવ્યું છે. વિનય એટલે વિશિષ્ટ નીતિ. નીતિ એ ધર્મનો પાયો છે. ગુરુજનના વિનયથી સત્સંગ થાય છે, રહસ્ય સમજાય છે અને રહસ્ય જાણ્યા પછી વિકાસપંથે જવાય છે, અને એ વિકાસથી દેવગતિ કે મોક્ષગતિ પમાય છે.
એ પ્રમાણે કહું છું. આમ વિનયકૃત નામનું પ્રથમ અધ્યયન સમાપ્ત થયું.
Page #40
--------------------------------------------------------------------------
________________
પરિષહ
અધ્યયન : બીજું
પરિષદ
વિનય પછી બીજું અધ્યયન પરિષદનું આવે છે. પરિષહ એટલે અનેક પ્રકારથી સહેવું તેનું નામ પરિષહ છે. એ અનેક પ્રકારોમાંના અહીં બાવીસનું વર્ણન છે. તપશ્ચર્યા અને પરિષદોનો ફેર એ છે કે ઉપવાસાદિ તપશ્ચર્યામાં વેઠવાં પડતાં ભૂખ, દુઃખ, ટાઢ કે તાપ વગેરે સ્વેચ્છાએ હોય છે. જ્યારે ખાવાની ઇચ્છા હોવા છતાં કે ભાણામાં હોવા છતાં કોઈ આકસ્મિક કારણથી ન મળે કે ન ખવાય છતાં પ્રતિક્રિયા કર્યા સિવાય સમભાવે તે કષ્ટનું વેદના કરી લેવું તેને પરિષહ કહેવાય છે. આ પ્રકરણમાં સંયમીને ઉદ્દેશીને વર્ણન છે. છતાં ગૃહસ્થ સાધકને પણ આવા અનેક પ્રસંગોમાંથી પસાર થવાનું હોય છે જ. સહનશીલતા વિના સંયમ નથી, સંયમ વિના ત્યાગ નથી, ત્યાગ વિના વિકાસ નથી અને વિકાસ એ જ મનુષ્ય જીવનનું ફળ છે.
સુધર્મસ્વામી પોતાના સુશિષ્ય જંબૂસ્વામીને ઉદ્દેશીને બોલ્યા :
મેં સાંભળ્યું છે' આયુષ્યમાન ભગવાન સુધર્મસ્વામીએ આ પ્રમાણે કહ્યુંઃ (અહીં ખરેખર બાવીસ પરિષહો શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વર્ણવ્યા છે). સાધક ભિક્ષ, તે સાંભળીને, જાણીને, જીતીને, તેનો પરાભવ કરીને ભિક્ષાચરીમાં ગમન કરતાં પરિષહોથી સપડાય તો ન હણાય ! (કાયર ન બને).
શિષ્ય પૂછે છે : ભગવનતે બાવીસ પરિષહો કયા? શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વર્ણવ્યા છે. જેને સાંભળીને, જાણીને, જીતીને, તેનો પરાભવ કરીને ભિક્ષુ ભિક્ષાચરીમાં ગમન કરતાં પરિષહોથી પકડાતાં કાયર ન બને? આચાર્ય કહે છે : શિષ્ય ! તે આ જ, ખરેખર બાવીસ પરિષહો શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વર્ણવ્યા છે, કે જેને ભિક્ષુ સાંભળીને, જાણીને, જીતીને, પરાભવ કરીને ભિક્ષાચરીમાં જતાં પરિષહોથી સપડાય તો કાયર ન બને.
તે આ પ્રમાણે છે : (૧) સુધાનો પરિષહ, (૨) પિપાસા (તૃષ્ણા)નો પરિષહ, (૩) ટાઢનો પરિષહ, (૪) તાપનો પરિષહ, (૫) ડાંસ મચ્છરનો
Page #41
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર પરિષહ, (૬) અવસ્ત્રનો પરિષહ, (૭) અરતિ (અપ્રીતિ) પરિષહ, (૮) સ્ત્રીનો પરિષહ, (૯) ચર્યા (ગમન) પરિષહ, (૧૦) બેઠકનો પરિષહ, (૧૧) આક્રોશ વચનનો પરિષહ, (૧૨) વધનો પરિષહ, (૧૩) શય્યાનો પરિષહ, (૧૪) યાચનાનો પરિષહ, (૧૫) અલાભનો પરિષહ, (૧૬) રોગનો પરિષહ, (૧૭) તૃણસ્પર્શનો પરિષહ, (૧૮) મેલનો પરિષહ, (૧૯) સત્કારતિરસ્કાર (માનાપમાન)નો પરિષહ, (૨૦) પ્રજ્ઞા (બુદ્ધિ)નો પરિષહ, (૨૧) અજ્ઞાનનો પરિષહ, (૨૨) અને દર્શનનો પરિષહ.
૧. હે જંબૂ ! પરિષહોનો જે વિભાગ ભગવાન કાશ્યપે વર્ણવ્યો છે તે તમોને ક્રમથી કહીશ. મને સાંભળો.
૨. ખૂબ ભૂખથી દેહ ઘેરાય છતાં આત્મ ઓજસવાળો તપસ્વી ભિક્ષુ કોઈ વનસ્પતિ જેવી વસ્તુને પણ ન છેદે કે ન છેદાવે, ન પોતે પકાવે કે ન અન્ય દ્વારા પકાવે.
નોંધ : જૈનદર્શન સૂક્ષ્મ અહિંસામાં માને છે, એટલે જેનભિક્ષુઓથી અચિત્ત (જીવરહિત) આહાર જ અને તે પણ પર માટે કરેલો હોય તેવો મળે તો જ ખાઈ શકાય. તેનાં ખૂબ કડક વિધિવિધાનો છે. અહીં તેથી જ ઉલ્લેખ કર્યો છે કે ગમે તેવી ભૂખ હોય છતાં કોઈ જીવની હિંસા ન કરવી.
૩. ધમણની માફક શ્વાસોચ્છવાસ ચાલતો હોય (આખા શરીરની નસો દેખાતી હોય), કૃશ થઈ ગયો હોય, કાગડાની ટાંગ જેવાં અંગ થઈ ગયાં હોય છતાં અન્નપાનમાં નિયમિત રહેનાર ભિક્ષુ પ્રસન્ન ચિત્તથી ગમન કરે.
નોંધ : ખોરાકની ઇચ્છા હોય છતાં ન મળે તોપણ સંયમી એમ માને કે ઠીક જ થયું, આ પણ સહજ તપશ્ચર્યા થઈ.
૪. તૃષાથી પીડાતો હોય છતાં દમિતેન્દ્રિય, અનાચારથી ડરનાર અને સંયમની લજ્જા રાખનાર ભિક્ષુ ઠંડા (ચિત્ત) પાણીને ન સેવે, પરંતુ મળી શકે તો જીવરહિત (અચિત્ત) પાણીની શોધ કરે
પ. લોકોની આવજા વગરના માર્ગમાં આકુળ તથા તૃષાથી પીડાતો હોય, અત્યંત મુખ સુકાતું હોય તોપણ જરાય દીન ન થતાં તે પરિવહન પ્રસન્નતાથી સહન કરે.
નોંધ : આવજા વગરના માર્ગમાં કોઈ જલાશય હોય તો અહીં કોઈ નથી તેમ ધારી પીવાનું મન થઈ જાય, એ હેતુએ અહી તે સ્થાન લીધું છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
te
પરિષહ
૬. ગામેગામ વિચરતા અને હિંસાદિ વ્યાપારથી વિરમેલા, રૂક્ષ (સૂકું) અંગવાળા ભિક્ષુને કદાચિત ટાઢ વાય તો જૈનશાસનના નિયમોને યાદ કરીને કાલાતિક્રમ ન કરે.
નોંધ : ટાઢથી બચવાના ઉપાય માટે ચિંતનને વખતે (તે કાર્યને વખતે) નિદ્રાધીન ન થવું કે નિયમોથી વિરુદ્ધ બીજા ઉપચારો પણ ન કરવા.
૭. ટાઢનું નિવારણ થાય તેવું મારું છાપરું નથી કે મારી પાસે ટાઢથી ચામડીનું રક્ષણ થાય તેવું વસ્ત્ર (કામળો) પણ નથી માટે હું અગ્નિને સેવું, આવું તો ભિક્ષુ ચિંતવે પણ નહિ.
૮. ગ્રીષ્મ ઋતુના પરિતાપથી કે બીજી ઋતુના સૂર્યના ઉષ્ણ તાપથી કે સર્વાંગ ધામથી અકળાયેલો ભિક્ષુ સુખની પરિદેવના (હાય આ તાપ ક્યારે શાંત થાય !) ન કરે.
૯. ગરમીથી તપી ગયેલો તત્ત્વજ્ઞ મુનિ તે વખતે સ્નાનની પ્રાર્થના ન કરે કે ગાત્રને જળથી ન સિંચે કે તે પરિષહને નિવારવા પોતાને પંખાદિથી ન વીંઝે. નોંધ : કષ્ટનો પ્રતિકાર કરવાથી મનમાં નિર્બળતા પેસે છે. સાધકે સદાય જાગૃતિ રાખવી.
૧૦. વર્ષાઋતુમાં ડાંસ મચ્છરથી પીડાતો મહામુનિ સમભાવ રાખે અને યુદ્ધને મોખરે રહેલા હાથીની પેઠે શૂરવીર થઈ શત્રુને (ક્રોધને) હશે.
૧૧. ધ્યાન સમયે લોહી અને માંસ ખાતાં તે ક્ષુદ્ર જંતુઓને ન હણે, ન વારે કે ન ત્રાસ આપે. એટલું જ નહિ પણ પોતાનું મન પણ દૂષિત ન કરે, અર્થાત્ તેની ઉપેક્ષા કરે.
નોંધ : ચિત્તસમાધિ થાય તો શરીરને લગતો ખ્યાલ પણ ન રહે.
૧૨. અતિ જીર્ણ વસ્ર થવાથી ‘હવે હું વસ્ત્ર વગરનો થઈશ' અથવા ‘આ જૂનાં વસ્ત્ર જોઈ મને કોઈ વસ્ત્ર આપે તેથી હું વસ્ત્ર સહિત થઈશ'-એવી રીતે ભિક્ષુ કદી પણ ચિંતવે નહિ.
૧૩. કોઈ અવસ્થામાં વસ્ત્ર વિનાનો કે જીર્ણ વસ્ત્રવાળો અથવા સુવસ્રવાળો હોય તો તે બંને દશા સંયમ ધર્મને માટે હિતકારી છે, એમ જાણીને જ્ઞાની મુનિ ખેદ ન કરે.
નોંધ : કોઈ અવસ્થા એટલે જિનકલ્પી અવસ્થા.
૧૪. ગામેગામ વિચરતા, નિયતસ્થાન રહિત તથા પરિગ્રહથી મુક્ત એવા મુનિને સંયમ પર અણગમો ઊપજે તો તેને સહન કરે. (મન પર કંટાળો આવવા દે નહિ.)
Page #43
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫. વૈરાગી, આત્મરક્ષણમાં ક્રોધાદિકષાયથી શાંત અને આરંભ કાર્યથી વિરમેલો મુનિ ધર્મરૂપી બગીચામાં વિચરે. નોંધ : સંયમમાં જ મનને સ્થાપવું.
૧૬. આ લોકમાં સ્રીઓ, મનુષ્યો (પુરુષો)ને આસક્તિના મહાન નિમિત્તરૂપ છે. જે ત્યાગીએ આટલું જાણ્યું તેનું સાધુપણું સફળ થયું સમજવું.
નોંધ : સ્ત્રીઓના સંગથી વિષય જન્મે છે. વિષયથી કામ, ક્રોધ, સંમોહ અને ક્રમથી પતન થાય છે. મુમુક્ષુઓએ તે વાતને ખૂબ વિચારી સ્ત્રીસંગને તજી દેવો. પુરુષોના સંબંધમાં સ્ત્રીઓએ પણ તેમ જ સમજવું.
૧૭. આ પ્રમાણે વિચારીને શાણા સાધકે સ્ત્રીઓનો સંસર્ગ કાદવ જેવો મલિન માનીને તેનાથી ફસાવું નહિ. આત્મવિકાસનો માર્ગ શોધી સંયમમાં જ ગમન કરવું.
૧૮. સંયમી સાધુ પરિષહોથી પીડિત થવા છતાં ગામમાં, નગરમાં, ણિકની વસ્તીવાળા પ્રદેશમાં કે રાજધાનીમાં પણ એકાકી (પરિષહોને) સહન કરતો વિચરે.
૧૦
નોંધ : દુ:ખમાં બીજાને ભાગીદાર ન કરે. અને પોતાના મનને વશ કરીને વિહરે.
૧૯. કોઈની હોડ (વાદ) ન કરતાં ભિક્ષુએ એકાકી (રાગદ્વેષ રહિત થઈ) વિચરવું. કોઈ સ્થળે મમતા ન કરવી. ગૃહસ્થોમાં અનાસક્ત રહીને કોઈ ખાસ સ્થાનની મર્યાદા રાખ્યા સિવાય વિહાર કરવો.
નોંધ : આખી પૃથ્વીને પોતાનું કુટુંબ માની સંયમીએ મમત્વભાવ રાખ્યા વિના સર્વ સ્થળે વિચરવું.
૨૦. સ્મશાન, શૂન્ય ઘર કે વૃક્ષના મૂળમાં એકાકી શાંત ચિત્ત રાખી (સ્થિર આસને) બેસવું. જરા પણ બીજાને ત્રાસ ન આપવો.
૨૧. ત્યાં બેસતાં તેને ઉપસર્ગો (કોઈએ ઈરાદાપૂર્વક આપેલાં કષ્ટો) આવે તો તેને દઢ મનથી સહન કરવાં. પણ શંતિ કે ભયભીત (બીણ) થઈ ઊઠીને બીજી જગ્યાએ ન જવું.
નોંધ : એકાંતમાં ક્યાં અને કેવી રીતે મુનિ બેસે તેનું આ વિધાન છે. ૨૨. સામર્થ્યવાળા તપસ્વી ભિક્ષુએ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપાશ્રય (રહેવા માટે મળેલું સ્થાન) મળ્યે કાલાતિક્રમ કરવો નહિ. કારણ કે ‘આ સારું છે. આ ખરાબ છે.' એવી પાપષ્ટિ રાખનાર સાધુ આચારથી પતિત થાય છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૧ પરિષદ
ર૩. સ્ત્રી, પશુ, પંડગ ઇત્યાદિથી રહિત, સારી કે ખરાબ ઉપાશ્રય મેળવીને, “આ એક રાત્રિના ઉપયોગથી મને શું સુખ દુખ થઈ જવાનું છે?' આ પ્રમાણે બિસુએ ચિંતવી લેવું.
નોંધ : સ્ત્રી, પશુરહિત સ્થાનમાં રહેવાનું કારણ એ છે કે તેવા નિર્જન સ્થાનમાં ભિક્ષુ સમાધિમાં વધુ સ્થિર થાય. ( ચિત્તચલિત ન થાય).
૨૪. કોઈ બીજો મનુષ્ય ભિક્ષુ પર આક્રોશ કરે તો તેની સામે કઠોર વર્તન કે કોપ કરવો નહિ. (કારણ કે તેમ કરવાથી) મૂર્ખ જેવો બને. માટે શાણો ભિક્ષ કોપ ન કરે.
નોંધ : આક્રોશ એટલે કઠોર શબ્દ કે તિરસ્કારનાં વચનો.
૨૫. શ્રવણાદિ ઇંદ્રિયોને કંટકતુલ્ય તેમ જ સંયમનું ધૈર્ય નાશ કરે તેવી ભયંકર કે કઠોર વાણી સાંભળીને પણ ચૂપચાપ (મૌન ધારણ કરી) તેની ઉપેક્ષા કરવી, તે વાણીને મનમાં સ્થાન આપવું નહિ.
૨૬. (કોઈથી) હણાય તો પણ ભિક્ષુ ન કોપ કરે કે મનમાં સામા માટે દ્વષ ન રાખે. પણ તિતિક્ષા (સહનશીલતા)ને ઉત્તમ જાણીને તે જ ધર્મનું આચરે.
૨૭. સંયમી અને દાન્ત (ઇંદ્રિયોનું દમન કરનાર) એવા શ્રમણને કોઈ સ્થળે કોઈ પણ મારે કે વધ કરે તો જીવનો નાશ થવાનો નથી” આમ એ સંયતિ (સંયમી) ચિંતવે.
નોંધ : પોતા પર આવેલા મૃત્યુસંકટને પણ મનમાં લાવ્યા વિના સહન કરવું તે ક્ષમાધર્મ કહેવાય છે. ક્ષમાવાન, કોઈ જાતની પ્રતિક્રિયા ન કરે તેમ પોતાના મનમાં દુઃખ પણ ન લાવે.
૨૮. અરે ! ઘર ત્યાગી જનાર ભિક્ષુનું જીવવું હંમેશાં દુષ્કર હોય છે.' કારણ કે તે બધું માગીને જ મેળવી શકે છે. તેને અયાચિત કશું હોતું નથી.
૨૯. ભિક્ષાર્થે ગૃહસ્થને ઘેર જતાં ભિક્ષુને પોતાનો હાથ લાંબો કરવો તે સહેલો નથી (યાચના કરવી તે દુષ્કર છે) માટે ગૃહસ્થવાસ એ જ ઉત્તમ છે, એમ ભિક્ષુ ચિંતવે નહિ.
નોંધ : સાચા ભિક્ષને માગવું ઘણીવાર દુઃખદ થાય છે છતાં માગવું એ તેમના માટે ધર્મ છે. આથી જ તેમને પરિષદમાં સ્થાન છે.
૩૦. ગૃહસ્થોને ત્યાં ભિન્ન ભિન્ન સ્થળે) ભોજન તૈયાર થાય તે વખતે ભિક્ષાચારી માટે જવું. ત્યાં ભિક્ષા મળે કે ન મળે તોપણ બુદ્ધિમાન ભિક્ષુ અનુતાપ (ખેદ) ન કરે.
Page #45
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૩૧. ‘આજે હું ભિક્ષા ન પામ્યો. પરંતુ કાલે ભિક્ષાનો લાભ થશે ! તેમાં શું ?' જો એમ ચિંતવે તો ભિક્ષાની અપ્રાપ્તિ તેને ખટકે નહિ. નોંધ : ઉચ્ચ ભાવના કે વિચાર સાધકના સંકટનો પરમ સાથી છે. ૩૨. (કવચિત્) વેદનાના દુઃખથી પીડાયેલો ભિક્ષુ ઉત્પન્ન થયેલા દુઃખને જાણીને પણ મનમાં જરાય દીનતા ન લાવતાં બુદ્ધિને સ્થિર રાખે અને રોગથી ઘેરાવા છતાં તે દુઃખને સહન કરે.
૩૩. ભિક્ષુ ઔષધને (રોગ પ્રતિકારને) ન ઇચ્છે, પરંતુ આત્મશોધક થઈ શાંત રહે. પ્રતિઉપાય ન કરે કે ન કરાવે તેમાં જ ખરેખર તેનું સાધુત્વ છે. નોંધ : દેહાધ્યાસને છોડી દેનાર ઉચ્ચ યોગીની ભૂમિકાની આ વાત છે. અહીં આજુબાજુના સંયોગબળનો વિવેક કરવો ઘટે.
૧૨
૩૪. વસ્ત્ર વિના રહેનારા તથા રૂક્ષ શરીરવાળા તપસ્વી સાધુને તૃણ (દર્ભાદિક) ઉપર સૂતાં શ૨ી૨ને પીડા થાય
૩૫. કે અતિ તાપ પડવાથી અતુલ વેદના થાય એમ જાણીને પણ એ ઘાસ વડે પીડા પામેલા સાધુઓ વજ્ર ન સેવે.
નોંધ : ઉચ્ચ ભૂમિકાના જે ભિક્ષુઓ અંગ પર વસ્ત્રો નથી રાખતા તેવાને ઘાસની શય્યા અંગ પર ખૂંચે છતાં તેઓ તે કષ્ટ સહન કરે, પણ વસ્ત્ર ન વાપરે.
૩૬. ગ્રીષ્મ કે બીજી કોઈ ઋતુમાં ધામ વડે રજથી કે મેલથી મલિન શરીરવાળો બુદ્ધિમાન ભિક્ષુ સુખ માટે ઝંખના ન કરે (આ મેલ કેમ ટળે ! તેવું ન ઇચ્છે)
૩૭. પોતાના કર્મક્ષયને ઇચ્છનાર ભિક્ષુ પોતાના ઉચિત ધર્મને સરજીને જ્યાં સુધી શરીરનો નાશ ન થાય ત્યાં સુધી શરીર વડે મેલને ધારણ કરે. નોંધ ઃ ઉપરના શ્લોકો દેહાધ્યાસ વિનાના ઉચ્ચ ભૂમિકાવાળા મુનિઓ માટે છે, છતાં સામાન્ય રીતે પણ શરીર સત્કાર એ ભિક્ષુધર્મનું દૂષણ છે. માટે તે દૂષણને તજી દેવું અને વિવેકપૂર્વક સાધના તરીકે શરીરનો ઉપયોગ કરવો.
:
૩૮. રાજાદિક કે શ્રીમંત અમારું અભિવાદન (વંદન) કરે, સામા આવી સન્માન કરે કે ભોજનાદિનું નિયંત્રણ કરે. આવી ઇચ્છાઓ જે કુત્સિત (હલકા) ભિક્ષુઓ રાખે છે તેવી સ્પૃહા આદર્શ મુનિ ન રાખે.
નોંધ : સન્માન પોતે ન ઇચ્છે કે ઇચ્છતા હોય તેઓ ઠીક કરે છે એમ પણ ન માને.
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૩
પરિષદ
૩૯. અલ્પ કષાય (ક્રોધાદિ)વાળો, અલ્પ ઇચ્છાવાન, અજ્ઞાત ગૃહસ્થોને ત્યાં ભિક્ષાર્થે જનાર તથા સરસ આહારમાં તૃષ્ણા ન રાખનાર તત્ત્વબુદ્ધિવાળા ભિક્ષ રસોમાં આસક્ત ન બને અને અનુતાપ પણ ન કરે. (કોઈનો ઉત્કર્ષ જોઈ ઈર્ષાળુ પણ ન બને.)
૪૦. “મેં ખરેખર અજ્ઞાન ફળવાળાં (જ્ઞાન ન પ્રગટે એવાં) કર્મો કર્યા છે કે જેથી હું ક્યાંક કોઈથી પણ પૂછાઉં તો કશું જાણી શક્તો નથી કે જવાબ આપી શકતો નથી.
૪૧. પણ હવે પાછળથી “જ્ઞાનફળવાળાં કર્મ ઉદય પામશે !' આમ કર્મના વિપાકને ચિંતવી આવા સમયે આશ્વાસન લે.
નોંધઃ પુરુષાર્થ કરવા છતાં અલ્પબુદ્ધિને લઈને તર્કબુદ્ધિ ન ઉદ્ભવે તો તેથી હતાશ ન થતાં પુરુષાર્થ કર્યા કરવો.
૪૨. “હું નિરર્થક જ મૈથુનથી નિવૃત્ત થયો, (ગૃહસ્થાશ્રમ છોડી બ્રહ્મચર્ય ધારણ કર્યું.) ફોકટ જ ઇંદ્રિયોનાં દમન કર્યા, કારણ કે ધર્મ એ કલ્યાણકારી છે કે અશુભ ફળ આપનાર છે તેને પ્રત્યક્ષ જોઈ શકતો નથી. (કર્મના ફળને સાક્ષાત્ ન જોઉં તો શા માટે કષ્ટ વેઠવું ?)
૪૩. વળી તપશ્ચર્યા આયંબિલ ઇત્યાદિ ગ્રહણ કરીને તથા સાધુની પ્રતિમા (ભિક્ષુઓના બાર અભિગ્રહોની ક્રિયા)ને પાળીને વિચરવા છતાં મારું સંસાર ભ્રમણ કેમ જતું નથી ?
૪૪. માટે પરલોક જ નથી કે તપસ્વીની ઋદ્ધિ પણ લાગતી નથી. માટે ખરેખર હું સાધુપણું લઈ ઠગાયો છું એવું એવું ભિક્ષુ ન ચિંતવે,
૪૫. ઘણા તીર્થકરો (ભગવાન) થઈ ગયા, થાય છે અને થશે. તેઓએ જે કહ્યું તે બધું ખોટું જ કહ્યું છે. (અથવા તીર્થકરો થઈ ગયા, થાય છે અને થશે તેમ કહેવાય છે તે ખોટું છે) એમ પણ ભિક્ષુ ન ચિંતવે.
નોંધ : માનવબુદ્ધિ પરિમિત છે. જ્યારે ભાવો અપરિમિત છે. જગતની બધી વસ્તુ આપણે જોઈ પણ ન શકીએ તેમ કલ્પી પણ ન શકીએ. તેથી વિવેકપૂર્વક શ્રદ્ધા રાખી આગળ વધવું એ જ ઉત્તમ છે.
૪૬. આ બધા પરિપહો કાશ્યપ ભગવાન મહાવીરે કહેલા છે. તેને જાણીને (અનુભવીને) ભિક્ષ કોઈ સ્થળે તેમાંના કોઈથી પણ પીડાયા છતાં ન હણાય.
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૪
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : આમાંના ઘણા પરિષદો ઉચ્ચ યોગીને, કેટલાક મુનિને તથા કેટલાક સાધકને લાગુ પડે છે. છતાં આમાંથી આપણા જીવનમાં પણ ઘણું ઉતારી શકીએ છીએ. અણગારિ માર્ગ અને અગરિમાર્ગ બંને જુદા હોવા છતાં તેનો સંબંધ બહુ ગાઢ છે. બંને એક જ ધ્યેયે જનારા છે. શ્રમણવર્ગનાં ઘણાં વિધાનો ગૃહસ્થને લાગુ પડે છે.
પરિષહ એ સાધકનું અમૃત છે. મુશ્કેલીની શાળા સાધકને આગળ અને આગળ ધપાવે છે.
એમ કહું છું. આમ પરિષહ નામનું બીજું અધ્યયને પૂર્ણ થયું.
Page #48
--------------------------------------------------------------------------
________________
ચતુરંગીય
૧૫
અધ્યયન : ત્રીજું ચતુરંગીય
ચાર અંગ સંબંધી
વૃક્ષો—પહેલાં મૂળ, શાખા, પ્રશાખા, પુષ્પ અને પછી ફળ પ્રસવે છે. અર્થાત્ કે ક્રમપૂર્વક ઊગે છે, ફૂલે છે અને ફળે છે. જેમ આખી સૃષ્ટિમાં આ નિયમ વ્યાપક છે, તેમ જીવનની ઉન્નતિનો પણ ક્રમ છે. જીવનવિકાસની ભિન્નભિન્ન ભૂમિકાઓ એ તેનો ક્રમ કહેવાય, ક્રમ વિના આગળ પણ ન વધાય, માટે એ જીવનવિકાસનો અનુક્રમ જે ચાર ભૂમિકાઓમાં ભગવાન મહાવીરે બતાવ્યો છે, તે આ અધ્યનનમાં વર્ણવાયો છે.
ભગવાન બોલ્યા :
૧. પ્રાણીમાત્રને આ ચાર ઉત્તમ અંગો (જીવન વિકાસના વિભાગો) પ્રાપ્ત થવાં આ સંસારમાં દુર્લભ છે : (૧) મનુષ્યત્વ, (૨) શ્રુતિ (સત્ય શ્રવણ), (૩) શ્રદ્ધા (અડગ વિશ્વાસ), (૪) સંયમની શક્તિ.
નોંધ : મનુષ્યત્વ એટલે મનુષ્ય જાતિનો વાસ્તવિક ધર્મ. મનુષ્યદેહ મળ્યા પછી પણ મનુષ્યત્વ પ્રાપ્ત કરવાનું હોય છે જ. મનુષ્યત્વનાં વાસ્તવિક ચાર લક્ષણો છે : (૧) સહજ સૌમ્યતા, (૨) સહજ કોમળતા, (૩) અમત્સરતા (નિરભિમાનિતા), (૪) અનુકંપા. આટલી સારાસાર વિચારોની યોગ્યતા પછી જ સત્ વસ્તુઓનું શ્રવણ થાય. શ્રવણ થયા પછી જ સાચો વિશ્વાસ જાગે. વિશ્વાસ થાય એટલે અર્પણતા પ્રાપ્ત થાય અને આટલી અર્પણતા પછી જ ત્યાગ સંભવે.
૨. આ સંસારમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં જુદા જુદાં કર્મો કરીને ગોત્ર અને જુદી જુદી જાતિઓમાંથી ભિન્નભિન્ન સ્થાને પ્રજાઓ (જીવો) ઉત્પન્ન થાય છે અને તેનાથી વિશ્વ વ્યાપ્ત થયું છે.
નોંધ : કર્મવશાત જ જીવો સંસારમાં જુદે જુદે સ્થળે ઉત્પન્ન થાય છે. (ઈશ્વર તેને ઉત્પન્ન કરે છે તે સંગત લાગતું નથી.)
૩. જેવા પ્રકારનાં કર્મો હોય, તેવી રીતે જીવો કદાચિત્ દેવલોકમાં નરક યોનિમાં અને કદાચિત્ આસુરી યોનિમાં ગમન કરે છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
નોંધ : કર્મવશાત્ જીવાત્માની જેવી યોગ્યતા સ્વાભાવિક રીતે જ બની ગઈ હોય છે તેવા સ્થાનમાં તે યોજાય છે.
૧૬
૪. એકાદ વખતે ક્ષત્રિય થાય છે. કદાચિત્ ચંડાલ થાય છે, કવિચત્ બુક્કસ થાય છે. કોઈ વખતે કીડો કે પતંગ થાય છે. વળી કોઈ વખતે કુંથવો (નાનોજંતુ) કે કીડી પણ થાય છે.
નોંધ : જેની માતા બ્રાહ્મણી તથા પિતા ચાંડાલ હોય તે બુક્કસ કહેવાય છે. અર્થાત્ એવી મિશ્ર જાતિમાં જન્મ લે છે.
૫. કર્મથી વિંટાયેલાં પ્રાણીઓ આ પ્રકારે સંસારચક્રમાં ફરે છે. અને સર્વાર્થોમાં ક્ષત્રિયોની જેમ સંસારમાં રહેવા છતાં વૈરાગ્ય પામતા નથી. નોંધ : ચાર વર્ણોમાં ક્ષત્રિયોને વધારે ભોગી માની તેની ઉપમા અહીં આપેલી છે.
૬. કર્મના પાશથી જકડાયેલા અને તેથી બહુ વેદના પામેલા દુ:ખી જીવો અમાનુષી (નરક કે તિર્યંચ) યોનિમાં હણાય છે.
૭. કર્મોના ક્રમિક નાશ થયા પછી શુદ્ધિ પામેલા જીવો અનુક્રમે મનુષ્ય ભવને પામે છે.
નોંધ : મનુષ્યભવને શાસ્ત્રકારોએ ઉત્તમ માન્યો છે. કારણ કે વિકાસનાં બધાં સાધનો ત્યાં પ્રાપ્ત થાય છે.
૮. મનુષ્ય શરીર પામીને પણ તે સત્યધર્મનું શ્રવણ દુર્લભ છે કે જે ધર્મને સાંભળવાથી જીવો તપશ્ચર્યા, ક્ષમા અને અહિંસાને પામે.
નોંધ : સત્સંગ, સત્ય કે સદ્ધર્મની પ્રાપ્તિ કે ઝાંખી ત્યારે જ થઈ ગણાય કે જ્યારે આપણા સદ્ગુણો જાગૃત થાય.
૯. કદાચિત્ તેવું શ્રવણ પણ થાય છતાં શ્રદ્ધા તો અત્યંત દુર્લભ છે. કારણ કે ન્યાયમાર્ગ (મુક્તિમાર્ગ)ને સાંભળ્યા છતાં પણ ઘણા જીવો પતિત થાય છે.
નોંધ : શાસ્ત્રનું અને ગુરુવચનનું સત્યબુદ્ધિથી નિશ્ચયપૂર્વક ધારણ કરવું તેવી સ્થિતિને શ્રદ્ધા કહેવાય છે. શ્રદ્ધાળુ માણસ સાંભળ્યા પછી બેસી ન રહે.
૧૦. મનુષ્યત્વ, શ્રવણ અને વિશ્વાસ પામ્યા પછી સંયમની શક્તિ તો દુર્લભ જ છે. ઘણા જીવો સત્ય પ્રત્યે રુચિ ધરાવતા હોય છે, છતાં તેને આચરી શકતા નથી.
Page #50
--------------------------------------------------------------------------
________________
ચતુરંગીય
નોંધ : આ સ્થળે અનિવાર્ય કર્મનું બંધન બતાવ્યું છે. અન્યથા વસ્તુની રચિ થયા પછી તેને આચરવા સિવાય રહી શકાય જ નહિ.
૧૧. જે મનુષ્યત્વને પામેલો જીવ, ધર્મને સાંભળીને શ્રદ્ધાળુ બને છે તે પર્વ કર્મને રોકીને તથા શક્તિ મેળવી સંયમી થઈને તપસ્વી બની કર્મને ખંખેરી નાખે છે.
૧૨. સરળ આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધ મનુષ્યના અંતઃકરણમાં જ ધર્મ ટકી શકે છે. તેમ જ ક્રમશ: તેવો જીવ ઘીથી સિંચાયેલા અગ્નિની માફક શુદ્ધ થઈ શ્રેષ્ઠ મુક્તિને પામે છે.
૧૩. કર્મના હેતુને જાણ (શોધી કાઢ). ક્ષમાથી કીર્તિ મેળવ. આમ કરવાથી પાર્થિવ (ધૂળ) શરીરને છોડીને તું ઊંચી દિશામાં જઈશ.
નોંધઃ પોતાના અંતરાત્માને ઉદ્દેશીને આ કથન કહેલું છે. અથવા શિષ્યને ઉદ્દેશી ગુરુએ કહેલું છે.
૧૪. અતિ ઉત્કૃષ્ટ એવા આચારો (સંયમોના પાલનથી ઉત્તમોત્તમ યક્ષો (દેવો) બને છે. તે દેવો અત્યંત શુક્લ (ત) કાંતિવાળા હોય છે. અને ફરીને ત્યાંથી જાણે પતન ન જ થવાનું હોય તેમ તેઓ માનતા હોય છે.
નોંધ : દેવગતિમાં એકાંત સુખ છે અને બાલવય, યુવાની તથા વૃદ્ધ અવસ્થા જેવું હોતું જ નથી. તે મરણાંત સુધી સમાન સ્થિતિમાં રહે છે. આ દૃષ્ટિએ શાસ્ત્રકારોનું કથન છે.
૧૫. દેવોનાં સુખોને પામેલા અને ઈચ્છા મુજબ રૂપ કરનારા તે દેવો ઊંચા કલ્પાદિ દેવલોકમાં સેંકડો પૂર્વ (મોટું કાળ પ્રમાણ) સુધી રહે છે.
નોંધ : કલ્પાદિ દેવલોકની ઉચ્ચ ભૂમિકાઓ છે. અને પૂર્વ એ મોટું કાળ પ્રમાણ છે.
૧૬. તે સ્થાને (દેવલોકમાં) યથાયોગ્ય સ્થિતિ કરીને આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચુત થઈને તે દેવો મનુષ્યયોનિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં તેમને દિશ અંગે (ઉત્તમોત્તમ સામગ્રી) મળે છે.
૧૭. ક્ષેત્ર (ગ્રામાદિ), વાસ્તુ (ઘર), સુવર્ણ (ઉત્તમ ધાતુઓ), પશુઓ, દાસો તથા નોકરો આ ચાર, કામ ધંધો જ્યાં હોય ત્યાં તે ઉત્પન્ન થાય છે.
નોંધ : આ ચારે વિભાગો મળી એક અંગ બને છે.
૧૮. તેમ જ મિત્રવાન, જ્ઞાતિમાન, ઉચ્ચગોત્રવાળા, કાન્તિમાન, અલ્પરોગી, મહાબુદ્ધિવાળો, કુલીન, યશસ્વી તથા બલિષ્ઠ થાય છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૮
ઉત્તરાધ્યયન સૂર નોંધ : આ નવ અંગો તથા ઉપરનું એક મળી દશ અંગો થયાં.
૧૯, અનુપમ એવા મનુષ્યયોગ્ય ભોગોને આયુષ્યના અંત પર્યત ભોગવતાં છતાં પ્રથમના વિશુદ્ધ સત્યધર્મને અનુસરીને તે દ્વારા શુદ્ધ સમ્યકત્વ પામીને
નોંધ : સમ્યકત્વ એ જૈનદર્શનની મુક્તિનું પ્રથમ પગથિયું છે.
૨૦. તથા જે પુરુષ ચાર અંગો (વર્ણવ્યા તે)ને દુર્લભ જાણી સંયમને સ્વીકારીને, કર્માશો (કર્મ દલો)ને તપ વડે દૂર કરે છે તે નિશ્ચલ સિદ્ધ થાય છે. (સ્થિર મુક્તિ પામે છે.)
નોંધ : જૈનદર્શનમાં પુણ્ય અને નિર્જરા એવાં આત્મવિકાસનાં બે અંગો છે. પુણ્યથી સાધનો પ્રાપ્ત થાય છે અને સત્ય ધર્મને સમજી તે સાધનો દ્વારા પતિત ન થતાં આત્મવિકાસને માર્ગે જવાય છે તેને નિર્જરા કહેવાય છે. સાચા ધર્મીને નટની ઉપમા આપી શકાય છે. તે નાચવા છતાં તેની દૃષ્ટિ તો દોર પર જ હોય તેમ સદધર્મની દૃષ્ટિ તો સાધનોનો ઉપયોગ કરતાં કરતાં પણ મોક્ષ તરફ જ હોય.
એ પ્રમાણે કહું છું. આમ ચાર અંગ સંબંધીનું ત્રીજું અધ્યયન સમાપ્ત થયું.
Page #52
--------------------------------------------------------------------------
________________
અસંસ્કૃત
૧૯
અધ્યયન : ચોથું
અસંસ્કૃત
જીવિત ચંચલ છે. કર્મનાં ફળ ભોગવવાં જ પડે છે, તેનું નિરૂપણ આ અધ્યયનમાં ખૂબ સરસ રીતે થયું છે.
ભગવાન બોલ્યા : ૧. જીવિત સંધાય તેવું નથી માટે પ્રમાદ ન કર. ખરેખર જરાવસ્થાથી ઘેરાયેલાને શરણ નથી એમ ચિંતવ. પ્રમાદી અને તેથી હિંસક બનેલા વિવેકશૂન્ય જીવો કોને શરણે જશે ?
નોંધ : ગૌતમને ઉદ્દેશીને આ કથન કહેવાયેલું છે. છતાં ગાયમ એટલે ઈદ્રિયોનું નિયમન કરનાર મન પણ તેનો અર્થ ક્યાં નથી થતો ? આપણે આત્માભિમુખ થઈ મન પ્રત્યે તે સંબોધન જરૂર વાપરી શકીએ. (બીજી બધી વસ્તુ તૂટ્યા પછી સંધાય છે પણ જીવિતદોરી તૂટ્યા પછી કદી સંધાતી નથી.)
૨. કુબુદ્ધિવશાત્ (અજ્ઞાનવશાત) પાપનાં કામો કરીને જે મનુષ્યો ધનને મેળવે છે, કર્મના પાશથી ઘેરાયેલા અને વૈરથી બંધાયેલા તે જીવો ધનને અહીં જ મૂકીને નરકગતિમાં ચાલ્યા જાય છે.
૩. ખાતર પાડતાં (ચોરી કરતાં) પકડાયેલો પાપકર્મ કરનાર ચોર જેમ પોતાના કર્મથી કપાય છે (પીડાય છે) તેમ જીવો અહીં અને પરલોકમાં પોતાના કર્મ વડે જ પીડા પામે છે. કારણ કે કરાયેલાં કર્મોની (ભોગવ્યા વિના) મુક્તિ નથી.
નોંધ : જે જેવાં કર્મ કરે છે તેને તે જ ભોગવે છે. કર્તા બીજો અને ભોક્તા બીજો હોઈ શકે જ નહિ એ ન્યાયે આ લોકમાં જે કર્મનાં પરિણામ ન મળ્યાં હોય તે પરલોકમાં મેળવવા જન્મ ધારણ કરવો જ પડે છે એમ પુનર્ભવની સિદ્ધિ સ્વયં થઈ જાય છે.
૪. સંસારને પામેલો જીવ પારકાને માટે કે પોતાના જીવન વ્યવહારમાં) જે કર્મ કરે છે તે કર્મના ઉદય (પરિણામ) કાળમાં (તને પોતાને જ ભોગવવું પડે છે.) તેના (ધનમાં ભાગ પડાવનાર) બાંધવો કર્મમાં ભાગ પડાવતા નથી.
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૦
ઉત્તરાધ્યયન સૂત્ર પ. ધનથી પણ પ્રમાદી જીવાત્મા આ લોકમાં કે પરલોકમાં શરણ મેળવી શકતો નથી. જેમ (અંધારી રજનિમાં) દીવો બુઝાઈ ગયા પછી અનંત વ્યામોહ થાય છે તેમ આવો પુરુષ ન્યાય માર્ગને જોવા છતાં જાણે ન જોયો હોય તેમ વ્યામોહ પામે છે.
નોંધ : કેટલાક માને છે કે ધનથી યમદૂતને સમજાવી દઈશું' તેથી જીવ જતી વખતે ધનાદિ પણ શરણરૂપ થતું નથી તે બતાવ્યું છે.
૬. સૂતેલાઓમાં જાગૃત રહેનાર (આસક્ત પુરુષોમાં નિરાસક્ત રહેનાર), બુદ્ધિમાન અને વિવેકી સાધક વિશ્વાસ ન કરે. કારણ કે ક્ષણો ભયંકર છે અને શરીર (તની પાસે) અબળ છે માટે ભારડ પક્ષીની માફક અપ્રમત્ત થઈને વિચરે).
નોંધ : કાળદ્રવ્ય અખંડ છે ત્યારે શરીર તો વિનાશી છે. એ અપેક્ષાએ ભયંકર બતાવી ક્ષણ માત્ર પણ ગફલત ન કરવાનું કહ્યું છે. ભારંડ પક્ષીને મુખ બે છતાં શરીર એક હોય છે. તેથી તે ચાલતાં, બેસતાં, ઉઠતાં મનમાં ખ્યાલ રાખતું હોય છે. તે પ્રમાણે સાધકે પણ સાવધ રહેવું.
૭. થોડી પણ આસક્તિ એ જાળ છે તેમ માની પગલે પગલે સાવધ થઈ વિચરવું. લાભ મળે ત્યાં સુધી સંયમ જીવિત લંબાવી પછી અંતઃકાળ જાણીને મલિન શરીરનો અંત લાવવો.
નોંધ : સાવધ સાધકને પોતાનું આયુષ્ય ક્યારે પૂર્ણ થશે તે ખ્યાલ થઈ જાય ત્યારે જ તેનો સમજપૂર્વક ત્યાગ કરે અન્યથા દેહ પર આસક્તિ ભલે ન હોય પરંતુ તેને સાધન માની રક્ષણ કરવાની ફરજ ન ચૂકે.
૮. જેમ શિક્ષિત અને કવચ (બખતર) ધારી ઘોડો વિજય મેળવે છે તેમ સાધકમુનિ સ્વછંદને રોકવાથી મુક્તિ પામે છે. વળી પૂર્વ (મોટી સંખ્યાવાળું કાળ પ્રમાણ) વર્ષો સુધી અપ્રમત્ત થઈ વિચરે તે મુનિ તેવી જ રીતે શીધ્ર મુક્તિને પામે છે.
નોંધ : સ્વચ્છેદ અને પ્રમાદ બે જ પતનનાં કારણો છે. મુમુક્ષુએ તેને પ્રથમથી જ દૂર કરવા અને અર્પણતા તથા સાવધતા પ્રાપ્ત કરવી.
૯, શાશ્વત નિયતિવાદી મતવાળાઓની એ ઉપમા માન્યતા છે કે જે પહેલાં ન પામે તે પછી પણ ન પામી શકે. (અહીં વિવેક કરવો ઘટે છે, નહિ તો તે મનુષ્યને) શરીરનો વિરહ થતી વખતે કાળથી ઝડપાતી વખતે કે આયુષ્ય શિથિલ પડે ત્યારે તેઓની પણ તે માન્યતા બદલાઈ જાય છે. અને (ખેદ કરવો પડે છે.)
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૧
અસંસ્કૃત
નોંધ : જો આપણે પહેલાં નથી કર્યું તો હવે શું કરી શકીશું ? આમ માનીને પણ પુરુષાર્થ છોડી દેવો નહિ. કોઈ પણ કાળે અને કોઈ પણ સ્થિતિમાં પુરુષાર્થ કરતા જ રહેવું. અહીં પરંપરા પ્રમાણે એવો પણ અર્થ થાય છે કે શાશ્વતવાદી એટલે ચોક્કસ કહી શકનારા એવા જ્ઞાનીજનો (ત્રિકાળદર્શી હોવાથી) આ જ પ્રમાણે અત્યારે થશે, પછી નહિ થાય કે અત્યારે જ તે જીવ મેળવી શકશે પછી નહિ વગેરે વગેરે ચોક્કસ જાણે છે તેઓ તો પછી પણ પુરુષાર્થ કરી શકે. પરંતુ આ ઉપમા તો તેવા મહાપુરુષોને લાગુ પડે બીજે નહિ. જો તેવી રીતે બીજો સાધારણ જીવાત્મા તેમ કરે તો તેને આયુષ્યના અંત વખતે ખેદ કરવો પડે છે.
૧૦. આવો વિવેક (ત્યાગ) કરવા માટે શીધ્ર શક્તિમાન (કોઈ નથી માટે કામો (ભાગો)ને છોડી દઈ મહર્ષિ, સંસાર સ્વરૂપને સમભાવ (સમદષ્ટિ)થી સમજીને, આત્મરક્ષક બની અપ્રમત્તપણે વિચરે.
નોંધ : કામોને ભોગવવા અને જાગૃતિ કે નિરાસક્તિ રાખવી એ કામ સહેલું નથી માટે પ્રથમ ભોગોને છોડી દેવા એ જ ઉત્તમ છે.
૧૧, વારંવાર મોહ ગુણોને જીતતા અને સંયમમાં વિચરતા ત્યાગીને વિષયો અનેક સ્વરૂપે સ્પર્શ કરે છે. પરંતુ તેઓને વિશે ભિક્ષુ પોતાનું મન દુષ્ટ ન બનાવે.
૧૨. (લલચાવે તેવા) મંદ મંદ સ્પર્શે બહુ લોભાવનારા હોય છે. પરંતુ તેઓને વિશે મન ન જવા દેવું, ક્રોધને દબાવવો, અભિમાનને દૂર કરવું, માયા (કપટ)ને ન સેવવી તથા લોભને છોડી દેવો.
૧૩. જેઓ વાણીથી જ સંસ્કારી ગણાતા તુચ્છ અને પરપ્રવાદ કરનારા છતાં રાગદ્વેષથી જકડાયેલા છે તેઓ પરતંત્ર અને અધર્મી છે એમ જાણી તેમનાથી અલગ રહી શરીરના અંત સુધી સગુણોની જ આકાંક્ષા સેવવી.
એમ કહું છું. એ પ્રમાણે અસંસ્કૃત નામનું ચોથું અધ્યયન પૂર્ણ થયું.
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૨
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : પાંચમું અક્રમ-મરણીય
મૃત્યુકાળ એ જીવનકાર્યનો સરવાળો છે. મરણ તો વારંવાર થાય છે. કારણ કે પ્રમાદ એ જ મરણ છે, છતાં આ અધ્યયનમાં તો દેહના ત્યાગ વખતની દશાનું વર્ણન કર્યું છે. આ વર્ણન પરથી તે સ્થિતિની પહેલાં જ સમજી અપ્રમત્ત થવાય તે હેતુ સ્પષ્ટ માલૂમ પડી આવે છે.
૧. દુઃખે કરીને ઊતરી શકાય એવા મહાપ્રવાહવાળા સંસાર સમુદ્રમાંથી અનેક પુરુષો તરી ગયા. ત્યાં મહાબુદ્ધિવાળા એક જિજ્ઞાસુએ આ પ્રશ્નને પૂછ્યો.
૨. દરેક જીવની મરણાન્તે બે સ્થિતિઓ (ભૂમિકાઓ) હોય છે : (૧) અકામ-મરણ અને (૨) સકામ-મરણ
નોંધ : મરણ સમયે અશાંત રહે અથવા ધ્યેયશૂન્ય મરણ થાય તે અકામ-મરણ અને ધ્યેયપૂર્વક અવસાન થાય તે સકામ-મરણ કહેવાય છે.
૩. બાળકોનું તો અકામ-મરણ કે જે મરણ વારંવાર થાય છે અને પંડિત પુરુષોનું સકામ-મરણ કે જે એક વાર જ થાય છે.
નોંધ : જૈનદર્શન, શુદ્ધ સમ્યકત્વધારી જીવના મરણને પંડિત મરણ માને છે. અને તેવો આત્મા વધારેમાં વધારે સંસારમાં ફરીથી એક જ વાર જન્મ લે છે. અને સામાન્ય જીવોને અનેક વાર જન્મમરણ કરવાં પડે છે.
૪. ત્યાં આગળ આ પહેલી સ્થિતિ મહાવીરે આ પ્રમાણે (તેની) બતાવી છે કે જે ઇંદ્રિય વિષયોમાં આસક્ત થયેલો બાળક (મૂર્ખ) ઘણાં ક્રૂર કૃત્યો કરતો હોય છે.
નોંધ ઃ જે અત્યંત ક્રૂર કૃત્યો જેવાં કે હિંસાદિ કર્મો કરે છે તે જ અકામમરણને અનુભવે છે.
૫. જે કોઈ કામભોગોમાં આસક્ત થઈ અસત્ય કર્મોને આચરે છે તેની માન્યતા એવી હોય છે કે : ‘મેં પરલોક જોયો જ નથી અને આ વિષયનો આનંદ તો પ્રત્યક્ષ છે.'
૬. ‘આ કામભોગો તો હાથમાં આવેલા પ્રત્યક્ષ છે. અને જે પછી
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૩
અકામ મરણીય થવાનું તે તો કાળે કરીને થવાનું છે. (માટે તેની ચિંતા શી ? વળી કોણ જાણે છે કે પરલોક (પુનર્ભવ) છે કે નહી ?'
૭. “બીજાનું થશે તે મારું થશે? આ પ્રમાણે એ મૂર્ખ બબડે છે અને તેવી રીતે કામભોગની આસક્તિથી આખરે કષ્ટને પામે છે.
ભોગની આસક્તિ શું કરે છે તે સમજાવે છે : ૮. તેથી ત્રસ અને સ્થાવર જીવો પર દંડ આરંભે છે અને પોતાને માટે કેવળ અનર્થથી (હેતુપૂર્વક કે અહેતુએ) પ્રાણીસંઘને હણી નાખે છે.
નોંધ : ત્રસ એટલે જે જીવો હાલતા ચાલતા દેખાય છે. સ્થાવર એટલે પ્રથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવો કે જે આંખોથી સ્પષ્ટ રીતે ન દેખાય છે. જો કે હમણાં વૈજ્ઞાનિક શોધ જગજાહેર થઈ છે અને પાણી, વનસ્પતિ વગેરેમાં જીવો મનાય છે.
૯. ક્રમશઃ હિંસક, જૂઠો, માયાવી, ચાડીઓ, શઠ અને મૂર્ખ એવો તે દારૂ અને માંસને ભોગવતો છતાં આ સારું છે એમ માને છે.
૧૦. કયાથી અને વચનથી મદોન્મત્ત થયેલો અને ધન તથા સ્ત્રીઓમાં આસક્ત થયેલો, તે અળસિયું માટીને જેમ બે પ્રકારે ભેગી કરે છે તેમ બે પ્રકારે કર્મરૂપ મળને એકઠો કરે છે.
નોંધ : બે પ્રકારે એટલે શરીર અને આત્મા બંનેથી અશુદ્ધ થાય છે. શરીરનું પતન થયા પછી તેને સુધારવાનો માર્ગ બહુ બહુ કઠિનાઈથી મળે છે પણ આત્મપતનના ઉદ્ધારનો માર્ગ તો મળવો અશક્ય છે.
૧૧. ત્યાર બાદ પરિણામે રોગ (પીડા)થી ખરડાયેલો અને તેથી ખેદ પામેલો તે ખૂબ તપ્યા કરે છે. અને પોતાનાં કરેલાં દુષ્કર્મોને સંભારી સંભારીને હવે પરલોકથી પણ અધિક બીવા માંડે છે.
૧૨. “દુરાચારીઓની જે ગતિ છે તે નરકનાં સ્થાનો મેં સાંભળ્યાં છે કે જયાં ક્રૂર (ભયંકર) કર્મ કરનારાને અસહ્ય વેદના થાય છે.
નોંધ : સાત પ્રકારનાં નરકોનું જૈનશાસ્ત્રમાં વિધાન છે. ત્યાં કરેલાં દુષ્ટ કર્મોના ફળરૂપે ઉત્તરોત્તર અકલ્પનીય વેદનાઓ પ્રત્યેક પ્રાણીઓને ભોગવવી પડે છે.
૧૩. “પપાતિક (સ્વયે કર્મવશાત્ ઉત્પતિ થાય છે તે) (નરક) સ્થાન કે જે મેં આગળ સાંભળ્યું છે ત્યાં જઈને જીવ કરેલાં કર્મોથી પછી ખૂબ જ પરિતાપ પામે છે.'
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૪. જેમ ગાડીવાન જાણવા છતાં સારા ધોરી રસ્તાને છોડી દઈને વિષમ માર્ગમાં જતાં ધૂસરી (પુરા) ભાંગી જાય ત્યારે શોક કરે છે.
૧૫. તેમ ધર્મને છોડીને તથા અધર્મને અંગીકાર કરીને મરણના માં આગળ ગયેલો પાપી માણસ જીવનધૂંસરી ભાંગી ગઈ હોય તે જ પ્રકારે શોક કરે છે.
૧૬. ત્યારબાદ તે મૂર્ખ મરણને અંતે ભયથી ત્રાસ પામી, કલિથી (જુગારના દાવથી) જીતાયેલ ઠગારાની માફક અકામ મરણે મરે છે.
નોંધ : જુગારમાં કોઈ ધુતારો પણ હારી જાય છે. તેમ અકામ-મરણથી તેવો પાપી જીવ ભવ હારી જાય છે.
૧૭. આ તો બાળકોનું અકામ મરણ કહ્યું. હવે પંડિતોનું સકામ મરણ કહીશ. મને સાંભળો; એમ ભગવાન સુધર્મસ્વામી બોલ્યા :
૧૮. પુણ્યશાળી (સુપવિત્ર) પુરુષો, બ્રહ્મચારીઓ અને સંયમી પુરુષોનું વ્યાઘાત રહિત અને અતિ પ્રસન્ન એવું મરણ જે મેં સાંભળ્યું છે
૧૯. તે બધા ભિક્ષુઓને કે બધા ગૃહસ્થોને પ્રાપ્ત થતું નથી. પણ કઠિન વ્રતો પાળનારા ભિક્ષુઓ અને ભિન્ન ભિન્ન પ્રકારના સદાચાર સેવનારા સહસ્થો જ તે મૃત્યુને વરે છે.
૨૦. કેટલાક કુસાધુઓ કરતાં ગૃહસ્થો પણ અધિક સંયમી હોય છે. પરંતુ સાધુતાની અપેક્ષાએ તો બધા ગૃહસ્થો કરતાં સાધુઓ અધિક સંયમી જ હોય છે.
નોંધ : આ ગાથા અત્યંત ગંભીર અને સાચા સંયમનું પ્રતિપાદન કરનારી છે. વેશ કે અવસ્થા વિશેષ સંયમના પોષક કે બાધક છે જ નહિ.
૨૧. લાંબા વખતનાં ચર્મ, નગ્નત્વ, જટા, સંઘાટિ (બુદ્ધ સાધુઓનું ઉત્તરીયવસ્ત્ર) કે મુંડન આ બધાં ચિહ્નો તે દુરાચારવાળા વેશધારીને શરણભૂત થતાં નથી.
નોંધ : બધાં ભિન્ન ભિન્ન ચિહ્નો સંયમનાં રક્ષક નથી. સદાચાર જ સંયમનો રક્ષક છે.
૨૨. ભિક્ષાચારી કરનાર ભિક્ષુ પણ જો દુરાચારી હોય તો તે નરકથી છૂટી શકતો નથી. (સારાંશ કે) ભિક્ષુ હો ગૃહસ્થ હો ! સદાચારી હોય તે જ સ્વર્ગમાં જ જઈ શકે છે.
નોધ : સાધુને નરક ન હોય કે શ્રાવકને નરક હોય તેવો કોઈને ઈજારો
Page #58
--------------------------------------------------------------------------
________________
અકામ મરણીય
૨૫ હોતો નથી. જે કોઈ જે સ્થિતિમાં રહી દુરાચાર સેવે તેને નરક, અને સદાચાર સેવે તેને સ્વર્ગ મળી શકે છે.
ગૃહસ્થી સુવતી (સદાચારી) કેવી રીતે હોય તે બતાવે છે : ૨૩. ગૃહસ્થ પણ સામાયિકાદિ અંગોને શ્રદ્ધાપૂર્વક, (અર્થાત મન, વચન, કાયાથી) સ્પર્શ કરે અને માસની બંને પાખી (પાક્ષિક)ઓમાં એક પાખી પણ પૌષધ વિના ખાલી જવા ન દે.
નોંધ : સામાયિક એ જૈનદર્શનની આત્મચિંતનની ક્રિયા છે. યોગસાધનની ક્રિયા ગૃહસ્થોને પ્રાયઃ હંમેશાં કરવાની હોય છે. અને તે ક્રિયા શુદ્ધ રીતે કરતાં આત્મસાક્ષાત્કાર થઈ મોક્ષ મેળવી શકાય છે. સામાયિક માત્ર એક જ કલાકની ક્રિયા છે અને પૌષધ ક્રિયા એ આખી અહોરાત્રિ (રાત્રિ દિવસ) આત્મચિંતન કરવાની ક્રિયા છે. પૌષધને દિવસે ઉપવાસ કરી સૌમ્ય આસને બેસી આત્મચિંતન કર્યા કરવાનું કહ્યું છે.
૨૪. આ પ્રમાણે સમજણપૂર્વક ગૃહસ્થાવાસમાં પણ સારા વ્રતથી (સદાચારી) રહી શકનારો જીવ આ ઔદારિક શરીર (મલિન શરીર)ને છોડી દેવલોકમાં જઈ શકે છે.
નોંધ : પશુ અને માનવોના દેહને જૈનશાસ્ત્ર ઔદારિક શરીર કહે છે. ઔદારિક એટલે હાડ, માંસ, ચામ, રુધિર ઇત્યાદિ બિભત્સ વસ્તુઓનો પુંજ.
૨૫. વળી જે સંવર કરનારો (સંસારથી નિવૃત્ત થયેલો) ભિક્ષુ હોય છે તે સર્વ દુઃખ નષ્ટ કરીને મુક્ત અથવા મહાન ઋદ્ધિવાળો દેવ (આ બે પૈકી એક) થાય છે.
નોંધ: અહીં એક શંકા થાય કે મુનિને મુક્તિ ને ગૃહસ્થને શા માટે નહિ? પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે ગૃહસ્થજીવનમાં ત્યાગ એ અપવાદ છે. જે ગૃહસ્થાશ્રમમાં દુઃસાધ્ય છે તે જ ત્યાગ સાચી સાધુતામાં સુસાધ્ય અને વિશેષતર છે. આથી ગૃહસ્થ કરતાં ત્યાગી શીઘતર અને સહેલાઈથી મુક્તિ મેળવી શકે ! વાસ્તવિક રીતે તો જૈનદર્શન માને છે કે ત્યાગ એ જ મુક્તિનું અનુપમ સાધન છે. પછી એ ગૃહસ્થાવાસમાં હો કે સાધુ જીવનમાં હો !
દેવનાં નિવાસસ્થાનો કેવાં હોય છે તે વર્ણવે છે : ૨૬. અત્યંત ઉત્તમ, વિશેષ કરીને મોહ પમાડનારાં (આકર્ષક) અનુક્રમે અધિકાધિક દિવ્યકાન્તિવાળાં અને યશસ્વી સ્થાનો કે જે બધાં ઉચ્ચ પ્રકારના દેવોથી વિભૂષિત છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૬
ઉત્તરાધ્યયન સૂત્ર ત્યાં વિરાજમાન દેવો કેવા હોય છે તે બતાવે છે : - ૨૭. ત્યાં રહેનારા દેવો પણ દીર્ધ આયુષ્યવાળા, ખૂબ સમૃદ્ધિવાળા, ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારા, ઋદ્ધિવાળા, વળી સૂર્યસમાન કાન્તિવાળા, અને જાણે હમણાં જ ઉત્પન્ન થયા નહોય ! તેવા દેદીપ્યમાન હોય છે.
૨૮. જે સંસારની આસક્તિથી નિવૃત્ત થઈને સંયમ તથા તપશ્ચર્યાનું સેવન કરે છે તે ભિક્ષુઓ હો કે ગૃહસ્થો હો, અવશ્ય તે (ઉપર કહેલાં) સ્થાનોમાં જાય છે.
૨૯. સાચા પૂજનીય, બ્રહ્મચારી (જિતેન્દ્રિય) અને સંયમીઓનું વૃત્તાંત) સાંભળીને શીલવાન અને બહુસૂત્રી (શાસ્ત્રને યથાર્થ જાણનારા) મરણોત્તકાળે ત્રાસ પામતા નથી.
૩૦. પ્રજ્ઞાવાન પુરુષ દયાધર્મ તેમ જ ક્ષમા વડે (બાલપંડિત મરણનો) તોલ કરી તેમાં વિશેષ ધ્યાન આપીને અર્થાત્ તે પ્રકારની ઉત્તમ આત્મસ્થિતિએ પહોંચીને વિશેષ પ્રસન્ન થાય (જીવન સુધી). - ૩૧. અને ત્યારબાદ મૃત્યુ નજીક આવે ત્યારે શ્રદ્ધાળુ સાધક ઉત્તમ એવા ગુરુની પાસે જઈને લોમહર્ષને (દેહ મૂર્છાને) દૂર કરે અને દેહના વિયોગની આકાંક્ષા રાખે.
નોંધ : જેણે જીવનને ધર્મથી વણી નાખ્યું હોય તે જ અંતકાળે મૃત્યુને આનંદથી ભેટી શકે છે.
૩૨. આવો મુનિ કાળ પ્રાપ્ત થયે (મૃત્યુ વખતે) પ્રાપ્ત થયેલા શરીરને દૂર કરીને ત્રણ પ્રકારનાં સકામ-મરણ પૈકી એકથી અવશ્ય મરણ પામે છે.
નોંધ : તે સકામ-મરણ ત્રણ પ્રકારનાં હોય છે. (૧) ભક્તપ્રત્યાખ્યાન મરણ (મૃત્યુ વખતે આહાર, પાણી સ્વાદ્ય છે કે ખાદ્ય કોઈપણ પ્રકારની વસ્તુ ન લેવી તે) (૨) ઈગિત મરણ (આમાં ચાર પ્રકારના આહારના પચ્ચખ્ખાણ ઉપરાંત જગ્યાની પણ મર્યાદા બાંધવાની હોય છે). (૩) પાદોપગમન મરણ (કંપિલી વૃક્ષની શાખાની માફક એક જ શ્વાસે શ્વાસોચ્છુવાસ નીકળી જાય ત્યાં સુધી પડી રહેવું તે). એવી રીતે ત્રણ પ્રકારનાં સકામ (પંડિત) મરણ હોય છે.
એ પ્રમાણે કહું છું. આમ અ કામ મરણ સંબંધી પાંચમું અધ્યયન સમાપ્ત થયું.
Page #60
--------------------------------------------------------------------------
________________
ક્ષુલ્લક નિગ્રંથ
૨૭
અધ્યયન : છઠ્ઠ ક્ષુલ્લક નિગ્રંથ અનાચારી ભિક્ષુઓનું અધ્યયન
અજ્ઞાન કે અવિદ્યા એ જ સંસારનું મૂળ છે. તે કેવળ શાસ્ત્ર ભણ્યથી કે વાણી દ્વારા મોક્ષની વાતો કરવાથી નાશ થઈ શકે નહિ. અજ્ઞાનને નિવારવા તો કઠણમાં કઠણ પુરુષાર્થ અને વિવેક કરવો જોઈએ. આ જન્મમાં મળેલાં સાધનો જેવાં કે ધન, પરિવાર આદિનો મોહ પણ સહજ રીતે છૂટી શકતો નથી. તેનાથી આસક્તિ હઠાવવા પણ કઠિનમાં કઠિન તપશ્ચર્યા કરવી પડે છે તો જન્મોજન્મથી વારસામાં મળેલા અને જીવનના અણુએ અણુના સંસ્કારમાં જડાયેલા અજ્ઞાનને નિવારવા કેટલો પ્રયત્ન કરવો પડે તે સ્પષ્ટ વસ્તુ છે.
માત્ર વેશ પરિવર્તનથી વિકાસ ન થઈ શકે. વેશ પરિવર્તનની સાથે હૃદયનું પરિવર્તન જોઈએ. આથી જ જેનદર્શન જ્ઞાન અને ક્રિયા (વર્તન)નું સાહચર્ય સ્વીકારે છે.
ભગવાન બોલ્યા : ૧. જેટલા અજ્ઞાની પુરુષો છે તે બધા દુઃખને ઉત્પન્ન કરનારા છે. (દુઃખી છે.) તે મૂઢ પુરુષો બહુવાર અનંત એવા સંસારને વિશે નષ્ટ થાય છે. (દુઃખ પામે છે).
નોંધ : અજ્ઞાનથી મનુષ્ય સ્વયં દુઃખી તો થાય જ છે અને પાડોશીને પણ દુ:ખકર નીવડે છે.
૨. માટે જ્ઞાની પુરુષ બહુ જન્મોની જાળના માર્ગને સમજીને (તજીને) પોતાના જ આત્મા વડે સત્યને શોધે. (સત્ય શોધનનું પહેલું સાધન મૈત્રી છે માટે) અને પ્રાણીમાત્ર સાથે મિત્રભાવ સ્થાપે.
૩. સ્ત્રી, પુત્ર, પૌત્રો, માતા, પિતા, ભાઈઓ અને પુત્રવધૂઓ પોતાના કર્મથી પીડાતા એવા તને શરણ આપવા માટે લેશમાત્ર સમર્થ નથી.
૪. સમ્યક દર્શનવાળા પુરુષે પોતાની (શુદ્ધ દૃષ્ટિથી) બુદ્ધિથી આ વાતને
Page #61
--------------------------------------------------------------------------
________________
૨.૮
ઉત્તરાધ્યયન સૂત્ર વિચારવી અને પૂર્વ પરિચયની આકાંક્ષા ન રાખવી. આસક્તિ અને સ્નેહને તો છેદી જ નાખવા જોઈએ.
નોંધ : સમ્યકદર્શન એટલે આત્મભાન. આસક્તિ અને રાગ દૂર થતાં જાય તેમ તેમ આત્મદર્શન થાય. અહીં ભોગવેલ ભોગોનું સ્મરણ ન આવવા દેવું અર્થાત્ જાગૃતિ રાખવી એ બતાવેલ છે.
૫. ગાય, ઘોડા ઇત્યાદિ પશુધનને, મણિકુંડલોને, તથા દાસ ચાકરો વગેરે સર્વને તું છોડી દઈને કામરૂપી (ઇચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનાર) દેવ થઈ શકીશ. (અંતઃકરણથી આ પ્રમાણે વિચારવું.)
૬. તેવી જ રીતે સ્થાવર કે જંગમ કોઈ પ્રકારની મિલ્કત (ધન, ધાન્ય કે અલંકારો કર્મોના પરિણામે પીડાતાને દુ:ખથી મુકાવવા માટે શક્તિમાન નથી તેમ સમજે.
૭. પોતાની માફક જ સર્વ સ્થળે સર્વને જોઈને અર્થાત પોતાની માફક અન્ય જીવોને પણ પોતાના પ્રાણ વહાલા છે તેમ જાણીને ભય અને વૈરથી વિરમેલો આત્મા કોઈપણ પ્રાણીઓના પ્રાણીને ન હણે.
નોંધ : ભય એ ક્રૂરતાથી જ જન્મે છે. જેટલો મનુષ્ય ક્રૂર તેટલો જ અધિક ભયભીત. વેર એ શત્રુતાની લાગણી છે. આ બે ભાવોથી વિરમાય એટલે સર્વ જીવો પ્રત્યે પ્રેમામૃત વહ્યા કરે. પોતાની ઉપમાથી દરેક જીવ સાથે વર્તે તો પ્રાણી માત્ર પર સહજ પ્રેમ હુરે.
૮. કોઈની આજ્ઞા સિવાય કંઈ પણ લેવું તે નરકગતિમાં લઈ જનાર છે એમ માનીને ઘાસનું તરણું પણ આપ્યા વગર લેવું નહિ. ભિક્ષુએ પોતાની ઇંદ્રિયોની નિગ્રહ કરીને પોતાના પાત્રમાં (રાજીખુશીથી) કોઈએ આપેલું ભોજન જ ગ્રહણ કરવું.
નોંધ : અદત્તની વ્યાખ્યા ગૃહસ્થ માટે પણ છે. ફેર માત્ર એટલો કે પુરુષાર્થ કરીને તે હકનું વિવેકપૂર્વક લઈ શકે. નીતિનો ભંગ કરી જે કંઈ દીધેલું લેવું તે પણ અદત્ત જ ગણાય.
૯. અહીં કેટલાક તો એમ જ માને છે કે પાપકર્મ છોડ્યા સિવાય પણ આર્યધર્મને જાણીને જ સર્વદુઃખોથી મુક્ત થવાય છે. (તે વસ્તુ ઉચિત નથી.)
નોંધ : આ શ્લોકમાં જ્ઞાન કરતાં વર્તનની અધિકતા બતાવી છે. વર્તન ન હોય તો વાણી નિરર્થક.
૧૦. બંધ અને મોક્ષની વાતો કરનારા કહેવા છતાં કરતા નથી તે માત્ર વાણીની બહાદુરીથી પોતાના આત્માને આશ્વાસન જ આપે છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
ક્ષુલ્લક નિગ્રંથ
૨૯
૧૧. જુદી જુદી જાતની (વિચિત્ર) ભાષાઓ શરણરૂપ થતી નથી. તો વિદ્યાનું અનુસાશન પણ ક્યાંથી શરણભૂત થાય ! પાપ કર્મોથી પકડાયેલા મૂર્ખાઓ નહિ જાણવા છતાં પોતાને પંડિત માનનારા હોય છે.
૧૨. જે કેટલાક બાલજીવો (અજ્ઞાની) શરીરમાં, શરીરના વર્ણ અને સૌંદર્યમાં સર્વ પ્રકારે એટલે મન, વચન અને કાયાથી આસક્ત હોય છે તે સૌ દુઃખના જ ભોગી બને છે.
૧૩. તેઓ અનંત એવા આ સંસારમાં લાંબે માર્ગે પડે છે. (સંસારચક્રમાં ખૂબ ભમે છે.) માટે બધી બાજુથી જોઈ તપાસીને મુનિ અપ્રમત્ત થઈને જ વિચરે. ૧૪. બાહ્યસુખને આગળ કરીને કદી પણ કશું ન ઇચ્છે. માત્ર પૂર્વે થયેલાં (સંચિત) કર્મના ક્ષયને માટે જ આ દેહનો સદુપયોગ કરે.
::
નોંધ : શરીર, ધન, સ્વજન આદિ સામગ્રી મુખ્ય નથી પણ ગૌણ છે. તેનો સદુપયોગ કરવાથી જ સુખ મળે. તેની લાલસામાં જીવન ખર્ચે તો બધુંય ગુમાવે.
૧૫. કર્મના મૂળ કારણો (બીજ)નો વિવેક કરીને (વિચાર કરીને) અવસર (યોગ્યતા) જોઈને સંયમી બને. (સંયમી બન્યા પછી) નિર્દોષ ભોજન અને પાણીને પણ માપથી ગ્રહણ કરે.
નોંધ : યોગ્યતા વિના સંયમ ન ટકે માટે ‘અવસર, જોનાર એ વિશેષણ લીધું છે. તેમ જ ત્યાગ અને તપ વિના પૂર્વ કર્મોનો ક્ષય અસંભવિત છે માટે ત્યાગને અનિવાર્ય બતાવ્યો છે.
૧૬. ત્યાગીએ લેશ માત્ર પણ સંગ્રહ ન કરવો, જેમ પક્ષી પાંખને સાથે લઈને જ ફરે છે તેમ મુનિ પણ (સર્વ વસ્તુ પરથી) નિરપેક્ષ (મમત્વ રહિત) થઈ વિચરે.
૧૭. લજ્જાળુ (સંયમની લાજ ધરાવનાર) અને ગ્રહણ કરવામાં પણ મર્યાદા રાખનાર ભિક્ષુ ગામ, નગર ઇત્યાદિ સ્થળે, બંધન રહિત (નિરાસક્ત) થઈ વિચરે. અને પ્રમાદીઓમાં (એટલે ગૃહસ્થોના સંસર્ગમાં રહેવા છતાં) પણ અપ્રમત્ત રહી ભિક્ષાની ગવેષણા (શોધ) કરે.
‘એ પ્રમાણે તે અનુત્તર જ્ઞાની અને અનુત્તર દર્શનધારી અર્હન્ પ્રભુ જ્ઞાનપુત્ર મહાવીર વિશાલી નગરીમાં આ પ્રમાણે વ્યાખ્યાન કરતા હતા. (એમ) જંબુસ્વામીને સુધર્મસ્વામીએ કહ્યું :
એ પ્રમાણે કહું છું.
એવી રીતે ક્ષુલ્લક નિથ સંબંધીનું છઠ્ઠું અધ્યયન સમાપ્ત થયું.
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૦
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : સાતમું એલક
બકરાનું અધ્યયન
ભોગમાં તૃપ્તિ નથી; જડમાં ક્યાંય સુખ નથી.
ભોગોમાં જેટલી આસક્તિ તેટલું જ આત્માથી દૂર રહેવાય. આત્માથી દૂર રહેવાય તેટલો દુષ્કર્મોનો પુંજ ભેળો થાય અને તેના પરિણામે અધોગતિમાં જવું પડે. માટે મનુષ્યભવને સાર્થક કરવો એ જ આપણું પરમ કર્તવ્ય છે.
૧. જેમ અતિથિ (મહેમાન)ને ઉદ્દેશીને (માટે) કોઈ માણસ પોતાને આંગણે બકરાને પાળી ચોખા અને જવ આપી પોષ્યા કરે.
૨. ત્યાર પછી તે હૃષ્ટપુષ્ટ, મોટા પેટવાળો, જાડો, બહુ મેદવાળો (થઈ ખૂબ ખુશી થાય) અને વિપુલ દેહવાળો બને ત્યારે જાણે અતિથિની વાટ જ ન જોતો હોય ! (તેમ મદમાતો ફરે.)
૩. જ્યાં સુધી એ પરોણો ઘેર આવે નહિ ત્યાં સુધી જ તે બિચારો જીવી શકવાનો છે. પણ જ્યારે અતિથિ ઘેર આવે ત્યારે (ઘરના બધા માણસો અને પરોણાઓ) (તેનું) માથું કાપીને (વધ કરીને) તેને ખાઈ જાય છે. (મૃત્યુવશ થાય છે).
૪. ખરેખર તે બકરો જેમ પરોણાને માટે જ (પુષ્ટ કરાય છે) રખાય છે. તેમ અધર્મી-બાલજીવ પણ (ક્રૂર કર્મો કરી) નરકનું આયુષ્ય બાંધવા માટે જ કામભોગો વડે પાપોથી પોષાય છે.
નોંધ : જેમ બકરો ખાતી વખતે ખૂબ મજા માણે છે તેમ ભોગો ભોગવતી વખતે જીવાત્મા ક્ષણિક સુખ માણી લે છે. પરંતુ અતિથિરૂપ કાળ આવે ત્યારે તેની મહાદુર્ગતિ થાય છે. અને પહેલાનું માનેલું સુખ મહા ભયંકર દુઃખરૂપ નીવડે છે.
નરકને યોગ્ય બાલજીવ કયા દોષોથી ઘેરાયેલો હોય છે તે દોષો બતાવે છે.
૫. બાલજીવ; હિંસક, જૂઠું બોલનાર, માર્ગમાં ચોરી કરનાર (બહારવટિયો) બીજાની વસ્તુને ઝૂંટવી લેનાર, માયાવી, અધર્મનું ખાનાર,
218 del...
Page #64
--------------------------------------------------------------------------
________________
એલક
૩૧
૬. સ્ત્રીઓમાં આસક્ત, ઇંદ્રિયલોલુપી, મહારંભી, મહાપરિગ્રહી, દારૂ અને માંસનો ભક્ષક, પરને પીડા આપનાર, (પાપમાં વધેલો પિરવૃઢ) પાપી. નોંધ : જીભ, કાન, નાક, સ્પર્શ અને ચક્ષુ ઇત્યાદિ ઇંદ્રિયોના વિષયમાં આસક્ત હોય તે ઇંદ્રિયલોલુપી કહેવાય છે. મહારંભી એટલે મહા (સ્વાર્થી) હિંસક, મહા પરિગ્રહી એટલે અત્યંત (તૃષ્ણાળુ) આસક્તિમાન.
૭. બકરાનું માંસ શેકી કકડા કરી ખાનાર (બકરા વગેરે પશુઓને ખાઈ જનાર), મોટી ફાંદવાળો તથા અપથ્ય ખાઈને શરીરમાં લોહીને જમાવનાર એવો અધર્મી જીવ. જેમ બકરો અતિથિની વાટ જુએ છે તેમ તે નરકગતિના આયુષ્યની વાટ જુએ છે. (નરકગતિ પામે છે).
૮. મજાનાં આસન, શય્યાઓ, સવારીઓ (ગાડી, ઘોડા વગેરે) ધન તથા કામ ભોગોને (ક્ષણવાર) ભોગવીને, દુઃખથી મેળવેલું ધન તજીને તથા બહુ કર્મમેલને એકઠો કરીને.
૯. આવી રીતે કર્મોથી ભારે થયેલો જીવાત્મા વર્તમાન કાળમાં જ મશગૂલ રહી, જેમ બકરો અતિથિ આવ્યે તે સ્થિતિમાં શોક કરે છે તેમ મૃત્યુકાળે અત્યંત શોક કરે છે.
નોંધ : પ્રત્યુત્પન્નપરાયણ એટલે, પછી શું થશે ? તે પરિણામ નહિ વિચારનાર જીવ. કાર્યના આરંભમાં જે પરિણામ ન વિચારે તે પાછળથી ખૂબ જ પસ્તાય છે. પરંતુ પાછળનો પસ્તાવો તદ્દન નિરર્થક છે.
૧૦. તેમ જ એવા ઘોર હિંસકો આયુષ્યને અંતે આ દેહને છોડી કર્મથી પરતંત્ર થઈને આસુરી દશાને પામે છે અથવા તો નરકમાં ચાલ્યા જાય છે. નોંધ : જૈનદર્શન અસુરગતિ કિંવા નરકતિ એ જ તિઓ જ આવા અત્યંત હિંસકોને માટે માને છે.
૧૧. જેમ કાણી કોડીને માટે એક મનુષ્ય હજારો સોના મહોરો હારી ગયો અને એક (રોગમુક્ત) રાજા અપથ્ય એવા આમ્રફળને ખાઈને રાજ્ય હારી ગયો, (તેમ માનવભવ હારી જાય છે).
નોંધ : આ બંને શાસ્ત્રોક્ત દૃષ્ટાંતો છે. તાત્પર્ય એ છે કે ઉત્તમ એવા આત્મસુખને કે જેનાં મૂલ્ય ન થઈ શકે તે છોડીને પરસુખ એટલે જડજન્ય કામભોગો જે ઇચ્છે છે તે કાણી કોડી માટે સુવર્ણ ગુમાવે છે. રોગથી મુક્ત કરેલ વૈદે રાજાને પથ્ય પાળવા માટે આંબાનું ફળ ખાવાની મના કરી હતી છતાં ભૂલથી (રસાશક્તિથી) ખાઈને તેણે એક સહજ સ્વાદ માટે પોતાનો
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૨
ઉત્તરાધ્યયન સૂત્ર પ્રાણ ગુમાવ્યો. તે જ રીતે સંસારભોગી થોડી ભૂલથી આત્મિક જીવન વેડફી સંસાર પરિભ્રમણમાં પડે છે.
હવે દેવગતિના ભોગો સાથે મનુષ્યના ભોગોની તુલના કરે છે ?
૧૨. એ પ્રમાણે મનુષ્ય સંબંધીના કામો દેવકામોની પાસે તુચ્છ છે. દેવકામો (મનુષ્યના ભોગો કરતાં) સહસ્રગણા અને આયુષ્યપર્યત દિવ્યસ્વરૂપમાં રહે છે.
૧૩. તે દેવોની સ્થિતિ પણ અમર્યાદિત (અનેક વર્ષોની સંખ્યાથી પણ વધુ) કાળની હોય છે. આ બધું જાણવા છતાં સો (૧૦૦)થી પણ ઓછાં વર્ષની (મનુષ્યની) આયુષ્યસ્થિતિમાં (પણ) દુઝ બુદ્ધિવાળા પુરુષો વિષયમાર્ગમાં ફસાઈ જાય છે.
૧૪. જેમ ત્રણે વાણિયાઓ મૂળ મૂડી) ગ્રહણ કરીને કમાવા અર્થે) નીકળેલા, ત્યાં તેમાંનો એક લાભ મેળવે છે, બીજો પોતાની મૂળ મૂડી જ પાછી લાવે છે
૧૫. અને ત્રીજો મૂડી ગુમાવીને આવે છે. આ તો વ્યવહારિક ઉપમા છે. પરંતુ એ જ પ્રમાણે ધર્મમાં પણ જાણવું.
નોંધ : આ ત્રણે દૃષ્ટાંતો શાસ્ત્રમાં છે. અહીં શ્લોકમાં તે સ્પષ્ટ કરે છે.
૧૬. મનુષ્યત્વ પ્રગટાવે છે તે મૂળ મૂડીને આબાદ રાખે છે, (મનુષ્યનો દેહ મળે તે મૂળ મૂડી જ છે.) દેવગતિ પામે છે તે લાભ મેળવે છે પણ જે જીવો નરક અને તિર્યંચ (પશુયોનિ) ભવ પામે છે તે તો ખરેખર મૂકીને પણ ગુમાવે છે.
નોંધ : જેઓ સત્કર્મથી દેવગતિ પામે છે તે મનુષ્યભવથી કંઈક વધુ મેળવે છે અને દુષ્કર્મ કરે છે તે અધોગતિ પામે છે.
૧૭. બાલકની (મૂઢજીવની આપત્તિ અને વધુ જેના ગર્ભમાં છે તેવી બે પ્રકારની ગતિ (ઉપર કહી ગયા તે) થાય છે. આસક્તિને વશ થયેલો તે શઠ દેવત્વ અને મનુષ્યત્વ બંને હારી જાય છે.
૧૮. તે એક વાર વિષયોથી જિતાયો, (વિષયાસક્ત થયો) કે તેના વડે તેની બે પ્રકારે દુર્ગતિ થાય છે. ત્યાંથી ઘણા લાંબા કાળ સુધી પણ નીકળવું તેને પછી દુર્લભ થઈ પડે છે.
નોંધ : વિકાસ એ દુર્લભ છે પણ પતન તો સુલભ છે. એક વાર પતન થયું કે ઉચ્ચ ભૂમિકાથી ઠેઠ નીચે પડી જવાય છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
એલક
૩૩
૧૯. આ પ્રમાણે વિચારીને તથા બાલ (અજ્ઞાની) અને પંડિતની તુલના કરીને જે પોતાની મૂડીને પણ કાયમ રાખે છે તે મનુષ્યયોનિને પામે છે.
૨૦. આવી ભિન્નભિન્ન પ્રકારની શિક્ષાઓ દ્વારા જે પુરુષો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જો સદાચારી રહે તો તે અવશ્ય સૌમ્ય એવી મનુષ્ય-યોનિને પામે છે. કારણ કે ખરેખર પ્રાણીઓ કર્મનું ફળ અચૂક ભોગવનારા હોય છે.
નોંધ : કર્મવશાત જ જીવોની ઉચ્ચ કે નીચ ગતિ થતી હોય છે. ૨૧. જેઓની વિપુલ શિક્ષા છે. (મહાજ્ઞાની છે તેઓ પોતાની મૂડીને ઓળંગી જઈ (મનુષ્ય ધર્મથી આગળ વધી), શીલવાન અને વિશેષ સદાચારી થઈ અને અદીન (તેજસ્વી) બની દેવપણાને પામે છે.
નોંધ : મનુષ્ય મનુષ્યધર્મ સાચવવો તે તો સામાન્ય કર્તવ્ય છે. ત્યાં સુધી તો પોતાની મૂડી જ જાળવી ગણાય. પરંતુ મનુષ્યધર્મ કરતાં આગળ વધે અર્થાત્ વિશ્વધર્મમાં પ્રવેશે ત્યારે જ વિશેષતા ગણાય.
૨૨. એ પ્રકારે ભિક્ષુ અદીનતા અને અનાસક્તિને જાણીને (વિચારીને) શા માટે આવું ન જીતે (પામે) ! અને જીતીને શાંતિનું સંવેદન (અનુભવ) શા માટે ન કરે ?
નોંધ : ઉપરની સુંદર ગાથાને સાધક થઈ શા માટે ન આરાધે ?
૨૩. દાભડાની ટોચ પર રહેલું જળબિંદુ સમુદ્રની સાથે શી રીતે સરખાવાય ? તે જ રીતે દેવોના ભોગો આગળ મનુષ્યના ભોગોનું પણ સમજી લેવું ઘટે.
૨૪. જો આ દાભડાની ટોચના જળબિંદુ જેવા ચંચળ કામભોગો છે તો ક્ષીણ થતા ટૂંકા આયુષ્ય કાળમાં શા માટે (કયા હેતુને લઈને) કલ્યાણ માર્ગને ન જાણવો ?
૨૫. અહીં કામોથી નિવૃત્ત (કામાસક્ત) થયેલાનો સ્વાર્થ (આત્મોન્નતિ) હણાય છે અને તેવો પુરુષ ન્યાય (મોક્ષ) માર્ગને સાંભળ્યા છતાં ત્યાંથી પતિત થાય છે.
નોંધ ઃ કામ એ બધા રોગોનું અને આપત્તિઓનું મૂળ છે. એથી સાવધ
રહેવું.
૨૬. ‘કામભોગોથી નિવૃત્ત થયેલાની આત્મોન્નતિ હણાતી નથી, બલ્કે અપવિત્ર દેહને ત્યાગી તે દેવ સ્વરૂપ બને છે. એ પ્રમાણે મેં સાંભળ્યું છે.'
Page #67
--------------------------------------------------------------------------
________________
૨૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૭. તેવો જીવ; જ્યાં ઋદ્ધિ, કીર્તિ, કાન્તિ, આયુષ્ય તથા ઉત્તમ સુખ હોય છે ત્યાં સુંદર મનુષ્યોના વાતાવરણમાં જઈ ઉત્પન્ન થાય છે.
હવે તારવણી કરે છે. ૨૮. બાળકનું બાલ– જુઓ કે જે ધર્મને છોડી, અધર્મ અંગીકાર કરીને અર્થાત્ અધર્મી બનીને નરકમાં ઉત્પન્ન થાય છે.
૨૯. હવે સત્યધર્મને અનુસરનારા ધીરપુરુષનું ધીરપણું જુઓ કે જે ધર્મિષ્ઠ થઈ, અધર્મથી દૂર રહીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
૩૦. પંડિતમુનિ આ પ્રમાણે બાલભાવ તથા અબાલભાવની તુલના કરીને બાલભાવને ત્યાગી અબાલભાવને સેવે.
નોંધ : બાલ શબ્દ કેવળ અજ્ઞાનતા કે મૂર્ખતા સૂચક જ નથી. બલ્ક બાલ શબ્દ અનાચારનું પણ સૂચન કરે છે.
એ પ્રમાણે કહું છું. એમ એક સંબંધીનું સાતમું અધ્યયને સમાપ્ત થયું.
Page #68
--------------------------------------------------------------------------
________________
કાપિલિક
૩૫
અધ્યયન : આઠમું કાર્પિલિક
કપિલ મુનિનું અધ્યયન
મન એ જ બંધન અને મોક્ષનું કારણ છે. મનનો દુષ્ટવેગ બંધન કરે છે અને મનની નિર્મળતા મુમુક્ષુતા જગાડે છે. ચિત્તનું અનિયંત્રિતપણું ક્યાં સુધી ઘસડી જાય છે ! અને અંતરાત્માનો એક જ અવાજ લક્ષ્ય આપવાથી કેવી રીતે અધઃપતનમાંથી બચાવી લે છે ? ‘કપિલ મુનીશ્વર કે જે આખરે અનંત સુખ પામી મુક્ત થયા છે તેના પૂર્વજીવનમાંથી' તેનો મૂર્તિમાન બોધપાઠ અહીં મળી શકે છે.
કપિલ કૌશાંબી નગરીમાં વસેલા એક ઉત્તમ એવા બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. યુવાન વયમાં માતાની આજ્ઞાથી શ્રાવસ્તી નગરીમાં આવી એક દિગ્ગજ પંડિતને ત્યાં વિદ્યાધ્યયન માટે લાગી પડ્યા હતા. યૌવન વય એક પ્રકારનો નશો છે. એ નશાને વશ થઈ કૈંક યુવાનો માર્ગને ભૂલી જાય છે.
કપિલ પોતાનો માર્ગ ચૂક્યા. વિષયોની પ્રબળ વાસના જાગી. વિષયોની આસક્તિથી સ્ત્રીસંગનો નાદ લાગ્યો. સ્ત્રીસંગની તીવ્રતર લાલસાએ પાત્ર કુપાત્રને પારખવા ન દીધું. અને એ કૃત્રિમ સ્નેહના ગર્ભમાં રહેલી વિષયના ઝેરી વાસનાને પોષનાર તેવું જ એક સમાન પાત્ર શોધી લીધું અને સંસાર વિલાસી જીવોને સર્વોત્તમ લાગતા એવા કામભોગને ભોગવવા લાગ્યા. વારંવાર ભોગવવા છતાં તેને જે રસની પિપાસા છે તે સાંપડતી નથી. અને તેમ તેમ અજ્ઞાનતાથી વિવશ થઈ અધઃપતનની ખાડમાં નીચે ને નીચે તે ઘસડાતા જાય છે.
એકદા લક્ષ્મી અને સાધનોથી હીન અને દીન બનેલા તે પત્નીની પ્રેરણાથી મહારાજના દરબારમાં (પ્રતિદિન પ્રાતઃકાલમાં પ્રથમ આવનારને સોનામહોરો આપવાનું વ્રત છે) જવા રાત્રિના છેલ્લા પ્રહરે નીકળે છે. ત્યાં ચોર ધારી રાજપુરુષો વડે પકડાય છે. ત્યાંથી મહારાજાની અનુકંપા વડે છૂટો થાય છે અને મહારાજા તેના પર પ્રસન્ન થઈ ઇચ્છા મુજબ વરદાન માગવાનું કહે છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૬
ઉત્તરાધ્યયન સૂત્ર - કપિલ વિચારમાં પડે છે : “આ માગું તે માગું તેની લાલસા એટલેથી તૃપ્ત થતી નથી. આખરે આખું રાજ્ય માગવા તેનું મન લલચાય છે. અને જેવું તે વચન બહાર કાઢવા જાય છે તે જ ક્ષણે અચાનક અંતઃકરણનો અવાજ આવે છે કે રાજ્ય મેળવ્યા પછી પણ તૃપ્તિ ક્યાં હતી ?
કપિલનું હૃદય સ્ફટિક જેવું નિર્મળ હતું. તેથી એકાએક કપિલનો વિચારવેગ વળી જાય છે. ભોગોમાં ક્યાંય તૃપ્તિ જ નથી. લાલસાના પરિણામે બે માસા (સુવર્ણનો સિક્કો) માટે આવેલો હું રાજ્ય માગવા તત્પર થયો છતાં તેમાં પણ તૃપ્તિ ક્યાં ?
આખરે એ પૂર્વયોગીશ્વરના પૂર્વ સંસ્કારો જાગૃત થઈ ગયા. સાચા સુખનો માર્ગ સમજાયો. અને તે જ વખતે તેણે સૌ કંઈ બહારની ગણાતી મિલકતનો મોહ ક્ષણવારમાં ત્યાગી દીધો. બે માસાની પણ જરૂર તેને લાગી નહિ. મહારાજા અને સૌને વિસ્મિત કરી મૂક્યા અને પોતાના અંતઃકરણને જાગૃત કરી દીધું.
સંતોષ સમાન સુખ નથી. તૃષ્ણા એ જ દુ:ખની જનની છે. તૃષ્ણા શમાવવાથી તે કપિલનાં અનેક આવરણો ક્ષય થયાં. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત બન્યું, ઉત્તરોત્તર ઉત્તમ ચિંતનના પરિણામે આત્મધ્યાન કરતાં કરતાં કૈવલ્યને પામ્યો.
૧. અનિત્ય, અસ્થિર અને દુઃખથી ભરેલા સંસારમાં હું કયું કર્મ કરું કે જેથી દુર્ગતિ ન પામું. (કોઈ જિજ્ઞાસુએ પૂછ્યું.).
૨. પહેલાંની આસક્તિને છોડી દઈને કોઈ સ્થળે રાગબંધન ન કરતાં (મૂકી દેતાં દેતાં), વિષયોથી સાવ વિરક્ત થાય તો દોષો અને મહાદોષોથી પણ ભિક્ષુ મૂકાઈ જાય છે.
૩. વળી સંપૂર્ણ જ્ઞાન અને દર્શનવાળા તથા સર્વ જીવોનું હિત અને કલ્યાણ ચિંતવનારા વીતમોહ મુનિવર મહાવીર પણ જીવોની મુક્તિ માટે આ પ્રમાણે કહે છે.
૪. સર્વ પ્રકારની ગ્રંથિઓ (આસક્તિ) તથા કલહ (કલેશચિત્ત)ને ભિક્ષુએ છોડી દેવાં. સર્વ કામ સમૂહોને (ભોગોને) જોવા છતાં સાવધ એવો સાધક લેપાતો નથી.
૫. પણ ભોગરૂપ આમિષ (ભોગ્ય વસ્તુઓના દોષોથી કલુષિત, હિતકારી માર્ગ અને મુમુક્ષુ બુદ્ધિથી વિમુખ એવો બાલ, મંદ અને મૂઢ જીવાત્મા બળખામાં માખીની માફક (સંસારમાં) બંધાઈ જાય છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
૩૭
કાપિલિક
૬. અધીર (આસક્તો પુરુષોથી તો આ કામભોગો ખરેખર દુઃખે કરીને તજાય છે. સુખેથી ત્યાજ્ય નથી. જે સદાચારી સાધુઓ હોય છે તે જ દુસ્તર એવા આ સંસારને તરી જાય છે.
છે. કેટલાક દુષ્ટ અને અજ્ઞાની ભિક્ષુકો એમ કહેતા હોય છે કે પ્રાણીવધ થાય તેમાં શું ? આમ કહેનારા મૃગલા (આસક્ત) અને મંદબુદ્ધિવાળા અજ્ઞાનીઓ, પાપી દષ્ટિઓ વડે કરીને નરકમાં જાય છે.
નોંધ : કોઈ બીજાઓ (અન્ય માણસો) પ્રાણીઓનો વધ કરી આહાર ઉપજાવે તો તે પણ સાધુને માટે અકથ્ય છે.
૮. ખરેખર પ્રાણીવધ કરવો તો શું પણ તેને અનુમોદન આપતાં પણ કદી સર્વ દુ:ખોથી તે જીવ છૂટી શકતો નથી. જે આચાર્યોએ સાચા ધર્મની નિરૂપણ કરી છે તે બધાએ આ પ્રમાણે ફરમાવેલું છે.
નોધ : કોઈ પણ મત, વાદ કે દર્શનમાં અહિંસાતત્ત્વ સિવાય ધર્મ બતાવ્યો નથી. જેનદર્શન અહિંસાની ખૂબ ગંભીર સમાલોચના કરે છે. તે કહે છે કે તમો બીજાને દુ:ખ ન દો તેટલામાં જ અહિંસા સમાપ્ત થતી નથી પરંતુ કોઈપણ હિંસાના કાર્યને ઉત્તેજના ન મળે તેવો વિવેક રાખવો તે અહિંસા છે.
૯. જે પ્રાણોનો અતિપાત (ઘાત) ન કરે તે સમિતિ યુક્ત, અને સર્વજીવોનું રક્ષણ કરનાર (અહિંસક) કહેવાય છે. આવો બનવાથી સ્થળમાંથી પાણીની પેઠે તેમનું પાપકર્મ નીકળી જવા માંડે છે.
નોંધ : જૈનદર્શનમાં પાંચ સમિતિઓ છે. તેમાં આહાર, ભાષા શોધન, વ્યવસ્થા તથા પ્રતિષ્ઠાપન (ભિક્ષાદિ વધે તે કેવે સ્થળે મૂકવી) વિધિનો સમાવેશ થાય છે.
૧૦. જગતમાં વ્યાપ્ત થયેલા ત્રસ્ત હાલતા ચાલતા) અને (સ્થિર રહેલા) જીવો પર મન, વચન અને કાયાથી દંડ ન આરંભવો.
નોંધ : સૂક્ષ્મ કે ધૂળ જીવોની હિંસા, મન, વાણી કે વર્તનથી ન જ કરવી.
૧૧. શુદ્ધ ભિક્ષાને જાણીને તેમાં જ ભિક્ષુ પોતાના આત્માને સ્થાપે. સ્યમયાત્રા માટે ગ્રાસ (કોળિયા) પ્રમાણે (મર્યાદાપૂર્વક) ભિક્ષા કરે અને રસમાં આસક્ત ન થાય.
Page #71
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૧૨. ભિક્ષુ ગૃહસ્થોના વધેલા ઠંડા આહારને, જૂના અડદના બાકળા, થૂલુ, સાથવો કે (પુલાક) જવ આદિના ભૂકાનું પણ ભોજન કરે છે. નોંધ : માત્ર સંયમના હેતુથી જ તેનું શરીર હોય છે અને શરીર ટકાવવા માટે આહાર લેવાનો હોય છે.
૩૮
જે વિદ્યા દ્વારા પતન થવાનો ભય છે તે બતાવે છે : ૧૩. જેઓ લક્ષણવિદ્યા (શરીરનાં કોઈપણ ચિહ્નોથી પ્રકૃતિ જાણી લેવાનું શાસ્ત્ર), સ્વપ્ન શાસ્ત્ર અને અંગવિદ્યા (અંગ ઉપાંગોથી પ્રકૃતિ જાણી લેવાનું શાસ્ત્ર)નો ઉપયોગ કરે છે,તે સાધુઓ નથી કહેવાતા. એ પ્રમાણે આચાર્યોએ ફરમાવ્યું છે.
૧૪. (સંયમ ગ્રહણ કર્યા પછી) જેઓ પોતાના જીવનને નિયમમાં ન રાખતાં સમાધિ યોગોથી ભ્રષ્ટ થાય છે, તેઓ કામ ભોગોમાં આસક્ત થઈને (કુકર્મો કરી) આસુરી દેહમાં ઉત્પન્ન થાય છે.
૧૫. વળી ત્યાંથી (આસુરી ગતિમાંથી) પણ ફરીને સંસાર ચક્રમાં ખૂબ અટન કર્યા કરે છે. અને બહુ કર્મના લેપથી લેપાયેલા તેઓને સમ્યકત્વ (સદબોધ) થવું અત્યંત દુર્લભ છે.
માટે સુંદર રાહ દર્શાવે છે :
૧૬. કોઈ આ આખા લોકને (લોકસમૃદ્ધિને) એક જ વ્યક્તિને ઉપભોગ અર્થે આપી દે છતાં તેનાથી પણ તે સંતુષ્ટ ન થાય. કારણ કે આ આત્મા (બહિરાત્મા-કર્મપાશથી જકડાયેલો જીવ) દુઃખે કરીને પુરાય તેવો છે. (સદાય અસંતુષ્ટ રહે છે.)
૧૭. જેમ લાભ થતો જાય તેમ લોભ થાય. લાભથી લોભ વધતો જાય છે. બે માસા (જૂના વખતના સિક્કાનું નામ છે) માટે કરેલું કાર્ય કરોડોથી પણ પૂરું ન થયું.
નોંધ : જેમ જેમ મળતું જાય છે તેમ તેમ તૃષ્ણા કેવી રીતે વધે છે તેનું ઉપર આપેલું આબેહૂબ ચિત્રણ છે.
૧૮. જેનું અનેક પુરુષોમાં ચિત્ત છે એવી, ઉન્નત છાતીવાળી (સ્તનોવાળી) અને રાક્ષસી જેવી સ્ત્રીઓમાં આસક્ત થવું નહિ કે જે પુરુષને પ્રથમ પ્રલોભન આપીને પછી તેની સાથે ચાકરના જેવું વર્તન રાખે છે.
નોંધ : વેશ્યા કે હલકી વૃત્તિની સ્ત્રીઓના સંબંધનો આ શ્લોક છે. જેવી રીતે પુરુષોને સ્ત્રીઓમાં ન લોભાવું તે જ રીતે સ્ત્રીઓએ પુરુષોમાં પણ ન
Page #72
--------------------------------------------------------------------------
________________
૩૯
કાપિલિક લોભાવું તે વાત વિવેકપૂર્વક સ્વીકારી લેવી ઘટે. અહીં શિષ્યને સંબોધીને કહેવાયેલું હોવાથી તે કથનમાં તો સ્ત્રીઓની વાત આવે તે સ્વાભાવિક છે. પરંતુ વાસ્તવિક રીતે તો પુરુષ હો કે સ્ત્રી હો ! વિષયની આ વાસના જ અધોગતિ આપનારી છે.
૧૯. ઘરને ત્યાગી સંયમી થયેલો ભિક્ષુ સ્ત્રીઓ પર આસક્ત ન થાય. સ્ત્રીસંગને તજીને તેનાથી દૂર જ રહે. અને પોતાના ચારિત્ર ધર્મને સુંદર જાણીને ત્યાં જ પોતાના ચિત્તને સ્થિર કરે,
૨૦. એ પ્રમાણે આ ધર્મ, વિશુદ્ધ મતિવાળા કપિલમુનિએ વર્ણવ્યો છે. તેને જેઓ આચરશે તે તરી જશે અને તેવા પુરુષોએ જ બંને લોક (આ લોક તથા પરલોક) આરાધ્યા સમજવા.
નોંધ : રાગ અને લોભના ત્યાગથી મન સ્થિર થાય છે. ચિત્તસમાધિ વિના યોગની સાધના નથી. યોગસાધના એ તો ત્યાગીનું પરમ જીવન છે. તે સાધવા માટે કંચન અને કામિની એ બંનેનાં બંધન ક્ષણે ક્ષણે નડતરરૂપ છે. તેને ત્યાગ્યાં તો છે જ પણ ત્યાગ્યા છતાં આસક્તિ રહી જાય છે. તે આસક્તિથી દૂર રહેવા સતત જાગત રહેવું એ જ સંયમી જીવનનું અનિવાર્ય ગણાતું કાર્ય છે.
એ પ્રમાણે કહું છું. એમ કપિલમુનિ સંબંધીનું આઠમું અધ્યયન સમાપ્ત થયું.
Page #73
--------------------------------------------------------------------------
________________
૪૦
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : નવમું
નમિપ્રવજ્યા નમિરાજર્ષિનો ત્યાગ
મિથિલાના મહારાજા નિમિરાજ દાધજ્વરની દારુણ વેદનાથી પીડાતા હતા. તે વખતે મહારાણીઓ તથા દાસીઓ ખૂબ ચંદનો ઘસી રહી હતી. હાથમાં પહેરેલી ચૂડીઓ પરસ્પર અફળાવાથી જે અવાજ ઉત્પન્ન થતો હતો તે મહારાજાના કર્ણ પર અથડાઈ વેદનામાં વધારો કરતો હોવાથી મહારાજાએ મંત્રીશ્વરને કહ્યું: ‘આ ઘોંઘાટ અસહ્ય છે. તેને બંધ કરો.” ચંદન ઘસનારાઓએ માત્ર હસ્તમાં એકેક ચૂડી સૌભાગ્યચિહ્ન રૂપ રાખી બધું દૂર કર્યું કે તુરત જ અવાજ બંધ થયો.
થોડીવારે નમિશ્વરે પૂછ્યું : “કેમ કાર્ય પૂર્ણ થયું ?' મંત્રી : ના જી. નમિશ્વર : ‘ત્યારે અવાજ શાથી બંધ થયો ?'
મંત્રીએ ઉપરની હકીકત જણાવી. તે જ ક્ષણે પૂર્વયોગીના હૃદયમાં આકસ્મિક અસર થઈ ગઈ. તેણે વિચાર્યું કે જ્યાં બે છે ત્યાં જ ઘોંઘાટ છે, એક છે ત્યાં શાંતિ છે. આજ ગૂઢ ચિંતનના પરિણામે (નિમિત્તથી) પૂર્વજન્મનું સ્મરણ થયું અને શાંતિને મેળવવા માટે બહારનાં બધાં બંધનો છોડી એકાકી વિચારવાની તીવ્ર જિજ્ઞાસા જાગી. વ્યાધિ શાંત થયો અને તુરત જ એ યોગી સર્પની કાંચળી માફક રાજપાટ અને રમણીઓના ભોગવિલાસને તજી, ત્યાગી થયા અને તપશ્ચર્યાના માર્ગે પ્રયાણ કર્યું. તે અપૂર્વ ત્યાગીની કસોટી ઈદ્ર જેવાએ કરી. તે પ્રશ્નોત્તર અને ત્યાગના મહાભ્યથી આ અધ્યયન સમૃદ્ધ થયું છે.
૧. દેવલોકથી વ્યુત થઈને ઊતરીને) મનુષ્યલોકમાં ઉત્પન્ન થયેલો નમિરાજ (ઉપરના નિમિત્તથી) મોહનીય કર્મના શાંત થવાથી પૂર્વજન્મનોને સંભારે છે.
૨. પૂર્વજન્મને સંભારીને તે ભગવાન નમિરાજા પોતાની મેળ બોધ પામ્યા. હવે પુત્રને રાજ્યારૂઢ કરીને શ્રેષ્ઠ ધર્મ (યોગમાર્ગ)માં અભિનિષ્ક્રમણ કરે છે (પ્રવેશે છે.)
Page #74
--------------------------------------------------------------------------
________________
નમિપ્રવ્રજ્યા
૪૧ ૩. ઉત્તમ અંતઃપુરમાં રહ્યાં રહ્યાં તે નમિરાજા દેવલોક જેવા (દેવભોગ્ય) ઊંચા પ્રકારના ભોગોને ભોગવી, હવે જ્ઞાની (તેની અસારતાને જાણનાર બની બધું છોડી દે છે.
૪. (તે) નાનાં શહેરો તથા પ્રાંતોથી જોડાયેલી મિથિલાનગરી, મહારથીસેના, યુવાન રાણીઓ તથા બધા નોકર ચાકરોને છોડીને નીકળી ગયા (યોગ માર્ગમાં પ્રવૃત્ત થયા). અને તે ભગવાને એકાન્તમાં જઈ અધિષ્ઠાન કર્યું.
૫. જ્યારે નમિરાજા જેવા મહાન રાજર્ષિનું અભિનિષ્ક્રમણ થયું અને પ્રવ્રયા (ગૃહત્યાગ) થવા લાગી ત્યારે મિથિલાનગરીમાં કોલાહલ (હાહાકાર) થઈ રહ્યો.
નોંધ : મિથિલા તે કાળમાં મહાન નગરી હતી. તે નગરી નીચે અનેક પ્રાંત, શહેર, નગર અને ગામો હતાં એવા રાજર્ષિ આવા દેવભોગ્ય ભોગોને ભોગવતા હોય ત્યાં એકાએક ત્યાગ ક્રૂરે એ પૂર્વજન્મનું યોગબળ જ સૂચવે છે. આવી વ્યક્તિનો સદાચાર, પ્રજાપ્રેમ, ન્યાય વગેરે ખૂબ અપૂર્વ હોય અને તેથી તેના વિરહને લઈને સ્નેહીવર્ગને આઘાત લાગે તે સ્વાભાવિક છે.
૬. ઉત્તમ પ્રવજયાસ્થાને વિરાજેલા રાજર્ષિને સંબોધી ઇંદ્રમહારાજ બ્રાહ્મણરૂપે આ વચન બોલ્યા :
નોંધ : નમિરાજર્ષિની કસોટી માટે આવેલા ઇદ્ર બ્રાહ્મણનો સ્વાંગ સજ્યો હતો. તેમણે જે પ્રશ્નમાળા પૂછી તેનો ઉલ્લેખ છે.
૭. રે ! આર્ય ! આજે મિથિલાનગરીમાં કોલાહલથી વ્યાપ્ત (હાહાકારમય) અને ભયંકર શબ્દો ઘરધર તથા મહેલ મહેલમાં શા માટે સંભળાય છે ?
૮. ત્યારબાદ આ વાતને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ વચન કહ્યું :
૯. મિથિલામાં ઠંડી છાયાવાળું, મનોહર, ફૂલ અને પાંદડાથી ભરેલું તેમ જ હંમેશાં બહુ જનોને બહુ ગુણ કરનારું એવું ચૈત્યવૃક્ષ છે.
૧૦. રે ભાઈ ! તે મનોહર ચૈત્યવૃક્ષ (આજે) પ્રચંડ વાયુથી હરાઈ જતું હોવાથી અશરણ બની ગયેલા અને તે જ કારણે દુઃખિત અને વ્યાધિથી પીડાયેલાં એવાં આ પક્ષીઓ આક્રંદ કરી રહ્યાં છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૪૨
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : મિથિલાનાં નગરજનોને પક્ષીઓરૂપ અને નમિરાજને વૃક્ષરૂપ બતાવ્યા છે.
૧૧. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર ત્યારબાદ નમિરાજર્ષિને સંબોધીને આ વચન બોલ્યો :
૧૨. હે ભગવન્! આ અગ્નિ અને (તેમાં મદદ કરનાર) વાયુ આ મંદિરને બાળી રહ્યો છે. અને તેથી (તમારું) અંતઃપુર પણ બળી રહ્યું છે. તેની શા માટે તે તરફ જોતા નથી ?
૧૩. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા મિરાજર્ષિ દેવેન્દ્ર પ્રતિ આ વચન બોલ્યા :
૧૪. જેનું ત્યાં (મિથિલામાં) કંઈ પણ છે જ નહિ તેવા અમે સુખેથી રહીએ છીએ અને સુખે કરીને જીવીએ છીએ. (તેથી હે બ્રાહ્મણ !) મિથિલા બળવા છતાં મારું બળતું નથી :
૧૫. કારણ કે સ્ત્રીપુત્ર પરિવારથી મુક્ત થયેલા અને સંસારના વ્યવહારથી પર થયેલા ભિક્ષુને કંઈ પ્રિય પણ નથી અને કંઈ અપ્રિય પણ નથી.
નોંધ : જ્યાં આસક્તિ છે ત્યાં જ તેષ છે, દ્વેષ છે ત્યાં અપ્રિયતા છે. જો પ્રિયતાનો નાશ થયો તો અપ્રિયતા સહેજે સમાઈ જાય અને એ બંને વિરમે કે દુઃખમાત્ર ગયું. કારણ કે દુઃખની લાગણી તેવા ભાવને લઈને જ થાય છે.
૧૬. ગૃહસ્થાશ્રમથી પર થયેલા એવા ત્યાગી અને સર્વ જંજાળથી મુક્ત થઈ એકાન્ત (આત્મ) ભાવને જ અનુસરનારા ભિક્ષુને ખરેખર દરેક સ્થળે બહુ આનંદ હોય છે.
નોંધ : રોગ બધો હૃદયમાં છે. હૃદયશુદ્ધિ થઈ ને સંતોષ જાગ્યો કે તુરત જ કલ્યાણ અને મંગળના દરેક સ્થળે દર્શન થવાનાં.
૧૭. આ અર્થને સાંભળીને હતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર ત્યારબાદ નમિરાજર્ષિને ઉદ્દેશીને આ પ્રમાણે બોલ્યો :
૧૮. હે ક્ષત્રિય ! કિલ્લો, ગઢનો દરવાજો, ખાઈઓ અને સેંકડો સુભટને હણી નાખે તેવું યંત્ર (તોપ જેવું યંત્ર) બનાવીને પછી જા.
નોંધ : તું તારા ક્ષત્રિય ધર્મને પહેલાં સંભાળી પછી ત્યાગીના ધર્મને સ્વીકાર. જો પહેલા ધર્મને ચૂકીશ તો આગળ કેમ વધી શકીશ ?
૧૯. ત્યારબાદ આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું.
Page #76
--------------------------------------------------------------------------
________________
નમિપ્રવ્રજ્યા
૪૩
૨૦., ૨૧. શ્રદ્ધા (સત્ય પર અડગ વિશ્વાસ)રૂપી નગર, સંવર (સંયમ)રૂપી ભાગોળ, ક્ષમારૂપી સુંદરગઢ, ત્રણ ગુપ્તિ (મન, વચન અને કાયાનું સુનિયમન)રૂપી દુઃપ્રઘર્ષ (દુર્જય શતઘ્ની શસ્ત્ર વિશેષ), પુરુષાર્થરૂપી ધનુષ્ય, ઇર્યા (વિવેકપૂર્વક ગમન)રૂપી દોરી અને ધીરજરૂપી ભાથું બનાવીને સત્ય સાથે પરિમંથન (સત્યચિંતન) કરવું જોઈએ.
૨૨. કારણ કે તપશ્ચર્યારૂપ બાણોથી યુક્ત તેવો જ મુનિ કર્મરૂપ બન્નરને ભેદી સંગ્રામમાં વિજય પામે છે અને ભવ (સંસારરૂપ બંધન)થી મુક્ત થાય છે.
નોંધ : બાહ્ય યુદ્ધોનો વિજય ક્ષણિક હોય છે. અને પરિણામે પરિતાપ જ ઉપજાવે છે. શત્રુનો પોતે શત્રુ બની પોતાના બીજા અનેક શત્રુઓની પરંપરા ઉત્પન્ન કરે છે. આથી તેવા યુદ્ધની પરંપરા જન્મોજન્મ ચાલ્યા કરે છે. અને તેથી યુદ્ધથી વિરામ મળતો જ નથી. અને એ વાસનાને કારણે જ અનેક જન્મ લેવા પડે છે; માટે બહારના શત્રુઓ જેથી ઉત્પન્ન થાય છે, તે શત્રુઓ કે જે હૃદયમાં ભરાઈ બેઠા છે, તેને હણવા માટે પ્રયાસ આદરવો એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે.
તે સંગ્રામમાં કઈ કઈ જાતનાં શસ્રો જોઈએ તેની બહુ ઊંડી શોધ કરી ઉપરનાં સાધનો મિ ભગવાને વર્ણવ્યાં છે. તે યોગીનો અનુભવ આપણા જીવન સંગ્રામમાં ક્ષણે ક્ષણે જરૂરી છે.
આ ઉત્તરથી વિસ્મિત થયેલો ઇંદ્ર થોડીવાર અવાક રહ્યો.
૨૩. આ તત્ત્વને સાંભળીને વળી હેતુ અને કારણથી પ્રેરાયેલો દેવેન્દ્ર નમિરાજર્ષિને આ પ્રમાણે કહેવા લાગ્યો :
૨૪. હે ક્ષત્રિય ! ઊંચા પ્રકારના બંગલાઓ, મેડીવાળાં ઘરો તથા બાલાગ્રપોતિકાઓ (ક્રીડાનાં સ્થાનો) કરાવી પછી જા.
૨૫. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા એવા નમિરાજર્ષિ દેવેન્દ્રને આ પ્રમાણે બોલ્યા :
૨૬. જે ચાલતાં ચાલતાં માર્ગમાં ઘર કરે છે તે ખરેખર સંદેહ ભરેલું છે. જ્યાં જવાને ઇચ્છે ત્યાં જ શાશ્વત (નિશ્ચિત) ઘરને કરવું જોઈએ.
નોંધ : આ શ્લોકનું હાર્દ બહુ ગંભીર છે. શાશ્વતસ્થાન એટલે મુક્તિ. મુમુક્ષુનું ધ્યેય જો માત્ર મુક્તિ જ છે તો તે સ્થાન મેળવ્યા વિના માર્ગમાં એટલે કે આ સંસારમાં બીજા ઘરબારનાં બંધન શા માટે કરે ?
૨૭. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર નમિરાજર્ષિને આ પ્રમાણે બોલ્યો :
Page #77
--------------------------------------------------------------------------
________________
४४
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૮. હે ક્ષત્રિય ! લા મહર, ગાંઠડી છોડનાર, તસ્કર અને બહારવટીઆઓને નિવારીને તથા નગરનું કલ્યાણ કરીને પછી જા.
૨૯. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું :
૩૦. ઘણીવાર મનુષ્યો નિરર્થક દંડને (હિંસાને) યોજે છે. આવા સ્થળે ગુનો નહિ કરનારા વિના વાંકે બંધાઈ જાય છે ત્યારે ગુનેગાર (ઘણીવાર) છૂટી જાય છે.
નોંધ : વિશેષે કરીને દુષ્ટમન કે દુષ્ટ વાસના જ ગુનો કરાવે છે. પરંતુ તેને કોઈ દંડ આપતું નથી. ઈદ્રિયો અને શરીર દંડાય છે. આ નિરર્થક દંડ છે. દુષ્ટ વાસનાઓને દંડવી એ જ સાચો દંડ છે તેને જ દંડવા માટે કોશિશ કરવી જોઈએ.
૩૧. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલો દેવેન્દ્ર નમિરાજર્ષિ પ્રતિ આ પ્રમાણે બોલ્યો : - ૩૨. હે ક્ષત્રિય ! હે નરાધિપ ! કેટલાક રાજાઓ કે જે તને નમ્યા નથી તેઓને વશ કરીને પછી જા.
૩૩. આ અર્થને સાંભળીને વળી હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું : - ૩૪. દશલાખ સુભટને દુર્જય સંગ્રામમાં જીતવા કરતાં એક જ માત્ર આત્માને જીતવો તે ઉત્તમ છે અને સાચી જીત છે.
નોંધ : બહારના યુદ્ધમાં લાભો સુભટને એકલા હાથે જીતનારને પણ જૈનશાસન વીર નથી ગણાવતું. કારણ કે તે સાચી જીત નથી, પણ હાર છે. જો એક પોતાના જ આત્માને જીતી લે તો તે સાચો વિજય છે.
૩પ. આત્મા સાથે જ યુદ્ધ કરો, બહારના યુદ્ધથી શું વળવાનું છે ? શુદ્ધ આત્માથી દુષ્ટપ્રકૃતિવાળા આત્માને જીતીને સુખ મેળવી શકાય છે.
નોંધ : વિષય ઘણો વિચારણીય અને ગંભીર છે માટે ખૂબ વિચારવું.
૩૬. પાંચ ઇંદ્રિયો, ક્રોધ, માન, માયા અને લભ તથા દુર્જય એવા આત્માને જીતવો એ ઉત્તમ છે, કારણ કે આત્મા જીત્યો કે સર્વ જિતાયું.
૩૭. આ અર્થન સાંભળીને હતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર નમિરાજર્ષિને આમ કહ્યું :
૩૮. હે ક્ષત્રિય ! મોટા મોટા યજ્ઞો કરીને, તાપસ, શ્રમણી અને બ્રાહ્મણોને જમાડીને, દાન કરીને, ભોગવીને તથા યજન કરીને પછી જ જા.
Page #78
--------------------------------------------------------------------------
________________
નમિપ્રવ્રજયા
૪૫ નોંધઃ તે કાળમાં ક્ષત્રિયોને યજ્ઞ કરાવવા માટે બ્રાહ્મણો પ્રેરણા કરતા અને પોતાને જમાડવામાં જ ધર્મ બતાવતા હતા. ગૃહસ્થાશ્રમના ધર્મ કરતાં આ ધર્મ વિશિષ્ટ ગણાતો હતો. તેથી ક્ષત્રિય કર્મ બતાવી અહીં ધર્મ દિશાનું સૂચન કર્યું છે.
૩૯. આ અર્થને સાંભળીને હતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું :
૪૦. જે પ્રતિ માસે (એકેક મહિનો) દશ દશ લાખ ગાયો દાનમાં આપે તેના કરતાં કંઈ પણ નહિ આપનારનો સંયમ (જ માત્ર અવશ્ય ઉત્તમ છે) વધી જાય છે.
નોંધ : અપરિગ્રહવૃત્તિ એ જ ઉત્તમ ધર્મ છે. એક સંયમી માણસ અવ્યક્ત રીતે સેકડોને પોષી શકે છે. અસંયમી બની કંઈ દાન કરવું તે કરતાં સંયમ પાળવો વધુ યોગ્ય છે. આ શ્લોક ખૂબ જ ઊંડાણથી વિચારતાં આપણી આજની જીવનદશાની વિટંબના મટી જઈ ઊજળો માર્ગ મળી આવે છે.
૪૧. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલો દેવેન્દ્ર નમિરાજર્ષિને વળી આ પ્રમાણે કહેવા લાગ્યો :
૪૨. (ગૃહસ્થાશ્રમ કઠણ છે માટે જ) આ કઠણ આશ્રમને છોડીને તું બીજા આશ્રમ (ત્યાગાશ્રમ)ને ઇચ્છતો લાગે છે. તે મનુષ્યના પાલક મહારાજ ! અહીં જ (ગૃહસ્થાશ્રમમાં જ) પૌષધરક્ત થા.
નોંધ : ગૃહસ્થાશ્રમમાં પણ ક્યાં ધર્મનિયમ નથી થતાં ? માટે ગૃહસ્થાશ્રમમાં રહી પૌષધ (ઉપવાસ કરી કેવળ આત્મચિંતનમાં અહોરાત્રિ ગુજારવી) ક્રિયામાં મશગૂલ બનને. શા માટે ત્યાગાશ્રમને ગ્રહણ કરે છે ?
૪૩. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું :
૪૪. પ્રતિ માસે જે બાલજન કુશ (દાભડા)ના અગ્ર ભાગ જેટલા ભોજનથી ચલાવે (અર્થાત તેટલો પણ ભોગી બને તો) તે પણ સાચા ધર્મીની સોળમી કળાને લાયક થતો નથી,
નોંધ : ગૃહસ્થાશ્રમનો ધર્મ, ત્યાગાશ્રમની યોગ્યતા ન હોય તેને માટે યોગ્ય જ છે. પરંતુ સાચો ત્યાગ હોય તો તે (ગૃહસ્થાશ્રમનો) ધર્મ તેનો આગળ ન્યૂન જ છે. એ વાતને આપણે અનુભવથી પણ ક્યાં નથી જોઈ શકતા ?
૪૫. આ તત્ત્વને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર નમિરાજર્ષિને (વળી બીજી રીતે) આ પ્રમાણે કહ્યું :
Page #79
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર ૪૬. હે ક્ષત્રિય ! સોનું, રૂપું, મણિ, મોતીઓ, કાંસુ, વસ્ત્રો, વાહનો અને ભંડાર વગેરે વધારીને જા.
૪૭. આ અર્થને અવધારીને હતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું :
૪૮. કૈલાસપર્વત જેવડા, સોના અને રૂપાના અસંખ્ય પર્વતો કદાચ આપવામાં આવે છતાં (તે પણ) એક લોભીને માટે પૂરતા નથી. કારણ કે ઇચ્છાઓ ખરેખર આકાશ જેવી અનંત છે. (આશાનો પાર પમાતો જ નથી. એક પુરાણી ન પુરાણી કે બીજી અનેક જાગે છે.
નોંધ : તૃષ્ણાની ખાડ જ એવી વિચિત્ર છે કે જેમ જેમ તેમાં ભરતી થાય તેમ તે ખાડ ઊંડી ને ઊંડી જાય. તૃષ્ણા આવી કે પાસેનાં સાધનો અપૂર્ણ દેખાય. સંતોષ આવ્યો કે દેખીતું દુઃખ ભાગ્યું એટલે સાધનો બધાં સુખદ સ્વયં બની રહે.
૪૯. આખી પૃથ્વી, શાલીના ચોખા, જવ (પૃથ્વીમાં રહેલાં સર્વ ધાન્યો) પશુઓ અને સોનું આ બધું એક (અસંતુષ્ય મનુષ્યોને માટે પણ પૂરતું નથી. એમ જાણીને તપશ્ચર્યા આદરવી.
નોંધ : તપશ્ચર્યા એટલે આશાનો નિરોધ. આશાને રોકી એટલે જગત જીત્યા. આશાધારી તો આખું જગત છે. એ આશામય પ્રવૃત્તિ તે જ સંસાર છે. અને આશા વિરહિત પ્રવૃત્તિ એ જ નિવૃત્તિ છે.
૫૦. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર નમિરાજર્ષિને આ પ્રમાણે કહ્યું :
૫૧. હે પૃથ્વીપતિ ! અદ્ભુત એવા (મળેલા) ભોગોને તું તજે છે અને નહિ મળેલા એવા કામોને ઇચ્છે છે. ખરેખર તું સંકલ્પથી હણાય છે.
પર. આ વાતને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિ દેવેન્દ્રને ઉદેશી આમ બોલ્યા.
પ૩. કામભોગો શલ્ય છે. કામભાગો વિષ (ઝેર) છે. કામભાગો કાળા નાગ જેવા છે. કામોને પ્રાર્થના કરતાં કરતાં જીવો બિચારા કામને પામ્યા વિના જ દુર્ગતિમાં ચાલ્યા જાય છે.
નોંધ : સંસારનો આસક્ત કોઈ પણ એવો પ્રાણી નથી કે જેની આશા મરતી વખતે ભોગોથી દૂર થતાં થતાં પૂર્ણ થઈ શકી હોય. આશા કે વાસના એ જ જન્મની દાતા છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
નમિપ્રવ્રજ્યા
૪૭ ચાર કષાયોનાં પરિણામ દર્શાવે છે. ૫૪. ક્રોધથી અધોગતિમાં જવાય છે. માનથી અધમગતિ થાય છે. માયા (કપટ)થી સગતિ મળતી નથી. પણ લોભથી તો આ લોક અને પરલોક બંનેનો ભય રહેલો છે.
નોંધ : શાસ્ત્રકારોએ ચારે કષાયોનું પરિણામ બહુ દુઃખકર બતાવ્યું છે. પરંતુ તેમાં પણ લોભ તો ઘણો જ હાનિકર્તા છે. લોભીનું વર્તમાનજીવન પણ અપકીર્તિવાળું હોય છે. અને તે પાપનો સંચય પણ ખૂબ કરતો હોય છે. આથી જ “લોભને સર્વ વિનાશક કહ્યો છે.'
પપ. તેવે જ ટાણે બ્રાહ્મણનું રૂપ છોડી દઈને અને ઇંદ્રનું રૂપ ધારણ કરીને આવા પ્રકારની મધુરવાણીઓથી સ્તુતિ કરતો છતો ઇંદ્ર વંદન કરે છે. અને કહે છે :
પ૬. અહો ! તમે ક્રોધને જીતી લીધો છે. માનને (અભિમાનને) દૂર કર્યું છે. માયાને હઠાવી છે અને લોભને સંપૂર્ણ વશ કર્યો છે. - પ૭. વાહ ! હે સાધુજી ! શું તમારું સરળપણું ! શું તમારી કોમળતા ! કેવી તમારી અનુપમ સહનશીલતા ! શું તમારું તપ ! અને શી તમારી નિરાસક્તિ!
૫૮. હે ભગવન્ ! અહીં પણ આપ ઉત્તમ છો, પછી પણ ઉત્તમ થવાના. સર્વશ્રેષ્ઠ સ્થાન એવી મુક્તિને તમે નિષ્કર્મી થઈને અવશ્ય પામવાના.
પ૯. ઇન્દ્રદેવ એ પ્રમાણે ઉત્તમ શ્રદ્ધાપૂર્વક નમિરાજર્ષિની સ્તુતિ કરતા અને પ્રદક્ષિણા કરતા કરતા વારંવાર લળી લળી વંદન કરે છે.
૬૦. ત્યારબાદ ચક્ર તથા અંકુશ ઇત્યાદિ લક્ષણોથી અંકિત થયેલાં મુનીશ્વરનાં ચરણોને પૂજીને લલિત અને ચપલ કુંડલ તથા મુકુટને ધારણ કરનાર ઇન્દ્રરાજ આકાશમાં અંતધ્યન થયા.
૬૧. વિદેહનો રાજવી નમિ મુનિ કે જે ઘરબાર તજીને શ્રમણ ભાવમાં બરાબર સ્થિર રહેલ છે તે સાક્ષાત્ ઇન્દ્ર દ્વારા પ્રેરાઈને પોતાના આત્માને વિશેષ નમ્ર બનાવે છે.
૬૨. આ પ્રમાણે વિશેષ શાણા અને બુદ્ધિમાન સાધકો સ્વયં બોધ પામીને જેમ નમિરાજર્ષિ થયા તેમ ભોગોથી નિવૃત્ત થયા છે.
નોંધ : ભોગોનો ત્યાગ એ જ ત્યાગ. આસક્તિનો ત્યાગ એ જ ત્યાગ. કષાયોનો ત્યાગ એ જ ત્યાગ. સાચા ત્યાગ વિના આનંદ ક્યાં છે ?
એ પ્રમાણે નમિ પ્રવ્રજયા નામનું નવમું અધ્યયન સમાપ્ત થયું.
Page #81
--------------------------------------------------------------------------
________________
४८
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : દસમું
દ્રુમપત્રક વૃક્ષનું પાંદડું
વૃક્ષનું પાંદડું ખરી જાય છે, તેમ શરીર જીર્ણ થઈ ખરી જાય છે. મનુષ્યદેહનું પણ તેમ જ સમજવું. અનંત સંસારમાં ક્રમપૂર્વક ઉન્નતિક્રમે માનવદેહ મળે છે. તે માનવદેહ પામ્યા પછી પણ સુંદર સાધનો, આર્યભૂમિ અને સાચો ધર્મ પણ અનેક સંકટો પછી જ પ્રાપ્ત થાય છે. ભોગો ભોગવવાની અતૃપ્ત વૃત્તિ તો દરેક જન્મતા, તે તે જન્મયોગ્ય શરીર દ્વારા આપણને રહ્યા જ કરે છે. માટે અલ્પકાળમાં અલ્પ પ્રયત્ન સાધ્ય સધર્મ શા માટે ન આરાધીએ ?
પ્રમાદ એ રોગ છે, પ્રમાદ એ જ દુઃખ છે. પ્રમાદને પરહરી પુરુષાર્થ કરવો તે જ અમૃત છે. તે જ સુખ છે.
ગૌતમને ઉદેશીને ભગવાન બોલ્યા : ૧. પીળું જીર્ણ પાંદડું જેમ રાત્રિના સમૂહો પસાર થયે (કાળ પૂરો થઈ ગયા પછી) પડી જાય છે. તેમ મનુષ્યોનું જીવિત પણ આયુષ્ય પૂર્ણ થયેથી પડી જાય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ન કર.
૨. દાભડાના અગ્ર ભાગ પર અવલંબીને રહેલું ઝાકળનું બિંદુ જેમ થોડીવાર જ રહી શકે છે તે જ પ્રકારે મનુષ્યોના જીવનનું સમજી છે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : આ અસારતા સૂચવીને કહેવા માંગે છે કે અપ્રમત્ત થવું.
૩. વળી બહુ વિપ્નોથી ભરપૂર અને ઝડપથી ચાલ્યા જતા (નાશવંત) આયુષ્યવાળા જીવતરમાં પૂર્વે કરેલા દુષ્કર્મને જલદી દૂર કર. હે ગૌતમ ! એમાં સમયનો પણ પ્રમાદ ન કર.
૪. બધા જીવોને ખરેખર લાંબા કાળે પણ દુ:ખે કરીને મળી શકે તેવો આ મનુષ્યભવ છે. કારણ કે કર્મોના વિપાકો (પરિણામો ગાઢ હોય છે. (પરિપક્વ હોય છે, માટે હે ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન કર.
નોંધ : ગાઢ એટલે ભોગવ્યા વિના ન છૂટે તેવાં ઘટ હોય છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
કુમપત્રક
૪૯
મનુષ્ય જીવન પામવા પહેલાં ક્રમથી જે સ્થિતિમાંનો
વિકાસ થાય છે તે અને ત્યાંનું કાળપ્રમાણ બતાવે છે. ૫. પૃથ્વીકાય (પૃથ્વીરૂપ)માં ગયેલો જીવ ઉત્કૃષ્ટ (વધુમાં વધુ પૃથ્વીના ભવ કરે તો) અસંખ્યાત (કાળ પ્રમાણ) વર્ષો સુધી રહે છે. માટે હૈ ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : જો વિકાસભૂમિ રૂપ નરદેહમાં કર્તવ્ય ચૂક્યો તો નીચે જવું પડે છે કે જ્યાં ઘણો કાળ અવ્યક્ત સ્થિતિમાં જ રહેવાનું હોય છે.
૬. કદાચ જળકાયમાં (જળયોનિમાં) જાય તો ત્યાં પણ ઉત્કૃષ્ટ રીતે વારંવાર તે જ યોનિમાં ઉત્પન્ન થઈ અસંખ્યાત કાળપ્રમાણ સુધી રહેવું પડે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : પ્રમાદ એટલે આત્મખલના અને આત્મખલના એ જ પતન. આપણી સૌની પ્રત્યેક ઇચ્છા વિકાસ અર્થે જ હોય છે. આત્મવિકાસ માટે જ આપણે માનવદેહ મેળવી ગૌરવ લઈ રહ્યા છીએ. આપણો પ્રયત્ન એ વિકાસ અર્થે જ છે. તેથી આત્મવિકાસમાં જાગરૂક રહેવું કે સાવધાન થવું તે જ આપણું ધ્યેય હોવું જોઈએ અને તેનું જ નામ અપ્રમત્તતા છે.
જૈનદર્શન આત્મસ્મલનાને પાંચ પ્રકારમાં વિભક્ત કરે છે.
(૧) મદ (સાધનો મેળવી અભિમાન-અહંકાર રાખવો) (૨) વિષય (ઇંદ્રિયોના કામભોગોમાં) આસક્ત રહેવું (૩) ક્રોધ, કપટ, રાગ અને દ્વેષ કર્યા કરવાં (૪) નિંદા (૫) વિકથા (આત્મોપયોગ રહિત કથા) પ્રલાપો કર્યા કરવા.
આ જ પાંચ પ્રમાદો ઝેરરૂપ છે અને અધોગતિમાં લઈ જનાર લૂંટારુઓ છે. તેથી પાંચ ઝેરોથી અલગ રહી પુરુષાર્થ કરવો તે જ અપ્રમત્તતા છે. તે જ અમૃત છે.
૭. અગ્નિકાયમાં જાય તો પણ ઉત્કૃષ્ટ આયુષ્ય અસંખ્યાત કાળ સુધી ભોગવે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ન કર.
૮, વાયુકામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ આયુષ્ય અસંખ્યાત કાળ સુધી ભોગવે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
૯. વનસ્પતિકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ આયુષ્ય અનંતકાળ સુધી અને દુઃખે કરીને અંત આવે તેવી રીતે ભોગવ્યા કરે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
Page #83
--------------------------------------------------------------------------
________________
પ૦
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ જીવો હોય છે એમ હવે તો વૈજ્ઞાનિક શોધ જગજાહેર થઈ છે. તે સ્થિતિમાં જે ચેતન રહે છે તેમને સ્થૂલ માનસ કે બુદ્ધિવિકાસ હોતો જ નથી. અને તેવી સ્થિતિમાં રહીને જે વિકાસ થાય છે, તે (અવ્યક્ત) પરાધીન હોય છે. આ બધું જણાવીને શાસ્ત્રકાર એ કહેવા માગે છે કે મનુષ્યદેહ એજ પુરુષાર્થનું પરમસ્થાન છે માટે ત્યાં પ્રમાદ કરવો એ તો ન પૂરી શકાય તેવી ખોટ છે.
૧૦. બે ઇંદ્રિય (શરીર અને જીભવાળા) કામમાં ગયેલો જીવ વધુ રહે તો સંખ્યાત કાળ પ્રમાણ સુધી રહે છે. માટે હે ગૌતમ સમય માત્રનો પ્રસાદ ન કર.
નોંધ : કાળનું ભિન્નભિન્ન પ્રમાણ ભિન્ન ભિન્ન ઠાણાંગાદિ શાસ્ત્રોમાં છે. ગણિતશાસ્ત્ર પરાર્ધ સુધીની સંખ્યાને સંખ્યાત કાળ માને છે. પણ જેનશાસ્ત્ર તો તેથી પણ આગળ એકમ, દશક, સો એમ ઉત્તરોત્તર અઠાવીસ રકમ સુધી સંખ્યાતકાળ માન્યો છે. અસંખ્યાતકાળ સંબંધી એટલે કે જેની સંખ્યા ન ગણાય તે કાળ અસંખ્યાત એમ બતાવ્યું નથી. બલ્બ અસંખ્યાત માટે પણ ચોક્કસ પ્રમાણ છે. અને તે બંનેથી આગળની સંખ્યા કે જેનો મનુષ્ય બુદ્ધિથી કશો નિર્ણય ન થઈ શકે તેને અનંતકાળ કહ્યો છે.
૧૧. ત્રણ ઇંદ્રિય (શરીર, જીભ તથા નાક)વાળા શરીરમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટકાળ રહે તો સંખ્યાતકાળ સુધી રહે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ન કર.
૧૨. ચાર ઇંદ્રિય (શરીર, જીભ, નાક અને આંખોવાળા શરીરમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટકાળ રહે તો સંખ્યાતકાળ સુધી રહે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ન કર,
૧૩. પાંચ ઇંદ્રિય (શરીર, જીભ, નાક, આંખ અને કાન) કાયામાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ રીતે ફરી ફરી સાત કે આઠ જન્મો ગ્રહણ કરી શકે છે. માટે હે ગૌતમ ! સમય માત્રને પ્રમાદ ન કર.
૧૪. તેમાં પણ દેવ કે નરકગતિમાં ગયેલો જીવ તો માત્ર એક જ વાર સળંગ રીતે ભવ ગ્રહણ કરી શકે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : દેવ અને નરક બંને ગતિને ઔપપાતિક કહે છે. કારણ કે ત્યાં જીવ સ્વયં (વિના યોનીએ) ઉત્પન્ન થાય છે. તેનાં શરીર પણ જુદા પ્રકારનાં
Page #84
--------------------------------------------------------------------------
________________
દ્રુમપત્રક
૫૧
હોય છે. તેથી માનવ કે પશુના શરીરની માફક આયુષ્ય પૂર્ણ થયા પહેલાં કોઈ શસ્ત્રોથી નાશ પામતો નથી. દેવ કે નરક યોનિનો જીવ એકવાર ત્યાં જઈ આવ્યો હોય તે ફરીને બીજી કોઈ ગતિમાં ગયા બાદ જ દેવ કે નરકતમાં જઈ શકે. આવી કર્માનુસાર ત્યાંની ઘટના શાસ્ત્રકારોએ કલ્પેલી છે.
૧૫. શુભ (સારાં) અને અશુભ (ખરાબ) કર્મોને લઈને બહુ પ્રમાદવાળો જીવ આ પ્રમાણે (ઉપ૨ના ક્રમથી) આ ભવરૂપ સંસારચક્રમાં ભમ્યા કરે છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : અહીં સુધી અધોગતિમાંથી ઊર્ધ્વગતિ અને અવિકસિત જીવનમાંથી વિકસિત જીવન સુધીનો સંપૂર્ણ ક્રમ બતાવી દીધો છે. આ ક્રમમાં સામાન્ય રીતે શાસ્ત્રોક્ત બધી ઉત્ક્રમણ ભૂમિકાઓનો સમાવેશ થઈ ગયો છે.
૧૬. મનુષ્યભવ પામીને પણ ઘણા જીવો ચોર અને મ્લેચ્છ ભૂમિમાં ઉત્પન્ન થાય છે તેથી આર્યભાવ (આર્યભૂમિનું વાતાવરણ) પામવો તે પણ દુર્લભ છે. માટે સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : આર્યધર્મનો અર્થ સાચો ધર્મ કે જેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને ત્યાગ એ પાંચ અંગોનો સમાવેશ થાય છે. મનુષ્ય શરીર પામ્યા છતાં ઘણા જીવો મનુષ્યશરીરે પશુ કે પિશાચ જેવા હોય છે.
૧૭. આર્ય દેહને પામીને પણ અખંડ પંચેન્દ્રિપણું (બધી ઇંદ્રિયો અખંડ હોય તેવી સ્થિતિ) ખરેખર વિશેષ દુર્લભ છે. કારણ કે (ઘણે સ્થળે) ઇંદ્રિયોની વિકળતા (અપૂર્ણ ઇંદ્રિયો) દેખાય છે. હે ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન
કર.
નોંધ : ઇંદ્રિયો અને શરીર એ બધાં સાધનો છે. જો સાધનો સુંદર ન હોય તો પણ પુરુષાર્થમાં ફેર પડે છે.
૧૮. જીવ સંપૂર્ણ પંચેન્દ્રિયપણું (સંપૂર્ણ સાધનો) પણ મેળવી શકે છે છતાં ખરેખર સાચા ધર્મનું શ્રવણ અતિ દુર્લભ છે. કારણ કે કુતીર્થ (અધર્મ) ને સેવના૨ સમૂહ ઘણો દેખાય છે. માટે (તને તો ઉચ્ચ સાધનો મળ્યાં છે તો) હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
૧૯. ઉત્તમ શ્રવણ (સતસંગ-સદધર્મ) પામીને પણ (સત્ય પર) યથાર્થ શ્રદ્ધા થવી બહુ દુર્લભ છે. કારણ કે અવિદ્યાને સેવનાર (અજ્ઞાની) સમૂહ સંસારમાં બહુ દેખાય છે. માટે હે ગૌતમ ! સમયનો પણ પ્રમાદ ન કર. ૨૦. સદધર્મ પર વિશ્વાસ કરનારને પણ સાચા ધર્મને કાયાથી સ્પર્શ
Page #85
--------------------------------------------------------------------------
________________
પર
ઉત્તરાધ્યયન સૂત્ર
કરવો (તે પ્રમાણે વર્તન કરવું) તે અતિ દુર્લભ છે. કારણ કે કામભોગોમાં આસક્ત થયેલા જીવો સંસારમાં બહુ દેખાય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.
કામભોગો જે દ્વારા ભોગવાય છે તેની વખત જતાં શી સ્થિતિ થાય છે? તે સ્પષ્ટ બતાવે છે.
૨૧. તારું શરીર જીર્ણ થવા લાગ્યું છે. તારા કેશ શ્વેત થવા લાગ્યા છે. તારા કાનોની શક્તિ ક્ષીણ થવા લાગી છે. હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કરે.
૨૨. તારું શરી૨ જીર્ણ થવા લાગ્યું છે. તારા કેશ શ્વેત થવા લાગ્યા છે. તારી આંખોનું બળ હણાઈ રહ્યું છે. હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન
કર.
૨૩. તારું શરીર જીર્ણ થવા લાગ્યું છે. તારા કેશ શ્વેત થવા લાગ્યા છે. તારું નાસિકાબળ હીન થયું છે. હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. ૨૪. તારું શરીર જીર્ણ થવા લાગ્યું છે. તારા કેશ ફીકા પડી ગયા છે. તારી સ્પર્શેન્દ્રિયની શક્તિ ક્ષીણ થવા લાગી છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ ન કર.
૨૬. તારું શરીર જીર્ણ થયું છે. તારા કેશ ફીકા પડી ગયા છે. તારું સર્વબળ હરાઈ રહ્યું છે. માટે હવે તું સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : આ કથન ભગવાને ગૌતમને ઉદ્દેશી આપણ સૌને ફરમાવ્યું છે. એટલે આપણે આપણા જીવનમાં ઉતારવું એ જ ઉત્તમ છે. આપણામાંના કોઈ તરુણ, કોઈ યુવાન અને કોઈ વૃદ્ધ પણ થયા હશે, કોઈ ઉપરની સ્થિતિ અનુભવતા હશે અને કોઈ હવે અનુભવવાના હશે. પરંતુ સૌની આ જ સ્થિતિ વહેલી મોડી થતી રહે છે. ઉપરના શ્લોકમાં ચાલુ વર્તમાનકાળના પ્રયોગો હોવા છતાં સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે અદ્યતન, પૂર્ણ વર્તમાનકાળમાં ભાષાંતર તેટલા માટે મૂક્યું છે કે તે જ સંગત લાગે છે. કદાચ જીર્ણ શરીર ન હોય તેને શાનો ભય છે કે તે પ્રમાદમાં ન પડે ? ૨૭. (પદાર્થો) પ્રત્યે અરુચિ, ગડમુડનાં દર્દ, વિસૂચિકા (કોલેરા) વગેરે જુદી જુદી જાતના રોગો તેને સ્પર્શ કરે, જેનાથી શરીર કષ્ટ પામે અને કદાચ નાશ પણ પામી જાય, માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ
ન કર.
Page #86
--------------------------------------------------------------------------
________________
દ્રુમપત્રક
૫૩
નોંધ : આખું શરીર રોગોનું સ્થાન છે. જેમ જેમ નિમિત્ત મળે તેમ તેમ તેમનો પ્રાદુર્ભાવ થાય છે. રોગો બાલપણ, યુવાની કે વૃદ્ધાવસ્થા એ બધામાં લાગુ જ છે. જરા પણ શરીર સૌંદર્ય કે સાધનોમાં આસક્ત ન થતાં આત્મસ્વરૂપ વિચરવું.
૨૮. શરદઋતુનું ખીલેલું કમળ, જેમ પાણીથી ઉત્પન્ન થવા છતાં નિરાળું રહે છે તેમ તું તારી આસક્તિથી અલગ થા, અને સર્વ વસ્તુના મોહથી રહિત થઈ હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ ન કર.
૨૯. ધન અને ભાર્યા (પત્ની)ને છોડીને તેં સાધુતાને આદરી છે. માટે તે વમેલા (ભોગો)નું ફરીથી પાન ન કર. હે ગૌતમ ! સમય માત્રનો (સંયમ માર્ગમાં) પ્રમાદ ન કર.
નોંધ : છોડેલાને એક યા બીજે રૂપે યાદ કરવું કે તેના સંકલ્પ કરવા તે પણ પાપ છે. માટે ત્યાગીઓએ કેવળ અપ્રમત્તપણે આત્મચિંતનમાં જ મસ્ત રહેવું.
૩૦. તેમજ મિત્રજનો, ભાઈઓ અને વિપુલ ધનસંપત્તિના સંચયને (સ્વેચ્છાથી) છોડી દઈને હવે બીજી વાર તેની ગવેષણા (ઇચ્છા) ન કર. હે ગૌતમ ! સમય માત્રનો પણ ગફલત ન કર.
૩૧મા શ્ર્લોકનાં બે ચરણોમાં ભગવાને ગૌતમને સંયમમાં સ્થિર કરવા માટે ભવિષ્યમાં પણ ઉત્તમ પુરુષો કયું આશ્વાસન લઈને સંયમ માર્ગમાં સ્થિર થશે તે બતાવ્યું છે.
૩૧. આજે તીર્થકર પોતે (આ ક્ષેત્રમાં) વિદ્યમાન નથી તો પણ અનેક મહાપુરુષો અનુભવેલો તેઓનો મોક્ષદર્શક માર્ગ તો ખરેખર દેખાય છે. (આ પ્રમાણે ભવિષ્યમાં ધર્મજનો આશ્વાસન લઈ સંયમમાં સ્થિર થશે.) તો હમણાં (મારી હાજરીમાં) હે ગૌતમ ! આ ન્યાય યુક્ત માર્ગમાં શા માટે પ્રમાદ કરે છે ? સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : ગૌતમને સંબોધી ભગવાને બતાવ્યું છે કે વર્તમાન કાળે જ સૌએ કાર્ય પરાયણ થવું.
૩૨. હે ગૌતમ ! કાંટાવાળા માર્ગ (સંસાર)થી દૂર થઈને મહા ધોરીમાર્ગ (જિનમાર્ગ)માં તું આવ્યો છે. માટે તે માર્ગ પર નજર રાખ. સમય માત્રનો
પ્રમાદ ન કર.
નોંધ : સંયમ જેવા અમૃતને પામીને વિષયોના ઝેર કોને ગમે ? એક વાર ખાડામાંથી ઊગર્યા પછી તેમાં પડવાનું મન કોને થાય ?
Page #87
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૩૩. ઊલટા માર્ગે ચડી જઈને નિર્બળ ભારવાહક (બોજો વહન કરનાર) પછી ખૂબ ખૂબ પીડાય છે. માટે હે ગૌતમ ! તું માર્ગને ન ભૂલ. સમય માત્રનો પ્રમાદ ન કર.
૩૪. હે ગૌતમ ! મોટા સમુદ્રને ખરેખર હવે તું લગભગ તરી ગયો. હવે વળી કાંઠા સુધી આવી કેમ ઊભો રહ્યો છે ? આ પાર આવવા માટે શીઘ્રતા કર. સમયનો પણ પ્રમાદ હવે ન કર.
નોંધ : જીવનના છેલ્લા કાળમાં હવે મોહ શો ?
૫૪
૩૫. (સંયમમાં કે સ્થિર રહેવાથી) હે ગૌતમ ! અકલેશ્વર (અજન્મા) શ્રેણીને અવલંબી હવે તું સિદ્ધલોકને પામીશ. (જ્યાં ગયા પછી ફરીથી સંસારમાં આવવું પડતું જ નથી. (તે સ્થાન સુખકારી, કલ્યાણકારી અને શ્રેષ્ઠતર છે. ત્યાં જવા માટે સમય માત્રનો પ્રમાદ ન કર.
૩૬. હે ગૌતમ ! ગામ કે નગરમાં જતાં પણ સંયમી, જ્ઞાની અને નિરાસક્ત થઈ વિચ૨. શાંતિમાર્ગ (આત્મશાંતિ)માં વૃદ્ધિ કર, સમય માત્રનો
પણ પ્રમાદ ન કરે.
૩૭. આવી રીતે અર્થ અને પદોથી શોભતું અને સદ્ભાવનાથી કહેવાયેલું ભગવાનનું કથન સાંભળ્યા પછી ગૌતમ, રાગ અને દ્વેષ બંને છેદીને સિદ્ધ ગતિમાં ગયા.
નોંધ : ગૌતમ જ્યારે સંયમમાં અસ્થિરચિત્ત થયા હતા તે સમયે ભગવાને આ પ્રમાણે ફરમાવેલું. આ ઉપદેશ ગૌતમ મહારાજના જીવનમાં વણાઈ જવાથી તેઓએ અંતિમ ધ્યેય પ્રાપ્ત કર્યું અને શાશ્વત સુખ પામ્યા.
આપણો ગોયમ આપણું મન છે. અંતરાત્માની કૃપા આપણા પર જીવનના ઘણા પ્રસંગે થતી રહે છે. જો તે અવાજને સાંભળી જીવનમાં આચરી મૂકીએ તો આપણો પણ બેડો પાર થઈ જાય.
મનુષ્ય જીવનની એકેક ક્ષણ અમૂલ્ય રત્ન સમાન છે. અમૃતસમાન છે. આપણે જે ભૂમિકા પર છીએ તે ધર્મ પર સ્થિર રહી અપ્રમત્ત રીતે આગળ વધીએ તો આ જીવન-યાત્રા સફળ થઈ જાય. ફરી ફરી આ સમય અને આ સાધના સાંપડવાનાં નથી. માટે મળેલાનો સદુપયોગ કરવો અને ક્ષણે ક્ષણે સાવધ રહેવું.
એ પ્રમાણે કહું છું.
એમ દ્રુમપત્રક નામનું દશમું અધ્યયન સમાપ્ત થયું.
Page #88
--------------------------------------------------------------------------
________________
બહુશ્રુતપૂજ્ય
પપ
અધ્યયન : અગિયારમું
બહુશ્રુતપૂજ્ય
જ્ઞાન એટલે આત્મપ્રકાશ. આ પ્રકાશ દરેક આત્મામાં ભર્યો છે. માત્ર તેનાં આવરણો નીકળી જવાં જોઈએ અને ઘટનાં દ્વારો ઊઘડી જવાં જોઈએ. શાસ્ત્રોનો અભ્યાસ શોધ માટે છે એમ જાણી તત્ત્વજ્ઞ પુરુષો શાસ્ત્રોને ભણ્યા પછી ભૂલી જાય છે.
અહંકાર એ જ્ઞાનની અર્ગલા છે. અહંકાર ગયો કે ખજાનો ખુલ્યો સમજવો. જ્ઞાનીની પરીક્ષા શીલ (આચાર વિચાર)થી થાય છે. શાસ્ત્રોથી નહિ.
ભગવાન બોલ્યા : ૧. સંયોગ (આસક્તિથી) વિશેષ કરીને મુકાયેલા અને ગૃહત્યાગી ભિક્ષુના આચારને ક્રમપૂર્વક પ્રકટ કરીશ. મને સાંભળો.
૨. જે વૈરાગી બનીને માની, લોભી, અસંયમી અને વારંવાર વિવાદ કરનાર હોય છે, તે અવિનીત અને અબહુશ્રુતી (અજ્ઞાની) કહેવાય છે.
૩. જે પાંચ સ્થાનોથી શિક્ષા (જ્ઞાન) નથી મળી શકતી તે પાંચ સ્થાનો આ પ્રમાણે છે : માન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આલસ્ય (આળસ). - ૪,૫. વારંવાર (૧) હાસ્ય કીડા ન કરનાર, (૨) સદા ઇન્દ્રિયોનું દમન કરનાર, (૩) મર્મ (કોઈનાં છિદ્રો)ને ઉઘાડાં ન કરનાર, (૪) સદાચારી, (૫) અનાચાર, (૬) અલોલુપી, (૭) ક્રોધ નહિ કરનાર અને (૮) સત્યમાં અનુરક્ત રહેનાર જ શિક્ષાશીલ (જ્ઞાની) કહેવાય છે. શિક્ષાશીલનાં આ સ્થાનો છે.
નોંધ : શાંતિ, ઈદ્રિયદમન, સ્વદોષદૃષ્ટિ, બ્રહ્મચર્ય, અનાસક્તિ, સત્યાગ્રહ અને સહિષ્ણુતા. આ આઠ લક્ષણો જેનામાં હોય તે જ જ્ઞાની છે. માત્ર શાસ્ત્રો ભણ્ય જ્ઞાની બનાતું નથી.
૬. નીચેનાં ચૌદ સ્થાનોમાં રહેલો સંયમી અવિનીત (અજ્ઞાની) કહેવાય છે. અને તે મુક્તિ પામી શકતો નથી.
નોંધ : અહીં અવિનીતનો અર્થ અકર્તવ્યશીલ થાય છે. તેથી ચાલુ પ્રકરણાનુસાર અજ્ઞાની પણ કહી શકાય.
Page #89
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૭. (૧) વારંવાર કોપ કરે છે, (૨) પ્રબંધને કરતો હોય છે, (૩) મિત્રભાવ કરીને વારંવાર વમી દે છે અને (૪) શાસ્ત્ર ભણીને અભિમાની બને છે.
નોંધ : એક બીજાઓની ખાનગી વાતો બીજા પાસે પ્રગટ કરવી તેને પ્રબંધ કહેવામાં આવે છે.
૮. (૫) જે ભૂલ કર્યા પછી પણ ન નિવારતાં ઢાંક્યાં કરે છે. (૬) મિત્રો ઉ૫૨ પણ કોપ કરે છે. (૭) વહાલા એવા મિત્રજનનું પણ એકાંતમાં બૂરું બોલે છે.
૯. તેમજ (૮) અતિ વાચાળ, (૯) દ્રોહી, (૧૦) અભિમાની, (૧૧) લોભી, (૧૨) અસંયમી, સાથેના માણસો કરતાં, (૧૩) અધિક ભોગવનાર અને (૧૪) અપ્રીતિ (શત્રુપણું) કરનાર હોય છે તે અવિનયી કહેવાય છે. ૧૦. નીચેનાં પંદર સ્થાનો વડે સુવિનીત કહેવાય છે. (૧) નીચવર્તી (નમ્ર) (૨) અચપલ (૩) અમાયી (સરલ) (૪) અકુતૂહલી (ક્રીડાથી દૂર રહેનાર)
૫૬
નોંધ : નીચવર્ણી-હું કંઈ જ નથી તેવી ભાવના.
૧૧. વળી જે (૫) પોતાની નાની ભૂલને પણ દૂર કરે છે, (૬) ક્રોધ (કષાય)ની વૃદ્ધિ કરે તેવા પ્રબંધને કરતો નથી, (૭) સર્વ સાથે મિત્રભાવને ભજે છે, (૮) શાસ્ત્ર ભણીને અભિમાન કરતો નથી.
૧૨. (૯) તેમજ પાપની ઉપેક્ષા કરતો નથી, (૧૦) મિત્રો (સાથી) પર કોપ કરતો નથી, (૧૧) અપ્રિય એવા મિત્રનું એકાંતમાં પણ કલ્યાણકારી જ બોલે છે.
૧૩. (૧૨) કલહ અને ડમર વગેરે ક્રીડાનું વર્જન કરનાર, (૧૩) જ્ઞાનયુક્ત, (૧૪) ખાનદાન, (૧૫) સંયમની લજ્જાવાળો તથા સંયમી હોય છે તે સુવિનીત કહેવાય છે.
નોંધ : ડમર એ એક પ્રકારની હિંસક ક્રીડા છે.
૧૪. જે હંમેશાં ગુરુકુળમાં રહી યોગ અને તપશ્ચર્યા કરે છે, મધુર બોલનાર અને શુભ કરનાર હોય છે તે શિક્ષા (જ્ઞાન) મેળવવાને લાયક છે.
૧૫. જેમ શંખમાં પડેલું દૂધ બે પ્રકારે શોભે છે તે જ પ્રકારે (જ્ઞાની) ભિક્ષુ ધર્મ- કીર્તિ અને શાસ્ત્ર બંને વડે (પ્રકારે) શોભે છે.
નોંધ : શંખમાં પડેલું દૂધ દેખાવમાં સૌમ્ય લાગે છે તેમ બગડતું પણ નથી. તે જ રીતે જ્ઞાનીનું શાસ્ત્ર બહારથી પણ સુંદર રહે છે અને
Page #90
--------------------------------------------------------------------------
________________
૫૭
બહુશ્રુતપૂજ્ય શાસ્ત્રાનુકૂલવર્તન થવાથી આત્માની પણ ઉન્નતિ કરે છે.
૧૬. જેમ કમ્બોજ દેશના ઘોડાઓમાં આકીર્ણ (બધી જાતની ચાલમાં ચાલાક અને ગુણી)ઘોડો વેગથી ઉત્તમ હોય છે. અને તેથી જ ઉત્તમ કહેવાય છે. તે જ પ્રકારે બહુશ્રુત જ્ઞાની પણ ઉત્તમ ગણાય છે.
૧૭. જેમ આકીર્ણ (જાતના ઉત્તમ) અશ્વ પર આરૂઢ થયેલો દઢ પરાક્રમી શૂર બંને રીતે નંદિના અવાજે કરીને શોભે છે તેમ બહુશ્રુત (જ્ઞાની) બંને પ્રકારે (આંતરિક તથા બાહ્ય વિજયથી શોભે છે.)
૧૮. જેમ હાથણીથી ઘેરાયેલો સાઠ વરસનો પીઢ હાથી બળવાન અને કોઈથી પરાભવ ન પામે તેવો હોય છે તે જ રીતે બહુશ્રુત જ્ઞાની પરિપક્વ-સ્થિર બુદ્ધિ અને અન્યથી વાદ કે વિચારમાં ન હણાય તેવો તેમ જ નિરાસક્ત હોય છે.
૧૯. જેમ તીક્ષ્ણ શિંગડાવાળો અને જેની ખાંધ ભરેલી છે એવો ટોળાનો નાયક સાંઢ જેમ શોભે છે તેમ (સાધુ સમૂહમાં) બહુશ્રુત જ્ઞાની શોભે છે.
૨૦. જેમ અતિ ઉગ્ર તથા તીક્ષ્ણ દાઢવાળો પશુઓમાં શ્રેષ્ઠ સિંહ સામાન્ય રીતે પરાભવ પામતો નથી તેમ બહુશ્રુત જ્ઞાની કોઈથી પરાભવ પામતો નથી.
૨૧. જેમ શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર વાસુદેવ સદાય અપ્રતિહત (અખંડ) બળવાળા રહે છે તેમ બહુશ્રુત જ્ઞાની પણ (અહિંસા, સંયમ ને તપથી)બલિષ્ઠ રહે છે.
નોંધ : વાસુદેવ એકલે હાથે દશ લાખ યોદ્ધાઓને હરાવી શકે છે અને પંચજન્ય શંખ, સુદર્શન ચક્ર અને કોમોદકી ગદા એ તેમનાં શસ્ત્રો છે.
૨૨. જેમ ચતુરત્ન (ઘોડા, હાથી, રથ અને સુભટો એ ચાર સેના વડે શત્રુનો અંત કરનાર) મહાન ઋદ્ધિવાળો, (ચૌદ રત્નનો અધિપતિ, ચક્રવર્તી શોભે છે તે જ પ્રકારે ચૌદ વિદ્યારૂપ લબ્ધી વડે) બહુશ્રુત (ચાર ગતિનો અંત કરનાર) જ્ઞાની શોભે છે. (રાજાઓમાં ચક્રવર્તી ઉત્તમ છે.)
નોંધ : ચક્રરત્ન, છત્ર, અસિ, દંડ, ચર્મ, મણિ કાંગણી સેનાપતિ, ગાથાપતિ, વાર્ધિક, પુરોહિત, સ્ત્રીરત્ન, અશ્વ અને ગજરત્ન. એ ચક્રવર્તીનાં ૧૪ રત્નો છે.
૨૩. જેમ હજાર નયનવાળો હાથમાં વજ ધારણ કરનાર તથા પુર નામના દૈત્યનો નાશ કરનાર દેવોનો અધિપતિ ઇંદ્ર શોભે છે તેમ બહુશ્રુત જ્ઞાનરૂપ સહસ્ત્ર નયનવાળો અને ક્ષમારૂપ વજથી મોહરૂપ દેત્યને મારનાર જ્ઞાની શોભે છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૨૪. જેમ અંધકારનો નાશ કરનાર ઊગતો સૂર્ય તેજથી જાણે જાજ્વલ્યમાન હોય ! તેમ શોભે છે, તે જ રીતે આત્મજ્ઞાનના પ્રકાશથી બહુશ્રુત જ્ઞાની શોભે છે.
૫૮
૨૫. જેમ નક્ષત્રપતિ ચંદ્રમા; ગ્રહ અને નક્ષત્રાદિથી વિંટાયેલો હોઈ પૂર્ણિમાને દિવસે શોભે છે તે જ રીતે આત્મિક શીતળતાથી બહુશ્રુત જ્ઞાની શોભે છે.
૨૬. જેમ લોકસમૂહોનો ભિન્નભિન્ન પ્રકારના ધાન્યાદિથી પૂર્ણ અને સુરક્ષિત ભંડાર શોભે છે તે જ રીતે (અંગ, ઉપાંગ શાસ્ત્રોથી વિદ્યાથી પૂર્ણ) જ્ઞાની શોભે છે.
૨૭. અનાત નામના દેવનું સર્વ વૃક્ષોમાં ઉત્તમ એવું જંબુવૃક્ષ શોભે છે તે જ રીતે બહુશ્રુત જ્ઞાની શોભે છે.
૨૮. નીલવંત પર્વતમાંથી નીકળી સાગરમાં મળનારી સીતા નામની નદી જેમ નદીઓમાં શ્રેષ્ઠ હોય છે એ જ પ્રકારે બહુશ્રુતજ્ઞાની સર્વ સાધકોમાં શ્રેષ્ઠ હોય છે.
૨૯. જેમ પર્વતોમાં ઊંચો અને સુંદર તથા વિવિધ ઔષધિથી શોભતો મન્દર પર્વત ઉત્તમ છે તેમ બહુશ્રુતજ્ઞાની પણ અનેક ગુણો વડે ઉત્તમ છે. ૩૦. જેમ અક્ષય ઉદક (જેનું જળ સૂકાય નહિ તેવો) એવો સ્વયં ભૂરમણ નામનો સમુદ્ર જુદા જુદા પ્રકારનાં રત્નોથી પરિપૂર્ણ છે તે જ પ્રકારે બહુશ્રુતજ્ઞાની ઉત્તમ હોય છે.
૩૧. સમુદ્ર સમાન ગંભીર, બુદ્ધિથી પરાભવ નહિ પામનારા, સંકટોથી ત્રાસ નહિ પામનારા, કામભોગોથી અનાસક્ત રહેનારા, શ્રુતથી પરિપૂર્ણ અને પ્રત્યેક પ્રાણીઓના રક્ષક મહાપુરુષો કર્મનો નાશ કરીને ઉત્તમ ગતિ પામ્યા છે. ૩૨. માટે ઉત્તમ અર્થની ગવેષણા કરનાર (સત્ય શોધક) ભિક્ષુ, શ્રુત (જ્ઞાન)માં અધિષ્ઠાન કરે (આનંદિત રહે) કે જેથી પોતાને અને પરને સિદ્ધિ પ્રાપ્ત કરાવે.
નોંધ : જ્ઞાન એ અમૃત છે. જ્ઞાની સર્વ સ્થળે વિજેતા બને છે. જ્ઞાન એ અંતઃકરણની વસ્તુ છે. શાસ્ત્રો દ્વારા, સત્સંગ દ્વારા કે મહાપુરુષોની કૃપા દ્વારા તે પ્રાપ્ત થઈ શકે છે.
એ પ્રમાણે કહું છું.
એમ બહુશ્રુતપૂજ્ય નામનું અગિયારમુ અધ્યયન સમાપ્ત થયું.
Page #92
--------------------------------------------------------------------------
________________
હરિકેશીય
પ૯
અધ્યયન : બારમું
હરિકેશીય હરિકેશ મુનિનું અધ્યયન
આત્મવિકાસમાં જાતિનાં બંધન હોતાં નથી. ચાંડાલ પણ આત્મકલ્યાણનો માર્ગ આરાધી શકે છે. ચંડાલજાતિમાં ઉત્પન્ન થનારનું પણ હૃદય પવિત્ર હોઈ શકે છે.
હરિકેશ મહામુનિ ચંડાલ કુળમાં જન્મ્યા છતાં ગુણના ભંડાર હતા. પૂર્વના યોગ સંસ્કાર હોવાથી નિમિત્તવશાત્ વૈરાગ્ય પામી ત્યાગી બન્યા. ત્યાગ લીધા પછી એક દેવે તે તપસ્વીની આકરામાં આકરી કસોટી કરેલી. સાચા સુવર્ણની જેમ પાર ઊતરેલા તે મહામુનિ પ્રત્યે પ્રસન્ન થયા પછી તે દેવમુનિ સાથે દાસ બનીને કાયમ રહ્યો.
એકાદ યક્ષ મંદિરના સભામંડપની અંદર (કે જ્યાં તે દેવનો વાસ હતો) આકરી તપશ્ચર્યાથી કૃશ થયેલા હરિકેશ ધ્યાનમગ્ન થઈ અડોલ ઊભા
હતા.
- કૌશલ રાજાનાં પુત્રી ભદ્રા તેમની સાહેલીઓ સાથે તે જ મંદિરમાં દર્શનાર્થે આવેલાં.
ગર્ભદ્વાર નજીક જઈ સૌએ દેવનાં પેટભરી દર્શન કર્યા. દર્શન કરીને પાછા ફરતાં દરેક સહચરીએ ક્રિીડાથે સભામંડપના દરેક સ્તંભને બાથ ભીડી લીધી. પાછળ રહેલી ભદ્રા કુમારીએ (અંધારામાં બરાબર ન સૂઝવાથી સ્તંભ જાણી) તપસ્વીને બાથ ભીડી લીધી. ભદ્રાના હાથમાં સ્તંભને બદલે તપસ્વી આવેલા જાણી સૌ સખીઓ ‘તમારા હાથમાં તો સાચા પતિ જ આવી ગયા', એમ કહીને કુતૂહલથી હસવા લાગી. કુમારી ભદ્રા આથી ચિડાઈ ગયાં અને તપસ્વીની મહા અવગણના કરી નાખી.
દેવ આથી ખૂબ કોપ્યો. ભદ્રા તે જ સમયે અવાક થઈ ઢળી પડી. આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ. કૌશલરાજ ત્યાં પધાર્યા. આખરે દેવી કોપ દૂર કરવા તે દેવ પ્રવેશક દેહવાળા તપસ્વીજી સાથે ભદ્રાનાં લગ્ન કરવાની તૈયારી થવા લાગી.
Page #93
--------------------------------------------------------------------------
________________
૬૦
ઉત્તરાધ્યયન સૂત્ર તે જ સમયે મુનિના દેહમાથી દેવ અદેશ્ય થયો. તપસ્વી સાવધ થયા અને આ બધી ધમાલ જોઈ વિસ્મિત બની ગયા. અંતે પોતાના આકરા સંયમની અને અપૂર્વ ત્યાગની પ્રતીતિ આપી એ મહાયોગીએ ત્યાંથી પ્રયાણ કર્યું.
ત્યારબાદ આ ભદ્રાદેવીના સોમદેવ નામના પુરોઘસ સાથે લગ્ન થયાં છે. તે દંપતી બ્રાહ્મણો પાસે કુળ પરંપરા મુજબ મહાયજ્ઞ કરાવે છે. યજમાનરૂપે એ દંપતી ત્યાં મંત્ર જાપાદિ ક્રિયા કરી રહ્યાં છે.
ગામ, નગર, શહેરાદિ સર્વ સ્થળે અભેદભાવે વિચરતા એ વિશ્વોપકારક, મહામુનિ તે જ યજ્ઞશાળામાં એક માસની તપશ્ચર્યાને પારણે ભિક્ષાર્થે પધાર્યા છે. ત્યાં અપરિચિત બ્રાહ્મણો પ્રથમ તેમનો ઉપહાસ, અપમાન અને તિરસ્કાર કરે છે. ભિક્ષાને બદલે દંડો લઈ સામે મારવા દોડે છે. આવા કપરા વખતમાં એ તિન્દુકદેવ હાજર થઈ શું કરે છે? ભદ્રાદેવીને જાણ થયા પછી તેને શી અસર થા છે ? આખું વાતાવરણ તપશ્ચર્યાના પ્રભાવે કેવું સુવાસિત બને છે? તે આ અધ્યયનમાં વર્ણવ્યું છે.
જાતિનાં વિધાન પદ માટે નથી. વર્ણવ્યવસ્થા કર્મ પ્રમાણે નિયત થઈ હતી. તેમાં ઊંચ નીચના ભેદોને સ્થાન ન હતું. જ્યારથી ઊંચ નીચના ભેદોને સ્થાન મળ્યું ત્યારથી તે વ્યવસ્થા મટી તિરસ્કાર અને અભિમાનના પુંજોમાં પલટી ગઈ.
ભગવાને જાતિવાદનાં ખંડન કર્યા. ગુણવાદને સમજાવ્યો. અભેદભાવનાં અમૃત પાયાં અને દીન, હીન અને પતિત જીવોનો ઉદ્ધાર કર્યો.
ભગવાન સુધર્મસ્વામીએ જંબૂને કહ્યું : ૧. ચંડાલકુળમાં ઉત્પન્ન થયેલા છતાં ઉત્તમગુણને ધારણ કરનારા હરિકેશ બલ નામના એક જિતેન્દ્રિય ભિક્ષુ થયા હતા. - ૨. (૧) ઇર્યા, (૨) ભાષા, (૩) એષણા, (૪) આદાન, ભંડ નિક્ષેપ અને (૫) ઉચ્ચાર પાસવણ ખેલ જલ સંધાણ પારિઠાવણીયા એમ પાંચે સમિતિઓમાં સંયમી તથા સુસમાધિપૂર્વક યત્નોવાળા
૩. મનથી, વચનથી અને કાયાથી ગુપ્ત અને જિતેન્દ્રિય તે ભિક્ષુ ભિક્ષા માટે બ્રહ્મયજ્ઞમાં યજ્ઞવાડે આવીને ઊભા રહ્યા .
૪. તપથી સૂકાયેલા અને જીર્ણ ઉપધિ (વસ્ત્ર વગેરે) અને ઉપકરણ (પાત્ર વગેરે) વાળા મુનિને આવતા જોઈને અનાર્યપુરુષો હસવા લાગ્યા.
Page #94
--------------------------------------------------------------------------
________________
૬ ૧
હરિકેશીય
નોંધ : મુનિનાં વસ્ત્ર, પાત્ર, કંબલ, ઇત્યાદિ સાધનોને ઉપધિ તથા ઉપકરણો કહેવાય છે.
૫. જાતિમદથી ઉન્મત થયેલા, હિંસામાં ધર્મ માનનારા, અજિતેન્દ્રિય અને અબ્રહ્મચારી (બ્રહ્મચર્યને યથાર્થ ન પાળનારા) મૂર્ખ બ્રાહ્મણો આ વચનને કહેવા લાગ્યા :
૬. દૈત્ય જેવા રૂપને ધરનાર, કાળ જેવો ભયંકર, બેઠેલા નાકવાળો, જીર્ણવઢવાળો અને મલિનતાથી પિશાચ જેવો દેખાતો આ ગળે વસ્ત્ર વીંટાળીને કોણ ચાલ્યો આવે છે ? (તે લોકોએ આ પ્રમાણે મનમાં વિચાર્યું).
હવે મુનિને સંબોધીને કહે છે : ૭. રે ! આવો અદર્શનીય (ન જોવા લાયક) તું કોણ છે ? અને કઈ આશાથી અહીં આવ્યો છે ? જીર્ણ વસ્ત્ર અને મેલથી પિશાચરૂપ થયેલો તું અહીંથી જા. અહીં શા માટે ઊભો છે ?
૮. આ જ વખતે તે મહામુનિનો અનુકંપક (પ્રેમી) તિન્દુક વૃક્ષવાસી યક્ષ (દવ) પોતાના શરીરને ગુપ્ત રાખીને (મુનિના શરીરમાં પ્રવેશ કરીને) આ વચનો કહેવા લાગ્યો :
નોંધ : જે દેવ એ મહામુનિનો સેવક બન્યો હતો તેણે મુનિશ્રીના શરીરમાં પ્રવેશ કર્યો.
૯. હું સાધુ છું. બ્રહ્મચારી છું. સંયમી છું. ધન પરિગ્રહ અને દૂષિત ક્રિયાઓથી વિરક્ત થયો છું. અને તેથી જ બીજાઓ માટે થયેલી ભિક્ષા જોઈને આ વખતે અન્નને માટે અહીં આવ્યો છું.
નોંધ : જૈન સાધુઓ બીજાને માટે થયેલી ભિક્ષા જ ગ્રહણ કરે છે. પોતાને માટે તૈયાર કરેલા આહારને સ્વીકારતા નથી.
૧૦. તમારું આ ભોજન ઘણું અપાય છે, ખવાય છે અને ભોગવાય છે. માટે બાકી વધેલું થોડું આ તપસ્વી પણ ભલે મેળવે. કારણ કે હું ભિક્ષાજીવી છું એમ તમે જાણો.
૧૧. (બ્રાહ્મણો બોલ્યા : આ ભોજન બ્રાહ્મણોને માટે જ તૈયાર થયું છે. અહીં એક બ્રાહ્મણ પક્ષ માટે જ તે સિદ્ધ થયું છે. અમે આવું અન્નપાન તને નહિ આપીએ. શા માટે અહીં ઊભો છે ?
૧૨. ઉચ્ચભૂમિમાં કે નીચ ભૂમિમાં (બંને સ્થળે) કૃષિકારો આશાપૂર્વક યોગ્યતા જોઈ બીજ વાવે છે. એ શ્રદ્ધાથી મને આપો. અને આ ખરેખર
Page #95
--------------------------------------------------------------------------
________________
૬ ૨
ઉત્તરાધ્યયન સૂત્ર પવિત્ર ક્ષેત્ર સમજી તેની આરાધના કરો.
નોંધ : આ વચનો તે દેવ મુનિના મુખેથી બોલાવતો હતો.
૧૩. જયાં વાવેલાં પુણ્યો ઊગે છે (જ સુપાત્રમાં નાખ્યાથી દાન ફળે છે) તે ક્ષેત્રો અમોએ જાણી લીધાં છે. જાતિમાન અને વિદ્યાવાન બ્રાહ્મણો છે તે જ ક્ષેત્રો ખૂબ સુંદર છે.
નોંધ : આ વચનો ત્યાં યજ્ઞશાળામાં રહેલા ક્ષત્રિયોનાં છે.
૧૪. ક્રોધ, માન, હિંસા, અસત્ય, અદત્ત અને પરિગ્રહ વગેરે દોષો જેનામાં છે, તેવા બ્રાહ્મણો જાતિ અને વિદ્યા બંનેથી રહિત છે. તે ક્ષેત્રો તો પાપને વધારનારાં છે.
નોંધ : તે વખતે કેટલાક બ્રાહ્મણો પોતાના બ્રાહ્મણધર્મથી પતિત થઈ મહાહિંસાઓને ધર્મ મનાવવાનો પ્રયત્ન કરતા હતા. તેવાઓને ઉદ્દેશીને આ શ્લોક યક્ષની પ્રેરણા દ્વારા મુનિના મુખમાંથી બોલાયો.
૧૫. રે ! વેદોને ભણ્યા છતાં તેના અર્થને જરાપણ જાણી શકતા નથી. માટે ખરેખર તમે વાણીના ભારવાહક છો. જે મુનિ પુરુષો સામાન્ય કે ઊંચાં કોઈપણ ઘરોમાં જઈ ભિક્ષાવૃત્તિથી સંયમી જીવન ગુજારે છે તે જ ક્ષેત્રો ઉત્તમ છે.
આ સાંભળીને બ્રાહ્મણ શિષ્યો ખૂબ કોપ્યા અને કહ્યું : ૧૬. રે ! અમારા ગુરુઓની વિરુદ્ધ બોલનાર સાધુ ! તું અમારી સમક્ષ આ શું બોલી રહ્યો છે ? આ અન્નપાન ભલેને બધું નાશ પામે. પણ હવે તને તો નહિ જ આપવાના.
૧૭. સમિતિઓથી સમાહિત (સમાધિસ્થ), ગુપ્તિઓથી ગુપ્ત (મન, વચન અને કાયાથી સંયમી) અને જિતેન્દ્રિય એવા મને આવું શુદ્ધ ખાનપાન નહિ આપો તો આજે યજ્ઞોનો લાભ શું મેળવવાના ? આવાં (યક્ષ દ્વારા મુનિનાં મુખેથી વચનો સાંભળીને બ્રાહ્મણો લાલચોળ થઈ ગયા અને ઘાંટો પાડીને કહેવા લાગ્યા :
૧૮. અરે ! અહીં કોણ ક્ષત્રિયો, યજમાનો કે અધ્યાપકો છે ? વિદ્યાર્થીઓની સાથે મળી તેઓ સૌ લાકડી અને ડંડાએ મારીને તથા ગળચી દાબીને આને જલદી બહાર કાઢી મૂકો.
૧૯. અધ્યાપકોનું આવું વચન સાંભળીને ત્યાં ઘણા કુમારો દોડી આવ્યા, અને દંડ, છડી ચાબુકોથી તે ઋષિને મારવાને તૈયાર થયા.
Page #96
--------------------------------------------------------------------------
________________
હરિકેશીય
૨૦. તેવા સમયે સુંદર અંગવાળી કૌશલિક રાજાની પુત્રી (નામ) ભદ્રા તે સ્થળે હણાતા તે સંયમીને જોઈને કોપિત થયેલા કુમારોને તુરત જ શાંત પાડે છે. (અને કહે છે:)
૨૧. દેવના અભિયોગે કરીને (દૈવી પ્રકોપ શાંત પાડવા માટે) વશ થયેલા, પિતાશ્રી વડે (દેવનો પ્રભાવ જે શરીરમાં હતો તે) મુનિને હું અર્પણ કરાયેલી હતી. છતાં અનેક મહારાજાઓ અને દેવેન્દ્રોથી પણ વંદાયેલા આ ઋષિરાજે મારું મનથી પણ ચિંતન ન કર્યું અને તુરત જ (શુદ્ધિ આવ્યા પછી) મને વમી દીધી હતી.
નોંધ : આ ભદ્રાએ સરળભાવથી મંદિરમાં ધ્યાનસ્થ રહેલા મુનિશ્વરનું અપમાન કરેલું તેનો બદલો લેવા તેના જ શરીર સાથે (મુનિ શરીરમાં પ્રવેશ કરી દેવે) લગ્ન કરાવ્યું હતું. પરંતુ મુનીશ્વર જ્યારે ધ્યાન પાળી સ્વસ્થ થયા કે શીધ્ર પોતે સંયમી છે તેની પ્રતીતિ આપી, એ બાળાની શાંતિ ઇચ્છી તેને મુક્ત કરી મૂકી હતી.
૨૨. ખરેખર અપૂર્વ બ્રહ્મચારી, જિતેન્દ્રિય, સંયમી અને ઉગ્ર તપસ્વી તેવા આ પોતે તે જ મહાત્મા છે કે જેણે, મારા પિતા કૌશલિક રાજા વડે (પછીથી) સ્વઇચ્છાથી અપાતી એવી મને ન સ્વીકારી.
નોંધ : અપ્સરા સમી સ્વરૂપવાન યુવતી સ્વયં મળવા છતાં તેના પર લેશ માત્ર મનોવિકાર ન થવો અને પોતાના સંયમ માર્ગમાં અડોલ રહેવું તે જ સાચા ત્યાગની, સાચા સંયમની અને સાચા આત્મદર્શનની પ્રતીતિ છે.
૨૩. આ મહાપ્રભાવશાળી, મહાપુરુષાર્થી મહાન વ્રતધારી અને ઉત્તમ કીર્તિવાળા મહાયોગી પુરુષ છે. તેને અવગણવા યોગ્ય નથી. રે એની અવગણના ન કરો. રખે તો બધાને પોતાના તેજથી તે ભસ્મ કરી નાખશે
૨૪. આવાં ભદ્રાનાં સુમધુર વચન સાંભળીને (વાતાવરણ પર અસર થાય તે પહેલાં તો) તુરત જ દેવો ઋષિની સેવા માટે આવી લાગ્યા. અને કુમારોને નિવારવા લાગ્યા. (પણ કુમારો માન્યા નહિ.)
નોંધ : આ સ્થળે પરંપરા એ પણ ચાલે છે કે અહીં ભદ્રાના પતિ સોમદેવે એ કુમારોનું વારણ કર્યું હતું અને દેવો વારણ કરે તે કરતાં આમ થવું વધુ સંભવિત છે. પણ મૂળ પાઠમાં નવા શબ્દ હોવાથી અર્થ તેવો જ રાખ્યો છે.
૨૫. અને તે જ વખત આકાશમાં રહેલા ભયંકર રૂપવાળા રાક્ષસો ત્યાં આ સમૂહને અદેશ્ય રહી મારવા લાગ્યા (પ્રબળ મારથી) જેનાં શરીર ભેદાઈ
Page #97
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૬૪
ગયાં અને લોહીનું વમન થવા લાગ્યું તેવાઓને જોઈને ભદ્રા આ પ્રમાણે ફરીથી કહેવા લાગી :
૨૬. તમે બધા નખો વડે પર્વતને ખોદવા લાગ્યા છો, દાંતો વડે લોખંડને ચાવવા લાગ્યા છો અને અગ્નિનો પગો વડે કરીને હણવા લાગ્યા છો (એમ માનું છું.) કારણ કે આવા ઉત્તમ ભિક્ષુનો તમે તિરસ્કાર કર્યો છે.
૨૭. આવા મહર્ષિ (કોપે તો) વિષધર જેવા ભયંકર હોય છે. એ ઉગ્ર તપસ્વી અને ઘોર વ્રતવાળા મહાપુરુષાર્થીને તમે ભોજનના વખતે મારવા તૈયાર થયા તો હવે પતંગિયાની સેના જેમ અગ્નિમાં બળી મરે તેમ બળી મરવાના છો.
૨૮. હજુ જો તમે તમારું ધન અને જીવતર રાખવા ઇચ્છતા હો તો આખા સમૂહ સાથે મળીને તેના શરણે જઈ મસ્તક નમાવો. આ તપસ્વી પોતે જો કોપિત થશે તો આપ લોકોને પણ બાળી નાખશે.
નોંધ : ભદ્રા એ તપસ્વીના પ્રભાવને જાણતી હતી. ‘હજુ તો આ દૈવી પ્રકોપ છે. પણ હવે નહિ માનો અને તેમને શરણે નહિ જાઓ તો તે તપસ્વી કદાચ કોપિત થઈ આખા લોકને બાળી નાખશે એવી મને ભીતિ છે.’ સૌને ઉદ્દેશીને તેણીએ તેથી જ તેમ કહ્યું.
૨૯. (તેવામાં તો કંઈ વિચિત્ર ઘટના બની ગઈ.) કોઈની પીઠ ઉપ૨ તો કોઈનું મસ્તક નીચું તેમ પડી ગયેલા, કોઈ સાવ કર્મ અને ચેષ્ટા વિહીન બનેલા, કોઈ ભૂતલ પર હાથ ફેલાવતા પડી રહેલા, કોઈ બહાર નીકળી ગયેલા ડોળા અને જીભવાળા, તો કોઈ ઊંચા મસ્તકે ઢળી પડેલા
નોંધ આ બધું દૈવી પ્રકોપથી બન્યું હતું.
૩૦. આવી રીતે કાષ્ઠભૂત બનેલા પોતાના શિષ્યોને જોઈને તે યાજક બ્રાહ્મણ (ભદ્રાનો પતિ) પોતે ખૂબ ખેદ પામ્યો. અને પોતાની ધર્મપત્ની સહિત મુનિ પાસે જઈ નમીને વારંવાર વિનવણી કરવા લાગ્યો કે હે પૂજ્ય ! આપની નિંદા અને તિરસ્કાર થયાં છે તેની ક્ષમા કરો.
નોંધ : કોશલ રાજાએ તપસ્વીથી તજાયેલી ભદ્રાકુમારીને સોમદેવ નામના બ્રાહ્મણ સાથે હસ્તગ્રહણ કરાવી ઋષિપત્ની જ બનાવી હતી. તે કાળમાં બ્રાહ્મણ ક્ષત્રિય. વૈશ્ય અને શૂદ્રના કર્મભેદો હતા પણ આજના જેવા જાતિભેદો ન હતા. તેથી જ પારસ્પરિક કન્યાઓને લેવા દેવાનો વ્યવહાર ચાલુ હશે તેવું અનુમાન થાય છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
હરિકેશીય
૬૫ ૩૧. હે વંદનીય ! અજ્ઞાની, મૂર્ખ અને મંદ બુદ્ધિવાળા બાળકોએ આપની જે અસાતના દુ:ખ-વેદના) કરી છે તે બધું માફ કરો. આપના જેવા ઋષિ પુરુષો મહાદયાળુ હોય છે. ખરેખર તે કદી કોપ કરતા જ નથી.
પોતાનું કાર્ય કરી દેવો ચાલ્યા ગયા. ત્યારબાદ મુનિશ્રી સાવધાન થઈ આ દશ્ય જોઈ વિસ્મિત બની જાય છે. અને વિનવતા બ્રાહ્મણોને
કહે છે કે૩૨. આ બનાવની પૂર્વે, પછી કે હમણાં પણ મારા મનમાં લેશમાત્ર કોપ કે દ્વેષ નથી. પરંતુ આ બધું જોયા પછી મને લાગે છે કે, ખરેખર જે દેવો (મારી અનિચ્છાએ પણ) સેવા કરે છે. તેઓ વડે જ આ કુમારો બિચારા હણાયા છે.
નોંધ : જેનદર્શનમાં સહનશીલતાનાં જ્વલંત દષ્ટાંતો છે. ત્યાગી પુરુષની ક્ષમા તો મેરૂ જેવી અડગ હોય છે. તેમાં કોપ કે ચંચળતા આવતાં જ નથી. કુમારોની આ દશા જોઈ ઋષિરાજને અનુકંપા આવે છે. યોગીપુરુષો અન્યને દુઃખ આપતા નથી તેમ જોઈ પણ શકતા નથી.
૩૩. (સાચું સ્પષ્ટીકરણ થયા બાદ એ બ્રાહ્મણને ઘણી જ ઉત્તમ પ્રકારની અસર થાય છે. તે કહે છે કે) : પરમાર્થ અને સત્યના સ્વરૂપને જાણનાર ! મહાજ્ઞાની આપ કદી ગુસ્સે થાઓ જ નહિ. સર્વ જનસમૂહ સાથે અમે બધાં આપના ચરણોનું શરણ માગીએ છીએ.
૩૪. હે મહાપુરુષ ! આપની સર્વ પ્રકારે (બહુમાનપૂર્વક) પૂજા કરીએ છીએ. આપમાં એવું કશું દેખાતું નથી કે જેને ન પૂજીએ. હે મહા મુનિરાજ ! ભિન્નભિન્ન પ્રકારનાં શાક, રાઈતાં અને ઉત્તમ પ્રકારના ચોખાથી સંસ્કારાયેલું આ ભોજન આપ (પ્રસન્નતાપૂર્વક) જમો (સ્વીકારો).
૩૫. આ મારું પુષ્કળ ભોજન પડ્યું છે. અમારા પર કૃપા કરીને આપ સ્વીકારો. (આવી અંતઃકરણની પ્રાર્થના સાંભળીને) તે મહાત્મા માસ ખમણ એક માસના ઉપવાસ)ને પારણે તે ભોજનને સહર્ષ સ્વીકારે છે.
૩૬. તેવામાં જ ત્યાં સુવાસિત જળ, પુષ્પો તથા ધનની ધારા બંધ આકાશથી દિવ્ય વૃષ્ટિ થવા લાગી. દેવોએ ગગનમાં દુંદુભિ વગાડી અને અહો ! દાન અહો ! દાન' એમ દિવ્યધ્વનિ થવા લાગ્યો. નોંધ : દેવોએ વરસાવેલાં પુષ્પ તથા જલધારાઓ અચેત હોય છે. ૩૭. “ખરેખર દિવ્યતાની આ પ્રત્યક્ષ વિશેષતા દેખાય છે. જાતિની
Page #99
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર વિશેષતા કશીયે નથી. ચંડાલપુત્ર હરિકેશ સાધુ; કે જેની આવી મહા પ્રભાવશાળી સમૃદ્ધિ છે !' ચંડાલપુત્ર હરિકેશ સાધુને જોઈને સૌ એકી અવાજે આશ્ચર્યચકિત થઈ ઉપર પ્રમાણે બોલવા લાગ્યા.
તપસ્વીજી કહે છે : ૩૮. હે બ્રાહ્મણો ! અગ્નિનો આરંભ કરીને પાણીથી બહારની શુદ્ધિને શા માટે શોધી રહ્યા છો ? જે બહારની શુદ્ધિ છે તે આત્મશુદ્ધિનો માર્ગ જ નથી. મહાપુરુષો કહે છે કે :
૩૯. દ્રવ્યયજ્ઞમાં દાભડાને; (યૂપ) લાકડાના ખીલાને, તૃણ, કાષ્ઠ તથા અગ્નિને, તેમજ સવાર અને સાંજ પાણીને સ્પર્શ કરતા એવા મંદ પ્રાણીઓ તમો વારંવાર નાના જીવોને દુઃખ આપીને પાપ જ કર્યા કરો છો.
૪૦. હે ભિક્ષુ ! અમે કેમ વર્તીએ? કેવું યજ્ઞપૂજન કરીએ ? વળી કેવી રીતે પાપોને દૂર કરીએ ? હે સંયમી ? તે અમોને જણાવો. હે દેવપૂજ્ય ! કઈ વસ્તુને જ્ઞાનીજનો યોગ્ય માને છે ?
૪૧. છ કાય (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ) જીવોની હિંસા નહિ કરનારા, કપટ તથા અસત્યને નહિ આચરનારા, માયા (કપટ) અને અભિમાનથી દૂર રહેનારા તથા પરિગ્રહ અને સ્ત્રીઓની આસક્તિથી ડરનારા દાન્ત પુરુષો હોય છે તે જ વિવેકપૂર્વક વર્તે છે.
૪૨. અને પાંચ ઇંદ્રિયોનું નિયમન કરનારા, જીવિતની પણ પરવા નહિ કરનાર અને કાયાની આસક્તિથી રહિત એવા મહાપુરુષો, બહારની શુદ્ધિની દરકાર ન કરતાં ઉત્તમ અને મહાવિજયી ભાવયજ્ઞને જ આદરે છે.
૪૩. તમારું જ્યોતિ શું ? અને જયોતિનું સ્થાન શું ? તમારી કડછીઓ કઈ ? અને અગ્નિ પ્રદીપન કરનારું શું ? તમારાં લાકડાં ક્યાં ? અને તે ભિક્ષુ ! તમારા શાંતિમંત્ર કયા ? કેવા યજ્ઞથી આપ યજન કરો છો ? (આ પ્રમાણે બ્રાહ્મણો બોલ્યા.)
૪૪. તપ એ જ અગ્નિ છે. જીવાત્મા અગ્નિનું સ્થાન છે. મન, વચન અને કાયાના યોગ રૂપ કડછી છે. અગ્નિને દીપ્ત કરનારું સાધન શરીર છે. કર્મરૂપી લાકડાં છે. સંયમરૂપ શાંતિમંત્ર છે. તેવી રીતે પ્રશસ્ત ચારિત્રરૂપ યજ્ઞ વડે જ હું યજન કરું છું તે જ યજ્ઞને મહર્ષિજનોએ ઉત્તમ ગણ્યો છે.
૪૫. તમારો સ્નાન કરવાનો હૃદ (કુંડ) કયો ? (સંસારમાંથી તરવાનું) તમારું પુણ્યક્ષેત્ર કયું ? અને ક્યા સ્નાન કરીને તમે કર્મરજને ટાળો છો
Page #100
--------------------------------------------------------------------------
________________
હરિકેશીય
૬૭
તે કહો. આપની પાસે જાણવાને ઇચ્છીએ છીએ. (આ પ્રમાણે બ્રાહ્મણ બોલ્યા.)
૪૬, ધર્મરૂપી હૃદ (કુંડ) છે. બ્રહ્મચર્યરૂપી પુણ્યતીર્થ છે. આત્માના પ્રસન્ન ભાવથી વિશુદ્ધ ધર્મના કુંડમાં નાહેલો હું શાંત થઈને કર્મદોષને દૂર કરું છું.
૪૭. એવું સ્નાન જ કુશળ પુરુષોએ કર્યું છે. અને ઋષિઓએ તે જ મહાસ્નાનને વખાણ્યું છે. જેમાં નાહેલા પવિત્ર મહર્ષિઓ નિર્મળ થઈને (કર્મ રહિત થઈને) ઉત્તમ સ્નાન (મુક્તિ)ને પામ્યા છે.
નોંધ : હૃદયનું પરિવર્તન ચારિત્રની ચિનગારીથી થાય છે. જ્યાં ચારિત્રની સુવાસ મહેકે છે ત્યાં મલિન વૃત્તિઓ નાશ પામે છે. ક્ષણવારમાં પ્રબળ વિરોધકોને સેવકરૂપ બનાવી દે છે. જ્ઞાનનાં મંદિરો ચારિત્રનાં નંદનવનથી જ શોભે છે. જાતિ અને કાર્યના નીચ ઊંચ ભાવો ચારિત્રના સ્વચ્છ પ્રવાહમાં સાફ થઈ જાય છે. ચારિત્ર્યનાં પારસ કૈક લોખંડોને સુવર્ણ રૂપમાં પલટી મૂકે છે.
એ પ્રમાણે કહું છું.
એમ હરિકેશીય નામનું બારમું અધ્યયન સમાપ્ત થયું.
Page #101
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : તેરમું
ચિત્તસંભૂતીય ચિત્ત અને સંભૂતિ સંબંધી
સંસ્કૃતિ એ જીવન સાથે જડાયેલી વસ્તુ છે. જીવનશક્તિની તે પ્રેરણા પુનઃ પુનઃ ચેતનને કર્મબળ દ્વારા ભિન્નભિન્ન યોનિમાં જન્માવે છે. પરસ્પર પ્રેમથી ઋણાનુબંધો થાય છે અને વિરોધક અપવાદ ન હોય તો સમાન શીલના જીવો-સમાન ગુણનાં પ્રાણીઓ એક જ સ્થળે ઉત્પન્ન થાય છે. અને જન્મપર્યત અખૂટ પ્રેમની સરિતામાં પરસ્પર ઝીલે છે અને પછી પણ સાથે
જ જન્મ લે છે.
ચિત્ત અને સંભૂતિ બંને ભાઈ હતા. અખંડ પ્રેમની ગાંઠથી જકડાયેલા હતા. એક નહિ, બે નહિ, ત્રણ નહિ બલ્ક પાંચ પાંચ જન્મો સુધી સાથે રહ્યા, સાથે જીવ્યા. આવા પ્રબળ પ્રેમબંધુઓ છદ્દે ભવે પૃથક પૃથક ઉત્પન્ન થાય છે તેનું શું કારણ હશે ? છ ભવે બંનેના રાહો શાથી પલટાયા હશે! તેનું પ્રબળ કારણ એકની આસક્તિ અને બીજાની નિરાસક્તિ છે. બંને ભાઈઓનો પ્રેમ જેમ જેમ શુદ્ધ થતો ગયો તેમ તેમ તે વિકાસ પંથે સાથે ને સાથે ઊડ્યા.
પ્રથમ જન્મમાં તે દશાર્ણ દાસ રૂપે સાથે રહ્યા હતા. ત્યાંથી કાળે કરીને કાલિંજર નામના પર્વત પર મૃગલા થયા. સંગીત પર તેમનો અભંગ સ્નેહ હતો. ત્યાંથી મારીને મૃતગંગાના તીર પર હંસ રૂપે જન્મ લીધો. ત્યાં પણ સ્નેહપૂર્વક જીવ્યા અને પ્રેમવશાત્ સાથે જ મરણ પામ્યા. ત્યાંથી નીકળીને પુનર્ભવ પામી કાશી ભૂમિમાં ચંડાલ રૂપે ઉત્પન્ન થયા.
તે વખતે નમુચિ નામનો પ્રધાન ખૂબ બુદ્ધિમાન અને મહાસંગીતશાસ્ત્રી છતાં મહાન વ્યભિચારી હતો. તેણે તે દોષ રાજઅંતઃપુરમાં પણ સેવ્યો. તે જાણી કાશી રાજાએ તેને મૃતદંડની શિક્ષા કરી.
ફાંસીને લાકડે ચડાવતાં ચડાવતાં ચંડાલ કે જે ચિત્ત અને સંભૂતિનો પિતા હતો તેને દયા ઉત્પન્ન થવાથી તેણે નમુચિને બચાવી લીધો છે અને પોતાને ત્યાં ગુપ્ત રાખી પોતાના પુત્રોને સંગીતવિદ્યા શીખવવા યોજ્યો છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
ચિત્તસંભૂતીય બંને ભાઈને તેણે સંગીતશાસ્ત્રમાં પારંગત કરી મૂક્યા. પરંતુ એકદા ત્યાંથી પણ અબ્રહ્મચર્યના દોષે તેને જીવ લઈને ભાગવું પડ્યું. આખરે તે ફરતાં ફરતાં હસ્તિનાપુરમાં આવી પોતાની બુદ્ધિના પ્રભાવથી સેકડો મંત્રીના શિરમંત્રી થઈને રહેલ છે.
ચિત્ત અને સંભૂતિ સંગીતવિદ્યાના પ્રભાવે ત્યાંની આખી આલમને આકર્ષે છે. આથી કાશીરાજ પાસે ત્યાંના સંગીત શાસ્ત્રીઓ ન્યાય માગી ઇર્ષાથી તેમનું અપમાન કરાવી કાશીની બહાર કઢાવી મૂકે છે. ત્યાં પણ દુઃખી થાય છે. પછી આ પરાભવથી કંટાળી પર્વત પરથી પડતું મૂકવા તૈયાર થાય છે. ત્યાં એક મહાન જૈન મહાત્માનો ભેટો થાય છે અને અકાળ મૃત્યુથી બચાવી લે છે.
ચંડાલ કુળજાત હોવા છતાં પૂર્વ સંસ્કારોની પ્રબળતાથી અને ભાઈઓ સંસારની અસારતાને યથાર્થરૂપે સમજી ત્યાગમાર્ગને ગ્રહણ કરે છે અને પદ્ધતિસર યોગમાર્ગની સારી તાલીમ મેળવ્યા બાદ ગુરુ આજ્ઞાથી છૂટા પડે છે.
એ બંને ત્યાગીઓ ફરતાં ફરતાં અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરીને હસ્તિનાપુરમાં જ આવી ચડે છે કે જ્યાં નમુચિ મહા મંત્રીશ્વર પદે હતો. પૂર્વ પરિચિત ચંડાલોને સાધુ વેશમાં તે ઓળખી લે છે, અને તેથી પોતાનું પોગળ રખેને ખુલ્લું થશે ! એ ભયથી શહેરની બહાર હાંકી કઢાવે છે. - ચિત્ત આ બધું કષ્ટ શાંતિપૂર્વક ચિત્તમાં ખેદ લાવ્યા વગર સહી લે છે. પરંતુ સંભૂતિ આ પરાભવને સહેવા અસમર્થ નીવડે છે. તપશ્ચર્યાના મહાન પ્રભાવથી પ્રાપ્ત કરેલી સિદ્ધિનો ઉપયોગ કરવા તૈયાર થાય છે. ચિત્ત પોતાના બંધુને ત્યાગીનો ધર્મ સમજાવે છે છતાં સંભૂતિનો કોપ શાંત થતો નથી તેના મુખમાંથી ધૂમ્ર (ધુંવાડા)ના ગોટેગોટા નીકળ્યા કરે છે.
આ વાતની જાણ પ્રજા દ્વારા ત્યાંના મહારાજા (સનતકુમાર ચક્રવર્તી)ને પણ થાય છે. તે પોતે સસૈન્ય, સપરિવાર એ મહાતપસ્વીના દર્શનાર્થે આવે છે. સંભૂતિમુનિ તે મહારાજાની સમૃદ્ધિ જોઈ આસક્ત થાય છે.
પોતાની અપૂર્વ બળે પ્રાપ્ત કરેલી તપશ્ચર્યારૂપ ઝવેરાતને આવા ક્ષણિક કામભોગરૂપી કોડી ખાતર વેચી દે છે. (જૈનદર્શનમાં આને નિયાણું કહેવાય છે. નિયાણું એટલે ઉત્તમ કાર્યની પાછળ સ્વાર્થની ભાવના જાગે તે.) ચિત્તનો ઉપદેશ તેને જરાએ અસર કરતો નથી.
ત્યાંથી કાળગત થયા પછી શુભ કર્મ દ્વારા એ બંને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. ત્યાંનું પૂર્ણ આયુષ્ય ભોગવ્યા પછી આસક્તિને લઈને પ્રેમપ્રવાહ
Page #103
--------------------------------------------------------------------------
________________
૭)
ઉત્તરાધ્યયન સૂત્ર
વિખરાઈ જાય છે. અને તે જ કારણને લઈને સંભૂતિ કાંપીલ્ય નગરમાં ચુલની માતાને કૂખે ઉત્પન્ન થઈ બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી (મહાન મંડલેશ્વર) રાજા થઈ બેસે છે.
ચિત્ત પુરિમતાલ નગરમાં ધનપતિ નગરશેઠને ત્યાં જન્મ લે છે. ત્યાં પણ પુણ્યપ્રભાવને લઈને મિત્ર, પરિવાર, યુવતીઓ, માતા-પિતાઓ અને સંપત્તિ સંબંધી અનેક પ્રકારે સુખમોજ માણી રહ્યો છે.
એકદા સંતની પાસેથી એક અતિ ગંભીર ગાથા તેના કર્ણદ્વારમાં અથડાણી. તે પર વિચાર કરતાં પ્રથમ આછું આછું સ્મરણ થયું, કે “આવું મેં ક્યાંક સાંભળ્યું છે અને એ ચિંતનના પરિણામે પૂર્વ સંસ્કારો તાજા થયા. ગત જન્મોને તેણે એક જ વારમાં જોઈ લીધા. અને તે જ ક્ષણે સર્પ કાંચળીને છોડી દે તેમ માતા, પિતા અને સ્વજનોના સ્નેહ, રમણીઓના ભોગવિલાસ અને સંપત્તિના મોહ છોડી દીધા. અને અપૂર્વ યોગી બની અભિનિષ્ક્રમણ કર્યું.
પૂર્વના સંભૂતિ આ જન્મમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી રૂપે હતા. ચક્રવર્તીનાં અપ્રતિહત અને સર્વોત્તમ દિવ્ય સુખો ભોગવવા છતાં તેના અંતઃકરણમાં કોઈ કોઈ વખત અવ્યક્ત રીતે ઝીણી ઝીણી વિરહવેદના સાલ્યા કરતી. એકદા તે બગીચાના વિહારનો આનંદ લૂંટી રહ્યા હતા. એકાએક નવપુષ્પનો દડો જોઈ તેને આછું સ્મરણ આવ્યું કે “આવું મેં જોયું છે, અને અનુભવ્યું પણ છે' તુરત જ દેવગતિના વિમાનનાં સ્મરણો અને સાથે જ પૂર્વભવના સ્મરણો તાજા થયાં. ચિત્તનો વિરહ તેને અસહ્ય થઈ પડ્યો.
ભોગોની આસક્તિમાં હજુ સુધી જરા પણ ન્યૂનતા આવી ન હતી. પરંતુ ભાઈ પરના વિશુદ્ધ ને ગાઢ સ્નેહે ભાઈને મળવાની અપાર તાલાવેલી તો જાગી ગઈ હતી. તેણે તેમને શોધી કાઢવા માટે આ “સિ મિસTT દંસ ચાંડાત્મા ૩મરન' અર્ધશ્લોક રચી દેશોદેશમાં પટહ (ઢંઢેરો) વગડાવી જાહેર કર્યું કે આ શ્લોકને જે પૂર્ણ કરશે તેને અર્ધ રાજપાટ મળશે.
આ વાત દેશોદેશમાં પ્રસરી ગઈ છે. ચિત્તમુનિ ગામોગામ વિચરતા કાપીલ્ય નગરના ઉદ્યાનમાં આવે છે ત્યાં એક માળી છોડવાને પાણી પાતાં આ ગાથા ઉચ્ચાર્યા કરે છે. આ ગાથા સાંભળી ચિત્તમુનિ સ્તંભી રહે છે. આખરે તેની પાસેથી વૃત્તાન્ત જાણી એ ગાથાનાં આ પ્રમાણે “રૂTો છઠ્ઠિયા તારું મન્નમUT ના વિUT' બે ચરણ આપી તેને પૂર્ણ કરે છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
ચિત્તસંભૂતીય
૭૧ માળી રાજ્યમંડપમાં આવી ભર કચેરીમાં તે પૂર્ણ શ્લોક સંભળાવે છે. આથી બ્રહ્મદત ચક્રવર્તી માળીની હાલતમાં પોતાના ભાઈને જોતાં વાર જ મૂર્શિત થઈ પડી જાય છે. આ સ્થિતિમાં રાજ્યપુરુષો તે માળીને પકડી કેદ કરે છે. અંતે તે સાચી વાત જાહેર કરે છે અને જેની પાસેથી તે ગાથા સાંભળી છે તે મહા પ્રભાવશાળી યોગીરાજને ત્યાં તેડી લાવે છે. - બ્રહ્મદત્ત પોતાના ભાઈનું અપૂર્વ ઓજસપૂર્ણ શરીર જોઈ સ્વસ્થ થઈ જાય છે અને કહે છે કે ભાઈ ! આવી સમૃદ્ધિ પામ્યો અને આપ આ ત્યાગનાં દુઃખો ભોગવો છો તેનું શું કારણ? ચિત્ત પણ પોતાના પૂર્વ આશ્રમનું સુખ જણાવે છે. અને ત્યાગમાં દુઃખ છે કે સાચું સુખ છે તેની પ્રતીતિ આપે છે. - ત્યાગ એ પરમ પુરુષાર્થનું પરિણામ છે. ત્યાગનાં શરણ બળવાન પુરુષો જ ગ્રહણ કરી શકે છે. ત્યાગ એ સિંહવૃત્તિવાળા પાત્રમાં જ ટકે છે. સૌ જીવો આત્મપ્રકાશને ભેટવા તત્પર છે. ઘટતો પુરુષાર્થ પણ કરે છે. અપાર દુઃખ પણ વેઠે છે. છતાં વાસનાની આંટીમાં ફસાયેલાં પ્રાણીનો પુરુષાર્થ ઘાણીના બળદની માફક ત્યાં ને ત્યાં જ રાખી મૂકે છે. આસક્તિનો રોગ ચિત્તની વિશુદ્ધિ થવાથી નાશ પામે છે. શુદ્ધ વૈરાગ્યનાં પરિણમન તેવા જ અંતઃકરણમાં સહજ સહજ થઈ જાય છે.
૧. ચંડાલના જન્મમાં (કમ પ્રકોપથી) પરાભવ પામેલા સંભૂતિ મુનીશ્વરે હસ્તિનાપુરમાં (સનતકુમાર ચક્રવર્તીની ઋદ્ધિ જોઈને) નિયાણું (આવી સમૃદ્ધિ મળે તો કેવું સારું એવી વાસનામાં તપ વેચ્યું) કર્યું અને તેથી પબગુલ નામના વિમાનથી ચળીને (પછીના ભવમાં) ચુલની રાણીની કૂખે બ્રહ્મદત્ત રૂપે તેને અવતરવું પડ્યું.
નોંધ : ઉપરની વાતમાં સવિસ્તર બિના આપી છે એટલે અહીં આપવાની જરૂર નથી. પદ્મગુલ વિમાનમાં પહેલા દેવલોક સુધી બંને ભાઈ સાથે હતા. આ વખતે જ સંભૂતિ જુદો પડી ગયો તેનું કારણ એ કે તેણે નિયાણું કર્યું હતું. નિયાણાથી તેને મહાઋદ્ધિ મળી ખરી. પરંતુ સમૃદ્ધિનાં ક્ષણિક સુખ ક્યાં અને આત્મદર્શનનો આનંદ ક્યાં ? એની સમાનતા કદી હોઈ શકે ?
૨. એ પ્રમાણે કાંપીલ્ય નગરમાં સંભૂતિ ઉત્પન્ન થયા. અને (તેના ભાઈ) ચિત્ત, પુરિમતાલ નગરમાં વિશાલ એવા શેઠ કુળમાં ઉત્પન્ન થયા. ચિત્તના અંતઃકરણમાં વૈરાગ્યના ગાઢ સંસ્કારો હતા એથી) ચિત્ત તો સાચા ધર્મને સાંભળીને શીધ્ર ત્યાગી થઈ ગયા.
Page #105
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : ચિત્ત પણ અઢળક ધનવાળા ધનપતિને ત્યાં જન્મ્યો છતાં તે અનાસક્ત હોવાથી કામભોગોથી વિરમી શક્યો.
૩. ચિત્ત અને સંભૂતિ બંને ભાઈઓ (ઉપર કહેલા નિમિત્તથી) કાંપીલ્ય નગરમાં મળ્યા અને તેઓ પરસ્પર (ભોગવેલાં) સુખ દુઃખનાં ફળ તથા કર્મવિપાકને કહેવા લાગ્યા :
૪. મહાકીર્તિવાળા અને મહાસમૃદ્ધિવાળા બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પોતાના ભાઈને બહુમાનપૂર્વક આ વચન કહ્યું :
૫. આપણે બંને ભાઈઓ પરસ્પર એકબીજાને (હંમેશાં) અનુસરનારા, એક બીજાનું હિત કરનાર અને એક બીજાના પ્રેમમાં ખૂબ રક્ત હતા.
નોંધ : બ્રહ્મદત્તને જાતિસ્મરણ જ્ઞાન અને ચિત્તને અવધિજ્ઞાન થયું હતું તેથી અનુભવેલા પૂર્વભવની વાત કરે છે. અવધિજ્ઞાન એટલે મર્યાદાવાળું ત્રિકાળજ્ઞાન.
૬. (પહેલે ભવે) દશાર્ણદેશમાં આપણે બંને દાસ રૂપે હતા, (બીજે ભવે) કાલિંજર પર્વતમાં મૃગલા થયા હતા, ત્રીજે ભવે) મૃત ગંગા નદીને કાંઠે હંસરૂપે જન્મ્યા હતા. અને (ચોથે ભવે) કાશી ભૂમિમાં ચંડાળકુળમાં જન્મ્યા હતા.
૭. (પાંચમે ભવે) દેવલોકમાં મહાઋદ્ધિવાળા આપણે દેવ હતા, માત્ર આપણો છઠ્ઠો જન્મ જ પરસ્પર સાથ વગરનો થયો છે.
નોંધ : આમ બોલી સંભૂતિએ; છઠ્ઠા ભવે ભિન્ન ભિન્ન સ્થળે શાથી ઉત્પન્ન થવું પડ્યું તેનું કારણ પૂછ્યું.
૮. હે રાજન ! તમે (સનતકુમાર નામના ચોથા ચક્રવર્તીની સમૃદ્ધિ તથા તેમનાં સુનંદા નામનાં સ્ત્રીરત્નને દેખીને આસક્તિ ઉપજવાથી) તપશ્ચર્યાદિ ઉચ્ચ કર્મોનું નિયાણું (આવું તુચ્છ ફળ) માગી લીધું. તેથી તે ફળના પરિણામે જ આપણે વિયોગ પામ્યા. (આ ચિત્તનાં વચન છે.)
નોંધ : તપશ્ચર્યાથી પૂર્વકર્મોનો ક્ષય થતો હોય છે. પૂર્વ કર્મ ક્ષય થવાથી આત્મા હળવો બને છે અને તેનો વિકાસ થાય છે. પુણ્યકર્મથી સુંદર સંપત્તિ મળે પરંતુ સંપત્તિથી આત્મા ભારી બનવા સંભવ છે. તેથી જ મહાપુરુષો પુણ્ય ન ઇચ્છતાં માત્ર પાપકર્મનો ક્ષય જ ઇચ્છે છે. પુણ્ય એ જો કે સોનાની સાંકળ છે. છતાં સાંકળ એ પણ બંધન જ છે. જેણે બંધન રહિત થવું હોય તેણે સોનાની સાંકળ પણ તજી દેવા પ્રયત્ન કરવો જોઈએ. અને નિરાસક્તપણે કમને ભોગવી લેવાં જોઈએ.
Page #106
--------------------------------------------------------------------------
________________
ચિત્તસંભૂતીય
૯. (બ્રહ્મદત્તે કહ્યું, પૂર્વ કાળમાં સત્ય અને કપટ રહિત તપશ્ચર્યાદિ શુભકર્મો મેં કર્યા તેથી જ તેનું ફળ આજ (ઉત્તમ સમૃદ્ધિ પામી) હું ભોગવું છું. પરંતુ તે ચિત્ત ! તારી દશા આવી શાથી થઈ ? તારા શુભકર્મ બધાં ક્યાં ગયાં ?
૧૦. (હ રાજેન્દ્ર !) જીવોએ આચરેલાં સર્વ (સુંદર કે અસુંદર બધાં) કર્મો ફળવાળાં જ હોય છે. કરેલાં કર્મોને ભોગવ્યા વિના મુક્તિ થતી જ નથી. તેથી મારો જીવાત્મા પણ પુણ્યકર્મના પરિણામે ઉત્તમ પ્રકારની સંપત્તિ અને કામભોગોથી યુક્ત થયો હતો.
૧૧. હે સંભૂતિ ! જેમ તું પોતાને ભાગ્યવાન માને છે તેમ પુણ્યનાં ફળથી યુક્ત ચિત્તને પણ મહાન ઋદ્ધિમાન જાણ. વળી હે રાજન જેવી તે (ચિત્ત)ની સમૃદ્ધિ હતી તેવી જ પ્રભાવશાળી કાંતિ પણ હતી.
નોંધ : ઉપરના બે શ્લોકો ચિત્તમુનિએ કહ્યા. આજે તે મુનિ થયા હતા. ઈદ્રિયનિયમનાદિ કઠણ તપશ્ચર્યા અને શરીર વિભૂષાના ત્યાગથી તેની દેહકાંતિ બહારથી ઝાંખી દેખાતી હતી છતાં તેના આત્માઓજસ તો કોઈ અપૂર્વજ હતાં.
૧૨. નૃપતિએ પૂછ્યું કે, જો એવી સમૃદ્ધિ હતી તો ત્યાગ શા માટે કર્યો ? જવાબમાં ચિત્તમુનિ કહે છે : પરમાર્થથી પૂર્ણ છતાં અલ્પ વચનવાળી ગંભીર ગાથા (કોઈ મુનીશ્વરે એકદા) અનેક મનુષ્યોના સમૂહમાં ફરમાવી. કે જે ગાથાને સાંભળીને ઘણા ભિક્ષુકો ચારિત્રગુણમાં વધુ અને વધુ લીન બને છે. તે ગાથા સાંભળીને હું શ્રમણ (તપસ્વી) થયો.
નોંધ : સમૃદ્ધિ પામ્યા છતાં સંતોષ ન હતો. આ ગાથા સાંભળ્યા પછી બંધનો તરત જ દૂર થયાં અને ત્યાગ ગ્રહણ કર્યો.
૧૩. (બ્રહ્મદત્ત આસક્ત હતો. તેને ત્યાગ નહોતો ગમતો તેથી તેણે ચિત્તને ભોગો માટે આમંત્રણ કર્યું :) ઉચ્ચ, ઉદય, મધુ, કર્ક અને બ્રહ્મ નામના પાંચ સુંદર મહેલો, ભિન્નભિન્ન પ્રકારનાં દશ્યો તેમજ મંદિરો અને પાંચલ દેશનું રાજય આ બધું તમારું જ છે. તે ચિત્ત ! તેને પ્રેમપૂર્વક ભોગવો.
૧૪. વળી તે ભિક્ષુ ! વાજિંત્ર સાથે નૃત્ય તથા સંગીત તેમજ મનોહર યુવતીઓના સંગથી વિટળાઈને આવા રમ્ય ભોગોને ભોગવો. તે જ મન ગમે છે. ત્યાગ એ તો ખરેખર મહાન કષ્ટ છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
૭૪
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : ત્યાગીને ભોગોનું આમંત્રણ કરવામાં પણ તેનાં સ્નેહ અને સહૃદયતા સ્પષ્ટ દેખાતાં હતાં.
૧૫. ઊભરાતા પૂર્વ સ્નેહથી અને કામ ભોગોમાં આસક્ત થયેલા મહારાજા (બ્રહ્મદત્ત)ને તેના એકાંત હિતચિંતક અને સંયમધર્મમાં રક્ત રહેલા ચિત્તમુનિએ આ વચન કહ્યું :
૧૬. બધાં સંગીત તે એક પ્રકારના વિલાપ સરખાં છે, સર્વ પ્રકારનાં નૃત્ય કે નાટક એ વિટંબના રૂપ છે, બધા અલંકારો તો બોજારૂપ છે અને બધા કામભોગો એકાંત દુઃખને જ આપનાર છે.
નોંધ : સંસાર આખોય જ્યાં નાટક રૂપે છે ત્યાં બીજાં નાટકો શાં જોવાં? જે સ્થળે ક્ષણ પહેલાં સંગીત અને નૃત્ય થઈ રહ્યાં હોય છે ત્યાં જ થોડી ક્ષણ બાદ હાહાકાર ભર્યા કરુણ રૂદનો થાય છે. ત્યાં કોને સંગીત માનવાં? આભૂષણો બાળકની ચિત્તવૃત્તિને પોષવાનાં રમકડાં છે. ત્યાં સમજુને મોહ શા ? ભોગો તો આધિવ્યાધિ અને ઉપાધિ ત્રણે તાપનાં મૂળ છે. દુ:ખના મૂળમાં સુખ શી રીતે સંભવે ?
૧૭. તપશ્ચર્યા ધનવાળા, ચારિત્રગુણોમાં લીન અને કામ ભોગોની આસક્તિથી સાવ વિરક્ત એવા ભિક્ષુઓને જે સુખ હોય છે તે સુખ, હે રાજન ! અજ્ઞાનીઓને મનોહર લાગવા છતાં એકાંત દુ:ખને આપનાર એવા કામભોગોમાં કદી હોઈ શકે જ નહિ.
૧૮. હે નરેન્દ્ર ! મનુષ્યોમાં અધમ ગણાતા એવા ચંડાલજીવનમાં પણ આપણે રહ્યા હતા. તે જન્મમાં (કર્મવશાતું) આપણે ઘણા મનુષ્યોના અપ્રીતિપાત્ર થયા હતા. અને ચંડાલનાં સ્થાનોમાં પણ રહ્યા હતા. (તે બધું યાદ છે ?).
નોંધ : ચંડાલ જાતિનો અર્થ અહીં ચંડાલકર્મને અંગે સમજવો. જાતિથી કોઈ નીચ કે ઊંચ હોતા જ નથી. કર્મથી જ ઊંચા કે નીચ થવાય છે. જો ઉત્તમ સાધનો પામીને પણ પૂર્વ ભવે કરેલી ગફલત આજે પણ થશે તો આત્મવિકાસને ટાણે પતિત થઈ જવું પડશે તે સારુ પૂર્વભવની યાદી આપે છે.
૧૯. જેવી રીતે ચંડાલના ઘરે ઉત્પન્ન થઈ તે દુષ્ટ જન્મમાં આખા લોકની નિંદાને પાત્ર હતા છતાં પાછળથી શુભકર્મ કરવાથી જ આજે આ ઉત્તમ સ્થિતિમાં પહોંચ્યા છીએ. તે પણ પૂર્વે કરેલા કર્મનું જ પરિણામ છે. (એ ન ભૂલશો.)
Page #108
--------------------------------------------------------------------------
________________
ચિત્તસંભૂતીય
૭૫ નોંધ : એ ચંડાલ જાતિમાં જ મહાપુરુષના સત્સંગ તથા સંસ્કારોને લીધે ત્યાગી થઈ જે શુદ્ધ કર્મો કર્યા છે તેનું જ આ સુંદર પરિણામ પામ્યા છીએ. તે કાળમાં ચંડાલ જાતિમાં મનુષ્યની સમાનતાના અધિકારો બ્રાહ્મણવર્ગે ખૂંચવી લીધા હતા.
૨૦. હે રાજન ! પુણ્યનાં ફળે કરી જ મહાસમૃદ્ધિવાળો અને મહાભાગ્યવાળો તું થયો છે. માટે હે રાજન્ ! ક્ષણિક ભોગોને તજીને, (શાશ્વત સુખ માટે) મુક્તિ માટે ત્યાગ દશાને અંગીકાર કરી લે.
૨૧. હે રાજન ! આ (મનુષ્યના) ક્ષણિક જીવનમાં સુંદર કાર્યોને નહિ કરવાવાળો મનુષ્ય ધર્મને છોડી દીધા પછી મૃત્યુના મોંમાં જયારે જાય છે ત્યારે પરલોકને માટે ખૂબ જ પશ્ચાત્તાપ કરે છે.
૨૨. જેમ સિંહ મૃગલાને પકડીને લઈ જાય છે તેમ અંત વખતે મૃત્યુ (રૂપ સિંહ) પણ મનુષ્યને નિર્દય રીતે ગળી જાય છે. ત્યાં માતા, પિતા, ભાઈ વગેરે કોઈ સહાયક થઈ શકતાં નથી.
૨૩. તે (કર્મના પરિણામે ઉત્પન્ન થયેલા) દુઃખમાં જ્ઞાતિજનો, સ્નેહીવર્ગ, પુત્રો કે બંધુઓ કોઈ ભાગ પડાવતાં નથી. કર્મ કરનાર જીવને સ્વયં તેનું દુઃખ ભોગવવું પડે છે કારણ કે કર્મ તો તેના કરનારને જ અનુસરે છે.
નોંધ : કર્મ એવી વસ્તુ છે કે તેનું ફળ તેના ભોક્તાને જ મળે છે તેમાં પોતાના જીવાત્મા સિવાય કોઈ પણ કાળે ન્યૂનાધિક્ય કોઈ કરી શકે જ નહિ આથી કહ્યું છે કે, “તમે જ તમારો બંધ કે મોક્ષ કરી શકો છો.'
૨૪. નોકરચાકર, પશુઓ, ક્ષેત્રો (ઉઘાડી ભૂમિ), મહેલો, ધન અને ધાન્ય વગેરે સર્વને તજીને માત્ર પોતાનાં શુભ કે અશુભ કર્મની સાથે રહેલો (કર્મથી પરતંત્ર) એકાકી જીવાત્મા જ સુંદર કે અસુંદર પરલોક પરાભવ) ને પામે છે.
નોંધ : શુભકર્મ હોય તો સારી ગતિમાં તેનું આકર્ષણ થાય છે. અને અશુભ કર્મ હોય તો માઠી ગતિમાં થાય છે.
૨૫. (મૃત્યુ થયા બાદો ચિતામાં રાખેલા તેના તે અસાર (ચેતન રહિત) શરીરને અગ્નિથી બાળીને જ્ઞાતિજનો, પુત્ર અને સ્ત્રી વગેરે (તેને થોડા વખતમાં ભૂલી જઈને) બીજા દાતાર (માલિક) અનુસરે છે.
નોંધ : વિશ્વમાં સૌ કોઈ સ્વાર્થ પૂરતું જ સગપણ રાખે છે. એક તરફનો સ્વાર્થ ગયો એટલે સૌ કોઈ બીજાને અનુસરવાનાં.
Page #109
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૬. હે રાજન્ ! આયુષ્ય તો જરા પણ વિરામ લીધા વિના નિરંતર ક્ષય થતું રહે છે. જેમ જેમ દિવસો વધે તેમ તેમ આયુષ્યકાળ ઓછો થાય છે) જેમ જેમ જરા અવસ્થા આવતી જાય છે તેમ યૌવનની કાન્તિ હણાતી રહે છે. માટે હે પંચાલના રાજેશ્વર ! આ વચનને સાંભળી લે. અને મહારંભ (હિંસા તથા વિષયાદિ)નાં ભયંકર કાર્યોને ન કર. (છોડી દે.) ચિત્તનાં એકાંત વૈરાગ્યોત્પાદક અનુભવનાં વચનો સાંભળી
બ્રહ્મદર (સંભૂતિ) બોલ્યા : ૨૭. હે સાધુપુરુષ ! જે વાક્યને આપ કહો છો તે હું પણ હવે જાણી શકું છું. આ ભોગો જ મને આસક્તિ (બંધન)ના કારણરૂપ છે. પરંતુ છે આર્ય ! અમારા જેવા દુર્બળ)થી ખરેખર તે દુર્જય છે. (આસક્ત પુરુષોથી કામભોગો છૂટવા દુષ્કર છે.)
૨૮. હે ચિત્તમુનિ ! (તેથી જ હસ્તિનાપુરમાં મહાસમૃદ્ધિવાળા સનતકુમાર ચક્રવર્તીને જોઈને હું કામ ભાગોમાં આસક્ત થઈ ગયો અને અશુભ એવું નિયાણું (થોડા માટે ઘણું ત્યાગવું) કરી દીધું.
૨૯. તે નિદાન કર્યા પછી પણ (તમારા કહેવા છતાં) નિવારણ ન કર્યું. તેથી જ આ ફળ મળ્યું છે અને ધર્મને જાણવા છતાં પણ કામભોગોની આસક્તિ છોડી શકતો નથી.
નોંધ : વાસના જાગ્યા પછી પણ જો ગંભીર ચિંતનથી તેનું નિવારણ થાય તો પતિત થતાં બચી જવાય.
૩૦. જળ પીવા જતાં કાદવમાં ખેંચી ગયેલો હાથી કાંઠો જોવા છતાં તેને પામી શકતો નથી. એ જ પ્રમાણે કામભાગોમાં આસક્ત થયેલા અમે (કામભોગોનાં દુષ્ટ પરિણામને જાણવા છતાં) ત્યાગ માર્ગને અનુસરી શકતા નથી.
૩૧. કાળ ઉતાવળો થાય છે. અને રાત્રિઓ જલદી પસાર થતી જાય છે. (આયુષ્યબળ ક્ષીણ થતું જાય છે.) મનુષ્યોના કામભોગો પણ નિત્ય નથી. પક્ષીઓ જેમ ફળ ખરી ગયા પછી વૃક્ષને તજી દે છે તેમ પ્રાપ્ત થયેલા કામભોગો પણ પુરુષને તજી દે છે.
નોંધ : તરુણવયમાં જે કામ ભોગો પ્યારા લાગે છે તે જ વૃદ્ધવયમાં આકરા થઈ પડે છે.
૩૨. જો ભોગીને સર્વથા છોડવા માટે સમર્થ ન હો તો હે રાજન્ ! દયા, પ્રેમ, પરોપકાર ઇત્યાદિ આર્યકર્મો કર. સર્વ પ્રજા પરદયાળુ તથા
Page #110
--------------------------------------------------------------------------
________________
ચિત્તસંભૂતીય
૭૭
ધર્મપરાયણ થઈશ તો તું અહીં (ગૃહસ્થાશ્રમ)થી પણ ચ્યવીને ઇચ્છા પ્રમાણે રૂપ ધરનારો ઉત્તમ દેવ થઈશ. (ચિત્તમુનિ બોલ્યા).
નોંધ : ગૃહસ્થાશ્રમમાં પણ યથાશક્તિ ત્યાગ કરે તો તે દેવયોનિ પામી શકે છે.
૩૩. (ભોગાસક્ત નૃપતિ કશું ન સ્વીકારી શકવાથી ચિત્તમુનિ નિર્વેદતા અનુભવીને કહે છે :) પરંતુ હે રાજન ! આ સંસારના આરંભ અને પરિગ્રહોમાં તું ખૂબ આસક્ત થયો છે. ભોગોને છોડવાની તારી જરા પણ ઇચ્છા જ નથી. તો આટલો વાર્તાલાપ મેં ફોકટ જ કર્યો એમ માનું છું. હે નૃપ ! હવે હું જવાની ઇચ્છા રાખું છું. (એમ કહીને ચિત્તમુનિ ચાલતા થયા.)
નોંધ : જેવાં કર્મ કરાય તેવું ફળ પમાય.
૩૫. અને ચિત્તમહર્ષિ કામભોગોથી વિરક્ત રહી, ઉગ્ર ચારિત્ર અને ઉગ્ર તપશ્ચર્યા તથા શ્રેષ્ઠ સંયમને પાળીને શ્રેષ્ઠ એવી સિદ્ધિગતિને પામ્યા. નોંધ : ભોગોને ભોગવ્યા પછી ત્યાગવા એ દુર્લભ અને આસક્તિ હઠાવવી એ અતિ દુર્લભ છે. ભોગોની જાળ છૂટવી બહુ બહુ કઠણ છે. માટે મુમુક્ષુએ ભોગોથી દૂર જ રહેવું.
એમ કહું છું.
એ પ્રમાણે ચિત્તસંભૂતિનું તેરમું અધ્યયન સમાપ્ત થયું.
Page #111
--------------------------------------------------------------------------
________________
७८
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : ચૌદમું ઈપુકારીય ઈષુકાર રાજા સંબંધી
સંગની અસર જીવન પર સચોટ થાય છે. ઋણના અનુબંધો ગાઢ પરિચયથી જાગે છે. સત્સંગથી જીવન અમૃતમય બને છે અને પરસ્પરના પ્રેમભાવથી એકબીજા પ્રત્યે સાવધ રહેલા સાધકો સાથે સાથે રહી જીવનના ધ્યેયે પહોંચી વળે છે.
આ અધ્યયનમાં આવા જ છ જીવોનું મિલન થયું છે. દેવ-યોનિમાંથી ઊતરી આવેલ છ પૂર્વયોગીઓ એક જ ઇષુકાર નગરમાં અવતર્યા છે. તેમાંના ચાર બ્રાહ્મણકુળમાં અને બે ક્ષત્રિયકુળમાં યોજાયા છે. બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલા બે કુમારો યોગ સંસ્કારોની પ્રબળતાથી યુવાનવયમાં ભોગોની લાલચથી પર થાય છે. સંસારની વાસનાને દૂર કરી યોગ લેવા પ્રેરાય છે. તેમનાં માતા અને પિતારૂપે યોજાયેલા બે જીવો પણ તેના યોગબળથી આખરે આકર્ષાય છે અને આખું કુટુંબ ત્યાગમાર્ગને શીઘ્ર અંગીકાર કરી લે છે.
ઇષુકારનગરમાં ધન માલ અને પરિવાર-આદિનાં બંધનને તોડી એકીસાથે આ ચાર સમર્થ આત્માઓનું મહાભિનિષ્ક્રમણ અજબ વિસ્મયતા જગાડે છે. આખા શહેરમાં ધન્યવાદના ધ્વનિઓ ગાજી રહે છે. આ સાંભળી પૂર્વભવની પ્રેરણા રાણીજીને પણ જાગૃત થઈ જાય છે અને તે ભાવનાની અસર રાજાજીને પણ એકાએક થઈ આવે છે, અને આવી રીતે એ છએ જીવાત્માઓ સંયમમાર્ગનો અંગીકાર કરી આકરાં તપશ્ચરણ અને સાધુતા સેવી અંતિમ ધ્યેયને પામી જાય છે. તે બધો ઉલ્લેખ આ અધ્યયનમાં મળે છે.
ભગવાન બોલ્યા :
૧. પૂર્વભવમાં દેવો થઈને એક વિમાનમાં રહેલા કેટલાક (છ) જીવો દેવલોક જેવા રમ્ય, સમૃદ્ધ, પ્રાચીન અને પ્રસિદ્ધ એવા ઇષકાર નામના નગરમાં ઉત્પન્ન થયા.
૨. પોતાનાં શેષ (બાકી રહેલાં) કર્મો વડે ઉચ્ચ એવા કુળમાં ઉત્પન્ન થયા છે અને પછીથી ત્યાં સંસારભયથી ઉદ્વિગ્ન થઈ સંસારને છોડીને જિનંદ્રમાર્ગ (સંયમ ધર્મ)ને શરણે ગયા છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
ઈષકારીય
૩. તે છે જીવો પૈકી એક પુરોહિત અને જશ નામની તેની પત્ની થયાં. અને બીજા બે જીવ પુરુષપણું પામીને તેમના કુમારરૂપે થયા.
નોંધ : ચાર જીવો બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા અને બે ક્ષત્રિય કુળમાં જમ્યા.
૪. જન્મ, જરા અને મૃત્યુના ભયથી ત્રાસેલા અને તેથી જ સંસારની બહાર નીકળવાની ઇચ્છાવાળા તે બે કુમારો સંસારના ચક્ર (પરિભ્રમણ)થી છૂટવા માટે કોઈ યોગીશ્વરને જોઈને (ત નિમિત્તથી) કામભોગોથી વિરક્ત થયા.
નોંધ : જંગલમાં કેટલાક યોગીજનોનાં દર્શન થયા પછી પૂર્વયોગનું સ્મરણ થયું અને જન્મ, જરા અને મૃત્યુના દુઃખથી ભરેલા આ સંસારમાંથી છૂટવા માટે આદર્શ ત્યાગની અપેક્ષા જાગી.
૫. પોતાના કર્મમાં પરાયણ એવા પુરોહિત બ્રાહ્મણના તે બંને બાળકોને પોતાના પૂર્વજન્મોનું સ્મરણ થયું અને પૂર્વકાળમાં સંયમ તથા તપશ્ચર્યાનું સેવન કરેલું તે પણ યાદ આવ્યાં.
નોંધ : બ્રાહ્મણનું કાર્ય તે સમયે યજ્ઞયાગાદિ પરત્વે વિશેષ રહેતું.
૬. તેથી તેઓ મનુષ્યજીવનમાં દિવ્ય ગણાતા એવા શ્રેષ્ઠ કામભોગોમાં પણ આસક્ત ન થયા. અને ઉત્પન્ન થયેલા અપૂર્વ વિશ્વાસથી મોક્ષની અભિલાષાવાળા તે કુમારો પોતાના પિતા પાસે આવીને નમ્રતાપૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા :
૭. આ વિહાર-જીવન અનિત્ય છે. વળી બહુ રોગાદિની અંતરાયવાળું અને અલ્પ આયુષ્યયુક્ત છે તેથી અમોને આવા (સંસાર વધારનાર) ગૃહસ્થજીવનમાં (જરા પણ) સંતોષ થતો નથી. માટે મુનિપણું (ત્યાગજીવન) ગ્રહણ કરવા માટે આપની પાસે આજ્ઞા માગીએ છીએ.
૮. (આ સાંભળીને દુઃખી થયેલા) તેમના પિતાજી, તે બંને મુનિ (ભાવનાથી ચારિત્રશાળી)ઓના ત૫ (સંયમી જીવન)માં બાધા કરનારું વચન બોલ્યા : વેદના પારંગત પુરુષો “પુત્રરહિત પુરુષો ઉત્તમ ગતિને પામતા નથી.' તેમ કહે છે. નોંધ :
अपुत्रस्य गतिर्नास्ति स्वर्गो नैव च नैव च । तस्मात् पुत्रमुखं दृष्ट्वा पश्चाद् धर्म समाचरेत् ॥
Page #113
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર વેદધર્મનું આ વચન માત્ર અમુક અપેક્ષાએ કહેવાયેલું છે. વેદ ધર્મમાં પણ બ્રહ્મચારી અવસ્થામાંથી કૈક ત્યાગી પુરુષો પાક્યા છે. અને કહ્યું છે કે :
अनेकानि सहस्त्राणि कुमारा ब्रह्मचारिणः ।
स्वर्गे गच्छति राजेन्द्र अकृत्वा कुलसंततिम् ॥ તે બંને બાળકોએ હજુ ત્યાગીનો વેશ ધારણ કર્યો ન હતો. અહીં ભાવનાનું પ્રબળપણું બતાવવા માટે મુનિપદ લીધું છે.
૯. માટે હે પુત્રો ! વેદોને બરાબર ભણીને, બ્રાહ્મણોને સંતોષીને તેમજ સ્ત્રીઓ સાથે ભોગો ભોગવીને અને પુત્રોને ઘરની વ્યવસ્થા સોપીને, પછી જ અરણ્યમાં જઈ પ્રશસ્ત સંયમી થજો.
નોંધ : તે કાળમાં બ્રાહ્મણોને દાન આપવું અને વેદોનું અધ્યયન કરવું તે બંને, ગૃહસ્થ ધર્મનાં ઉત્તમ અંગો મનાતાં. કુળધર્મની છાપ દરેક જીવ પર રહે જ છે તેથી અહીં બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમ પાળી ત્યાર બાદ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવાનું કહે છે. પરંતુ આવું પ્રતિપાદન કરવામાં ખાસ કરીને પુત્રો પરની આસક્તિ જ સ્પષ્ટ જણાય છે.
૧૦. બહિરાત્માના ગુણ (રાગ) રૂપી લાકડાંથી અને મોહરૂપી વાયુથી અધિક જાજવલ્યમાન એવા પુત્રવિયોગના શોકરૂપી અગ્નિથી બળતા અંતઃકરણવાળા અને દીનવચન (રે પુત્રો ! ત્યાગી ન બનો એમ મોહથી વલવલાટ કરતા અને) વારંવાર બોલતા
૧૧. વળી જુદાં જુદાં પ્રલોભન આપતા તથા પોતાના પુત્રોને ક્રમપૂર્વક ધન વડે ભોગજન્ય સુખનું નિમંત્રણ કરતા એવા પુરોહિત (પિતા)ને તે બંને કુમારો વિચારપૂર્વક આ વાક્ય કહેવા લાગ્યા :
૧૨. વેદો માત્ર ભણી જવાથી તે શરણરૂપ થઈ શકતા નથી. જમાડેલા બ્રિાહ્મણો કંઈ પ્રકાશ (આત્મભાન)માં લઈ જઈ શકતા નથી તેમ ઉત્પન્ન થયેલા પુત્રો પણ કંઈ (પાપકર્મના ફળ ભોગવવામાં) શરણરૂપ થતા નથી. તો હે પિતાજી ! આ આપનું કથન કોણ માની શકે ?
નોધ: પોતાના ધર્મને ભૂલેલા બ્રાહ્મણોને જમાડવાથી કંઈ સધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. બલકે અજ્ઞાન પેસે છે. વેદોનું અધ્યયન જ કંઈ સ્વર્ગ આપી શકે નહિ. સ્વર્ગ કે મુક્તિ તો આચરેલો સત્યધર્મ જ આપી શકે.
૧૩. વળી કામભોગો પણ ક્ષણમાત્ર જ સુખ અને બહુકાળ દુઃખ આપનારા
Page #114
--------------------------------------------------------------------------
________________
ઈપુકારીય
૮૧ છે, જે વસ્તુમાં ઘણું દુ:ખ હોય તે વસ્તુ સુખ કરનાર શી રીતે માની શકાય ? એટલે કે કામભોગો અકાંત અનર્થની ખાણ અને મુક્તિમાર્ગના શત્રુરૂપ જ છે.
નોંધ : આસક્તિ એ આત્મમાર્ગથી ભુલાવી સંસારમાં ભટકાવે છે. આસક્ત મનુષ્ય અસત્ય માર્ગમાં આખું જીવન વેડફી નાખે છે. અને આખરે તે વાસનાને જ સાથે લઈ મૃત્યુને શરણે જાય છે.
૧૫. આ (સુવર્ણ, ઘરબાર વગેરે) મારું છે અને આ મારું નથી. આ મેં (વ્યાપારાદિક) કર્યું અને આ નથી કર્યું. આ પ્રમાણે બડબડતા પ્રાણીને રાત્રિ અને દિવસોરૂપી ચોરો (આયુષ્યને ચોરી રહ્યા છે. માટે શા સારુ પ્રમાદ કરવો ?
નોંધ : મમત્વના ગંદા વાતાવરણમાં તો જીવમાત્ર સબડી રહ્યા છે. પોતાની માનેલ વસ્તુ પર આસક્તિ અને અન્ય પર દ્વેષ એ આખા જગતની મનોવૃત્તિ છે. ત્યાં સમજુ મનુષ્ય જાગૃત રહી શકે છે અને જે સમય ગયો તે ફરી ફરી મળતો નથી તેમ માની પોતાના (આત્મશોધનના) માર્ગમાં પ્રયાણ કરે છે.
૧૬. (પિતા કહે છે, જેને માટે આખો સંસાર (બધો પ્રાણી વર્ગ) મહાન તપશ્ચર્યા (ભૂખ, દુઃખ, ટાઢ, તાપ) કરી રહ્યો છે. તે અખૂટ સંપત્તિ, સ્ત્રીઓ, સ્વજનો અને કામભોગો તમોને ખૂબ સ્વતંત્ર રીતે મળ્યાં છે.
નોંધ : આ વચનો પુરોહિતનાં છે. તે એમ બતાવે છે કે સંયમનો હેતુ સુખ મેળવવાનો છે. તે સુખ તમોને સ્વયં મળ્યું છે માટે સંયમ શા માટે લો છો? વાસ્તવિક રીતે સંયમ, રોગ કે તપ ભૌતિક સુખ માટે છે જ નહિ. કેવળ આત્મસુખ પ્રાપ્ત કરવાનાં જ તે સાધનો છે.
૧૭. (પુત્રોએ કહ્યું : હે પિતાજી !) સાચા ધર્મની ધુરાના અધિકારમાંસ્વજન, ધન કે કામભોગોની કશી આવશ્યકતા હોતી જ નથી. તે માટે તો અમે, જગતમાં પ્રતિબંધ રહિત ફરનારા અને ભિક્ષાજવી બની ગુણના સમૂહને કરનારા એવા સાધુ થઈશું.
નોંધ : આ નાના ઘરનું મમત્વ છોડી આખા વિશ્વમાં પ્રવેશ કરીશું અને ભિક્ષાજીવી આદર્શ સાધુ બની આત્મગુણની આરાધના કરશું.
૧૮. જેમ અરણિમાં અગ્નિ, દૂધમાં ઘી અને તલમાં તેલ ન દેખાવા છતાં સંયોગબળથી ઉત્પન્ન થાય છે, તે જ રીત છે બાળકો ! પંચભૂતાત્મક શરીરમાંથી જ જીવ ઉત્પન્ન થાય છે અને શરીરના નાશની સાથે જ જીવ
Page #115
--------------------------------------------------------------------------
________________
૮૨
ઉત્તરાધ્યયન સૂત્ર નષ્ટ થાય છે. શરીર નાશ પામ્યા પછી ચેતન રહેતું જ નથી. (તો પછી ધર્મ શા માટે ? અને સંયમ શા માટે ?)
નોંધ : ચાર્વાક મતનું એ કથન છે કે પંચ મહાભૂતથી જ કોઈ શક્તિ ઉત્પન્ન થાય છે અને તે શરીરની સાથે જ ક્ષીણ થાય છે. પરંતુ વાસ્તવિક રીતે ચેતન શક્તિનો ક્ષય કદી થઈ શકે જ નહિ. અરણિ, તલ અને દૂધમાં અગ્નિ, તેલ અને ઘી બહાર ન દેખાવા છતાં તે અવ્યક્ત રીતે અવશ્ય રહેલું જ હોય છે. તેમ શરીર ધારણ કરતી વખતે કર્મથી સંડોવાયેલું ચેતનતત્ત્વ રહેલું જ હોય છે. અને શરીર ક્ષીણ થયે (કર્માનુકૂળ) બીજા શરીરમાં યોજાય છે.
૧૯. (પુત્રોએ કહ્યું : હે પિતાજી !) આત્મા અમૂર્ત હોવાથી ઇંદ્રિયો દ્વારા ગ્રહણ કરી (જોઈ કે સ્પર્શી) શકાતો નથી. વળી ખરેખર અમૂર્ત હોવાથી જ તે નિત્ય ગણાય છે. આત્મા નિત્ય હોવા છતાં જીવાત્મામાં રહેલા અજ્ઞાનાદિ દોષોએ કરીને તે બંધાય છે. આ બંધન એ જ સંસાર પરિભ્રમણનું કારણ છે એમ મહાપુરુષો કહે છે.
નોંધ : જેટલાં અમૂર્ત દ્રવ્યો છે તે બધાં નિત્ય હોય છે. જેમકે આકાશ અમૂર્ત છે. તો તે નિત્ય જ છે. પરંતુ આકાશદ્રવ્ય અખંડ નિત્ય છે અને જીવાત્મા (કર્મથી બંધાયેલો જીવ) પરિણામી નિત્ય છે અને તેથી જ કર્મવશાત્ તે નાના મોટા આકારમાં પરિણમી ઉચ્ચ નીચ ગતિમાં ગમન કરે છે.
૨૦. આજ સુધી અમે મોહના બંધનથી ધર્મને જાણી શકતા ન હતા અને તેથી જ ભવચક્રમાં રૂંધાતા અને કામભોગોમાં આસક્ત થતા થતા પાપનાં કામો કર્યે જ જતા હતા. પણ હવે જાણ્યા પછી ફરીથી તેમ નહિ કરીએ.
નોંધ : એક વખત અમે પણ અજ્ઞાનથી શરીર મોહમાં રાચી પાપ પુણ્ય નથી, પરલોક નથી. એમ તમારા કહેવા પ્રમાણે માન્યતા ધરાવતા હતા. પરંતુ હવે જાણ્યા પછી તે વસ્તુ અંતરમાં જરા પણ ઊતરતી નથી.
૨૧. સર્વદિશાથી ઘેરાયેલો આ આખો સંસાર તીર્ણ શસ્ત્ર ધારાઓ (આધિ, વ્યાધિ અને ઉપાધિના તાપ)થી હણાઈ રહ્યો છે. તેથી ગૃહજીવનમાં લેશમાત્ર પ્રીતિ ઉત્પન્ન થતી જ નથી
૨૨. હે પુત્રો ! શાથી આ લોક વીંટાયો છે ? શાથી આ લોક હણાઈ રહ્યો છે ? સંસારમાં કયા ક્ષીણ શાસ્ત્રીની ધારાઓ પડી રહી છે ? તે ચિંતામાં પડેલા મને તમે સત્વર કહો.
Page #116
--------------------------------------------------------------------------
________________
ઈષકારીય
૨૩. (પુત્રો કહે છે :) આ આખો લોક મૃત્યુથી પીડાઈ રહ્યો છે અને જીર્ણ અવસ્થા (ઘરડાપણું)થી વિટાઈ રહ્યો છે. તીણ શસ્ત્રધારારૂપ રાત્રિ દિવસો આયુષ્યને ક્ષણે ક્ષણે કોરી રહ્યાં છે. એ પ્રમાણે હે પિતાજી ! તમે આ વાતને ખૂબ વિચારો.
૨૪. જે જે રાત્રિદિવસ જાય છે તે પાછાં ફરતાં નથી. આવા ટૂંક કાળના જીવનમાં અધર્મને કરનારના સમયો નિષ્ફળ ચાલ્યા જાય છે.
નોધ : અમૂલ્ય ક્ષણો પુનઃ પુનઃ સાંપડતી નથી. સમય જતાં જતાં પણ પશ્ચાત્તાપને મૂકી જાય છે.
૨૫. જે જે રાત્રિદિવસ જાય છે, તે પાછાં ફરતાં નથી. પણ સદ્ ધર્મના આચરનારને તે સફળ થઈ જાય છે.
નોંધ : સમયનો સદુપયોગ કરનારને સમય હાથમાંથી ગયા પછી પસ્તાવું પડતું નથી.
*પુત્રનાં અમૃત વચનોએ પિતાનું હૃદય પલટાવ્યું હતું છતાં વાત્સલ્યનો પ્રવાહ વિખૂટાં પાડતાં રોકી રહ્યો હતો.
તે બોલ્યા : ૨૬. હે પુત્રો ! સમ્યકત્વ સંયુક્ત થઈને (આસક્તિ રહિત બનીને) થોડો કાળ ચારે જણા (માતા, પિતા અને બે પુત્રો) ગૃહસ્થાશ્રમમાં થોડો વખત રહીને પછી ઘેર ઘેર ભિક્ષાથી જીવન ચલાવનારા આપણે બધા આદર્શ ત્યાગી થઈશું.
૨૭. પુત્રોએ કહ્યું : પિતાજી !) જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી છૂટી શકતો હોય અથવા જે જાણતો હોય કે હું મરીશ નહિ તે જ ખરેખર આવતી કાલ પર વિશ્વાસ રાખી શકે.
નોંધ : કેટલી જિજ્ઞાસા ! કેટલી તાલાવેલી ! આદર્શ વેરાગીનાં કેવાં હૃદયભેદક વચનો ! શું આ ભાવ અંતરની ઊંડી પ્રતીતિ વિના કે ત્યાગની યોગ્યતા વિના ઉદ્ભવી શકે? સત્યની તાલાવેલી પછી ક્ષણવાર પણ થોભવું તેને અસહ્ય થઈ પડ્યું હતું.
૨૮. માટે જેને મેળવીને ફરીથી જન્મ જ ન લેવો પડે તેવા સાધુ ધર્મ (ત્યાગમાર્ગ)ન આજે જ અંગીકાર કરીશું. આવાં વિષયસુખ નથી ભોગવ્યાં તેવું છે જ નહિ. માટે હવે એ રાગ (સંસારની આસક્તિ)ને છોડીને ભિક્ષુધર્મમાં શ્રદ્ધા રાખવી એ જ યોગ્ય છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
८४
ઉત્તરાધ્યયન સૂત્ર તરુણ યુવાનોનાં હૃદયદ્રાવક વચનોએ પિતાજીના પૂર્વ સંસ્કારને જાગૃત
કરી દીધા. તેણે પોતાનાં ધર્મપત્નીને ઉદ્દેશીને કહ્યું : ૨૯. હે વાશિષ્ઠ ! મારે માટે ભિક્ષાચારી (ભિક્ષુધર્મ ગ્રહણ કરવા)નો સમય હવે આવી લાગ્યો છે. કારણ કે જેમ વૃક્ષ શાખાઓથી જ શોભે છે અને સ્થિર રહે છે. શાખાઓ છેદાઈ ગયા પછી તે ઉત્તમ વૃક્ષ ટૂંઠું દેખાય છે તેમ બે પુત્રો વિના મારે પણ ગૃહસ્થજીવનમાં રહેવું યોગ્ય નથી.
નોંધ : પત્નીનું વશિષ્ઠ ગોત્ર હોવાથી તે સંબોધન લીધું છે.
૩૦. જેમ પાંખ વિનાનું પક્ષી, સંગ્રામને મોખરે સેવક વિનાનો રાજા અને વહાણમાં દ્રવ્ય વિનાનો વાણિયો શોભતો નથી અને શોક કરે છે તે જ રીતે પુત્ર વિનાનો હું પણ શોભતો નથી અને દુઃખી થાઉં છું.
૩૧. (આ સાંભળી જશા ભાર્યા પતિને ઉદ્દેશીને કસોટી કરવા કહેવા લાગી :) ઉત્તમ પ્રકારના રસવાળાં અને સુંદર આ બધાં કામભાગોનાં સાધનો એકઠાં થયાં છે તો હમણાં તે કામભોગોને (ઇંદ્રિયોના શબ્દાદિક વિષયોને) ખૂબ ભોગવી લઈએ. પછી સંયમ માર્ગ અવશ્ય અંગીકાર કરીશું. - ૩૨. હે ભગવતી ) (કામભોગોના) રસો ખૂબ ભોગવી લીધા છે. યૌવન હવે ચાલ્યું જાય છે. વળી અસંયમમય જીવિત ભોગવવા માટે (કે બીજી કોઈ ઈચ્છાથી) હું ભોગોને તજતો નથી. પરંતુ ત્યાગી જીવનનાં લાભ, અલાભ, સુખ અને દુઃખને ખૂબ વિચારીને જ મૌન (સંયમમાર્ગ)ને આદરું છું.
નોંધઃ ભિક્ષુજીવનમાં તો ભિક્ષા મળે ન મળે, અનેક પ્રકારનાં બીજાં સંકટો પણ આવે. ગૃહસ્થજીવનમાં તો બધું સ્વતંત્ર ભોગવવાનું મળ્યું જ છે. છતાં ત્યાગી જીવનની ઇચ્છા થાય તે પૂર્વના યોગ સંસ્કારોનું જ કારણ છે. ત્યાગમાં જે દુઃખ છે તે ગૌણ છે, અને આનંદ છે તે મુખ્ય છે. એ આનંદ, એ શાંતિ, એ વિરામ ભોગોમાં ક્યાંય કોઈએ અનુભવ્યો નથી અને અનુભવશે પણ નહિ.
૩૩. પાણીના પૂરની સામે ચાલનારી વૃદ્ધ હંસ જેમ પછીથી ઝરે છે (ખેદ પામે છે, તેમ તું ખરેખર પછી સ્નેહીજનોને રખે સંભારીને ખેદ પામે ! (કે હાય ! મેં શા માટે સંયમમાર્ગ ગ્રહણ કર્યો ? તેમ) માટે ગૃહસ્થાશ્રમમાં મારી સાથે રહીને ભોગોને ભોગવ. ભિક્ષાચરી (ભિક્ષુધર્મ)ની વાટ બહુબહુ દુ:ખદ છે.
નોંધ : આ શ્લોકમાં સંયમ માર્ગનાં કષ્ટ અને ગૃહજીવનના પ્રલોભન આપી પાકી કસોટી કરે છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
ઈપુકારીયા
૮૫ ૩૪. હ ભંદ્ર ! જેમ સર્પ શરીરની કાંચળી છોડીને ચાલ્યો જાય છે. તેમ આ બે ત્રણ પુત્રો ભાગોને છોડી ચાલ્યા જાય છે. તો હું શા માટે તેને ન અનુસરું ?
નોંધ : સર્પ પોતાના શરીરમાં ઉત્પન્ન થયેલી હોવા છતાં કાંચળીને તજી તેને લેવા પ્રેરાતો જ નથી. તેમ સાધકોએ આસક્તિની કાંચળીને છોડી દેવી એ જ યોગ્ય છે.
૩૫. (જશા વિચારવા લાગી કે આ બધા) જેમ રોહિત જાતનાં (શક્તિવાળાં) માછલાં (તીક્ષ્ણ પૂંછડથી) જીર્ણ જાળને છેદીને જાળમાંથી છૂટો જાય તેમ કામભોગોથી છૂટી જાય છે. અને જાતિમાન બળદની જેમ ચારિત્ર્યના ભારને વહનારા તેમજ ઉદાર તપશ્ચર્યાવાળા તે ધીર પુરુષો ખરેખર ત્યાગ માર્ગમાં જ ગમન કરે છે.
૩૬. જેમ ફેલાયેલી જાળોને તોડી નાખીને પક્ષીઓ ખૂબ દૂર દૂર આકાશ પ્રદેશમાં ચાલ્યાં જાય છે તેમ ભોગોની જાળને તોડીને મારા બંને પુત્રો અને પતિ ત્યાગધર્મ સ્વીકારે છે તો હું પણ શા માટે તેને ન અનુસરું?
આવી રીતે એ ચારે સમર્થ આત્માઓ થોડા જ કાળમાં અનેક પ્રકારનાં ધન, માલ, પરિવાર, નોકર ચાકરો વગેરેને નિરાસક્તભાવે છોડી ત્યાગધર્મને સ્વીકારી લે છે. અને તેમની મિલકતનો કોઈ વારસ ન હોવાથી તે બધું રાજદરબારમાં પહોંચે છે.
૩૭. વિશાળ અને કુલીન કુટુંબ, ધન અને ભોગોને છોડીને બંને પુત્ર અને પત્ની સહિત ભૃગુ પુરોહિતનું અભિનિષ્ક્રમણ (સંયમમાર્ગનું સ્વીકારવું) સાંભળીને (અને તેણે તજેલા વૈભવને મહારાજા ગ્રહણ કરી રહ્યા હતા તે જોઈને) રાજા પ્રતિ કમળાવતી રાણી વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યાં :
૩૮. હે રાજન્ ! વમન કરેલાને ખાય તે પુરુષ પ્રશંસાપાત્ર ગણાય નહિ, માટે બ્રાહ્મણે જે ધનને વમી દીધું (છોડી દીધું) તે ધનને ગ્રહણ કરવાની આપ ઇચ્છા ધરાવો છો તે કોઈ રીતે યોગ્ય નથી.
૩૯, હે રાજન ! કોઈ તમને આખું જગત કે જગતનું સર્વ ધન આપી દે તો પણ તમારે માટે તે પૂર્ણ નથી. (તુણાનો પાર કદી આવતો જ નથી), વળી હે રાજન્ ! આપને તે શરણરૂપ પણ કદી થવાનું નથી . - ૪૦. હે રાજન્ ! જયારે ત્યારે આ બધા મનહર કામભોગોને છોડીને તમે મરવાના છો. મરણ સમયે આ બધું શરણ રૂપ થવાનું નથી. ખરેખર છે
Page #119
--------------------------------------------------------------------------
________________
૮૬
ઉત્તરાધ્યયન સૂત્ર નરપતિ ! તે સમયે એક માત્ર સાચો ધર્મ જ શરણભૂત થશે. બીજું કશું (ધનાદિ) પણ શરણભૂત થઈ શકશે નહિ.
નોંધ : રાણીનાં આ વચનો એકાંત તેમના હૃદય વેરાગ્યનાં સૂચક છે. મહારારાજાએ ચિકિત્સા માટે કહ્યું : જો આટલું સમજો છો તો ગૃહસ્થાશ્રમમાં હજુ શા માટે રહ્યાં છો ?
૪૧. જેમ પિંજરામાં પક્ષિણી (પંખિણી) આનંદ પામી શકતી નથી તેમ (આ રાજય સુખથી ભરેલા અંતઃપુરમાં) હું પણ આનંદ પામતી નથી. માટે સ્નેહરૂપી તાંતણાને છેદીને તથા આરંભ (સૂક્ષ્મણિંસાદિ ક્રિયા) અને પરિગ્રહ (સંગ્રહવૃત્તિ)ના દોષથી નિવૃત્ત, અકિંચન (પાસે કશું પણ ધન ન રાખનાર), નિરાસક્ત અને સરળભાવી બનીને સંયમમાર્ગમાં ગમન કરીશ.
૪૨. જેમ જંગલમાં દવાગ્નિથી પશુઓ બળતાં હોય ત્યારે દાવાનળથી દૂર રહેતાં બીજાં પ્રાણીઓ રાગદ્વેષને વશ થઈને આનંદ પામતાં હોય છે. પરંતુ પાછળથી તેઓની પણ તે જ ગતિ થાય છે.
૪૩. એ જ પ્રમાણે કામભોગોમાં લુબ્ધ થયેલાં આપણે રાગ અને દ્વેષરૂપી અગ્નિથી બળી રહેલા આખા જગતને મૂઢની પેઠે જાણી શકતાં નથી.
૪૪. ભોગવેલા ભોગોને સ્વઇચ્છાથી વમી (તજીને) સંયમને વિશે આનંદપૂર્વક જેમ પંખી પોતાની ઇચ્છાપૂર્વક વિચારે છે તેમ આપણે પણ ગામ, નગર ઇત્યાદિ સ્થળે અપ્રતિબંધ થઈને વિચારવું જોઈએ.
૪૫. આપણા હાથમાં આવેલા આવા ભોગો પણ સ્થિર રહેવાના નથી. (સ્પંદન કરી રહ્યાં છે.) માટે જેમ (આ પુરોહિત વ.) ચારે જણાએ ત્યાગ કર્યો તેમ આપણે પણ ત્યાગ કરવો ઘટે.
૪૬. માંસવાળા પક્ષી (ગીધ)ને જોઈને સૌ કોઈ (બીજાં પક્ષીઓ) માંસ લેવા માટે તેને દુ:ખી કરે છે. પરંતુ માંસ વિનાનાને કોઈ દુઃખી કરતું નથી. માટે પરિગ્રહ રૂપી માંસને સર્વથા છોડીને હું નિરામિષ (નિરાસક્ત) થઈ વિચરીશ.
૪૭. ઉપર કહેલી ગીધની ઉપમાને જાણીને તેમજ કામભોગો એ સંસારને વધારનારા છે તેમ સમજીને જેમ ગરુડથી સર્પ ડરી ડરીને ચાલે છે તેમ આપણે પણ ભોગોથી ડરીને વિવેકપૂર્વક ચાલવું જોઈએ.
૪૮. હે મહારાજા ! હાથી જેમ સાંકળ વગેરેનાં બંધન છોડીને પોતાની વસતિ (વિધ્યાચળ, અટવી વગેરે)માં જવાથી આનંદ પામે (તેમ સંસારના
Page #120
--------------------------------------------------------------------------
________________
ઈપુકારીય બંધન છૂટી ગયા પછી જીવાત્મા ખૂબ આનંદ પામે) હે ઈષકાર રાજન્ ! મેં આવું (અનુભવી પુરુષો પાસેથી) સાંભળ્યું છે અને તે જ હિતકર છે એમ આપ જાણો.
નોંધ : સનારી પણ પુરુષ જેટલું જ સામર્થ્ય ધરાવે છે. પુરુષ અને સ્ત્રીઓ એ બંને આત્મવિકાસનાં સમાન સાધક છે. જેમ પુરુષને જ્ઞાન અને મોક્ષના અધિકાર છે તેમ સ્ત્રીઓને પણ છે. યોગ્યતા જ આગળ ધપાવે છે પછી તે સ્ત્રી હો કે પુરુષ હો !
૪૯. (કમળાવતી મહારાણીના અસરકારક ઉદ્દગારો સાંભળીને ઈષકારને મહારાજાની મોહ-નિદ્રા ઊડી ગઈ) ત્યારબાદ રાણી તથા રાજા વિસ્તારવાળું મોટું રાજ્ય અને દુઃખ કરીને તજાય તેવા આકર્ષક કામભોગોને તજી દઈને વિષયમુક્ત, સ્નેહમુક્ત, આસક્તિમુક્ત અને પરિગ્રહથી રહિત થયાં.
૫૦. ઉત્તમ કામગુણોને જમ્યા પછી અતિ પુરુષાર્થવાળાં દંપતીએ સાચા ધર્મને સમજીને સર્વ પ્રસિદ્ધ એવી તપશ્ચર્યાને અંગીકાર કરી.
નોંધ : આંતરિક અને બાહ્ય એવી બાર પ્રકારની તપશ્ચર્યા છે. કર્મોરૂપ કાષ્ઠને બાળવામાં તપશ્ચર્યા અગ્નિ જેવું કાર્ય કરે છે. તેનું વિસ્તૃત વર્ણન આગળ ૩૦ મા અધ્યયનમાં આવશે.
૫૧. એ પ્રમાણે તે ક્રમપૂર્વક છએ જીવો જરા અને મૃત્યુના ભયથી ખેદ પામીને ધર્મપરાયણ થયા અને દુઃખના અંતની (મોક્ષમાર્ગની) શોધ કરી ક્રમપૂર્વક બુદ્ધ થયા.
પ૨. વીતમોહ (મોહથી રહિત તેવા) જિનેશ્વરના શાસનમાં પૂર્વે જાગેલી ભાવનાઓ (ગત જન્મોમાં કરેલું ચિંતન)ને સંભારીને થોડા જ કાળમાં તે છએ જીવો દુઃખના અંતને પામ્યા.
૫૩. દેવી કમળાવતી, રાજા, પુરોહિત બ્રાહ્મણ (ભૃગુ), જશા નામની બ્રાહ્મણી અને તેનાં બંને પુત્રો એમ છએ જીવો મુક્તિને પામ્યા.
સુધર્મસ્વામીએ જંબૂને કહ્યું :
‘એમ ભગવાન બોલ્યા હતા.' એ પ્રમાણે ઈશ્ક કાર સંબંધી ચૌદમું અધ્યયન સમાપ્ત થયું.
Page #121
--------------------------------------------------------------------------
________________
૮૮
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : પંદરમું સ ભિખૂ તે જ સાધુ
સંસારમાં પતનનાં નિમિત્તો પુષ્કળ છે. માટે સાધકોએ સાવધ રહેવું. ભિક્ષુ આહાર અને વસ્ત્રાદિ આવશ્યક વસ્તુઓમાં પણ સંયમ રાખે એ સાધનદશા માટે ઉપયોગી જ છે. પરંતુ સત્કાર, માન કે પ્રતિષ્ઠાની લાલસા રોકવી એ પણ તેટલું જ ઉપયોગી સમજવું.
વિવિધ વિદ્યાઓ કે જે ત્યાગી જીવનમાં ઉપયોગી નથી તે શીખીને સમયનો દુરુપયોગ કરવો તે સંયમ જીવિતને બાધકરૂપ છે. તપશ્ચર્યા અને સહિષ્ણુતા એ જ આત્મવિકાસના ગગનમાં ઊડવાની પાંખો છે. ભિક્ષુઓ એ બંને પાંખોને ખૂબ સંભાળી સાથે લઈને ઊંચે ને ઊંચે ચડે.
ભગવાન બોલ્યા : ૧. સાચા ધર્મને વિવેકપૂર્વક અંગીકાર કરી, અન્ય ભિક્ષુઓ સંગાથે રહી નિયાણા (વાસના)ને છેદી, સરળ થઈ અને ચારિત્રધર્મમાં ચાલે, તેમ જ કામભોગોને ન ઇચ્છી, પૂર્વાશ્રમના સંબંધીઓની સાથે આસક્તિ છોડી દે અને અજ્ઞાત (નહિ જાણેલાં) ઘરોમાં ભિક્ષાચરી કરીને આનંદપૂર્વક સંયમ ધર્મમાં ગમન કરે તે જ સાધુ કહેવાય.
નોંધ : અજ્ઞાત એટલે “આજે અમારે ત્યાં સાધુજી પધારવાના છે માટે ભોજન કરી રાખીએ' તેમ ન જાણનારાં ઘરો.
૨. ઉત્તમભિક્ષુ રાગથી નિવૃત્ત થઈ, પોતાના આત્માને પતનથી બચાવી, અસંયમથી નિવૃત્ત થઈ કષ્ટોન સહી, અને સર્વ જીવોને આત્મતુલ્ય જાણીને કોઈ વસ્તુ વિશે મૂછ (આસક્તિ) ન પામે તે જ ભિક્ષુ કહેવાય.
૩. કોઈ આક્રોશ (કઠોર વચન) કહે કે મારે, તો તેને સ્વકર્મનું ફળ જાણીને ધૈર્ય રાખનાર, પ્રશસ્ત અને આત્માન નિત્ય ગુપ્ત રાખનાર અને આવ્યાકુળ ચિત્ત રાખી હર્ષ અને દુઃખથી રહિત બની જે કંઇ સંયમમાં કષ્ટ પંડ તેને સહન કરે તે જ ભિક્ષુ કહેવાય.
૪, અલ્પ અને જીર્ણ શય્યા અને આસનને ભોગવે, ઠંડી, તાપ, ડાંસ,
Page #122
--------------------------------------------------------------------------
________________
સ ભિખ્ખુ
૮૯
મચ્છર ઇત્યાદિ બધું વ્યાકુળતા રહિત થઈ શાંતિપૂર્વક સહન કરે તે જ ભિક્ષુ કહેવાય.
પ. સત્કાર કે પૂજાની લાલસા ન રાખે. કોઈ વંદન કે ગુણની પ્રશંસા કરે તો પણ અભિમાન ન લાવે. તેવા સંયમી, સદાચારી, તપસ્વી, જ્ઞાનવાન, ક્રિયાવાન અને આત્મદર્શનના જ શોધક હોય તે જ ભિક્ષુ કહેવાય.
૬. જેનાથી સંયમી જીવન હણાતું હોય તેવું કાર્ય ન કરે. સકળ મોહને દબાવે અને નરનારીનો (મોહવર્ધક) સંગ છોડીને તપસ્વી થઈ વિચરે, તેમજ તમાશા જેવી વસ્તુઓમાં રસ ન લે તે જ ભિક્ષુ કહેવાય.
૭. નખ, વસ્ત્ર અને દાંત વગેરે છંદવાની વિદ્યા, રાગ (સ્વર) વિદ્યા, ભૂકંપનો વિચાર, આકાશમાં તારા વગેરે તૂટે તેનું જ્ઞાન, સ્વપ્નવિદ્યા, સ્ત્રી પુરુષોના લક્ષણ જાણવાની વિદ્યા, અંગસ્ફુરણની વિદ્યા, દવિદ્યા, ઘરમાં દાટેલું ધન વગેરે જાણવાની વિદ્યા, શૃગાલાદિના સ્વર ઓળખી કાર્ય કે વિજય થશે કે કેમ ? તે જાણવાનું શાસ્ત્ર - આવી વિદ્યાઓ દ્વારા પોતાનું સંયમી જીવન જે ન ચલાવે તે જ સાધુ કહેવાય.
૮. મંત્ર, જડીબુટ્ટી, આદિ મૂળિયાં અને જુદી જુદી જાતના વૈશ્વિક ઉપચારો જાણીને આચરવાં કે વમન કરાવવું, જુલાબ આપવા, ધૂપ દેવા, આંખનાં અંજન બનાવવાં, સ્નાન કરાવવું, રોગ આવ્યે આતુરતાપૂર્વક માતાપિતાદિને સંભારવા અને વૈદ્યક શીખવું એ ત્યાગીઓને માટે યોગ્ય નથી, માટે તેને છોડી દે તે જ સાધુ કહેવાય.
નોંધ : ઉપરની વિદ્યાઓ અને તેને અંગે થતી ક્રિયાઓ પરિણામે એકાન્ત ત્યાગ ધર્મથી પતિત કરાવનારી જ નીવડે છે. માટે જૈન મુનિઓ તેવી ક્રિયા કરતા નથી અને કરનારને અનુમોદન પણ આપતા નથી.
૯. ક્ષત્રિયોના સમૂહ, ઉગ્રકુળના રાજપુત્રો, બ્રાહ્મણો, ભોગીઓ કે ભિન્નભિન્ન પ્રકારના શિલ્પીઓની પૂજા કે પ્રશંસા ન કરે. તેઓની પૂજા કે પ્રશંસા સંયમી જીવનને ઉપકારક નથી. એમ જાણીને છોડી દે તે જ ભિક્ષુ કહેવાય.
નોંધ : રાજાઓ કે તેવા ભોગી પુરુષોનું કિંવા બ્રાહ્મણોનું તે વખતે ખૂબ જોર હતું તેવા પુરુષોની ભિક્ષુઓએ ખોટી પ્રશંસા કરવી તે ત્યાગી જીવનનું ભયંકર દૂષણ છે. તેવી ખુશામત કરવાથી આત્મધર્મ હણાય છે. યોગીએ તો સદા આત્મમગ્ન રહીને વિચરવું.
Page #123
--------------------------------------------------------------------------
________________
૯૦
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૦. ગૃહસ્થાશ્રમમાં જે ગૃહસ્થીઓ સાથે અતિપરિચય થયો હોય તે અને ત્યાગાશ્રમમાં જે ગૃહસ્થીના સહવાસમાં આવેલ હોય તેઓમાંના કોઈ સાથે આ લોક સંબંધી ફળની ઈચ્છા માટે પરિચય ન કરે તે જ સાધુ કહેવાય.
નોંધ : ગૃહસ્થોના ગાઢ પરિચયથી તેના નિમિત્તે કદી આત્મધર્મને હણી નાખે તેવાં કાર્યો કરી નાખવાં પડે માટે ગૃહસ્થોને આ લોકના કોઈ પણ સ્વાર્થ માટે પરિચય ન વધારવો. સૌ સાથે મુનિરાજને કેવળ પારમાર્થિક (ધાર્મિક) જ સંબંધ હોવી જોઈએ.
૧૧. આવશ્યક શય્યા (ઘાસની શય્યા વપરાતી તે) પાટ, પાટલા, આહાર પાણી કે બીજી કોઈ ખાવાલાયક વસ્તુ કિવા મુખવાસાદિની ગૃહસ્થ પાસે ભિક્ષુ યાચના કરે અને કદાચ કોઈ ન આપે તો તેના પર જરાયે મન કે વચનથી લેષ ન કરે કે ખોટું ન લગાડે તે જ સાધુ કહેવાય.
નોંધ : ત્યાગીને માન અને અપમાન બંને સરખાં છે.
૧૨. અનેક પ્રકારના અન્ન પાણી (અચિત્ત) મેવા કે મુખવાસ વગેરે ગૃહસ્થ પાસેથી મેળવીને સંગાથી સાધુને ભાગ આપીને પછી ભોજન કરે તેમજ મન, વાણી અને કાયાનું સંવરણ કરે તે જ ભિક્ષુ કહેવાય.
નોંધ : અથવા ‘તિબિપી નાગુ' એટલે મન, વચન કે કાયાથી ભિક્ષુ ધર્મ દ્વારા મેળવેલા આહાર પૈકી અન્ય કોઈને આપી ન દે તેમ કરવાથી ભવિષ્યમાં ભિક્ષુધર્મના ભંગનો વિશેષ સંદેહ રહે છે.
૧૩. ઓસામણ, જવનું ભોજન, ગૃહસ્થનો ઠંડો આહાર, જેવા કે કાંજીનું પાણી ઇત્યાદિ ખોરાક (રસ કે અન્ન) મેળવીને તે ભોજનની નિંદા ન કરે તથા સામાન્ય સ્થિતિનાં ઘરોને વિશે પણ ભિક્ષાને અર્થે વિચરે તે જ સાધુ કહેવાય.
નોંધ : ભિક્ષુને સંયમી જીવનના નિર્વાહ માટે જ ભોજન કરવાનું હોય છે. રસાળ અને સ્વાદુ ભોજનોની વાંચ્છના રાખી ધનવાનને ત્યાં ભિક્ષાર્થ જવું એ સાધુતાની ત્રુટી ગણાય.
૧૪. આ લોકમાં દેવ, પશુ કે મનુષ્યોના અનેક પ્રકારના અત્યંત ભયંકર અને દ્વેષ ઉત્પન્ન કરાવનાર શબ્દો થાય છે. તેને સાંભળીને બીએ નહિ તે જ સાધુ કહેવાય.
નોંધ : અગાઉના ભિક્ષુઓ જંગલોમાં વિશેષ ભાગે રહેતા તે પરિસ્થિતિને અંગે આવી પરિસ્થિતિનો વિશેષ સંભવ રહેતો.
Page #124
--------------------------------------------------------------------------
________________
સ ભિકબૂ
૯૧ ૧૫. લોકમાં પ્રવર્તતા ભિન્નભિન્ન પ્રકારના વાદ (તકદિશાસ્ત્રો)ને સમજી, પોતાના આત્મધર્મન જાળવી સંયમને અનુસરેલો પંડિત પુરુષ સર્વ પરિષહોને જીતીને; સર્વ જીવો પર સમાન ભાવ કેળવી ઉપશાંત થયેલો અને કોઈ જીવને પીડા ઉપજાવે નહિ તેવો થઈને વિચરે તે જ ભિક્ષુ કહેવાય.
નોંધ : મનુષ્યો જેટલા મત અને વિચારો હોય છે અને તેને અંગે ભિન્ન ભિન્ન ધર્મો કે પંથો પડી જાય છે. પરંતુ વાસ્તવિક ધર્મ કે સત્યના વિભાગો કદી હોઈ શકે નહિ. તે તો સર્વ સમાન જ હોય છે.
૧૬. જે શિલ્પ વિદ્યાર્થી પોતાનું જીવન ચલાવનાર ન હોય તેમ જ જિતેન્દ્રિય, આંતરિક અને બાહ્યબંધનોથી છૂટેલો, અલ્પ કષાયવાળો, થોડું અને પરિમિત ભક્ષણ કરનાર અને ઘરને છોડી રાગદ્વેષ રહિત થઈ વિચરે તે ભિક્ષુ કહેવાય.
નોંધ : વેશનાં પરિવર્તન એ સાધુતા નથી પણ સાધુનું ચિહ્ન છે. સાધુતા અપ્રમત્તતામાં છે; સાધુતા અક્રોધ, અવર અને અનાસક્તિમાં છે. સૌ કોઈ આવી સાધુતાને સાધી સ્વ અને પર કલ્યાણને સાધે,
એમ કહું છું. એ પ્રમાણે સભિખૂ નામનું પંદરમું અધ્યયન સમાપ્ત થયું.
Page #125
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : સોળમું બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાનો
(પરમાત્માનું સ્વરૂપ)માં ચર્ચા કરવી અથવા આત્મસ્વરૂપની પૂર્ણપણે પ્રાપ્તિ કરવી તે સૌ કોઈનું ધ્યેય છે. એટલે બ્રહ્મચર્યની આવશ્યકતા એ જીવનની આવશ્યકતા જેવી જ અનિવાર્ય છે. અબ્રહ્મચર્ય એ જડસંસર્ગથી જન્મેલો વિકાર છે. આ વિકારની જીવાત્મા પર જેટલી મોહનીય કર્મ (મોહ ઉત્પન્ન કરે એવી વાસના)ની અસર હોય છે તે પ્રમાણમાં ભયંકર નીવડે છે. સંસારમાં જેટલા અનર્થો આપત્તિઓ અને દુ:ખો જીવાત્મા અનુભવે છે તે પોતાથી થયેલી ભૂલોનું જ પરિણામ છે. ભૂલોથી બચવા માટે કે આત્મશાંતિ મેળવવા માટે જે ઉત્સુક થઈ પુરુષાર્થ કરે છે તે સાધક કહેવાય છે. આવા સાધકને અબ્રહ્મચર્યથી નિવૃત્ત થઈ બ્રહ્મચર્યમાં સ્થિર થવું એ ક્રિયા માટે જેટલી આંતરિક ચોકીદારી રાખવી પડે છે તેટલી જ અને તેથી પણ વધુ બાહ્ય નિમિત્તોથી પણ ચેતવું પડે છે. ગમે તેવા ઉરચ કોટિના યોગીને પણ નિમિત્ત મળતાં સંસારમાં બીજક રૂપે રહી ગયેલી વાસના અવશ્ય ઉત્તેજિત થવાનો ભય રહે છે. આથી જાગરૂક સાધકે આત્મોન્નતિ માટે અને વિશુદ્ધ બ્રહ્મચર્ય આરાધવા માટે ભગવાન મહાવીરે કહેલ અનુભવમાંથી પોતાની ઉપયોગી વાતો ધારી રાખવી અને આચરવી. તે મુમુક્ષુ માત્રનું સર્વોત્તમ કર્તવ્ય છે.
સુધર્મસ્વામીએ જંબૂસ્વામીને આમ કહ્યું : “હે આયુષ્મન્ ! મેં સાંભળ્યું છે.' તે ભગવાન મહાવીરે આમ કહ્યું : જિનશાસનમાં સ્થવિર ભગવાનો (પૂર્વ તીર્થકરો)એ બ્રહ્મચર્યની સમાધિનાં દશ સ્થાનો ફરમાવ્યાં છે. જે (સ્થાનો)ને સાંભળીને તેમ જ હૃદયમાં ધારીને ભિક્ષુ, સંયમપુષ્ટ, સંવરપુષ્ટ, સમાધિ (ચિત્તસમાધિ) પુષ્ટ અને જિતેન્દ્રિય થઈ ગુપ્ત (આદર્શ) બ્રહ્મચારી બની, અપ્રમત્તપણે આત્મલક્ષી થઈ વિચરે.'
(શિષ્ય પૂછયું) : કયાં તે બ્રહ્મચર્ય સમાધિ સ્થાનો સ્થવિર ભગવાનોએ ફરમાવ્યાં છે કે જેને સાંભળીને તેમ જ અવધારીને ભિક્ષુ; સંયમપુષ્ટ, સંવરપુષ્ટ, સમાધિપુષ્ટ અને જિતેન્દ્રિય થઈ ગુપ્ત બ્રહ્મચારી બની અપ્રમત્તપણે આત્મલક્ષી થઈ વિચરે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૯૩
બ્રહ્મચર્ય સમાધનાં સ્થાના
(ગુરુએ કહ્યું :) ખરેખર સ્થવિર ભગવાનોએ આ પ્રમાણે દશ બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાનો ફરમાવ્યાં છે કે જેને સાંભળીને તથા અવધારીને ભિક્ષુ સંયમપુષ્ટ, સંવરપુષ્ટ, સમાધિપુર અને જિતેન્દ્રિય થઈ ગુપ્ત બ્રહ્મચારી બની અપ્રમત્તપણે આત્મલક્ષી થઈ વિચરે.
“તે આ પ્રમાણે છે ૧, સ્ત્રી, પશુ અને નપુંસક રહિત ઉપાશ્રય તથા સ્થાનને સેવે તે જ નિગ્રંથ (આદર્શ મુનિ) કહેવાય છે. જે સ્ત્રી, પશુ અને નપુંસક સહિત ઉપાશ્રય, શવ્યા કે સ્થાન ભોગવે તે નિગ્રંથ ન કહેવાય. શિષ્ય પૂછયું : “તેમ શા માટે ?'
આચાર્યે કહ્યું : “ખરેખર સ્ત્રી, પશુ કે નપુંસક સહિત આસન, શય્યા કે સ્થાનને સેવનાર બ્રહ્મચારીને બ્રહ્મચર્ય પાળવામાં (૧) શંકા (બ્રહ્મચર્ય પાળું કે ન પાળું ?) ઉત્પન્ન થાય અથવા બીજાને શંકા થાય કે સ્ત્રી ઇત્યાદિ સહિત સ્થાન ભોગવે છે તો તે બ્રહ્મચારી હશે કે કેમ ? (૨) આકાંક્ષા (ઇચ્છા)-મૈથુન ભોગવવાની કદાચિત નિમિત્ત મળતાં ઇચ્છા જાગે. (૩) વિચિકિત્સા (બ્રહ્મચર્યના ફળનો સંશય) બ્રહ્મચર્ય પાળવાથી શો લાભ ? એવા દુર્વિચારો ઉત્પન્ન થાય અને વિચારો થવાથી એકાંત હોવાથી પતન થવાનો ભય રહે અને તે મૈથુનની લાલસાથી ઉન્મત્ત થઈ જવાય. તથા તેવા વિચારો કે દુષ્કાર્યથી દીર્ઘ કાળ ટકે તેવો શારીરિક રોગ થાય અને એમ પતન થવાથી જ્ઞાનીએ બતાવેલ સત્યધર્મથી શ્રુત થાય. આવી રીતે વિષયેચ્છા અનર્થોની ખાણ હોવાથી તેના નિમિત્તરૂપ સ્ત્રી, પશુ કે નપુંસક જયાં રહેતાં હોય તેવા સ્થાનો નિગ્રંથ કદી ન ભોગવે.
૨. સ્ત્રીઓની કથા (શૃંગારરસજનક વાર્તાલાપ) કરે નહિ તેને સાધુ કહેવા. શિષ્ય પૂછ્યું : ‘તેમ શા માટે ?' આચાર્યે કહ્યું : “સ્ત્રીઓની શૃંગારવર્ધક કથાઓ કહેવાથી પણ ઉપર્યુક્ત બ્રહ્મચર્યમાં હાનિ થવાનો સંભવ છે. માટે બ્રહ્મચારી સ્ત્રી પુરુષો સંબંધી તેવી કથાઓ ન કહેવી.'
નોંધ : શૃંગારરસની કથાઓ કહેવાથી કે કરવાથી અલનનો સંભવ છે આથી તે છોડી દેવી અને એકલી સ્ત્રી સાથે પણ કથાલાપ એકાંતના પ્રસંગે કરવાના યોગો આવવા દેવા જોઈએ નહિ.
૩. સ્ત્રીઓની સાથે એક આસને ન બેસે તેને આદર્શ બ્રહ્મચારી કહો. શિષ્ય પૂછ્યું: ‘તેમ શા માટે ?' આચાર્યે કહ્યું : “ત્રીઓની સાથે એક
Page #127
--------------------------------------------------------------------------
________________
८४
ઉત્તરાધ્યયન સૂત્ર આસન પર લગોલગ બેસવાથી એક બીજા પ્રત્યે મોહ થવાનો અને તેને સ્થળે બંનેના બ્રહ્મચર્યમાં ઉપર્યુક્ત હાનિ થવાનો સંભવ છે. માટે બ્રહ્મચારી પુરુષ સ્ત્રી સાથે એક આસન પર બેસવું નહિ.'
નોંધ : જે આસન પર સ્ત્રી પૂર્વે બેઠેલ હોય તે આસને અંતર્મુહૂર્ત (૮ મિનિટ) સુધી પણ બેસવાનો જૈનશાસન બ્રહ્મચારીને નિષેધ કરે છે. જેવી રીતે બ્રહ્મચારીને જાગૃતિ રાખવાની છે તે જ પ્રકારે બ્રહ્મચારિણીને પણ જાતિ તો રાખવાની જ છે. ખાસ કરીને આવા પ્રસંગો એકાંતથી બને છે. આકસ્મિક આવી પડેલી આવી સ્થિતિમાં વિવેકપૂર્વક વર્તવું ઘટે.
૪. સ્ત્રીઓની સુંદર, મનોહર અને આકર્ષક ઇંદ્રિયોને (વિષય બુદ્ધિએ) જુએ (કેવાં સુંદર છે ? કેવાં ભોગયોગ્ય છે ?) કે ચિતવે નહિ તે જ સાધુ કહેવાય. “તો કેમ !' શિષ્ય પૂછ્યું. આચાર્ય કહ્યું : “ખરેખર સ્ત્રીઓની મનોહર અને આકર્ષક ઇંદ્રિયોને જોનાર કે ચિંતવનાર બ્રહ્મચારી (સાધુ)ના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્ય ખંડિત થાય, ઉન્માદ પ્રાપ્ત થાય અને પરિણામે દીર્ઘકાલિક રોગની પીડા થાય. તેમ જ (આંતરિક પણ) કેવળીએ ફરમાવેલ ધર્મથી પતિત થઈ જાય. માટે ખરેખર બ્રહ્મચારી સાધકે સ્ત્રીઓનાં મનોહર અને મનોરમ એવાં અંગોપાંગને (વિષય બુદ્ધિથી) જોવાં કે ચિંતવવાં નહિ.'
૫. વસ્ત્રના પડદાને આંતરે કે પાષાણની ભીંતને આંતરે સ્ત્રીઓના કૂજિત (કોયલના જેવા) શબ્દ, રોવાના શબ્દ, ગીતના શબ્દ તેમ જ (પતિના વિરહથી થયેલા) વિલાપના શબ્દને સાંભળે તે આદર્શ બ્રહ્મચારી કે નિગ્રંથ ન કહેવાય.
“તે શા માટે શિષ્ય પૂછ્યું. ગુરુએ કહ્યું : “ભીંતને આંતરે કે વસ્ત્રના પડદાને આંતરે રહેલી સ્ત્રીના કૂજિત, રૂદિત ગીત, હસિત, સ્વનિત (રતિ પ્રસંગના ધ્વનિ) આજંદય કે વિલાપમય શબ્દોને સાંભળવાથી બ્રહ્મચારીના 'બ્રહ્મચર્યમાં ક્ષતિ પડે કે ઉન્માદ થાય, શરીરમાં રોગ થાય માટે ખરેખર બ્રહ્મચારીએ વસ્ત્રના પડદા કે ભીંતને આંતરે સ્ત્રીના તેવા શબ્દો સાંભળવા
નોંધ : બ્રહ્મચારી જે સ્થળે હોય ત્યાં ભીતને આંતરે રહેલાં સ્ત્રી પુરુષો પરસ્પર શૃંગારક્રીડા કરતાં હોય તે વખતનાં વચનો પણ વિષયજનક હોય માટે તેવા શબ્દો સાંભળવા કે ચિંતવવા નહિ.
Page #128
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાનો
૬. પૂર્વે (ગૃહસ્થ જીવનમાં) સ્ત્રીસંગાથે જે ભોગોને ભોગવ્યા હોય કે જે રતિક્રીડાઓ કરી હોય તેને સંભારે તે સાધુ ન કહેવાય. શિષ્ય પૂછ્યું : “તે શી રીતે ?' આચાર્યે કહ્યું : “બ્રહ્મચારી જો પૂર્વે રતિ કે પૂર્વની રતિક્રીડા સંભારે તો તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા અને વિચિકિત્સા થાય. બ્રહ્મચર્યનો ભંગ થાય કે ઉન્માદ થાય શરીરમાં (વિષય ચિંતનથી) રોગ થાય અને જ્ઞાનીના માર્ગથી પતિત થઈ જવાય. માટે નિગ્રંથે પૂર્વરતિ કે પૂર્વ રતિક્રીડાને સંભારવી નહિ.'
નોંધ : શંકા, કાંક્ષા અને વિચિકિત્સાના અર્થો પૂર્વે આપેલા છે માટે ફરી ફરી લખ્યા નથી.
૭. અતિ રસવાળાં ભોજન ન કરે તે સાધુ કહેવાય. શિષ્ય પૂછ્યું : “તે કેમ ?” આચાર્યે કહ્યું : “સરસ આહાર કરવાથી (ખરેખર રસવાળા આહારથી) બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં ઉપર કહેવાયેલી ક્ષતિ થાય. અને જ્ઞાનીના માર્ગથી પતિત થવાય માટે અતિ રસાળ ભોજન ન ખાવાં.'
નોંધ : રસવાળામાં તીખાં, તમતમતાં અને સ્વાદની દષ્ટિએ લેવાતાં ઘણાં ખાનપાનનો સમાવેશ થાય છે. સ્વાદેન્દ્રિયનો અસંયમ બ્રહ્મચર્ય ખંડનનું સૌથી પહેલું અને જોરદાર નિમિત્ત છે. સ્વાદેન્દ્રિયના સંયમથી શીધ્ર બ્રહ્મચર્યનું રક્ષણ થઈ શકે છે.
૮. મર્યાદા ઉપરાંત અતિ આહાર પાણી કરે નહિ તે સાધુ કહેવાય. શિષ્ય પૂછ્યું : “તેમ શા માટે ?” આચાર્યે કહ્યું : “અતિ ભોજન કરવાથી ઉપર કહેવાયેલી રીતે બ્રહ્મચર્યનું ખંડન થાય છે અને સંયમ ધર્મથી પતિત થવાય છે.
નોંધ : અતિ ભોજન કરવાથી અંગમાં આળસ પેસે છે. દુષ્ટ વિચારો જાગે છે અને એમ ક્રમથી બ્રહ્મચર્ય માર્ગમાં પણ ઘણીવાર બાધા ઊપજે છે.
૯. શરીર વિભૂષાને અનુસરનારો (શૃંગાર નિમિત્તે અતિ ટાપટીપ કર્યા કરે તે) સાધુ કહેવાતો નથી. શિષ્ય પૂછ્યું : ‘તેમ શા માટે ?' આચાર્ય કહ્યું : “ખરેખર સોંદર્યમાં ભૂલેલો અને શરીરને શણગારનાર બ્રહ્મચારી સ્ત્રીઓને આકર્ષક નીવડે છે અને તેથી તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા અને વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્ય ખંડિત થાય માટે બ્રહ્મચારીએ વિભૂષાનુરાગી થવું.'
નોંધ : સૌંદર્યની આસક્તિ કે શરીરની ટાપટીપ કરવાથી વિષયની વાસના જાગવાનો સંભવ રહે છે. સાદાઈ અને સંયમ એ જ બ્રહ્મચર્યનાં પોષક છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૦. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ઇત્યાદિ ઇંદ્રિયોના વિષયોમાં જે આસક્ત થતો નથી તે નિગ્રંથ કહેવાય છે. શિષ્ય પૂછ્યું : ‘તમ શા માટે ?' આચાર્યે કહ્યું : “શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને અનુસરનારા બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં ઉપર કહેલી ક્ષતિ થાય અને ક્રમથી સંયમ ધર્મથી પતિત થવાય માટે શબ્દાદિ પાંચ ઇંદ્રિયોના વિષયોમાં આસક્ત થાય નહિ તે નિગ્રંથ કહેવાય છે. એ પ્રમાણે દશે બ્રહ્મચર્ય સમાધિ સ્થાનો પૂર્ણ થયાં, હવે તે (સંબંધીના) શ્લોકો કહેવાય છે. તે આ પ્રમાણે છે.
ભગવાન બોલ્યા : ૧. (આદ) બ્રહ્મચારીએ બ્રહ્મચર્યની રક્ષા માટે સ્ત્રી, પશુ અને નપુંસક રહિત એવા એકાંત (આત્મચિંતનને યોગ્ય) સ્થાનને સેવવું જોઈએ.
૨. બ્રહ્મચર્યમાં રક્ત થયેલા ભિક્ષુએ મનને ક્ષોભ પમાડે તેવી અને વિષયોની આસક્તિને વધારનારી સ્ત્રીઓની કથાને છોડી દેવી,
૩. પુનઃ પુનઃ સ્ત્રીઓની શૃંગાર વર્ધક કથા કરવાથી (કિવા વારંવાર સ્ત્રીઓ સાથે કથા વાર્તાના પ્રસંગમાં આવવાથી) કે સ્ત્રીઓ સાથે બહુ પરિચય કરવાથી બ્રહ્મચર્ય ખંડિત થાય છે. માટે બ્રહ્મચર્યના પ્રેમી ભિક્ષુએ તે બાબતોનો હંમેશાં ત્યાગ કરવો.
૪. બ્રહ્મચર્યમાં રક્ત થયેલો સાધુ સ્ત્રીઓનાં અંગ પ્રત્યંગ કે આકૃતિને ઇરાદાપૂર્વક વારંવાર જોયા ન કરે. તેમ જ સ્ત્રીઓના કટાક્ષ ઉપર કે મધુર વચનો પર આસક્ત ન થાય.
૫. સ્ત્રીઓના કોયલ જેવા શબ્દો, રુદન, ગીત, હાસ્ય, પ્રેમીના વિરહથી થતાં કંદન કે શૃંગાર સમયનાં સ્નેહાળ વચનો પર લક્ષ્ય ન આપવું. આ બધી કર્મેન્દ્રિયના વિષયની આસક્તિ છે. બ્રહ્મચર્યના પ્રેમી સાધકે તેનો ત્યાગ કરવો.
૬. ગૃહસ્થ (અસંયમી) જીવનમાં સ્ત્રી સંગાથે હાસ્ય, કીડા, વિષય સેવન, શૃંગાર રસ જમાવવા પરસ્પર માન રાખ્યું હોય, બળાત્કારથી કે ત્રાસથી વિષયસેવન કર્યું હોય ઇત્યાદિ કોઈ જાતના પૂર્વ ભાગોને બ્રહ્મચારીએ કદીપણ ચિંતવવા નહિ.
નોંધ : પૂર્વે જે જાતના ભોગો ભોગવ્યા હોય તેના ચિંતનથી પણ ભોગોના વિચારો અને કુસંકલ્પો જન્મે છે કે જે બ્રહ્મચર્યમાં મહાન હાનિકર્તા છે.
૭. હમેશાં બ્રહ્મચર્યમાં રક્ત થયેલો ભિક્ષુ વિયની મસ્તી વધારનારાં રસવાળાં ભોજનો જલદી ત્યાગી દે.
Page #130
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાનો
૮. સંયમી જીવન નિભાવવા માટે ભિક્ષુ ધર્મને જાળવી, મળેલી ભિક્ષાને પણ ભિક્ષા વખતે માપ પૂર્વક ગ્રહણ કરે. બ્રહ્મચર્યના ઉપાસક અને તપસ્વી ભિક્ષુઓ અધિક આહાર કદી ન કરે.
નોંધ : ભિક્ષુઓનું ભોજન સંયમી જીવન ટકાવવા માટે જ હોવું જોઈએ. અતિભોજન આલસ્યાદિ દોષોને ઉત્પન્ન કરી સંયમી જીવનથી ભ્રષ્ટ કરી મૂકે છે.
૯. બ્રહ્મચર્યને વિશે રક્ત રહેલા ભિક્ષુએ શરીરની વિભૂષા અને શરીરનો શણગાર છોડી દેવો. વસ્ત્રાદિ કોઈ પણ વસ્તુઓ શૃંગાર માટે ધારણ ન કરવી.
નોંધ : નખ કે કેશ સમારવા કે શરીરની અનુપયોગી વારંવાર ટાપટીપ કરવી અને તેને માટે જ સતત લક્ષ્ય રાખવું તે અનાવશ્યક છે. એટલું જ નહિ પરંતુ શરીર પરની એવી આસક્તિ કેટલીક વાર પતનના નિમિત્તભૂત પણ થાય છે.
૧૦. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ ઇંદ્રિય સંબંધીના કામ ભોગોને છોડી દેવા.
નોંધ : આસક્તિ એ જ દુઃખ છે. આસક્તિ એ જ બંધન છે. તેવું બંધન જેથી થાય છે તે વસ્તુઓને છોડી દેવી. અને પાંચ ઈદ્રિયોને સંયમમાં રાખી તેનાથી યોગ્ય કાર્ય લેવું એ જ સાધકને માટે આવશ્યક છે. કાનથી સપુરુષોનાં વચનામૃતો પીવાં, જીભથી સત્ય બોલવું, શરીરથી સત્કર્મ કરવું, આંખોથી સદ્ વાંચન કરવું અને મનથી ધ્યાન અને ઊંડું ચિંતન કરવું એ જ ઈદ્રિયોનો સંયમ ગણાય.
૧૧. સારાંશ કે (૧) સ્ત્રીનોવાળું સ્થાન, (૨) મન લોભાવે તેવી સ્ત્રીકથા, (૩) સ્ત્રીઓનો પરિચય, (૪) સ્ત્રીઓનાં અંગોપાંગ જોયા કરવાં.
૧૨. (૫) સ્ત્રીઓના કોયલ જેવા શબ્દો, ગીત, રુદન, હાસ્ય, (૬) સ્ત્રી સાથે ભોગવેલા ભોગો તથા સ્ત્રી સંગાથે પૂર્વ જીવનમાં ભોગવેલાં સ્થાનો હોય તે બધું સંભારવું, (૭) સરસ ભોજન ખાવાં કે (૮) મર્યાદા ઉપરાંત ભોજન ખાવાં.
૧૩. (૯) કૃત્રિમ સૌંદર્ય વધારવા માટે કરેલી શરીરની શોભા અને (૧) દુર્જય એવા પાંચ ઇંદ્રિયોના ભોગો આ દશે વસ્તુઓ આત્મશોધક જિજ્ઞાસુઓને તાલપુટ (ભયંકર વિષ) ઝેર જેવી છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૯૮
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : આ ત્રણ શ્લોકમાં પૂર્વકથિત વસ્તુઓ વધુ સ્પષ્ટ બતાવી છે.
૧૪. હમેશાં તપસ્વી ભિક્ષુએ દુર્જય એવા કામ ભોગોને જીતીને બ્રહ્મચર્યમાં ક્ષતિ થવાનો સંભવ રહે તેવાં બધાં શંકાનાં સ્થાનો છોડી દેવાં.
૧૫. ધર્યવાન અને સદ્ધર્મરૂપ રથ ચલાવવામાં સારથિ સમાન ભિક્ષુએ ધર્મરૂપી બગીચામાં વિચરવું, અને ધર્મરૂપ બગીચામાં રક્ત થઈને ઇંદ્રિયોનું દમન કરી બ્રહ્મચર્યમાં જ સમાધિ (દત્તચિત્ત) કેળવવી.
૧૬. દેવો, દાનવો અને ગાંધર્વ જાતિના દેવો યક્ષો, રાક્ષસો અને કિન્નરજાતિના દેવો પણ જે દુષ્કર એવા બ્રહ્મચર્યને પાળે છે તેવા પુરુષને નમસ્કાર કરે છે. (દવો પણ બ્રહ્મચારીના દાસ બને છે.)
૧૭. આ બ્રહ્મચર્ય રૂપ ધર્મ નિરંતર સ્થિર અને નિત્ય છે. તે ધર્મનું પાલન કરી અનેક જીવાત્માઓ અંતિમ લક્ષ્ય પહોંચ્યા છે, પહોંચે છે અને પહોંચશે. એમ તીર્થકર જ્ઞાની પુરુષોએ કહ્યું છે.
નોંધ : આદર્શ બ્રહ્મચર્ય સૌ કોઈને માટે સુલભ નથી. છતાં આકાશ કુસુમની માફક અશક્ય પણ નથી. બ્રહ્મચર્ય મુમુક્ષુનું પગથિયું છે. મન, વચન અને કાયાથી યથાશક્ય બ્રહ્મચર્યનું આરાધન કરવું. બ્રહ્મચર્યની પ્રીતિ જાળવવી અને બ્રહ્મચર્યના રક્ષણ માટે ઉપર કહેલા નિયમો પર લક્ષ્ય આપવું.
એમ કહું છું. એમ બ્રહ્મચર્યનાં સમાધિ (રક્ષણ) સ્થાનો નામનું
સોળમું અધ્યયન સમાપ્ત થયું.
Page #132
--------------------------------------------------------------------------
________________
પાપ શ્રમણીય
અધ્યયન : સત્તરમું પાપ શ્રમણીય પાપી સાધુનું અધ્યયન
સંયમ લીધા પછી તેને નિભાવવામાં જ સાધુતા છે. ત્યાગી જીવનમાં પણ આસક્તિ કે અહંકાર જાગે તો ત્યાગની ઇમારત ખળભળે, તેવા શ્રમણો ત્યાગી નથી ગણાતા પણ પાપી શ્રમણો ગણાય છે.
ભગવાન બોલ્યા : ૧. ત્યાગ ધર્મને સાંભળીને કર્તવ્યપરાયણ થઈ જે કોઈ દીક્ષિત થાય તેણે દુર્લભ એવા બોધિલાભને મેળવીને પછી સુખપૂર્વક ચારિત્ર પાળવું.
નોંધ : બોધિલાભ એટલે આત્મભાન પામવું. આત્મભાન પામ્યા પછી ચરિત્રમાર્ગમાં વધુ સ્થિર થવાય. ચરિત્રમાર્ગમાં સ્થિર થવું તે જ દીક્ષાનો હેતુ છે. ખાવું, પીવું કે શરીર શુશ્રુષા કરવી એ ત્યાગનો હેતુ નથી.
૨. કોઈ સંયમ લીધા પછી માને છે કે ઉપાશ્રય (રહેવાનું સ્થાન) સુંદર મળ્યો છે. પહેરવાનાં વસ્ત્રો મળ્યાં છે. જમવાને માટે માલપાણી પણ ઉત્તમ મળ્યા કરે છે. અને જીવાદિક પદાર્થો જે છે તેને પણ જાણી જોઈ શકું છું. તો હવે પોતાના ગુરુ પ્રત્યે) હે આયુષ્યમન્ ! હે પૂજય ! શાસ્ત્રો ભણવાનું પ્રયોજન શું છે ?
નોંધ : આવી વિચારણા પ્રમાદની સૂચક છે. સંયમીએ હંમેશાં શાસ્ત્રવચનને અભ્યસ્ત કરવાં અને ખૂબ ખૂબ વારંવાર ચિતવવાં.
૩. જે સંયમી ઊંઘવાનો સ્વભાવ ઘણો રાખે કે આહારપાણી કરીને ઘણીવાર લગી સુખે સૂઈ રહે તે પાપી શ્રમણ કહેવાય છે.
નોંધ : સંયમીને માટે દિનચર્યાનાં અને રાત્રિચર્યાનાં ભિન્નભિન્ન કાર્યો હોય છે. તે બધાંને ક્રમપૂર્વક આચરવાં જોઈએ.
૪. વિનયમાર્ગ (સંયમમાર્ગ)નો અને જ્ઞાનનો જે આચાર્ય અને ઉપાધ્યાય વડે લાભ થયો છે તેવા ગુરુઓને જ્ઞાન થયા બાદ નિંદે કે તિરસ્કાર કરે તે પાપી શ્રમણ કહેવાય છે.
પ. અહંકારી થઈને આચાર્ય, ઉપાધ્યાય તથા સંગાથી સાધુઓની
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ઉત્તરાધ્યયન સૂત્ર સદુભાવપૂર્વક સેવા ન કરે, ઉપકારને ભૂલી જાય કે પૂજા સન્માન ન કરે તે પાપી શ્રમણ કહેવાય છે.
૬. ત્રસ (હાલતાચાલતા) જીવોને, સચેત (સજીવ) બીજાને, વનસ્પતિ કે સૂક્ષ્મ જીવોને પણ ચાંપે કે હિંસા કરે તો અસંયમી ગણાય છતાં પોતાને સંયમી માને તે પાપી શ્રમણ કહેવાય છે.
૭. તૃણાદિની શય્યા, પાટ કે બાજોઠ, સ્વાધ્યાયની ભૂમિકા, બેસવાની ભૂમિકા, પગ લૂછવાનું વસ્ત્ર, કામળી વગેરે બધી વસ્તુને સંભાળપૂર્વક તપાસવી, તપાસ્યા વિના તેને વાપરે તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
નોંધ : સંયમી માટે પોતાનાં ઉપયોગી સાધનોને દિવસમાં બે વાર તપાસવાની જૈનશાસ્ત્રમાં આજ્ઞા છે. કારણ એ છે કે તેમ ન કરવામાં સૂક્ષ્મ જીવોની હિંસાનો સંભવ છે અને તે સિવાય બીજા પણ કેટલાક અનર્થોનો સંભવ છે.
૮. પોતાના સંયમધર્મને ન છાજે તેવું કાર્ય કરે. વારંવાર ક્રોધ કર્યા કરે કે પ્રમાદપૂર્વક ઉતાવળો ઉતાવળો ગમન કરે તે પાપી શ્રમણ કહેવાય છે.
૯. જ્યાં ત્યાં જોયા વિના અવ્યવસ્થિત પોતાનાં પાત્ર, કંબલ ઇત્યાદિ સાધનોને મૂકી દે અને જુએ તોપણ અસાવધાનતાથી નિરીક્ષણ કરે તે પાપી શ્રમણ કહેવાય છે.
નોંધ : અવ્યવસ્થા અને અસાવધાનતા સંયમમાં બાધક છે.
૧૦. પોતાના ગુરુનો વચનથી કે મનથી પરાભવ કરે છે તેમજ અનુપયોગી વાતો સાંભળતાં સાંભળતાં અસાવધાનતાથી પ્રતિ લેખન (નિરીક્ષણ) કરે છે તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
૧૧. જે ઘણું કપટ કર્યા કરે, જૂઠું બોલે, અહંકારી હોય, લોભી કે અજિતેંદ્રિય હોય, અવિશ્વાસુ અને અસંવિભાગ (પોતાના સંગાથી કે સાધક કરતાં ગુપ્ત રીતે વધારે ચીજો ભોગવે તેવો) હોય તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
૧૨. જે અધર્મી (દુરાચારી), પોતાની કુબુદ્ધિથી બીજાની બુદ્ધિનો પરાભવ કરનાર, વિવાદને ઉત્પન્ન કરનાર તેમજ લડાઈ અને કલહમાં સદા રક્ત રહેનાર હોય છે તે પાપી શ્રમણ કહેવાય છે.
૧૩. અસ્થિર અને કચકચાટ શબ્દો થાય તેવા આસનને વિશે જયાં ત્યાં બેસે કે અસાવધાનતાથી આસન પર બેસે તેમ જ કોઈપણ કાર્યમાં બરાબર ઉપયોગ ન રાખે તે પાપી શ્રમણ કહેવાય છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
પાપ શ્રમણીય
૧૦૧ ૧૪. રજે ખરડેલા પગને પંજ્યા વિના શય્યા પર સૂવે કે ઉપાશ્રય કે શધ્યાને વિવેકપૂર્વક જુએ નહિ તેમ જ શયામાં સૂતાં સૂતાં અસાવધપણે વર્તે તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
નોંધ : આદર્શ સંયમી માટે સામાન્ય અલના થાય તે પણ પાપ છે.
૧૫. જે દૂધ, દહીં કે તેવા રસવાળા પદાર્થોને વારંવાર ખાધા કરે છે તેમ જ તપશ્ચર્યા તરફ પ્રીતિ ધરાવતો નથી તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
૧૬. સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત થતાં સુધી વારંવાર વેળા કવેળાએ આહાર કર્યા કરે અને કોઈ ગુરુ કે વડીલ શિખામણ આપે તો તે ન માનતાં ભિક્ષાની અવગણના કરે છે તે પણ પાપી શ્રમણ કહેવાય છે.
૧૭. જે સદગુરુને ત્યાગી દુરાચારીઓનો સંગ કરે છે, છ માસે પોતાના સંપ્રદાયને છોડી બીજા સંપ્રદાયમાં ચાલી જાય છે અને નિંદનીય ચારિત્રવાળો હોય છે તે પાપી શ્રમણ કહેવાય છે.
નોંધ : સંપ્રદાય એટલે ગુરુકુલ, સાધક જે ગુરુકુલમાં રહીને પોતાની સાધના કરતો હોય છે તેને ખાસ કારણ સિવાય છોડીને ચાલી જનારો સ્વચ્છંદી સાધક પતિત થાય છે.
૧૮. પોતાનું ઘર (ગૃહસ્થાશ્રમ) છોડીને સંયમી થયો છે છતાં રસ લોલુપી કે ભોગી બની પર (ગૃહસ્થોનાં) ઘરે ફર્યા કરે અને જ્યોતિષ વગેરે વિદ્યાર્થી પોતાનું જીવન ચલાવે (તે સાધુનો ધર્મ નથી માટે) તેવું કરનાર પાપી શ્રમણ કહેવાય છે.
૧૯. ભિક્ષુ થયા પછી તો તેને “વસુધૈવ કુટુમ્' હોવું જોઈએ. તેમ છતાં સામુદાયિક (બાર કુળની) ભિક્ષાને ન ઇચ્છતાં માત્ર પોતાની જ્ઞાતિનો જ આહાર લઈ ભિક્ષા કરે છે તેમજ કારણ સિવાય ગૃહસ્થને ત્યાં વારંવાર બેસે છે તે પાપી શ્રમણ કહેવાય છે.
નોંધ : જે કુળમાં અભક્ષ્ય (માંસાદિ) આહારો થતા હોય તેમજ હલકા આચારવિચારો હોય તે જ વર્જ્ય ગણી અન્ય સ્થળોથી ભિક્ષા લેવી એ પ્રમાણે જૈનશાસ્ત્રકારોએ જૈન સાધુજીને છૂટ આપી છે. ગૃહસ્થને ત્યાં વૃદ્ધ, રોગી કે તપસ્વી સાધુ જ કારણવશાત્ બેસી શકે તે સિવાયના તો નહિ જ. કારણ કે ગૃહસ્થના અતિ પરિચયથી પતન અને એક જ્ઞાતિના જ પિંડ લેવાથી બંધન થઈ જાય છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦. પૂર્વોક્ત કહ્યો તેવો (પાસસ્થા-પતિત), ઉસના (રસલોલુપી), અહાછંદા (સ્વછંદી), સંસત્તા (આસક્ત) અને કુશીલ એમ પાંચ પ્રકારના કુશીલનાં લક્ષણો સહિત-દુરાચારી તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચે ગુણોથી રહિત કુશીલ, માત્ર ત્યાગીના વેષને જ ધારણ કરનાર એવો પાપી શ્રમણ આ લોકમાં ઝેરની માફક નિંદનીય બને છે. તેમ જ આ લોકમાં કે પરલોકમાં સુખી પણ થતો નથી.
૨૧. ઉપરના બધા દોષોને જે સદાય ત્યાગી દે અને મુનિઓના છંદમાં સાચો સદાચારી હોય તે જ આ લોકને વિશે અમૃતની માફક પૂજાય છે તથા તેવો જ સાચો સાધુ આ લોક અને પરલોક બંનેને આરાધે છે.
નોંધ : આ લોકમાં સર્વનો વંદનીય બને છે અને પરલોકમાં દિવ્યગતિ પામે છે. અથવા કર્મબંધનથી સર્વથા મુક્ત થઈ જાય છે.
સંયમ લીધા પછી સ્થાનની પૂરતી જવાબદારી વધે છે. હાલવા ચાલવામાં, ખાવાપીવામાં, ઉપયોગી સાધનો રાખવામાં, વિદ્યા મેળવવામાં, ગુરુકુલનો વિનય જાળવવામાં કે પોતાનું કર્તવ્ય સમજવામાં જરાપણ ગફલત થાય તો સંયમ હણાય. અપ્રમત્તતા અને વિવેકને ક્ષણે ક્ષણે સ્થાન આપી ક્રોધ, માન, માયા, લોભ, વિષય, મોહ, અસૂયા, ઈર્ષ્યા આદિ આત્મશત્રુઓનો વિજય મેળવતો જાય અને આગળ વધે તે ધર્મશ્રમણ કહેવાય. જો મળેલાં સાધનોનો દુરુપયોગ કરે કે પ્રમાદી બને તો પાપી શ્રમણ કહેવાય. માટે શ્રમણ સાધકે ખૂબ સાવધાન રહેવું અને સમાધિ સાધવી.
એમ કહું છું : એમ પાપી શ્રમણનું સત્તરમું અધ્યયન પૂર્ણ થયું.
Page #136
--------------------------------------------------------------------------
________________
સંયતીય
૧૦૩
અધ્યયન : અઢારમું સંયતીય
સંયતિ રાજર્ષિ સંબંધી
ચારિત્ર્યશીલનું મૌન જે અસર ઉપજાવે છે તે હજારો પ્રવક્તાઓ કે લાખો ગ્રંથો ઉપજાવી શકતા નથી. જ્ઞાનનું ફળ ચારિત્રનું સ્ફુરણ છે. ચારિત્રની એક જ ચિનગારી સેંકડો જન્મોનાં કર્માવરણ (માયાજાળ)ને બાળી શકે છે. ચારિત્રની સુવાસ કરોડો કલ્મષો (પાપો)ને નિર્મળ કરી શકે છે.
એકદા કાંપીલ્ય નગરના સંયતિ મહારાજા મૃગયા શિકાર માટે એક ઉદ્યાનમાં નીકળી પડ્યા છે. આથી એ કાંપીલ્યકેસર ઉદ્યાનમાં નિર્દોષ એવાં મૃગાદિ પશુઓ ત્રાસી ઊઠ્યાં છે. રસમાં આસક્ત થયેલા મહારાજાના હૃદયમાં અનુકંપાદેવીને બદલે નિર્દયતાનો વાસ જામ્યો છે.
ઘોડા પર બેસી કૈંક મૃગલાઓને બાણો માર્યા બાદ જેવો તે ઘવાયેલા મૃગલા પાસે આવે છે તેવો જ તે તેની પાસે પદ્માસને બેઠેલા એક યોગીશ્વરને જુએ છે અને જોતાં વાર જ ચમકે છે. તુરત જ અશ્વ પરથી ઊતરી મુનિશ્વરની પાસે આવી વિનયપૂર્વક તેમનાં ચરણપૂજન કરે છે, નમસ્કાર કરે છે.
ધ્યાનમાં અડોલ રહેલા ગર્દભાલી યોગીશ્વરને કશોય ખ્યાલ નથી. તે તો મૌન સમાધિમાં બેઠા છે. પરંતુ મહારાજા યોગીરાજ તરફથી પ્રત્યુત્તર ન મળતાં ભયભીત થાય છે. વિના વાંકે કરેલી નિર્દોષ પશુઓની હિંસા તેને વારંવાર ખટક્યા કરે છે. અનુકંપાની લહેરો ઊછળી પડે છે.
યોગીશ્વર ધ્યાનમાંથી નિવૃત્ત થાય છે કે શીઘ્ર મહારાજા પોતાનું નામ જણાવી યોગીરાજનાં કૃપાપ્રસાદને મેળવવાની જિજ્ઞાસા રજૂ કરે છે. યોગીરાજ તેમને યથાર્થ ભાન કરાવે છે અને ત્યાં જ એ સંસ્કારી આત્માનો તે જ ક્ષણે ઉદ્ધાર થાય છે.
ભગવાન બોલ્યા :
૧. (પંચાલ દેશમાં) કાંપીલ્ય નગરમાં ચતુરંગી સેના તથા ગાડીઘોડા, પાલખી વગેરે ઋદ્ધિવાળા એક સંયતિ નામના મહારાજા રાજ્ય કરતા હતા. એકદા તે મૃગયા (શિકાર) કરવા માટે પોતાના નગરની બહાર નીકળ્યા.
Page #137
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૨. અશ્વદળ, હાથીદળ, રથદળ અને પાયદળ એ ચાર પ્રકારની મોટી સેનાથી ચારે તરફ ઘેરાયેલા
૩. રસ (પશુ માંસનો સ્વાદ)માં આસક્ત થઈ અશ્વ પર ચડેલા તે મહારાજા કાંપીલ્યકેસર નામના ઉદ્યાનમાં મૃગલાઓને ભગાડીને (પાછળ દોડી) બીવરાવેલાં અને દોડીને થાકી ગયેલા એવા મૃગોને વીંધી નાખતા
હતા.
૧૦૪
૪. તે જ કેસર ઉદ્યાનમાં તપોધની (તપસ્વી) અને સ્વાધ્યાય (ચિંતન) તથા ધ્યાનમાં જોડાયેલા એક અણગાર (સાધુ) ધર્મધ્યાનમાં લીન થયા હતા. ૫. વૃક્ષથી વ્યાપ્ત એવા નાગરવેલના મંડપ નીચે તે મુનિ આસ્રવ (પાપમળ)ને દૂર કરીને નિર્મળ ચિત્તે ધ્યાન કરી રહ્યા છે. તેની પાસે આવેલા (એક) મૃગલાને પણ તે રાજા હણી નાખે છે.
નોંધ : રાજાને ખબર ન હતી કે અહીં કોઈ મુનિરાજ છે. નહિ તો શિષ્ટતા જાળવવા ખાતર તે કદી તેવા મહાયોગીની પાસે આવું હિંસક કૃત્ય કરી શકત નહિ.
૬. (મૃગો હણાયા પછી) પાછળ ઘોડા પર જલદી દોડી આવતો તે રાજા તે સ્થળે આવીને હણાયેલા મૃગલાને જુએ છે અને તેને જોતાં જ પાસે ધ્યાનસ્થ બેઠેલા ત્યાગીને પણ જુએ છે.
૭. (જોતાં વાર જ મારા બાણથી મુનિરાજ હણાયા હશે ! મુનિ ન હણાયા હોય તો મૃગ તેની પાસે આવી ગયો માટે કદાચ મૃગ તે યોગીનો હશે અને તે હણાઈ ગયો, હવે મારું શું થશે ? અથવા આવા અનુકંપન યોગી પાસે આવું હિંસક કૃત્ય થયું તેથી તેને દુઃખ થશે. આ પ્રમાણે વિચારો આવે છે.) તેથી ભયભીત અને શંકાગ્રસ્ત બની ગયેલો તે માને છે કે ‘મંદ પુણ્યવાળા, રસાસક્ત અને હિંસક એવા મેં ખરેખર મુનિશ્રીની લાગણી દુભાવી.'
૮. તે રાજા તુરત જ પોતાના ઘોડા પરથી ઊતરી ઘોડાને દૂર મૂકીને મુનિશ્રી પાસે જઈ તે આદર્શ ત્યાગીના બંને ચરણોને ભક્તિપૂર્વક નમે છે અને સરળ હૃદયપૂર્વક કહે છે કે ભગવન્ ! મારા અપરાધને આપ માફ કરો. ૯. પરંતુ તે વખતે એ યોગીશ્વર મૌનપૂર્વક ધર્મધ્યાનમાં તલ્લીન હોવાથી રાજાને પ્રત્યુત્તર ન આપી શક્યા. આથી રાજા ભય વડે ખૂબ આકુળવ્યાકુળ થઈ ગયો.
Page #138
--------------------------------------------------------------------------
________________
સંયતીય
૧૦૫ નોંધ : ગુનેગારનું અંતઃકરણ સ્વયં ખળભળ્યા કરે છે તેથી તેના હૃદયમાં પ્રથમથી ભય તો હતો જ. પરંતુ યોગીશ્વરના મૌને તેને વધારે વ્યાકુળ બનાવી મૂક્યો.
૧૦. પોતાની ઓળખાણ આપતાં કહે છે કે, હે ભગવન્! હું સંયતિ (નામનો રાજા) છું. મને કંઈક કહો. કારણ કે મને બહુ બીક લાગે છે કે રખે કોપિત થયેલા અણગાર પોતાના શક્તિપ્રભાવ (તેજોવેશ્યા)થી કરોડો મનુષ્યોને બાળી નાંખે !
નોંધ : તપસ્વી અને યોગીપુરુષોને અનેક પ્રકારની સિદ્ધિઓ ઉત્પન્ન થાય છે. પરંતુ આદર્શપુરુષો તેનો દુરુપયોગ કદી કરતા જ નથી છતાં મહારાજાને તેવો ભય ઉત્પન્ન થાય તે તો સ્વાભાવિક જ છે. મુનિશ્રી ધ્યાનમાંથી જાગૃત થઈ સ્વસ્થ થયા અને ભયભીત રાજાને જોઈ તુરત જ બોલી ઊઠ્યા :
૧૧. હે રાજન્ ! તને અભય હો ! અને તું પણ હવે (તારી નીચેના જીવોને માટે) અભયદાનનો દાતા બની જા. અનિત્ય એવા આ જીવલોક (સંસાર)ને વિશે હિંસાના કાર્યમાં શા માટે આસક્ત થાય છે ?
નોંધ : જેમ મારા ભયથી તું મુક્ત થયો તેમ તું પણ સર્વ જીવોને તારા ભયથી મુક્ત કર. અભયદાન જેવું એક ઉત્તમ દાન નથી. ક્ષણિક એવા મનુષ્યજીવનમાં આવાં ઘોર કૃત્યો શા માટે કરે છે ?
૧૨. જો તારે રાજપાટ, મેડી, મંદિર, બાગબગીચા, સ્વજન પરિવાર અને શરીર વગેરે બધું છોડીને કર્મવશાત્ વહેલું મોડું જવાનું જ છે તો અનિત્ય એવા આ સંસારમાં રાજય પર પણ આસક્ત શા માટે થાય છે ?
૧૩. જેના પર તું મૂંઝાઈ રહ્યો છે તે જીવન અને રૂપ એ બધું તો વિદ્યુતના ચમકારા જેવું ચંચળ છે. માટે હે રાજન ! આ લોકની ચિંતા છોડી પરલોક માટેનો કંઈક વિચાર કર. શા માટે પછીનાં પરિણામને ચિંતવતો નથી ?
૧૪. સ્ત્રી, પુત્રો, મિત્રો કે બંધુઓ જીવતાને જ અનુસરી તેમાં ભાગીદાર બને છે. મરણ થયા પછી કોઈ અનુસરતું નથી.
નોંધ : આ દેખાતું સગપણ જીવન સુધીનું જ છે અને મનુષ્યજીવન પણ ક્ષણિક અને પરતંત્ર છે. તો તેવા ક્ષણિક સગપણ માટે જીવન હારી જવું કોઈ રીતે ઉચિત નથી.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૫. જેમ અતિ દુઃખી થયેલા પુત્રો મરેલા પિતાને ઘર બહાર કાઢે છે તેમ મરેલા પુત્રોના દેહને પિતા ત્યાગે છે. સગા બાંધવોનું પણ તેમજ સમજવું. માટે હે રાજન્ ! તપશ્ચર્યા અને ત્યાગ (અનાસક્તિ) માર્ગમાં ગમન કર,
નોંધ : ચેતન ગયા પછી સુંદર દેહ પણ સડવા માંડે છે. એટલે પ્રેમીજન પણ તેને જલદી બહાર કાઢી ચિતામાં સળગાવી દે છે.
૧૬. હે રાજન્ ! ઘરધણી મરી ગયા પછી તેણે એકઠું કરેલું ધન અને પોતે પોષેલી સ્ત્રીઓને કોઈ બીજા મનુષ્યો જ ભોગવે છે અને ઘરનાં બધાં હર્ષ અને સંતોષપૂર્વક તે મરેલાનાં આભૂષણોથી અલંકૃત થઈ આનંદ કરે છે.
નોંધ : મરેલાનો વિરહ થોડો વખત સાલે છે. પરંતુ સંસારની ઘટના જ એવી છે કે સ્વાર્થ હોય તો લાંબા કાળે અને સ્વાર્થ ન હોય તો થોડા જ વખતમાં તે દુઃખ ભૂલી જવાય છે.
૧૭. સગાંવહાલાં, ધન, પરિવાર એ બધું અહીં રહી જાય છે અને માત્ર તે જીવે કરેલાં શુભ કે અશુભ કર્મ જ સાથે આવે છે. તે શુભાશુભ કર્મથી જોડાયેલો જીવાત્મા એકલો જ પરભવમાં ચાલ્યો જાય છે.
નોંધ : આવી જાતની સંસાર ઘટના બતાવવાથી તે સંસ્કારી રાજાનું હૃદય વૈરાગ્યમય બની જાય છે.
૧૮. એ પ્રમાણે યોગીશ્વરની પાસે સત્યધર્મને સાંભળીને તે રાજા (પૂર્વ સંસ્કારોની પ્રબળતાથી) તે જ સમયે સંવેગ (મોક્ષની તીવ્ર અભિલાષા) અને નિર્વેદ (દવ તથા મનુષ્ય સંબંધીના કામભોગોથી વૈરાગ્ય)ને પામ્યા.
૧૯. હવે સંયતિરાજા રાજ્યને છોડીને ગર્દભાલી મુનિ પાસે જૈનશાસનની દીક્ષા લઈ સંયતિમુનિ બની ગયા.
નોંધ : સાચો વૈરાગ્ય જાગે પછી ક્ષણભર પણ કેમ રહેવાય ? આવા સંસ્કારી જીવો અપૂર્વ આત્મબળ ધરાવનારા હોય છે.
ગર્દભાલી મુનિશ્વરના શિષ્ય સંયતિમુનિ સાધુજીવનમાં પરિપક્વ તેમ જ ગીતાર્થ (જ્ઞાની) બની ગુરુ પાસેથી આજ્ઞા લઈ એકદા ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા એક સ્થળે આવે છે. ત્યાં તેમને એક બીજા રાજર્ષિ મળે છે. આ ક્ષત્રિય રાજર્ષિ દેવલોકથી ઍવીને (નીકળીને) મનુષ્યભવ પામ્યા છે. તે પણ પૂર્વના પ્રબળ સંસ્કારી હોવાથી કંઈક નિમિત્ત મળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું છે અને તેથી ત્યાગી બની દેશોદેશ વિચરી જિનશાસનને શોભાવી રહ્યા છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
સંયતીય
૨૦. રાષ્ટ્રને ત્યાગીને દીક્ષિત થયેલા તે ક્ષત્રિયમુનિ સંયતિ યોગીશ્વરને પૂછે છે કે જેવું આપનું રૂપ દેખાય છે તેવું જ આપનું અંતઃકરણ પણ પ્રસન્ન દેખાય છે.
૧૦૭
નોંધ : જેવી આપની આકૃતિ સૌમ્ય છે તેવું જ અંતઃકરણ પણ નિર્મળ દેખાય છે.
૨૧. આપનું નામ શું ? પૂર્વાશ્રમમાં આપનું ગોત્ર શું હતું ? આપ શાથી શ્રમણ બન્યા ? (ત્યાગ કેવી રીતે લીધો ?) કયા આચાર્ય (ગુરુદેવ)ને સેવો છો ? તમો વિનીત કેવી રીતે કહેવાઓ છો ? (આમ ક્ષત્રિયમુનિએ પૂછ્યું હતું.)
૨૨. મારું નામ સંયતિ છે. ગૌતમ એ મારું ગોત્ર છે. જ્ઞાન અને ચારિત્રયુક્ત એવા ગર્દભાલી નામના આચાર્ય મારા ગુરુદેવ છે.
નોંધ ઃ મુક્તિને માટે યોગ્ય એવા ગુરુવરને હું સેવું છું હવે વિનીત કેમ કહેવાય ? તે પ્રશ્નના ઉત્તરમાં પુનઃ કહે છે :
૨૩. અહો ક્ષત્રિયરાજ મહામુનિ ! (૧) ક્રિયાવાદી (સમજણ વિના માત્ર ક્રિયા કરનાર. (૨) અક્રિયાવાદી (માત્ર પોપટિયા જ્ઞાનને માનનાર), (૩) વિનયથી જ સિદ્ધિ માનનારા અને (૪) અજ્ઞાનવાદી. આ ચારે વાદમાં રહેલા પુરુષો ભિન્નભિન્ન પ્રકારના માત્ર વાદો જ કર્યા કરે છે. પરંતુ તત્ત્વ માટે કશો પ્રયત્ન કરતા નથી. તે સંબંધમાં તત્ત્વજ્ઞ પુરુષોએ શું કહ્યું છે ? નોંધ : આમ કહેવાનું પ્રયોજન એ છે કે તેવા મતને માનનાર એકાંતવાદી સાધક વિનીત કહેવાતો નથી. તેથી એકાંતવાદોને હું સ્વીકારતો નથી. તેમ સંયતિમુનિએ કહ્યું.
૨૪. તત્ત્વના જાણકાર, સાચા પુરુષાર્થી અને ક્ષાયિકજ્ઞાન (શુદ્ધજ્ઞાન) તથા ક્ષાયિક ચારિત્ર વડે સંયુક્ત એવા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે પણ આ પ્રમાણે પ્રકટ કર્યું હતું.
૨૫. અહીં જેઓ અસત્ય પ્રરૂપણા કરનાર, (કે પાપ કરનારા) હોય છે તે ઘોર નરકમાં પડે છે. અને જે આર્ય (સત્ય) ધર્મને આચરે છે તે મનુષ્ય દિવ્યગતિને પામે છે.
નોંધ : મધ્યયુગમાં જૈનશાસન સર્વોપરિ ગણાતું કારણ કે પૂર્ણ પુરુષો તેના પ્રવર્તક હતા અને તે તપ, ત્યાગ તથા અહિંસાના સૂક્ષ્મ સિદ્ધાંતોનું પ્રરૂપણ કરતા.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૬. તે સિવાયના માત્ર કપટયુક્ત મત પ્રવર્તી રહ્યા છે. તે નિરર્થક અને ખોટા વાદો જ છે. એમ જાણીને હું સંયમમાં પ્રવર્તન કરી ઇર્યા સમિતિમાં વસું છું.
નોધ : સર્વશ્રેષ્ઠ જેનશાનને જાણી તે માર્ગમાં હું ગમન કરું છું. ઇર્યા સમિતિ એ જૈન શ્રમણોની ક્રિયા છે. વિવેક અને ઉપયોગપૂર્વક ગમન કરવું તેનું નામ ઈર્યા. - ૨૭. (ક્ષત્રિય રાજર્ષિએ કહ્યું :) એ બધા અશુદ્ધ અને અસત્ય દૃષ્ટિવાળા અનાર્ય મતો મેં પણ જામ્યા છે. અને પરલોક પણ જાણ્યા છે. તેથી હવે સાચા પ્રકારે આત્મસ્વરૂપને ઓળખી જૈનશાસનમાં વિચરું છું.
નોંધ : ક્ષત્રિય રાજર્ષિએ સૌને પહેલાં જાણી લીધા હતા અને તેમાં અપૂર્ણતા લાગવાથી પછી જ જૈન જેવા વિશાળ શાસનની દીક્ષા લીધી હતી.
આ સાંભળી સંયતિ મુનિએ કહ્યું : ૨૮. હું પણ પહેલા મહાપ્રાણ નામના વિમાનમાં પૂર્ણ આયુષ્યવાળા કાન્તિમાન દેવ તરીકે હતો. ત્યાંની સો વર્ષની ઉપમાળાની દિવ્યઆયુ સ્થિતિ છે. તે મોટા કાળ પ્રમાણની હોય છે.
નોંધ : પાંચમા દેવલોકમાં હું દેવરૂપે હતો ત્યારે મારું આયુષ્ય દશ સાગરોપમનું હતું. સાગરોપમ એ સર્વ સંખ્યાતીત મોટું કાળ પ્રમાણ કહેવાય છે.
૨૯. હું તે પાંચમા (બ્રહ્મ) દેવલોકથી નીકળીને મનુષ્યના ભવને વિશે સંયતિરાજા રૂપે અવતર્યો હતો. (ત્યાંથી નિમિત્તવશાત દીક્ષિત થઈ) હવે હું મારા અને પરના આયુષ્યને બરાબર જાણી શકું છું.
નોંધ : સંયતિ રાજર્ષિને તેવું વિશુદ્ધ જ્ઞાન હતું કે જે વિશુદ્ધ જ્ઞાન દ્વારા તે પોતાના અને પરનો જીવિત કાળ જાણી શકે.
૩૦. (હે ક્ષત્રિય રાજર્ષિ !) ભિન્નભિન્ન પ્રકારની રુચિઓ અને સ્વછંદોને સંયમીએ ત્યાગી દેવા જોઈએ. અને સર્વ કામભોગો અનર્થનાં મૂળ છે એમ જાણી જ્ઞાનમાર્ગમાં ગમન કરવું જોઈએ. - ૩૧. તેમ જાણીને દૂષિત (નિમિત્તાદિ શાસ્ત્રો દ્વારા કહેવાતા) પ્રશ્નોથી હું નિવૃત્ત થયો છું. તેમ જ ગૃહસ્થ સાથેની ગુપ્ત રહસ્ય ભરી વાતોથી પણ નિવૃત્ત થયો છું. અહો ! ખરેખર સંસારને ત્યાગી સંયમમાર્ગને પામેલા પુરુષે દિનરાત્રી જ્ઞાનપૂર્વક તપશ્ચર્યામાં જ વિચારવું જોઈએ.
Page #142
--------------------------------------------------------------------------
________________
સંયતીય
૧૦૯ નોંધ : આ પ્રમાણે સંયતિ રાજર્ષિએ બહુ મધુર રીતે સાધુની જીવની (જીવન) વર્ણવી પોતે તે મુજબ ચાલે છે તેની પ્રતીતિ આપી વિનીત અર્થાત્ જૈનશાસનને અનુકૂળ શ્રમણની વ્યાખ્યા કહી સંભળાવી.
ક્ષત્રિય રાજર્ષિએ આ સાંભળી પોતાનું પણ તે જ મંતવ્ય છે અને આપણે બંને એક જિનશાસનના અનુયાયીઓ છીએ
તેમ ખાતરી આપી કહ્યું : ૩૨, સાચા અને શુદ્ધ અંતઃકરણથી પૂછો તો હું પણ તે જ કહું છું જે વસ્તુ તીર્થકર (જિનેશ્વર) દેવોએ બતાવી છે તે અપૂર્વજ્ઞાન જિનશાસનમાં ઝળકે છે.
૩૩. તે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે અક્રિયા (જડક્રિયાને છોડી ધીર સાધકે સાચા જ્ઞાન સહિત ક્રિયાને આચરવી અને સમદષ્ટિથી યુક્ત થઈ કાયર પુરુષોને કઠિન એવા સદ્ ધર્મમાં ગમન કરવું.
નોંધ : સમક્તિ દષ્ટિનાં ચશ્માં સીધાં હોય છે. તે કોઈના દોષો દેખતો નથી. માત્ર સત્યનો શોધક બની તેને જ આચરે છે. જૈનદર્શન જેમ જડક્રિયા (જ્ઞાનરહિત ક્રિયા)ને માનતું નથી તેમ શુષ્કજ્ઞાન (ક્રિયા રહિત પોપટિયું જ્ઞાન)ને પણ સ્વીકારતું નથી. તે જ્ઞાન અને ચારિત્ર બંનેની આવશ્યકતા સ્વીકારે છે.
૩૪. મોક્ષરૂપી અર્થ અને સદ્ ધર્મથી શોભતા એવા આ પુણ્યપદ પવિત્ર ઉપદેશને સાંભળીને પૂર્વકાળમાં ભરત નામના ચક્રવર્તીએ પણ ભરતક્ષેત્રનું રાજ્ય અને દિવ્ય કામભોગોને છોડીને ચારિત્ર ધર્મ અંગીકાર કર્યો હતો
૩૫. (પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં સમુદ્ર સુધી અને ઉત્તર દિશામાં ચલહિમવંત પર્વત સુધી જેની આણ હતી.) તેવા બીજા સગર ચક્રવર્તી પણ સાગરના છેડા સુધી રહેલા ભારત ક્ષેત્રના રાજ્યને તથા સંપૂર્ણ હકુમતને છોડીને સંયમ અંગીકાર કરી મુક્તિ પામ્યા છે.
૩૬. અપૂર્વ ઋદ્ધિમાન અને મહા કીર્તિમાન એવા મધવ નામના ચક્રવર્તી પણ ભરતક્ષેત્રનું રાજ્ય છોડી પ્રવજ્યા લેવાને સાવધાન થઈ ગયા હતા.
૩૭. ચોથા સનકુમાર નરેન્દ્ર ચક્રવર્તી કે જે મહા ઋદ્ધિવાળા હતા છતાં તેમણે પણ પુત્રને રાજ્ય સોંપીને (સંયમ લઈ) તપશ્ચર્યાનો માર્ગ આદરી દીધો હતો.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ઉત્તરાધ્યયન સૂત્ર ૩૮. લોકને વિશે અપાર શાંતિ કરનારા પાંચમા શાંતિનાથ નામે ઋદ્ધિમાન ચક્રવર્તી પણ ભરતક્ષેત્રનું રાજ્ય છોડી, પ્રવજયા લઈને મુક્તિ પામ્યા.
૩૯. ઈસ્વાકુ વંશના રાજાઓમાં વૃષભ સમાન ઉત્તમ અને વિખ્યાત કીર્તિવાળા નરેશ્વર, છઠ્ઠા ચક્રવર્તી કુંથુરાજા પણ રાજ્યપાટ તથા સંપત્તિ છોડીને ત્યાગી બની અનુત્તરગતિ (મુક્તિ)ને પામ્યા.
૪૦. સાગરના છેડા સુધી રહેલા ભરતક્ષેત્રના નરવરેશ્વર સાતમા ચક્રવર્તી અનામના નરેશ્વર પણ તે બધી વસ્તુને છોડી કર્મથી રહિત થઈ શ્રેષ્ઠ ગતિ (મુક્તિ) પામ્યા.
૪૧. નવમા મહાપા નામે ચક્રવર્તી પણ મોટી સેના, ભારતવર્ષનું મહાન રાજય તથા ઉત્તમ કામભોગોને છોડી તપશ્ચર્યાના માર્ગમાં વળ્યા હતા.
૪૨. પૃથ્વીના પ્રત્યેક રાજાઓનાં માનને મર્દન કરનારા અને મનુષ્યોમાં ઇંદ્ર સમાન એવા આઠમા ચક્રવર્તી હરિષણ પણ મહીમંડળમાં પોતાનું એક જ છત્ર પ્રવર્તાવી આખરે તેને છોડીને ત્યાગી બની ઉત્તમ ગતિમાં ગયા.
૪૩. હજારો રાજાઓથી ઘેરાયેલા અગિયારમા જય નામના ચક્રવર્તીએ પણ સાચા ત્યાગી થઈ આત્મદાન કર્યું અને ઉત્તમ ગતિ (મોક્ષગતિ)માં ગયા.
નોંધ : ચક્રવર્તી એટલે છ ખંડના અધિપતિ. એવા મહાન પુરુષોએ અપાર સમૃદ્ધિ મનોરમ્ય કામભોગોને છોડી દીધાં હતાં અને ત્યાગ અંગીકાર કર્યો હતો. ભરતખંડના બાર ચક્રવર્તી પૈકી ઉપરના દસ ત્યાગી થઈ મોક્ષે ગયા હતા. અને આઠમા સુભૂમ ચક્રવર્તી અને બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તી, એ બંને ભોગો ભોગવી નરકગતિ પામ્યા હતા.
જૈનશાસનમાં જે સામાન્ય રાજાઓ ભળ્યા તે બતાવે છે : ૪૪. પ્રત્યક્ષ કેન્દ્રની પ્રેરણા થવાથી પ્રસન્ન અને પર્યાપ્ત એવા દશાર્ણ રાજયને છોડી દશાર્ણભદ્ર ત્યાગમાર્ગને આદર્યો.
૪૫. નમિરાજા તો ભોગો પ્રત્યે સાક્ષાત્ શકેન્દ્રની પ્રેરણા હોવા છતાં પોતાના આત્માને વશ રાખી વૈદેહી નગરી તથા ઘરબારને છોડીને ચારિત્રધર્મમાં સાવધાન થયા હતા.
૪૬. તેમ જ કલિગ દેશમાં કરકંજુરાજા, પંચાલ દેશમાં દ્વિમુખરાજા. વિદેહ દેશમાં (મિથિલા નગરીમાં) નમિરાજેશ્વર અને ગંધાર દેશમાં નિર્ગત (નગઈ) નામના રાજેશ્વર ત્યાગી બન્યા હતા.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧ ૧૧
સંયતીય
નોધ : આ ચારે પ્રત્યેક બુદ્ધ (કોઈ એક વસ્તુ જોઈને બોધ પામેલા) જ્ઞાની પુરુષો થઈ ગયા છે.
૪૭. રાજાઓમાં ધોરી સમાન એ બધા રાજાઓ પોતાના પુત્રોને રાજય સોંપીને જિનશાસનમાં અનુરક્ત બન્યા હતા અને ચારિત્રમાર્ગની આરાધના કરી હતી.
૪૮. સિંધુ સોવીર દેશના ધોરી સમાન ઉદાયન નામના મહારાજાએ રાજ્ય છોડીને સંયમ આદર્યો અને આખરે ઉત્તમ એવી મોક્ષગતિને પામ્યા.
૪૯. તે જ પ્રકારે કાશીદેશના (સાતમા નંદન નામના બળદેવ) રાજાએ પણ રાજય તથા કામભોગોને તજી દીધા તથા સંયમ આદર્યો. અંતે કલ્યાણ અને સત્યમાર્ગમાં પુરુષાર્થ કરીને અધર્મરૂપી મહાવનને કાપી નાંખ્યું.
નોંધ : વાસુદેવનું બળ તથા ઋદ્ધિ ચક્રવર્તીથી અર્ધી હોય છે. તેમના નાના ભાઈ હોય તે બળદેવ ગણાય. બળદેવ ધર્મપ્રેમી જ હોય છે તે ભોગોમાં રક્ત થતા નથી.
૫૦. અપયશને હણી નાખનાર અને મહાકીર્તિવાળા એવા વિજય નામના રાજાએ પણ ગુણસમૃદ્ધ (ગુણે કરીને પૂર્ણ) રાજયને છોડીને દીક્ષા લીધી હતી.
નોંધ : વિજય એ બીજા નંબરના બળદેવ હતા.
૫૧. તે જ પ્રકારે પ્રસન્નચિત્તપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા આચરીને મહાબળ નામના રાજર્ષિ પણ માથા સાટે કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીને મેળવી મુક્તિ પામ્યા હતા.
નોંધ : પૂર્વોક્ત સિવાય બીજા પણ સાત બળદેવ રાજાઓ તથા બીજા અનેક રાજાઓ જૈનશાસનમાં સંયમી થયા છે. અહીં માત્ર થોડાં જ પ્રસિદ્ધ દષ્ટાંતો કહ્યાં લાગે છે.
પ૨. ધીરપુરુષ નિષ્ણુયોજનવાળી વસ્તુઓ સાથે ઉન્મત્તની માફક થઈ પૃથ્વીમાં સ્વચ્છંદી થઈ કેમ વિચરે ? એમ વિવેક કરીને જ ઉપર કહેલા (ભરતાદિક) શૂરવીર અને પ્રબળ પુરુષાર્થી પુરુષો જ્ઞાન અને ક્રિયાથી યુક્ત એવા જૈન માર્ગને આદરતા હતા.
૫૩. સંસારના મૂળ શોધવામાં સમર્થ એવી આ મેં (પૂર્વ આગમની) સત્ય વાણી આપને કહી છે. તે સાંભળીને આચરવાથી કંઈક મહાપુરુષો તરી ગયા છે. વર્તમાન કાળે તમારા જેવા કંક તરે છે અને ભવિષ્યકાળમાં અનેક તરી જશે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧ ૨
ઉત્તરાધ્યયન સૂત્ર નોધ : આ પ્રમાણે અહીં એ બંને આત્માર્થી અણગારોનો સત્સંગ સંવાદ પૂર્ણ થાય છે. અને તે બંને મુનિશ્વરો પોતાના પંથે પ્રયાણ કરે છે. - ૫૪. ધીરપુરુષ સંસારની નિરર્થક વસ્તુઓ સારુ પોતાના આત્માને શા માટે હણે ? અર્થાત્ ન જ હશે. એમ વિવેક કરે તો સર્વસંગથી મુક્ત થઈ ત્યાગી બની તે અંતે નિષ્કર્મા થઈ સિદ્ધ થાય છે.
નોંધ : ચક્રવર્તી જેવા મહારાજાઓ મનુષ્ય લોકની સંપૂર્ણ ઋદ્ધિ અને શક્તિવાળા હોય છે. તેના ભાગોમાં શી ખામી હોય? છતાં ત્યાં પણ તૃપ્તિ હોતી નથી. પ્તિ ત્યાગમાં છે. તૃપ્તિ નિરાસક્તિમાં છે. તૃપ્તિ નિર્મોહ દશામાં છે. તેથી જ તેવા ધરણપતિ બાહ્ય સંપત્તિને છોડી આંતરિક સંપત્તિને મેળવવા સંયમમાર્ગને સ્વીકારે છે.
સુખનો એ એક જ માર્ગ છે. શાંતિને ભેટવાની એ એક જ શ્રેણિ છે. સંતોષનું એ એક જ સોપાન છે અનેક જીવાત્માઓ ભૂલી, ભટકી, રખડી રવડીને આખરે અહીં જ આવ્યા છે. ત્યાં જ વિશ્રામ લીધો છે અને ત્યાં જ જે કંઈ જોઈતું હતું તે પામ્યા છે.
એ પ્રમાણે ભગવાન મહાવીરે કહ્યું હતું તે તને કહું છું. એમ શ્રી સુધર્મસ્વામીએ જંબૂને કહ્યું :
આમ સંયતિમુનિનું અઢારમું અધ્યયન સમાપ્ત થયું.
Page #146
--------------------------------------------------------------------------
________________
મૃગાપુત્રીય
૧૧૩
અધ્યયન : ઓગણીસમું
મૃગાપુત્રીય મૃગાપુત્ર સંબંધી
કુકર્મનાં પરિણામ કડવાં છે. દુરાત્માની દુષ્ટ વાસનાને અનુસરવામાં ખૂબ જોખમ છે. એકમાત્ર સહજ ભૂલથી આ લોક પર લોકમાં અનેક સંકટો સહેવાં પડે છે. દુર્ગતિનાં દારુણ દુઃખો સાંભળતાં પણ ત્રાસ ઉપજાવે તેવાં હોય છે તો અનુભવની તો વાત જ શી ?
મૃગાપુત્ર પૂર્વના સંસ્કારવશાત્ યોગમાર્ગમાં જવા તત્પર થાય છે. માતાપિતા સંયમ માર્ગનાં સંકટો પુત્રને કહી બતાવે છે. પુત્ર કહે છે : માતાપિતા ! ક્યાં એ સ્વેચ્છાએ સહેવાનાં સામાન્ય કષ્ટ અને ક્યાં એ પરાધીનતાએ ભોગવવાં પડતાં દારુણ દુઃખ ?
આખરે મૃગાપુત્રના સંયમની સાચી તાલાવેલી માતાપિતાને પિગળાવી મૂકે છે. સંસારને ત્યાગી તપશ્ચર્યાને આદરી તે યોગીશ્વર આ જ જન્મમાં પરમ પુરુષાર્થ દ્વારા કર્મકંચુકને ભેદીને અંતિમ ધ્યેયે મળી શુદ્ધ, બુદ્ધ અને સિદ્ધ થાય છે.
ભગવાન બોલ્યા : ૧. મોટાં વૃક્ષોથી ગાઢ એવાં કાનન (જંગલ) અને ક્રીડા કરવા લાયક ઉદ્યાનોથી સુશોભિત અને સમૃદ્ધિથી રમણીય એવા સુગ્રીવ નામના નગરને વિશે બળભદ્ર નામના રાજા રહેતા હતા. અને તે રાજાને મૃગાવતી નામની પટરાણી હતી. - ૨. માતા પિતાનો વલ્લભ અને યુવરાજ એવો બલશ્રી નામનો તેને એક કુમાર હતો કે જે દમિતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ અને મૃગાપુત્ર તરીકે પ્રસિદ્ધ થયો હતો.
૩. તે દોગુન્દક (ત્રાયઢિશક) દેવની માફક મનોહર રમણીઓ સાથે હંમેશાં નંદન નામના મહેલમાં આનંદપૂર્વક ક્રીડા કરતો હતો.
નોંધ : દેવલોકમાં ત્રાયસ્ત્રિક નામના ભોગી દેવો હોય છે. ૪. મણિ અને રત્નોથી જેનું ભોયતળિયું જડેલું છે, તેવા મહેલને ગોખે
Page #147
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૧૧૪
બેસીને એકદા તે નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને મોટાં ચોગાનોને ભિન્નભિન્ન રીતે જોયા કરે છે.
નોંધ : મણિ અને રત્નોનું જડતર એ અહીં ઉપમેય કથન હોવું જોઈએ, કારણ કે અપાર સંપત્તિ હોવા છતાં તેનો આવી રીતે ઉપયોગ તો ન જ થઈ શકે. પરંતુ તે એવા પ્રકારનું જડતર હોય કે જોનારને ત્યાં અમૂલ્ય એવાં મણિ કે રત્નો જ પાથરેલાં લાગે.
૫. તેવામાં તે મૃગાપુત્રે તપશ્ચર્યા, સંયમ અને નિયમોને ધારણ કરનાર, અપૂર્વ બ્રહ્મચારી અને ગુણની ખાણરૂપ એક સંયમીને ત્યાંથી પસાર થતા જોયા. ૬. મૃગાપુત્ર મટકું માર્યા વગર એક દૃષ્ટિથી તે યોગીશ્વરને જોયા કરે છે. જોતાં જોતાં તેને વિચાર આવ્યો કે આવું સ્વરૂપ (વેશ) પહેલાં મેં અવશ્ય ક્યાંક જોયું છે.
૭. સાધુજીનાં દર્શન થયા પછી આ પ્રમાણે ચિંતવતાં શુભ અધ્યવસાય (મનો ભાવના) જાગૃત થયા. અને ક્રમથી મોહનીય ભાવ ઉપશાંત થવાથી ત્યાંને ત્યાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
નોંધ : જૈનદર્શન જીવાત્માને આઠ કર્મોથી ઘેરાયેલો માને છે. અને એ કર્મવશાત્ જ જન્મમરણાદિ દુ:ખો વેઠવાં પડે છે. આ આઠ કર્મો પૈકી બીજા સાત કર્મોમાં કેવળ મોહનીય કર્મ જ મહાન છે. તેની સ્થિતિ પણ ૭૦ કોડાક્રોડી સાગરોપમ એટલે કે બધાં કર્મો કરતાં વધુ અને પ્રબળ માની છે. આ કર્મનો જેટલે અંશે ક્ષય થતો જાય તેટલે અંશે આત્માભિમુખ થવાય. મૃગાપુત્રના મોહનીય કર્મનું ઉપશમન થયું હતું. અને તેથી તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. આ જ્ઞાન થવાથી સંજ્ઞી પંચેન્દ્રિય (મનવાળા પંચેન્દ્રિય વાળાને પોતાના નવસોની સંખ્યા સુધીના પૂર્વભવો સાંભરે છે. જાતિસ્મરણ જ્ઞાન મતિજ્ઞાનનો જ એક ભેદ છે.
૮. ૩ સંજ્ઞી (મનવાળા) જીવને જ ઉત્પન્ન થાય તેવું જ્ઞાન ઉત્પન્ન થવાથી પ્રથમ તેણે ગત જન્મ જોયો અને જાણ્યું કે દેવલોકમાંથી ઊતરીને હું મનુષ્યભવ પામ્યો છું.
વ્ર મહાન ઋદ્ધિમાન મૃગાપુત્ર પૂર્વજન્મને સાંભરે છે. પૂર્વજન્મને સંભારતાં સંભારતાં પૂર્વભવે આદરેલું સાધુપણું પણ યાદ આવ્યું.
નોંધ : આ ગાથા કોઈ કોઈ પ્રતિમાં વધુ આવેલી હોવાથી અનુવાદન કર્યું છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
મૃગાપુત્રીય
૧૧૫
૯. સાધુપણું યાદ આવ્યા પછી ચારિત્રને વિશે ખૂબ પ્રીતિ ઉદ્ભવી અને વિષયને વિશે તેટલી જ વિરક્તિ (વૈરાગ્ય) ઉત્પન્ન થઈ. આથી માતાપિતાની સમીપમાં આવી આ વચન કહ્યું :
૧૦. હે માતાપિતા ! પૂર્વકાળમાં મેં પાંચ મહાવ્રતરૂપ સંયમ ધર્મ પાળેલો તેનું સ્મરણ થયું છે. અને તેથી નરક, પશુ ઇત્યાદિ અનેક ગતિના દુઃખથી ભરેલા સંસાર સમુદ્રથી નિવૃત્ત થવાને ઇચ્છું છું. માટે મને આજ્ઞા આપો. હું પવિત્ર પ્રવજા (ગૃહત્યાગ) અંગીકાર કરીશ.
નોંધ : પૂર્વકાળમાં પંચમહાવ્રતનું કહે છે તેથી જણાય છે કે પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના વખતમાં મૃગાપુત્ર સંયમી થયા હશે.
૧૧. હે માતાપિતા ! પરિણામે વિષ (કિપાકો ફળની પેઠે નિરંતર કડવા ફળ દેનારા અને એકાંત દુઃખની પરંપરાથી જ વિટળાયેલા એવા ભોગો મેં (પૂર્વકાળમાં અને હમણાં) ખૂબ ભોગવી લીધા છે.
૧૨. આ શરીર અશુચિ (શુક્રવીર્યાદિ)થી ઉત્પન્ન થયેલું હોઈ કેવળ અપવિત્ર અને અનિત્ય છે. (રોગ, જરા ઇત્યાદિના) દુઃખ અને કલેશોનું જ માત્ર ભાજન છે. તેમજ અશાશ્વત (અસ્થિર) દશાવાળું છે.
૧૩. પાણીના ફીણ કે પરપોટા જેવા ક્ષણિક શરીરમાં આસક્તિ શી ? તે હમણાં કે પછી (બાલ, તરુણ કે જરાવસ્થામાં) જરૂર જવાનું છે તો તેમાં હું કેમ લોભાઉં ?
૧૪. પીડા અને કુષ્ટાદિ રોગનું ઘર અને જરા તથા મરણથી ઘેરાયેલી આ અસાર અને ક્ષણભંગુર મનુષ્ય દેહમાં હવે એક ક્ષણ માત્ર હું રતિ (આનંદ) પામી શકતો નથી.
૧૫. અહો ! આ આખો સંસાર ખરેખર દુ:ખમય છે. ત્યાં રહેલા પ્રાણીઓ બિચારાં જન્મ, જરા, રોગ અને મરણનાં દુઃખોથી પીડાઈ રહ્યાં છે.
૧૬. (હે માતાપિતા !) આ બધા ક્ષેત્ર (ઉઘાડી જમીન), ઘર, સુવર્ણ, પુત્ર, સ્ત્રી, બંધુઓ અને શરીરને છોડીને પણ પરાધીનપણે મારે વહેલું કે મોડું અવશ્ય જવાનું છે.
નોંધ : જે જીવાત્મા કામભોગોને સ્વયં નથી તજતો તેને કામભોગો તજી દે છે, માટે પોતાની જાતે તાજેલા કામભોગો દુઃખકર નહિ પણ સુખકર નીવડે છે.
૧૮. જૈમ કિપાક ફળનું પરિણામ સુંદર નથી તેમ ભોગવેલા ભોગોનું પણ પરિણામ સુંદર નથી.
Page #149
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
નોંધ : કિંપાક વૃક્ષનાં ફળ જોવામાં રમણીય અને ખાવામાં તો અતિ મધુર હોય છે પરંતુ ખાધા પછી થોડી જ વારમાં મૃત્યુ નિપજાવી દે છે. ૧૮. (વળી હે માતાપિતા !) જે મુસાફર અટવી જેવા લાંબા માર્ગમાં ભાતું લીધા વિના પ્રયાણ કરે છે તે રસ્તે જતાં ક્ષુધા અને તૃષાથી ખૂબ પીડાય છે અને દુ:ખી થાય છે.
૧૯. તે જ પ્રમાણે જે ધર્મને આદર્યા વિના પરભવ (પરલોક)માં જાય છે, તે ત્યાં જઈ અનેક પ્રકારના રોગો અને ઉપાધિઓથી પીડાય છે.
નોંધ : આ સંસાર અટવી છે, જીવ મુસાફર છે અને ધર્મ ભાતું છે. જો ધર્મરૂપી ભાતું હોય તો જ જે ગતિ પામે ત્યાં તે શાંતિ મેળવી શકે છે. અને એમ સંસારરૂપી આખી અટવી સુખેથી પસાર કરી શકે છે.
૨૦. જે મુસાફર અટવી જેવા લાંબા માર્ગમાં ભાતું લઈને પ્રયાણ કરે છે તે ક્ષુધા અને તૃષાથી રહિત થઈ સુખી થાય છે.
૨૧. તે પ્રમાણે જે સાચા ધર્મનું પાલન કરીને પરભવમાં જાય છે તે ત્યાં હળુકર્મી (અલ્પકર્મી) અને અરોગી થઈ સુખી થાય છે.
૨૨. વળી હે માતાપિતા ! ઘર બળતું હોય ત્યારે તે ઘરનો ધણી અસાર વસ્તુઓને છોડી પહેલાં બહુ મૂલ્યવાળી વસ્તુઓ જ કાઢી લે છે.
૨૩. તેમ આ આખો લોક જરા અને મરણથી બળી જળી રહ્યો છે. આપ મને આજ્ઞા આપો તો તેમાંથી (તુચ્છ એવા કામભોગોને તજીને) કેવળ મારા આત્માને જ ઉગારી લઈશ.
૧૧૬
૨૪. (તરુણ પુત્રની તાલાવેલી જોઈ તેને) માતાપિતાએ કહ્યું : હે પુત્ર ! સાધુપણું (ચારિત્ર લેવું) એ કઠણ છે. સાધુપુરુષે હજારો ગુણોને ધારણ કરવા પડે છે.
નોંધ ઃ સાચા સાધુજીને દોષો દૂર કરી હજારો ગુણોનો વિકાસ કરવો પડે છે. ૨૫. જીવનપર્યંત જગતના જીવમાત્ર પર સમભાવ રાખવો પડે છે. શત્રુ અને મિત્ર બંનેને સમાન દ્રષ્ટિથી જોવાના હોય છે અને હાલતાંચાલતાં, ખાતા એમ પ્રત્યેક ક્રિયામાં થતી સૂક્ષ્મ હિંસાથી પણ વિસ્મરવું પડે છે. તેવી સ્થિતિ ખરેખર સૌ કોઈને માટે દુર્લભ છે.
૨૬. સાધુજીને આખા જીવન સુધી ભૂલેચૂકે પણ અસત્ય બોલવાનું હોતું નથી. સતત અપ્રમત્ત (સાવધાન) રહીને હિતકારી છતાં સત્ય બોલવું એ બહુ બહુ કઠણ છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
મૃગાપુત્રીય
૧ ૧૭ ૨૭. સાધુજી દાંત ખોતરવાની સળી સુદ્ધાં પણ રાજીખુશીથી દીધા વગર લઈ શકે નહિ. તેવી રીતે દોષ રહિત ભિક્ષા મેળવવી એ પણ અતિ કઠિન છે.
નોંધ : દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં બેતાલીસ દોષોનું વર્ણન છે. ભિક્ષને તેવા સૂક્ષ્મદોષોથી રહિત ભોજન લેવાની આજ્ઞા છે.
૨૮. કામ ભોગોના રસને જાણનારાએ અબ્રહ્મચર્ય (મૈથુન)થી સાવ વિરક્ત રહેવું એ કંઈ સામાન્ય વાત નથી. આવું ઘોર (અખંડ) બ્રહ્મચર્યવ્રત પાળવું અતિ અતિ કઠિન છે.
નોંધ : બાળપણથી જેણે ભોગો ન ભોગવ્યા હોય તે કરતાં ભોગવી લીધા હોય તેને વારંવાર તેનું સ્મરણ આવવું એ સાવ સંભવિત છે અને
સ્મરણથી કુસંકલ્પ થતા જાય તો માનસિક, વાચિક અને કાયિક બ્રહ્મચર્ય પાળી શકાય નહિ.
૨૯. ધન, ધાન્ય કે દાસાદિ કોઈપણ વસ્તુનો પરિગ્રહ ન રાખવો તેમજ સંસારની હિંસાદિ સર્વ ક્રિયાઓનો ત્યાગ કરવો તે દુષ્કર છે. ત્યાગ કરીને કોઈ વસ્તુ પર મમતા પણ ન રાખવી તે અતિ દુષ્કર છે.
૩૦. અન્ન, પાણી, મેવા કે મુખવાસ એ ચારે પ્રકારમાંના કોઈ પણ આહારનો રાત્રે ઉપયોગ કરી શકે નહિ તેમજ કોઈ પણ વસ્તુનો બીજા દિવસ માટે સંગ્રહ પણ રાખી શકે નહિ. આવું છઠું વ્રત છે તે પણ કઠણ છે.
નોંધ : જૈન સાધુને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચે વ્રતો મન, વચન અને કાયાથી વિશુદ્ધ રીતે જીવનપર્યત પાળવાનાં હોય છે અને રાત્રિભોજનનો પણ સર્વથા ત્યાગ કરવાનો હોય છે.
સાધુ જીવનમાં જે આકસ્મિક સંકટો આવે છે તે બતાવે છે :
૩૧. સુધા, તૃષા, ટાઢ, તાપ, (ધ્યાનમાં) ડાંસ અને મચ્છરનું દુ:ખ, કઠોર વચનો, દુ:ખદ સ્થળ, તૃણસ્પર્શ અને મેલનું આવી પડતું દુઃખ,
૩૨. તેમજ તાડન (માર) તર્જન (ઠપકો) વધ અને બંધનનાં કષ્ટો પણ સહેવા સહેલા નથી. સદા ભિક્ષાચર્યા કરવી, યાચીને પણ આપેલું જ લેવું અને યાચના કરતાં પણ અપ્રાપ્તિ થાય એ બધું દુષ્કર છે.
૩૩. આ કાપોતી (પારેવાની જેમ કાંટાને તજી પરિમિત કણ જ ખાવા) વૃત્તિ-સંયમી જીવન, દારુણ (ભયંકર કેશલુંચન અને દુષ્કર બ્રહ્મચર્ય પાલન આ બધું પાળવું શક્તિવાળો પણ કઠિન થાય છે.)
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : જૈન મુનિઓને જીવનપર્યત કેશોને હાથવડે કાઢી નાખવાની તપશ્ચર્યા પણ કરવાની હોય છે.
૩૪. માતાપિતાએ કહ્યું : હે પુત્ર ! તું સુકોમળ, સુમસ્જિત (ભોગમાં ડૂબેલો) અને ભોગ સુખને યોગ્ય છે. હે પુત્ર ! સાધુપણું પાળવા માટે ખરેખર તું સમર્થ નથી.
૩૫. હે પુત્ર ! ભારે લોખંડના ભારની જેમ જીવનપર્યત અવિશ્રાંતપણે સંયમીના ઉચિત ગુણોનો ભાર વહન કરવો દુષ્કર છે.
૩૬. આકાશમાં ઊંચા એવા ચુલ હિમવંત પર્વતથી પડતી ગંગા નદીના સામે પૂરે જવું અને બે હાથથી સાગર તરવો જેટલો કઠણ છે તેટલું જ સંયમીના ગુણોને તરી જવું (પ્રાપ્ત કરવા) દુર્લભ છે.
નોંધ : સંસારની આસક્તિ જેટલી ઘટે તેટલી જ સંયમગુણની પ્રાપ્તિ થાય.
૩૭. વેળનો કોળિયો જેટલો નીરસ છે. તેટલો જ (વિષય સુખથી રહિત) સંયમ પણ નીરસ છે. તરવારની ધાર પર જવું જેટલું કઠણ છે તેટલું જ તપશ્ચર્યાના માર્ગમાં પ્રયાણ કરવું કઠણ છે.
૩૮. વળી હે પુત્ર ! સર્પની માફક એકાંત આત્મદષ્ટિથી ચારિત્ર માર્ગમાં ચાલવું દુષ્કર છે. લોખંડના જવ ચાવવા જેટલા દુષ્કર છે તેટલું જ સંયમ પાલન પણ દુષ્કર છે.
૩૯. જેમ બળતી અગ્નિની ઝાળ પીવી દોહ્યલી છે તેમ તરુણ વયમાં સાધુપણું પાળવું દુષ્કર છે.
૪૦. વાયુનો કોથળો ભરવો જેટલો મુશ્કેલ કે અશક્ય છે તેટલું કાયરને સાધુપણું પાળવું મુશ્કેલ છે.
૪૧. જેમ ત્રાજવેથી લક્ષ યોજનનો મેરૂ પર્વત તોળવો દુષ્કર છે તેમ શંકા રહિત અને નિશ્ચળ સંયમ પાળવો દુષ્કર છે.
૪૨. જેમ બે હાથથી આખો સમુદ્ર તરી જવો અશક્ય છે. તેમ અનુશાંત (અશક્ત) જીવ વડ દમનો સાગર તરવો દુષ્કર છે.
નોંધ : દમ એટલે ઈદ્રિય તથા મનને દમવું તે કઠણ છે.
૪૩. માટે હે પુત્ર ! તું શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચે વિષયોના મનુષ્ય સંબંધી ભોગો ભોગવ, અને ભક્ત ભોગી થઈને પછી ચારિત્ર ધર્મને ખુશીથી સ્વીકારજે.
૪૪. આ પ્રમાણે માતાપિતાનાં વચન સાંભળીને મૃગાપુત્રે કહ્યું : હે
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૧૯
મૃગાપુત્રીય માતાપિતા ! આપે કહ્યું તે સત્ય છે પરંતુ નિઃસ્પૃહી (પિપાસા રહિત)ને આ લોકમાં કશું અશક્ય હોતું જ નથી.
૪૫. વળી આ સંસારચક્રમાં દુઃખ અને ભય ઉપજાવનારી શારીરિક અને માનસિક વેદનાઓ હું અનંતવાર સહન કરી ચૂક્યો છું.
૪૬. જરા અને મરણથી ઘેરાયેલા અને ચાર ગતિરૂપ ભયથી ભરેલા આ સંસારમાં મેં જન્મ મરણ અને ભયંકર વેદનાઓ ઘણીવાર સહન કરી છે.
નરક યોનિમાં પૂર્વે અનંત વેદના વેઠેલી તે કહી બતાવે છે : ૪૭. અહીંનો અગ્નિ જેટલો ઉષ્ણ હોય છે તેના કરતાં અનંતગણી નરક યોનિમાં ઉષ્ણ અગ્નિ હોય છે. નરક યોનિઓમાં આવી ઉષ્ણ વેદનાઓ મેં (કર્મના પ્રભાવે) સહન કરી છે.
૪૮. અહીંની ઠંડી કરતાં નરક યોનિમાં અનંતગણી ટાઢ હોય છે. મેં નરક ગતિઓમાં તેવી સપ્ત ઠંડીની વેદનાઓ વેઠી છે.
૪૯. કંદુનામની કુંભીઓ (લોઢાદિનાં ભાજનોમાં આક્રંદ કરતાં કરતાં ઊંચા પગે અને નીચા મસ્તકે રહેલો હું (દેવકૃત) બળતા અગ્નિમાં પૂર્વે ઘણીવાર પકાવાયો છું.
નોંધ : નરક યોનિમાં કન્દુ વગેરે નામનાં ભિન્ન ભિન્ન કુંભીસ્થાનો હોય છે. ત્યાં નારક જીવો ઉત્પન્ન થાય છે અને તેવા જીવોને પરમાધાર્મિક નામના ત્યાંના અધિષ્ઠાતાઓ અનેક યાતનાઓ આપે છે. - પ. પૂર્વ કાળે મહા દાવાગ્નિ જેવી મરૂ (વેરાન મેદાન) ભૂમિની વજ જેવી વેળવાળી કદમ્બ વાળુકા નદીમાં હું અનંતવાર બળ્યો હતો.
૫૧. ક૬ કુંભીઓમાં ઊંચે બંધાયેલો અસહાય (સહાય વિના હું કરવત અને ક્રિકચ વગેરે શસ્ત્રોથી પૂર્વે ઘણીવાર બરાડા પાડતો છેદાયો છું.)
પર. અતિ તીણ કાંટે કરીને વ્યાપ્ત એવા મોટા સિબલિ વૃક્ષની સાથે બંધાયેલા મને આઘો પાછો ઊલટો સુલટો ખેંચીને પરમધાર્મિકોએ આપેલી વેદના મેં સહન કરી છે.
નોંધ : સિબલિ વૃક્ષ તાડથી પણ મોટું હોય છે.
૫૩. પાપકર્મના પરિણામે હું પૂર્વકાળે પોતાના જ કર્મથી) મોટા યંત્રોમાં શેરડીની માફક અતિ ભયંકર અવાજ કરતો ખૂબ પીડાયો છું.
૫૪. શુકર અને શ્વાન જેવા શ્યામ અને સબળ જાતના પરમધાર્મિક દેવોએ અનેકવાર ભૂમિ પર તરફડતો મને પાડ્યો, (શસ્ત્રાદિએ કરી) છેદી નાખ્યો અને બચાવવાની બૂમ પાડવા છતાં ભેદી નાખ્યો હતો.
Page #153
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૫૫. (પરમાધાર્મિકોએ) પાપકર્મથી નરકસ્થાનમાં ગયેલા મારા શરીરના અળસીના પુષ્પવર્ણી તલવાર, ખડ્ગ અને ભાલાએ કરીને બે ખંડ, ઘણા ખંડ અને અતિસૂક્ષ્મ વિભાગો કરી નાખ્યા હતા.
૫૬. જાજવલ્યમાન સાંબેલ અને ધુંસરીવાળા તપેલા લોખંડના રથમાં પરવશપણે યોજાયેલા મે જોતરના બંધને બાંધી રોઝને જેમ લાકડીના પ્રહારે મારે તેમ મને પણ મર્મસ્થાનોમાં પાડીને ખૂબ માર્યો હતો.
૫૭. ચિતાઓમાં પાડાઓને જેમ બાળે છે તેમ પાપકર્મોથી ઘેરાયેલા મને પરાધીનપણે જાજ્વલ્યમાન અગ્નિમાં શેક્યો હતો અને બાળીને ભસ્મ કર્યો હતો.
૫૮. ઢંક અને ગીધ પંખીરૂપ બની લોઢાના સાણસા સરખી મજબૂત ચાંચે કરી વલવલાટ કરતા એવા મને પરમાધાર્મિકોએ અનંતવાર કાપી નાંખી દુઃખ દીધું હતું.
૫૯. એ નરકગતિમાં તૃષાથી ખૂબ પીડાતાં દોડતાં દોડતાં વૈતરણી નદીને જોઈ પાણી પીવાની આશાએ તેમાં પડ્યો પરંતુ ત્યાં રહેલા અન્નાની ધારાઓથી ખૂબ હણાયો હતો.
૬૦. તાપથી પીડાતાં અસિ (તલવાર) પત્ર નામના વનમાં ગયો ત્યાં ઉપરથી તલવારની ધાર જેવાં તીક્ષ્ણ પત્રો પડવાથી અનંતવાર છેદાયો હતો.
૬૧. મુદ્ગળો, મુસંઢી નામનાં શસ્ત્રો, શૂળો તથા સાંબેલાં વડે ગાત્રો ભાંગી ગયાં હતાં અને તેવું દુઃખ મેં અનંતવાર ભોગવ્યું હતું.
૧૨૦
૬૨. છુરીની તીક્ષ્ણ ધાર વડે ખાલ ઉતારીને હણાયો હતો અને કાતરણીએ કરી અનેક વખત કપાયો અને છેદાયો હતો.
૬૩. ત્યાં ફાંસલાની કપટજાળોમાં જકડાઈ મૃગની પેઠે પરવશપણે ઘણી વખત હું વહન કરાયો, બંધાયો અને રુંધાયો હતો.
૬૪. મોટી જાળ જેવાં નાનાં માછલાંને ગળી જનાર મોટા મોટા મગરમચ્છો આગળ નાના મચ્છની માફક પરવશપણે હું ઘણીવાર તેવા પરમાધાર્મિકોથી પકડાયો, ખેંચાયો, ફડાયો અને મરાયો હતો.
૬૫. વિશેષ કરીને દંશવાળી અને લેપવાળી જાળો વડે પક્ષી જેમ પકડાઈ જાય તેમ પરમાધર્મિકોથી હું ઘણીવાર પકડાયો, લેપાયો, બંધાયો અને મરાયો હતો.
૬૬. સુતારો જેમ વૃક્ષને છેદે તેમ કુહાડા કે ફરસીએ કરી પ૨માધાર્મિકોએ મને છેદ્યો (ને મુંજની પેઠે) ફાડ્યો, ફૂટ્યો અને છોલ્યો હતો.
Page #154
--------------------------------------------------------------------------
________________
મૃગાપુત્રીય
૧૨૧
૬૭. જેમ લુહારો ચપેટા અને ઘણ વડે લોઢાને કૂટે તેમ હું અનંતવાર ફૂટાયો, ભેદાયો અને મરાયો હતો.
૬૮. ખૂબ ભયંકર રુદન કરવા છતાં ત્રાંબુ, લોઢું, સીસું વગેરે ધાતુઓને ખૂબ કળકળતાં તપાવી મને પરાણે પીવડાવ્યાં.
૬૯. (અને પાતાં પાતાં એ પરમાધાર્મિકોએ કહ્યું :) ‘રે અનાર્ય કર્મના કરનાર ! તને પૂર્વજન્મમાં માંસ બહુ પ્રિય હતું.’ એમ કહીને મારા શરીરમાંથી માંસ તોડી તોડી તેના કકડા કરી અગ્નિ જેવા લાલ ભડથાં બનાવી બનાવીને મને ઘણી વાર ખવડાવ્યાં.
૭૦. ‘વળી તને ગોળ તથા મહુડાં વગેરેનો બનેલ સુરા (દારૂ) બહુ જ પ્રિય હતો' એમ સંભારીને મારા જ શરીરનું રુધિર અને ચરબી જાજ્વલ્યમાન કરી મને પીવડાવી હતી.
૭૧. ભય સહિત ઉદ્વેગ સહિત અને દુઃખ સહિત પીડાયેલા એવા મેં ઘણા દુ:ખથી ભરેલી આવી વેદનાઓ સતત અનુભવી હતી.
ઘોર
૭૨. નરકયોનિમાં મેં તીવ્ર, ભયંકર, અસહ્ય, મહા ભયકારક, અને પ્રચંડ વેદનાઓ ઘણીવાર સહન કરી છે.
૭૩. હે તાત ! મનુષ્યલોકમાં જેવી ભિન્નભિન્ન પ્રકારની વેદનાઓ અનુભવાય છે તે કરતાં નરકતિઓમાં અનંતગણી વેદનાઓ હોય છે.
૭૪. (હે માતાપિતા !) જ્યાં મટકું મારીએ તેટલો વખત પણ શાંતિ નથી એવી સર્વ ભવોમાં મેં અસાતા (અસુખ) વેદના અનુભવી છે.
૭૫. આ બધું સાંભળ્યા પછી માતાપિતાએ કહ્યું : હે પુત્ર ! ભલે તારી ઇચ્છા હોય તો દીક્ષિત થા પરંતુ ચારિત્ર ધર્મમાં દુઃખ પડ્યે પ્રતિક્રિયા (દુઃખને હટાવવાનો ઉપાય) નહિ થાય.
૭૬. માતાપિતાને મૃગાપુત્રે કહ્યું આપ કહો છો તે સત્ય છે. પરંતુ હું આપને પૂછું છું કે જંગલમાં પશુ પક્ષીઓ વિચરતાં હોય છે તેની પ્રતિક્રિયા કોણ કરે છે ?
નોંધ : પશુ અને પક્ષીઓનાં દુ:ખો જેમ ઉપાય કર્યા વિના શાંત થાય છે તેમ મારું પણ દુઃખ શાંત થઈ જવાનું.
૭૭. જેમ જંગલોમાં મૃગ એકલો સુખેથી વિહાર કરે છે તેમ સંયમ અને તપશ્ચર્યા વડે હું એકાકી ચારિત્રધર્મમાં સુખપૂર્વક વિચરીશ.
૭૮. મોટા અરણ્યને વિશે વૃક્ષના મૂળમાં બેઠેલા મૃગલાને
Page #155
--------------------------------------------------------------------------
________________
૧ ૨ ૨
ઉત્તરાધ્યયન સૂત્ર (પૂર્વકર્મવશાત) જ્યારે રોગ ઉત્પન્ન થાય છે, ત્યારે ત્યાં જઈ તેની સારવાર કોણ કરે છે ? - ૭૯. ત્યાં જઈ કોણ તેને ઔષધ આપે છે ? તેના સુખદુ:ખની ચિંતા કોણ કરે છે ! કોણ તેને ભોજનપાણી લાવીને ખવડાવે છે ?
નોંધ : જેને સાધનો અધિક છે તેને જ સામાન્ય દુઃખ અતિ દુઃખરૂપ નીવડે છે.
૮૦. જયારે તે નીરોગી થાય છે ત્યારે પોતાની મેળે ભોજન માટે વનમાં જઈ સુંદર ઘાસ અને સરોવરને શોધી લે છે.
૮૧. ઘાસ ખાઈને, સરોવરમાં પાણી પીને તથા મૃગચર્યા કરીને પછી પોતાના નિવાસસ્થાને પહોંચે છે.
૮૨. એ જ પ્રમાણે ઉદ્યમવંત સાધુ એકાકી મૃગચર્યા ચરીને પછી ઊંચી દિશામાં ગમન કરે છે.
૮૩. જેમ એકલો મૃગ અનેક ભિન્નભિન્ન સ્થળે વસે છે, એક જ સ્થાને નહિ તેમ મુનિ ગોચરી (ભિક્ષાચરી)માં મૃગચર્યાની માફક જુદે જુદે સ્થળે વિચરે અને ભિક્ષા સુંદર મળો કે ન મળો તોપણ જરા માત્ર દેનારનો તિરસ્કાર કે નિંદા ન કરે.
૮૪. માટે હે માતાપિતા ! હું પણ મૃગની માફક તેવી (નિરાસક્ત) ચર્ચા કરીશ. આ પ્રમાણે પુત્રના દઢ વૈરાગ્યને જાણી માતાપિતાનાં કઠોર હૃદય પીગળી ગયાં. તેમણે કહ્યું : હે પુત્ર ! જેમ આપને સુખ પડે તેમ ખુશીથી કરો. આ પ્રમાણે માતાપિતાની આજ્ઞા મળ્યા પછી તે આભરણાદિક સર્વ પ્રકારની ઉપાધિને છોડવા તૈયાર થયા.
૮૫. પાકી આજ્ઞા લેવા માટે ફરીથી મૃગાપુત્રે કહ્યું : (પ્રસન્ન ચિત્તે આપની આજ્ઞા હોય તો હમણાં જ સર્વદુઃખોથી છોડવનાર મૃગચર્યા રૂપ સંયમને આદરું ? આ સાંભળી માતાપિતાએ પ્રસન્ન ચિત્તે કહ્યું : પ્યારા પુત્ર ! યથેચ્છ વિચારો.
૮૬. એ પ્રમાણે બહુ પ્રકારે માતાપિતાને સમજાવી અને આજ્ઞા લઈને જેમ મહાન હાથી બન્નરને ભેદી નાખે છે તેમ મમત્વને છેદી નાખ્યું.
૮૭. સમૃદ્ધ, ધન, મિત્રો, સ્ત્રી, પુત્રો અને સ્વજનોને વસ્ત્ર પર લાગેલી ધૂળને ખંખેરી નાખે તેમ બધાને તજીને તે નીકળી ગયો.
૮૮. પાંચ મહાવ્રતો, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત બની અભ્યતર (આંતરિક) અને બાહ્ય તપશ્ચર્યામાં ઉદ્યમવંત થયા.
Page #156
--------------------------------------------------------------------------
________________
મૃગાપુત્રીય
નોંધ : મહાવ્રત, સમિતિ અને ગુપ્તિનું વર્ણન આવી ગયું છે. તપશ્ચર્યાનું સવિસ્તર વર્ણન ત્રીસમા અધ્યયનમાં આવશે.
૮૯. મમતા, અહંકાર, આસક્તિ અને ગર્વને છોડી ત્રસ તેમજ સ્થાવર જીવો પર પોતાના આત્મા સમાન વર્તવા લાગ્યો.
૧૨૩
૯૦. વળી લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુ:ખમાં જીવિતમાં કે મરણમાં, નિંદામાં કે પ્રશંસામાં અને માનમાં કે અપમાનમાં સમવર્તી બન્યા. ૯૧. ગર્વ, કષાય, દંડ, શલ્ય, હાસ્ય, ભય, શોક અને વાસનાથી નિવૃત્ત થઈ સ્વાવલંબી બન્યા.
નોંધ : દંડો ત્રણ છે. મનદંડ, વચનદંડ, કાયદંડ, શલ્યો પણ ત્રણ છે. માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય. કષાય ચાર છે ક્રોધ, માન, માયા અને લોભ.
૯૨. આ લોક સંબંધી અને પરલોક સંબંધીની આશાથી રહિત થયા. ભોજન મળો કે ન મળો, કોઈ શરીરને ચંદન લગાડો કે હણો-એ બંને દશામાં સમવર્તી થયા.
૯૩. અને અપ્રશસ્ત એવાં પાપોના આસ્રવથી (આગમનથી) સર્વ પ્રકારે રહિત થયા. તેમજ આધ્યાત્મિક ધ્યાનના યોગો વડે કષાયોનો નાશ કરીને પ્રશસ્ત શાસનમાં સ્થિર થયા.
૯૪. એ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિશુદ્ધ ભાવનાઓથી પોતાના આત્માને વિશુદ્ધ બનાવીને -
૯૫. ઘણાં વર્ષો સુધી ચારિત્ર (સાધુપણું) પાળીને એક માસનું અણસણ કરી શ્રેષ્ઠ સિદ્ધિગતિને પામ્યા.
નોંધ : અણસણ બે પ્રકારનાં હોય છે. (૧) મરણપર્યંત. આ અણસણ આયુષ્યનો અંતકાળ જાણી મરણપર્યંતના કાળ સુધી કરવાનું હોય છે. (૨) કાળ મર્યાદિત.
૯૬. જેમ મૃગાપુત્ર રાજર્ષિ ભોગોથી તરુણ વયમાં નિવર્તી શક્યા તેમ તત્ત્વને જાણનારા પંડિત પુરુષો ભોગોથી સહસા નિવૃત્ત થાય છે.
૯૭. મહાન પ્રભાવશાળી અને મહાન યશસ્વી મૃગાપુત્રનું આ સૌમ્ય ચારિત્ર સાંભળી, ઉત્તમ પ્રકારની તપશ્ચર્યા અને સંયમને આરાધી તથા ત્રણ લોકમાં પ્રસિદ્ધ એવી ઉત્તમ (મોક્ષ) ગતિને લક્ષ્યમાં રાખીને -
Page #157
--------------------------------------------------------------------------
________________
૧ ૨૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૯૮. તેમજ દુઃખવર્ધક, (ચૌરાદિ) ભયના મહાન નિમિત્તરૂપ અને આસક્તિ વધારનાર એવા ધનને બરાબર ઓળખ્યા પછી તજી દઈને સાચા સુખને લાવનાર, મુક્તિયોગ્યગુણ પ્રકટાવનાર અને સર્વશ્રેષ્ઠ એવી ધર્મરૂપ ધોસરીને ધારણ કરો.
નોંધ : સંસાર આખો દુઃખમય છે પણ તે સંસાર બહાર નથી. નરકગતિ કે પશુગતિમાં નથી, તે સંસાર તો આત્માની સાથે જોડાયેલો છે. વાસના એ જ સંસાર-આસક્તિ એ જ સંસાર. આવા સંસારથી જ દુ:ખ જન્મે છે, પોષાય છે અને વધે છે. બહારનાં બીજાં શારીરિક કષ્ટો કે અકસ્માત આવી પડેલી સ્થિતિનું દુઃખ એ તો પતંગરંગ જેવું ક્ષણિક છે. તે દુઃખનું વેદના થવું કે ન થવું તેનો આધાર વાસના પર છે. આટલું જેણે જાણ્યું, વિચાર્યું અને અનુભવ્યું તેઓ જ આ સંસારની પાર જવાનો પ્રયત્ન કરી શક્યા છે.
એમ કહું છું - એ પ્રમાણે મૃગાપુત્રનું અધ્યયન સમાપ્ત થયું.
Page #158
--------------------------------------------------------------------------
________________
મહાનિર્ચથીય
૧ ૨૫
અધ્યયન : વીસમું મહા નિર્ગથીય મહા નિગ્રંથ મુનિ સંબંધી
-
કદાચ શરીરની વેદના હરવાનું ઔષધ હશે. બાહ્ય બંધનોની વેદના તોડવાનાં શસ્ત્રો પણ મળી આવશે. પરંતુ ઊંડી ઊંડી થતી આત્મવેદનાને દૂર કરવાનાં ઔષધ બહાર ક્યાંય નથી. આત્માની અનાથતાને દૂર કરવા માટે બહારનાં કોઈ સામર્થ્ય કામ આવી શકતાં નથી. પોતાના સનાથ માટે પોતે જ સાવધાન થવું ઘટે. બીજાં અવલંબનો એ જાદુગરના તમાસા છે. આત્માનાં અવલંબન એ જ સાચાં સાથી છે.
અનાથી નામના યોગીશ્વર સંસારની અનિત્યતાને અનુભવી ચૂક્યા હતા. રાજઋદ્ધિ જેવી સમૃદ્ધિ, અપાર વિલાસો અને તરુણિનાં પ્રલોભન તથા માતાપિતાનો અપાર સ્નેહ એ બધું તેમણે સબળતાથી છોડી દીધું હતું.
એકદા તરુણ વયના તે તેજસ્વી ત્યાગી, ઉદ્યાનમાં એકાંત ધ્યાન ધરી રહ્યા હતા તે જ ઉદ્યાનમાં અકસ્માતથી જઈ ચડેલો શ્રેણિક નામનો રાજગૃહિનો રાજવી યોગીશ્વરની પ્રસન્ન મુખમુદ્રા, ઝળહળતી આત્મજ્યોત અને તરુણવયની ત્યાગદશા જોઈ મુગ્ધ બન્યો. શું આવા યુવાનો પણ ત્યાગી હોય ? એ વિચારે તેને બહુ બહુ ચકિત બનાવ્યો. એ યોગીના વિશુદ્ધ આંદોલને શ્રેણિકના અંતઃકરણમાં જે ક્રાંતિ મચાવી તેનું નિરીક્ષણ કરવું મુમુક્ષુને અતિ અતિ આવશ્યક છે.
ભગવાન બોલ્યા : ૧. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સંયમી પુરુષોને ભાવથી નમસ્કાર કરીને પરમાર્થ (મોક્ષ) દાતા ધર્મની યથાર્થ શિક્ષાને કહીશ. ધ્યાનપૂર્વક મને સાંભળો.
નોંધ : સંયતપદ, અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સંયમી પુરુષોનું બોધક છે.
૨. અપાર સંપત્તિના સ્વામી અને મગધ દેશના અધિપતિ શ્રેણિક મહારાજા ખંડિત કુક્ષિ નામના ચૈત્ય તરફ વિહારયાત્રા માટે નીકળ્યા.
Page #159
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૩. ભિન્નભિન્ન પ્રકારનાં વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત વિવિધફળ અને પુષ્પોથી છવાયેલું અને વિવિધ પક્ષીઓથી સેવાયેલું તે ઉદ્યાન નંદનવન સરખું હતું.
૧૨૬
૪. ત્યાં એક વૃક્ષના મૂળ પાસે બેઠેલા, સુખને યોગ્ય, સુકોમળ, સમાધિસ્થ અને સંયમી સાધુને જોયા.
૫. તે નૃપતિ યોગીશ્વરનું રૂપ જોઈને તે સંયમીને વિશે અત્યંત આશ્ચર્ય પામ્યો.
૬. અહો ! કેવી કાંતિ ! અહો ! કેવું રૂપ ! અહો ! એ આર્યની કેવી સૌમ્યતા, ક્ષમા, નિર્લોભતા અને ભોગ પ્રત્યે અનાસક્તિ છે !
૭. તે મુનિનાં બંને ચરણોને નમીને, પ્રદક્ષિણા કરીને, અતિ દૂર નહિ કે અતિ પાસે નહિ તેમ ઊભા રહી હાથ જોડીને પૂછવા લાગ્યા.
૮. હે આર્ય ! આવી તરુણાવસ્થામાં ભોગ ભોગવવાને વખતે પ્રવ્રુજિત કેમ થયા ? આવા ઉગ્ર ચારિત્રમાં આપે શી પ્રેરણાએ અભિનિષ્ક્રમણ કર્યું ? આ વસ્તુને સાંભળવા ઇચ્છું છું.
૯. (મુનિ બોલ્યા :) હે મહારાજ ! હું અનાથ છું. મારો નાથ (રક્ષક) કોઈ નથી. તેમ હજુ સુધી તેવા કોઈ કૃપાળુ મિત્રને હું પામી શક્યો નથી. ૧૦. આ સાંભળીને મગદેશના અધિપતિ શ્રેણિક રાજા હસી પડ્યા. શું આવા પ્રભાવશાળી અને સમૃદ્ધિવાળા આપને હજુ સુધી કોઈ સ્વામી ન મળ્યો ?
નોંધ ઃ યોગીશ્વરનું ઓજસ જોઈ તેનો સહાયક કોઈ ન હોય તે અસંગત લાગ્યું અને તેથી જ મહારાજાએ તેમ કહ્યું.
૧૧. હે સંમિન્ ! આપને કોઈ નાથ (સહાયક) ન હોય તો હું થવા તૈયાર છું. મનુષ્યભવ ખરેખર દુર્લભ છે. મિત્ર અને સ્વજનોથી ઘેરાયેલા આપ સુખપૂર્વક મારી પાસે રહો અને ભોગોને ભોગવો.
૧૨. હે મગધેશ્વર શ્રેણિક ! તું પોતે જ અનાથ છે. જે પોતે જ અનાથ હોય તે બીજાનો નાથ શી રીતે થઈ શકે ?
૧૩. મુનિનાં વચન સાંભળી તે નરેન્દ્ર વિસ્મિત થયો. આવું વચન તેણે કદી કોઈની પાસેથી સાંભળ્યું ન હતું. તેથી તે વ્યાકુળ અને સંશયી બન્યો. નોંધ : તેને એમ લાગ્યું કે આ યોગી મારાં શક્તિ, સામર્થ્ય અને સંપત્તિને જાણતા નહિ હોય, તેથી તેમ કહે છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
મહાનિગ્રંથીય
૧૨૭
૧૪. ઘોડાઓ, હાથીઓ અને કરોડો મનુષ્યો, શહેરો અને નગરી (વાળા અંગદેશ તથા મગધદેશ)નો હું ધણી છું. સુંદર અંતઃપુરમાં હું મનુષ્ય સંબંધીના ઉત્તમ કામભોગોને ભોગવું છું. મારી આજ્ઞા અને ઐશ્વર્ય અજોડ છે.
૧૫. આવી મનવાંછિત વિપુલ સંપત્તિ હોવા છતાં હું અનાથ શી રીતે ? હે ભગવન્ ! આપનું કહેલું કદાચ ખોટું તો નહિ હોય !
૧૬. (મુનિએ કહ્યું) હે પાર્થિવ ! તું અનાથ કે સનાથના પરમાર્થને જાણી શક્યો નથી, કે નરાધિપ ! અનાથ અને સનાથના ભાવને જરાપણ સમજી શક્યો નથી. (તેથી જ તને સંદેહ થાય છે.)
૧૭. હે મહારાજ ! અનાથ કોને કહેવાય છે ? મને અનાથતાનું ભાન ક્યાં અને કેવી રીતે થયું અને કેમ પ્રવ્રજ્યા લીધી તે બધું સ્વસ્થ ચિત્ત રાખી સાંભળ.
૧૮. પ્રાચીન શહેરોમાં સર્વોત્તમ એવી કોશાંબી નામની નગરી હતી અને ત્યાં પ્રભૂત ધનસંચય નામના મારા પિતા રહેતા હતા.
૧૯. એકદા હે મહારાજ ! તરુણ વયમાં મને એકાએક આંખની અતુલ પીડા ઉત્પન્ન થઈ, અને તે પીડાથી આખા શરીરને દાધજ્વર શરૂ થયો. ૨૦. જેમ કોપેલો શત્રુ શરીરના કોમળ ભાગમાં અતિ તીક્ષ્ણ શસ્ત્રથી ઘોર પીડા ઉપજાવે તેવી તે આંખની વેદના હતી.
૨૧. અને ઇંદ્રના વજ્રની પેઠે દાધવ૨ની દારુણ વેદના કેડના મધ્યભાગ, મસ્તક અને હૃદયને પીડવા લાગી.
૨૨. તે વખતે વૈદ્યકશાસ્ત્રમાં નિપુણ અને જડીબુટ્ટી, મૂળિયાં તથા મંત્રવિદ્યામાં પારંગત, શાસ્ત્રમાં કુશળ અને ઔષધ કરવામાં ચતુર એવા ઘણા વૈઘાચાર્યો મારે માટે આવ્યા.
૨૩. ચાર ઉપાયોથી યુક્ત અને એવી પ્રસિદ્ધ ચિકિત્સા તેમણે મારે માટે કરી. પરંતુ તે સમર્થ વૈદ્યો મને તે દુઃખથી છોડાવી ન શક્યા. એ જ મારી અનાધતા.
૨૪. મારે માટે પિતાશ્રી સર્વસંપત્તિ આપવા તૈયાર થયા. પરંતુ તે પણ દુઃખથી છોડાવવાને અસમર્થ નીવડ્યા એ જ મારી અનાથતા.
૨૫. વાત્સલ્યના સાગરસમી માતા પોતાના વહાલા પુત્રના દુ:ખથી ખૂબ શોકાતુર થઇ જતી હતી. પરંતુ તેથી મારું દુઃખ છૂટયું નિહ. એ જ મારી અનાધતા.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧ ૨૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૬. માતાના એક જ ઉદરમાંથી જન્મેલા નાના અને મોટા ભાઈઓ પણ મને દુ:ખથી છોડાવી ન શક્યા એ પણ મારી અનાથતા.
ર૭. હે મહારાજ ! નાની અને મોટી મારી સગી બહેનો પણ આ દુઃખથી મને બચાવી ન શકી એ મારી અનાથતા નહિ તો બીજું શું ?
૨૮. હે મહારાજ ! તે વખતે મારા પર અત્યંત નેહવાળી અને પતિવ્રતા પત્ની આંસુભર્યા નયને મારું હૃદય ભીંજવી રહી હતી.
૨૯. મારું દુઃખ જોઈ તે નવયૌવના મારાથી જાણે કે અજાણે અન્ન, પાન, સ્નાન કે સુગંધિત પુષ્પમાળા કે વિલેપન સુધ્ધાં ભોગવતી ન હતી.
૩૦. અને હે મહારાજ ! એક ક્ષણ પણ તે સહચારિણી અળગી થતી ન હતી. આખરે (એટલી અગાધ સેવા વડે પણ) તે મારી આ વેદનાને હઠાવી ન શકી તે જ મારી અનાથતા.
૩૧. આવી ચારેકોરથી અસહાયતા અનુભવવાથી મેં વિચાર્યું કે અનંત એવા આ સંસારમાં આવી વેદનાઓ ભોગવવી પડે તે બહુ બહુ અસહ્ય છે.
૩૨, માટે આ વિપુલ વેદનાથી જો એક જ વાર હું મુકાઉં તો ક્ષાન્ત, દાત્ત અને નિરારંભી બની તુરત જ શુદ્ધ સંયમને ગ્રહણ કરીશ.
૩૩. હે નરપતિ ! રાત્રિએ એમ ચિતવીને હું સૂઈ ગયો. અને રાત્રિ જેમ જેમ જતી ગઈ તેમ તેમ મારી તે વિપુલ વેદના ક્ષીણ થતી ગઈ.
૩૪. ત્યારબાદ પ્રભાતે તો સાવ નીરોગી થઈ ગયો અને એ બધાં સંબંધીઓની આજ્ઞા લઈને ક્ષાન્ત (સહિષ્ણુ) દાન્ત (તમિતેન્દ્રિય) અને નિરારંભ (પાપક્રિયાથી રહિત) થઈ સંયમી બન્યો.
૩૫. ત્યાગ લીધા પછી હું મારો પોતાનો અને સર્વ ત્રસ (હાલતા ચાલતા) જીવો તથા સ્થાવર (સ્થિર) જીવો, એ બધાનો પણ નાથ (રક્ષક) થઈ શક્યો.
નોંધ : આસક્તિનાં બંધન છૂટવાથી પોતાનો આત્મા છૂટે છે. આવું આત્મિક સ્વાવલંબન એ જ સનાથતા. આવી સનાથતા સાંપડે એટલે બહારના સહાયોની ઇચ્છા જ ન રહે. આવી સનાથતા પામે તે જીવાત્મા બીજા જીવોનો પણ નાથ બની શકે. બહારનાં બંધનોથી કોઈને છોડાવવાં તે કંઈ સાચી રક્ષા ન કહેવાય. પીડાતા પ્રાણીને આંતરિક બંધનોથી છોડાવવાં તે જ સાચું સ્વામિત્વ ગણાય. આવી સનાથતા એ જ સાચી સનાથતા. આ સિવાયની બીજી બધી અનાથતા જ સમજવી.
Page #162
--------------------------------------------------------------------------
________________
મહાનિગ્રંથીય
૧ ૨૯ ૩૬. (હે રાજન્ !) કારણ કે આ આત્મા પોતે જ વૈતરણી નદીને કૂટશાલ્મલીવૃક્ષ જેવો દુ:ખદાયી તથા કામદુધા ગાય અને નંદનવન સમાન સુખદાયી છે.
નોંધ : આ જીવાત્મા પોતાનાં પાપકર્મો વડે નરકગતિ જેવાં અનંત દુઃખોને ભોગવે છે. અને તે જ સત્કર્મ વડે સ્વર્ગાદિ ગતિનાં વિવિધ સુખો ભોગવે છે.
૩૭. આ આત્મા પોતે જ સુખ અને દુઃખોનો કર્તા અનો ભોક્તા છે અને આ આત્મા પોતે જ સુમાર્ગે રહે તો પોતાનો મિત્ર અને કુમાર્ગે રહે તો પોતે જ પોતાનો શત્રુ છે.
આવી રીતે પોતાની પૂર્વાવસ્થાની પ્રથમ અનાથતા કહીને હવે બીજા પ્રકારની અનાથતા કહે છે :
૩૮. હે રાજન્ કેટલાક કાયર મનુષ્યો નિગ્રંથ ધર્મને અંગીકાર તો કરી લે છે પણ પાળી શકતા નથી. તે બીજા પ્રકારની અનાથતા છે. તે નૃપ ! તું તે વસ્તુને બરાબર શાંત ચિત્તથી સાંભળ.
૩૯. જે પાંચ મહાવ્રતોને ગ્રહણ કરી પછી અસાવધાનતાથી તે બરાબર પાળી શકતો નથી અને પોતાના આત્માને અનિગ્રહ (અસંયમ) કરી રસાદિ સ્વાદોમાં લુબ્ધ થાય છે તેવો ભિક્ષુ રાગ અને દ્વેષરૂપ સંસારના બંધનને મૂળથી છેદી શકતો નથી,
નોંધ : પ્રવજ્યાનો હેતુ આસક્તિનાં બીજક ઉખેડવાનો છે. વસ્તુ છોડવી સહેલી છે. પણ વસ્તુની આસક્તિ છોડવી કઠણ છે. માટે મુનિએ સતત તે જ પ્રયત્ન કરવો જોઈએ.
૪૦. ૧. ઉપયોગપૂર્વક ગમનાગમન, ૨. ભાષા, ૩. એષણા (ભોજન વસ્ત્ર વગેરે ગ્રહણ કરવાની વૃત્તિ), ૪. ભોજન પાત્ર, કંબલ, વસ્ત્રાદિનું મૂકવું તથા લેવું અને ૫. વધેલી આવશ્યક વસ્તુનો યોગ્ય સ્થળે ત્યાગ કરવો. આ પાંચ સમિતિઓમાં જે ઉપયોગ રાખતો નથી તે વીરપુરુષે આચરેલા (જિન) માર્ગમાં જઈ શકતો નથી.
૪૧. જે લાંબા કાળ સુધી મુડ (સાધુવ્રતની ક્રિયા) રુચિ થઈને પણ પોતાનાં વ્રતનિયમોમાં અસ્થિર થઈ જાય છે. અને તપશ્ચર્યાદિ અનુષ્ઠાનથી ભ્રષ્ટ થાય છે તેવો સાધુ ઘણાં વર્ષો સુધી ત્યાગ, સંયમ, કેશાંચન અને બીજાં કષ્ટોથી) પોતાના દેહને દુ:ખ આપવા છતાં સંસારની પાર જઈ શકતો નથી.
Page #163
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૪૨.
તે પોલી મૂઠી અને છાપ વિનાના ખોટા સિક્કાની માફક સાર (મૂલ્ય) રહિત બને છે અને કાચનો કટકો જેમ વૈડૂર્યમણિ પાસે નિરર્થક હોય છે તેમ જ્ઞાનીજનો પાસે તે નિર્મૂલ્ય થઈ જાય છે.
૪૩. આ મનુષ્ય જન્મમાં રજોહરણાદિ મુનિનાં માત્ર ચિહ્નો રાખે અને માત્ર આજીવિકા ખાતર વેશધારી સાધુ બને તે ત્યાગી ન હોવા છતાં પોતાને ત્યાગી કહેવડાવતો ફરે છે. આવો સાધુ કુસાધુ પાછળથી બહુ કાળ સુધી (નરકદિ જન્મોની) પીડા પામે છે.
૧૩૦
૪૪. જેમ તાળપુટ (હાથમાં લેવાથી તાળવું ફાટી જાય તેવું) વિષ ખાવાથી અવ્યવસ્થિત (અવળું) શત્રુ ગ્રહણ કરવાથી અને અવિધિથી મંત્રજાપ કરવાથી જેમ તે મારી નાખે છે તે જ રીતે વિષભોગની આસક્તિથી યુક્ત હોય તો તે ચારિત્રધર્મ પણ તે ગ્રહણ કરનારને મારી નાખે છે. (હલકી ગતિમાં લઈ જાય છે.)
નોંધ : જે વસ્તુ વિકાસને પંથે લઈ જાય છે તે જ વસ્તુ ઊલટી થાય તો નીચે પણ લઈ જાય છે.
૪૫. લક્ષણવિદ્યા, સ્વપ્રવિદ્યા, જ્યોતિષ અને વિવિધ કુતૂહલ (બાજીગર) વિદ્યાઓમાં રક્ત થયેલા અને મેળવેલી હલકી વિદ્યાનાં પાપોથી પેટ ભરનારા તેવા કુસાધુને તે કુવિદ્યાઓ શરણભૂત થતી નથી.
નોંધ : વિદ્યા આત્મવિકાસ માટે જ હોય છે. જો પતનનું કારણ બને તો તે કુવિદ્યા કહેવાય.
૪૬. તે વેશધારી કુશીલ સાધુ પોતાના અજ્ઞાનરૂપ અંધકારથી સદા દુઃખી થાય છે અને પછી પણ નરક કે પશુયોનિમાં ગમન કરે છે.
૪૭. જે સાધુ અગ્નિની માફક સર્વભક્ષી બનીને પોતાને માટે કરેલી, મૂલ્યથી લીધેલી કે નિત્ય એક ઘેરથી જ મેળવેલી સદોષ ભિક્ષા પણ લીધા કરે છે, તે કુસાધુ પાપ કરીને મરી ગયા બાદ દુર્ગતિમાં ચાલ્યો
જાય છે.
નોંધ : જૈનભિક્ષુને બહુ જ શુદ્ધ અને નિર્દોષ ભિક્ષા જ લેવાની હોય છે. ભિક્ષા લેવા માટે બહુ કડક નિયમો તેને જાળવવા પડે છે.
૪૮. મસ્તક છંદનાર શત્રુ જે અનર્થ ન કરી શકે તે અનર્થ પોતાનો જીવાત્મા જ કુમાર્ગે જાય તો કરી નાખે છે. પરંતુ જે સમયે તે કુમાર્ગે જતો હોય છે ત્યારે તેને વિચાર નથી આવતો. જ્યારે મૃત્યુના મુખમાં જવું પડે છે ત્યારે જ તે જાણી શકે છે અને પછી ખૂબ પસ્તાય છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
મહાનિર્ગથીય
૧૩૧ ૪૯. એવા કુસાધુઓનો ત્યાગ પણ નિષ્ફળ નીવડે છે અને તેનો પુરુષાર્થ પણ વિપરીત થઈ જાય છે. ભ્રષ્ટાચારીને આ લોક કે પરલોકમાં જરા પણ શાંતિ થતી નથી. તે (આંતરિક અને બાહ્ય) બંને પ્રકારનાં દુઃખનો ભોગ બની જાય છે.
પ૦. જેમ ભોગરસની લોલુપી (માંસવાળી) પંખણી બીજા હિંસક પક્ષી વડે સપડાઈને પછી ખૂબ પરિતાપ કરે છે તે જ પ્રકારે દુરાચારી અને સ્વછંદી સાધુ જિનેશ્વર દેવોના આ સન્માર્ગને વિરોધીને પછી મરણાન્ત બહુ બહુ પરિતાપ પામે છે.
૫૧. આ જ્ઞાન અને ગુણથી યુક્ત એવી મધુર શિખામણ સાંભળીને ડાહ્યા અને બુદ્ધિમાન સાધકે દુરાચારીઓના માર્ગને દૂરથી જ છોડીને મહા તપસ્વી મુનિશ્વરોના માર્ગે જવું.
પર. એ પ્રમાણે જ્ઞાનપૂર્વક ચારિત્રના ગુણોથી ભરપૂર એવો સાધક શ્રેષ્ઠ સંયમને પાળીને તથા પાપરહિત બની પૂર્વકર્મને હઠાવીને આખરે સર્વોત્તમ અને સ્થિર એવા મોક્ષસ્થાનને પામી શકે છે.
પ૩. આ પ્રમાણે કર્મશત્રુ પ્રત્યે ઉગ્ર, દમતેન્દ્રિય, મહાતપસ્વી, વિપુલ યશસ્વી અને દઢવ્રતવાળા મહામુનિશ્વરે (અનાથી-મુનિશ્વરે) સાચા નિગ્રંથમુનિનું મહાશ્વત અધ્યયન અતિ વિસ્તારપૂર્વક શ્રેણિક મહારાજને કહી સંભળાવ્યું.
૫૪. સનાથતાના સાચા ભાવને સંતુષ્ટ થયેલા શ્રેણિક મહારાજાએ બે હાથ જોડી કહ્યું કે હે ભગવન્ ! આપે મને સાચું અનાથપણું સુંદર રીતે સમજાવી દીધું.
૫૫. હે મહર્ષિ ! ભલે તમને માનવજન્મ મળ્યો. ભલે તમે આવી કાંતિ, પ્રભાવ અને સૌમ્યતા પામ્યા. જિનેશ્વરના સત્યમાર્ગમાં (શ્રમણ માર્ગમાં) વ્યવસ્થિત રહેલા આપ જ ખરેખર સનાથ અને સબાંધવ છો.
૫૬. હે સંયમિન્ ! અનાથ જીવોના તમે જ નાથ છો. સર્વ પ્રાણીઓના આપ જ રક્ષક છો. હે ભાગ્યવંત મહાપુરુષ ! હું આપની ક્ષમા યાચું છું અને સાથે સાથે આપની શિખામણ વાંછું છું.
નોંધ : સંયમી પુરુષની આવશ્યકતાઓ બહુ ઓછી હોવાથી ઘણા જીવોને તે દ્વારા રાહત મળે છે. તે પોતે અભય હોવાથી તેનાથી બીજા નિર્ભય રહી શકે છે. સારાંશ કે એક સંયમી કરોડોનો નાથ બની શકે છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૫૭. હે સંયિમન્ ! આપને મેં પૂર્વાશ્રમની વિગત (જાણવા માટે) વારંવાર પૂછી આપના ધ્યાનમાં ભંગ પાડ્યો છે અને ભોગો ભોગવો એમ (ત્યાગીને ન છાજતું) આમંત્રણ કર્યું છે તે બધા અપરાધોને આપ માફ કરજો.
૧૩૨
૫૮. રાજમંડળમાં સિંહ સમા શ્રેણિક મહારાજાએ એ પ્રમાણે પરમભક્તિથી તે શ્રમણસિંહની સ્તુતિ કરી. અને ત્યારથી તે વિશુદ્ધ ચિત્તપૂર્વક અંતઃપુર, સ્વજન અને સકલ કુટુંબ સહિત જૈનધર્મના અનુયાયી બન્યા.
નોંધ : શ્રેણિક મહારાજા પ્રથમ બીજા ધર્મમાં હતા પરંતુ અનાથી મુનિશ્વરના પ્રબળ પ્રભાવથી આકર્ષાઈ તે જૈન ધર્મના અનુયાયી બન્યા હતા તેવી પરંપરા ચાલે છે.
૫૯. મુનિશ્વરના અમૃત સમાગમથી તેનાં રોમેરોમ ઉલ્લાસિત બન્યાં. આખરે તે પ્રદક્ષિણાપૂર્વક શિરસા વંદન કરી પોતાને સ્થાને પધાર્યા.
૬૦. ત્રણ ગુપ્તિથી ગુપ્ત તથા ત્રણ દંડો (મનદંડ, વચનદંડ અને કાયદંડ)થી વિરક્ત અને ગુણની ખાણસમા અનાથીમુનિ પણ અનાસક્તરૂપે પંખીની પેઠે અપ્રતિબંધ વિહારપૂર્વક આ વસુંધરામાં સુખસમાધિથી વિચરતા
હતા.
નોંધ : સાચી સાધુતામાં સનાથતા છે. આદર્શ ત્યાગોમાં સત્તાથતા છે. ભોગોના પ્રસંગમાં અનાથતા છે. આસક્તિમાં અનાથતા છે અને વૃત્તિ કે વાસનાની પરતંત્રતામાં પણ અનાથતા છે. અનાથતાને છોડીને સનાથ થવું પોતે જ પોતાના મિત્ર થવું એ પ્રત્યેક મુમુક્ષુનું અનિવાર્ય કર્તવ્ય છે. એમ હું કહું છું : એ પ્રમાણે મહાનિથ નામનું વીસમું અધ્યયન સમાપ્ત થયું.
Page #166
--------------------------------------------------------------------------
________________
સમુદ્રપાલીય
૧૩૩
અધ્યયન : એકવીસમું સમુદ્રપાલીય સમુદ્રપાલનું જીવન
વાવેલું અફળ જતું જ નથી. આજે નહિ તો કાળે કરીને પણ તે બીજ ફળવાનું જ છે. શુભ વાવી શુભ પામી શુદ્ધ થવું એ આપણા જીવનનો હેતુ છે. સમુદ્રપાલે પૂર્વે વાવ્યું હતું. અને શુભ વાવી શુભસ્થાનમાં યોજાઈ, મનગમતાં સાધનો પામ્યા. અને તેને ભોગવ્યાં પણ ખરાં ને તજ્યાં પણ ખરાં. પરંતુ તેનો હેતુ તો કંઈક જુદો જ હતો. અને તે હેતુ પાર પાડવા માટે જ જાણે ફાંસીને લાકડે જતા ચોરને નિમિત્તરૂપ જોયો ન હોય તેમ તેને જોતાં જ તેની દૃષ્ટિનાં પડળો ખૂલ્યાં. માત્ર વસ્તુ પર જ નહિ પરંતુ વસ્તુના પરિણામ તરફ તેની દૃષ્ટિ ગઈ. વાવેલું ઉદય આવ્યું. સંસ્કાર સ્ફુર્યા, પવિત્ર થવાની પ્રેરણા જાગી અને એ સમર્થ આત્માઓએ પોતાની સાધના પૂરી કરી. ભગવાન બોલ્યા :
૧. ચંપા (નામની) નગરીમાં પાલિત નામે એક સાર્થવાહ રહેતો હતો. તે જ્ઞાતિનો વણિક અને મહાપ્રભુ ભગવાન મહાવીરનો શ્રાવક શિષ્ય હતો. ૨. તે શ્રાવક નિગ્રંથ પ્રવચનો (શાસ્રો)માં બહુ કુશળ પંડિત હતો. એકદા વહાણ રસ્તે પિણ્ડ નામના નગરમાં તે વ્યાપાર માટે આવી રહ્યો હતો. નોંધ : આ પિત્તુણ્ડ નગરમાં ઘણાં વર્ષો સુધી તે રહ્યો હતો, ત્યાં તેના વેપારની સારી જમાવટ થઈ હતી અને ત્યાં એક વણિકની સ્વરૂપવતી કન્યાને પરણ્યો હતો. આ સંપૂર્ણ કથાનો સંબંધ અન્ય ગ્રંથોમાં સવિસ્તર છે. જિજ્ઞાસુએ તે જોઈ લેવો. અહીં ખાસ આવશ્યક નોંધ જ છે.
૩. પિણ્ડ નગરમાં વ્યાપારી તરીકે રહેતા તેની સાથે કોઈ બીજા વણિકે પોતાની પુત્રી પરણાવી હતી. એમ ઘણો વખત જતાં તે બાઈ ગર્ભવતી થઈ. એ ગર્ભવતી પત્ની સાથે લઈ હવે તે (ઘણો વખત થઈ જવાથી) પોતાના દેશ તરફ આવવા નીકળ્યો.
૪. તે પંથે ચાલતાં પાલિતની સ્ત્રીએ સમુદ્રમાં જ પુત્રને પ્રસવ કર્યો. તે બાલક સમુદ્રમાં જન્મવાથી તેનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું.
૫. તે વણિક શ્રાવક વગેરે બધી કુશળતાથી ચંપાનગરીમાં પોતાને ઘેર પહોંચ્યાં, અને તેને ઘેર તે બાળક સુખપૂર્વક ઉછરવા લાગ્યો.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૬. જોનારને વલ્લભ લાગે તેવો અને સૌમ્ય કાંતિવાળો તે બુદ્ધિમાન બાળક ક્રમપૂર્વક બોતેર કળાઓમાં અને નીતિ શાસ્ત્રમાં પંડિત થયો. અને અનુક્રમે હવે યૌવન પ્રાપ્ત પણ થયો.
૭. પુત્રની યુવાન વય જોઈને તેના પિતાએ (અપ્સરા જેવી રૂપવતી રૂપિણી કન્યા સાથે તેને પરણાવ્યો. તે સમુદ્રપાલ રમણીય મહેલમાં દોગુન્દક (વિલાસી) દેવની પેઠે ક્રીડા કરી રહ્યો છે અને ભોગો ભોગવી રહ્યો છે.
૮. (આવી રીતે ભોગજન્ય સુખો ભોગવતાં ભોગવતાં કેટલાક કાળ (પછી) એકદા તે મહેલના ગોખમાં બેસી નગરચર્યા જોવામાં લીન થયો છે. તેવામાં મારવાનાં ચિહ્ન સહિત વધ્યભૂમિ પર લઈ જવાતા એક ચોરને તેણે જોયો.
નોંધ : તે સમયમાં ફાંસી પર ચડાવતાં પહેલાં ખૂબ વિરૂપ ધામધૂમથી ગુનેગારને લઈ જવામાં આવતો હતો. તેના ચિહ્ન તરીકે ગળામાં કણેરની માળા, ફૂટેલો ઢોલ, ગર્દભ સવારી અને બંધન રાખવામાં આવતા.
૯. તે ચોરને જોઈને ખૂબ વિચારો આવી ગયા અને વૈરાગ્યભાવે તે સ્વયં કહેવા લાગ્યો કે અહો ! કેવાં અશુભ કર્મોનાં કડવાં ફળો આ પ્રત્યક્ષ ભોગવવા પડે છે ?
નોંધ : “જેવું કરીએ તેવું પામીએ આ અચળ સિદ્ધાંત સમુદ્રપાલના અંગેઅંગમાં વ્યાપક થઈ ગયો. કર્મના અચળ કાયદાએ તેને કંપાવી મૂક્યો. ભોગજન્ય આ સુખોનાં પરિણામ શાં ? હું શું કરી રહ્યો છું ? મારું અહીં આગમનનું પ્રયોજન શું ? આવી અનેક વિચારશ્રેણિઓ સતત જાગી ઊઠી.
૧૦. અને તે જ વખતે ઊંડા ચિંતનના પરિણામે જાતિસ્મરણ જ્ઞાન જમ્મુ, સાચું તત્ત્વ સમજાયું અને પરમ સંવેગ જાગ્યો. સાચા વૈરાગ્યના પ્રભાવે માતપિતાનાં અંતઃકરણ સંતુષ્ટ કરી આખરે તેમની આજ્ઞા લઈ પ્રવજ્યા સ્વીકારી અને તે સંયમી બન્યા.
૧૧. મહાકાલેશ, મહાભય, મહામોહ અને મહાઆસક્તિના મૂળરૂપ લક્ષ્મી તથા સ્વજનોના મોહમય સંબંધને છોડી ત્યાગધર્મને રુચિપૂર્વક સ્વીકાર્યો અને પાંચ મહાવ્રત તથા સદાચારોને આરાધવા લાગ્યા. તેમ જ પરિષહને જીતવા લાગ્યા.
નોંધ : પાંચ મહાવ્રત એ મુનિઓના મૂળ ગુણો છે. તેનું સ્થાન જીવનના અણુઅણુમાં હોવું ઘટે અને બાકીના ઉત્તર ગુણો છે, તેનો સંગ્રહ મૂળ ગુણની પુષ્ટિ માટે હોય છે.
૧૨. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચે મહાવ્રતોને અંગિકાર કરીને તે વિદ્વાન મુનિશ્વર જિનેશ્વરોએ ફરમાવેલા ધર્મમાં ગમન કરે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
સમુદ્રપાલીય
૧૩૫ જિનેશ્વરે ફરમાવેલા ત્યાગમાર્ગમાં ભિક્ષુએ કેમ વર્તવું તે નીચે બતાવે છે ?
૧૩. ભિક્ષુએ આખા વિશ્વના સમસ્ત જીવો પર દયાનુકંપી અને હિતચિંતક થવું. ભિક્ષુ જીવનમાં આવેલું બધું કષ્ટ ક્ષમા રાખી સહેવું. સદા પૂર્ણ બ્રહ્મચારી અને સંયમી જ રહેવું તથા ઇંદ્રિયોને વશ કરી, પાપના યોગ (વ્યાપાર)ને સર્વથા તજી દઈ સમાધિપૂર્વક ભિક્ષુધર્મમાં ગમન કરવું.
૧૪. જે સમયે જે ક્રિયા કરવાની હોય તે જ કરવી. દેશપ્રદેશમાં વિચરતા રહેવું. કોઈપણ કાર્ય કરતાં પહેલાં પોતાની શક્તિ કે શક્તિનું માપ કાઢી લેવું. કોઈ કઠોર કે અસભ્ય શબ્દો કહે તો સિંહની માફક ડરવું નહિ કે સામે થઈ અસભ્ય પણ બોલવું નહિ.
નોંધ : ગમે તે ક્ષેત્રમાં હોવા છતાં સાધુજીવનની દિનચર્યાને યોગ્ય જ કાર્ય કરતા રહેવું. ભિક્ષા ટાણે સ્વાધ્યાય કરવો અને સ્વાધ્યાયને વખતે સૂઈ જવું એવી અકાળ ક્રિયાઓ ન કરતાં સર્વ સ્થળે વ્યવસ્થિત જ રહેવું.
૧૫. સંયમીએ પ્રિય કે અપ્રિય જે કંઈ થાય તે તરફ તટસ્થ રહેવું. કષ્ટ આવે તો તેની ઉપેક્ષા કરી બધું સંકટ સહન કરી લેવું. બધું પોતાના કર્મવશાત જ થાય છે. માટે નિરુત્સાહ ન થવું અને નિંદા થાઓ કે પ્રશંસા થાઓ તે સંબંધમાં કશું લક્ષ્ય આપવું નહિ.
નોંધ : પૂજાની ઇચ્છા ન રાખવી અને નિંદાને મનમાં ન લાવવી. કેવળ સત્યશોધક થઈ સત્ય આચરણ કરતા રહેવું.
૧૬. મનુષ્યોના અનેક પ્રકારના અભિપ્રાયો હોય છે. માટે ભિક્ષુએ તેનું જ્ઞાનપૂર્વક સમાધાન કરવું. અને મનુષ્ય, પશુ કે દેવોના અતિ અતિ ભયંકર ઉપસર્ગો પણ સહન કરવા.
નોંધ : અહીં લોકરુચિ અને લોકમાનસને ઓળખવાનું અને સમભાવથી તેનો સમન્વય કરવાનું બતાવી ત્યાગીની ફરજ સમજાવી છે. (એ પ્રમાણે પાલિત નામના મુનિ વિચરતા હતા.)
૧૭. જયારે દુઃખે કરીને સહી શકાય તેવા પરિષહો (વિવિધ સંકટો) આવે છે ત્યારે કાયર સાધકો શિથિલ થઈ જાય છે. પરંતુ લડાઈને મોખરે રહેલા હાથીની પેઠે તે ભિક્ષુ (પાલિત) જરા પણ ખેદ પામ્યા ન હતા.
૧૮, તે જ પ્રમાણે આદર્શ સંયમી ઠંડી, તાપ, ડાંસ, મચ્છરના સ્પર્શી કે વિવિધ રોગો જયારે શરીરને સ્પર્શે ત્યારે ખેદ કર્યા વિના સહન કરે અને તે બધું પૂર્વે કરેલાં કર્મોનું જ પરિણામ જાણી કષ્ટ સહી કર્મોને ખપાવે.
૧૯. વિચક્ષણ ભિક્ષુ સતત રાગ દ્વેપ અને મંહને છોડીને જેમ વાયુથી મેરુ કંપતો નથી તેમ પરિષહોથી કંપે નહિ, પણ પોતાના મનને વશ રાખી તે બધું સમભાવે સહન કરે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦. ભિક્ષુએ ન ગર્વિષ્ઠ થવું કે ન કાયર થવું. ન પૂજન ઇચ્છવું કે ન નિંદા કરવી. પરંતુ સમુદ્રપાલની પેઠે સરળ ભાવ સ્વીકારીને રાગ વિરક્ત રહી (જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા) નિર્વાણ માર્ગની ઉપાસના કરવી.
૨૧. (સાધુએ) સંયમને વિશે અણગમો કે અસંયમમાં રાગ ઊપજે તો નિવારવો, સંગથી દૂર રહેવું, આત્મ હિતચિંતક થવું. તેમ જ શોક, મમતા અને પરિગ્રહની તૃષ્ણા છેદી, સમાધિવંત થઈ પરમાર્થપદમાં સ્થિર થવું.
૨૨. આ જ પ્રમાણે સમુદ્રપાલ યોગીશ્વર આત્મરક્ષણ અને પ્રાણીરક્ષક બની ઉપલેપ વિનાનાં અને પોતાને ઉદેશીને નહિ બનાવેલાં એવાં જ એકાંત સ્થાનોમાં વિચરે છે અને વિપુલ યશસ્વી મહર્ષિઓએ જે જે આચરણો આચર્યાં હતાં તેને આચરે છે. તેમ જ આવી પડેલાં અનેક સંકટોને પોતાના શરીર દ્વારા સહી લે છે.
૨૩. યશસ્વી અને જ્ઞાની એવા સમુદ્રપાલ મહર્ષિ નિરંતર જ્ઞાનમાં આગળ વધ્યા અને ઉત્તમ ધર્મ (સંયમધર્મ)ને આચરીને આખરે કેવળ (સંપૂર્ણ) જ્ઞાનના ધણી થયા. અને જેમ આકાશમાં સૂર્ય શોભે તેમ મહીમંડલમાં આત્મજયોતિથી આપવા લાગ્યા.
૨૪. પુણ્ય અને પાપ એમ બંને પ્રકારનાં કર્મોને ખપાવીને શરીર અધ્યાસથી સર્વ પ્રકારે છૂટી ગયા. (શૈલેશી અવસ્થા પામ્યા). અને આ સંસારસમુદ્રની પાર જઈને સમુદ્રપાલ અપુનરાગિ (અપુનરાગમન) અર્થાત સિદ્ધગતિને પામ્યા.
નોંધ : શેલેશી અવસ્થા એટલે અડોલ અવસ્થા. જૈનદર્શનમાં આવી સ્થિતિ નિષ્કર્મા યોગીશ્વરની થાય છે. અને આવી ઉચ્ચ દશા પામ્યા પછી તુરત જ તે આત્મસિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે.
સરળ ભાવ, તિતિક્ષા, નિરભિમાનિતા, અનાસક્તિ, નિંદા કે પ્રશંસા બંને સ્થિતિમાં સમાનતા, પ્રાણી માત્ર પર સમભાવ, એકાંતવૃત્તિ અને સતત અપ્રમત્તતા, આ આઠ ગુણો એ ત્યાગધર્મની ઇમારતના પાયા છે. તે પાયા જેટલા પરિપક્વ અને પુષ્ટ તેટલું જ ત્યાગી જીવન ઉચ્ચ અને સુવાસિત. એ સુવાસમાં અનંતભાવની વાસનામય દુર્ગધ નષ્ટ ભ્રષ્ટ થઈ જીવાત્મા ઊંચી ભૂમિકામાં જઈ આખરે અંતિમ લક્ષ્યને પામી જાય છે.
એમ કહું છું. એ પ્રમાણે સમુદ્રપાલીય નામનું એકવીસમું અધ્યયન સમાપ્ત થયું.
Page #170
--------------------------------------------------------------------------
________________
રથનેમીય
૧ ૩૭
અધ્યયન : બાવીસમું
રથનેમીય રથનેમિનું અધ્યયન
શરીર, સંપત્તિ અને સધનો પૂર્વ પુણ્યથી પ્રાપ્ત થાય છે, પુણ્યાનુબંધી પુણ્ય હોય તો પ્રાપ્ત થયેલાં સાધનો સન્માર્ગે જ યોજાય છે અને ઉપાદાનમાં સહકારી નીવડે છે.
શુદ્ધ ઉપાદાન એટલે જીવાત્માની ઉન્નત દશા. આવી ઉન્નત દશાવાળો આત્મા ભોગોના પ્રબળ પ્રલોભનોમાં પડવા છતાં સહજ નિમિત્ત મળે કે સહેજે છટકી જાય છે.
નેમિનાથ કૃષ્ણવાસુદેવના પિત્રાઈ ભાઈ હતા. પૂર્વભવના પ્રબળ પુરુષાર્થથી તેનું ઉપાદાન શુદ્ધ થયું હતું. તેનો અંતરાત્મા સ્ફટિક જેવો ઊજળો હતો. હજુયે તેને ઉન્નત દશામાં જવું હતું તેથી જ આ ઉત્તમ રાજકુળમાં મનુષ્યભવે તેનું આગમન થયું હતું.
ભર યૌવન, સર્વાગ સૌમ્ય શરીર, વિપુલ સમૃદ્ધિ પામ્યા છતાં તેનું મન તેમાં રાચતું ન હતું. પરંતુ કૃષ્ણમહારાજના અતિ આગ્રહવશાત્ તેમનું સગપણ ઉગ્રસેન મહારાજની રંભા સમાન સ્વરૂપવતી પુત્રી રાજીમતી સાથે થયેલું.
ભરપૂર ઠાઠમાઠથી આખા યાદવકુળ સાથે તે કુમાર પરણવા ચાલ્યા. રસ્તામાં બાંધેલાં પશુઓના પોકાર સાંભળી સારથિને પૂછ્યું કે આ બિચારાં શા સારુ પીડાય છે ? સારથિએ કહ્યું : પ્રભુ ! એ તો આપના લગ્નમાં આવેલા મીજમાનોના ભોજન માટે બાંધી રાખ્યાં છે. | મારા લગ્ન નિમિત્તે આ ઘોર હિંસા ? તેજીને ટકોરો બસ છે. તે જ વખતે લગ્નનો હર્ષ સુકાઈ ગયો. એ રાજકુમાર પરણ્યા વિના ઘેર પાછા વળ્યા અને આખરે યુવાનવયમાં રાજપાટ અને ભોગવિલાસ એ બધું ત્યજી મહાયોગી થયા.
સહજ વિચાર જીવનના કેવા પલટા કરી મૂકે છે ? સાવધ થયેલો આત્મા શું નથી કરી શકતો ?
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાન બોલ્યા : ૧. પૂર્વે શૌર્યપુર (સોરીપુર) નામના નગરમાં રાજલક્ષણોથી યુક્ત અને મહાન ઋદ્ધિમાન એક વસુદેવ નામના રાજા થઈ ગયા હતા.
નોંધ : આ કથા સંબંધ વખતે તે રાજગાદી પર આવ્યા ન હતા અર્થાત્ યુવરાજ હતા.
૨. તેને દેવકી અને રોહિણી નામની બે સ્ત્રીઓ હતી અને તે પૈકી રોહિણીને બલભદ્ર (બળદેવ) અને દેવકીને કૃષ્ણવાસુદેવ એવા બે મનોહર કુમારો હતા.
૩. તે જ શૌર્યપુર નગરમાં બીજા એક મહાન ઋદ્ધિમાન અને રાજલક્ષણોથી યુક્ત એવા સમુદ્રવિજય નામે રાજા હતા.
૪. તેમને શિવા નામે પત્ની હતાં અને તેની કુખેથી જન્મેલો એક મહાયશસ્વી આખા લોકનો નાથ અને ઇંદ્રિયોને દમન કરનારાઓમાં શ્રેષ્ઠ એવો અરિષ્ટનેમિ નામનો ભાગ્યવંત પુત્ર હતો.
૫. તે અરિષ્ટનેમિ શૌર્ય, ગાંભીર્ય આદિ ગુણોથી તેમ જ સુસ્વરથી યુક્ત અને સાથિયા, શંખ, ચક્ર અને ગદા વગેરે) એક હજારને આઠ ઉત્તમ લક્ષણોથી સહિત હતા. તેમનું ગોત્ર ગૌતમ હતું અને શરીરનો વર્ણ શ્યામ હતો.
૬. તેઓ વજઋષભનારા, સંઘયણ અને સમચતુરગ્ન સંસ્થાન (ચારે બાજુથી જે શરીરની આકૃતિ સમાન હોય તે)વાળા હતા. તેનું પેટ મચ્છ સમાન રમણીય હતું. તે નમીશ્વર સાથે પરણાવવા માટે કેશવ (શ્રીકૃષ્ણ) મહારાજાએ રાજીમતી નામની કન્યાનું માગુ કર્યું.
નોંધ : સંઘયણ એટલે શરીરનો બાંધો. તે બાંધાઓ પાંચ પ્રકારના હોય છે. તે પૈકી વજઋષભરાચ સંઘયણ સર્વ શ્રેષ્ઠ છે. તે શરીર એટલું તો મજબૂત હોય છે કે મહાપીડાને પણ તે સહજ રીતે સહી શકે છે. નેમિરાજ બાળપણથી જ સુસંસ્કારી હતા. ગૃહસ્થાશ્રમ ભોગવવાની તેમને લેશમાત્ર ઇચ્છા ન હતી. તે વૈરાગ્યમાં તરબોળ હતા. પરંતુ તેમના બંધુ કૃષ્ણમહારાજની આજ્ઞાને આધીન બની તે મૌન રહ્યા. તે મૌનનો લાભ લઈ કૃષ્ણમહારાજે ઉગ્રસેન મહારાજા પાસે રાજીમતીનું માગુ કર્યું હતું.
૭. તે રાજીમતી કન્યા પણ ઉત્તમ કુળના રાજવી ઉગ્રસેનની પુત્રી હતી. તે સુશીલ સુનયના અને સ્ત્રીઓનાં સર્વોત્તમ લક્ષણોથી સંપન્ન હતી. તેની કાન્તિ, સદામિની જેવી મનોહર અને વિદ્યુત જેવી તેજસ્વી હતી.
Page #172
--------------------------------------------------------------------------
________________
રથનેમીય
૧૩૯
૮. (જ્યારે કૃષ્ણમહારાજાએ તેની માગણી કરી ત્યારે) તેના પિતાજીએ વિપુલ સમૃદ્ધિવાળા વાસુદેવને કહી મોકલાવ્યું કે તે કુમારશ્રી (નેમિનાથ) અહીં પરણવા પધારે તો હું કન્યા (અવશ્ય) આપી શકું.
નોંધ : તે વખતે ક્ષત્રિયકુળોમાં કન્યાનાં સ્નેહીજનો કન્યાને સાથે લઈ વરરાજાને સ્થાને આવતાં અને ત્યાં મંડપ રચી મોટી ધામધૂમથી લગ્ન કરતાં અને કેટલાંક કુટુંબોમાં વરરાજાને બદલે તેમનું (તલવાર વગેરે) ચિહ્ન મોકલી કન્યાને તેની સાથે પરણાવી લાવતા, તેથી જ અહીં ઉગ્રસેને આ નવી માગણી કરી હોય તેવું જણાય છે.
૯. નેમિરાજને ઉચિત દિવસે ઉત્તમ પ્રકારની ઔષધિઓથી સ્નાન કરાવ્યું અને કરેલાં મંગળ કાર્યો સાથે કપાળમાં મંગળ તિલક પણ કરાવ્યું. ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો પહેરાવ્યાં અને તેમને હાર વગેરે ઉત્તમ પ્રકારના અલંકારોથી વિભૂષિત કર્યા.
૧૦. વાસુદેવ રાજાના (૪૨ લાખ હાથીઓમાં) સૌથી મોટા મદોન્મત ગંધહસ્તી પર તે આરૂઢ થયા અને જેમ મસ્તક પર ચૂડામણિ શોભે તેમ શોભવા લાગ્યા.
૧૧. તેના ઉપર ઉત્તમ છત્ર અને બે ચામરો ઢોળાઈ રહ્યાં હતાં, અને તે દશ દશાર્હ વગેરે સર્વ યાદવોના પરિવારથી ચારે બાજુ વીંટળાઈ રહ્યા
હતા.
૧૨. તેની સાથે હસ્તી, ઘોડા, રથ અને પાયદળ એમ ચાર પ્રકારની સુવ્યવસ્થિત શણગારેલી સેના હતી. અને તે સમયે ભિન્નભિન્ન વાજિંત્રોનો દિવ્ય અને ગગનસ્પર્શી અવાજે આકાશ ગજાવી મૂક્યું હતું.
૧૩. આવી સર્વોત્તમ સમૃદ્ધિ અને શરીરની ઉત્તમ કાન્તિથી ઓપતા તે યાદવકુળના આભૂષણરૂપ નેમિશ્વર પોતાના ભુવનથી (પરણવા માટે) બહાર નીકળ્યા.
૧૪. પોતાના શ્વગૃહે લગ્નમંડપમાં પહોંચે તે પહેલાં જ રસ્તામાં જતાં જતાં વાડામાં અને પાંજરામાં પુરાયેલાં, દુ:ખિત અને મરણના ભયથી ત્રાસ પામેલાં પ્રાણીઓને તેણે નજરોનજર જોયાં.
નોંધ : આ પ્રાણીઓ લગ્ન નિમિત્તે ભોજન માટે રાખવામાં આવ્યાં હતાં કારણ કે તે વખતે કેટલાક ક્ષત્રિય રાજાઓ કે જે જૈન ધર્મને પામી શક્યા ન હતા તે આવી અનર્થ હિંસા કરતા હતા.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૫. માંસ ભક્ષણ કરવા માટે રોકેલાં અને તેથી મૃત્યુની સમીપ પહોચેલા એવા પ્રાણીઓને જોઈને તે બુદ્ધિમાન નેમિનાથ સારથિને સંબોધીને આ પ્રમાણે બોલ્યા :
૧૬. સુખનાં ઇચ્છુક એવાં આ પ્રાણીઓને શા સારુ વાડામાં અને આ પાંજરામાં રુંધી રાખ્યાં હશે ?
૧૭. આ સાંભળીને સારથિએ કહ્યું : એ બધાં નિર્દોષ જીવો આપના જ આ વિવાહ કાર્યમાં આવેલા લોકોને જમાડવા સારુ અહીં ગોંધી રાખ્યાં છે.
૧૮. ‘તમારા લગ્ન નિમિત્તે પણ ઘણા જીવોનો વિનાશ !' આ વચન સાંભળીને સર્વ જીવો પર અનુકંપા ધરાવનાર બુદ્ધિમાન નેમિરાજા ખૂબ જ વિચારમાં પડી ગયા.
૧૯. જો મારા જ કારણથી આવા અસંખ્ય નિર્દોષ જીવો હણાઈ જતા હોય તો તે વસ્તુ મારે માટે આ લોક કે પરલોક ઉભયમાં લેશમાત્ર કલ્યાણકારી નથી.
નોંધ : અનુકંપા વૃત્તિના દિવ્યપ્રભાવે તેના હૃદયને હલમલાવી મૂક્યું પ્રથમ તેણે વિચાર્યું કે લગ્નક્રિયા જેવી સામાન્ય ક્રિયામાં પણ આવી ઘોર હિંસા ! લેશ રસાસ્વાદમાં આટલો અનર્થ ! સંસારનાં પામર જીવો શું અન્યનાં દુઃખ પારખવાની લાગણી સાવ ખોઈ બેઠા હશે ? આવો સામાન્ય વિચાર પણ તેમને કેમ ફુરતો નહિ હોય ? ખરેખર જ્યાં તે દૃષ્ટિ જ નથી
ત્યાં વિચાર શાના હોય ? જ્યાં અંધ અનુકરણ છે ત્યાં વિવેક ક્યાંથી જન્મે ? આવા અનર્થ સંયોગોથી શો લાભ ? આવા સંબંધોમાં પતન સિવાય ઉન્નતિ ક્યાં હતી ? આવા ગંભીર ચિંતનના પરિણામે તેને તીવ્ર નિર્વેદ થયો. સંસારની આસક્તિ ઊડી ગઈ. રમણીના કોમળ પ્રલોભનનો ચેપ તેને લોભાવી ન શક્યો.
૨૦. તુરત જ તે યશસ્વી નેમિનાથે પોતાના કાનનાં યુગલ (બંને) કુંડલ, લગ્નનું ચિહ્નભૂત સૂત્ર તથા બધાં આભરણો સારથિને અર્પણ કર્યો અને ત્યાંથી જ પાછા વળી ગયા.
નોંધ : ઐતિહાસિક નોંધ મળે છે કે નેમિનાથ તે જ સમયે આગળ ન વધતાં ઘર તરફ પાછા વળ્યા. એકાએક આવી જાતના પરિવર્તને તેમના સ્નેહીજનોને અસહ્ય ખેદ ઉપજાવ્યો. પછી તો બહુ બહુ કહેવા છતાં પાછા ન વળ્યા અને વૈરાગ્ય પ્રબળ જ થતો ગયો. વરસીદાન (પ્રત્યેક તીર્થકરો
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૧
રથનેમીય દીક્ષા લીધા પહેલાં એક વર્ષ સુધી મહામૂલા દાન કરે છે) દઈ આખરે એક હજાર સાધકો સાથે દીક્ષિત થયા.
૨૧. નેમિનાથે ઘેર આવી જેવું ચારિત્ર લેવાનું મન કર્યું કે તે જ વખતે તેમના પૂર્વ પ્રભાવથી પ્રેરાઈ દિવ્યઋદ્ધિ અને મોટી પરિષદ સાથે ઘણા (લોકાંતિક) દેવો ત્યાં ભગવાનનું નિષ્ક્રમણ કરાવવા માટે મનુષ્યલોકમાં ઊતર્યા.
નોંધ : નેમિનાથ એ જૈનશાસનના ૨૪ તીર્થકરો (સર્વોત્તમ ભગવાનો) પૈકીના બાવીસમા તીર્થકર હતા. ઘણા ભવોના તીવ્રતર પુરુષાર્થ પછી જ તીર્થંકર પદ પ્રાપ્ત થાય છે. જે સમયે તીર્થકર દેવ અભિનિષ્ક્રમણ કરે છે તે વખતે દેવગતિમાંના જે પ્રશસ્ત દેવો ત્યાં આકર્ષાય છે તે લોકાંતિક દેવો તરીકે ઓળખાય છે.
૨૨. આવી રીતે અનેક દેવો અને અનેક મનુષ્યના પરિવારથી વિંટાયેલા તે નેમીશ્વર રત્નની પાલખી પર આરૂઢ થયા અને દ્વારકા (તેમના નિવાસસ્થાન) નગરીથી નીકળી રૈવતક (ગિરનાર) પર્વતમાં આવેલા ઉદ્યાનમાં ગયા.
૨૩. ઉઘાને પહોંચ્યા પછી તુરત જ દેવે બનાવેલી ઉત્તમ પાલખીમાંથી ઊતરી પડ્યા અને એક હજાર સાધકોની સાથે તેમણે ચિત્રા નક્ષત્રમાં ત્યાં પ્રવ્રજ્યા સ્વીકારી લીધી.
નોંધ : શ્રીકૃષ્ણના આઠ પુત્રો બળદેવના ૭૨ પુત્રો, શ્રીકૃષ્ણના પ૬૩ ભાઈઓ, ઉગ્રસેન રાજાના આઠ પુત્રો, નેમિનાથના ૨૮ ભાઈઓ, દેવસેનમુનિ વગેરે ૧૦૦ અને ૨૧૦ યાદવ પુત્રો તથા આઠ મોટા રાજાઓ, એક અક્ષોભ, બીજો તેનો પુત્ર અને ત્રીજા વરદત્ત એમ બધા મળી એકી સાથે એક હજાર પુરુષ સાથે ચિત્રા નક્ષત્રમાં ઘેરથી નેમિનાથ નીકળ્યા હતા. - ૨૪. (પાલખીથી ઊતર્યા પછી) પ્રવ્રજ્યા લેતી વખતે શીધ્ર તેણે સુગંધમય, સુકોમળ અને વાંકડિયા વળેલા કેશનું તુરત જ પોતાને હાથે જ પાંચ મુષ્ટિઓથી લુચન કર્યું અને સમાધિપૂર્વક સાધુતા સ્વયં સ્વીકારી લીધી.
રપ. જિતેન્દ્રિય અને મુંડિત થયેલા તે મુનિશ્વરને વાસુદેવે કહ્યું : હે સંયતીશ્વર ! આપના ઇચ્છિત શ્રેય (મુક્તિ)ને શીધ્ર પામો.
૨૬. અને જ્ઞાન, દર્શન તથા ચારિત્ર વડે તેમ જ ક્ષમા તથા નિર્લોભતાના ગુણો વડે આગળ અને આગળ વધો. (આ કેવું સુંદર આશીર્વચન છે ! સાચો સંબંધ આને જ કહેવાય.
Page #175
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
નોંધ : જ્ઞાન, દર્શન અને ચારિત્ર. એ ત્રણની પૂર્ણ સાધના થયેથી જૈનદર્શન મુક્તિ માને છે. જ્ઞાન એટલે આત્માની ઓળખાણ, દર્શન એટલે આત્મદર્શન અને ચારિત્ર એટલે આત્મસ્મરણતા. આ ત્રિપુટીની તન્મયતા જેમ જેમ વૃદ્ધિગંત થતી જાય તેમ તેમ કર્મનાં બંધનો શિથિલ થાય અને કર્મોથી સાવ મુક્ત થઈ જવાય તે સ્થિતિને મુક્તિ કહેવાય.
૧૪૨
૨૭. એ પ્રમાણે બળભદ્ર, કૃષ્ણ મહારાજ, યાદવો અને ઈતર નગરજનો અરિષ્ઠ નેમિને વંદન કરીને ત્યાંથી પાછા દ્વારિકા નગરીમાં આવ્યા.
૨૮. આ તરફ તે રાજકન્યા રાજીમતી; અરિષ્ટનેમિએ એકાએક દીક્ષા લીધી તે વાત સાંભળીને હાસ્ય અને આનંદથી રહિત થઈ અને શોકના ભારથી મૂર્છિત થઈ જમીન પર ઢળી પડી.
૨૯. સ્વસ્થ થયા પછી રાજીમતી ચિંતવવા લાગી કે હું જેનાથી તજાઈ તે યુવાન રાજપાટ અને ભોગસુખને ત્યજી યોગી બન્યા અને હું હજીયે અહીં જ છું. મારા જીવનને ધિક્કાર છે. મારે દીક્ષા લેવી તે જ કલ્યાણકારી છે. ૩૦. ત્યારબાદ પૂર્ણ વૈરાગ્યથી પ્રેરિત થઈ ધીરજવાળી તે રાજીમતીએ કાળા ભમર જેવા અને નરમ દાંતિયાથી ઓળેલા વાળોનું પોતાની મેળે જ લંચન કર્યું અને યોગિની બની ગઈ.
૩૧. કૃષ્ણ વાસુદેવે મુંડિત અને જિતેન્દ્રિય રાજીમતીને કહ્યું કે હે પુત્રી ! આ ભયંકર એવા સંસાર સાગરને જલદી જલદી તરી જજે.
૩૨. તે બ્રહ્મચારિણી અને વિદુષી રાજીમતી દીક્ષિત થઈ ત્યારે તેની સાથે ઘણી સાહેલીઓએ અને સેવિકાઓએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી.
૩૩. એકદા ગિરનાર પર્વતમાં જતાં જતાં માર્ગમાં અત્યંત વૃષ્ટિ થવાથી રાજીમતીનાં ચીવરો ભીંજાયાં અને અંધકાર થવાથી એક પાસેની ગુફામાં જઈને ઊભાં રહ્યાં.
નોંધ : અકસ્માતથી જે ગુફામાં રાજીમતી આવી લાગ્યાં તે જ ગુફામાં સમુદ્રવિજયના અંગજાત રાજપુત્ર ૨થનેમિ કે જે યૌવનવયમાં ત્યાગી બન્યા હતા તે ધ્યાન ધરી ઊભા હતા.
૩૪. ગુફામાં કોઈ નથી તેમ અંધારામાં જણાયાથી રાજીમતી સાવ નગ્ન થઈ પોતાનાં ભીંજાયેલાં ચીવરો મોકળાં કરવા લાગ્યાં. આ દૃશ્યથી રથનેમિ ભગ્નચિત્ત (વિષયાકુળ) થઈ ગયા. તેવામાં જ એકાએક રાજીમતીએ પણ તેમને દીઠા.
Page #176
--------------------------------------------------------------------------
________________
રથનેમીય
૧૪૩ નોંધ : એકાંત અતિ ભયંકર વસ્તુ છે. બીજકરૂપ રહેલો વિકાર એકાંતમાં રાખવામાં છુપાયેલા અગ્નિની માફક ઝળકી ઊઠે છે. સ્ત્રી અને પુરુષનો આકસ્મિક સહવાસ પણ અડોલ યોગીને ચલિત બનાવે છે. ઊંચે ચડેલો રથનેમિ આવા લેશ નિમિત્તથી ક્ષણવારમાં નીચે પડકાઈ પડે છે.
૩૫. (૨થનેમિ જોતાં વાર જ) એકાંતમાં તે સંયમીને જોઈને રાજીમતી ભયભીત બની ગઈ. (અજાણતાં મુનિ સમક્ષ નગ્ન બની જવાયું એ) ભયથી કંપવા લાગી. અને પોતાના બંને હાથથી ગોપન કરી બેસી ગઈ.
નોંધ : વસ્ત્રો દૂર પહોળાં કર્યા હતા. સ્થળ એકાંત હતું. અબળાજાતિગત લજ્જા અને ભયની લાગણીઓનું વંદ્ર જામ્યું હતું. આ વખતે તેણે બેસી જઈ પોતાના બંને હાથથી મર્કટબદ્ધ આસન બનાવી પોતાનાં બધાં ગુહ્ય અંગો ગોપાવી લીધાં, છુપાવ્યાં.
૩૬. તે વખતે સમુદ્રવિજયના અંગજાત રાજપુત્ર રથનેમિ રાજીમતીને ભયભીત થયેલી જોઈ આ પ્રમાણે બોલ્યા : - ૩૭. હે સરલે ! હું રથનેમિ છું. હે રૂપવતી ! હે મંજુલ ભાષિણી ! મારાથી લેશમાત્ર તમને દુઃખ નહિ થાય. તે કોમલાંગિ ! મને સેવો. - ૩૮. આ મનુષ્યભવ દુર્લભ છે. માટે ચાલો, આપણે ભોગોને ભોગવીએ. તેમાંથી તૃપ્તિ મેળવ્યા પછી ભક્ત-ભોગી થઈ આપણે બંને જિનમાર્ગને આચરીશું. (સંયમ ગ્રહણ કરીશું.)
૩૯. આવી રીતે સંયમમાં કાયર અને વિકાર જીતવાના ઉદ્યોગમાં સાવ પરાભવ પામેલા તે રથનેમિને જોઈને રાજીમતી સ્વસ્થ થયાં. સ્ત્રીશક્તિથી પોતાના આત્માને ઉન્નત બનાવી તે જ વખતે પોતાનાં વસ્ત્રોને લઈ શરીર આચ્છાદિત કર્યું.
૪૦. પોતાની પ્રતિજ્ઞા અને વ્રતમાં દૃઢ થતાં અને પોતાની જાતિ, કુળ અને શિયળનું રક્ષણ કરતાં તે રાજકન્યા રથનેમિને ઉદેશી આ પ્રમાણે બોલ્યાં :
૪૧. ૩ કદાચ તું રૂપમાં સાક્ષાત્ કામદેવ હો, લીલામાં સાક્ષાત્ નળકુબેર હો કે પ્રત્યક્ષ શકેન્દ્ર હો, તો પણ હું તને ન ઇચ્છું.
. અગંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પો ઝળહળતી અગ્નિમાં બળી મરવું પસંદ કરે છે. પણ વમેલું વિષ ફરીથી પીવાનું ઇચ્છતા નથી.
૪૨. અપયશના અભિલાષિન ! તને ધિક્કાર હો ! કે જે તે વાસનામય જીવન માટે વમેલા ભોગોને ભોગવવા ઇચ્છે છે. એવા પતિત જીવન કરતાં તારું મૃત્યુ વધારે ઉત્તમ છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૪૩. હું ભોજકવિષ્ણુની પૌત્રી અને ઉગ્રસેન મહારાજાની પુત્રી છું અને તું અંધકવિષ્ણુનો પૌત્ર અને સમુદ્રવિજય મહારાજાનો પુત્ર છે. રખે આપણે ગંધનકુળના સર્પ જેવાં થઈએ ! ઓ સંયમીશ્વર ! નિશ્ચલ થઈ સંયમમાં
સ્થિર થા
નોંધ : શ્રી હરિભદ્રસૂરિના કથન પ્રમાણે ડૉ. હર્મન જેકોબી પોતાની પ્રસ્તાવનામાં લખે છે કે ભોગાસજ એ અશુદ્ધ રૂપ છે. પરંતુ તેને બદલે ભોજરાજ જોઈએ. આ ભોજરાજનું અપર નામ જ ઉગ્રસેન છે અને અંધકવિષ્ણુનું અપર નામ જ સમુદ્રવિજય છે. આથી તે બંને વ્યક્તિઓ ભિન્નભિન્ન નથી પણ એક જ છે.
૪૪. હે મુનિ ! જે જે સ્ત્રીઓને જોઈશ અને તે સ્ત્રીઓને જોયા પછી જો આમ કામભોગોની વાંચ્છના રાખ્યા કરીશ તો સમુદ્રકિનારે હડ નામનું વૃક્ષ જેમ પવનથી ઉખડી જાય છે તેમ તારો આત્મા ઉચ્ચ ભૂમિકાથી પતિત થશે.
૪૫. ૩૪. જેમ ગોવાળ ગાયોને હાંકવા છતાં ગાયોનો ધણી નથી પણ લાકડીનો ધણી છે અને ભંડારી દ્રવ્યનો ધણી નહિ પણ ચાવીનો ધણી છે. તેમ તું પણ જો વિષયાભિલાષી રહીશ તો સંયમ પાળવા છતાં ચારિત્રનો ધણી નહિ પણ વેપનો જ માત્ર ધણી રહીશ.
૩ માટે હે રથનેમિ ! ક્રોધ, માન, માયા અને લોભને દબાવી તારી પાંચે ઇંદ્રિયોને વશ કરીને તારા આત્માને કામભોગોમાંથી પાછો વાળ.
૪૬. બ્રહ્મચારિણી અને સાધ્વીનાં આ આત્મસ્પર્શી અને સચોટ વચનોને સાંભળી જેમ અંકુશ વડે મદોન્મત્ત હાથી વશ થાય તેમ રથનેમિ શીધ્ર વશ થયા અને સંયમધર્મમાં બરાબર સ્થિર થયા.
નોંધ : ત્યાં હાથીરૂપ રથનેમિ, મહાવતરૂપ રામતી અને અંકુશરૂપ વચનો હતાં. રથનેમિનો વિકાર ક્ષણવારમાં ઉપશાંત થયો અને પોતાનું ભાન થવાથી તે પશ્ચાત્તાપપૂર્વક પોતાના માર્ગમાં સ્થિર થયા. ચારિત્રનો પ્રભાવ શું ન કરે !
ધન્ય હો એ જગજ્જનની બ્રહ્મચારિણી મૈયાનો. માતૃશક્તિનાં આ દિવ્ય આંદોલન આજે પણ સ્ત્રીશક્તિની ભવ્યતાની સાક્ષી પૂરી રહ્યાં છે.
૪૭. રથનેમિ આજથી મન, વચન અને કાયાથી સુસંયમી અને સર્વોત્કૃષ્ટ જિતેન્દ્રિય બની ગયા. તથા જીવનપર્યત પોતાના વ્રતમાં અખંડ દઢ રહ્યા અને ચારિત્રને મરણાંત સુધી અડગ નિભાવી રાખ્યું.
Page #178
--------------------------------------------------------------------------
________________
રથનેમીય
૧૪૫ નોંધ : રાજીમતીના વચનના પ્રભાવે તેનાં રોમરોમમાં વાસ કર્યો. તે યોગી કદી ન પડે તેવા મેરુ સમાન નિષ્કપાયમાન રહ્યા.
૪૮. એ પ્રમાણે આખરે ઉગ્ર તપશ્ચર્યા કરીને એ બંને (રાજીમતી અને રથનેમિ) કેવળી (કેવળ જ્ઞાનધારી) થયાં અને સર્વ કર્મોનાં બંધન દૂર કરી ઉત્તમ એવી સિદ્ધગતિને પામ્યાં. - ૪૯. જેમ તે પુરુષશ્રેષ્ઠ રથનેમિ વિષયભોગથી મનને શીધ્ર હઠાવી લીધું તેમ વિચક્ષણ અને તત્ત્વજ્ઞ પુરુષો પણ વિષય ભોગોથી નિવૃત્ત થઈ પરમ પુરુષાર્થ કરે.
નોંધ : સ્ત્રીશક્તિ કોમળ છે. તેની ગતિ મંદ છે. તેનું ઐશ્વર્ય ભયથી વિટાયેલું છે. સ્ત્રીશક્તિનો સૂર્ય લજ્જાનાં વાદળોથી ઘેરાયેલો છે.
પણ તે ક્યાં સુધી ? સમય ન આવે ત્યાં સુધી.
સમય આવે ત્યારે લજ્જાનાં વાદળાં વિખરાઈ જાય છે. કોમળતા પ્રચંડતામાં પલટાઈ જાય છે અને તે તેજસ્વી સૂર્ય ઝળહળી ઊઠે છે. ત્યાં જગતનું સર્વબળ પરાસ્ત થાય છે. પુરુષ શક્તિનો આવેશ પૂરો થઈ ઓસરી જાય છે. અને આખરે એ શક્તિનો વિજય થાય છે.
રથનેમિ પૂર્વના યોગીશ્વર હતા. આત્મધ્યાનમાં મસ્ત રહેનારા હતા. પરંતુ વિકારનાં બીજ બાળવા માટે તો તેટલો અને તેવો પ્રયત્ન અપર્યાપ્ત હતો તેથી જ તેમ બનવા પામ્યું હતું.
આ પ્રસંગે રાજીમતીનું તીવ્ર તપોબળ અને નિર્વિકારતા સહજસિદ્ધ થાય છે. આવા કટોકટીના પ્રસંગોમાં તેનું આ પૈર્ય અને આ પરાક્રમ એ તેનાં આત્મઓજસની પ્રતીતિ છે.
રથનેમિ પણ પૂર્વયોગી હતા એટલે જ આત્મભાવનમાં આવી શક્યા. અન્યથા પરિણામ શું આવત તે કલ્પના બહારની વસ્તુ છે. અહીં તેને માત્ર ટકોર જોઈતી હતી તે મળી ગઈ.
ધન્ય હો, ધન્ય હો એ યોગિની અને યોગીશ્વરને ! પ્રલોભનનાં પ્રબળ નિમિત્તમાં સપડાવા છતાં એ બંને આત્માઓ અડગ રહ્યા અને સાધના સાધી આત્મજ્યોતિમાં સ્થિર થયા.
એમ કહું છું : એ પ્રમાણે રથનેમિ સંબંધીનું બાવીસમું અધ્યયન સમાપ્ત થયું.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : ત્રેવીસમું
કેશિગૌતમીય કેશમુનિ તથા ગૌતમનો સંવાદ
પાંચ મહાવ્રતો એ મૂળ ગુણ કહેવાય છે. તે જ આત્મોન્નતિનાં સાચાં સાધન છે. બાકીની ઇતર ક્રિયાઓ ઉત્તર ગુણો કહેવાય છે. અને તે મૂળ ગુણની પુષ્ટિ માટે યોજાયેલી છે.
મૂળ ધ્યેય કર્મબંધનથી મુક્ત થવું કે મુક્તિ મેળવવી તે છે. અને તે માર્ગે જવાનાં મૂળભૂત તત્ત્વોનો કોઈપણ કાળે, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થિતિમાં પલટો થઈ શકે નહિ. તે સત્ય તો ત્રિકાલાબાધિત હોય છે. તેને કોઈ પણ પલટાવી શકે જ નહિ,
પરંતુ ઉત્તરગુણો અને ક્રિયાનાં વિધિવિધાનોમાં કાળ કે સમય પ્રમાણે પલટા થયા છે, થાય છે અને થવાના. સમયધર્મનો સાદ સાંભળ્યા વિના ગતિ કર્યા કરવામાં ભય અને હાનિ રહેલાં છે. સમયધર્મને ઓળખી સરળમાર્ગથી કેવળ આત્મલક્ષ્ય રાખી ચાલવામાં સત્યની, ધર્મની અને શાસનની રક્ષા સમાયેલી છે.
આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીરના સમયની આ વાત છે. ભગવાન મહા રે સમયધર્મને ઓળખી સાધુજીવનની ચર્યામાં મહાન પલટો કર્યો હતો. પૂર્વથી ચાલી આવતી પાર્શ્વનાથની પરંપરા કરતાં નૂતનતા લાવી મૂકી હતી. અને કડક વિધિવિધાનો સ્થાપી જૈનશાસનનો પુનરોદ્ધાર કર્યો હતો. સમયધર્મને ઓળખવાથી જેનશાસનની ધર્મધ્વજા તે સમયના વેદ અને બૌદ્ધ શાસનના શિર પર ફરકવા લાગી હતી.
ભગવાન પાર્શ્વનાથની પરંપરાને માનતા કેશી શ્રમણ સપરિવાર વિહરતા વિહરતા શ્રાવસ્તીમાં પધારેલા. તે જ વખતે ભગવાન મહાવીરના ગણધર ગૌતમ પણ સપરિવાર ત્યાં પધાર્યા. બંને સમુદાયો મળ્યા, પરસ્પરના શિષ્યોને ધર્મ એક અને ક્રિયા ભિન્ન જોઈ આશ્ચર્ય થયું. શિષ્યોની શંકા નિવારવા બંને ઋષિપુંગવો મળ્યા, ભેટ્યા વિચારોનો સમન્વય કર્યો અને આખરે ત્યાં પણ
Page #180
--------------------------------------------------------------------------
________________
કેશિગતમય
૧૪૭ કેશી મુનિશ્વરે સમયધર્મને સ્વીકારી લીધો અને ભગવાન મહાવીરની પરંપરામાં જૈનશાસનનો જય જયકાર બોલાવ્યો.
ભગવાન બોલ્યા : ૧. સર્વજ્ઞ (સર્વ પદાર્થો અને તત્ત્વોના સંપૂર્ણ જ્ઞાતા), સદ્ ધર્મરૂપ તીર્થના સ્થાપક અને આખા લોકના પૂજનીય એવા પાર્થનામે અહમ્ જિનેશ્વર થઈ ગયા હતા.
નોંધ : આ વાર્તા પ્રસંગે ભગવાન મહાવીરનું શાસન પ્રવર્તતું હતું. મહાવીર પહેલાં ત્રેવીસ તીર્થકરો ધર્મના પુનરુદ્ધારક પુરુષો થઈ ગયા. તે પૈકી ત્રેવીસમા પ્રભુ પાર્થ થયા હતા. પાર્શ્વપ્રભુનો આત્મા તો સિદ્ધ થયો હતો. આ વખતે માત્ર તેમનાં દિવ્ય આંદોલનો અને તેમનું અનુયાયી મંડળ અહીં હસ્તી ધરાવતું હતું.
૨. લોકાલોકની સર્વ વસ્તુ પર જ્ઞાનદીપ (જયોતિ)ના પ્રકાશનાર તે મહાપ્રભુના શિષ્ય મહાયશસ્વી અને જ્ઞાન તેમ જ ચારિત્રના પારગામી એવા કેશીકુમાર નામના શ્રમણ તે સમયે વિદ્યમાન હતા.
૩. તે કેશીકુમાર મુનિ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણે જ્ઞાનથી ભરપૂર હતા. એકાદ બહોળા શિષ્યસમુદાય સાથે ગામોગામ વિચરતા વિચરતા શ્રાવસ્તી નગરીમાં પધાર્યા.
નોંધ : જૈનદર્શનમાં જ્ઞાનની પાંચ ભૂમિકાઓ છે : (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનપર્યાય જ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. મતિજ્ઞાન કે મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન કે શ્રુતઅજ્ઞાન આખા સંસારના જીવોમાં તરતમ ભાવે હોય છે. જ્ઞાન શુદ્ધ હોય તો જ સમાન કહેવાય છે અને જ્ઞાન અશુદ્ધ કે વિપર્યાસવાળું હોય તેને અજ્ઞાન કહે છે. સમ્યક અવબોધ તે મતિજ્ઞાન અને તેનાથી વિશિષ્ટ જ્ઞાન તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન જેટલું વિપુલ તેટલો બુદ્ધિવૈભવ વધુ હોવાનો. અવધિજ્ઞાન ઉચ્ચ કોટિના મનુષ્યોને અને દેવોને હોય છે અને તે દ્વારા સુદૂર રહેલા પદાર્થોના પૂર્વ, વર્તમાન અને ભાવિ ભાવોને પણ જાણી શકાય છે. આ ત્રણે જ્ઞાનો અશુદ્ધ પણ હોઈ શકે છે અને જો અશુદ્ધ હોય તો અનુક્રમે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન તરીકે ઓળખાય છે. મન:પર્યાય એ શુદ્ધ જ જ્ઞાન છે અને તે જ્ઞાન ઉચ્ચ ભૂમિકાના સંયમી યોગીને જ થાય છે. તે દ્વારા તે બીજાના મનની વાત બરાબર જાણી શકે છે. સર્વથી વિશુદ્ધ અને કેવળ આત્મભાન જ હોય છે તેને
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ઉત્તરાધ્યયન સૂત્ર કેવળજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન તો કર્મનાં આવરણો સંપૂર્ણ બળ્યા પછી જ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન ઉત્પન્ન થનારને જ સર્વજ્ઞ કહેવાય છે. તેવા સર્વજ્ઞ પુરુષોને સંસારમાં ફરીવાર જન્મ લેવો પડતો નથી. (જ્ઞાનના પ્રકારોનું વિસ્તૃત વર્ણન નંદીજી વગેરે સૂત્રોમાં જોઈ લેવું.)
૪. તે શ્રાવતી નગરીમાં નગર મંડળની બહાર એક તિન્દુક નામનું એકાંત (ધ્યાનયોગ્ય ભૂમિ) ઉદ્યાન હતું. ત્યાં પવિત્ર અને જીવરહિત ઘાસની શમ્યા અને આસનો યાચી તે વિશુદ્ધ ભૂમિમાં તેણે વાસ કર્યો.
૫. તે સમયમાં વર્તમાન ઉદ્ધારક અને ધર્મતીર્થના સંસ્થાપક એવા જિનેશ્વર ભગવાન વર્ધમાન આખા વિશ્વમાં સર્વજ્ઞ રૂપે પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા.
૬. લોકમાં જ્ઞાન પ્રદ્યોતથી પ્રકાશના પ્રદીપરૂપ તે ભગવાનના શિષ્ય જ્ઞાન તથા ચારિત્રના પારગામી એવા મહા યશસ્વી ગૌતમ હતા.
૭. બાર અંગોના પ્રખર જ્ઞાતા તે ગૌતમ પ્રભુ પણ બહોળા શિષ્ય સમુદાય સાથે ગામેગામ વિચરતા વિચરતા શ્રાવસ્તી નગરીમાં પધાર્યા.
નોંધ : અદ્યાપી તે બાર અંગોમાંનાં અગિયાર વિદ્યમાન છે અને એક દિષ્ટિવાદ નામનું અંગ ઉપલબ્ધ થતું નથી. તે અંગોમાં પૂર્વતીર્થકરોનાં અને ભગવાન મહાવીરનાં અનુભવી વચનામૃતો છે.
૮. તે નગર મંડળની સમીપ એક કોષ્ટક નામનું ઉદ્યાન હતું. ત્યાં વિશુદ્ધ સ્થાન અને તૃણાદિની આચત્ત શય્યા યાચી નિવાસ કર્યો.
૯. એ પ્રમાણે શ્રાવતી નગરીમાં કુમાર શ્રવણ કેશી મુનિ અને મહા યશસ્વી ગૌતમ મુનિ એ બંને જણ સુખપૂર્વક અને ધ્યાનમગ્ન સમાધિપૂર્વક રહેતા હતા.
નોંધ : તે સમયે ગામની બહારના ઉદ્યાનોમાં ત્યાગી પુરુષો નિવાસ કરતા. ગામમાં જઈ ભિક્ષા માગી સંયમી જીવન ગુજારતા.
૧૦. એકદા (ભિક્ષાચરી કરવા નીકળેલા) તે બંનેના શિષ્ય સમુદાય કે જે પૂર્ણ સંયમી, તપસ્વી, ગુણી અને જીવરક્ષક (પૂર્ણ અહિંસક) હતા. તેમને પરસ્પરના એક જ માર્ગ હોવા છતાં વેશ અને બાહ્ય ક્રિયા ભિન્ન જોવાથી પરસ્પર વિચાર ઉદ્ભવ્યો.
૧૧. આ ધર્મ વળી કેવો ? અને અમે પાળીએ છીએ તે ધર્મ કેવો ? આ આચાર ધર્મની ક્રિયા કેવી અને અમે પાળીએ છીએ તે કેવી ?
Page #182
--------------------------------------------------------------------------
________________
કેશિગૌતમીય
૧૪૯ નોંધ : ભગવાન પાર્શ્વનાથનો કાળ ઋજ અને પ્રાજ્ઞ કાળ હતો. તે વખતનાં મનુષ્યો સરળ અને બુદ્ધિમાન હતાં અને તેથી તે પ્રકારની ધર્મ રચના પ્રવર્તતી હતી. તે વખતે માત્ર ચાર વ્રતો હતાં. વસ્ત્રો પણ રંગીન મનોહર વપરાતાં. કારણ કે સુંદર વસ્ત્રપરિધાનમાં કે જીર્ણ વસ્ત્ર પરિધાનમાં મુક્તિ નથી. મુક્તિ તો નિરાસક્તિમાં છે. તેમ ધારી તે વખતે તે પ્રણાલિકા ચાલી હતી અને આજ સુધી વિદ્યમાન હતી. એક જ જિનધર્મને માનવા છતાં બાહ્ય ક્રિયામાં આટઆટલું અંતર શાથી? તે શંકા થવી સ્વાભાવિક જ છે. એ બંને ગણધરો તો જ્ઞાની જ હતા તેને આ વસ્તુમાં કંઈ મહત્ત્વ કે નિઃસ્કૃષ્ઠત્વ નહોતું લાગતું પરંતુ આવી શંકા શિષ્યવર્ગને થાય તે સ્વાભાવિક હતું. તેનું સમાધાન કરવા માટે પરસ્પર મિલન કરી સમન્વય કરી લેવો તે પણ મહાપુરુષોની ઉદારતા અને સમયસૂચકતા જ સૂચવે છે.
૧૨. ચાર મહાવ્રતરૂપ ધર્મ કે જે ભગવાન પાર્શ્વનાથે કહ્યો છે અને પાંચ મહાવ્રતરૂપ ધર્મ ભગવાન મહાવીરે કહ્યો છે, તો તે ભેદનો હેતુ શો ?
૧૩. વળી અલ્પોપધિ (શ્વેત વસ્ત્ર અને અવસ્ત્ર)વાળો આ સાધુ આચાર કે જે ભગવાન મહાવીરે ફરમાવ્યો છે, અને આ પચરંગી વસ્ત્રો પહેરવાનો સાધુ આચાર કે જે ભગવાન પાર્શ્વનાથે બતાવ્યો છે તે બંનેમાં તથ્ય શું ? આવું અંતર શા માટે ? જે બંનેનાં એક જ ધ્યેય છે તો ક્રિયાભેદ પણ શા સારુ !
નોંધ : તે વખતે બંને પ્રકારના મુનિવરો હતા. જેમાંના એક જિનકલ્પી અને બીજા સ્થવિર કલ્પી કહેવાતા. જિનકલ્પી સાધુઓ દેહાધ્યાસ છોડી કેવળ આત્મપરાયણ રહેતા. સ્થવિર કલ્પીઓનું કામ તેથી વિશેષ કપરું હતું. તેમને સમાજના સંગમાં રહેવા છતાં નિરાસક્તપણે કામ કરવાનું હતું અને આત્મકલ્યાણ અને પર કલ્યાણ બંને હેતુ જાળવી આગળ વધવાનું હતું. તેઓ સ્વલ્પ પરિગ્રહ રાખતા પણ તેમાં મમત્વ ન રાખતા. તે પરિગ્રહ રાખીને પણ જિનકલ્પીનો મહાન આદર પામે તેવી આત્માની ઉવલતા અને જાગૃતિ સતત રાખતા.
૧૪. કેશમુનિ અને ગૌતમ મુનિ એ બંને મહાપુરુષોએ પોતાના શિષ્યોનો આ સંશય જાણીને તેનું નિવારણ કરવા માટે સમુદાય સહિત પરસ્પર સમાગમ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
નોંધ : ગૌતમ કેશમુનિ કરતાં વયે નાના હતા. પરંતુ જ્ઞાનમાં મોટા હતા. તે સમયે ગૌતમ મુનિને ચાર જ્ઞાન હતાં. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યાયજ્ઞાન.
Page #183
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫. વિનય, ભક્ત તથા અવસરના જાણકારી ગૌતમ સ્વામી શિષ્યસમુદાય સાથે કેશીમુનિ (પાર્શ્વનાથના અનુયાયી છે માટે)નું વડીલ કુળ જાણી તેમની પાસે તિન્દુક વનમાં પોતે જાતે આવ્યા.
નોંધ : ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીર પહેલા થયા છે માટે તેના અનુયાયી પણ વડીલ ગણાય. તે વિનય જાળવવા પોતે જ્ઞાની હોવા છતાં ત્યાં પધાર્યા. આ જ નમ્રતા અને જ્ઞાનપાચનનું ચિહ્ન છે.
૧૬. શિષ્ય સમુદાય સાથે ગૌતમ સ્વામીને સ્વયં આવતા જોઈ કેશીકુમાર હર્ષઘેલા થઈ ગયા અને તેમનું આતિથ્ય સુંદર રીતે કરવા લાગ્યા.
નોંધ : વેશ અને સમાચારી ભિન્ન છતાં સંભોગ-સાંપ્રદાયિક વ્યવહારનાં ભૂત ત્યાં નડ્યાં નહિ. જ્યાં વિશુદ્ધ પ્રેમ ઉછળતો હોય અને સંપ્રદાયનો કદાગ્રહ ન હોય ત્યાં તેવું વિષવાતાવરણ હોય જ શાનું ? વાહ ! તે ક્ષણ કેવી અપૂર્વ છે ? આવા સંતસમાગમની એક જ ક્ષણ કરોડો જન્મોનાં પાતકને લય કરી નાખે છે.
૧૫૦
૧૭. કેશીકુમાર શ્રમણ ગૌતમ ભગવાનને આવતા દેખી ઉત્સાહથી તેમને અનુરૂપ અને પ્રાસુક (જીવરહિત શાલીનું, વ્રીહિનું, કોદરીનું અને રાળ નામે વનસ્પતિનું એમ) ચાર જાતનાં પરાળ (ઘાસ) અને પાંચમું ડાભ અને તૃણનાં આસનો લઈ લઈને કેશીમુનિ તથા તેમના શિષ્ય સમુદાય ગૌતમમુનિ અને તેમના શેષ્ય સમુદાયને તે ૫૨ બેસાડે છે.
૧૮. તે વખતનું દશ્ય અનુપમ લાગતું હતું. કુમાર કેશીશ્રમણ અને મહા યશવી ગૌતમમુનિ બંને જણ ત્યાં બેઠાબેઠા જાણે સૂર્ય અને ચંદ્ર જ ન બેઠા હોય ! તેવી રીતે શોભી રહ્યા હતા.
૧૯. આ પરસ્પરના વિચારવાદનું કુતૂહલ જોવા માટે મૃગલા જેવા કૈંક અજ્ઞ સાધુઓ અને કુતૂહલીજનો તથા પાખંડીઓ પણ હાજર થઈ ગયા હતા. તેમજ ડાખોની સંખ્યામાં ગૃહસ્થો પણ ત્યાં એકઠા થયા હતા.
૨૦. (ગગનમાર્ગે અદશ્ય રૂપે) દેવો, દાનવો, ગાંધર્વો, યક્ષો, રાક્ષસો, કિન્નરો તથા અદશ્ય રહેલાં અનેક ભુતો પણ ત્યાં આ દશ્ય જોવા માટે
એકઠા થયાં હતાં.
૨૧. તે વખતે પ્રથમ જ કેશીમુનિએ ગૌતમને ઉદેશીને કહ્યું : હે ભાગ્યવંત ! હું તમને પ્રશ્નો પૂછવા ઇચ્છું છું. આ પ્રમાણે બોલતા કેશીમહારાજર્ષિને સંબોધીને ભગવાન ગૌતમ આ પ્રમાણે બોલ્યા :
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૫૧
કેશિગીતમય
૨૨. હે ભગવન્ ! આપની ઇચ્છા હોય (આપને યોગ્ય લાગે) તે આપ ભલે પૂછો. આ પ્રમાણે જયારે ગૌતમ મુનિએ કેશીમુનિને ઉદારતાપૂર્વક કહ્યું ત્યારે અનુજ્ઞા પામેલા કેશી ભગવાને ગૌતમ મુનિને આ પ્રમાણે કહ્યું :
૨૩. હે મુને ! ચાર મહાવ્રતરૂપ ધર્મ ભગવાન પાર્શ્વનાથે કહ્યો છે, પરંતુ ભગવાન મહાવીર તો પાંચ મહાવ્રતરૂપે ધર્મને કહે છે.
નોંધ : યામનો અર્થ અહીં મહાવ્રત લીધો છે.
૨૪. તો એક કાર્ય (મોક્ષના હેતુ)માં પહોંચવાને યોજાયેલા એ બંનેમાં આ ભિન્નભિન્ન વેશ અને જુદા જુદા આચારનું પ્રયોજન શું હશે ? હે બુદ્ધિમાન ગૌતમ ! આ એક જ માર્ગમાં બે પ્રકારના વિવિધ ધર્મ કેમ પ્રવર્તે છે ? (તેમાં શું આપને સંશય કે આશ્ચર્ય નથી થતું ?)
૨૫. આ પ્રમાણે બોલતા કેશી શ્રમણને ઉદ્દેશીને ગૌતમ મુનિએ આ પ્રમાણે કહ્યું : શુદ્ધ બુદ્ધિ વડે જ ધર્મતત્ત્વનો તથા પરમાર્થનો નિશ્ચય કરી શકાય છે.
નોંધ : જ્યાં સુધી તેવી શુદ્ધ અને ઉદાર બુદ્ધિ હોતી નથી ત્યાં સુધી સાધ્ય કરતાં સાધન તરફ જ તે વધુ ઢળે છે. એટલે મહાપુરુષોએ કાળ જોઈને જ તેવી સખત ક્રિયાઓ યોજેલી છે.
૨૬. (ચોવીસ તીર્થંકર પૈકી) પ્રથમ તીર્થકર (ઋષભ પ્રભુ)ના સમયના મનુષ્યો બુદ્ધિમાં જડ છતાં પ્રકૃતિના સરળ હતા. અને છેલ્લા તીર્થકર (ભગવાન મહાવીર)ના સમયના મનુષ્યો જડ બુદ્ધિનો દુરુપયોગ કરનારા) અને વાંકા (કુવિકલ્પ કરનારા) હતા. વચ્ચેના બાવીસ તીર્થકરોના સમયના જીવો સરળ બુદ્ધિવાળા અને પ્રાજ્ઞ હતા. તેથી જ અવસર જોઈ ભગવાન મહાવીરે કડક વિધિવિધાનો કહ્યાં છે.
૨૭. ઋષભ પ્રભુના અનુયાયીઓને ધર્મ સમજવો કઠિન પડતો. પરંતુ સમજયા પછી આચરવામાં તે સમર્થ હોઈ પાર ઉતરતા અને આ છેલ્લા (ભગવાન મહાવીર) તીર્થંકરના અનુયાયીઓને ધર્મ સમજવામાં સહેલ છે. પણ પાળવામાં કઠિન છે. તેથી જ બંનેના કાળમાં પાંચ મહાવ્રતરૂપ યતિધર્મ સમજાવ્યો છે અને વચ્ચેના બાવીસ તીર્થકરોના સમયમાં ચાર મહાવ્રતરૂપ ધર્મ સમજાવ્યો છે.
નોંધ : સમજવામાં કઠિન હોવાનું કારણ બુદ્ધિની જડતા; અને આચરવામાં કઠિન હોવાનું કારણ એ છે કે સમયના પ્રવાહમાં મનુષ્યોની શિથિલતા વધી ગઈ હતી.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૨
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૮. આ સ્પષ્ટ વાત સાંભળીને કેશી સ્વામી બોલ્યા : હે ગૌતમ ! આપની બુદ્ધિ સુંદર છે. અમારા સંશયનું સમાધાન થઈ ગયું. હવે બીજો સંશય (પ્રશ્નો રજૂ કરું છું. હે ગૌતમ ! તેનું સમાધાન કરો.
૨૯. હે મહામુને ! સાધુ સમુદાયને પ્રમાણપૂર્વક અને સફેદ વસ્ત્ર વાપરવાનો ધર્મ શ્રી ભગવાન મહાવીરે કહ્યો છે અને પાર્શ્વનાથે તો વિવિધ રંગવાળાં વસ્ત્રો વાપરવાની છૂટ આપી સાધુધર્મ ફરમાવ્યો છે.
નોંધ : અચલકનો અર્થ કેટલાક અવસ્ત્ર કરે છે. જો કે સામાન્ય રીતે આપણે નગ્ન સમાસનો અર્થ નકારવાચી ગણીએ છીએ. એ દૃષ્ટિબિંદુએ તેમ થઈ શકે પરંતુ તે કાળમાં પણ આખો સમુદાય નિર્વસ્ત્ર ન રહેતો. કેટલાક વસ્ત્રરહિત રહેતા અને કેટલાક વસ્ત્રસહિત રહેતા. કારણ કે વસ્ત્ર વાપરવા કરતાં તેની મૂર્છા પર ભગવાન મહાવીરે ખૂબ ભાર આપ્યો છે. એટલે આ સ્થળે નગ્ન સમાસના છ અર્થો પૈકી અલ્પનો ઉપયોગ કરવો તે વધુ સંગત લાગે છે.
૩૦. તે બંને એક જ ધ્યેયમાં જોડાયેલા હોવા છતાં આ પ્રમાણે દેખીતું બંને પ્રકારનાં વેશચિહ્નો ધારણ કરવાનું અંતર કેમ રાખ્યું હશે ? હે બુદ્ધિમન્ ! આપને અહીં સંશય થતો નથી ?
૩૧. આ પ્રમાણે બોલતા કેશમુનિને ઉદ્દેશીને ગૌતમ આ પ્રમાણે બોલ્યાઃ ખૂબ વિજ્ઞાનપૂર્વક સમય અને સાધુઓનાં માનસ જોઈને તે મહાપુરુષોએ આ પ્રમાણે ભિન્નભિન્ન ધર્મસાધનો રાખવાનું વિધાન કરેલું છે.
નોંધ : ભગવાન પાર્શ્વનાથના શિષ્યો સરલ અને બુદ્ધિમાન હતા તેથી તે વિવિધ વસ્ત્રો પણ શરીરના આચ્છાદન માટે છે. વિભૂષા અર્થે નથી તેમ માની અનાસક્ત ભાવે ઉપયોગ કરી શકતા હતા. પરંતુ ભગવાન મહાવીરે જોયું કે આ કાર્યમાં પુષ્કળ નિમિત્તો મળવા છતાં આસક્તિ ન થવી તે અતિ અતિ કઠણ વસ્તુ છે. માટે જ પ્રમાણપૂર્વક અને સાદો વેશ રાખવા માટે ફરમાવ્યું. અર્થાત્ એ બધુંએ મહાપુરુષોએ વિચારપૂર્વક જ અવસર જોઈને કર્યું છે.
૩૨. આવો સાદો વેશ રાખવાનું કારણ : (૧) લોકમાં ભિન્નભિન્ન પ્રકારના વિકલ્પો અને વેશી પ્રવર્તી રહ્યા છે. તેમાં આ વેશ પરથી લોકોને પ્રતીતિ થાય કે આ જૈન સાધુ હશે. (૨) “હું સાવું છું તેવું પોતાને વેશથી ધ્યાન રહે માટે (૩) સંયમનો નિર્વાહ તે દ્વારા થાય. એવાં કારણોથી જ
માં વેશ ધારણ કરવાનું પ્રયોજન છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
કેશિગૌતમય
૧૫૩ નોંધ : વેશ એ કંઈ સાધ્ય નથી. માત્ર બાહ્ય સાધન છે. તે બાહ્ય સાધન આંતરિક સાધનની પુષ્ટિમાં અને આત્મવિકાસમાં મદદરૂપ થાય તેટલા પૂરતું તેનું પ્રયોજન છે.
૩૩. વળી સાધુનો વેશ તો દુરાચાર ન થવા પામે તેવી સતત જાગૃતિ રાખવા માટે માત્ર વ્યવહારનયથી સાધન છે. નિશ્ચયનયે તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ જ મોક્ષનાં સાધન છે. આ વાસ્તવિક સાધનોમાં તો ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર બંને મળતા જ છે. (મૌલિકતામાં લેશમાત્ર ભેદ નથી.)
નોંધ : વેશ ભલે ભિન્ન હોય પરંતુ તત્ત્વમાં ભેદ કશો છે જ નહિ. ભિન્ન વેશ રાખવાનું પણ ઉપર કહ્યું તે જ પ્રયોજન છે.
૩૪. કેશીસ્વામીએ કહ્યું : હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે (તમો બહુ સમન્વય કરી શકો છો), તમે મારો સંશય દૂર કર્યો છે. હવે એક બીજો સંશય (પ્રશ્ન) કરું છું તેનું હે ગૌતમ ! તમે સમાધાન કરો.
૩૫. હે ગૌતમ ! હજારો વૈરીની વચ્ચે તમે વસી રહ્યા છો, વળી તે તમારી સામે ઝઝૂમી રહ્યા છે. છતાં તે બધાને તમે શી રીતે જીતી શકો છો?
૩૬. (ગૌતમે કહ્યું :) હું માત્ર એક (આત્મા)ને જીતવા સતત પ્રયત્ન કરું છું. કારણ કે તે એકને જીતવાથી પાંચ અને પાંચને જીતવાથી દસ અને દસને જીતવાથી સર્વ શત્રુઓ સ્વયં જિતાઈ જાય છે.
૩૭. કેશીમુનિએ ગૌતમને કહ્યું કે તે શત્રુઓ ક્યા ? આ પ્રમાણે બોલતા કેશીમુનિને ઉદેશીને ગૌતમ મુનિએ આ પ્રમાણે કહ્યું :
૩૮. હે મુને ! (મનની દુષ્ટ પ્રવૃત્તિને વશ થયેલો) જીવાત્મા જો ન જિતાય તો તે શત્રુ છે. (આત્માને ન જીતવાથી કષાયો ઉત્પન્ન થાય છે) અને એ શત્રુના પ્રતાપે ચાર કષાયો પણ શત્રુ છે અને પાંચ ઇંદ્રિયો તે પણ શત્રુ છે. એમ આખી શત્રુની પરંપરાને જૈન શાસનના ન્યાય પ્રમાણે જીતીને શાંતિપૂર્વક હું વિહાર કર્યા કરું છું.
નોંધ : ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો કહેવાય છે. તેના તરતમ ભાવે સોળ ભેદો છે. દુષ્ટ મન એ પણ શત્રુ છે. પાંચ ઈદ્રિયોનો અદ્વેગ થવાથી એ પણ શત્રુઓ જેવું કાર્ય કરે છે. પરંતુ બધાનું મૂળ એક માત્ર દુરાત્મા જ છે. તેથી તેને જીતવાથી બધું જીતાય છે. જેનશાસ્ત્રનો ન્યાય એ છે કે બહારનાં યુદ્ધ કરવા કરતાં આત્મયુદ્ધ કરવું એ ઉત્તમ છે. અને
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ઉત્તરાધ્યયન સૂત્ર ક્ષમા, દયા, તપશ્ચર્યા અને ત્યાગ એ તેમને હણવાનાં શસ્ત્રો છે. તે શસ્ત્રો દ્વારા જ કર્મ હણાઈ જાય છે.
૩૯. હે ગૌતમ ! તમારી બુદ્ધિ સુંદર છે. તમે મારા સંશયનું સમાધાન સુંદર કર્યું. હવે બીજો પ્રશ્ન પૂછું છું તેનું સમાધાન કરો.
૪૦. આ લોકમાં ઘણા જીવો બિચારા કર્મરૂપી જાળથી જકડાયેલા દેખાય છે. ત્યાં હે મુનિ ! તમે શી રીતે બંધનથી રહિત થઈ વાયુની પેઠે હળવા થઈ અપ્રીતિબંધપણે વિહરી શકો છો ?
૪૧. (કેશી મહારાજને ગૌતમે કહ્યું :) હે મુને ! શુદ્ધ ઉપાયોથી તે પાશલાઓને છેદીને બંધન રહિત થઈ વાયુની માફક અપ્રતિબંધ રીતે વિચરી શકું છું.
૪૨. ત્યારે કેશીમુનિએ ગૌતમને કહ્યું : તે બંધની ક્યાં ? તે તમે મને કહેશો ? આ પ્રમાણે બોલતા કેશીમુનિને ઉદ્દેશીને ગૌતમ કહેવા લાગ્યા.
૪૩. રાગ, દ્વેષ, મોહ, પરિગ્રહ અને સ્ત્રીસ્વજનો પરની આસક્તિઓ છે તે જ તીવ્ર, ઘાટાં અને ભયંકર સ્નેહબંધનો છે. તેને છેદીને યથાન્યાયે ક્રમપૂર્વક જૈનશાસનમાં રહી મારો વિકાસ સાવું અને વિચારી રહ્યો છું.
૪૪. કેશસ્વામીએ કહ્યું : હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. તમે મારો સંશય દૂર કર્યો છે. હવે બીજી વાતને પૂછું છું તેનો જવાબ આપો.
૪૫. હે ગૌતમ ! હૃદયના ઊંડાણ ભાગરૂપ જમીનમાં એક વેલડી ઊગી છે કે જે વેલડીમાં વિષ જેવા ઝેરી ફળ લાગે છે. તે વેલ તમે શી રીતે ઊખેડી નાખી ? (કેશી બોલ્યા).
૪૬. (આ સાંભળીને ગૌતમ બોલ્યા :) તે વિષવેલડીને તો મેં મૂળ સહિત ઊખેડી નાખી છે અને તેથી જ એ વિષવેલનાં વિપફળોથી હું મુક્ત થઈ જિનેશ્વરોનાં ન્યાયમય શાસનમાં આનંદપૂર્વક વિચરી રહ્યો છું.
૪૭. તે વેલ કઈ ? તે મને કહેશો ? આ પ્રમાણે કેશીમુનિએ ગૌતમને કહ્યું. ત્યારે આ પ્રમાણે બોલતાં કેશીમુનિને ગૌતમ કહેવા લાગ્યા :
૪૮. હે મુનિશ્વર ! આ સંસારમાં મહાપુરુષોએ સંસારને વધારનારી તૃણાને જ વિષવેલ કહી છે. તે વેલ ભયંકર અને ઝેરી ફળોન આપી જીવોન જન્મમરણ કરાવી રહી છે. તેને બરાબર જાણી મ ઊખેડી નાખી છે. તે ઉખેડી નાખી હવે હું જિનેશ્વરના ન્યાયશાસનમાં સુખપૂર્વક ચાલી
Page #188
--------------------------------------------------------------------------
________________
૧પપ
કેશિગૌતમીય
૪૯. કેશીમુનિએ કહ્યું : હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. તમે મારો તે સંશય છેદી નાખ્યો. હવે બીજા સંશયને મૂકું છું તેનું સમાધાન કરો.
૫૦. હે ગતમ ! હૃદયમાં ખૂબ જાજવલ્યમાન અને ભયંકર એક અગ્નિ સળગી રહી છે કે જે શરીરમાં રહીને તેને જ બાળી રહી છે. તે અગ્નિને તમે શી રીતે બુઝાવી નાખી ?
૫૧. (આ સાંભળી ગૌતમે કહ્યું :) મહામેઘ (મોટાં વાદળાં)માંથી ઉત્પન્ન થયેલા પાણીના પ્રવાહમાંથી તે ઉત્તમ પાણી લઈ સતત હું તે અગ્નિને ઠારી નાખું છું અને તેથી તે ઠરેલી અગ્નિ મને લેશમાત્ર બાળી શકતી નથી.
૫૨. કેશીમુનિએ ગૌતમને કહ્યું : તે અગ્નિ કઈ ? તે મને કહેશો ? આ પ્રમાણે કેશીમુનિને બોલતાં સાંભળી ગૌતમે પ્રત્યુત્તર આપતાં કહ્યું :
પ૩. કષાયો એ જ અગ્નિ છે (કે જે શરીર, મન અને આત્માને સતત બાળી રહી છે.) અને (તીર્થકર રૂપી મહામેઘથી વરસેલી) જ્ઞાન, આચાર અને તપશ્ચર્યારૂપી જળની ધારાઓ છે. સત્યજ્ઞાનની ધારાઓથી હણાયેલી તે કષાયોરૂપ જળની ધારાઓ છે. સત્યજ્ઞાનની ધારાઓથી. હણાયેલી તે કપાયારૂપ અગ્નિ સાવ ઠરી જાય છે. મને તમારા આત્માને) લેશમાત્ર બાળી શકતી નથી.
૫૪. હે ગૌતમ ! તમારી બુદ્ધિ સુંદર છે. તમે મારા સંશયને છેદી નાખ્યો છે. હજુપણ હું બીજો સંશય પ્રકટ કરું છું તેનું સમાધાન કરો. - પપ. (કેશીમુનિએ કહ્યું :) હે ગૌતમ ! આ મહા સાહસિક, ભયંકર અને દુષ્ટ (માલિકને ખાડામાં ધકેલી દે તેવો) ઘોડો ખૂબ દોડી રહ્યો છે. તે ઘોડા પર બેઠેલા તમે સીધે માર્ગે શી રીતે જઈ શકો છો ? તેનાથી કેમ ઉન્માર્ગે ચાલ્યા જતા નથી !
નોંધ : દુષ્ટ સ્વભાવવાળો ઘોડો માલિકને કોઈ ને કોઈ વખતે દગો આપ્યા વિના રહેતો નથી. પરંતુ તમે તો તેના પર બેસવા છતાં સીધા માર્ગે જ ચાલ્યા જાઓ છો તેનું કારણ શું ?
પદ. (કશી મહારાજને ગૌતમ કહ્યું :) તે રંગભર દોડતા ઘોડાનું શાસ્ત્રરૂપ લગામથી બાંધી રાખું છું. જ્ઞાન લગામથી વશ થઈ તે ઉન્માર્ગે ન જતાં સન્માર્ગે જ ને દોરી જાય છે.
૫૭. શીમુનિએ ગૌતમને કહ્યું : તે ધાડ કયો ? તે તમે જાણો છો ? આ પ્રમાણે બોલતા કેશીમુનિને ગૌતમે આ પ્રમાણે કહ્યું :
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ઉત્તરાધ્યયન સૂત્ર ૫૮. મન એ જ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો છે. તે સંસારના વિવિધ વિષયો તરફ આમતેમ દોડી રહ્યો છે. ધર્મશિક્ષારૂપી લગામ વડે જાતિમાન ઘોડાની માફક તેનો બરાબર નિગ્રહ કરું છું.
પ૯. હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. તમે મારો આ સંશય દૂર કર્યો. હવે બીજા સંશયને પણ રજૂ કરું છું. તેનો ઉત્તર મને કહો.
૬૦. આ સંસારમાં ખોટા રસ્તાઓ ઘણા છે કે જે રસ્તાઓમાં જઈ દષ્ટિવિપર્યાસને કારણે જીવો સાચા માર્ગને ઓળખી શકતા નથી. અને તેથી ઉન્માર્ગે જઈ દુઃખી થાય છે. તો હે ગૌતમ ! આપ એ ઉન્માર્ગે ન દોરવાઈ જતાં સન્માર્ગે શી રીતે રહી શકો છો ?
૬ ૧. જે કોઈ સન્માર્ગે ચાલ્યા જાય છે તે અને કુમાર્ગે જાય છે તે સૌને મેં બરાબર જામ્યા છે. અને સન્માર્ગ કુમાર્ગનું મને બરાબર ધ્યાન છે, તેથી મારા માર્ગમાં બરાબર ચાલી શકું છું. નષ્ટભ્રષ્ટ થતો નથી.
૬૨. કેશીમુનિએ ગૌતમને કહ્યું : તે માર્ગ કયો ? એ પ્રમાણે બોલતાં કેશીમુનિને ગૌતમે આ પ્રમાણે કહ્યું :
૬૩. સ્વકલ્પિત મતોમાં જે સ્વછંદથી વર્તે છે તે પાખંડીઓ બધા ખોટા માર્ગમાં ભ્રમણ કરી ગોથાં ખાય છે. સંસારના બંધનથી સર્વથા મુક્ત થયેલા જિનેશ્વરોએ સત્યનો જે માર્ગ બતાવ્યો તે ઉત્તમ છે.
૬૪. હે ગૌતમ ! તમારી બુદ્ધિ બહુ ઉત્તમ છે. મારો સંશય તમે છેદી નાખ્યો. હવે એક બીજો પણ સંશય છે. તેનું સમાધાન કરો.
૬૫. જળના મોટા પ્રવાહમાં તણાતાં પ્રાણીઓને તે દુઃખમાંથી બચાવનાર કયું શરણ, કયું સ્થાન, કઈ ગતિ અને ક્યો આધારરૂપ દ્વીપ તમે માનો છો?
૬૬. તે જળના વેગમાં પણ એક વિસ્તીર્ણ મોટો હીપ છે કે જ્યાં એ પાણીના મહાન વેગનું આવવું જવું થતું નથી.
૬૭. કેશમુનિએ ગૌતમને કહ્યું : તે દીપ કયો ? આ પ્રમાણે બોલતા કેશીમુનિને ગૌતમે કહ્યું :
૬૮, જરા અને મરણરૂપી વેગથી આ સંસારનાં પ્રાણીઓ તણાઈ રહ્યાં છે. તેનું શરણ, તેનું સ્થાન, તેની ગતિ અને તેનો આધારરૂપ દ્વીપ જે કહો તે એક જ ધર્મ છે
૬૯. હે ગૌતમ ! તમારી બુદ્ધિ સુંદર છે. મારો તે સંશય તમે છેદી નાખ્યો. હવે બીજો સંશય પણ રજૂ કરું છું. તેનો પ્રત્યુત્તર મને કહો.
Page #190
--------------------------------------------------------------------------
________________
કેશિગીતમય
૧૫૭ - ૭૦. એક મહા પ્રવાહવાળા સમુદ્રમાં એક નાવ ચારે તરફ ઘૂમી રહી છે. હે ગૌતમ ! અને આપ તે ઉપર ચડેલા છો તો તમે પાર શી રીતે પામશો ?
૭૧. જે છિદ્રવાળી નાવ છે તે પાર ન પહોંચાડતાં વચમાં ડૂબી જાય છે અને ડૂબાડે છે. છિદ્ર વિનાની હોય છે તે જ પાર ઉતારે છે.
૭૨. હે ગૌતમ ! તે નાવ આપ કોને કહો છો ? એ પ્રમાણે બોલતા કેશીમુનિને ગૌતમે જવાબ આપ્યો.
૭૩. શરીર એ જ નાવ છે. આ સંસાર પોતે જ સમુદ્ર છે અને જીવ એ જ નાવિક છે. તે સંસાર સમુદ્રને શરીર દ્વારા મહર્ષિ પુરુષો જ તરી જાય
નોંધ : શરીર એ નાવ છે. તે કોઈ બાજુથી ભેદાય નહિ તેવી કાળજી રાખવી અને સંયમપૂર્વક નાવિકને પાર ઉતારવો એ મહર્ષિ પુરુષોનું કર્તવ્ય છે.
૭૪. હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. આ મારો સંશય છેદાઈ ગયો. હવે મને બીજો સંશય થયો છે તેનો મને ઉત્તર આપો.
૭૫. આ સમગ્ર લોકમાં પ્રવર્તતા ઘોર અંધકારમાં બહુ પ્રાણીઓ રુંધાઈ રહ્યાં છે. તે બધાં પ્રાણીઓને પ્રકાશ કોણ આપશે ?
૭૬. આ લોકમાં પ્રકાશ કરનાર જે ભાન ઊગેલો છે તે સકળ લોકમાં સકળ જીવોને પ્રકાશ આપશે. - ૭૭. વળી હે ગૌતમ ! તે સૂર્ય આપ કોને કહો છો ? આ પ્રમાણે બોલતા કેશમુનિને ગૌતમે કહ્યું :
૭૮. સંસારના સમગ્ર અધંકારને વિખેરી પોતાની અનંત જયતિથી પ્રકાશેલો સર્વજ્ઞરૂપી તે સૂર્ય જ આ આખા લોકના પ્રાણીઓને પ્રકાશ આપશે.
નોંધ : જે પ્રબળ આત્માનો સર્વ અંધકાર દૂર થયો હોય, જે સંસારમાં બંધનથી સર્વથા મુક્ત થયા હોય તે જ પોતાના અનુભવનો માર્ગ જગતને બતાવી સર્વ દુઃખથી મુકાવી શકે.
૭૯. હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. મારો સંશય નષ્ટ થયો. મને એક બીજો પણ સંશય થયો છે તેનો ઉત્તર મને કહો.
૮૦. હે મુનિ ! સંસારના જીવો શારીરિક અને માનસિક દુઃખથી પીડાઈ રહ્યા છે. તેને માટે કલ્યાણકારી, નિર્ભય, ઉપદ્રવ અને પીડા રહિત કર્યું સ્થાન ? તે આપના જાણવામાં છે ?
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૮૧હું તો માનું છું કે જ્યાં જવું બહુ દુર્લભ છે એવું લોકના અગ્રભાગ પર એક એવું સુંદર અને નિશ્ચલ સ્થાન છે કે જ્યાં આગળ જરા, મૃત્યુ, વ્યાધિ કે વેદના તેમાંનું કશું જ નથી.
૮૨. પણ તે સ્થાન કયું છે તે તમે જાણો છો ? એ પ્રમાણે બોલતાં કેશીમુનિને ગૌતમે કહ્યું.
૮૩. જરા-મરણની પીડાથી રહિત અને પરમ કલ્યાણકારી લોકના અગ્રભાગ પર આવેલું તે સ્થાન સિદ્ધિસ્થાન કે નિર્વાણ સ્થાન કહેવાય છે અને ત્યાં મહર્ષિઓ જ જઈ શકે છે.
૮૪. હે મુને ! તે સ્થાન લોકના અગ્રભાગમાં દુ:ખથી પહોંચી શકાય તેવું, નિશ્ચલ અને પરમ સુખદ સ્થાન છે. સંસારરૂપી સમુદ્રનો અંત કરનાર શક્તિશાળી પુરુષો ત્યાં પહોંચી શકે છે. ત્યાં પહોંચ્યા પછી કલેશ, શોક કે દુઃખ એવું કશું હોતું નથી. અને ત્યાં ગયા પછી પુનરાગતિ થતી નથી.
૮૫. હે ગૌતમ ! તમારી બુદ્ધિ સુંદર છે. તમે મારા બધાય સંશયોનું બહુ સુંદર સમાધાન કર્યું. હે સંશયાતીત ! હે સર્વ સિદ્ધાંતના પારગામી ગૌતમ ! તમને નમસ્કાર હો !
૮૬. પ્રબળ પુરુષાર્થી કેશીમુનિશ્વર આ પ્રમાણે (શિષ્યોના) સંશયનું સમાધાન થયા પછી મહા યશસ્વી ગૌતમ મુનિરાજને શિરસાવંદન કરીને -
૮૭. તે સ્થાને (ભગવાન મહાવીરના) પાંચ મહાવ્રતરૂપ ધર્મને ભાવપૂર્વક સ્વીકારે છે. અને તે સુખ માર્ગમાં ગમન કરે છે કે જે માર્ગની પ્રથમ અને અંતિમ તીર્થંકરે પ્રરૂપણા કરી હતી.
૮૮. પછી પણ જયાં સુધી શ્રાવસ્તીમાં રહ્યા ત્યાં સુધી આ પ્રમાણે કેશી અને ગૌતમનો સમાગત નિત્ય થતો રહ્યો અને શાસ્ત્ર દષ્ટિએ કરેલો શિક્ષાવ્રતાદિનો નિર્ણય જ્ઞાન અને ચારિત્ર બંને અંગમાં વૃદ્ધિ કરનાર નીવડ્યો.
નોંધ : કેશી અને ગૌતમ બંને ગણના શિષ્યોને તે શાસ્ત્રાર્થ અને તે સમાગમ બહુ લાભદાયક થયો. કારણ કે શાસ્ત્રાર્થ કરવામાં તે બંનેની ઉદાર દૃષ્ટિ હતી. એકેયને કદાગ્રહ ન હતો. અને તેથી જ શાસ્ત્રાર્થ પણ સત્યસાધક બન્યો. કદાગ્રહ હોત તો શાસ્ત્રને ઓઠ અનર્થ પણ થવાનો સંભવ હતો. પરંતુ સાચા જ્ઞાની પુરુષો કદાગ્રહથી પર હોય છે અને સત્ય વસ્તુને સર્વભોગે સ્વીકાર્યા વિના રહી શકતા નથી.
Page #192
--------------------------------------------------------------------------
________________
કેશિગૌતમીય
૮૯. આખી પરિષદ આથી સંતુષ્ટ બની ગઈ. બધાને સત્યમાર્ગની ઝાંખી થઈ. શ્રોતાઓ પણ સાચા માર્ગને પામ્યા અને તે બંને મહેશ્વરોની મંગળસ્તુતિ કરી ભગવાન કેશી અને ભગવાન ગૌતમ સદા પ્રસન્ન રહો તેમ કહેતા સર્વ દેવો, દાનવો અને મનુષ્યો સ્વસ્થાને ગયા.
નોંધ : સમય ધર્મ એટલે આ કાળે આ સમયે આ સ્થિતિમાં શાસનની ઉન્નતિ શી રીતે થાય ? તેની હૃદયસ્પર્શી વિચારણાપૂર્વક ઉન્નતિ કરવી એ અબાધિત સત્ય છે. તે પલટી શકે જ નહિ, પણ શાથી કરવી તે સાધનિકા સમયધર્મના હાથમાં છે. તેનાં પરિવર્તન સંભવિત છે.
૧૫૯
સમયધર્મની હાકલ સૌ કોઈને માટે છે. સમાજ સમયધર્મથી સંકળાયેલો છે. શ્રવણવર્ગ અને શ્રાવકસમૂહ એ બધાં સમાજનાં અંગો છે, કોઈ પણ અંગ તે તરફ ઉપેક્ષા ન રાખતાં શાસ્ત્રમાં કહેલાં અબાધિત સત્યને ઓળખી સંગીન પુરુષાર્થ કરે અને સુવ્યવસ્થિત રહી જૈનશાસનની ઉન્નતિ કરે તે જ અભીષ્ટ છે.
એમ કહું છું :
એ પ્રમાણે કેશિગૌતમીય નામનું ત્રેવીસમું અધ્યયન સમાપ્ત થયું.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : ચોવીસમું
સમિતિઓ
સંયમ, ત્યાગ અને તપ. આ ત્રણેય મુક્તિનાં ક્રિયાત્મક સાધનો છે. ભવબંધનોથી મુક્ત કરવા માટે તે જ સમર્થ છે. મુક્તિએ પહોંચવાના આપણે સૌ કોઈ ઉમેદવાર છીએ. સૌ કોઈને મોક્ષમાર્ગમાં જવાનો સમાન હક છે. માત્ર ત્યાં જવાની તૈયારી હોવી જોઈએ.
આ અધ્યયનમાં મુનિવરોની સંયમજીવનને પોષનારી માતાઓનું વર્ણન છે. છતાં તેનું અવલંબન તો સૌ કોઈ મુમુક્ષુઓને એક સરખું જ ઉપકારી છે. પોતાનું સ્થાન, યોગ્યતા અને સમય જોઈ વિવેકપૂર્વક તેનો ઉપયોગ કરી શકાય છે.
ભગવાન બોલ્યા : ૧. જિનેશ્વર દેવોએ જે પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ વર્ણવેલી છે તે આઠે પ્રવચન માતાઓ કહેવાય છે.
નોંધ : જેમ માતા પુત્ર પર વાત્સલ્ય ધરાવે છે, તેની કલ્યાણકારિણી છે તેમ આ આઠ વસ્તુ સાધુજીવનની કલ્યાણકારી હોવાથી જિનેશ્વરોએ તેમને શ્રમણની માતાઓ તરીકે કહેલી છે.
૨. ઈર્યા, ભાષા, એષણા, આદાનભંડનિક્ષેપણ અને ઉચ્ચારાદિ પ્રતિષ્ઠાપન આ પ્રમાણે પાંચ સમિતિઓ, તેમજ મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિઓ કહેવાય.
નોંધ : ૧. ઈર્યા : માર્ગમાં બરાબર ઉપયોગપૂર્વક જોઈને ચાલવું. ૨. ભાષા : વિચારથી ગળીને સત્ય, નિર્દોષ અને ઉપયોગી વચન બોલવું. ૩. એષણા : નિર્દોષ તથા પરિમિત ભિક્ષા તથા અલ્પ વસ્ત્રાદિ ઉપકરણ લેવાં. ૪. આદાનભંડનિક્ષેપણ : વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણ (સંયમી જીવનને ઉપયોગી સાધનો) વ્યવસ્થિત લેવાં મૂકવાં. ૫. મળ, મૂત્ર શ્લેષ્મ કે એવી કોઈપણ ત્યાજ્ય વસ્તુ કોઈને દુઃખરૂપ ન થાય તેવું સ્થાન જોઈ ઉપયોગપૂર્વક નાખવી.
૧. મનોગુપ્તિ : દુષ્ટ ચિંતનમાં પ્રવર્તતા મનને રોકી લેવાના પ્રયોગ. ૨. વચનગુપ્તિ : વચનનો અશુભ વ્યાપાર ન કરવો. ૩. કાયગુપ્તિ : ખોટે રસ્તે જતાં શરીરને રોકી લેવાની ક્રિયા.
Page #194
--------------------------------------------------------------------------
________________
સમિતિઓ
૧૬૧ ૩. જે આ આઠ પ્રવચન માતાઓ સંક્ષેપથી ફરમાવી તેમાં જિનેશ્વરદેવ કથિત બાર અંગોનો સમાવેશ થઈ જાય છે. (બધાંય પ્રવચનો આ માતાઓમાં અંતભૂત જ થઈ જાય છે.)
નોંધ : બારે અંગો (અંગભૂત શાસ્ત્રો)નાં પ્રવચનો ઉચ્ચ વર્તનનાં સૂચક છે. અને આ આઠ વસ્તુઓ બરાબર ક્રિયામાં આવે તો તે ઉચ્ચ વર્તન સાધ્ય થયું ગણાય. સાધ્ય હાથ લાગે એટલે સાધન તેમાં સમાઈ ગયું કે સરળ થયું ગણાય. જે જ્ઞાન ક્રિયામાં પરિણમે તે જ્ઞાન સફળ.
ઇર્ષા સમિતિ વગેરેની સ્પષ્ટતા ૪. ૧. આલંબન, ૨. કાળ, ૩. માર્ગ અને ૪. ઉપયોગ. એ ચારે કરણોથી પરિશુદ્ધ થયેલી ઇર્ષા સમિતિમાં સંયમીએ ગમન કરવું.
૫. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ સાધનો ઈર્ષા સમિતિનાં અવલંબન છે. દિવસ એ ઇર્યાનો કાળ છે (રાત્રિ એ ઈર્યા શુદ્ધ ન હોવાથી સંયમીને પોતાના સ્થાનથી બહાર નીકળવાની મનાઈ છે.) આડા અવળે માર્ગે ન જતાં સીધા માર્ગે જવું એ ઇર્ષા સમિતિનો માર્ગ છે. (ઉન્માર્ગે જવામાં સંયમની વિરાધના થવાનો સંભવ છે.)
૬. ઈર્ષા સમિતિનું ચોથું કારણ (ચોથો ભેદ) ઉપયોગ છે. તે ઉપયોગના પણ ચાર ભેદ છે. તે હું આગળ વિસ્તારથી કહીશ. તમે મને સાંભળો.
૭. દૃષ્ટિથી ઉદ્યોગપૂર્વક જોવું તે દ્રવ્ય ઉપયોગ, માર્ગે ચાલતાં ચાર હાથ પ્રમાણ સુધી જ દૂર જોવું એ ક્ષેત્ર ઉપયોગ, દિવસ હોય ત્યાં સુધી જ ચાલવું તે કાળ ઉપયોગ અને ચાલવામાં બરોબર ઉપયોગ (જ્ઞાન વ્યાપાર) રાખવો તે ભાવ ઉપયોગ કહેવાય છે.
નોંધ : ચાલવામાં કોઈ સૂક્ષ્મ જીવ પણ પગથી ન કચરાઈ જાય કે બીજું કિંઈ નુકસાન ન થાય તે માટે બહુ સંભાળપૂર્વક ચાલવાનું હોય છે. આ ઈર્યા સમિતિ અહિંસાધર્મની ખૂબ ઝીણવટ સિદ્ધ કરે છે.
૮. ચાલતી વખતે પાંચ ઇંદ્રિયોના વિષયને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયોને છોડી માત્ર ચાલવાની ક્રિયાને જ મુખ્ય ગણી ચાલવામાં જ ઉપયોગ રાખી ગમન કરવું.
નોંધ : શબ્દ, રૂપ, ગંધ કે કોઈપણ ઈદ્રિયોના અર્થમાં મન ગયું એટલે ચાલવામાં તેટલો ઉપયોગ ચૂકી જવાય માટે તેમ ન કરવું. તેમ ચાલતાં ચાલતાં સ્વાધ્યાય (ચિંતન) પણ ન કરવો. યદ્યપિ તે ઉત્તમ ક્રિયા છે તથાપિ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬ ૨
ઉત્તરાધ્યયન સૂત્ર તેમ કરવામાં મનનો વ્યાપાર ક્રિયામાં રોકાય તો ચાલવાનો ઉપયોગ ચૂકાય. આ સૂચવી તે પ્રતિપાદન કર્યું છે કે તમો જે વખતે જે કાર્ય કરતા હો તે વખતે તેમાં જ લીન રહો. જૈનદર્શન કહે છે કે ઉપયોગ એ જ ધર્મ અને પ્રમાદ એ જ પાપ (ઉપયોગ એટલે સાવધાનતા.)
૯. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, નિદ્રા તથા અનુપયોગી કથા
૧૦. એ આઠે દોષોને બુદ્ધિમાન સાધકે છોડી દેવા અને તે સિવાયની નિર્દોષ, પરિમિતિ અને ઉપયોગી જ ભાષા બોલવી. (ત ભાષાસમિતિ કહેવાય છે.)
૧૧. આહાર, અધિકરણ (વસ્ત્ર, પાત્ર વગેરે સાથે રાખવાની વસ્તુઓ) અને શય્યા (સ્થાનક કે પાટ, પાટલા) એ ત્રણે વસ્તુઓને શોધવામાં, સ્વીકારવામાં અને ભોગવવા (વાપરવામાં સંયમધર્મને સંભાળી ઉપયોગ રાખવો તે એષણા સમિતિ છે.
૧૨. ઉપરની પ્રથમ ગવેષણ એટલે ઉગમ અને ઉત્પાદન (ભિક્ષા મેળવવા)માં તથા બીજી ગ્રહણૂષણામાં તેમજ ત્રીજી ભોગવવાની એષણામાં લાગતા દોષોથી સંયમીએ ઉપયોગપૂર્વક વિરમી જવું.
નોંધ : ઉદ્દગમનતા સોળ દોષો દાતાર ગૃહસ્થને લગતા છે. તેણે તેવા દોષોથી રહિત દાન કરવું. ઉત્પાદનના સોળ દોષો માત્ર સાધુના છે. ભિક્ષુએ તેવા દોષથી રહિત ભિક્ષા મેળવવી અને દસ દોષો ગ્રહણષણાના છે, તે ગૃહસ્થ અને ભિક્ષુ બંનેને લાગે છે. માટે તે દોષોથી રહિત થઈ ભિક્ષા લેવી. ઉપરાંત ચાર દોષો ભિક્ષા ભોગવવાના છે. તે દોષોને છોડી ભિક્ષુએ ભોજન કરવું.
૧૩. ઔધિક અને ઔપગ્રહિક બંને પ્રકારનાં ઉપકરણો કે પાત્ર વગેરે સંયમી જીવનનાં ઉપયોગી સાધનો લેતાં કે મૂકતાં ભિક્ષુએ આ વિધિનો ઉપયોગ કરવો.
નોંધ : ઐધિક એટલે જે વસ્તુ ભોગવ્યા પછી કે લીધા પછી પાછી આપવાની હોય તેવી વસ્તુ જેવી કે ઉપાશ્રયનું સ્થાન, પાટ, પાટલા ઈત્યાદિ તથા ઓપગ્રહિક એટલે શાસ્ત્રોક્ત લીધા પછી પાછી આપવાની ન હોય તેવી વસ્તુ જેમ કે વસ્ત્ર પાત્ર ઇત્યાદિ સંયમીના ઉપકરણો.
૧૪. આંખેથી બરાબર તે વસ્તુઓને જુએ, પછી પૃજે ત્યારબાદ જ તેને લે, મૂકે અને વાપરે.
Page #196
--------------------------------------------------------------------------
________________
સમિતિઓ
૧૬૩
નોંધ : નાનો ગોચ્છો કે જે સંયમીનું પૂંજવાનું ઉપકરણ ગણાય છે. જેનાથી સૂક્ષ્મ જીવો પણ ન હણાય તેવી રીતે પાત્રો વગેરે સાફ કરવાની ક્રિયાને પરિમાર્જન (પૂંજવું) કહેવાય છે.
૧૫. મળ, મૂત્ર, બળખો, નાસિકાનો મેલ કે શરીરના અવયવોનો મેલ તથા અપથ્ય આહાર, ન પહેરી શકાય તેવું જીર્ણ થયેલું વસ્ત્ર અને કોઈ ભિક્ષુનું મૃત શરીર કે તે સિવાયની બીજી ક્ષેપણીય (ફેંકી દેવા યોગ્ય નકામી) વસ્તુઓ હોય તેને (જ્યાં ત્યાં ન ફેંકતાં) ઉચિત જગ્યાએ જ નાંખવી.
નોંધ : પરિહાર્ય ચીજ અસ્થાને ફેંકવાથી ગંદકી, રોગ અને ઉપદ્રવ થાય, જીવજંતુઓની હિંસા થાય અને એવા ઘણા મહાદોષો બને તેથી જ જૈનદર્શન વૈજ્ઞાનિક, વૈશ્વિક અને ધાર્મિક દૃષ્ટિનો અપૂર્વ સમન્વય કરી બતાવે છે.
૧૬. તે સ્થાન દસ પ્રકારનાં વિશેષણોથી યુક્ત હોવું જોઈએ. તેમાં પ્રથમ વિશેષણના ચાર ભેદ કહે છે : ૧. તે વખતે કોઈ પણ મનુષ્ય આવતું જતું ન હોય અને કોઈ દેખતું પણ ન હોય તેવું સ્થાન. ૨. કોઈ મનુષ્ય પાસે આવતું નથી પણ દૂરથી જુએ છે. ૩. કોઈ મનુષ્ય આવે છે પણ તે દેખતું નથી, ૪. કોઈ મનુષ્ય આવે પણ છે અને દેખે પણ છે. ૧૭. ૧. ઉપરના ચાર ભેદ પૈકી પહેલા ભેદવાળું ન જોઈ (અર્થાત્ કોઈ આવતું નથી ને દેખતું પણ નથી) ત્યાં જ તે ક્રિયા કરવી. ૨. વળી સ્થાન પોતાને કે પરને દુઃખ ઉપજાવે નહિ તેવું હોય. ૩. તે ભૂમિ પણ સમ હોય.
૧૮. ૪. તે સ્થાન ઘાસ, પાંદડાં કે વનસ્પતિ રહિત હોય. ૫. તે ભૂમિ અચિત્ત (કીડી, કુંથવા વગેરે જીવો રહિત) હોય. ૬. તે સ્થાન સાવ સાંકડું નહિ પણ પહોળું હોય. ૭. તેની નીચે પણ અચિત્ત ભૂમિ હોય. ૮. પોતે જે સ્થાને હોય ત્યાંથી સાવ નજીક નહિ પણ દૂર હોય. ૯. જ્યાં ઉંદર વગેરેનાં દર ન હોય. ૧૦. ત્રસ પ્રાણીઓ કે બીજ ન વેરાયાં હોય તેવા શુદ્ધ સ્થાનમાં જ મળમૂત્રાદિ ક્રિયાઓ કરવી જોઈએ.
૧૯. એ પાંચે સિમિતિઓ બહુ સંક્ષેપમાં કહી હવે ત્રણ ગુપ્તિઓને અનુક્રમે કહીશ : (આ પ્રમાણે જંબૂ પ્રત્યે સુધર્મસ્વામી બોલ્યા.)
નોંધ : સમિતિઓનો અધિક વિસ્તાર આચારાંગાદિ સૂત્રોમાં જોઈ લેવા. ૨૦. મનોગુપ્તિના ચાર ભેદ છે ઃ ૧. સત્ય મનોગુપ્તિ, ૨. અસત્ય મનોગુપ્તિ, ૩. સત્યાકૃષા (મિશ્ર) મનોગુપ્તિ અને ૪. અસત્યા અને અમૃષા (વ્યવહાર) મનોગુપ્તિ.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : સત્ય તત્ત્વ તરફ જ મનનો વેગ રહે તે સત્યમનોગુપ્તિ, અસત્ય વસ્તુ તરફ ઢળે તે અસત્યમનોગુપ્તિ, ઘડીમાં સત્ય ઘડીમાં અસત્ય એ બંનેની રુચિ જાગે અથવા સત્યમાં થોડું અસત્ય હોય તે બધાંને સત્ય પ્રકારે માની ચિંતવવું તે મિશ્ર મનોગુપ્તિ કહેવાય. અને સાંસારિક શુભાશુભ વ્યવહારમાં મનનો વેગ ઢળે તે વ્યવહાર મનોગુપ્તિ કહેવાય.
૨૧. સરંભ, સમારંભ અને આરંભ એ ત્રણે ક્રિયામાં જતા મનને રોકી શુદ્ધ ક્રિયામાં પ્રવર્તાવવું તે મનોગુપ્તિ છે. માટે સંયમીએ તેવી દૂષિત ક્રિયાઓમાં જતાં મનને રોકી રાખી મનોગુપ્તિની સાધના કરવી.
નોંધ : સરંભ, સમારંભ અને આરંભ એ ત્રણે હિંસક ક્રિયા છે. પ્રમાદી જીવાત્માને હિંસાદિ કાર્યના પ્રયત્નનો આવેશ ઉત્પન્ન થાય છે તેને સંરંભ કહેવાય છે.પછી એ કાર્યો માટે સાધનોને એકઠાં કરાય છે તેને સમારંભ કહેવાય છે અને છેવટે તે કાર્ય પ્રયોગમાં મુકાય છે તેને આરંભ કહેવાય છે. કાર્યના સંકલ્પથી માંડીને તે પૂર્ણ થયા સુધીમાં આ ત્રણ અવસ્થાઓ અનુક્રમે થાય છે.
૨૨. વચનગુપ્તિ પણ તે જ ચાર પ્રકારની છે : ૧. સત્યવચનગુપ્તિ, ૨. અસત્ય વચનગુપ્તિ, ૩. સત્યામૃષા (મિશ્ર) વચનગુપ્તિ અને ૪. અસત્ય અને અમૃષા (વ્યવહાર) વચનગુપ્તિ. - ર૩. સરંભ સમારંભ કે આરંભની ક્રિયા માટે બોલાતાં વચનને ઉપયોગપૂર્વક સંયમીએ નિવૃત્ત કરી લેવું જોઈએ.
૨૪. હવે કાયગુપ્તિના ભેદો બતાવે છે કે ૧. ઊભા રહેવામાં, ૨. બેસવામાં, ૩. સૂવામાં, ૪. ખાડ વગેરે ઉલ્લંઘવામાં અને ૫. પાંચે ઇંદ્રિયોના વ્યાપારમાં :
૨૫. સંરંભ, સમારંભ કે આરંભની ક્રિયા થઈ જતી હોય તો ત્યાં સંયમીએ કાયાને રોકી લેવી, તેને કાયગુપ્તિ કહેવાય છે.
નોંધ : મન, વચન અને કાયાનું કેવળ આત્મલક્ષી પ્રવર્તન થાય અને બાહ્ય વ્યવહારમાં પણ તે જ સ્મરણ રહે. તેમજ પાપ કાર્યોમાંથી મન, વચન અને કાયા નિવર્સી જાય; આવી સ્થિતિ થઈ જાય તેને મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ કહેવાય છે.
૨૬. ઉપર કહેલી પાંચ સમિતિઓ ચારિત્ર (સંયમી જીવન)ને અંગે થતી પ્રવૃત્તિમાં ઉપયોગી છે અને ત્રણ ગુપ્તિ અશુભ વ્યાપારોથી સર્વથા નિવૃત્ત થવા માટે ઉપયોગી છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
સમિતિઓ
૧૬૫ ૨૭. આ પ્રમાણે આ આઠે પ્રવચનમાતાને સાચા હૃદયથી સમજીને તેની જે કોઈ ઉપાસના કરશે તે બુદ્ધિમાન સાધકમુનિ શીધ્ર આ સંસારના બંધનથી મુક્ત થશે.
નોંધ : આવતા પાપોના પ્રવાહથી દૂર રહેવું અને એકઠાં થયેલાં પાપોને પ્રજાળવાનો પ્રયત્ન કરવો એ બંને ક્રિયા-તેનું જ નામ સંયમ. આવા સંયમને માટે જ ત્યાગી જીવન સરજાયેલું છે અને તે જ દૃષ્ટિએ ત્યાગની ઉત્તમતા વર્ણવાયેલી છે.
આવી યોગ્યતા પ્રાપ્ત કરવા માટે બુદ્ધિની સ્થિરતા સૌથી પહેલાં અપેક્ષિત છે. બુદ્ધિને સ્થિર કરવાને અભ્યાસ અને વૈરાગ્ય એ સર્વોત્તમ સાધન છે. જો કે તે બંને શક્તિઓ અંતઃકરણમાં છે. પરંતુ તેને જાગ્રત કરવા માટે શાસ્ત્રો અને મહાપુરુષોના સંગની પણ આવશ્યકતા છે.
જો પાપોના પ્રહારથી દૂર રહેવાય અને સંચિત પાપોને બાળવાની તાલાવેલી જાગે તો પછી બીજું શું જોઈએ ? એટલું જ બસ છે. પછી તો આગળનો માર્ગ સહેજે સમજાઈ રહે છે.
એમ કહું છું : એ પ્રમાણે સમિતિઓ સંબંધીનું ચોવીસમું અધ્યયન સમાપ્ત થયું.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧ ૬૬
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : પચીસમું
ચીય યજ્ઞ સંબંધી
વેદોમાં ઠેરઠેર યજ્ઞોનાં નિરૂપણ છે. તેમ જૈન શાસ્ત્રોમાં પણ છે. પરંતુ સંસારમાં સાચા યજ્ઞને સમજનારા કોઈ વિરલા જ હોય છે.
બહારનો યજ્ઞ એ દ્રવ્ય યજ્ઞ છે. અંતરનો યજ્ઞ એ સાચો (ભાવ) યજ્ઞ છે. બહારનો યજ્ઞ કદાચ હિંસક પણ હોય. પરંતુ આંતરિક યજ્ઞમાં હિંસાનાં વિષ નથી કેવળ અહિંસાના અમૃત છે.
બિહારના યજ્ઞથી થતી વિશુદ્ધિ ક્ષણિક અને ખંડિત છે. પણ આંતરિક યજ્ઞની પવિત્રતા અખંડ અને નિત્ય છે. પરંતુ સાચો યજ્ઞ કરવામાં યોજકને યોગ્યતા પ્રાપ્ત કરવી પડે છે.
વિજયઘોષ અને જયઘોષ બંને બ્રાહ્મણકુળમાં જન્મ્યા હતા. (કેટલાક ઇતિહાસકારો બંનેને સગાભાઈ માને છે.) બંને પર બ્રાહ્મણ સંસ્કૃતિની અસર હતી. પરંતુ સંસ્કૃતિ બે પ્રકારની હોય છે. એક કુળગત અને બીજી આત્મગત. કુળગત સંસ્કૃતિની છાપ ઘણીવાર ભૂલાવો ખવડાવે છે. વાસ્તવિક રહસ્ય સમજવા દેતી નથી. જીવાત્માને સત્યથી વેગળો ધકેલવામાં સહાયક નીવડે છે. પરંતુ જે જીવાત્માની આત્માગત સંસ્કૃતિનું બળ અધિક હોય છે તે જ આગળ વધે છે, તે જ સત્ય પામે છે. ત્યાં સંપ્રદાય, મત, વાદો અને દર્શનના ઝઘડા રહી શકતા નથી.
જયઘોષ વેદોના પારગામી હતા. વેદમાન્ય યજ્ઞોનો તેમને નાદ લાગ્યો હતો. પરંતુ તે યજ્ઞોથી મેળવેલી પવિત્રતા તેમને ક્ષણિક લાગી. જે ફળ વેદ વર્ણવે છે તે સ્વર્ગ કે મુક્તિની તેમને આવા યજ્ઞમાં અસ્વાભાવિકતા દેખાવા માંડી. આત્મગત સંસ્કૃતિના બળે કુળગત સંસ્કૃતિના પડળ ઉખેડી નાખ્યા. તરત જ તે વીર બ્રાહ્મણે સાચું બ્રાહ્મણત્વ અંગીકાર કર્યું અને સાચા યજ્ઞમાં રાખી સાચી પવિત્રતા પ્રાપ્ત કરી. | વિજયઘોષ યજ્ઞવાડામાં કુળપરંપરાગત યજ્ઞ કરી રહ્યા હતા. એકદા જયઘોષ યાજક ત્યાં આગળ આવી લાગ્યા. પૂર્વના પ્રબળ ઋણાનુબંધો જ જાણે તેને ખેંચી ન ગયાં હોય !
Page #200
--------------------------------------------------------------------------
________________
યજ્ઞીય
૧૬૭ જયઘોષનો ત્યાગ, જયઘોષની તપશ્ચર્યા, જયઘોષની સાધુતા, જયઘોષનો પ્રભાવ અને જયઘોષની પવિત્રતા ઇત્યાદિ સગુણોએ અનેક બ્રાહ્મણોને આકર્ષા અને યજ્ઞનો શુદ્ધ માર્ગ સમજાવ્યો.
ભગવાન બોલ્યા : ૧. પૂર્વે વણારસી નગરીમાં બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલા છતાં પાંચ મહાવ્રતરૂપ ભાવયજ્ઞના કરનાર એક મહા યશસ્વી જયઘોષ નામના મુનિ થઈ ગયા હતા.
૨. પાંચ ઇન્દ્રિયોના સર્વ વિષયોમાં નિગ્રહ કરનારા અને મોક્ષમાર્ગમાં જ ચાલનાર (મુમુક્ષુ) તે મહામુનિ ગામેગામ વિચરતા વિચરતા ફરી એકદા તે જ વણારસી (પોતાની જન્મભૂમિ) નગરીમાં આવી પહોચ્યા.
૩. અને તે વણારસીની બહાર મનોરમ નામના ઉદ્યાનમાં નિર્દોષ સ્થાન, શય્યાદિ યાચી નિવાસ કર્યો.
૪. તે કાળમાં તે જ વણારસી નગરીમાં ચાર વેદનો જાણકાર વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો.
૫. ઉપર્યુક્ત જયઘોષમુનિ માસખમણની મહા તપશ્ચર્યાને પારણે તે વિજયઘોષ બ્રાહ્મણના યજ્ઞવાડામાં (તે જ સ્થળે) ભિક્ષાર્થે આવીને ઊભા રહ્યા.
૬. મુનિશ્રીને ત્યાં આવતા જોઈ તે યાજક દૂરથી જ અટકાવે છે. અને કહે છે કે હે ભિક્ષુ ! તને હું ભિક્ષા નહિ આપી શકું. કોઈ બીજે સ્થળેથી યાચના કરી લે,
૭. હે મુનિ ! જે બ્રાહ્મણો ધર્મશાસ્ત્રના તથા ચાર વેદના પારગામી, યજ્ઞાર્થી તથા જયોતિશાસ્ત્ર સુદ્ધાં છ અંગને જાણનારા અને જે જિતેંન્દ્રિય હોય તેને
૮. તથા પોતાના આત્માને તથા પરના આત્માનો (આ સંસાર સમુદ્રમાંથી) ઉદ્ધાર કરવા સમર્થ હોય તેને જ પડરસ સંયુક્ત મનોવાંછિત આ ભોજન આપવાનું છે.
૯. ઉત્તમ અર્થની ગવેષણા કરનાર તે મહામુનિ આ પ્રમાણે ત્યાં નિષેધ કરાયા છતાં ન રાજી થયા કે ન નારાજ થયા.
૧૦. અન્ન, પાણી, વસ્ત્ર કે તેવા કોઈપણ સ્વાર્થ માટે નહિ પણ માત્ર વિજયઘોષની અજ્ઞાન મુક્તિને માટે તે મુનિએ આ વચન કહ્યાં.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૧. હે વિપ્ર ! વેદના મુખને, યજ્ઞોના મુખને એ નક્ષત્રો તથા ધર્મોના મુખને તું જાણતો જ નથી.
નોંધ : અહીં મુખનો અર્થ રહસ્ય સમજવો.
૧૨. જે પોતાના અને પરના આત્માનો (આ સંસારથી) ઉદ્ધાર કરવાને સમર્થ છે તેને પણ તું જાણી શક્યો નથી. જો જાણતા હો તો કહે.
મહાતપસ્વી અને ઓજસ્વી મુનિના પ્રભાવશાળી પ્રશ્નોથી બ્રાહ્મણોની આખી સભા નિરુત્તર થઈ ગઈ. ૧૩. મુનિના પ્રશ્નનો ઊહાપોહ કે ઉત્તર આપવાને માટે અસમર્થ થયેલો બ્રાહ્મણ તથા ત્યાં રહેલી આખી સભા બે હાથ જોડીને તે મહામુનિને પૂછવા લાગ્યાં.
૧૪. આપ જ વેદોનું, યજ્ઞોનું નક્ષત્રોનું અને ધર્મોનું મુખ કહો.
૧૫. પોતાનો તથા પરના આત્માનો ઉદ્ધાર કરવા જે સમર્થ છે તે કોણ ? આ બધા અમને સંશયો છે. માટે અમારાથી) પૂછાયેલા આપ જ તેનો સુંદર રીતે જવાબ આપો.
૧૬. મુનિએ કહ્યું : વેદોનું મુખ અગ્નિહોત્ર છે (અર્થાત અગ્નિહોત્ર યજ્ઞ જે વેદમાં મુખ્ય છે તે જ વેદ-મુખ છે.) યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી (સંયમરૂપી યજ્ઞના કરનાર સાધુ), નક્ષત્રોનું મુખ ચંદ્રમા છે અને ધર્મના પ્રરૂપકોમાં ભગવાન ઋષભદેવ વીતરાગ હોવાથી તેમણે બતાવેલો સત્ય ધર્મ એ જ સર્વ ધર્મમાં શ્રેષ્ઠ છે.
નોંધ : અગ્નિહોત્ર યજ્ઞમાં જીવરૂપ કુંડ, પરૂપ વેદિકા, કર્મરૂપ ઈધન, ધ્યાન રૂ૫ અગ્નિ, શુભ યોગરૂપી ચાટવા, શરીર રૂપી ગોર (યાજક) અને શુદ્ધ ભાવનારૂપ આહૂતિ જાણવી. જે શાસ્ત્રોમાં આવા યજ્ઞોનું વિધાન હોય છે તે વેદ કહેવાય છે અને આવા યજ્ઞો કરે છે તે જ યાજકોમાં શ્રેષ્ઠ ગણાય છે.
૧૭. જેમ ચંદ્ર આગળ ગ્રહ, નક્ષત્ર, તારાઓ વગેરે હાથ જોડી ઊભા રહે છે અને મનોહર રીતે સ્તુતિપૂર્વક વંદન કરે છે તેમ તે ઉત્તમ કાયને (ભગવાન ઋષભને) ઈંદ્રાદિ નમસ્કાર કરે છે.
૧૮. સાચું જ્ઞાન અને બ્રાહ્મણની સાચી પ્રતિજ્ઞાને નહિ જાણનાર મૂઢ પુરુષો કેવળ યજ્ઞ યજ્ઞ કર્યા કરે છે પણ યજ્ઞનું રહસ્ય જાણી શકતા નથી. અને જે કેવળ વેદનું અધ્યયન અને શુષ્ક તપશ્ચર્યા કરતા હોય છે તે બધા બ્રાહ્મણ નથી પરંતુ રાખથી ઢંકાયેલા અગ્નિ જેવા છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
યજ્ઞીય
૧૬૯ સાચા બ્રાહ્મણ કોણ ? ૧૯. આ લોકમાં જે શુદ્ધ અગ્નિની માફક પાપથી રહિત થઈ પૂજાયેલા છે તેને જ કુશળ પુરુષો બ્રાહ્મણ માને છે, અને તેથી જ અમે પણ તેને બ્રાહ્મણ કહીએ છીએ.
૨૦. જે સ્વજનાદિમાં આસક્ત થતો નથી અને સંયમી થઈ (કષ્ટથી) શોક કરતો નથી અને મહાપુરુષોના વચનામૃતોમાં આનંદ પામે છે તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૧. જેમ શુદ્ધ થયેલું સોનું મેલ રહિત હોય છે તેમ જે મળ અને પાપથી રહિત અને રાગ, દ્વેષ અને ભયથી પર હોય છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૨. જે સદાચારી, તપસ્વી, દમિતેન્દ્રિય ને તપશ્ચર્યા દ્વારા માંસ અને લોહી શોષવી નાંખ્યા હોય, કુષ શરીરવાળો (દુર્બળ) અને કષાય જવાથી શાંતિને પામેલો હોય છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૩જે હાલતા ચાલતા જીવોને અને સ્થાવર (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) જીવોને પણ મનથી, વચનથી કે કાયાથી હણતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૪. જે ક્રોધથી, હાસ્યથી, લોભથી કે ભયથી ખોટું બોલતો નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૫. જે સચિત (ચેતનવાળા જીવો, પશુ ઇત્યાદિ) કે અચિત્ત (સુવર્ણ ઈત્યાદિ) થોડું કે બહુ અણદીધેલું કે અણહકનું લેતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૬. જે દેવતા, મનુષ્ય કે તિર્યંચ સંબંધી મન, વચન, અને કાયાએ કરી મૈથુન સેવતો નથી
૨૭. જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં પાણીથી લેવાતું નથી, તેમ કામ ભોગોથી જે અલિપ્ત થાય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૮. જે રસલોલુપી ન હોય, માત્ર ધર્મ નિમિત્તે જ ભિક્ષાજીવી હોય અને ગૃહસ્થોમાં આસક્ત ન હોય તેવા અકિંચન ત્યાગીને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૨૯. જે પૂર્વસંયોગ (માતા, પિતા, ભાઈ વગેરેના સંયોગ જ્ઞાતિજનોના સંગ અને સંધવર્ગને છોડીને પછીથી તેના રાગમાં કે ભોગોમાં જે આસક્ત થતો નથી તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭)
ઉત્તરાધ્યયન સૂત્ર ૩૦. હે વિજયઘોષ ! જે વેદો પશુવધને નિરૂપનારા છે તે અને પાપ કર્મો કરી હોમાયેલી આહુતિઓ તે યજ્ઞ કરનાર દુરાચારીને જ શરણભૂત થતાં નથી. કારણ કે કર્મો ફળ આપવામાં બળવાન હોય છે.
૩૧. હે વિજયઘોષ ! મસ્તક મુંડન કરવાથી સાધુ થવાતું નથી. ૐ કારના ઉચ્ચારણથી બ્રાહ્મણ થવાતું નથી, તેમ અરણ્યવાસથી મુનિ કે ભગવાં વસ્ત્ર પહેવાથી તાપસ થવાતું નથી.
૩૨. સમભાવથી સાધુ થવાય છે. બ્રહ્મચર્યપાલનથી બ્રાહ્મણ થવાય છે અને જ્ઞાન હોય તે મુનિ તથા તપસ્વી હોય તે જ તાપસ કહેવાય છે.
૩૩. વાસ્તવિક રીતે વર્ણવ્યવસ્થા જન્મગત નથી, પણ કર્મગત છે. કર્મથી જ બ્રાહ્મણ થવાય છે. કર્મથી જ ક્ષત્રિય થવાય છે, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર થવાય છે.
૩૪. આ વસ્તુઓને ભગવાને ખુલ્લી રીતે કહી બતાવી છે. સ્નાતક (ઉચ્ચ બ્રાહ્મણ) પણ તેવા જ ગુણોથી થઈ શકાય છે. માટે જ બધાં કર્મોથી મુક્ત હોય, અથવા મુક્ત થવાનો પ્રયત્ન કરે તેને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૩૫. ઉપરના ગુણોથી યુક્ત જે ઉત્તમ બ્રાહ્મણો હોય છે તેઓ જ પોતાના અને પરના આત્માનો ઉદ્ધાર કરવાને માટે સમર્થ છે. - ૩૬. આ પ્રકારે સંશયનું સમાધાન થયા પછી તે વિજયઘોષ બ્રાહ્મણ તે પવિત્ર વચનોને હૃદયમાં ઉતારીને પછી જયઘોષ મુનિને સંબોધીને
૩૭. સંતુષ્ટ થયેલો તે વિજયઘોષ હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યો : હે ભગવાન્ ! આપે યથાર્થ બ્રાહ્મણપણું મને સમજાવ્યું.
૩૮. ખરેખર આપ જ યજ્ઞોના યાજક (કરનાર) છો. આપ જ વેદોના જાણકાર છો. આપ જ જ્યોતિષશાસ્ત્રાદિ અંગોના જાણકાર વિદ્વાન છો અને આપ જ ધર્મોના પારગામી છો.
૩૯. આપ આપના અને પના આત્માનો ઉદ્ધાર કરવાને સમર્થ છો. માટે હે ભિક્ષુત્તમ, ! ભિક્ષા ગ્રહણ કરવાની અમારા પર કૃપા કરો.
૪૦. હે દ્વિજ ! મને તારી ભિક્ષાથી કશું પ્રયોજન નથી. જલદી સંયમમાર્ગની આરાધના કર. જન્મ, જરા, મૃત્યુ, રોગ એવા એવા ભયથી ઘેરાયેલા આ સંસાર સાગરમાં પરિભ્રમણ ન કર.
Page #204
--------------------------------------------------------------------------
________________
યજ્ઞીય
૧૭૧ ૪૧. કામભોગોથી કર્મબંધન થઈ જીવાત્મા મલિન થાય છે. ભોગરહિત જીવાત્મા શુદ્ધ થઈ કર્મથી લપાતો નથી. ભોગી સંસારમાં ભમે છે, ભોગમુક્ત સંસારથી મુક્ત થાય છે.
૪૨. સૂકો અને લીલો એવા બે માટીના ગોળાઓ ભીંતમાં અથડાવા છતાં જે લીલો હોય છે તે જ ચોંટે છે, સૂકો ચોંટતો નથી. - ૪૩. એ જ પ્રમાણે કામભોગમાં આસક્ત, દુષ્ટ બુદ્ધિવાળા પાપકર્મ કરી સંસારમાં ચોંટે છે. જે વિરક્ત પુરુષો હોય છે તે સૂકા ગોળાની માફક સંસારમાં ચોંટતા નથી.
૪૪. આ પ્રમાણે જયઘોષ મુનિવર પાસે શ્રેષ્ઠ ધર્મ સાંભળીને સંસારની આસક્તિથી રહિત થઈ પ્રવ્રજિત થયો.
૪૫. એ પ્રમાણે સંયમ તથા તપશ્ચર્યા દ્વારા પોતાના સકળ પૂર્વકર્મોનો ક્ષય કરી જયઘોષ અને વિજયઘોષ એ બંને ત્યાગીઓ સર્વશ્રેષ્ઠ સિદ્ધિને પામ્યા.
નોંધ : જન્મથી સૌએ જીવો સમાન છે. સમાન જીવી, સમાન લક્ષી અને સમાન પ્રયત્નશીલ છે. જન્મથી સૌએ શુદ્ર છે, સંસ્કારથી જ દ્વિજ બને છે. સારાંશ; પતન કે વિકાસ એ જ નીચ અને ઊંચનાં સૂચક છે. જન્મગત ઉચ્ચ નીચના ભેદો માની લેવા એ તો કેવળ ભ્રમ છે.
જાતિથી કોઈ ચાંડાલ, કોઈ બ્રાહ્મણ, કોઈ વૈશ્ય કે કોઈ ક્ષત્રિય નથી. ઘણા જાતિના ચાંડાલ, બ્રાહ્મણો જેવા હોય છે. ઘણા જાતિના બ્રાહ્મણો ચાંડાલ જેવા હોય છે. ઘણા જાતિના ક્ષત્રિય વૈશ્યો સમાન હોય છે. ઘણા જાતિના વૈશ્ય ક્ષત્રિય સમાન હોય છે. માટે કર્મથી જ બ્રાહ્મણ, કર્મથી જ ક્ષત્રિય, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર કહેવાય છે.
ગુણોથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે ચાંડાલ થવાય છે.
બ્રહ્મચર્ય, અહિંસા, ત્યાગ અને તપશ્ચર્યાદિ ગુણોના વિકાસમાં બ્રાહ્મણત્વનો વિકાસ છે. સાચું બ્રાહ્મણત્વ સાધી બ્રહ્મ (આત્મસ્વર-)ને કે આત્મજ્યોતિને પામવી એ જ સૌનું લક્ષ્ય છે. જાતિપાતિના કલેશો છોડી બ્રાહ્મણત્વની આરાધના કરવી એ સૌને માટે આવશ્યક છે.
એમ કહું છું. એ પ્રમાણે યજ્ઞ સંબંધીનું પચીસમું અધ્યયન સમાપ્ત થયું.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : છવ્વીસમું
સમાચારી
સમાચારી એટલે સમ્યફ દિનચર્યા. દેહ, ઈન્દ્રિય અને મન; આ બધાં સાધનો જે ઉદ્દેશથી મળ્યાં છે, તે ઉદ્દેશને લક્ષ્યમાં રાખી તે સાધનોનો સદુપયોગ કરી લેવો એ જ ચર્યા.
અહોરાત્ર મનને ઉચિત પ્રસંગમાં જોડી દેવું અને સતત એકને એક કાર્યમાં પરાયણ રહેવું તે સાધકની દિનચર્યા ગણાય.
આમ કરવાથી પૂર્વ જીવનગત દુષ્ટ પ્રકૃતિઓને વેગ મળતો નથી. અને નવીન પવિત્રતા પ્રાપ્ત થતી જવાથી પૂર્વની દુષ્ટ વાસનાઓ નિર્બળ થઈ આખરે ખરી પડે છે અને તેમ તેમ મોક્ષાર્થી સાધક પોતાના આત્મરસના ઘૂંટડા વધુ ને વધુ પડતો પીતો અમર બની જાય છે.
અહીં ત્યાગજીવનની સમાચારી વર્ણવેલી છે. ત્યાગી જીવન સામાન્ય ગૃહસ્થ સાધક જીવન કરતાં વધારે ઉચ્ચ, સુંદર અને પવિત્ર હોય છે. તેથી તેની દિનચર્યા પણ તેટલી જ શુદ્ધ અને કડક હોય તે સ્વાભાવિક છે.
પોતાના આવશ્યક કાર્ય સિવાય પોતાનું સ્થાન ન છોડવાની વૃત્તિ (સ્થાનસ્થિરતા), પ્રશ્નચર્યા અને ચિંતનમાં લીનતા, દોષોનું નિવારણ, સેવા, નમ્રતા અને જ્ઞાનપ્રાપ્તિ. આ બધા અંગોનો સમાવેશ સમાચારીમાં થાય છે.
સમાચારી તો સંયમી જીવનની વ્યાપક ક્રિયા છે. પ્રાણ અને જીવનનો જેટલો સહભાવ છે તેટલો જ સહભાવ સમાચારી અને સંયમી જીવનનો છે.
ભગવાન બોલ્યા : ૧. હે શિષ્ય ! સંસારના સર્વ દુઃખથી છોડાવનારી સમાચારી (દસ પ્રકારની સાધુ સમાચારી)ને કહીશ. કે જે સમાચારીને આચરીને નિગ્રંથ સાધુઓ આ સંસાર સમુદ્રને તરી ગયા છે.
૨. પહેલી આવશ્યકી, બીજી નૈષધિતી, ત્રીજી આપૃચ્છના અને ચોથી પ્રતિપૃરચ્છના છે.
૩. અને પાંચમી છંદના, છઠ્ઠી ઇચ્છાકાર, સાતમી મિથ્થાકાર અને આઠમી તથ્યતિકાર છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
સમાચારી
૧૭૩
૪. વળી નવમી અભ્યત્થાન અને દશમી ઉપસંપદા, આ પ્રમાણે દશ પ્રકારની સાધુ સમાચારી મહાપુરુષોએ કહી છે.
૫. તે દશ પ્રકારની સમાચારીને વિસ્તારપૂર્વક કહે છે:) ૧ગમન (ઉપાશ્રય, ગુરુકુળ સ્થાનની બહાર જવાને) વખતે આવશ્યકી સમાચારી આચરવી, અર્થાત્ આવશ્યક કાર્ય માટે બહાર જવું. ૨. નૈધિકીક્રિયા ઉપાશ્રયમાં આવ્યા પછી કરવી, અર્થાતુ હવે હું બહારનાં કાર્યથી નિવર્તી ઉપાશ્રયમાં દાખલ થયો છું. હવે બહાર જવાનો આવશ્યક કાર્ય સિવાય નિષેધ છે એમ માની વર્તવું. ૩. આપૃચ્છના ક્રિયા એટલે કોઈપણ પોતાનાં કાર્ય કરવામાં ગુરુને કે વડીલ સાધક મુનિવરને પૂછીને જ કરવું. ૪. પ્રતિપુચ્છના એટલે બીજાના કાર્ય માટે ફરીથી ગુરુને પૂછવું.
નોંધ : પહેલી અને બીજી ચર્યામાં કોઈપણ આવશ્યક ક્રિયા સિવાય ગુરુકુળ વાસ છોડવો નહિ તેમ બતાવી સાધકની જવાબદારી સમજાવી છે.ત્રીજીમાં વિનય એ સાધકનું પરમ કર્તવ્ય છે. તે અને ચોથીમાં અન્ય મુનિઓની સેવા તથા વિચારોનો ઉહાપોહ બતાવ્યો છે.
૬. ૫. પદાર્થ સમૂહોમાં છંદના-એટલે પોતાની સાથે રહેલા દરેક ભિક્ષુને વસ્તુઓનું નિમંત્રણ કરવું. જેમ કે ભિક્ષાદિ લાવ્યા બાદ બીજા મુનિઓને આમંત્રણ કરે કે કૃપા કરી આપ પણ આમાંથી કંઈ ગ્રહણ કરી મને લાભ આપો. આવા વર્તનને છંદના કહે છે. ૬. ઈચ્છાકાર-એટલે પોતાની કે પરની ઇચ્છા પરસ્પર જાણી જણાવી અનુકૂળ વર્તવું. ૭. મિથ્યાકાર એટલે ગફલતથી થયેલી પોતાની ભૂલોનું ખૂબ ચિંતન કરી તેનું પ્રાયશ્ચિત કરી તેને મિથ્યા (નિષ્ફળ) બનાવવું તે જાતની ક્રિયા. ૮. પ્રતિશ્રુતતÀતિકાર એટલે કે ગુરુજન કે વડીલ ભિક્ષુઓની આજ્ઞાનો સ્વીકાર કરી તેમનું કહેલું યથાર્થ છે, તેમ જાણી આદર કરવો તે જાતની ક્રિયા.
નોંધ : પાંચમીમાં એકલપેટાપણું છોડી હૃદયની ઉદારતા, છઠ્ઠીમાં સાથે વસતા ભિક્ષુકોનો પારસ્પરિક પ્રેમ, સાતમીમાં સૂક્ષ્મત્રુટિનું પણ નિવારણ અને આઠમી સમાચારીમાં આજ્ઞાની આધીનતા બતાવ્યાં છે.
૭. ૯. ગુરુ પૂજામાં અમ્યુત્થાન એટલે ઊઠવા બેસવામાં કે બીજી બધી ક્રિયાઓમાં ગુરુ ઇત્યાદિની અનન્યભાવે ભક્તિ બતાવવાની અને તેમના ગુણોની પૂજા કરવાની ચર્યા. ૧૦. અવસ્થાને ઉપસંપદા એટલે પોતાની સાથે રહેલા આચાર્ય, ઉપાધ્યાય કે અન્ય વિદ્યાગુરુઓ પાસે વિદ્યા મેળવવા
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ઉત્તરાધ્યયન સૂત્ર માટે વિવેકપૂર્વક રહેવું અને વિનમ્ર ભાવથી વર્તવું તે ક્રિયા. આ પ્રમાણે દશ સમાચારીઓ કહેવાય છે.
૮. (દશમી સમાચારીમાં જે સ્થળે ભિક્ષુ રહ્યો હોય છે તે ગુરુકુળ વાસમાં તેણે રાત્રિ અને દિવસની શી ચર્ચા કરવી તે વિસ્તારપૂર્વક બતાવે છે.) દિવસના ચાર પ્રહર પૈકી સૂર્ય ઊગ્યા બાદ પહેલા પ્રહરને ચોથે ભાગે (તેટલા કાળ સુધીમાં) વસ્ત્રપાત્રાદિ (સંયમીનાં ઉપકરણો)નું પ્રતિલેખન કરવું અને તે ક્રિયા કર્યા બાદ ગુરુને વંદન કરીને
નોંધ : દિવસના ચાર પ્રહર હોય છે. તેથી જો ૩૨ ઘડીનો દિવસ હોય તો આઠ ઘડીનો પ્રહર ગણાય. તેનો ચોથો ભાગ બે ઘડી (૪૮ મિનિટ) ગણાય. જેન ભિક્ષુઓને હંમેશાં વસ્ત્રપાત્રાદિ જે સંયમ નિર્વાહનાં ઉપયોગી સાધનો હોય તેનું દિવસમાં બે વાર પ્રતિલેખન (ઝીણી નજરે સંપૂર્ણ નિરીક્ષણ) કરવું જોઈએ.
૯. બે હાથ જોડીને પૂછવું જોઈએ કે હે પૂજ્ય ! હવે શું કરું ? વૈયાવૃત્ય (સવા) કે સ્વાધ્યાય (અભ્યાસ) એ બે પૈકી આપ કઈ વસ્તુમાં મારી યોજના કરવા ઇચ્છો છો ? હે પૂજ્ય ! મને આજ્ઞા કરો.
૧૦. જો ગુરુજી વૈયાવૃત્ય (કોઈપણ જાતની સેવામાં જોડવાનું કહે તો અગ્લાન (ખેદ રહિત)પણે સેવા કરવી અને જો શાસ્ત્રોમાં સ્વાધ્યાયમાં યોજે તો સર્વ દુઃખથી છોડાવનારા અભ્યાસમાં શાંતિપૂર્વક લીન થવું.
નોંધ : (૧) વાચના (શિક્ષણ લેવું), (૨) પૃચ્છના પ્રશ્નો પૂછી સમાધાન કરવું), (૩) પરિવર્તનો (શીખેલાનું પુનરાવર્તન કરવું), (૪) અનુપ્રેક્ષા (ચિંતન) અને (૫) ધર્મકથા. આ પાંચે સ્વાધ્યાયના ભેદો છે.
૧૧. વિચક્ષણ મુનિવરે આખા દિવસના ચાર ભાગો પાડવા અને એ ચારે વિભાગોમાં ઉત્તર ગુણ (કર્તવ્ય કર્મની) ખીલવટ (વૃદ્ધિ) કરવી.
૧૨. (ચારે પ્રહરનાં સામાન્ય કર્તવ્યો કહે છે : પહેલે પ્રહરે સ્વાધ્યાય (અભ્યાસ) બીજે પ્રહરે ધ્યાન, ત્રીજે પ્રહરે ભિક્ષાચારી અને વળી ચોથે પ્રહરે સ્વાધ્યાયાદિ કરે.
નોંધ : પહેલા અને છેલ્લા પ્રહરમાં પ્રતિલેખન અને શારીરિક હાજત નિવારવાની ક્રિયા પણ આદિ શબ્દથી સમજી લેવી.
૧૩. અષાઢ માસમાં બે પગલે, પોષ માસમાં ચાર પગલે અને ચૈત્ર તથા આસો માસમાં ત્રણ પગલે પારસી થાય.
Page #208
--------------------------------------------------------------------------
________________
સમાચારી
૧૭૫ નોંધ : પોરસી એટલે પ્રહર, સૂર્યની છાયા પરથી કાળનું પ્રમાણ મળે તે માટે આ વિધાન કરેલું છે.
૧૪. ઉપર કહ્યા તે સિવાય બીજા આઠ મહિનાને વિષે પ્રત્યેક સાત અહોરાત્રિએ (સાત દિવસે) એકેક અંગુલ અને છાયા પોરસીમાં વધે ઘટે છે.
નોંધ : શ્રાવણ વદી એકમથી પોષ સુદી પૂનમ છાયા વધે અને મહા વદી એકમથી તે અષાઢ સુધી પૂનમ સુધી છાયા ઘટે.
જે માસમાં તિથિ ઘટે છે તે કહે છે :
૧૫. અષાઢ, ભાદરવો, કાર્તિક, પોષ, ફાગણ અને વૈશાખ એ બધાના કૃષ્ણ પક્ષમાં એકેક તિથિ ઘટે છે.
નોંધ : ઉપરના છએ માસ ૨૯ દિવસના હોય છે તે સિવાયના બધા માસ ૩૦ દિવસના હોય છે. એ હિસાબે ચંદ્ર વર્ષ ૩૫૪ દિવસનું ગણાય.
૧૬. (પોણી પોરસીના પગની છાયાનું માપ કહે છે:) જેઠ, અષાઢ અને શ્રાવણ આ ત્રણ મહિનામાં જે પોરસી માટે પગના છાયાનું માપ કહ્યું છે તે પગલાં ઉપર છે આગળ વધારી દેવાથી તે મહિનાની પોણી પોરસી થાય, અને ભાદરવો, આસો અને કાર્તિક એ ત્રણ મહિનામાં ઉપર જે માપ કહેલ છે તેમાં આઠ આગળ વધારવાથી પોણી પોરસી થાય. અને માગશર, પોષ અને મહા આ ત્રણ મહિનામાં કહેલ માપથી દશ આગળ વધારવાથી પોણી પોરસીનું માપ થાય. ફાગણ, ચૈત્ર અને વૈશાખ, આ ત્રણ મહિનામાં જે માપ કહેલ છે તેનાથી ૮ આંગળ છાયા વધારવાથી પોણી પોરસી થાય. આ વખતે વસ્ત્ર, પાત્રાદિકનું પ્રતિલેખન કરવું.
૧૭. વિચક્ષણ સાધુ રાત્રિના પણ ચાર ભાગ કરે અને રાત્રિના ચાર ભાગને વિષે પ્રત્યેક પોરસીને યોગ્ય કર્તવ્ય પ્રમાણે ગુણોની વૃદ્ધિ કરે.
૧૮. રાત્રિના પહેલે પ્રહરે સ્વાધ્યાય, બીજે પ્રહરે ધ્યાન, ત્રીજા પ્રહરે નિંદ્રા અને ચોથા પ્રહરે પાછો સ્વાધ્યાય કરવો.
૧૯. (રાત્રિની પોરસીનું માપ શી રીતે કાઢવું તે કહે છે :) જે કાળને વિશે જે જે નક્ષત્રો આખી રાત્રિ પૂર્ણ કરતાં હોય તે નક્ષત્ર આકાશના ચોથે ભાગે પહોંચે ત્યારે રાત્રિનો પહેલો પ્રહર પૂરો થયો જાણી સ્વાધ્યાય વિરમવું.
૨૦. અને તે જ નક્ષત્ર, આકાશના ચોથો ભાગ બાકી રહે તેટલે સુધી આવે અર્થાત કે ચોથી પોરસીમાં આવે ત્યારે સ્વાધ્યાય શરૂ કરવો. અને તે પોરસીના ચોથે ભાગે (બે ઘડી રાત્રિ બાકી રહે ત્યારે) કાળ જોઈ મુનિએ પ્રતિક્રમણ કરવું.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ઉત્તરાધ્યયન સૂત્ર ૨૧. (હવે દિવસનું વિસ્તારપૂર્વક કર્તવ્ય કહે છે :) પહેલા પ્રહરને ચોથે ભાગે (સૂર્યોદયથી બે ઘડી સુધી) વસ્ત્રપાત્રનું પ્રતિલેખન કરવું અને પછી ગુરુને વંદન કરીને સર્વ દુઃખથી મુકાવનાર એવો સ્વાધ્યાય કરવો.
૨૨. પછી દિવસના છેલ્લા પ્રહરના ચોથે ભાગે ગુરુને વંદન કરીને સ્વાધ્યાય કાળનો અતિક્રમ (ઉલ્લંઘન) કર્યા સિવાય વસ્ત્રાપાત્રાદિનું પ્રતિલેખન કરવું.
૨૩. પહેલાં મુખપત્રિકાનું પ્રતિલેખન કરી પછી ગુચ્છકનું પ્રતિલેખન કરે. પછી ગુચ્છાને હાથમાં લઈને મુનિ વસ્ત્રોનું પ્રતિલેખન કરે.
૨૪. (વસ્ત્ર પ્રતિલેખનની વિધિ કહે છે :) (૧) વસ્ત્ર જમીનથી ઊંચું રાખવું. (૨) મજબૂત પકડવું (૩) ઉતાવળું પ્રતિલેખન ન કરવું, (૪) આદિથી માંડીને અંત સુધી બરાબર વસ્ત્રને જોવું. (આ માત્ર દષ્ટિની પ્રતિલેખના થઈ.) (૫) વસ્ત્રને થોડું ખંખેરવું, (૬) ખંખેરતાં જીવ ન ઊતરે તો ગુચ્છાથી તેને પૂંજવું.
૨૫. (૭) પ્રતિલેખન કરતી વખતે વસ્ત્ર કે શરીરને નચાવવું નહિ અને (૮) વાળવું પણ નહિ. (૯) થોડો ભાગ પણ પ્રતિલેખન કર્યા વગરનો ન રાખવો. (૧૦) વસ્ત્રને ઊંચું, નીચું કે ભીંત પર અફળાવવું નહિ. (૧૧) ઝાટકવું નહિ. (૧૨) વસ્ત્રાદિકને વિશે જીવ દેખાય તો તે જીવ હથેળી પર ઉતારી તેનું રક્ષણ કરવું.
નોંધ : કેટલાક નવું વોટ નો અર્થ પડિલેહણ કરતાં નવ વાર જોવું એવો પણ કરે છે,
૨૬. (હવે છ પ્રકારની અપ્રશસ્ત પ્રતિલેખના કહે છે :) (૧) આરભટા (પ્રતિલેખના વિપરીત રીતે કરવી), (૨) સંમદ (વસ્ત્રને ચોળવું કે મર્દવું), મૌશલી (ઊંચી, નીચી કે આડી ધરતીએ વસ્ત્રને લગાડવું), (૪) પ્રસ્ફોટના (પ્રતિલેખન કરતાં વારંવાર ઝાટકવું), (૫) વિક્ષિપ્તા (પ્રતિલેખન કર્યા વિના આઘાપાછા સરકાવી દેવા.), (૬) વેદિકા (ઘૂંટણ કે હાથમાં રાખતા જવું),
૨૭. (તે સિવાય બીજી સાત અપ્રશસ્ત પ્રતિલેખનાઓ કહે છે :) (૧) પ્રશિથિલ (વસ્ત્રને મજબૂત ન પકડવું), (૨) પ્રલંબ (વસ્ત્ર લાંબું રાખી પડિલેહણા કરવી) (૩) લોલ (ધરતી સાથે વસ્ત્રને રગદોળવું), (૪) એકામષ (એકી વખતે આખું વસ્ત્ર એક દૃષ્ટિમાં જોઈ લેવું) (૫) અનેક રૂપ ધૂની (પ્રતિલેખન કરતાં શરીર તથા વધને હલાવવું), (૯) પ્રમાદપૂર્વક પ્રતિલેખન
Page #210
--------------------------------------------------------------------------
________________
સમાચારી
૧૭૭ કરવું. (૭) પ્રતિલેખન કરતાં શંકા ઊપજે તો આંગળીઓથી ગણતાં ઉપયોગ ચૂકી જવો તે, આમ તેર પ્રકારની અપ્રશસ્ત પ્રતિલેખના કહી છે.
૨૮. વધારે, ઓછી કે વિપરીત પ્રતિલેખના ન કરવી તે જ પદ (પ્રકાર) પ્રશસ્ત છે અને બીજા બધા પ્રકારો અપ્રશસ્ત સમજવા.
નોંધ : પ્રતિલેખનના આઠ ભેદો છે તે પૈકી ઉપર કહેલો પહેલો જ ભેદ આચરવો. બાકીના છોડી દેવા. - ૨૯. પ્રતિલેખના કરતાં કરતાં જો (૧) પરસ્પર વાર્તાલાપ કરે (૨) કોઈ દેશની કથા કરે, (૩) કોઈને પ્રત્યાખ્યાન આપે, (૪) કોઈને વાચના આપે કે (પ) પ્રશ્ન પૂછે તો
૩૦. પ્રતિલેખનામાં પ્રમાદ કરીને તે ભિક્ષુ પૃથ્વી; પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કે હાલતા ચાલતા જીવોનો વિરોધક બને છે. - ૩૧. અને જો પ્રતિલેખનમાં બરાબર ઉપયોગ રાખે તો તે ભિક્ષુ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કે હાલતા ચાલતા જીવોનો રક્ષક બની શકે છે.
નોંધ : જોકે વસ્ત્રપાત્રાદિના પ્રતિલેખનમાં પ્રમાદ કરવાથી માત્ર હાલતા ચાલતા જીવોનો કે વાયુકાયના જીવોનો ઘાત સંભવે છે પરંતુ પ્રમાદ એ વસ્તુ જ એવી જ છે કે તે જીવનમાં વ્યાપક થઈ ભિક્ષુકના ઉદ્દેશને ભુલાવી છકાયની રક્ષામાં હાનિ ઉત્પન્ન કરે છે.
૩૨. ત્રીજી પોરસીમાં નીચેનાં છ પૈકી કોઈ પણ એક કારણ ઉત્પન્ન થાય ત્યારે આહારપાણીની ગવેષણા કરવી.
નોંધ : બીજે પ્રહરે ભિક્ષાચરી માટે જવાનું વિધાન, કાળ અને ક્ષેત્ર જોઈને કહેવાયેલું છે. તેનો આશય સમજી વિવેકપૂર્વક શોધન કરવું.
૩૩. ૧. સુધાવેદનાની શાંતિ માટે, ૨. સેવા માટે (શક્ત શરીર હોય તો સેવા કરી શકે તે સારું), ૩. ઇર્ષાર્થને માટે (ખાધા વિના આંખે અંધારાં આવતાં હોય તો તે મટાડી ગમન કરી શકાય તે માટે), ૪. સંયમ પાળવાને માટે, પ, જીવન નિભાવવા માટે અને ૬. ધર્મધ્યાન અને ચિંતન માટે. આ પ્રમાણે છે કારણોથી નિગ્રંથ આહાર પાણી ભોગવે. - ૩૪. ધૈર્યવાન સાધુ કે સાધ્વી નીચેનાં છ કારણોસર આહાર ન કરે તો તે અસંયમી ન ગણાય. (એટલે કે સંયમના સાધક ગણાય).
૩૫, ૧. રોગી સ્થિતિમાં, ૨. ઉપસર્ગ (પશુ, મનુષ્ય કે દેવનું કષ્ટ આવે તે સહન કરવામાં, ૩. બ્રહ્મચર્ય પાળવાને માટે, ૪. નાના જીવોની
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ઉત્તરાધ્યયન સૂત્ર ઉત્પત્તિ જાણીને તેની દયા પાળવાને માટે, ૫. તપ કરવાને અર્થે અને ૬. શરીરનો અંતકાળ જાણીને અંતિમ સંથારા માટે. (આ છે કારણોથી આહાર ન કરે તો સંયમપાલન થયું ગણાય).
નોંધ : સંયમી જીવન પાળવા માટે જ આહારનો ઉપયોગ કરવો અને સંયમી જીવન હણાતું હોય તો તેની રક્ષા માટે આહાર ન કરવો તેમ જણાવી સંયમી જીવનની જ મુખ્યતા બતાવી છે. સંયમી જીવન માટે ખાવું, ખાવા માટે સંયમી જીવન નહીં.
૩૬. આહાર પાણી લેવા જતી વખતે ભિક્ષુએ સર્વ પાત્રો અને ઉપકરણો બરાબર પૂંજી લઈ ભિક્ષાર્થે જવું. ભિક્ષા માટે વધુમાં વધુ અર્ધા યોજન સુધી જવું.
૩૭. આહાર કર્યા પછી ચોથી પોરસીમાં ભાજનોને અળગાં બાંધી સર્વભાવ (પદાર્થ)નો પ્રકાશન કરનાર (એવો) સ્વાધ્યાય કરે.
૩૮. ચોથી પોરસીના ચોથા ભાગે સ્વાધ્યાય કાળથી નિવૃત્ત થઈ ગુરુને વંદન કરીને વસ્ત્ર, પાત્ર ઇત્યાદિની ભિક્ષુ પડિલેહણા કરે.
નોંધ : ચોથી પોરસીનો ચોથો ભાગ એટલે સૂર્યાસ્ત થવા પહેલાં બે ઘડી.
૩૯. મળ, મૂત્ર, ત્યાગ કરવાની ભૂમિકા જોઈ આવી (પાછાં આવ્યા બાદ ઇરિયા વહિયા ક્રિયા કરીને) સર્વ દુઃખથી મુકાવનાર એવો ક્રમપૂર્વક કાયોત્સર્ગ કરે.
નોંધ : જૈન દર્શનમાં ભિક્ષુ માટે અવશ્ય સવાર અને સાંજ એમ બે વાર પ્રતિક્રમણ કરવાનાં હોય છે. તે પ્રતિક્રમણમાં થયેલા દોષોની આલોચના અને ભવિષ્યમાં ન થાય તેવો સંકલ્પ કરવાનો હોય છે.
૪૦. તે કાયોત્સર્ગમાં દિવસના સંબંધીના જ્ઞાન, દર્શન કે ચારિત્રમાં થયેલા દોષોને ક્રમપૂર્વક ભિક્ષુએ ચિતવવાં.
૪૧. કાયોત્સર્ગ પાળીને પછી ગુરુ પાસે આવી વંદન કરે. વંદન કર્યા પછી ભિક્ષુ દિવસમાં થયેલા અતિચાર (દોષ)ને ક્રમપૂર્વક ગુરુ પાસે કહે.
૪૨. એ પ્રમાણે દોષના શલ્યથી રહિત થઈ (બધા જીવોની ક્ષમાપના લે) ત્યાર બાદ ગુરુને નમસ્કાર કરીને સર્વદુ:ખથી છોડાવનાર કાયોત્સર્ગને કરે.
૪૩. કાયોત્સર્ગને પાળીને ફરીવાર ગુરુને વંદન કરી (પ્રત્યાખ્યાન કરી) ત્યારબાદ પંચપરમેષ્ઠીના સ્તુતિમંગલ કરીને સ્વાધ્યાય કાળની અપેક્ષા રાખે.
નોંધ : પ્રતિક્રમણના છ આવશ્યક (વિભાગ) હોય છે. તે બધી વિધિ ઉપર કહેલ છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
સમાચારી
૧૭૯
૪૪. (હવે રાત્રિની વિધિ કહે છે). પહેલે સ્વાધ્યાય, બીજે ધ્યાન, ત્રીજે નિદ્રા અને ચોથે પ્રહરે મુનિ પુનઃ સ્વાધ્યાય કરે.
૪૫. ચોથી પોરસીનો આવેલો કાળ જાણીને ચોથી પોરસીનો કાળ સમજીને) પોતાના અવાજથી ગૃહસ્થીઓ ન જાગે તેવી રીતે સ્વાધ્યાય કરે.
૪૬. ચોથી પોરસીનો ચોથો ભાગ બાકી રહે (સૂર્યોદયથી બે ઘડી પહેલાં સ્વાધ્યાય કાલથી નિવૃત્ત થઈને) ત્યારે આવશ્યક કાળનું પ્રતિલેખન કરી (પ્રતિક્રમણનો કાળ જાણીને) પછી ગુરુને વંદન કરે.
૪૭. (દેવસી પ્રતિક્રમણની વિધિ કહી છે તે પ્રમાણે બધી વિધિ થયા પછી-) સર્વ દુઃખથી મુકાવનાર કાયોત્સર્ગ આવે ત્યારે પ્રથમ કાયોત્સર્ગ કરે.
૪૮. તે કાયોત્સર્ગમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ સંબંધી જે અતિચાર લાગ્યા તે અનુક્રમે ચિંતવે.
૪૯. કાયોત્સર્ગ પાળ્યા પછી ગુરુને વંદન કરીને રાત્રિ સંબંધી થયેલા અતિચારને ક્રમપૂર્વક પ્રગટ કરી આલોચના કરે.
૫૦. દોષ રહિત થઈને અને ક્ષમા યાચીને ગુરુને વંદન કર્યા બાદ ફરીથી સર્વ દુઃખોથી મુકાવનાર કાયોત્સર્ગ કરે.
નોંધ : કાયોત્સર્ગ એટલે દેહભાવથી મુક્ત થઈ ધ્યાનમાં રહેવાની ક્રિયા.
પ૧. કાયોત્સર્ગમાં ચિંતન કરે કે હવે હું કઈ જાતની તપશ્ચર્યા આકરું? પછી નિશ્ચય કરીને કાયોત્સર્ગથી નિવૃત્ત થઈ ગુરુને વંદન કરે.
પ૨. ઉપર પ્રમાણે કાયોત્સર્ગથી નિવૃત્ત થઈ ગુરુને વંદન કરી તેમની પાસેથી તપશ્ચર્યાના પચ્ચકખાણ (પ્રત્યાખ્યાન) લઈ સિદ્ધો (પરમેષ્ઠી)નું સંતવન કરે.
નોંધ : એ પ્રમાણે રાત્રિપ્રતિક્રમણના છ આવશ્યક (વિભાગો)ની ક્રિયા પૂર્ણ થઈ.
૫૩. આ પ્રમાણે દસ પ્રકારની સમાચારી સંક્ષેપથી કહી. જેને આચરીને આ સંસારસાગરને ઘણા જીવો તરી ગયા. - અસાવધાનતા વિકાસની રોધક છે. ગમે તેવી સુંદર ક્રિયા હોય, પરંતુ અવ્યવસ્થિત હોય તો તેનાં કશાય મૂલ્ય નથી. વ્યવસ્થા અને સાવધાનતા એ બંને ગુણોથી માનસિક સંકલ્પનાં બળો વધે છે, સંકલ્પબળ વધવાથી આવી પડેલાં સંકટો કે વિરોધક બળો પરાસ્ત થાય છે અને ધારેલું ઇષ્ટ પાર પડે છે.
એમ કહું છું. એમ સમાચારી સંબંધીનું છવીસમું અધ્યયન સમાપ્ત થયું
1 1
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : સત્તાવીસમું
ખાંકીય ગળિયા બળદ સંબંધી
સાધકને સદ્ગુરુ જેમ સહાયક છે,જેટલા અવલંબનરૂપ છે તેટલા જ ગુરુને શિષ્યો પણ સહાયક બને છે.
પૂર્ણતા પામ્યા પહેલાં સૌ કોઈને સહાયક અને સાધનોની આવશ્યકતા છે. પરંતુ તે જ સહાયક કે સાધનો બાધક બને તો પોતાનું અને પરનું (બંનેનું) હિત હણાય છે.
ગાર્યાચાર્ય સમર્થ હતા. ગણધર (ગુરુકુળપતિ) હતા. તેમની પાસે સેંકડો શિષ્યોનો પરિવાર હતો. પરંતુ જ્યારે તે સમુદાય સ્વચ્છંદી બન્યો, સંયમમાર્ગમાં હાનિ પહોંચાડવા લાગ્યો ત્યારે તેણે પોતાનો આત્મધર્મ જાળવીપોતાનું કર્તવ્ય સમજી સુધારવાના ખૂબ પ્રયત્નો કરી જોયા. પણ આખરે તેમાં તે નિષ્ફળ ગયા.
શિષ્યોનો મોહ, શિષ્યો પરની આસક્તિ અને સંપ્રદાયનું મમત્વ તે મહાપુરુષને સહજ પણ ન હતું. તે પોતાનું જાળવી એકાંતમાં જઈ વસ્યા અને સ્વાવલંબનની પ્રબળ શક્તિના સહચારી થઈ આત્મહિત સાધ્યું.
ભગવાન બોલ્યા : ૧. સર્વ શાસ્ત્રસંપન્ન એક ગાગ્ય નામના ગણધર અને સ્થવિરમુનિ હતા. તે ગણિભાવથી મુક્ત રહી હમેશાં સમાધિભાવ સાધી રહ્યા હતા.
નોંધ : અન્ય જીવોને ધર્મ વિશે સ્થિર કરે અર્થાત્ જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ અને પ્રવ્રજ્યાવૃદ્ધ હોય તે સ્થવિર ભિક્ષુ ગણાય છે અને ભિક્ષગણના વ્યવસ્થાપક હોય તે ગણધર કહેવાય છે. - ૨. કોઈ વાહનને યોગ્ય વહન (બળદ) જોડવાથી જેમ ગાડીવાન અટવીને ઓળંગી જાય છે તેમ યોગ્ય (સંયમ માર્ગમાં વહન કરતા શિષ્યસાધકો અને તેને દોરનાર ગુરુ બંને સંસારરૂપ અટવીને ઓળંગી જાય છે.
૩. પરંતુ જે ગળિયા બળદોને ગાડીમાં જોડી હાંકે છે, (તે ન ચાલવાથી) તે તેને મારી મારીને થાકી જાય છે અને અંતે કષ્ટ પામે છે; તેમ જ અશાંતિ અનુભવે છે. મારતાં મારતાં ગાડીવાનનો પરોણો પણ ભાંગી જાય છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
ખલુંકીય
૧૮૧ ૪. તેવા બળદને કેટલાક ગાડીવાનો પૂછડે બટકું ભરે છે. કેટલાક વારંવાર પરોણાની આરોથી વીંધી નાખે છે. પરંતુ તે ગળિયા બળદો ચાલતા નથી. મારવા છતાં કેટલાક ધોંસરી ભાંગી નાખે છે અને કેટલાક કુમાર્ગે લઈ જાય છે.
૫. કેટલાક ચાલતાં ચાલતાં પાસાભેર પડી જાય છે, કેટલાક બેસી જાય છે અને કેટલાક સૂઈ જાય છે, ને મારવા છતાં ઊઠતા જ નથી. કોઈ બળદ ઊછળે છે, કોઈ દેડકાની માફક ઠેકડા મારવા માંડે છે, તો કોઈ વળી ધૂર્ત બળદ તરુણ ગાયને જોઈ તેની પાછળ દોડે છે.
૬. કેટલાક માયાવી બળદ માથું નીચું રાખી પડી જાય છે, કોઈ વળી મારથી કોપી જે બાજુ જવું હોય ત્યાં ન જતાં ઊંધે માર્ગે ચાલવા માંડે છે. કોઈક ગળિયો બળદ ઢોંગ કરી જાણે મરી ન ગયો તેમ બેસી રહે છે. તો વળી કોઈ ખૂબ વેગભર નાસવા જ માંડે છે.
૭. કોઈ દુષ્ટ બળદ રાસડીને તોડી નાખે છે. કોઈ સ્વચ્છંદી બળદ ધોસણું ભાંગી નાંખે છે. વળી કોઈ ગળિયો બળદ તો સુસવાટા ને હુંફાડા મારી ખેડૂતના હાથમાંથી સરકી ઝટ પલાયન થઈ જાય છે.
૮. જેમ ગાડીમાં જોડેલા ગળિયા બળદો ગાડીને ભાંગી નાખી ધણીને હેરાન કરી ભાગી જાય છે તે જ પ્રકારે તેવા સ્વચ્છંદી કુશિષ્યો પણ ખરેખર ધર્મ (સંયમધર્મ) રૂપ ગાડીમાં જોડાવા ધૈર્યથી રહિત થઈ તે સંયમધર્મને ભાંગી નાખે છે. (સાચા મનપૂર્વક સંયમ પાળતા નથી).
૯. (મારી પાસેના) કેટલાક કુશિષ્યો વિદ્યાની ઋદ્ધિના ગર્વથી મદમાતા અને અહંકારી થઈ ફરે છે. કેટલાક રસના લોલુપી છે. કેટલાક સાતાશીલીયા (શરીર સુખને જ ઇચ્છનારા) છે અને કેટલાક પ્રચંડ ક્રોધી છે.
૧૦. કેટલાક ભિક્ષા (લેવા જવા)ના આળસુ છે, કેટલાક અહંકારીઓ ભિક્ષાએ જતાં અપમાન થાય માટે ભીરુ થઈ એકસ્થાને બેસી રહે છે. કેટલાક મદોન્મત્ત શિષ્યો એવા છે કે જયારે હું પ્રયોજન પૂર્વક (સંયમમાર્ગને ઉચિત) શિખામણ આપું છું
૧૧. તો વચ્ચે જ સામું બોલીને દોષો જ પ્રગટ કરી બતાવે છે અને કેટલાક તો આચાર્યોના વચન (શિક્ષા)થી વારંવાર વિરુદ્ધ જ વર્તે છે.
૧૨. કેટલાકને ભિક્ષાર્થે મોકલવા છતાં જતા નથી. અથવા બહાનાં કાઢે છે કે “તે બાઈ (શ્રાવિક) મને ઓળખતી જ નથી. તે મને નહિ આપે.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ઉત્તરાધ્યયન સૂત્ર તે ઘેર જ નહિ હોય, હું માનું છું કે ત્યાં બીજા ભિક્ષુને મોકલો તો ઠીક. હું શું એકલો જ છું ? આ પ્રમાણે ગુરુને સામો જવાબ આપીને ભિક્ષાર્થે જતા જ નથી.
૧૩. અથવા કોઈ પ્રયોજને મોકલ્યા હોય તો તે કાર્ય કરી આવતા નથી અને જૂઠું બોલે છે. કાં તો ગુરુ કાર્ય બતાવે છે માટે આશ્રયસ્થાનની બહાર આમતેમ ભમવામાં સમય ગાળે છે. અને કદાચ કાર્ય કરે તો પણ રાજવેઠની માફક તેને માને છે. અને રીસથી કપાળની ભમરો ઊંચી કરી મોઢું ચડાવે છે.
૧૪. તે બધા કુશિષ્યો; ભણાવ્યા, ગણાવ્યા, દીક્ષિત કર્યા તથા ભાત પાણીથી પોપ્યા પછી જેમ પાંખ આવ્યા પછી હંસલાઓ દિશાવિદિશામાં સ્વેચ્છાથી ગમન કરે છે તેમ, ગુરુને છોડી એકલા સ્વછંદતાથી ગમન કરે છે.
૧૫. જેમ ગળિયા બળદની સાથે રહેલો સારથી (ખેડૂત) ખેદ કરે છે. તેમ ગર્ગાચાર્ય પોતાના આવા કુશિષ્યો હોવાથી આમ ખેદ કરે છે, અને કહે છે કે જે શિષ્યોથી મારો પોતાનો આત્મા હણાય તેવા દુષ્ટ શિષ્યોથી શું?
૧૬. જેવા ગળિયા ગધેડા હોય તેવા મારા શિષ્યો છે. એમ વિચારી ગાયૅચાર્ય મુનીશ્વર તે ગળિયા ગધેડાઓને તજીને તપ આચરે છે.
૧૭. ત્યારબાદ સુકોમળ, નમ્રતાયુક્ત, ગંભીર, સમાધિવંત અને સદાચારમય વર્તનથી તે ગાગ્યે મહાત્મા આ વસુધામાં વિહરતા હતા.
નોંધ : ગળિયો બળદ ગાડાને ભાંગી નાખે છે, ગાડીવાનને રંજાડે છે અને સ્વચ્છેદથી દુઃખી થાય છે તેમ સ્વચ્છંદી સાધક સંયમથી પતિત થાય છે. આલંબન (સહાયક સદ્ગર ઇત્યાદિ)નો લાભ લઈ શકતો નથી અને પોતાના આત્માને પણ કલુષિત કરે છે. સ્વતંત્રતાના ઓઠા નીચે ઘણે ભાગે બહુજનો સ્વછંદતાને જ પોષતા હોય છે. સ્વચ્છંદતા પણ વાસ્તવિક રીતે તો પરતંત્રતા જ છે અને મહાપુરુષો પ્રત્યેની અર્પણતા ઉપરથી પરતંત્રતા જણાય છે પરંતુ વાસ્તવિક સ્વતંત્રતા છે. આવી સ્વતંત્રતાનો ઉપાસક જ આગળ વધી શકે છે.
એમ કહું છું. એ પ્રમાણે ખલું કીય નામનું સત્તાવીસમું અધ્યયન સમાપ્ત થયું.
Page #216
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગગતિ
૧૮૩
અધ્યયન : અઠ્ઠાવીસમું મોક્ષમાર્ગગતિ મોક્ષમાર્ગનું ગમન
સર્વ જીવોનું લક્ષ્ય એક માત્ર મોક્ષ, નિર્વાણ કે મુક્તિ જ છે. દુઃખથી કે કષાયોથી મુકાવું તે મોક્ષ. કર્મબંધનથી મુકાવું તે મુક્તિ. શાંતિસ્થાન પ્રાપ્ત કરવું તે નિર્વાણ. તે સ્થિતિમાં જ સર્વ સુખ સમાયાં છે. જૈનદર્શન આખા સંસારને ચેતન અને જડ-જીવ અને અજીવ-માં વિભક્ત કરે છે. અને તે બંને તત્ત્વોનાં સહાયક તેમ જ આધારભૂત તત્ત્વો જેવાં કે ધર્મ, અધર્મ આકાશ અને કાળને ઉમેરીને એ છ પદાર્થોમાં આ આખા લોકોને સમાવી દે છે.
એટલે જીવનની ઓળખાણ-જીવનું યથાર્થ ભાન-એ સૌથી પ્રથમ આવશ્યક છે. આ સ્થિતિ એ જ સમ્યગ્દર્શન, આવી સ્થિતિ થયા પછી આત્માના અનુપમ જ્ઞાનની જે ચિનગારી ફૂટી નીકળે તે જ સાચું જ્ઞાન.
આવી સ્થિતિ પ્રાપ્ત કરવામાં શાસ્ત્રશ્રવણ, આત્મચિંતન, સત્સંગ અને સદવાંચન એ બધાં ઉપકારક અંગો છે. આ નિમિત્તો દ્વારા સત્યને જાણી, વિચારી તથા અનુભવી આગળ વધવું એ જ એક હેતુ હોવો જોઈએ.
ભગવાન બોલ્યા : ૧. યથાર્થ મોક્ષનો માર્ગ જે જિનેશ્વરોએ કહેલો છે તેને સાંભળો. તે માર્ગ ચાર કરણોથી સંયુક્ત અને જ્ઞાનદર્શન (ચારિત્ર અને તપ)ના લક્ષણરૂપ છે.
નોંધ : અહીં “જ્ઞાનદર્શન લક્ષણા' વિશેષણ આપવાનું પ્રયોજન એ છે કે મોક્ષમાર્ગમાં તે બંનેની જ પ્રથમ આવશ્યકતા છે.
૨. (૧) જ્ઞાન (પદાર્થની યથાર્થ સમજ), (૨) દર્શન (યથાર્થ શ્રદ્ધા), (૩) ચારિત્ર (વ્રતાદિનું આચરણ) અને (૪) તપ. આ પ્રકારથી યુક્ત મોક્ષનો માર્ગ કેળવજ્ઞાની જિનેશ્વરીએ ફરમાવ્યો છે.
નોંધ : ચારિત્રથી નવા કર્મોનું બંધન થતું નથી અને તપથી પૂર્વકર્મનો ક્ષય થાય છે.
૩. જ્ઞાન, દર્શન; ચારિત્ર અને તપથી સંયુક્ત એવા આ માર્ગને પામેલા જીવો સદ્ગતિમાં જાય છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૪. તે પૈકી પહેલા પ્રકારમાં કહેલું જ્ઞાન પાંચ પ્રકારનું છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃપર્યાય જ્ઞાન અને (૫) કૈવલજ્ઞાન. નોંધ : આ બધાં જ્ઞાનનો વિશેષ અધિકાર નંદી વગેરે આગમોમાં છે. પ. જ્ઞાની પુરુષોએ દ્રવ્ય, ગુણ અને તેના સર્વ પર્યાયોને સમજવા માટે આ પ્રમાણે પાંચ પ્રકારનું જ્ઞાન બતાવ્યું છે.
નોંધ : પર્યાય એટલે પલટાતી અવસ્થા. તે પદાર્થ અથવા ગુણ માત્રમાં હોય છે.
૧૮૪
૬. ગુણો જેને આશ્રયે રહેલા હોય છે તેને દ્રવ્ય કહેવાય છે અને એક દ્રવ્યમાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ કે જ્ઞાનાદિ જે ધર્મોથી રહેલા છે તે ગુણો કહેવાય છે. અને દ્રવ્ય તથા ગુણ બંનેને આશ્રિત થઈ રહે છે તેને પર્યાયો કહેવાય છે.
નોંધ : જેમ કે આત્મા એ દ્રવ્ય છે જ્ઞાનાદિ એ તેના ગુણો છે. અને કર્મવશાત્ ભિન્ન ભિન્ન રીતે રૂપાંતર થાય છે તે તેના પર્યાયો છે.
૭. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, કાલાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ છ દ્રવ્યરૂપ લોક, કેવળજ્ઞાની જિનેશ્વરોએ બતાવ્યો છે. (અસ્તિકાય) એ જૈનદર્શનનો સમૂહવાચી પારિભાષિક શબ્દ છે.
૮. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે એકેક દ્રવ્ય છે એ કાળ પુદ્ગલ તથા જીવો સંખ્યામાં અનંત છે.
નોંધ : સમય ગણનાની અપેક્ષાએ અહીં કાળની અનંતતા બતાવી છે. ૯. ગતિમાં સહાય કરવી તે ધર્માસ્તિકાયનું લક્ષણ છે, અને સ્થિરતામાં સહાય કરવી તે અધર્માસ્તિકાયનું લક્ષણ છે. આકાશ એ બધાય દ્રવ્યોનું ભાજન છે અને બધાંને અવકાશ આપવો તે તેનું લક્ષણ છે.
૧૦. પદાર્થની ક્રિયાઓનાં પરિવર્તન પરથી સમયની જે ગણતરી થાય છે તે જ કાળનું લક્ષણ છે. ઉપયોગ (જ્ઞાનાદિ વ્યાપાર) જીવનું લક્ષણ છે. અને તે જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખથી વ્યક્ત થાય છે.
૧૧. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવનાં વિશિષ્ટ લક્ષણો છે.
૧૨. શબ્દ, અંધકાર, પ્રકાશ, કાંતિ, છાયા, તાપ, વર્ણ (પીળો, ધોળો વગેરે રંગ) ગંધ,રસ અને સ્પર્શ એ બધાં પુદ્ગલોનાં લક્ષણ છે.
નોંધ : પુદ્ગલ એ જૈનદર્શનમાં જડ પદાર્થમાં વપરાતો પારિભાષિક શબ્દ છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગગતિ
૧૮૫
૧૩. એકઠું થવું, વિખરાવું, સંખ્યા, આકાર (વર્ણાદિનો) સંયોગ તથા વિભાગ એ બધી ક્રિયાઓ પર્યાયોની બોધક છે. માટે તે જ તેનું લક્ષણ ધારવું.
૧૪. જીવ. અજીવ પુષ્ય, પાપ, આસ્ત્રત્વ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વો છે.
૧૫. સ્વાભાવિક રીતે (જાતિસ્મરણ જ્ઞાન ઇત્યાદિથી) કે કોઈના ઉપદેશથી ભાવપૂર્વક તે બધા પદાર્થોની યથાર્થ શ્રદ્ધા થવી તે સ્થિતિને મહાપુરુષોએ સમક્તિ કહી છે.
નોંધ : સમક્તિ એટલે સમ્યકત્વ યથાર્થ આત્મભાન. જૈન દર્શનમાં વર્ણવેલાં ૧૪ ગુણસ્થાનકોમાં ચોથે ગુણસ્થાનકથી જ આત્મવિકાસ શરૂ થાય છે.તે શરૂઆતને સમક્તિ કહેવાય છે.
૧૬. (૧) નિસર્ગરુચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારુચિ, (૪) સૂત્રરુચિ, (૫) બીજરુચિ, (૬) અભિગમરુચિ, (૭) વિસ્તારરુચિ, (૮) ક્રિયારૂચિ, (૯) સંક્ષેપરુચિ અને (૧૦) ધર્મરુચિ. આ દસ રુચિઓથી સમક્તિ તરતમ ભાવે પમાય છે.
૧૭. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આત્રવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષ. એ નવ પદાર્થોને યથાર્થ રીતે જાતિસ્મરણાદિ જ્ઞાન કરીને જાણ્યા પછી તે પર શ્રદ્ધા થાય તે નિસર્ગરુચિ કહેવાય છે.
૧૮. જે પુરુષ જિનેશ્વરોએ યથાર્થ અનુભવેલા ભાવોનો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી પોતાની મેળે જ જાતિસ્મરણાદિ જ્ઞાન (નિમિત્ત)થી જાણીને તે એમ જ છે, બીજી રીતે નથી એવી અડગ શ્રદ્ધા રાખી શકે છે તે નિસર્ગ રુચિવાળો સમક્તિ જાણવો.
૧૯. ઉપર્યુક્ત ભાવો કે જે કેવળી કે છહ્મસ્થગુરુઓ વડે કહેવાયેલા છે તેના ઉપર શ્રદ્ધા રાખી શકે છે તે ઉપદેશ રુચિવાળો સમક્તિ જાણવો.
૨૦. જેનાં રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન નીકળી ગયાં છે તેવા મહાપુરુષની આજ્ઞાથી તત્ત્વ પર રુચિપૂર્વક શ્રદ્ધા ધરાવે છે તે આજ્ઞારુચિવાળી સમક્તિ કહેવાય છે.
૨૧. જે અંગપ્રવિષ્ટ કે અંગબાહ્યથી સૂત્રને ભણીને તે સૂત્ર વડે સમક્તિ પામે છે તે શ્રુતરુચિવાળો સમક્તિ જાણવો.
નોંધ : આચારાંગાદિ અંગો અંગપ્રવિષ્ટ કહેવાય છે અને તે સિવાયનાં બીજાં સૂત્રો અંગબાહ્ય કહેવાય છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૨૨. જેમ પાણીમાં તેલનું બિંદુ વિસ્તાર પામે અને એક બીજ વાવ્યેથી અનેક બીજ ઉત્પન્ન થાય તેમ એક પદથી કે એક હેતુથી ઘણાં પદ, ઘણાં દષ્ટાંત અને ઘણા હેતુએ પદાર્થ પર શ્રદ્ધા વધે અને સમક્તિ પામે તેવા પુરુષને બીજરુચ સક્તિ જાણવો.
૨૩. જેણે અગિયાર અંગ અને બારમો દષ્ટિવાદ અને બીજા ઇતર સિદ્ધાંતોના અર્થને બરાબર જાણીને સમક્તિ પાપ્ત કર્યું છે તેને અભિગમરુચિ જાણવો.
૨૪. છ દ્રવ્યના સર્વ ભવો, સર્વ પ્રમાણો અને સર્વ નયોથી જેણે જાણીને સમક્તિ પ્રાપ્ત કર્યું છે તેને વિસ્તારરુચિ સમક્તિ જાણવો,
નોંધ : નય એ પ્રમાણનો અંશ છે. નય એટલે વિચારોનું વર્ગીકરણ તેના સાત પ્રકાર છે. ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર ૪. ઋજુસૂત્ર ૫. શબ્દ ૬. સભિરૂઢ ૭. એવંભૂત.
પ્રમાણ ચાર છે ઃ ૧. પ્રત્યક્ષ ૨. અનુમાન ૩. ઉપમાન ૪. આગમ, બધા પદાર્થોના જ્ઞાનમાં નય અને પ્રમાણની આવશ્યકતા રહે છે.
૧૮૬
૨૫. સત્યદર્શન અને જ્ઞાનપૂર્વક, ચારિત્ર, તપ, વિનય પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ઇત્યાદિ શુદ્ધ ક્રિયાઓ કરતાં સમક્તિ પામે તે ક્રિયારુચિવાળો જાણવો. ૨૬. જે અસત, મત, વાદ કે દર્શનોમાં સપડાયો નથી કે સત્ય સિવાયના બીજા કોઈ પણ વાદોને માનતો નથી છતાં વીતરાગના પ્રવચનમાં અતિ નિપુણ નથી (અર્થાત્ વીતરાગ માર્ગની શ્રદ્ધા શુદ્ધ છે પણ વિશેષ ભણેલો નથી) તે સંક્ષેપચિ સમક્તિ જાણવો.
૨૭. જે અસ્તિકાય (દ્રવ્યસ્વરૂપ), સુત (શાસ્ત્ર) ધર્મ અને ચારિત્રધર્મને જિનેશ્વરોએ કહેલ છે તે રીતે શ્રદ્ધા રાખે છે તેને ધર્મરુચિ સમક્તિ જાણવો.
૨૮. (૧) પરમાર્થ (તત્ત્વ)નું ગુણકીર્તન કરવું. (૨) જે પુરુષો પરમ અર્થતત્ત્વને પામ્યા છે તેઓની સેવા કરવી. (૩) જે માર્ગથી પતિત થયા હોય કે અસત્ય દર્શન કે વાદમાં માનતા હોય તેનાથી દૂર રહેવું. એ ત્રણ ગુણોથી સમક્તિની શ્રદ્ધા પ્રગટે છે. (એ ત્રણ ગુણો જાળવી સમક્તિ રાખવાથી શ્રદ્ધાપૂર્વક જળવાઈ રહે છે.)
૨૯. સમક્તિ વિના ચારિત્ર હોઈ શકે જ નહિ અને સમક્તિ હોય ત્યાં તો ચારિત્ર હોય અને ન પણ હોય. જો એકી સાથે સમ્યકત્વ અને ચારિત્ર ઉત્પન્ન થાય તો ત્યાં પહેલાં સમક્તિ જાણવી.
:
નોંધ ઃ સમક્તિ એ ચારિત્રની પૂર્વવર્તી સ્થિતિ છે. યથાર્થ જાણ્યા વિનાનું આચરેલું અર્થવનાનું છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગગતિ
૧૮૭
૩૦. દર્શન વિના (સમક્તિ રહિત) જ્ઞાન ન હોય, જ્ઞાન વિના ચારિત્રના ગુણો ન હોય અને ચારિત્રના ગુણ વિના (કર્મથી) મુક્તિ ન મળે અને કર્મમુક્તિ વિના નિર્વાણગતિ (સિદ્ધપદ) થાય નહિ.
૩૧. ૧. નિઃશક્તિ (જિનેશ્વરના વચન વિશે શંકા રહિત થવું), ૨. નિઃકાંક્ષિત (અસત્ય મતોમાં વાંચ્છા રહિત થવું), ૩. નિર્વિચિકિત્સ્ય (ધર્મફળમાં સંશય રહિત થવું), ૪. અમૂઢ દૃષ્ટિ (ઘણાં મતમતાંતરો જોઈને મૂંઝાવું નહિ તે અર્થાત્ અડગ શ્રદ્ધાવાળું થવું), ૫. ઉપબૃહા (સત્યધર્મ પામીને જે ગુણી પુરુષો હોય તેમની પ્રશંસા કરે અને ગુણવૃદ્ધિ કરે તે) ૬. સ્થિરીકરણ (ધર્મથી શિથિલ થતા હોય તેને સ્થિર કરવા), ૭. વાત્સલ્ય (સ્વધર્મનું હિત સાધવું અને સ્વધર્મીઓની ભક્તિક ૨વી), ૮. પ્રભાવના (સત્યધર્મની ઉન્નતિ કરવી અને પ્રચાર કરવો) આ આઠ સમ્યકત્વ દૃષ્ટિના આચારો છે.
૩૨, પ્રથમ સામાયિક ચારિત્ર, બીજું છેદોપસ્થાપનીય, ત્રીજું પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ચોથું સૂક્ષ્મ સંપરાય ચારિત્ર.
૩૩. અને પાંચમું કષાય રહિત યથાખ્યાત ચારિત્ર (તે અગિયારમાં કે બારમાં ગુણસ્થાન રહેલા) છઘસ્થને તથા કેવળીને હોય છે. આ પ્રમાણે કર્મને ખપાવનારાં ચારિત્ર પાંચ પ્રકારનાં કહ્યાં છે.
નોંધ : સામાયિક ચારિત્ર પાંચ મહાવ્રતરૂપ પ્રથમ ચારિત્રને કહેવામાં આવે છે. બીજું સામાયિક ચારિત્રના કાળનો છેદ કરીને ફરી સ્થાપન કરવું તેનું નામ છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે છે. પરિહાર વિશુદ્ધ ચારિત્ર ઉચ્ચ પ્રકારના જ્ઞાન અને તપશ્ચર્યાપૂર્વક નવ સાધુઓ સાથે રહી દોઢ વર્ષ સુધી પાળે છે તે સૂક્ષ્મ સંપરાય એટલે અલ્પ કષાયવાળું ચારિત્ર.
૩૪. તપ આંતિરક તેમ જ બાહ્ય એમ બે પ્રકારે વર્ણવેલું છે. બાહ્ય તપના અને આંતરિક તપના છ છ પ્રકારો છે.
નોંધ : તપશ્ચર્યાના વિશેષ અધિકાર માટે ત્રીસમું અધ્યયન જુઓ. ૩૫. જીવાત્મા જ્ઞાનથી પદાર્થોને જાણે છે. દર્શનથી તે પર શ્રદ્ધા રાખે છે. ચારિત્રથી આવતાં કર્મોનો રોધ કરે છે. અને તપથી પૂર્વનાં કર્મો ખપાવી શુદ્ધ થાય છે.
૩૬. એ પ્રમાણે સંયમ અને તપથી પૂર્વકર્મોને દૂર કરીને સર્વ દુઃખથી રહિત થઈ મહર્ષિઓ શીધ્ર મોક્ષગતિ પામે છે.
એમ કહું છું.
એ પ્રમાણે મોક્ષમાર્ગગતિ સંબંધીનું અઠ્ઠાવીસમું અધ્યયન સમાપ્ત થયું.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : ઓગણત્રીસમું સખ્યત્વ પરાક્રમ
પરાક્રમ, શક્તિ કે સામર્થ્ય તો જીવમાત્રમાં છે, પરંતુ વિશ્વમાં તેનો ઉપયોગ જુદી જુદી રીતે જુદા જુદા રૂપે થતો દેખાય છે. તે જ જીવોની ભિન્ન ભિન્ન ભૂમિકાઓ સૂચવે છે. જે શસ્ત્ર અન્ય પર ન વાપરતાં પોતા પર જ વાપરે છે તે શૂર ન ગણાતાં મૂર્ખામાં ખપે છે. તે જ પ્રકારે પ્રાપ્ત થયેલાં તરવાનાં સાધનોથી પોતે જ ડૂબે છે તે બાલજીવ કહેવાય છે.
જ્યારે બાલભાવ મટે છે ત્યારે સાથે સાથે તેની દૃષ્ટિ પણ પલટે છે. આ દષ્ટિને જૈનદર્શન સમક્તિ-દષ્ટિ કહે છે. એ દૃષ્ટિ પામ્યા પછી જે પુરુષાર્થ થાય છે તે જ સાચો પુરુષાર્થ કે સાચું પરાક્રમ કહેવાય છે.
જીવ માત્ર સાધક છે સંસાર એ સાધનાની ભૂમિકા છે. તેમાં પણ મનુષ્યભવ એ સાધનાનું ઉચ્ચ ક્ષેત્ર છે. ત્યાં મળેલાં સાધનો સુમાર્ગે પ્રયુક્ત થાય તો સાધકની સાધના સફળ થઈ તે શીધ્ર પોતાનું કલ્યાણ સાધે છે.
જેમ જીવો ભિન્ન ભિન્ન તેમ તેનાં સાધનોમાં અને પ્રકૃતિમાં પણ ભિન્નતા છે. તેથી સમક્તિ પરાક્રમમાં ભિન્ન ભિન્ન સાધનો ભિન્ન ભિન્ન રૂપે અહીં ૭૩ ભેદોમાં બતાવ્યાં છે. જેમાંનાં કેટલાંક સામાન્ય, કેટલાંક વિશેષ અને કેટલાંક વિશેષતર કઠિન છે તો તે પૈકી પોતપોતાને ઇષ્ટ સાધનોનું શોધન કરી પ્રત્યેક સાધકે પુરુષાર્થમાં પ્રયત્ન કરવો અને વિચારવું અતિ અતિ આવશ્યક છે.
સુધર્મસ્વામીએ જંબુસ્વામીને કહ્યું : હે આયુષ્યમનું! તે ભગવાન મહાવીરે આ પ્રમાણે કહેલું તે મેં સાંભળ્યું છે. અહીં ખરેખર શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે સમ્યકત્વ પરાક્રમ નામનું અધ્યયન વર્ણવ્યું છે.
જેને સુંદર રીતે સાંભળીને તેના પર વિશ્વાસ અને શ્રદ્ધા લાવીને, (અડગ વિશ્વાસ લાવીને) તેની રુચિ જમાવીને, તેનો સ્પર્શ કરીને, તેનું પાલન કરીને, તેનું શોધન, કીર્તન અને આરાધના કરીને તેમજ (જિનેશ્વરોની) આજ્ઞાપૂર્વક અનુપાલન કરીને ઘણા જીવો સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વ દુઃખોનો અંત કરે છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરાક્રમ
૧૮૯ તેનો આ અર્થ આ પ્રમાણે ક્રમથી કહેવાય છે. જેમ કે (૧) સંવેગ (મોક્ષાભિલાષ), (૨) નિર્વેદ (વેરાગ્ય), (૩) ધર્મશ્રદ્ધા, (૪) ગુરસાધર્મિક શશ્રઉષણા (મહાપુરુષો અને સહધર્મીઓની સેવા), (૫) આલોચના (દોષોની વિચારણા), (૬) નિન્દા (દોષોની નિન્દા-આત્મનિંદા), (૭) ગહ (દોષ પ્રત્યે તિરસ્કાર), (૮) સામાયિક (આત્મભાવમાં લીન થવાની ક્રિયા), (૯) ચતવિશતિસ્તવ (ચોવીશ તીર્થકરોની સ્તુતિ), (૧૦) વંદન, (૧૧) પ્રતિક્રમણ (પાપનું પ્રાયશ્ચિત કરવાની ક્રિયા), (૧૨) કાયોત્સર્ગ, (૧૩) પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા લેવી), (૧૪) સ્તવ સ્તુતિમંગળ (ગુણીજનની સ્તુતિ), (૧૫) કાલ પ્રતિલેખના (સમય નિરીક્ષણ), (૧૬) પ્રાયશ્ચિતકરણ (પ્રાયશ્ચિત્તની ક્રિયા), (૧૭) ક્ષમાપન, (૧૮) સ્વાધ્યાય, (૧૯) વાચન, (૨૦) પ્રતિપ્રચ્છના (પ્રશ્નોત્તર), (૨૧) પરિવર્તન (અભ્યાસનું પુનરાવર્તન) (૨૨) અનુપ્રેક્ષા (ઊંડું ભિન્ન ભિન્ન ચિંતન), (૨૩) ધર્મકથા, (૨૪) શાસ્ત્ર આરાધના (જ્ઞાનપ્રાપ્તિ), (૨૫) ચિત્તની એકાગ્રતા, (૨૬) સંયમ, (૨૭) તપ, (૨૮) વ્યવદાન (કર્મનું વિખરાવું), (૨૯) સુખશાય (સંતોષ), (૩૦) અપ્રતિબદ્ધતા (અનાશક્તિ), (૩૧) એકાંત આસન, શયન અને સ્થાનનું સેવન, (૩૨) વિનિવર્તિના (પાપક્રિયાથી નિવૃત્ત થવું), (૩૩) સંભોગ પ્રત્યાખ્યાન (સ્વાવલંબન), (૩૪) ઉપધિ પ્રત્યાખ્યાન (અનાવશ્યક વસ્તુઓનો ત્યાગ અથવા વસ્ત્ર, પાત્ર ઇત્યાદિનો ત્યાગ), (૩૫) આહાર પ્રત્યાખ્યાન, (૩૬) કષાય પ્રત્યાખ્યાન, (૩૭) યોગ પ્રત્યાખ્યાન, પાપપ્રસંગનો ત્યાગ, (૩૮) શરીરનો ત્યાગ, (૩૯) સહાયકનો ત્યાગ, (૪૦). ભક્ષ્ય પ્રત્યાખ્યાન (અણસણ-શરીરનો અંતકાલ જાણી સર્વથા આહારનો ત્યાગ), (૪૧) સ્વભાવ પ્રત્યાખાન (દુષ્ટ પ્રકૃતિઓથી નિવૃત્તિ, (૪૨) પ્રતિરૂપતા (મન, વચન ને કાયાની એકતા-કર્તવ્યપાલન), (૪૩) વૈયાવૃત્ય (ગુણીજનની સેવા), (૪૪) સર્વ ગુણસંપન્નતા (આત્માના સર્વ ગુણોની પ્રાપ્તિ), (૪૫) વીતરાગતા (રાગદ્વેષથી વિરક્તિ), (૪૬) ક્ષમા, (૪૭) મુક્તિ (નિર્લોભતા), (૪૮) સરલતા (કપટનો ત્યાગ), (૪૯) મૃદુતા નિરભિમાનતા, (૫૦) ભાવસય (શુદ્ધ અંતઃકરણ), (૫૧) કરણ સત્ય (સાચી પ્રવૃત્તિ), (પર) યોગ સત્ય (મન, વચન અને કાયાનો વ્યાપાર સત્યરૂપ હોય તે દશા), (૫૩) મનોગુપ્તિ (મનનો સંયમ), (૫૪) વચનગુપ્તિ (વચનનો સંયમ), (૫૫) કાયગુપ્તિ (કાયાનો સંયમ) (૫૬) મનઃસમાધારણા (સત્યમાં ચિત્તની એકાગ્રતા) (૫૭) વાકસમાધારણા (વચનનું યોગ્ય માર્ગમાં નિરૂપણ), (૫૮) કાય સમાધારણા (સત્યપ્રવૃત્તિમાં
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ઉત્તરાધ્યયન સૂત્ર
શરીરનું સ્થાપન), (૫૯) જ્ઞાન સંપન્નતા (જ્ઞાનની પ્રાપ્તિ) (૬૦) દર્શન સંપન્નતા (સમ્યકત્વ પ્રાપ્તિ), (૬૧) ચારિત્ર સંપન્નતા (શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ), (૬૨) શ્રોતેન્દ્રિય નિગ્રહ (કાનનો સંયમ), (૬૩) આંખનો સંયમ, (૬૪) ઘ્રાણેન્દ્રિય (નાકનો સંયમ), (૬૫) જીભનો સંયમ, (૬૬) સ્પર્શેન્દ્રિયનો સંયમ, (૬૭) ક્રોવિજય, (૬૮) માનનો વિજય, (૬૯) માયાનો વિજય, (૭૦) લોભનો વિજય, (૭૧) રાગદ્વેષ અને મિથ્યાદર્શન (અજ્ઞાન)નો વિજય, (૭૨) શૈલેશી (મન, વચન અને કાયાના યોગનું રુંધવું પર્વતની પેઠે આત્મઅડોલતાની સ્થિતિ), અને (૭૩) અકર્મતા (કર્મરહિત અવસ્થા).
ભગવાન બોલ્યા :
૧. (શિષ્ય પૂછે છે :) હે પૂજ્ય ! સંવેદ (મુમુક્ષુતા)થી જીવાત્મા શું પ્રાપ્ત કરી શકે છે ? (કયા ગુણને પામે છે ?)
ગુરુ બોલ્યા : સંવેગથી અનુત્તર ધર્મશ્રદ્ધા જાગે છે અને એવી અપૂર્વ ધર્મશ્રદ્ધાથી શીઘ્ર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તે દ્વારા તે અનંતાનુબંધી (જીવાત્મા સાથે દઢ બંધાયેલા) ક્રોધ, માન, માયા અને લોભને ખપાવે છે. (આ સ્થળે કષાયોનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ એ ત્રણેમાંથી યોગ્યતા પ્રમાણે એક સ્થિતિ હોય છે.) તે જીવાત્મા નવું કર્મ બાંધતો નથી અને કર્મબંધનના નિમિત્તરૂપ મિથ્યાત્વની શુદ્ધિ કરીને દર્શન (સમક્તિ)નો આરાધક થાય છે. ઉચ્ચ પ્રકારની સમક્તિની વિશુદ્ધિથી (ક્ષાયિક સમક્તિની ઉચ્ચ સ્થિતિથી) કોઈ કોઈ જીવ તો તે જ ભવ મોક્ષ પામે છે એ જેઓ તે જ ભવે મોક્ષ ન પામે તેઓ પણ આત્મ વિશુદ્ધિ વડે ત્રીજે ભવે અવશ્ય મોક્ષ પામે છે. નોંધ : ત્રણ ભવથી અધિક ભવ તેને કરવા પડતા નથી.
૨. હે પૂજ્ય ! જીવાત્મા નિર્વેદ (નિરાસક્તિ)થી શું પામે છે ?
નિર્વેદથી દેવ, મનુષ્ય અને પશુ સંબંધીના પ્રત્યેક કામભોગોમાં શીઘ્ર વેરાગ્ય પામે છે અને તેથી બધા વિષયોથી વિરક્ત થાય છે. અને સર્વ વિષયોથી વિરક્ત થયેલો તે આરંભનો (પાપક્રિયાનો) પરિત્યાગ કરે છે. આરંભનો પરિત્યાગ કરીને સંસારના માર્ગને ક્રમપૂર્વક છેદી નાખે છે. અને સિદ્ધિ (મોક્ષ) માર્ગે ગમન કરે છે.
૩. હે પૂજય ! ધર્મશ્રદ્ધાથી જીવ શું ફળ પામે છે ?
ધર્મશ્રદ્ધાથી સાતાવેદનીય (કર્મથી પ્રાપ્ત થયેલા) સુખો મળવા છતાં તેમાં રાચતો નથી. પણ વૈરાગ્ય ધર્મને પામે છે અગર (ગૃહસ્થાશ્રમ) ધર્મને
Page #224
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરાક્રમ
૧૯૧ છોડી દે છે. અને અણગારી (ત્યાગી) થઈ શારીરિક અને માનસિક છેદન, ભેદન, સંયોગ અને વિયોગોના દુઃખનો નાશ કરે છે. (નવા કર્મબંધનથી નિવૃત્ત થઈ પૂર્વ કર્મનો ક્ષય કરે છે.) અને અવ્યાબાધ (બાધા રહિત) મોક્ષસુખને મેળવે છે.
૪. હે પૂજ્ય ! ગુરુજન અને સ્વધર્મીઓની સેવાથી જીવ શું પામે છે?
ગુરુજન અને સ્વધર્મીઓની સેવાથી સાચા વિનય (મોક્ષનું મૂળ કારણોને પ્રાપ્ત કરે છે. અને વિનય મેળવીને સમ્યકત્વનાં રોધક કારણોનો નાશ કરે છે અને તેથી નરક, પશુ, મનુષ્ય અને દેવ સંબંધીની દુર્ગતિને અટકાવે છે, અને જગતમાં બહુમાન કીર્તિ પામતો તે અનેક ગુણને દીપાવી સેવા ભક્તિના અપૂર્વ સાધન વડે મનુષ્ય અને દેવગતિને પામે છે. મોક્ષ અને સદ્ગતિના માર્ગ (જ્ઞાન, દર્શન અને ચારિત્ર)ને વિશુદ્ધ કરે છે અર્થાત્ કે વિનયથી પ્રાપ્ત થતાં સર્વ પ્રશસ્ત કાર્યોને તે સાધે છે અને સાથે સાથે બીજા જીવોને પણ તે માર્ગે દોરે છે.
૫. હે પૂજય ! આલોચનાથી જીવાત્મા શું પામે છે ?
આલોચનાથી માયા (કપટ), નિદાન અને મિથ્યાદર્શન (અમદદષ્ટિ) આ ત્રણ શલ્યો કે જે મોક્ષમાર્ગના વિધાતરૂપ અને સંસારનાં બંધન કરનાર છે તેને દૂર કરે છે. અને તેથી અપ્રાપ્ય સરળતાને પ્રાપ્ત થાય છે, સરળ જીવ કપટ રહિત બને છે તેથી સ્ત્રીવેદ કે નપુંસક વેદને બાંધતો નથી અને પૂર્વે બાંધેલ હોય તો તેનો નાશ કરે છે.
નોંધ : સ્ત્રીવેદ એટલે સ્ત્રી જાતિને યોગ્ય પ્રકૃતિ અને શરીરનું પામવું. ૬. હે પૂજય ! આત્મનિંદાથી જીવ શું પામે છે ?
આત્મદોષોની નિંદાથી પશ્ચાત્તાપની ભઠ્ઠીને જગાવે છે અને પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં દોષોને બાળી વૈરાગ્ય પામે છે. અને એ વિરક્ત પુરુષ અપૂર્વ કરણની શ્રેણિ (ક્ષપક શ્રેણિ) પ્રાપ્ત કરે છે. અને તે પ્રાપ્ત કરનાર તે ત્યાગીજન મોહનીય કર્મને ખપાવે છે.
નોંધ : કર્મનું સવિસ્તર વર્ણન તેત્રીસમા અધ્યયનમાં જુઓ
૭. હે પૂજય ! ગહ (અન્ય સમીપે આત્મનિંદા કરવા)થી જીવ શું મેળવે છે ?
ગથી આત્મનમ્રતા (લઘુતારૂપ બુટ્ટીને) મેળવે છે અને તેવો જીવ અપ્રશસ્ત કર્મબંધનના હેતુથી યોગોને નિવૃત્ત કરી પ્રશસ્ત યોગો પામે છે
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૨
ઉત્તરાધ્યયન સૂત્ર અને પ્રશસ્ત યોગો પામીને તે અણગાર અનંત (આત્મઘાતક કર્મોના પર્યાયોને નષ્ટ કરી નાંખે છે.
૮. હે પૂજ્ય ! સામાયિકથી જીવાત્મા શું પામે છે ? સામાયિક કરવાથી (આત્મસંતોષ) વિરામ મળે છે. ૯. હે પૂજય ! ચોવીસ તીર્થકરોની સ્તુતિથી જીવ શું પામે છે ? ચોવીસ તીર્થકરોની સ્તુતિથી આત્મદર્શનની વિશુદ્ધિ થતી જાય છે.
નોંધ : મનુષ્ય જેવું ધ્યાન ધરે છે તેવું જ તેનું આંતરિક વાતાવરણ બની જાય છે અને આખરે તેવો જ થઈ જાય છે.
૧૦. હે પૂજય ! વંદનથી જીવ શું મેળવે છે ?
વંદનથી નીચ ગોત્રોનું કર્મ બાંધ્યું હોય તે ખપાવી ઊંચ ગોત્રોનું કર્મ બાંધે છે. (નીચ વાતાવરણમાં ન જન્મતાં ઉચ્ચ વાતાવરણમાં જન્મે છે.) અને સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. તથા આજ્ઞાનું સફળ સામર્થ્ય પામે છે.
(ઘણા જીવો-સમાજ-નો નેતા બને છે.) અને દાક્ષિણ્યભાવ (વિશ્વ વલ્લભતા)ને પામે છે.
૧૧. હે પૂજ્ય ! જીવ પ્રતિક્રમણથી શું મેળવે ચે ?
પ્રતિક્રમણથી (આદરેલાં)વ્રતના છિદ્રો ઢાંકી શકે છે અને શુદ્ધ વ્રતધારી તે હિંસાદિ આશ્વવથી નિવૃત્ત થઈ આઠ પ્રવચનમાતામાં સાવધ થાય છે અને વિશુદ્ધ ચારિત્ર મેળવી સંયમ યોગથી અલગ ન થતાં જીવન પર્યત સંયમમાં સમાધિપૂર્વક વિચરે છે.
૧૨. હે પૂજ્ય ! કાયોત્સર્ગથી જીવ શું પામે છે ?
કાયોત્સર્ગથી ભૂત તથા વર્તમાન કાળના દોષોનું પ્રાયશ્ચિત કરી વિશુદ્ધ બને છે અને ભારવાહક જેમ ભારથી રહિત થઈ શાંતિપૂર્વક વિચરે છે તેમ તેવો જીવ ચિંતા રહિત થઈ પ્રશસ્ત ધ્યાનમાં સુખપૂર્વક વિચારે છે.
૧૩. હે ભગવન્ ! પ્રત્યાખ્યાનથી જીવ શું મેળવે છે ?
પ્રત્યાખ્યાનથી નવાં પાપો રોકી ઇચ્છાનો નિરોધ કરે છે અને ઇચ્છાનો નિરોધ કરવાથી સર્વ પદાર્થોમાં તે તૃષ્ણા રહિત બની પરમશાંતિ ઝીલી શકે છે.
૧૪. હે પૂજય ! સ્તવસ્તુતિ મંગળથી જીવ શું પામે છે ?
સ્તવસ્તુતિ મંગળથી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ બોધિલાભને મેળવે છે અને તે બોધિલાભને મેળવી દેહાંત મોક્ષ પામે છે અથવા (બાર દેવલોક, નવ રૈવેયક ને પાંચ અનુત્તર વિમાનવાળી) ઉચ્ચ દેવગતિની આરાધના કરે છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરાક્રમ
૧૯૩ ૧૫. હે પૂજ્ય ! સ્વાધ્યાયાદિકાળના પ્રતિલેખનથી જીવ શું પામે છે ? તેવા પ્રતિલેખનથી જીવાત્મા જ્ઞાનાવરણીય કર્મને દૂર કરે છે. ૧૬. હે પૂજ્ય ! જીવ પ્રાયશ્ચિત કરવાથી શું પામે છે ?
પ્રાયશ્ચિત કરવાથી પાપની વિશુદ્ધિ કરે છે અને વ્રતના અતિચારો (દાપો) રહિત થાય છે અને શુદ્ધ મનથી પ્રાયશ્ચિત ગ્રહણ કરીને કલ્યાણના માર્ગ અને તેના ફળની વિશુદ્ધિ કરે છે અને તે ક્રમથી ચારિત્ર અને તેના ફળ (મોક્ષ)ને આરાધી શકે છે.
૧૭. હે પૂજ્ય ! ક્ષમાથી જીવ શું પામે છે ?
ક્ષમાથી ચિત્તનો આલાદ થાય છે. અને તેના પ્રશાંત ચિત્તવાળો જીવ જગતના સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વ એ ચારે પ્રકારના જીવોમાં મિત્રભાવ ઉત્પન્ન કરી શકે છે. અને તે વિશ્વમૈત્રી પામી પોતાના ભાવની વિશુદ્ધિ કરી આખરે નિર્ભય બને છે.
નોંધ : અન્યના દોષો અને ભૂલો ગળી જવાથી ચિત્ત પ્રસન્ન રહે છે અને એ સતત ચિત્ત પ્રસન્નતાથી વિશુદ્ધપ્રેમ વિશ્વ પર પ્રગટે છે. તે કોઈને ભય આપતો નથી તેથી જ નિર્ભય બને છે. ૧૮. હે પૂજય ! સ્વાધ્યાયથી જીવ શું પાપ્ત કરે છે ? સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય કર્મને ખપાવે છે. ૧૯. હે પૂજય ! વાચનથી જીવ શું પ્રાપ્ત કરી શકે છે ?
વાચનથી કર્મની નિર્જરા થાય છે અને સૂત્રપ્રેમ થવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. અને તેવા સૂત્રપ્રેમથી તીર્થકરોના ધર્મનું અવલંબન મળે છે અને તે સત્યધર્મના અવલંબન વડે કર્મની મહાનિર્જરા કરી નિષ્કર્મી બને છે.
નોંધ : વાચનમાં સ્વવાચન અને અધ્યયન એ બંનેનો સમાવેશ થાય છે. ૨૦. હે પૂજ્ય ! શાસ્ત્રચર્ચાથી જીવ શું મેળવે છે ?
શાસ્ત્રચર્ચાથી મહાપુરુષોનાં સૂત્રો અને તેનું રહસ્ય તે બંનેને શોધી શકે છે. અને તેથી કાંક્ષામોહનીયકર્મ (મતિવિપર્યાસ)ને છેદી નાખે છે.
૨૧. હે પૂજ્ય ! સૂત્રપરિવર્તનથી જીવ શું મેળવે છે ?
વારંવાર અભ્યાસને ફેરવવાથી વિસરેલા અક્ષરોને સંભારે છે અને તે જીવાત્મા અક્ષરલબ્ધિ પામે છે.
૨૨. હે પૂજય ! અનુપ્રેક્ષાક્ષી જીવ શું પામે છે ?
આયુષ્ય કર્મને છોડી બાકીના સાત કર્મોના ગાઢ બંધનથી બંધાયેલી પ્રકૃતિઓને શિથિલ બંધનવાળી બનાવે છે. તે કર્મપ્રકૃતિ લાંબાકાળની
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ઉત્તરાધ્યયન સૂત્ર સ્થિતિવાળી હોય તો ટૂંકાકાળની સ્થિતિવાળી બનાવે છે. તીવ્ર રસવાળી હોય તો તે મંદરસવાળી બનાવે છે. બહુ પ્રદેશવાળી હોય તો અલ્પપ્રદેશવાળી બનાવે છે. કદાચ આયુષ્યકર્મ બંધાય અગર ન પણ બંધાય (જો પહેલાં આયુષ્ય ન બંધાયું હોય તો બંધાય). અસાતાવંદનીય કર્મ ન બંધાય અને તે જીવાત્મા અનાદિ, અનંત અને દીર્ધકાલિક એવા આ સંસાર અરણ્યને જલદી ઓળંગી જાય છે.
૨૩. હે પૂજ્ય ! ધર્મકથાથી જીવ શું પામે છે ?
ધર્મકથાથી નિર્જરા થાય છે અને જિનેશ્વરોનાં પ્રવચનોની પ્રભાવના થાય છે. એવા પ્રવચનોના પ્રભાવથી ભવિષ્યકાળમાં તે જીવ શુભકર્મ બાંધે છે.
૨૪. હે પૂજ્ય ! સૂત્ર સિદ્ધાંતની આરાધનાથી જીવ શું પામે છે ?
સૂત્રની આરાધનાથી અજ્ઞાન દૂર થાય છે અને તેથી તે જીવ કોઈ સ્થાને કલેશ પામતો નથી.
૨૫. હે પૂજય ! મનની એકાગ્રતાથી જીવ શું પામે છે ? મનની એકાગ્રતાથી તે જીવ ચિત્તનો વિરોધ કરે છે. ૨૬. હે પૂજ્ય ! સંયમથી જીવ શું પામે છે ? સંયમથી અનાગ્નવપણું (આવતાં પાપને રોકવાં તે) પામે છે. ર૭. હે પૂજય ! તપથી જીવ શું પામે છે ? શુદ્ધ તપશ્ચર્યાથી પૂર્વકર્મનો ક્ષય થાય છે.
૨૮. હે પૂજય ! સર્વકર્મના વિખરાવાથી (સર્વકર્મની નિવૃત્તિથી) જીવ શું પામે છે ?
કર્મ વિખરાયાથી જીવાત્મા સર્વ પ્રકારની ક્રિયાથી રહિત થાય છે અને ત્યારબાદ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ શાંત થાય છે અને સર્વ દુ:ખોનો અંત કરે છે.
૨૯, હે પૂજય ! ભોગજન્ય સુખથી દૂર રહી સંતોષથી (જીવન ગાળનાર) જીવ શું પામે છે ?
સંતોપથી અવ્યાકુળ શાંત બને છે અને તેવી સ્થિતબુદ્ધિ જીવ, હર્ષ, વિષાદ કે શોક રહિત ચારિત્રમોહનીય કર્મોને ખપાવે છે.
નોંધ : જે આવરણથી સંયમની ફુરણા ન થાય તે ચારિત્રમોહનીય કમે કહેવાય છે.
૩૦. હે પૂજય ! (વિપયાદિના) અપ્રતિબંધથી જીવ શું પામે છે ? અપ્રતિબંધથી અસંગતાનું ફળ ઉત્પન્ન થાય છે અને અસંગતથી ચિત્તની
Page #228
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરાક્રમ
૧૯૫ એકાગ્રતા પામી તે જીવ રાત્રિ અને દિવસ (કદી) કોઈપણ વસ્તુમાં ન બંધાતાં એકાંત શાંતિ પામે છે અને અપ્રતિબંધપણે વિચરે છે.
૩૧. હે પૂજય ! એકાંત સ્ત્રી ઇત્યાદિ સંગ રહિત) સ્થાન, આસન અને શયનને ભોગવતાં જીવ શું પામે છે ?
તેવા એકાંત સ્થાનથી ચારિત્રનું રક્ષણ થાય છે અને શુદ્ધ ચારિત્રશાળી જીવ રસાસક્તિ છોડી ચારિત્રમાં નિશ્ચળ થાય છે. આવી રીતે એકાંતમાં રક્ત મોક્ષભાવને પામેલ જીવાત્મા આઠે પ્રકારનાં કર્મોનાં બંધનથી મુક્ત થાય છે.
૩૨. હે પૂજય ! વિષયવિરક્તિથી જીવ શું પામે છે ?
વિષય વિરક્તિથી નવાં પાપ કર્મો થતાં અને પૂર્વે બંધાયેલાં હોય છે તે ટળે છે. ને ત્યારબાદ તે જીવ ચાર ગતિરૂપ સંસાર અટવીને ઓળંગી જાય છે.
૩૩. હે પૂજ્ય ! સંભોગના પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે ?
સંભોગના પ્રત્યાખ્યાનથી પરાવલંબનનો ક્ષય કરે છે અને તે સ્વાવલંબી જીવાત્માના યોગો ઉત્તમ અર્થવાળા થાય છે. તે પોતાના જ લાભથી સંતોષ પામે છે. બીજાના લાભની આશા કરતો નથી. તેમ કલ્પના, સ્પૃહા, પ્રાર્થના કે અભિલાષા પણ કરતો નથી. તે આવી રીતે અસ્પૃહી-અનભિલાષી બની ઉત્તમ પ્રકારની સુખશયા (શાંતિ) પામીને વિચરે છે.
નોંધ : સંયમીઓનાં પારસ્પરિક વર્તનોને સંભોગ કહેવાય છે. આવા સંભોગથી વિરમવું અર્થાત સૌથી નિર્લેપ રહેવું.
૩૪. હે પૂજ્ય ! ઉપધિ (સંયમીનાં ઉપકરણો)ના પચ્ચકખાણથી જીવ શું પામે છે ?
ઉપધિના પ્રત્યાખ્યાનથી તે પદાર્થના લેવા, મૂકવા કે સાચવવાની ચિંતાથી મુક્ત થાય છે અને ઉપધિ રહિત જીવ નિસ્પૃહી (સ્વાધ્યાય, ધ્યાન અને ચિંતનમાં નિશ્ચિત રહેનાર) થઈ ઉપાધિ ન મળે તો કલેશ પામતો નથી.
૩૫. હે પૂજય ! સર્વથા આહારના ત્યાગથી જીવ શું પામે છે ?
આહાર ત્યાગ કરવાની યોગ્યતાવાળો જીવ, આહાર ત્યાગથી જીવનની લાલસાથી મુક્ત બને છે અને જીવનનો મોહ છેદાવાથી તે જીવાત્મા આહાર વિના પણ ખેદ પામતો નથી.
૩૬. હે પૂજય ! કષાયના ત્યાગથી જીવ શું પામે છે ?
કષાયના ત્યાગથી વીતરાગભાવ ઉત્પન્ન થાય છે. અને વીતરાગભાવને પામેલા જીવને દુ:ખ અને સુખ સમાન બને છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ઉત્તરાધ્યયન સૂત્ર ૩૭. હે પૂજ્ય ! યોગ (વ્યાપાર)ના ત્યાગથી જીવ શું પામે છે ?
યોગના ત્યાગથી જીવ અયોગી (મન, વચન અને કાયાના વ્યાપાર રહિત) થાય છે. અને તેવો અયોગી જીવ ખરેખર કર્મ બાંધતો નથી, અને પૂર્વે બાધેલું હોય તેને સર્વથા દૂર કરે છે.
નોંધ : યોગ એટલે મન, વચન અને કાયાનો વ્યાપાર. ૩૮. હે પૂજ્ય ! શરીરના ત્યાગથી જીવ શું પામે છે ?
શરીરના ત્યાગથી સિદ્ધિના અતિશય (ઉચ્ચ) ગુણભાવને પામે છે. અને સિદ્ધિના અતિશય ગુણથી સંપન્ન થઈ તે જીવાત્મા લોકના અગ્રભાગમાં જઈ પરમ સુખ પામે છે. અર્થાત્ સિદ્ધ (સર્વ કર્મથી મુક્ત) થાય છે.
૩૯. હે પૂજય ! સહાયકના ત્યાગથી જીવ શું પામે છે ?
સહાયકના પ્રત્યાખ્યાનથી એકત્વ ભાવને પામે છે અને એકત્વ ભાવને પામેલા જીવ અકલ્પકષાયી, અલ્પકલેલી અને અલ્પભાષી થઈ સંયમ, સંવર અને સમાધિમાં વધુ દૃઢ થાય છે.
૪૦. હે પૂજ્ય ! આહારત્યાગની તપશ્ચર્યા કરનાર જીવ શું પામે છે ? તેવા અણસણથી સેંકડો ભવોને કાપી નાખે છે. (અલ્પ સંસારી બને છે.)
૪૧. હે પૂજ્ય ! (સર્વયોગ રુંધનરૂપ ક્રિયા માત્રના) ત્યાગથી જીવ શું પામે છે ?
વૃત્તિમાત્રના ત્યાગથી અનિવૃત્તિકરણ પામે છે. ને અનિવૃત્તિને પામેલા અણગાર કેવળી થઈ બાકી રહેલા ચારે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર) કર્માશોને ખપાવે છે. અને પછી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ શાંત થાય છે. (સર્વ દુઃખોનો અંત લાવે છે.)
૪૨. હે પૂજ્ય ! પ્રતિરૂપતા (આદર્શતા-સ્થવિરકલ્પી-ની આંતર ને બાહ્ય ઉપાધિ રહિત દશા) વડે જીવ શું પામે છે ?
પ્રતિરૂપતા (મન વચન ને કાયાની એકતા)થી લઘુપણા (નમ્રતા)ને પામે છે. અને તેવો જીવ અપ્રમત્તપણે પ્રશસ્ત અને પ્રકટ ચિહ્નોને ધારણ કરે છે ને તેવો નિર્મળ, સમ્યત્વી અને સમિતિ સહિત બને છે તથા સર્વ જીવોને વિશ્વાસરૂપ, જિતેન્દ્રિય, અને વિપુલ તપશ્ચર્યાથી યુક્ત પણ થાય છે.
૪૩. હે પૂજય ! સેવાથી જીવ શું પામે છે ? સેવાથી જીવાત્મા તીર્થકર નામગોત્ર બાંધે છે. ૪૪. હે પૂજ્ય ! સર્વગુણ પ્રાપ્ત કરવાથી જીવ શું પામે છે ? જ્ઞાનાદિ સર્વગુણોની પ્રાપ્તિ થયા પછી સંસારમાં આવવું પડતું નથી;
Page #230
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરાક્રમ
૧૯૭ અને સંસારમાં ન આવવાથી તે જીવાત્મા શારીરિક અને માનસિક દુઃખોથી મુક્ત થાય છે.
૪૫. હે પૂજ્ય ! વીતરાગપણાથી જીવ શું પામે છે ?
તેવી નિરાસક્તિથી સ્નેહનાં બંધનો તે જીવ છેદી નાખે છે તથા મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, ઇત્યાદિ વિષયોમાં વૈરાગ્ય પામે છે.
નોધ : વીતરાગતા અહી કેવળ વૈરાગસૂચક છે. ૪૬. હે પૂજય ! ક્ષમાથી જીવ શું પામે છે ? ક્ષમાથી તે વિકટ પરિષહો પર પણ વિજય મેળવે છે. ૪૭. હે પૂજય ! નિર્લોભતાથી જીવ શું પામે છે ?
નિર્લોભતાથી જીવ અપરિગ્રહી બને છે. અને ધનલોલુપી પુરુષોના (કણો પરાધીનતાઓ)થી બચી જાય છે. અર્થાત્ નિરાકુળ બને છે.
૪૮. હે પૂજ્ય ! નિષ્કપટતાથી જીવ શું પામે છે ? નિષ્કપટતાથી મન, વચન અને કાયાથી સરળતા અને સુંદરતા પ્રાપ્ત કરે છે. અને કોઈની સાથે તે પ્રવચના (ઠગાઈ) કરતો નતી. તેવો જીવાત્મા ધર્મનો આરાધક બને છે.
૪૯. હે પૂજય ! મૃદુતાથી જીવ શું પામે છે ?
મૃદુતાથી જીવ અભિમાન રહિત થાય છે. અને કોમળ મૃદુતાને પ્રાપ્ત કરી આઠ પ્રકારના મદરૂપ શત્રુનો સંહાર કરી શકે છે.
નોંધ : જાતિ, કુળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ અને ઐશ્વર્ય-આ આઠ મદનાં સ્થાનો છે.
૫૦. હે પૂજ્ય ! ભાવસત્યથી (શુદ્ધ અંતઃકરણથી જીવ શું પામે છે ?
ભાવસત્યથી હૃદયવિશુદ્ધિ ઉત્પન્ન થાય છે. અને વિશુદ્ધિ અંત:કરણવાળો જીવ જ અહંત પ્રભુના બતાવેલા ધર્મની આરાધના કરી શકે છે. અને તે ધર્મની આરાધનામાં ઉદ્યમી થઈ પરલોકમાં પણ ધર્મનો આરાધક બને છે.
૫૧. હે પૂજ્ય ! કરણસત્યથી જીવ શું પામે છે ?
કરણસત્ય (સત્ય પ્રવૃત્તિ કરવા)થી સત્યક્રિયા કરવાની શક્તિ જન્મે છે અને સત્ય પ્રવૃત્તિમાં રહેલો જીવ જેવું બોલે છે તેવું જ કરે છે.
પર. હે પૂજય ! યોગસત્યથી જીવ શું પામે છે ? સત્ય યોગથી યોગોની વિશુદ્ધિ થાય છે. નોંધ : યોગ એટલે મન, વચન અને કાયાનો વ્યાપાર.
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૫૩. હે પૂજ્ય ! મનગુપ્તિથી જીવ શું પામે છે ?
મનના સંયમથી એકાગ્રતા (માનસિકલબ્ધિ) ઉત્પન્ન થાય છે અને એકાગ્ર ચિત્તવાળો જીવ સંયમનો આરાધક બને છે.
૫૪. હે પૂજ્ય વચનસંયમથી જીવ શું પામે છે ?
વચનસંયમથી તે વિકાર રહિત થાય છે અને નિર્વિકાર જીવ આધ્યાત્મિક યોગના સાધનોથી (વચન સિદ્ધિ) યુક્ત થઈ વિચરે છે.
૫૫. હે પૂજય ! કાયાના સંયમથી જીવ શું પામે છે ?
કાયાસંયમથી સંવર (પાપોનું રોકવું) અને તેમાથી કાયલબ્ધિ ઉત્પન્ન થાય છે અને સંવરથી તે જીવ પાપ પ્રવાહનો વિરોધ કરી શકે છે.
પ૬. હે પૂજ્ય ! મનને સત્ય માર્ગમાં (સમાધિમાં) સ્થાપવાથી જીવ શું પામે છે ?
મનને સત્ય માર્ગમાં સ્થાપવાથી એકાગ્રતા ઉત્પન્ન થાય છે અને એકાગ્રતા ઉત્પન્ન કરીને જીવ જ્ઞાનના પર્યાયો (અનેક શક્તિઓ) ઉત્પન્ન કરે છે. અને જ્ઞાનના પર્યાયોને ઉત્પન્ન કરીને સમ્યત્વની શુદ્ધિ કરે છે અને મિથ્યાત્વને દૂર કરે છે.
૫૭. હે પૂજય વચનને સત્યમાર્ગમાં સ્થાપવાથી જીવ શું પામે છે ?
વચનને સત્યમાર્ગમાં સ્થાપવાથી સમ્યકત્વના પર્યાયો નિર્મળ કરે છે. અને સુલભ બોધિત્વ પામે છે. તેમજ દુર્લભ બોધિત્વથી નિવૃત્ત થાય છે.
૫૮. હે પૂજ્ય ! કાયાને સંયમમાં સ્થાપવાથી જીવ શું પામે છે ?
કાયાને સત્યભાવે સંયમમાં સ્થાપવાથી ચારિત્રના પર્યાયો નિર્મળ થાય છે અને ચારિત્રના પર્યાયોને નિર્મળ કરીને અનુક્રમે યથાખ્યાત ચારિત્રની સાધના કરે છે. યથાખ્યાત ચારિત્રની વિશુદ્ધિ કરીને ચાર કર્માશોને ખપાવે છે. અને ત્યારબાદ તે જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને શાંત થઈ સર્વ દુઃખોનો અંત કરે છે.
પ૯. હે પૂજય ! જ્ઞાનસંપન્નતાથી જીવ શું પામે છે ?
જ્ઞાન સંપન્ન જીવ સર્વ પદાર્થોના યથાર્થ ભાવને જાણી શકે છે અને તે ચતુર્ગતિરૂપ સંસાર અટવીમાં દુઃખી થતો નથી. જેમ દોરાવાળી સોય ખોવાતી નથી તેમ જ્ઞાની જીવ સંસારમાં ભૂલો પડતો નથી અને જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનયના યોગોને પ્રાપ્ત કરે છે તેમ જ પોતાના દર્શન અને પરના દર્શનને બરાબર જાણીને અસત્યમાર્ગમાં ફસાતો નથી.
Page #232
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ પરાક્રમ
૬૦. હે પૂછ્ય ! દર્શન સંપન્નતાથી જીવ શું પામે છે ? સમક્તિ જીવપંસારના મૂળરૂપ અજ્ઞાનનું છેદન કરે છે. તેના જ્ઞાનનો પ્રકાશ ઓલવાતો નહી અને તે પ્રકાશતાં શ્રેષ્ઠ જ્ઞાન તથા દર્શનથી પોતાના આત્માને સંયોજીને સુંદર ભાવનાપૂર્વક વિચરે છે.
૬૧. હે પૂજ્ય ! ચારિત્ર સંપન્નતાથી જીવ શું પામે છે ?
ચારિત્ર સંપન્નતાથી શૈલેશી (મેરુ જેવા નિશ્ચળ) ભાવને ઉત્પન્ન કરે છે અને તેવા નિશ્ચળ ભાવને પામેલો અણગાર બાકી રહેલાં ચાર કર્મોને ખપાવે છે અને ત્યારબાદ સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને શાંત થઈ સર્વ દુઃખોનો અંત કરે છે. ૬૨. હે પૂજ્ય ! શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવ શું પામે છે ?
શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી સુંદર કે અસુંદર શબ્દોમાં રાગદ્વેષ રહિતપણે વર્તે છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મો બાંધતો નથી અને પૂર્વે જે કર્મો બાંધેલાં છે તેનો ક્ષય કરે છે.
૧૯૯
૬૩. હે પૂજ્ય ! આંખના સંયમથી જીવ શું પામે છે ?
આંખના સંયમથી સુંદર કે અસુંદર રૂપોમાં (દશ્યોમાં) રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મો બાંધતો નથી અને પૂર્વે જે કર્મો બાંધેલાં છે તેનો ક્ષય કરે છે.
૬૪. હે પૂજ્ય ! પ્રાણેન્દ્રિયના નિગ્રહથી જીવ શું મેળવે છે ?
નાકના સંયમથી સુવાસિત કે દુર્ગંધિત પદાર્થોમાં રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મોને બાંધતો નથી. અને જે કર્મો બાંધેલાં છે તેનો ક્ષય કરે છે.
૬૫. હે પૂછ્યું ! જિલ્લેન્દ્રિયના નિગ્રહથી જીવ શું મેળવે છે ?
જીભના સંયમથી સુંદર કે અસુંદર રસોમાં (રસવાળાં કે મસાલાવાળામાં) રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલા કર્મો બાંધતો નથી અને પૂર્વે જે કર્મો બાંધેલા છે તેનો ક્ષય કરે છે.
૬૬. હે પૂજ્ય ! સ્પર્શેન્દ્રિયના સંયમથી જીવ શું પામે છે ? સ્પર્શેન્દ્રિયના સંયમથી સુંદર કે અસુંદર રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મો બાંધતો નથી અને પૂર્વે જે કર્મો બાંધેલાં છે તેનો ક્ષય કરે છે.
૬૭. હે પૂજ્ય ! ક્રોધના વિજયથી જીવ શું પામે છે ?
ક્રોધવિજયથી જીવ ક્ષમાના ગુણને પ્રગટાવે છે. ક્રોધથી ઉત્પન્ન થતાં કર્મોને બાંધતો નથી અને પહેલાં બાંધ્યાં હોય તેને ખપાવે છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૬૮. હે પૂજ્ય ! માનના વિજયથી જીવ શું પામે છે ? માનના વિજયથી મૃદુતાના અપૂર્વ ગુણને પ્રગટાવે છે અને માનજન્ય કર્મને બાંધતો નથી અને પૂર્વે જે બંધાયું છે તેને ખપાવે ચે.
૬૯. હે પૂજ્ય ! માયાના વિજયથી જીવ શું પામે છે ?
૨૦૦
માયાના વિજયથી સરળભાવપણું પામે છે અને માયાથી વેદવાં પડતાં કર્મો બાંધતો નથી અને પૂર્વે બંધાયાં હોય તો તેને દૂર કરે છે.
૭૦. હે પૂજ્ય ! લોભના વિજયથી જીવ શું પામે છે ?
લોભના વિજયથી સંતોષરૂપ અમૃતને મેળવે છે. લોભજન્ય કર્મને બાંધતો નથી અને પૂર્વે બંધાયેલાં છે તેને વિખેરે છે.
૭૧. હે પૂજ્ય ! રાગદ્વેષ અને મિથ્યાદર્શનના વિજયથી જીવ શું પામે છે ? રાગદ્વેષ અને મિથ્યા દર્શનના વિજયમાં પ્રથમ તો જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધનામાં તે જીવાત્મા ઉદ્યમી બને છે અને પછી આઠ પ્રકારનાં કર્મોની ગાંઠથી મુકાવા માટે ક્રમપૂર્વક અઠ્ઠાવીસ પ્રકારનાં મોહનીય કર્મોનો ક્ષય કરે છે અને ત્યારબાદ પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ, નવ પ્રકારનું દર્શનાવરણીય કર્મ અને પાંચ પ્રકારનું અંતરાય કર્મ એ ત્રણે કર્મો એકી સાથે ખપાવે છે. અને ત્યારબાદ શ્રેષ્ઠ, સંપૂર્ણ, આવરણરહિત, અંધકારરહિત, વિશુદ્ધ અને લોકાલોકમાં પ્રકાશિત એવાં કેવળજ્ઞાન તથા કેવળ દર્શનને પામે છે. કેવળ થયા પછી જ્યાં સુધી સયોગી હોય છે ત્યાં સુધી ઇર્યાપથિક કર્મ બાંધે છે. તે કર્મનો સ્પર્શ માત્ર બે સમયની સ્થિતિવાળો અને સુખકર હોય છે. તે કર્મ પહેલે સમયે બંધાય છે બીજે સમયે વેદાય છે અને ત્રીજે સમયે નષ્ટ થાય છે. પહેલે સમયે (ક્ષણે) તે કર્મ બંધાયું, બીજે સમયે વેદાયું, અને ત્રીજે સમયે છેવટ નષ્ટ થયું, એટલે ચોથે સમયે તો તે જીવાત્મા કર્મરહિત થાય છે.
નોંધ : કર્મોનાં વર્ણન માટે ૩૩મું અધ્યયન જુઓ.
૭૨. ત્યારબાદ તે કેવળી જેટલું આયુષ્ય હોય તેટલું પૂર્ણ કરીને આયુષ્યના અંતથી અંતમુહૂર્ત (બે ઘડી) જેટલો કાળ બાકી રહે ત્યારે મન, વચન અને કાયાના વ્યાપારનો રોધ કરી તે જીવ સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતિ (શુક્લ ધ્યાનનો ત્રીજો ભેદ છે) ચિંતવીને સૌથી પહેલાં મન, વચન અને કાયાનો યોગ રૂંધે છે અને તે વ્યાપાર રૂંધીને શ્વાસોચ્છ્વાસનો પણ નિરોધ કરે છે અને તે નિરોધ કર્યા પછી પાંચ હ્રસ્વ અક્ષરોનું ઉચ્ચારણ કરતાં જેટલો કાળ થાય તેટલો કાળ
Page #234
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરાક્રમ
૨૦૧ (શૈલેશી અવસ્થામાં) રહીને તે અણગાર સમુચ્છિનક્રિય (ક્રિયારહિત) અને અનિવૃત્તિ (અક્રિયાવૃત્તિ) નામના શુક્લધ્યાનને ચિંતવતો તે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારે કર્મોને એકી સાથે ખપાવે છે.
નોંધ : આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એમ ધ્યાનના ચાર ભેદો છે.શુક્લ ધ્યાનના પણ ચાર ભેદો છે. તેમાંના છેલ્લા બે કેવળી જીવાત્મા ચિંતવે છે.
૭૩. ત્યારબાદ ઔદારિક, તૈજસ અને કાર્પણ એ સર્વ શરીરોને છોડી સમશ્રેણિને પ્રાપ્ત કરીને કોઈ સ્થળે રોકાયા વગર અવક્રગતિએ સિદ્ધસ્થાનમાં પામીને પોતાની મૂળ શરીરની અવગાહનાના ૨-૩ જેટલા આકાશ પ્રદેશ થાય તેથી યુક્ત થઈ સર્વ કર્મોનો અંત કરે છે. - ૭૪. આ પ્રમાણે ખરેખર સમ્યકત્વ પરાક્રમ નામના અધ્યયનો અર્થ શ્રમણ ભગવાન મહાવીરે કહ્યો છે, બતાવ્યો છે, દેખાડ્યો છે અને ઉપદેશ્યો છે.
નોંધ : સમક્તિ સ્થિતિ એ ચોથા ગુણસ્થાનકની સ્થિતિ છે. જીવાત્મા કર્મ, માયા કે પ્રકૃતિને આધીન રહે છે ત્યારે પ્રથમથી માંડીને સાવ મુક્ત થતાં સુધીમાં તે ઘણી ઘણી ભૂમિકાઓથી પસાર થતો રહે છે. સંસારના ગાઢબંધનથી માંડીને સાવ મુક્ત થતા સુધી અશુદ્ધ (આઠ રૂચક પ્રદેશો જ માત્ર શુદ્ધ રહે છે નહિ તો જડ જેવો બને છે.) ચેતન્યથી માંડીને સાવ શુદ્ધ ચૈતન્ય થાય ત્યાં સુધીની ભૂમિકાઓને જૈન દર્શન સંક્ષિપ્તથી ચૌદ પ્રકારમાં વિભક્ત કરે છે. તેને જ ગુણ સ્થાનક તરીકે ઓળખવામાં આવે છે.
આ ભૂમિકાઓ સ્થાન વિશેષ નહિ પણ આત્માની સ્થિતિ વિશેષ છે. પહેલું સ્થાનક મિથ્યાષ્ટિનું છે, તે દૃષ્ટિ એક ઉચ્ચ મનુષ્યથી માંડીને અવિકસિત સૂક્ષ્મ જીવો સુધી રહેલી હોય છે. પરંતુ તેમાં તરતમતા (ઓછાવત્તા)ના અસંખ્ય ભેદો છે, બીજી અને ત્રીજી ભૂમિકા પણ અસ્થિર છે, તેથી ચોથીથી જ મોક્ષમાર્ગ શરૂ થાય છે એમ સમજવું. અન્ય દર્શનમાં આ સ્થિતિને આત્મસાક્ષાત્કાર તરીકે વર્ણવી છે. આ ભૂમિકામાં સંસાર પરિભ્રમણ કરાવવાના નિમિત્તરૂપ તીવ્ર કષાયો મંદ પડી જાય છે. એ આત્મ પરિણામો જેટલાં વિશુદ્ધ, કૃત્રિમ શુદ્ધ કે મિશ્ર હોય તે પ્રમાણમાં તે ક્ષાયિક, ઉપશમ અને ક્ષયોપશમ સ્થિતિ તરીકે કહેવાય છે. આઠમે ગુણસ્થાનક પહોચ્યા પછી આ ત્રણ પૈકી માત્ર બે શ્રેણિઓ રહે છે જેને ઉપશમ અને
પક શ્રેણિ કહેવાય છે. ઉપશમ (કર્મોને ઉપશમાવનાર) શ્રેણિવાળા જીવનું આગળ વધ્યા પછી પણ પતન જ થાય છે. કારણ કે તે વિશુદ્ધિ સાચી નહિ પણ કૃત્રિમ હોય છે. જેમ રાખથી ઢંકાયેલો અગ્નિ ન દેખાવા છતાં વાયુના
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ઉત્તરાધ્યયન સૂત્ર સપાટાથી સ્પષ્ટ દેખાઈ રહે છે, તે જ પ્રકારે ઉપશમ શ્રેણિવાળો જીવાત્મા અગિયાર ગુણસ્થાન જેવી ઉચ્ચ ભૂમિકા પર પહોંચ્યા છતાં સૂક્ષ્મ લોભનો ઉદય થતાં પતિત થાય છે.
ક્ષપક (કર્મોનો ક્ષય કરનાર) શ્રેણિવાળો જીવાત્મા દસમી ભૂમિકા પરથી અગિયારમીએ ન જતાં સીધો બારમી ભૂમિકા પર પહોંચે છે. આ સ્થિતિમાં તેના કષાયો ક્ષીણ થયા હોય છે અને તેથી તે તેરમા ગુણસ્થાનકે જઈ કેવળી થાય છે. આ વખતે આઠ કર્મો પૈકી ચાર કર્મોનાં (નિસત્વ જેવાં) આવરણ રહે છે કેવળી જ્યાં સુધી દેહ હોય છે ત્યાં સુધી દેહની હાજતોને લઈને કર્મ કરતા રહે છે પરંતુ તે કર્મ આસક્તિ રહિત હોઈને બંધન કર્તા ન હોઈ તુરત જ ખરી પડે છે. આ ક્રિયાને ઇપથિકી ક્રિયા કહે છે.
આયુષ્યકાળ પૂર્ણ થવાના સમયે શુકલ ધ્યાનનો ત્રીજો ભેદ કે જેને સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી કહે છે તેને ચિંતવીને સૌથી પ્રથમ મનોયોગ, વચનયોગ અને કાયયોગ એમ ક્રમપૂર્વક રૂંધન કરી આખરે શ્વાસોચ્છવાસને રૂંધી તે જીવાત્મા સાવ નિષ્કપ બને છે. આ સ્થિતિને શૈલેશી અવસ્થા કહેવાય છે. ત્યાં , ફુ ૩, અને 7 એવાં પાંચ હ્રસ્વ અક્ષરના ઉચ્ચારણ કાળ જેટલો સમય રહી આખરે શુકલ ધ્યાનના ચોથા ભેદને સ્પર્શી બાકી રહેલાં ચારે કર્મોનો ક્ષય કરી પૂર્ણ આત્મસ્વરૂપી શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે.
શુદ્ધ ચેતનની સ્વાભાવિક ઊર્ધ્વગતિ હોવાને લીધે તે ઊંચે અને ઊંચે જયાં સુધી તેનું ગતિસહાયક તત્ત્વ-ધર્માસ્તિકાય હોય છે, ત્યાં સુધી ઊંચે જઈ આખરે સ્થિર થાય છે. જે સ્થાને આત્મ સ્થિરતા થાય છે તે સ્થાન લોકના અગ્રભાગ પર આવેલું છે અને તેને સિદ્ધગતિ તરીકે કહે છે. અંતિમ શરીર છોડતી વખતે તેનું પરિણામ (ઊંચાઈ, પહોળાઈ) હોય તેમાંનો ૧-૩ ભાગ (મુખ, કાન, પેટ વગેરે ખાલી સ્થળે) પોલો હોય છે. તેટલો ભાગ નીકળી જી ર-૩ ભાગમાં તે જીવાત્માના તેટલા પ્રદેશો તે સિદ્ધસ્થાનમાં વ્યાપ્ત થાય છે. તે તેની અવગાહના કહેવાય છે. ભિન્ન ભિન્ન સિદ્ધાત્માઓના પ્રદેશો પરસ્પર અવ્યાઘાત રહી પરસ્પરનું પૃથકત્વ બતાવતા રહે છે, એવા પરમ પુરષો વીતરાગ, વીમોહ અને વીત, હોવાથી તેમનું સંસારમાં પુનરાગમન થઈ શકતું નથી.
એમ કહુ છું : આમ સમ્યકત્વ પરાક્રમ સંબંધી ઓગણત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.
Page #236
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ
૨૦૩
અધ્યયન : ત્રીસમું
તપોમાર્ગ
આખો સંસાર આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુઃખોથી ઘેરાયેલો છે. સંસારના સર્વ જીવો આધિ, વ્યાધિ અને ઉપાધિથી હણાઈ રહ્યા છે. કોઈ વખતે શારીરિક તો કોઈ વખતે માનસિક એમ દર્દીની તડામાર લાગી રહી છે, અને એ વ્યાધિથી બેજાર થયેલા જીવો તેનું નિવારણ સતત ઈચ્છી રહ્યા છે.
દરેક કાળમાં દરેક ઉદ્ધારક પુરુષ ભિન્નભિન્ન પ્રકારનાં ઔષધ આપે છે. ભગવાન મહાવીરે સર્વ સંકટોના નિવારણ માટે એક માત્ર ઉત્તમ કોટિની જડીબુટ્ટી આપી છે કે જે તપશ્ચર્યાને નામે ઓળખાય છે.
તપશ્ચર્યા મુખ્યત્વે બે પ્રકારમાં વિભક્ત કરી છે કે જે આંતરિક અને બાહ્યના નામે પ્રસિદ્ધ છે.
બાહ્ય તપશ્ચર્યા ખાસ કરીને અપ્રમત્ત રાખવા અર્થે છે. જો શરીર પ્રમાદી હોય તો તેની પ્રવૃત્તિ પાપ તરફ ઢળતી હોય છે અને તેવી પરિસ્થિતિમાં શરીર તથા ઇન્દ્રિયો સાધકને બદલે બાધક થઈ પડે છે. જ્યારે શરીર અપ્રમત્ત અને સંયમી બને ત્યારે જ આત્મ જિજ્ઞાસા જાગે છે અને ચિંતન, મનન, યોગાભ્યાસ, ધ્યાન વગેરે આત્મસાધનાનાં અંગોમાં પ્રવૃત્ત થઈ શકે છે.
તેથી જ બાહ્યતપશ્ચર્યામાં અણસણ (ઉપવાસ), ઉણોદરી (અલ્પાહાર) ભિક્ષાચરી (મળેલાં સાધનોનો પણ પરિમિત જ ઉપયોગ કરવો), રસ પ્રરિત્યાગ (સ્વાદેન્દ્રિય નિગ્રહ), કાયક્લેશ (દેહ દમનની ક્રિયા) અને વૃત્તિસંક્ષેપ (જીવનની જરૂરિયાતો ઘટાડતા જવું). આ છએ તપશ્ચર્યાઓ એકલાં અમૃત છે. તેનો જે જે દૃષ્ટિએ જેટલા પ્રમાણમાં ઉપયોગ થાય તેટલું પાપ ઘટે અને પાપ ઘટે એટલે ધાર્મિક ભાવ અવશ્ય વધ્યે જાય. પરંતુ તેનો ઉપયોગ પોતાની યોગ્યતા પ્રમાણે કરતાં રહેવું જોઈએ.
આંતરિક તપશ્ચર્યાઓમાં પ્રાયશ્ચિત, વિનય, સેવા, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ (દેહાધ્યાસનો ત્યાગ) એ છ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ છએ સાધનો આત્મોન્નતિનાં ભિન્ન ભિન્ન પગથિયાં છે. આત્મોન્નતિના ઇચ્છુક સાધકો તેમાંથી ઘણું પ્રાપ્ત કરી શકે તેમ છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ઉત્તરાધ્યયન સૂત્ર
ભગવાન બોલ્યા : ૧. રાગ અને દ્વેષથી એકઠું થયેલું પાપકર્મ ભિક્ષુ જે તપ વડે ખપાવે છે તેને (તે તપને) એકાગ્ર ચિત્તથી સાંભળો.
૨. પ્રાણીવધ, મૃષાવાદ (અસત્ય) અદત્ત, મૈથુન (અબ્રહ્મચર્ય) અને પરિગ્રહ એ પાંચ મહાવ્રતોથી તથા રાત્રિભોજનથી વિરક્ત થયેલો જીવાત્મા અનાસ્રવ (નવાં પાપ રોકનાર-આસ્રવ રહિત) થાય છે.
૩ વળી પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી સહિત, કષાયથી રહિત, જિતેન્દ્રિય, નિરાભિમાની અને શલ્ય રહિત જીવ અનાસ્ત્રવી થાય છે.
૪. ઉપર કહેલા ગુણોથી વિપરીત એવા દોષો દ્વારા રાગ અને દ્વેષથી એકઠું કરેલું કર્મ જે પ્રકારે નષ્ટ થાય છે તે (ઉપાય)ને એકાગ્ર મનથી સાંભળો.
પ. જેમ મોટા તળાવનો જળ આવવાનો માર્ગ રૂંધીને તેમ જ અંદરનું પ્રથમનું પાણી ઉલેચીને તથા સૂર્યના તાપે કરીને ક્રમપૂર્વક તે (જળ)નું શોષણ થાય છે તેમ
૬. સંયમી પુરુષનું નવું થતું પાપકર્મ (પણ વ્રત દ્વારા) રૂંધવાથી આવતું નથી અને પૂર્વે કરોડો ભવથી સંચિત કરેલું જે પાપકર્મ હોય છે તે પણ તપ વડે જીર્ણ થઈ જાય છે.
૭. તે તપ બાહ્ય અને આંતરિક એમ બે પ્રકારનું છે. અને તે બાહ્ય તથા આંતરિક તપના પણ પૃથક પૃથક્ છ છ ભેદો છે.
૮. (બાહ્ય તપના ભેદો કહે છે) ૧. અણસણ, ૨. ઉણોદરી, ૩. ભિક્ષાચરી, ૪. રસ પરિત્યાગ, ૫. કાય કલેશ અને ૬. સંલીનતા. એમ છ પ્રકારનું બાહ્ય તપ હોય છે.
૯. એક કાળ મર્યાદિત (એટલે કે, એક ઉપવાસ કે અધિક દિનપર્યત અને બીજું મરણ પર્યત એમ અણસણ બે પ્રકારના હોય છે. તેમાં પહેલું (ભોજનની) આકાંક્ષા સહિત અને બીજું કાંક્ષા રહિત હોય છે.
નોંધ : પહેલામાં મર્યાદા હોવાથી ભોજનની અપેક્ષા રહે છે. બીજામાં રહેતી નથી.
૧૦. જે કાળ મર્યાદિત તપ છે તે પણ સંક્ષેપથી છ પ્રકારનું છે. ૧. શ્રેણિતપ, ૨. પ્રતર તપ, ૩. ધન તપ, ૪. વર્ગ તા.
૧૧. ૫. વર્ગ તપ અને ૬. પ્રકીર્ણ તપ. આ પ્રમાણે ભિન્ન ભિન્ન અને મનોવાંચ્છિત ફળ આપનારું, કાળમર્યાદિત અણસણ જાણવું.
Page #238
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ
૨૦૫
નોંધ : શ્રેણિતપ વગેરે તપશ્ચર્યાઓ જુદી જુદી રીતે ઉપવાસો કરવાથી થાય છે. તે તપોનું વિસ્તૃત વર્ણન અન્ય સૂત્રોમાં જોઈ લેવું.
૧૨. જે મરણપર્યંતનું અણસણ હોય છે તે પણ કાયચેષ્ટાને ઉદ્દેશી બે પ્રકારનું કહ્યું છે. ૧. સવિચાર (કાયાની ક્રિયા સહિત) એ ૨. અવિચાર નિષ્ક્રિય,
૧૩. અથવા સપરિકર્મ (બીજાની સેવા લેવી તે) અને અપરિકર્મ એમ બે પ્રકારે કહ્યું છે તેના પણ બે ભેદ છે. ૧. નિહારી અને ૨. અનિહારી. એ બંને પ્રકારના મરણોમાં આહારનો ત્યાગ તો હોય છે જ.
નોંધ : નિહારી એટલે જે મુનિનું ગામમાં મરણ થતાં મૃત ક્લેવરને બહાર લઈ જવું તે અને ગુફામાં મરણ થાય તે અનિહારી કહેવાય છે.
૧૪. ઉણોદરી તપ પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને પર્યાયથી સંક્ષેપમાં પાંચ પ્રકારનું કહ્યું છે.
૧૫. જેટલો જેનો આહાર હોય તે પૈકી અલ્પમાં અલ્પ એક કવલ પણ ઓછો લેવો એ દ્રવ્યથી ઉણોદરી તપ કહેવાય છે.
૧૬. ૧. ગામ, ૨. નગર, ૩. રાજધાની, ૪. નિગમ, ૫. આકર (ખાણવાળો પ્રદેશ), ૬. પલ્લી (અટવીની વચ્ચેનો પ્રદેશ), ૭. ખેટ (જ્યાં ધૂળનો કોટ હોય તે પ્રદેશ), ૮. કરબટ (નાના નાના ગામોવાળો પ્રદેશ) ૯. દ્રોણમુખ (જળ અને સ્થળવાળો પ્રદેશ) ૧૦. પાટણ (સર્વ દિશાથી માણસ આવી શકે તેવું સ્થળ), ૧૧. મંડપ (ચારે દિશામાં અઢી અઢી ગાઉ સુધી ગામ હોય તે), ૧૨. સંવાહન (પર્વતમાં મધ્યમાં ગામ હોય તે).
૧૭.-૧૮. ૧૩. આશ્રમપદ (તાપસનાં સ્થાનકો હોય તે) ૧૪. વિહાર (જ્યાં ભિક્ષુઓ વસતા હોય તેવું સ્થળ), ૧૫. સન્નિવેશ (નાના નાના નેસડાઓ), ૧૬. સમાજ (ધર્મશાળા), ૧૭. ઘોષ (ગાયોનું ગોકુળ), ૧૮. સ્થળ (રેતીના ઊંચા ઢગલાવાળું સ્થળ), ૧૯. સેના (સેનાનું સ્થળ, ૨૦. ખંધાર (કટક ઉતરવાના સ્થળ), ૨૧. સાર્થ (વાહનોને ઊતરવાનું સ્થળ), ૨૨. સંવર્ત (ભયોથી ત્રાસેલાં કુટુંબ આવીને રહે તે સ્થળ), ૨૩. કોટ (કોટવાળું ગામ), ૨૪. વાડા (વાડાઓમાં વાડાવાળા સ્થળ), ૨૫. શેરીઓ, અને ૨૬. ધરો. આટલા ક્ષેત્રોમાં અભિગ્રહ કરે કે આટલા પ્રદેશનો જ જો આહાર મળે તો લેવો એ પ્રકારનું ક્ષેત્રથી ઉણોદરી તપ કહેવાય છે.
નોંધ : ખાસ કરીને આ ક્ષેત્રો જૈન ભિક્ષુઓને માટે કહ્યાં છે. પરંતુ ગૃહસ્થસાધક પણ પોતાનાં ક્ષેત્રમાં આવા પ્રકારની ક્ષેત્ર મર્યાદા કરી શકે છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૯. ૧. પેટીને આકારે, ૨. અર્ધપેટીને આકારે, ૩. ગોમૂત્રને આકારે, ૪. પતંગને આકારે, ૫. શંખાવૃતને આકારે તેના બે ભેદ ૧. પાડામાં અને ૨. પાડાબહાર, અને ૬. પહેલાં સળંગ છેડા સુધી જઈને પછી પાછો વળતાં ભિક્ષાચરી કરે. એમ છ પ્રકારે ક્ષેત્ર થકી ઉણોદરી તપ કહેવાય છે.
નોંધ : ઉપરના છએ આકારો પ્રમાણે ભિક્ષાચરી કરવાનો નિયમ માત્ર ભિક્ષુ માટે કહેવાયો છે.
૨૦. દિવસના ચાર પ્રહરમાંથી અમુક પ્રહરે ભિક્ષા મળે તો લેવી એ પ્રકારે અભિગ્રહ (સંકલ્પ) ધારી વિચરે તે કાળ થકી ઉણોદરી તપ જાણવું.
૨૧. અથવા થોડી ન્યૂન ત્રીજી પોરસીમા કે ત્રીજી પોરસીનો ચોથો ભાગ બાકી રહે ત્યારે ભિક્ષાચરી મળે તો ગ્રહણ કરીશ. એ પ્રકારનો સંકલ્પ કરે તો તે કાળથી ઉણોદરી તપ કહેવાય.
૨૨. સ્ત્રી અથવા પુરુષ અલંકાર સહિત કે રહિત અથવા બાલ, યુવાન કે વૃદ્ધ તેમ જ અમુક પ્રકારનાં વસ્ત્ર સહિત હોય
૨૩. વળી અમુક વર્ણવાન હોય, રોષ રહિત કે હર્ષસહિત હોય એવાં એવાં ચિહ્નોથી યુક્ત હોય તેવાને હાથે જ ભિક્ષા લેવી તેવો સંકલ્પ કરે તે ભાવથી ઉણોદરી તપ કહેવાય.
નોંધ : આવા કડક સંકલ્પ વારંવાર ફળે નહિ તેથી ભિક્ષા ન મળતાં વારંવાર (ભૂખ્યા રહેવાથી) તપશ્ચર્યા થાય તે સંભવિત છે.
૨૪. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે જે વર્ણન કર્યું એ ચારે નિયમો સહિત થઈ જે ભિક્ષુ વિચરે તે પર્યવીર તપશ્ચર્યા કરનાર કહેવાય છે.
નોંધ : પર્યવ એટલે જેમાં ઉપર કહેલા ચારે અંશ હોય તે તપને પર્યાય ઉણોદરી તપ કહેવાય છે.
૨૫. આઠ પ્રકારની ગોચરીમાં અને સાત પ્રકારની એષણામાં જે જે બીજા અભિગ્રહો ભિક્ષુ રાખે છે તે ભિક્ષાચારી તપ કહેવાય છે.
નોંધ : ત્રીજી તપશ્ચર્યાને અન્ય ગ્રંગોમાં વૃત્તિ સંક્ષેપ પણ કહેલ છે. વૃત્તિ સંક્ષેપ એટલે જીવનની જરૂરિયાતો ઓછામાં ઓછી કરી નાખવી તે ત્રીજું બાહ્ય તપ કહેલ છે.
૨૬. દૂધ, દહીં, ઘી વગેરે રસો તથા સંસ્કારી રસિક ભોજન તથા બીજા પણ રસોનો ત્યાગ કરવો તે રસપરિત્યાગ નામની તપશ્ચર્યા કહેવાય છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
તપોમાર્ગ
૨0૭
૨૭. વીરાસન (ખુરસી જેવું આસન) વગેરે વિવિધ આસનો કાયાને અપ્રમત્ત રાખી સુખ કરનાર નીવડે છે. તેવાં કડક આસનો કરી કાયાને કસવી તે કાય કલેશ નામનું તપ કહેવાય છે.
૨૮. એકાંત કે જયાં સ્વાધ્યાય ધ્યાનની અનુકૂળતા મળે, કોઈ ન આવે જાય એવા સ્ત્રી, પશુથી રહિત સ્થાનમાં શયન તથા આસનનું સેવન કરવું તે સંલીનતા નામનું તપ કહેવાય છે.
૨૯. એ પ્રકારે સંક્ષેપથી બાહ્ય તપ કહ્યું. તેમજ સંક્ષેપથી ક્રમપૂર્વક આંતરિક તપ કહીશ.
૩૦. પ્રાયશ્ચિત, વિનય, સેવા, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છે અત્યંતર તપ છે.
૩૧. ભિક્ષુ આલોચનાદિ દસ પ્રકારનાં પ્રાયશ્ચિત વહન કરે છે તે પ્રાયશ્ચિત તપ કહેવાય છે.
નોંધ : પ્રાયશ્ચિત એટલે પાપનું છેદન કરવું. તેના દસ પ્રકાર છે : ૧. આલોચના, ૨. પ્રતિક્રમણ, ૩. તદુભય, ૪. વિવેદ, ૫. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. વેદ, ૮. મૂલ, ૯. ઉપસ્થાન અને ૧૦. પારંચિક વિશેષ વિવરણ છેદ સૂત્રોમાં જુઓ.
૩૨. ૧. ગુર્નાદિકની સામે જવું, ૨. તેમને બે હાથ જોડવા, ૩. આસન આપવું, ૪. ગુરુની અનન્ય ભક્તિ કરવી અને ૫. હૃદયપૂર્વક સેવા કરવી તે વિનય કહેવાય છે.
નોંધ : અભિમાન ઓગળ્યા વિના સાચી સેવા-સુશ્રુષા થતી નથી.
૩૩. આચાર્યાદિની દસ સ્થાનોમાં શક્તિ અનુસાર સેવા બજાવવી તે વૈયાવૃત્ય તપ કહેવાય છે.
નોંધ : આચાર્યાદિમાં આ દશનો સમાવેશ થાય છે. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર, ૪. તપસ્વી, પ. રોગીષ્ટ, ૬. સહાધ્યાયી, ૭. સ્વધર્મી, ૮. કુળ, ૯. ગણ અને ૧૦. સંઘ.
૩૪. વાચના લેવી, પ્રશ્ન પૂછવા, વારંવાર શાસ્ત્ર ફેરવવું, સુત્રાદિના અર્થ તથા રહસ્ય ચિંતવવું અને ધર્મકથા કરવી એ પાંચ પ્રકારનાં સ્વાધ્યાય તપ કહેવાય છે.
૩૫. સમાધિવંત સાધક આર્ત અને રૌદ્ર એ બંને ધ્યાનને છોડીને ધર્મધ્યાન તથા શુકલ ધ્યાનને ચિંતવે છે. તેને મહાપુરુષોએ ધ્યાન કહ્યું છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૩૬. સૂતી વખતે, બેસતી વખતે કે ઊભા રહેતી વખતે જે ભિક્ષુ કાયાનો સર્વ વ્યાપાર છોડી દે (હલાવે ચલાવે નહિ) તેને છઠું કાયોત્સર્ગ તપ કહ્યું છે.
૩૭. એ પ્રમાણે બે પ્રકારનાં તપ જે મુનિ યથાર્થ સમજીને આચરે છે તે પંડિત સાધક સર્વ સંસારના બંધનથી જલદી છૂટી જાય છે.
નોંધ : આ એક અનુભવીએ અનુભવેલી ઉત્તમ રસાયણ છે. આત્મદર્દીને નિવારવાનું આ જ એક અજોડ ઔષધ છે. દુઃખી અને દર્દીઓએ આ જ ઉપાયો જીવનમાં અજમાવવા અને જીવનનો સમુદ્ધાર કરી લેવો તે બીજા બધાં સાધનો કરતાં ઉત્તમ છે. - વિદ્યામાં અહંકારનો સંભવ છે. ક્રિયામાં અજ્ઞાનતા, અક્કડતા કે જડતાનો સંભવ છે. તપશ્ચર્યામાં જ્ઞાન અને ક્રિયા બંનેનો સમાવેશ છે. તેથી અહંકાર, અજ્ઞાન, અક્કડતા અને જડતા બધાં વિલય થઈ આત્મસંતોષ, આત્મશાંતિ ને આત્મતેજ પ્રગટે છે. અને તેવા જીવાત્માઓ પોતે પ્રકાશી લોકને પ્રકાશ અર્પે પોતાનાં આયુષ્ય, શરીર, ઇંદ્રિયાદિ સાધનોને છોડી સાધ્યસિદ્ધ થાય છે.
એમ કહું છું : એ પ્રમાણે તપોમાર્ગ સંબંધી ત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.
Page #242
--------------------------------------------------------------------------
________________
ચરણવિધિ
૨૦૯
અધ્યયન : એકત્રીસમ
ચરણવિધિ ચારિત્રના પ્રકારો
પાપનો પ્રવાહ ચાલ્યો આવે છે. તેને રોકવાની ક્રિયાને સંવર કહેવાય છે. પાપમાંથી નિવૃત્ત થવું કે ધર્મમાં લીન થવું તે બંને સમાન છે. પાપનો આધાર માત્ર ક્રિયા પર નથી પરંતુ ક્રિયાની પાછળના અધ્યવસાયો પર છે. કલુષિત વાસનાથી થયેલું કાર્ય બાહ્ય દૃષ્ટિએ ઉત્તમ પણ દેખાતું હોય છતાં મલિન અને નકામું છે. શુભ ભાવનાથી થયેલું સામાન્ય કાર્ય દષ્ટિએ કનિષ્ઠ દેખાતું હોવા છતાં ઉત્તમ અને આત્મતૃપ્તિ માટે પ્રાર્યાપ્ત છે.
દેહને અંગે ખાવું પીવું, બોલવું, બેસવું, ઊઠવું ઇત્યાદિ બધું કર્યા વિના આપણે રહી શકીએ નહિ. માટે તેનાથી નિવૃત્ત થવું. કદાચ થોડા સમય માટે શક્ય હોય છતાં જીવનભર તેમ રહેવું અશક્ય છે. અને માનો કે બહારની ક્રિયા થોડો વખત બંધ પણ કરવાને સમર્થ હોઈએ તો પણ આપણું આંતરિક ક્રિયાત્મક કાર્ય તો થયા જ કરવાનું છે. તેને આપણે જબરાઈથી રોકી શકવાના નથી. માટે જ ભગવાન મહાવીરે ક્રિયાને બંધ કરવાનું ન કહેતાં ક્રિયા કરવા છતાં તમારો ઉપયોગ શુદ્ધ અને સ્થિર રાખો તેમ કહ્યું છે. શુદ્ધ ઉપયોગ એટલે આત્મલક્ષ્ય. જો આત્મલક્ય હોય તો ક્રિયા પાછળની બધી કલુષિતતા સહેજે વિરમી જાય.
ભગવાન બોલ્યા : ૧. જીવાત્માને એકાંત સુખ આપનાર અને જેને આચરીને અનેક જીવો આ સંસાર સાગરને તરી ગયા તે ચારિત્રની વિધિ હું કહું છું :
૨. એક તરફથી નિવૃત્ત થવું અને બીજા માર્ગમાં પ્રવૃત્તિ કરવી અર્થાત કે અસંયમથી નિવૃત્ત થવું અને સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
૩. પાપકર્મમાં પ્રવૃત્તિ કરાવનાર એવા બે પાપ રાગ અને દ્વેષ છે. જે ભિક્ષુ તે બંનેને રોકે છે, તે આ સંસારમાં પરિભ્રમણ કરતો નથી.
૪. ત્રણ દંડ, ત્રણ ગર્વ અને ત્રણ શલ્યોને જે ભિક્ષુ તજે છે તે સંસારમાં નિત્ય પરિભ્રમણ કરતો નથી.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૦
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : (૧) મનદંડ (૨) વચન દંડ અને (૩) કાયદંડ. (૧) ઋદ્ધિગર્વ, (૨) રસગર્વ અને (૩) શાતાગવું. (૧) માયાશલ્ય (૨) નિદાનશલ્ય અને (૩) મિથ્યાત્વ દર્શન શલ્ય.
૫. જે ભિક્ષુ દેવ, મનુષ્ય અને પશુઓના આકસ્મિક ઉપસર્ગ (સંકટો)ને સમભાવથી સહન કરે છે તે સંસારમાં ભમતો નથી.
૬. ચાર વિકથા, ચાર કષાય, ચાર સંજ્ઞા અને બે પ્રકારના ધ્યાનોને હંમેશને માટે જે ભિક્ષુ છોડી દે છે તે સંસારમાં ભમતો નથી.
નોંધ : આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાન.
૭. પાંચ મહાવ્રતો, પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ, પાંચ સમિતિ અને પાંચ પાપ ક્રિયાઓનો ત્યાગ. તે ચારે વસ્તુઓમાં હંમેશાં, ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
નોંધ : ઉપયોગ શબ્દ આચરવામાં, ગ્રહણ કરવામાં અને તજવામાં એમ ત્રણે સ્થળે લાગુ પડે.
૮. છ લેયાઓ, છકાયો અને આહારના છ કારણોમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
૯, સાત પિડ ગ્રહણની પ્રતિમાઓ અને સાત પ્રકારના ભયસ્થાનોમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
૧૦. આઠ પ્રકારના મદો, નવ પ્રકારોનું બ્રહ્મચર્ય રક્ષણ અને દસ પ્રકારના ભિક્ષુ ધર્મમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી.
૧૧. અગિયાર પ્રકારની શ્રાવક પ્રતિમાઓમાં અને બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
નોંધ : પ્રતિમાઓ એટલે ચોક્કસ વ્રત નિયમવાળી ક્રિયા.
૧૨. તેર પ્રકારનાં ક્રિયા સ્થાનોમાં, ચૌદ પ્રકારના પ્રાણીસમૂહોમાં અને પંદર પ્રકારના પરમધાર્મિક દેવોમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી
૧૩. જે ભિક્ષુ (સૂયગડાંગ સૂત્રના પ્રથમ સ્કંધનાં) સોળ અધ્યયનોમાં તથા સત્તર પ્રકારના અસંયમોમાં સતત ઉપયો | રાખે છે તે સંસારમાં ભમતો નથી.
૧૪. અઢાર પ્રકારનાં અબ્રહ્મચર્ય સ્થાનો માં, ઓગણીસ પ્રકારનાં જ્ઞાતા અધ્યયનોમાં અને વીસ પ્રકારનાં સમાધિસ્થ સ્થાનોમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
Page #244
--------------------------------------------------------------------------
________________
ચરણવિધિ
૨ ૧૧
૧૫. એકવીસ પ્રકારના સબળ દોષોનો અને બાવીસ પ્રકારના પરિષદોમાં જે ભિક્ષુ હમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
૧૬. સૂયગડાંગસૂત્રના કુલ ત્રેવીસ અધ્યયનોમાં અને ચોવીશ પ્રકારના અધિક રૂપવાળા દેવોમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી.
૧૭. જે ભિક્ષુ પચીસ પ્રકારની ભાવનાઓમાં અને દશાશ્રુત સ્કંધબૃહતકલ્પ અને વ્યવહાર સૂત્રના મળી છવીસ ઉદ્દેશોમાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
૧૮. સત્તાવીસ પ્રકારના અણગારગુણોમાં તેમજ અઠાવીસ પ્રકારના આચારપ્રકલ્પો (પ્રાયશ્ચિતો)માં જે ભિક્ષુ હંમેશા ઉપયોગ રાખે છે. તે સંસારમાં ભમતો નથી.
૧૯. ઓગણત્રીસ પ્રકારના પાપસૂત્રોના પ્રસંગમાં અને ત્રીસ પ્રકારનાં મહામોહનીય સ્થાનોમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
૨૦. એકત્રીસ પ્રકારના સિદ્ધભગવાનના ગુણોમાં, બત્રીસ પ્રકારના યોગ સંગ્રહોમાં અને ત્રેવીસ પ્રકારની અસાતનાઓમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી.
૨૧. ઉપરના બધા સ્થાનોમાં જે ભિક્ષુ સતત ઉપયોગ રાખે છે તે પંડિત સાધુ આ સર્વ સંસારથી શીધ્ર મુક્ત થાય છે.
નોંધ : સંસાર એ સદબોધની શાળા છે. તેમાં રહેલા પ્રત્યેક પદાર્થ સતત કંઈ ને કંઈ નવીન બોધ આપતા જ હોય છે. માત્ર તેની સન્મુખ દષ્ટિ રાખવી જોઈએ. દૃષ્ટિમાં અમૃત ભરાયું એટલે જગતમાંથી અમૃત જ મળ્યા કરશે. અહીં એકથી માંડીને તેત્રીસ સંખ્યા સુધીની ભિન્ન ભિન્ન વસ્તુઓ બતાવી છે. તેમાં કેટલીક ગ્રાહ્ય અને કેટલીક ત્યાજ્ય કરવાની પણ છે. પરંતુ જાયા પછી જ તે બંને ક્રિયા બની શકે માટે યથાર્થ દષ્ટિએ એ સૌને જાણવાનો પ્રયત્ન કરવો એ અતિ અતિ આવશ્યક છે.
એમ કહું છું : એ પ્રમાણે ચરણવિધિ નામનું એકત્રીસમું અધ્યયન પૂર્ણ થયું.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨ ૧ ૨
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : બત્રીસમું
પ્રમાદસ્થાન
જો સંસાર અનાદિ છે તો દુઃખ પણ અનાદિ કાળથી સમજી લેવું. પરંતુ અનાદિ હોવા છતાં જો દુઃખનું મૂળ શોધી તે મૂળને જ દૂર કરી શકાય તો સંસારમાં રહેવા છતાં દુઃખથી છૂટી શકાય છે. સર્વ દુઃખથી મુકાવું તેનું નામ મોક્ષ. તે સમ્યક જ્ઞાનના અવલંબનથી આવો મોક્ષ ઘણા પુરુષોએ સાધ્યો છે, સાધી શકે છે અને સાધી શકશે જ. સર્વજ્ઞનું આ અનુભવ વાક્ય છે.
જન્મમૃત્યુના દુઃખનું મૂળ કર્મબંધન છે. તે કર્મબંધનું મૂળ મોહ છે. અને મોહ, તૃષ્ણા, રાગદ્વેષ ઇત્યાદિમાં પ્રમાદ મુખ્ય પાઠ ભજવનાર પાત્ર છે. કામભોગોની આસક્તિ એ જ પ્રમાદનાં સ્થાન છે. પ્રમાદથી અજ્ઞાનની વૃદ્ધિ થાય છે. અજ્ઞાન કે મિથ્યાત્વથી શુદ્ધ દૃષ્ટિનો વિપર્યાસ થાય છે અને ચિત્તમાં મલિનતાનો કચરો જામે છે. આથી તેવું મલિન ચિત્ત મુક્તિ માર્ગની અભિમુખ થઈ શકતું નથી.
ગુરુજન અને મહાપુરુષોની સેવા, સત્સંગ અને સદ્વાચનથી જિજ્ઞાસા જાગે છે. સાચી જિજ્ઞાસા જાગ્યા પછી સત્ય, બ્રહ્મચર્ય, ત્યાગ સંયમ એવાં ઉત્તમ અંગો પરત્વે રુચિ પ્રગટે છે અને તેવાં આચરણથી પૂર્વની મલિનતા ધોવાઈ જઈ શુદ્ધ ભાવનાઓ જાગે છે. આવી ભાવનાઓ ચિંતન, મનન અને નિદિધ્યાસનમાં ઉપયોગી અને આત્મવિકાસમાં ખૂબ સહાયક નીવડી શકે છે.
ભગવાન બોલ્યા : ૧. અનાદિકાળથી મૂળ સહિત સર્વ દુ:ખની મુક્તિનો એકાંત હિતકારી, કલ્યાણકર ઉપાયને કહીશ. મને પ્રતિપૂર્ણ (એકાગ્ર) ચિત્તથી તમે સાંભળો.
૨. સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોહના સંપૂર્ણ ત્યાગથી તેમજ રાગ અને દ્વેષના ક્ષયથી એકાંત સુખકારી મોક્ષપદ પામી શકાય છે.
તે મોક્ષપદ પામવાના ઉપાય ક્યા તે બતાવે છે.
૩. બાલજીવોના સંગથી દૂર રહેવું, ગુરુજન અને વૃદ્ધ-અનુભવી મહાપુરુષોની સેવા કરવી તથા એકાંતમાં રહી ધેર્યપૂર્વક સ્વાધ્યાય-સૂત્ર તથા તેના ગંભીર અર્થનું ચિંતન કરવું એ જ મોક્ષનો માર્ગ (ઉપાય) છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
૨૧૩ ૪. વળી સમાધિની ઇચ્છાવાળા તપસ્વી સાધુએ પરિમિત અને શુદ્ધ આહાર ગ્રહણ કરવો, નિપુણાર્થ બુદ્ધિવાળા (મુમુક્ષુ) સાથીદારને શોધ અને સ્થાન પણ એકાંત (ધ્યાન ધરવા લાયક) ઇચ્છવું જોઈએ.
૫. જો ગુણથી અધિક કે ગુણથી સમાન નિપુણ સાથીદાર ન મળે તો કામ ભાગોમાં નિરાસક્ત થઈને અને પાપોને દૂર કરીને એકલા (રાગદ્વેષ ૨હિત) પણ શાંતિપૂર્વક વિચરવું.
નોંધ : સાધકને સહાયકની અપેક્ષા રહે છે. પરંતુ તેવો સહચારી જો ન મળે તો એકલું રહેવું પણ દુર્ગુણીનો સંગ ન કરવો. અહીં એક ચર્યાનું વિધાન નથી પણ ગુણીના જ સહવાસમાં રહેવું તે ભાર આપવા માટે એક શબ્દનું વિધાન છે.
૬. જેમ ઈંડામાંથી પક્ષી અને પક્ષીમાંથી ઇંડું અને એમ પરસ્પર કાર્યકારણ ભાવ છે તે જ પ્રમાણે મોહમાંથી તૃષ્ણા, અને તૃષ્ણામાંથી મોહ એમ પરસ્પર જન્યજનક ભાવ મહાપુરુષોએ કહ્યો છે.
૭. તેમ જ રાગ અને દ્વેષ એ બંને જ કર્મના બીજરૂપ છે. કર્મ એ મોહથી ઉત્પન્ન થાય છે અને કર્મ એ જન્મમરણનું મૂળ પણ છે. જન્મમરણ એ દુ:ખ ઉત્પન્ન થવાનો હેતુ છે, એ પ્રમાણે જ્ઞાની પુરુષો કહે છે.
નોંધ : દુઃખનું કારણ જન્મમરણ. જન્મમરણનું કારણ કર્મ, કર્મનું કારણ મોહ અને મોતનું કારણ રાગદ્વેષ. આ રીતે રાગદ્વેષ એ જ આખા સંસારનું મૂળ છે.
૮. દુઃખ તેનું હણાયું હોય છે કે જેને મોહ થતો નથી તેમ મોહ પણ તેનો હણાયો હોય છે કે જેનો હૃદયમાંથી તૃષ્ણાનો દાવાનળ બુઝાયો છે અને તૃષ્ણા પણ તેની હણાઈ છે કે જેને પ્રલોભનો પજવતાં નથી. અને જેનો લાભ હણાયો છે તેને કશું (આસક્તિ જેવું) હોતું નથી.
૯. માટે રાગ, દ્વેષ અને મોહ, એ ત્રણેને મૂળ સહિત ઉખેડવાની ઇચ્છાવાળા સાધકે જે જે ઉપાયો સ્વીકારવા જોઈએ તેનું ક્રમપૂર્વક હું વર્ણન
૧૦. વિવિધ જાતના રસો (રસવાળા પદાર્થ)ને કલ્યાણાર્થીઓએ ભોગવવા નહિ કારણ કે રસો ઇન્દ્રિયોને ઉત્તેજિત કરનારા નીવડે છે અને સ્વાદુ ફળવાળા વૃક્ષની ઉપર પક્ષીઓ જેમ (ઘસી આવી) પીડા ઉપજાવે છે તેમ ઇંદ્રિયોના વિષયમાં ઉન્મત્ત બનેલા મનુષ્યની ઉપર કામ ભોગો (પણ ધસી આવી) પીડા કરે છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨ ૧૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૧. જેમ ઘણાં કાષ્ઠોથી ભરેલા વનમાં પવનના ઝપાટા સાથે ઉત્પન્ન થયેલો દાવાગ્નિ બુઝાતો નથી તેમ વિવિધ જાતના રસવાળા આહાર ભોગવનાર બ્રહ્મચારીને ઇંદ્રિયરૂપ અગ્નિ શાંત થતો નથી. અર્થાત્ કે રસ સેવન કોઈ પણ મનુષ્યને હિતકારી નથી.
૧૨. જેમ ઉત્તમ ઔષધોથી રોગ પરાજય પામે છે તેમ દમિતેન્દ્રિય, એકાંત, શયન, આસન, ઇત્યાદિને ભોગવનાર તેમ જ અલ્પાહારી મુનિના ચિત્તને રાગરૂપ શત્રુઓ પરાભવ કરી શકતા નથી (અર્થાતુ કે આસક્તિ તેના ચિત્તને ખળભળાવી શકતી નથી).
૧૩. જેમ બિલાડાના સ્થાનની પાસે ઊંદરોનું રહેવું પ્રશસ્ત ઉચિત નથી તેમ સ્ત્રીઓના સ્થાન પાસે બ્રહ્મચારી પુરુષનો નિવાસ પણ યોગ્ય નથી. અર્થાત જોખમ ભરેલો છે.
નોંધ : બ્રહ્મચારીને જેમ સ્વાદેન્દ્રિયનો સંયમ અને સ્ત્રીસંગ ત્યાગ આવશ્યક છે તે જ પ્રકારે બ્રહ્મચારિણીનું સમજવું.
૧૪. શ્રમણ અને તપસ્વી સાધકે સ્ત્રીઓનાં રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, મંજુલ વચન, અંગોપાંગનો મરોડ, કટાક્ષ વગેરે જોઈને પોતાના ચિત્તને વિશે તેનું સ્થાપન કરવું નહિ કે ઇરાદાપૂર્વક તે બધું જોવાનો વ્યવસાય કરવો નહિ,
૧૫. ઉત્તમ પ્રકારના બ્રહ્મચર્યવ્રતમાં રક્ત રહેલા અને ધ્યાનના અનુરાગી સાધકોને માટે સ્ત્રીઓનાં દર્શન, તેની વાંચ્છા, તેનું ચિંતન કે તેનાં ગુણકીર્તન કરવા નહિ તેમાં જ તેનું હિત રહેલ છે.
૧૬. મન, વચન અને કાયા એ ત્રણેનો સંયમ રાખનાર સમર્થ યોગીશ્વરો કે જેને ડગાવવા દિવ્ય ક્રાંતિવાળી દેવાંગનાઓ પણ સમર્થ થઈ શકતી નથી તેવા મુનિઓનો પણ સ્ત્રી વગેરેથી રહિત એકાંતવાસ, એકાંત હિતકારી છે એમ જાણીને મુમુક્ષુએ એકાંતવાસ સેવવો.
૧૭. મોક્ષની આકાંક્ષાવાળા, સંસારના ભીરુ અને ધર્મમાં સ્થિર થયેલા સમર્થ પુરુષને પણ અજ્ઞાની પુરુષોનું મનહરણ કરનાર સ્ત્રીઓનો ત્યાગ જેટલો કઠણ છે તેવું આખા લોકને વિરમનારને કાંઈ પણ કઠણ નથી.
૧૮. જેમ મોટા સાગરને તર્યા પછી ગંગા જેવી મોટી નદી પણ તરવામાં સુલભ છે તેમ સ્ત્રીઓની આસક્તિ છોડ્યા પછી બીજી બધી (ધનાદિ) આસક્તિઓ છોડવી સુલભ થાય છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
૨૧૫
૧૯. દેવલોક સુધીના સમગ્ર લોકમાં જે કાંઈ શારીરિક અને માનસિક દુ:ખ છે તે બધું ખરેખર કામભોગોની આસક્તિથી જ ઉત્પન્ન થયેલું છે. તેથી નિરાસક્ત પુરુષ જ તે દુઃખનો અંત પામી શકે છે.
૨૦. જેમ સ્વાદથી અને વર્ણથી કિંપાક વૃક્ષનાં ફળો ભોગવતાં તે સુંદર લાગે છે. પરંતુ (ખાધા પછી) થોડા જ વખતમાં તે જિંદગીનો અંત આણે છે. તે જ ઉપમા કામભોગોના પરિણામની સમજવી.
૨૧. સમાધિનો ઇચ્છુક અને તપસ્વી સાધુ ઇંદ્રિયોના મનોજ્ઞ વિષયોમાં મનને પ્રવર્તાવે નહિ કે તેના પર રાગ ન કરે અને અમનોજ્ઞ વિષયો પર દ્વેષ પણ ન કરે.
૨૨. ચક્ષુઇંદ્રિયથી ગ્રાહ્ય રૂપ છે. જે મનોજ્ઞ રૂપ છે તે રાગનું નિમિત્ત અને અમનોજ્ઞરૂપ દ્વેષનું નિમિત્ત બને છે. તે બંનેમાં જે સમભાવી રહે છે તેને મહાપુરુષો વીતરાગ (રાગદ્વેષ રહિત) કહે છે.
૨૩. ચક્ષુ એ રૂપનું ગ્રહણ કરનાર છે. અને રૂપ એ ચક્ષુનો ગ્રાહ્ય વિષય છે. તેથી મનગમતું રૂપ એ રાગનો હેતુ છે. તેમજ અમનોજ્ઞ રૂપ તે દ્વેષનો હેતુ છે તેમ મહાપુરુષો કહે છે.
૨૪. જેમ દૃષ્ટિનો લોલુપી પતંગિયો રૂપના રાગમાં આતુર થઈને આકસ્મિક મૃત્યુ પામે છે તે જ પ્રકારે રૂપોમાં જે તીવ્ર આસક્તિ રાખે છે તે અકાલિક મૃત્યુને પામે છે.
૨૫. જે જીવ અમનોજ્ઞ રૂપ જોઈને તીવ્ર દ્વેષ કરે છે તે જીવ તે જ વખતે દુઃખને અનુભવે છે. અર્થાત્ કે જીવ પોતે પોતાના દુર્રાન્ત દોષથી દુઃખ પામે છે. તેમાં રૂપનો કશોય દોષ નથી.
૨૬. જે મનોહર રૂપમાં એકાંત રક્ત છે તે જીવ અમનોહર રૂપ ઉપર દ્વેષ કરે છે અને તેથી તે અજ્ઞાની પછી ખૂબ દુ:ખથી પીડાય છે. આવું જાણીને વિરાગી મુનિ તેવા દોષથી ન લેપાય.
૨૭. રૂપની આસક્તિને પામેલો જીવ ત્રસ અને સ્થાવર એવા અનેક જીવોની હિંસા કરે છે, તે અજ્ઞાની ભિન્ન ભિન્ન ઉપાયોથી પરિતાપ આપે છે અને પોતાના જ સ્વાયમાં રક્ત રહી તે કુટિલ અનેક જીવોને પીડા પણ ઉપજાવે છે.
૨૮. રૂપની આસક્તિથી કે તેને ગ્રહો મૂડ થી, તે રૂપવાળા પદાર્થને ઉત્પન્ન કરવાના પ્રયત્નમાં, તેની પ્રાાંતમાં, 'ના રક્ષણમાં, વ્યયમાં
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ઉત્તરાધ્યયન સૂત્ર કે વિયોગમાં જીવ સુખી ક્યાંથી થાય ? ભોગ ભોગવતી વખતે પણ તેને તૃપ્તિ હોતી નથી.
ર૯. મનોજ્ઞ રૂપના પરિગ્રહમાં આસક્ત થયેલો જીવ જ્યારે તેમાં અતૃપ્ત થાય છે ત્યારે આસક્તિ વધે છે ને સંતોષ મેળવી શકતો નથી. ત્યારે અસંતોષના દોષ વડે દુઃખી થયેલો તે અત્યંત લોભ વડે મલિન થઈને અન્યનું નહિ દીધેલું પણ ગ્રહણ કરવા માંડે છે.
૩૦. તૃષ્ણાથી પરાભવ પામેલો પ્રાણી અદત્તને લેવા છતાં તે પરિગ્રહમાં તથા રૂપમાં અતૃપ્ત જ રહે છે. અદત્તને હરણ કરનારો તે લોભમાં આકર્ષાઈ માયા અને અસત્ય ઇત્યાદિ દોષોને વધારી મૂકે છે છતાં તે દુ:ખથી છૂટી શકતો નથી.
૩૧. જૂઠું બોલવા પહેલાં પછી અને પ્રયોગકાળમાં પણ દુષ્ટ હૃદયવાળો તે જીવ દુઃખી થાય છે. તેમજ રૂપમાં અતૃપ્ત રહેલો અને અણદીધેલું ગ્રહણ કરનાર હંમેશાં અસહાયી અને દુઃખ પીડિત રહે છે.
૩૨. એવી રીતે રૂપમાં અનુરક્ત રહેલા જીવને કિંચિત્ પણ સુખ ક્યાંથી સંભવે ? જે વસ્તુ મેળવવા માટે તેણે અપાર કષ્ટ વેઠેલું તે રૂપના ઉપભોગમાં પણ અત્યંત કલેશ અને દુ:ખ પામે છે.
૩૩. એ જ પ્રકારે અમનોજ્ઞ રૂપમાં દ્વેષ કરનારા જીવ દુઃખોની પરંપરાઓ ઉત્પન્ન કરે છે. અને દુષ્ટ ચિત્તથી જે કર્મ એકઠું કરે છે તેનું પરિણામ આ લોક અને પરલોકમાં દુ:ખના જ કારણરૂપ થાય છે.
૩૪. પરંતુ રૂપમાં વિરક્ત થયેલો મનુષ્ય શોક રહિત બને છે, અને જેમ જળમાં ઊગેલું કમળપત્ર જળથી લેવાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં ઉપરના દુઃખસમૂહની પરંપરાથી તે લપાતો નથી,
૩૫. શબ્દ એ શ્રોતેંદ્રિયનો વિષય છે. મનોજ્ઞ શબ્દ રાગનો હેતુ અને અમનોજ્ઞ શબ્દ નો હેતુ છે. જે જીવાત્મા તે બંનેમાં સમભાવ રાખી શકે છે તે જ વીતરાગી છે એમ મહાપુરુષો કહે છે. - ૩૬. કાન શબ્દનો ગ્રાહક અને કાનનો વિષય શબ્દ એમ મહાપુરુષો કહે છે. અમનોજ્ઞ શબ્દ વૈષનો હેતુ અને મનોશ રાગનો હેતુ છે.
૩૭. જે શબ્દોમાં તીવ્ર આસક્તિ રાખે છે તે સંગીતના રાગમાં આસક્ત થયેલા મૃગલાની માફક મુગ્ધ થઈને શબ્દમાં અતૃપ્ત રહી અકાળ મૃત્યુ પામે છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
૨ ૧૭
- ૩૮. વળી જે અમનોજ્ઞ શબ્દમાં તીવ્ર ઠંષ રાખે છે તે જ ક્ષણે તે દુઃખ પામે છે. આવી રીતે જીવ પોતાના જ દુર્દમ્ય દોષથી દુઃખી થાય છે તેમાં શબ્દનો જરા પણ દોષ નથી.
૩૯. સુંદર શબ્દમાં એકાંત રક્ત રહેલો તે અમનોજ્ઞ શબ્દરૂપ દ્વેષ રાખે છે અને આખરે તે અજ્ઞાની દુઃખથી ખૂપ પીડાય છે. આવા દોષથી વિરાગી મુનિ લપાતો નથી.
૪૦. અત્યંત સ્વાર્થી, મલિન અને અજ્ઞાની જીવ શબ્દની આસક્તિને અનુસરીને અનેક પ્રકારના ચરાચર જીવોની હિંસા કરે છે, ભિન્ન ભિન્ન ઉપયોગી પરિતાપ અને પીડા ઉપજાવે છે.
૪૧. મધુર શબ્દની આસક્તિથી મૂછિત થયેલો જીવ મનોજ્ઞ શબ્દને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાં મળે છે ? તેને ભોગવતી વખતે પણ તે તૃપ્ત થતો
નથી.
૪૨. જ્યારે તે શબ્દ ભોગવવામાં અસંતુષ્ટ જીવને મૂછને લીધે તે ઉપર આસક્તિ વધી જાય છે ત્યારે આસક્ત રહેલો તે જીવ કદી સંતોષ પામતો નથી અને અસંતોષના દોષથી લોભાકૃષ્ટ થઈ બીજાનું નહિ દીધેલું પણ ચોરી લે છે. (બીજાના ભોગોમાં ભાગ પડાવે છે.)
૪૩. તૃષ્ણાથી પરાભવ પામેલો જીવ છતાં અદત્તનું ગ્રહણ કરે છે, શબ્દને ભોગવવા તથા મેળવવામાં હંમેશાં અસંતુષ્ટ રહે છે અને લોભના દોષથી કપટ અને અસત્યાદિ દોષો વધે છે, અને તેથી તે જીવ દુઃખથી મુકાતો નથી.
૪૪. જૂઠું બોલવા પહેલાં, બોલવા પછી કે જૂઠું બોલતી વખતે પણ તે અસત્ય વદનાર દુ:ખી જીવાત્મા એ પ્રકારે અદત્ત વસ્તુઓને ગ્રહણ કરતો અને શબ્દમાં અતૃપ્ત રહેતો તે અતિ દુઃખી અને અસહાયી બને છે.
૪૫. એવા શબ્દમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ ક્યાંથી મળે ? શબ્દના ઉપભોગમાં પણ અત્યંત કલેશ અને દુઃખ પામે છે, તો મેળવવા માટે તો દુઃખની વાત જ શી ?
૪૬. એ જ પ્રકારે અમનોજ્ઞ શબ્દમાં દ્વેષ કરનારો તે જીવ દુઃખોની પરંપરાઓને ઉત્પન્ન કરે છે, અને દુષ્ટ ચિત્તથી તે કર્મોને એકઠાં કરે છે, અને તે કર્મો પરિણામે દુઃખકર નીવડે છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૪૭. પરંતુ શબ્દમાં વિરક્ત મનુષ્ય તે શોકથી રહિત હોય છે, જેમ (જળમાં ઊગેલું) કમળપત્ર જળથી લેવાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં તે જીવ ઉપરના દુઃખસમૂહની પરંપરાથી લપાતો નથી.
૪૮. ગંધ એ પ્રાણેન્દ્રિયનો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞ ગંધ રાગના હેતુભૂત છે. અને અમનોજ્ઞ ગંધ વૈષના હેતુભૂત છે. જે (જીવ) તે બંનેમાં સમભાવ રાખી શકે છે તે જ વીતરાગી છે.
૪૯. નાસિકા ગંધની ગ્રાહક છે અને ગંધ એ નાસિકાનો ગ્રાહ્ય વિષય છે. તેથી મનોજ્ઞ ગંધ રાગના હેતુરૂપ છે અને અમનોજ્ઞ ગંધ એ વૈષના હેતુરૂપ છે એમ મહાપુરુષો કહે છે.
૫૦. જે મનુષ્ય ગંધોમાં તીવ્ર આસક્તિ રાખે છે તે (ચંદનાદિ) ઔષધિની સુગંધમાં આસક્ત થઈ પોતાના રાફડામાંથી બહાર નીકળેલા સર્પની માફક અકાલિક મૃત્યુને પામે છે.
પ૧. વળી જે જીવ અમનોજ્ઞ ગંધ પર તીવ્ર દ્વેષ રાખે છે તે જીવ તે જ ક્ષણે દુ:ખ પામે છે. આવી રીતે જીવ પોતાના જ દુર્દમ્ય દોષથી દુ:ખી થાય છે. તેમાં ગંધનો જરાપણ દોષ નથી.
પ૨. જે કોઈ સુગંધ પર અતિશય રાગ કરે છે; એકાંત રક્ત રહેલા તેને અમનોજ્ઞ ગંધ પર દ્વેષ ઊપજે છે. અને આખરે તો તે અજ્ઞાની દુઃખથી ખૂબ પીડાય છે. પણ આવા ષથી વીતરાગી મુનિ લપાતો નથી.
૫૩. અત્યંત સ્વાર્થમાં ડૂબેલો બાલ અને મલિન જીવ સુગંધમાં લુબ્ધ બનીને અનેક પ્રકારના ચરાચર જીવોની હિંસા કરે છે અને ભિન્ન ભિન્ન પ્રકારે તેઓને પરિતાપ અને પીડા ઉપજાવે છે.
૫૪. છતાં ગંધની આસક્તિથી અને મૂછથી મનોજ્ઞ ગંધને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાંથી મળે ? તેનો ઉપયોગ કરતી વખતે પણ અતૃપ્તિ જ હોય છે.
૫૫. જયારે ગંધને ભોગવવા છતાં અસંતુષ્ટ રહે છે ત્યારે તેના પરિગ્રહમાં આસક્તિ વધે છે અને અતિ આસક્ત રહેલો તે જીવ કદીએ સંતોષ પામતો નથી, અને અસંતોષના દોષથી લોભાકૃષ્ટ તેમ જ દુઃખી તે જીવાત્મા બીજાના સુગંધવાળા પદાર્થોને પણ ચોરી લે છે.
પ૬. એ પ્રમાણે અદત્તનું ગ્રહણ કરનાર, તૃષ્ણાથી પરાભવ પામેલો અને સુગંધ ભોગવવા તથા મેળવવામાં અસંતુષ્ટ પ્રાણી લોભના દોષથી
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
૨૧૯ કપટ તથા અસત્યાદિ દોષોને વધારી મૂકે છે. અને તેથી તે જીવ દુઃખથી મુકાતો નથી.
૫૭. અસત્ય બોલવા પહેલાં કે ત્યાર પછી, કે (મૃષા વાક્યનો) પ્રયોગ કરતી વખતે પણ તે અતિશય દુ:ખી હોય છે. અને તે દુ:ખી જીવાત્મા એ પ્રકારે અદત્ત વસ્તુઓને ગ્રહણ કરવા છતાં ગંધમાં અતૃપ્ત રહેતો તે અતિદુઃખી અને અસહાયી બને છે.
૫૮. એ પ્રકારે ગંધમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ ક્યાંથી સંભવે ? જે વસ્તુને પ્રાપ્ત કરવા કષ્ટ વેઠેલું તે ગંધના ઉપભોગમાં પણ અત્યંત કલેશ અને દુઃખ પામે છે.
પ૯. એ પ્રમાણે અમનોજ્ઞ ગંધમાં દ્વેષ પામેલા તે જીવ દુઃખોની પરંપરાને ઉત્પન્ન કરે છે અને દ્વેષથી ભરેલ ચિત્ત (દુચિત્તથી) કર્મોને જ એકઠાં કરે છે અને તે કર્મો પરિણામે તેને દુઃખકર નીવડે છે.
૬૦. પરંતુ જે ગંધમાં વિરક્ત રહી શકે છે તે શોકથી રહિત હોય છે અને જળમાં ઊગેલું કમળપત્ર જેમ જળથી લેવાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં (તે જીવ) ઉપર જણાવેલા દુઃખોની પરંપરાથી લપાતો
નથી.
૬૧. રસ એ જીભનો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞરસ રાગના હેતુભૂત અને અમનોજ્ઞરસ દ્રષના હેતુભૂત છે. જે તે બંનેમાં સમભાવ રાખી શકે છે તે વીતરાગી છે. - ૬૨. જીભ એ રસની ગ્રાહક છે અને રસ એ જીભનો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞરસ રાગના હેતુરૂપ અને અમનોજ્ઞ રસ દ્રષના હેતુરૂપ છે એમ મહાપુરુષો કહે છે.
૬૩. જેમ રસનો ભોગી મચ્છ આમિષના લોભમાં લોખંડના કાંટાથી ભદાઈ જાય છે તેમ રસોમાં તીવ્ર આસક્તિ રાખનાર અકાળ મૃત્યુ પામે છે.
૬૪. વળી જે અમનોત્તરસમાં તીવ્ર દ્વેષ રાખે છે તે તે જ ક્ષણે દુઃખ પામે છે. આવી રીતે પોતાના જ દુર્દમ્ય દોષથી જીવ દુઃખી થાય છે. તેમાં રસનો કશો પણ દોષ નથી.
- ૬૫. રુચિકારક રસમાં એકાંત રક્ત રહેલો જીવ અમનોજ્ઞ રસ પર દ્વેષ રાખે છે અને આખરે તે અજ્ઞાની દુઃખથી ખૂબ પીડાય છે. આવા દોષથી વિરાગી મુનિ લપાતો નથી.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ઉત્તરાધ્યયન સૂત્ર ૬૬. અત્યંત સ્વાર્થી બનેલો બાલ અને મલિન જીવ રસની આસક્તિને અનુસરીને અનેક પ્રકારના ચરાચર જીવોની હિંસા કરે છે. અને ભિન્ન ભિન્ન ઉપાયોથી તેને પરિતાપ અને પીડા ઉપજાવે છે.
- ૬૭. છતાં રસની આસક્તિથી અને મૂર્છાથી મનોજ્ઞ રસને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાં મળે ? તેનો ઉપયોગ કરતી વખતે પણ અતૃપ્ત જ હોય છે.
૬૮. જયારે રસ ભોગવવા છતાં અસંતુષ્ટ રહે છે ત્યારે તેના પરિગ્રહમાં આસક્તિ વધે છે અને અતિ આસક્ત રહેલો તે જીવ કદી સંતોષ પામતો નથી. અને અસંતોષના દોષથી તે દુ:ખી જીવાત્મા બીજાનું નહિ દીધેલું પણ ચોરી લે છે.
૬૯. આ પ્રમાણે નહિ દીધેલું ગ્રહણ કરનાર, તૃષ્ણાથી પરાભવ પામેલો અને રસને મેળવવા તથા ભોગવવામાં અસંતુષ્ટ પ્રાણી, લોભના દોષથી કપટ અને અસત્યાદિ દોષોને વધારે છે. અને તેથી તે જીવ દુઃખથી મુકાતો નથી.
૭૦. અસત્ય વચન બોલવા પહેલાં, ત્યારપછી કે મૃષા વાક્યનો પ્રયોગ કરતી વખતે દુષ્ટ અંત:કરણવાળો તે દુઃખી જીવાત્મા એ પ્રકારે અદત્ત વસ્તુઓને ગ્રહણ કરતો અને રસમાં અતૃપ્ત રહેતો દુઃખી અને અસહાયી બને છે.
૭૧. એ પ્રકારે રસમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ ક્યાંથી મળે ! જે રસોને પ્રાપ્ત કરવામાં કષ્ટ વેઠેલું તે રસના ઉપયોગમાં પણ અત્યંત કલેશ અને દુ:ખ પામે છે.
૭૨. એ પ્રમાણે અમનોજ્ઞ રસમાં ઠેષ પામેલો તે જીવ દુ:ખના સમૂહની પરંપરા ઉત્પન્ન કરે છે. અને દ્વેષ ભરેલા ચિત્તથી કર્મોને જ એકઠાં કરે છે. તે કર્મ પરિણામે દુઃખકર નીવડે છે.
૭૩. પરંતુ જે મનુષ્ય રસમાં વિરક્ત રહી શકે છે કે તે શોકથી રહિત હોય છે અને જેમ કમળપત્ર જળથી લેપાતું નથી તેમ તે જીવ આ સંસારની વચ્ચે રહેવા છતાં આ દુ:ખ સમૂહની પરંપરાથી લપાતો નથી. - ૭૪. સ્પર્શ એ સ્પર્શેન્દ્રિય (કાય)નો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞ સ્પર્શ રાગના હેતુભૂત અને અમનોજ્ઞ સ્પર્શ વૈષના હેતુભૂત છે. જે તે બંનેમાં સમભાવ રાખી શકે છે તે જ વીતરાગી છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
૨ ૨૧ ૭૫. કાયા એ સ્પર્શની ગ્રાહક છે. અને સ્પર્શ એ તેનો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞ સ્પર્શ રાગના હેતુભૂત છે અને અમનોજ્ઞ સ્પર્શદ્વષના હેતુભૂત છે, એમ મહાપુરુષો કહે છે.
૭૬. જે જીવ સ્પર્શોમાં તીવ્ર આસક્તિ રાખે છે તે જીવો જંગલમાં આવેલા ઠંડા જળમાં પડેલા અને ગ્રાહથી પકડાયેલા રાગાતુર પાડાની માફક અકાળ મૃત્યુ પામે છે.
૭૭. વળી જે અમનોજ્ઞ સ્પર્શમાં તીવ્ર દ્વેષ રાખે છે તે તે જ ક્ષણે દુ:ખ પામે છે. આવી રીતે પોતાના જ દુર્દમ્ય દોષથી જીવ દુઃખી થાય છે. તેમાં સ્પર્શ જરા પણ અપરાધી નથી.
૭૮. સુંદર સ્પર્શમાં એકાંત રક્ત રહેલો જીવ અમનોજ્ઞ સ્પર્શ પર દ્વેષ કરે છે અને આખરે તે અજ્ઞાની દુઃખથી ખૂબ પીડાય છે. પણ આવા દોષથી વિરાગમુનિ લપાતો નથી.
૭૯. અત્યંત સ્વાર્થી બનેલો બાલ અને મલિન જીવાત્મા સ્પર્શની આસક્તિને અનુસરીને અનેક પ્રકારના ચરાચર જીવોની હિંસા કરે છે અને ભિન્ન ભિન્ન ઉપાયોથી તેને પરિતાપ અને પીડા ઉપજાવે છે.
૮૦. છતાં સ્પર્શની આસક્તિથી તથા મૂછથી મનોજ્ઞ સ્પર્શને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાં મળે છે ? તેનો ઉપભોગ કરતી વખતે પણ તે અતૃપ્ત જ હોય છે.
૮૧. જ્યારે સ્પર્શને ભોગવવા છતાં અસંતુષ્ટ રહે છે ત્યારે તેના પરિગ્રહમાં આસક્તિ વધે છે અને અતિ આસક્ત રહેલો તે જીવ કદી સંતોષ પામતો નથી, અને અસંતોષના દોષથી લોભાકૃષ્ટ તેમ જ દુ:ખી જીવાત્મા તે બીજાનું નહિ દીધેલું પણ ચોરી લે છે.
૮૨. આ પ્રમાણે અદત્તનું ગ્રહણ કરનાર (ચોર), તૃષ્ણાથી પરાભવ પામેલો અને સ્પર્શ ભોગવવા તથા મેળવવામાં અસંતુષ્ટ પ્રાણી લોભના દોષથી કપટ તથા અસત્યાદિ દોષોને વધારે છે અને તેથી તે જીવ દુઃખથી મુકાતો નથી.
૮૩. મૃષા વાક્ય બોલવા પહેલાં અને ત્યાર પછી કે પ્રયોગ કરતી વખત દુષ્ટ અંતઃકરણવાળો તે દુ:ખી જીવાત્મા એ પ્રમાણે અદત્ત વસ્તુઓન ગ્રહણ કરતો અને સ્પર્શમાં અતૃપ્ત રહેતો તે અતિ દુ:ખી અને અસહાયી. બને છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૮૪. એ પ્રકારે સ્પર્શમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ ક્યાંથી મળે ? જે સ્પર્શના પદાર્થો પ્રાપ્ત કરતાં કષ્ટ વેઠેલ છે તે સ્પર્શના ભોગમાં અત્યંત કલેશ અને દુ:ખ પામે છે.
૮૫. એ પ્રમાણે અમનોજ્ઞ સ્પર્શમાં દ્વેષ પામેલો તે જીવ દુ:ખના સમૂહની પરંપરા ઉત્પન્ન કરે છે અને દ્વેષ ભરેલા ચિત્તથી કર્મોને જ એકઠાં કરે છે. તે કર્મો પરિણામે તેને દુઃખકર નીવડે છે.
૮૬. પરંતુ જે મનુષ્ય સ્પર્શમાં વિરક્ત રહી શકે છે તે શોકથી રહિત થાય છે અને કમળપત્ર જળથી જેમ લેપાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં ઉપરના દુ:ખ સમૂહની પરંપરાથી લેપાતો નથી.
૮૭. ભાવ એ મનનો વિષય છે. મનોજ્ઞ ભાવ રાગના હેતભૂત અને અમનોજ્ઞ ભાવ દ્વેષના હેતુભૂત છે. જે તે બંનેમાં સમભાવ રાખી શકે છે તે જ વીતરાગી છે.
૨૨૨
૮૮. મન એ ભાવનું ગ્રાહક છે અને ભાવ એ મનનો ગ્રાહ્ય વિષય છે. મનોજ્ઞભાવ રાગના હેતુભૂત છે અને અમનોજ્ઞભાવ દ્વેષના હેતુભૂત છે એમ મહાપુરુષો કહે છે.
૮૯. જે જીવ ભાવોમાં તીવ્ર આસક્તિ રાખે છે તે જીવ કામ ગુણોમાં આસક્ત હાથી જેમ બનાવટી હાથણીને માટે ખાડામાં પડે છે તેમ રાગાતુર હાથીની માફક અકાળ મૃત્યુને પામે છે.
૯૦. વળી જે અમનોજ્ઞભાવ પર તીવ્ર દ્વેષ રાખે છે ત્યાં તે જ ક્ષણે તે દુઃખ પામે છે. આવી રીતે પોતાના જ દુર્દમ્ય દોષથી જીવ દુઃખી થાય છે. તેમાં ભાવનો જરાપણ દોષ નથી.
૯૧. મનોહર ભાવમાં એકાંત રક્ત રહેલો જીવ અમનોજ્ઞભાવ પર દ્વેષ રાખે છે. અને આખરે તે અજ્ઞાની દુ:ખથી ખૂબ પીડાય છે. પણ આવા દોષથી વિરાગી મુનિ લેપાતો નથી.
૯૨. અત્યંત સ્વાર્થી બનેલો મલિન અને બાલ જીવ ભિન્ન ભિન્ન ભાવની આસક્તિને અનુસરીને ચરાચર જીવોની હિંસા કરે છે. અને ભિન્નભિન્ન ઉપાયોથી તેઓને પરિતાપ અને પીડા ઉપજાવે છે.
૯૩. છતાં ભાવની આસક્તિથી અને મૂર્છાથી મનોજ્ઞભાવને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાં મળે છે ? તેનો ઉપભોગ કરતી વખતે પણ અતૃપ્તિ જ રહે છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રમાદસ્થાન
૨૨૩ ૯૪. જ્યારે ભાવને ભોગવવા છતાં અસંતુષ્ટ રહે છે ત્યારે તેના પરિગ્રહમાં આસક્તિ વધે છે અને અતિ આસક્ત રહેલો તે જીવ કદી સંતોષ પામતો નથી અને અસંતોષના દોષથી લોભ વડે ખેંચાયેલો તેમજ દુઃખી તે જીવાત્મા બીજાનું નહિ દીધેલું પણ ચોરી લે છે.
૯૫. આ પ્રમાણે અદત્તનું ગ્રહણ કરનાર, તૃષ્ણાથી પરાભવ પામેલો અને ભાવને ભોગવવા તથા મેળવવામાં અસંતુષ્ટ પ્રાણી લોભના દોષથી કપટ એ અસત્યાદિ દોષોને વધારે છે અને તેથી તે જીવ દુઃખથી મુકાતો નથી.
૯૬. મૃષા વાક્યને બોલવા પહેલાં અને ત્યાર પછી કે મૃષા પ્રયોગ કરતી વખતે દુષ્ટ અંત:કરણવાળો તે દુઃખી જીવાત્મા એ પ્રમાણે અદત્ત વસ્તુઓને ગ્રહણ કરતો તથા ભાવમાં અતૃપ્ત રહેતો અતિ દુઃખી અને અસહાયી બને છે.
૯૭. એ પ્રકારે ભાવમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ ક્યાંથી મળે ? જે ભાવના પદાર્થો પ્રાપ્ત કરતાં કષ્ટ વેઠેલ તે ભાવના ઉપયોગમાં પણ અત્યંત કલેશ અને દુ:ખ પામે છે.
૯૮. એ પ્રમાણે અમનોજ્ઞ ભાવમાં વૈષ પામેલો તે જીવ દુઃખના સમૂહની પરંપરા ઉત્પન્ન કરે છે અને દ્વેષ ભરેલા ચિત્તથી જે કર્મો એકઠાં કરે છે તે કર્મો પરિણામે તેને દુઃખકર નીવડે છે. - ૯૯. પરંતુ જે મનુષ્ય ભાવમાં વિરક્ત રહી શકે છે તે શોકથી રહિત થાય છે અને કમળપત્ર જેમ જળથી લેવાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં તે જીવ ઉપરના દુ:ખ સમૂહથી લપાતો નથી.
૧૦). એ પ્રમાણે ઇંદ્રિયો અને મનના વિષયો આસક્તિવાળા જીવને એકાંત દુ:ખના નિમિત્તરૂપ બને છે. તે જ વિષયો વીતરાગી પુરુષને કદાપિ થોડું પણ દુઃખ આપી શકતા નથી.
૧૦૧. કામભોગના પદાર્થો પોતે તો સમતા કે વિકાર કશું ઉપજાવતા નથી, પણ રાગ અને દ્વેષથી ભરેલો જીવાત્મા જ તેમાં આસક્ત બની મોહથી તે વિષયમાં વિકારને પામે છે.
૧૦૨ (મોહનીય કર્મથી જે ચાંદ ભાવ ઉત્પન્ન થાય છે તે કહે છે.) (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા, (૮) લોભ, (૫) જુગુપ્સા, (૨) અરતિ (અસ્નેહ), (૭) રતિ, (૮) હાસ્ય, (૯) ભય, (૧૦) શાક, (૧૧) પુરુષવૃંદનો ઉદય, (૧૨) સ્ત્રી વેદનો ઉદય, (૧૩) નપુંસક વેદના ઉદય
Page #257
--------------------------------------------------------------------------
________________
૨ ૨૪
ઉત્તરાધ્યયન સૂત્ર અને (૧૪) ભિન્ન ભિન્ન પ્રકારના ખેદ વગેરે ભાવો. (તેવા આસક્ત જીવોને ઉત્પન્ન થાય છે). - ૧૦૩. એ પ્રમાણે કામભોગમાં આસક્ત રહેલો જીવ એવા અનેક પ્રકારના દુર્ગતિદાયક દોષો એકઠા કરી લજ્જિત બનેલો અને સર્વ સ્થાનમાં અપ્રીતિકર એવો કરુણતાથી દીન બનેલો તે જીવાત્મા બીજા ઘણા વિશેષ દિષોને પણ પ્રાપ્ત કરે છે.
૧૦૪. આવી રીતે ઇંદ્રિયના વિષયરૂપ ચારેને વશ થયેલો ભિક્ષુ પણ પોતાની સેવા કરાવવા માટે સાથીદાર (શિષ્યાદિ)ને ઇચ્છે પણ ભિક્ષુના આચારને પાળવા ઇચ્છતો નથી. એ સંયમી થવા છતાં તપના પ્રભાવને ન ઓળખતાં પશ્ચાત્તાપ (અરે આ શા માટે મેં ત્યાગ કર્યો ? એમ) કરે છે. એ પ્રકારે અસંખ્ય વિકારો (દોષો)ને ઉત્પન્ન કરે છે.
૧૦૫. ત્યારબાદ આવા વિકારોથી મોહરૂપી મહાસંસારમાં ડૂબવાને માટે ભિન્ન ભિન્ન પ્રકારનાં તેવાં નિમિત્ત મળે છે. અને અકાર્ય કરે છે તેથી ઉત્પન્ન થતું દુઃખ નિવારવા માટે સુખની ઇચ્છા રાખનાર તે આસક્ત જીવાત્મા હિંસાદિ કાર્યમાં પણ ઉદ્યમી થાય છે.
૧૦૬. પરંતુ જે વિષયોથી વિરક્ત છે તેને ઇન્દ્રિયોના તે પ્રકારના શબ્દાદિ વિષયો મનોજ્ઞતા કે અમનોજ્ઞતા ઉત્પન્ન કરી શકતા નથી. (રાગદ્વેષ ઉપજાવી શકતા નથી.)
૧૦૭. એવી રીતે સંયમના અનુષ્ઠાનો વડે સંકલ્પ વિકલ્પોમાં સમતાને પામેલા તે વિરાગીની શબ્દાદિ વિષયોના અસંકલ્પથી (દુષ્ટ ચિંતન ન કરવાથી) કામભોગ સંબંધી તૃષ્ણા સાવ ક્ષીણ થાય છે.
૧૦૮. કૃતકૃત્ય તે વીતરાગી જીવ જ્ઞાનાવરણીય કર્મ એક ક્ષણમાં ખપાવે છે અને તે જ પ્રમાણે દર્શનાવરણીય અને અંતરાય કર્મનો પણ નાશ કરે છે.
૧૦૯ અમોહી અને નિરતરાયી (અંતરાય કર્મ રહિત) તે યોગીશ્વર જગતના સર્વ પદાર્થોને સંપૂર્ણ જાણે અને અનુભવે છે અને પાપનો પ્રવાહ રોકી શુકલધ્યાનની સમાધિ યુક્ત થઈ સાવ શુદ્ધ થયેલો તે જીવાત્મા આયુષ્યના ક્ષયે મોક્ષ પામે છે.
૧૧). જે દુ:ખ સંસારી જીવ માત્રને સતત પીડી રહ્યું છે તે સર્વ દુઃખથી અને સંસાર રૂપ દીર્ધ રોગથી સાવ મુક્ત થાય છે. એવી રીતે તે પ્રશસ્ત જીવ પોતાના લક્ષ્યને પામી અનંત સુખ મેળવે છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૨૫
પ્રમાદસ્થાન
૧૧૧. અનાદિ કાળથી જીવાત્માની સાથે જડાયેલા દુઃખનો સર્વથા વિમુક્તિ માર્ગ ભગવાને આ પ્રમાણે કહ્યો છે. ઘણા જીવો ક્રમપૂર્વક આ માર્ગને પામીને અત્યંત સુખી થાય છે.
નોંધ : શબ્દ, રૂ૫, ગંધ, રસ અને સ્પર્શ આ પાંચ વિષયો કહેવાય છે. તે બધા પોતપોતાને અનુકૂળ ઇન્દ્રિયોને ઉત્તેજિત કરવાનું આબાદ કામ કરે છે. માત્ર નિમિત્ત મળવું જોઈએ. વળી બધા વિષયોનો પારસ્પરિક સંબંધ પણ રહ્યો હોય છે. જેમ કે જીભનો કાબૂ ગુમાવે તે બીજી ઇન્દ્રિયોને વશ ન રાખી શકે. માટે એકપણ ઈદ્રિયને તે માર્ગે છૂટી મૂકવી એ દેખીતી સામાન્ય ભૂલ હોવા છતાં મહાનમાં મહાન અનર્થનું કારણ છે, અને તેનું પરિણામ એક નહિ પણ અનેક ભવો સુધી ભોગવવું પડે છે. માટે શાણા સાધકે દાન્ત, શાન્ત અને અડગ રહેવું.
એમ કહું છું : એ પ્રમાણે પ્રમાદિસ્થાન સંબંધી બત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨ ૨૬
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : તેત્રીસમું
કર્મપ્રકૃતિ
કર્મ એ આખા જગતનો અચળ કાયદો છે. આ કાયદાને વશ આખું જગત પ્રવર્તી રહ્યું છે. આ કાયદો જુગજુગ જૂનો છે. તેનાં પરિવર્તન થતાં જ નથી. ગમે તેવું સમર્થ બળ ભલેને હો ! પરંતુ તેના પર તેનું ચાલી શકતું નથી.
અનેક સમર્થ શૂરવીરો, યોગીપુરુષો અને ચક્રવર્તીઓ થઈ ગયા પણ તે કાયદાને વશ તો તેમને રહેવું જ પડ્યું. અનેક દેવો, દાનવો, રાક્ષસો વગેરે પાક્યા. પણ અહીં તો તેને મસ્તક નમાવવું જ પડ્યું.
આ કર્મની રચના ગંભીર છે. કર્મને આધીન થયેલું ચૈતન્ય પોતાનું સ્વરૂપ સાથે હોવા છતાં તેને ભૂલી જાય છે. જડની ઘર્ષણની વિવિધ સુખદુઃખના અનુભવ કરે છે અને તન્મય બની જઈ અનેક ગતિઓમાં જડની સાથે ને સાથે પરિભ્રમણ કરે છે.
કર્મ એક છતાં ભિન્ન ભિન્ન પરિણામોની અપેક્ષાઓ તેના આઠ વર્ગ છે. સૌથી પ્રબળ સત્તા, પ્રબળ સામર્થ્ય, પ્રબળ કાળસ્થિતિ અને પ્રબળ રસસંવેદન કેવળ મોહનીય કર્મનાં મનાય છે. મોહનીય એટલે ચૈતન્યની ભ્રાંતિથી ઉત્પન્ન થયેલું કર્મ. આઠ કર્મોનો સર્વોપરિ નરપતિ છે. આ નૃપતિને જીત્યા પછી બીજા સામંતો વશ થઈ શકે છે.
આ બધાં કર્મોનાં પુદ્ગલ પરિણામ, તેની કાળસ્થિતિ તેને અંગે ચૈતન્યનાં થતાં પરિવર્તન, કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે શત્રુઓના પ્રચંડ પ્રકોપ વગેરે અધિકારો આ અધ્યયનમાં સંક્ષેપથી છતાં બહુસ્પર્શી વર્ણવ્યા છે. આવા ચિંતનથી જીવન પર થતી કર્મની અસરથી ઘણે અંશે છૂટી જવાનું બની શકે છે.
ભગવાન બોલ્યા : ૧. જેનાથી બંધાયેલો આ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે તે આઠ કર્મોને હું ક્રમપૂર્વક કહું છું.
૨. ૧, જ્ઞાનાવરણીય, ર. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોહનીય, તેમજ પ. આયુષ્યકર્મ
Page #260
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ
૨ ૨૭ ૩. અને ૬. નામકર્મ, ૭. ગોત્રકર્મ તથા ૮, અંતરાય કર્મ એ પ્રમાણે આ આઠ કર્મો સંક્ષેપથી કહ્યાં છે.
૪. ૧. મતિજ્ઞાનાવરણીય, ૨. શ્રુતજ્ઞાનાવરણીય, ૩. અવધિજ્ઞાનાવરણીય, ૪. મન:પર્યાય જ્ઞાનાવરણીય અને ૫. કેવળ જ્ઞાનાવરણીય, એમ જ્ઞાનાવરણીયના પાંચ પ્રકારો છે. - પ. ૧. નિંદ્રા, ૨. નિદ્રા નિદ્રા (ગાઢનિંદ્રા), ૩. પ્રચલા (ઊઠતાં બેસતાં ઊંધવું તે), ૪. પ્રચલા પ્રચલા (ચાલતાં નિંદ્રા લેવી તે) અને પ. થિણદિ નિંદ્રા (જ નિંદ્રામાં પુષ્કળ બળ પ્રગટે છે જાગ્રત અવસ્થામાં ચિંતવેલું કે બીજું કાંઈપણ અસાધારણ કામ કરી સૂઈ જવાના આમાં દષ્ટાંત મળે છે.)
૬. ૬. ચક્ષુ દર્શનાવરણીય; ૭. અચક્ષુદર્શનાવરણીય, ૮. અવધિ દર્શનાવરણીય અને ૯. કેવળ દર્શનાવરણીય. એ પ્રમાણે નવ પ્રકારનું દર્શનાવરણીય કર્મ જાણવું.
૭. (૧) સાતા વેદનીય (જે ભોગવતાં સુખ ઉત્પન્ન થાય) અને (૨) અસાતા વેદનીય, એ પ્રમાણે વેદનીય કર્મના મૂળ બે પ્રકાર છે અને તે બંનેના પૃથક પૃથકુ ઘણા ભેદો છે.
નોંધ : કર્મપ્રકૃતિનો વિસ્તાર ખૂબ જ વિશાળ છે. વધારે સમજવા માટે કર્મપ્રવૃતિ, કર્મગ્રંથ ઇત્યાદિ ગ્રંથોમાં જોઈ લેવું.
૮. દર્શનાવરણીય અને ચારિત્રાવરણીય એમ મોહનીયકર્મ પણ બે પ્રકારનું છે અને દર્શનાવરણીયના ત્રણ અને ચારિત્રાવરણીયના બે ભેદો છે.
૯. સમ્યફ, મોહનીય, મિથ્યાત્વમોહનીય અને સમ્યક્ મિથ્યાત્વ મોહનીય (મિશ્રમોહનીય). આ ત્રણે દર્શનમોહનીયની પ્રકૃતિઓ છે.
૧૦. ચારિત્ર મોહનીય કર્મ બે પ્રકારનું કહ્યું છે. (૧) કષાય મોહનીય અને (૨) નોકષાય મોહનીય.
નોંધ : ક્રોધાદિ કષાયજન્ય કર્મ કષાય મોહનીય કર્મ કહેવાય છે અને નોકષાયજન્ય કર્મ નોકષાય મોહનીય કર્મ કહેવાય છે.
૧૧. કપાયથી ઉત્પન્ન થયેલાં કર્મોનાં સોળ ભેદો છે અને નોકષાયના સાત અથવા નવ ભેદો છે.
નોંધ : (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને લોભ. એ પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને સંજ્વલન એવા ચાર ચાર પેટા ભેદો છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ઉત્તરાધ્યયન સૂત્ર તેથી કુલ મળી સોળ થયા. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા અને વેદ. એમ વળી સાત અથવા તો વેદના, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એમ મળી નવ થાય.
૧૨. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવનું આયુષ્ય એમ આયુષ્યકર્મના ચાર ભેદો છે.
૧૩. શુભ નામ અને અશુભ નામ એમ નામ કર્મ બે પ્રકારનું કહ્યું છે અને શુભ તથા અશુભના પણ પેટા ભેદો ઘણા છે.
૧૪. ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર એમ ગોત્ર કર્મ પણ બે પ્રકારનું કહ્યું છે. આઠ પ્રકારના મદ કરવાથી નીચ ગોત્ર અને મદ નહિ કરવાથી ઉચ્ચ ગોત્ર મળે છે માટે તે બંનેને આઠ આઠ પ્રકારનું વર્ણવ્યું છે.
૧૫. દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય અને વર્યાન્તરાય એમ અન્તરાય કર્મ પણ સંક્ષેપથી પાંચ પ્રકારનું કહ્યું છે.
નોંધ : વસ્તુ મળવા છતાં ઉપયોગ કરી ન શકાય અથવા વસ્તુની પ્રાપ્તિ ન થાય તેને અંતરાય કહે છે.
૧૬. આ પ્રમાણે તે આઠે કર્મોની મૂળ અને ઉત્તર પ્રવૃતિઓ (પેટા ભેદો) વર્ણવી. હવે તેમના પ્રદેશો, તેમનું ક્ષેત્ર, તેમનો કાળ અને ભાવ કહીશ તે સાંભળો :
નોંધ : પ્રદેશાગ્ર એટલે તે તે કર્મનાં પુગલો. કારણ કે કર્મ એ જડ પદાર્થ છે.
૧૭. આઠે કર્મોનાં અનંત પ્રદેશાગ્ર (પુદ્ગલો) છે. તે બધા મળી સંસારના અભવ્ય જીવોથી અનંત ગણા હોય છે અને અનંત સિદ્ધોથી અનંતમા ભાગનાં હોય છે.
નોંધ : અભવ્ય એટલે મુક્તિ મેળવવા માટે અયોગ્ય.
૧૮. બધા જીવોનાં કર્મો સંપૂર્ણ લોકની અપેક્ષાઓ છએ દિશામાં સર્વ આત્મપ્રદેશોથી બધી રીતે બંધાતાં રહે છે.
નોંધ : આઠે કર્મો જેમ દ્રવ્યની અપેક્ષાએ અનંતસંખ્યામાં છે તેમ ક્ષેત્રથી છએ દિશામાં વહેંચાયેલા છે.
૧૯-૨૦. તે આઠ કર્મો પૈકી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મોની ઓછામાં ઓછી સ્થિતિ અંતમુહૂર્ત અને વધારેમાં વધારે તેત્રીસ ક્રોડા ક્રોડી સાગરોપમ હોય છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
કર્મપ્રકૃતિ
૨ ૨૯ નોંધ : વેદનીય કર્મના બે ભેદોમાં સાતાવેદનીય કર્મની સ્થિતિ પંદર ક્રોડા ક્રોડી સાગરોપમ હોય છે. સાગરોપમ એટલે સાગરની માફક ઉપમાવાળા, અર્થાત્ મોટી સંખ્યાવાળી સ્થિતિનું કાળપ્રમાણ છે.
૨૧. મોહનીય કર્મની કાળસ્થિતિ ઓછામાં ઓછી અંતમૂહુર્ત કાળની અને વધારેમાં વધારે સીત્તેર ક્રોડા ક્રોડી સાગરોપમની કહી છે.
૨૨. આયુષ્ય કર્મની સ્થિતિ જઘન્ય (ઓછામાં ઓચી) અંતમૂહુર્ત કાળની અને વધુમાં વધુ તેત્રીસ સાગરોપમની કહી છે.
૨૩. નામ કર્મ અને ગોત્રકર્મ એ બંને કર્મોની ઓછામાં ઓછી કાળસ્થિતિ આઠ અંતમુહૂર્તની છે અને વધુમાં વધુ વીસ ક્રોડા ક્રોડી સાગરોપમની છે.
૨૪. સર્વ કર્મસ્કંધોના અનુભાગો (પરિણામો કિંવા રસો)નું પ્રમાણ સિદ્ધગતિના અનંત જીવોને અનંતમે ભાગે ઓછું હોય છે. પરંતુ જો તે સર્વ કર્મના પરમાણુઓની અપેક્ષા લઈએ તો બધા (સંસારી અને સિદ્ધ) જીવો કરતાં પણ અધિક હોય છે.
નોંધ : સ્કંધ તો સંખ્યાત, અસંખ્યાત કે અનંત પરમાણુઓના બને છે. અને તેથી તેની સંખ્યા ઘણી ન્યૂન હોય છે, અને પરમાણુઓ તો લોક વ્યાપ્ત અને પ્રમાણમાં અનંતાનંત હોય છે. તેથી તેની સંખ્યા સૌથી અધિક થાય છે. જો પદાર્થની સંખ્યા જ અનંત હોય તો તેના અનુભાગોની સંખ્યા અધિક હોય તે તો સ્વાભાવિક જ છે.
૨૫. માટે એ બધાં કર્મોનાં રસોને જાણીને એ કર્મોને બાંધે નહિ અને બંધાયેલાં કર્મોનો ત્યાગમાં ડાહ્યો સાધક સતત ઉપયોગ રાખે.
નોંધ : કર્મનાં પરિણામ તીવ્ર ભયંકર છે. કર્મવેદનાનું સંવેદન તીણ શસ્ત્ર જેવું અસહ્ય છે. કર્મનો ફાયદો કંપાવી મૂકે તેવો કઠણ છે. કર્મનાં બંધન ચેતનનાં સામર્થ્ય ઝુંટવી લે છે. ચેતનની વ્યાકુળતા એ જ કષ્ટ, એ જ સંસાર અને એ જ દુઃખ છે. એમ જાણી અશુભ કર્મથી વિરમવું અને શુભ કર્મનો સંચય કરવો. ચૈતન્ય પ્રબળ સામર્થ્ય વિકસિત થયા પછી તે શુભકર્મરૂપ સુવર્ણની બેડીથી પણ છૂટી જવાનો પુરુષાર્થ કરવો તે જ એક માત્ર જીવનનું સાફલ્ય છે.
એમ કહું છું : એ પ્રમાણે કર્યપ્રકૃતિ સંબંધી તેત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨ ૩૦
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : ચોત્રીસમું
લેયા
લેશ્યાના અર્થો અનેક છે. લેગ્યા એટલે કાંતિ, લેગ્યા એટલે સૌંદર્ય, લેશ્યા એટલે મનોવૃત્તિ વગેરે વગેરે. પરંતુ આ સ્થળે વેશ્યાનો રહસ્યાર્થ જીવાત્માનો અધ્યવસાય કે પરિણામ વિશેષ છે.
સંચિત (એકઠું થયેલું), પ્રારબ્ધ (ઉદયમાં આવતું) અને ક્રિયામાણ (કરાતું); આ પ્રકારનાં કર્મ જીવાત્મા (કર્મસંયોગી જીવ)માં વિદ્યમાન હોય છે. કર્મ પોતે જડવસ્તુ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ઇત્યાદિ તેના અસાધારણ ધર્મો છે. ચેતન તો જ્ઞાન, આનંદ અને સત્યમય છે. તેના આ ધર્મો જડ દ્રવ્યથી સાવ વિભિન્ન છે. આમ હોવા છતાં પણ ચેતન અને જડનો સંસર્ગ હોવાથી જડજન્ય પરિણામોની અસર તે જીવાત્મા પર થયા વિના રહેતી નથી.
સારાં માઠાં કર્મની અસરથી જીવાત્માનું માપ ઘડાઈ ગયું હોય છે તેથી તે કર્મયોગ-શરીર, ઇન્દ્રિય, આકૃતિ, વર્ણ ઇત્યાદિ પામે છે. અને તેના પૂર્વ કર્મને નિર્જરવાનું તથા નવીન કર્મને ગ્રહણ કરવાનું કાર્ય સતત ચાલુ રહે છે.
જ્યાં સુધી કર્મની મુક્તિનો સાચો માર્ગ ન મળે કે આત્મભાન ન થાય ત્યાં સુધી તેના પરિણામો વિભિન્ન ગતિ (સ્થાન)માં વિભિન્ન રીતે જીવાત્મા વેદતો જ રહે છે.
કર્મ બહુ સૂક્ષ્મ હોવાથી તે મૂળ સ્વરૂપમાં દેખી શકાય નહિ. પરંતુ નિમિત્ત મળતાં તેને અંગે જીવાત્મા પર થતી સારી માઠી અસર આપણે જરૂર જોઈ શકીએ છીએ. જેમ કે ક્રોધાદિ કષાયોનું માપ બદલાતી શરીરની આકૃતિ, હાવભાવ અને કાર્ય પરથી નીકળી આવે છે તે જ પ્રકારે લેશ્યા એ પણ જીવાત્માનો કર્મસંસર્ગથી ઉત્પન્ન થતો વિકાર વિશેષ છે.
તે પોતે કર્મરૂપ હોવાથી તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણમન, સ્થિતિ ઇત્યાદિ બધું હોઈ શકે છે. પરંતુ તે એટલું બધું સૂક્ષ્મ છે કે તેનું આપણે સ્થળ ચક્ષુ દ્વારા નિરીક્ષણ કે સ્પર્શન પ્રત્યક્ષ કરી શકીએ નહિ. તેને યથાર્થ સમજવા માટે દિવ્ય જ્ઞાનની અને દિવ્ય દર્શનની અપેક્ષા છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
લેશ્યા
૨૩૧ છતાં કાર્ય વિશેષથી તે વસ્તુનું અનુમાન જરૂર કાઢી શકાય. ક્રોધી મનુષ્યના ચહેરા પર દેખાતી ભયંકરતા, તેની સાહસિકતા, ગાત્રનું કંપન તથા ઉષ્ણતા વગેરે બધાં એકાંત ઝેરનાં સૂચક છે. વૈજ્ઞાનિક શોધથી અત્યંત ક્રોધ વખતનું સોણિતબિંદુ ઝેરમય હોય છે, અને તે દ્વારા મનુષ્યનાં મરણ થયાના પણ અનેક દૃષ્ટાંતો પ્રત્યક્ષ દેખાયાં છે. એટલે તે વસ્તુને વિશેષ સમજાવવાની આવશ્યકતા રહેતી નથી. વેશ્યાઓ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. તેમાં પહેલી ત્રણ અપ્રશસ્ત અને છેલ્લી ત્રણ પ્રશસ્ત છે. તે અપ્રશસ્તને ત્યાગી પ્રશસ્તની આરાધના કરવી એ મુમુક્ષુજનને બહુ બહુ આવશ્યક છે.
ભગવાન બોલ્યા : ૧. હવે અનુક્રમથી હું લેસ્યા અધ્યયનને કહીશ. એ એ કર્મ લેશ્યાના અનુભાવોને કહેતા એવા મને સાંભળો :
નોંધ : કર્મ લેગ્યા એટલા માટે કહી છે કે તે કર્મની સ્થિતિ ઉત્પન્ન કરે છે. અનુભાવ એટલે તીવ્ર કે મંદ રૂપે રસનું સંવેદન.
૨. (લેશ્યાના અગિયાર બોલો કહે છે :) વેશ્યાઓના ૧. નામ, ૨. વર્ણ, ૩. રસ, ૪, ગંધ, ૫. સ્પર્શ, ૬. પરિણામ, ૭. લક્ષણ, ૮. સ્થાન, ૯. સ્થિતિ, ૧૦. ગતિ અને ૧૧. ચ્યવન. (જયારે અંતમુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે આગામી ભવની જે લેગ્યા ઉત્પન્ન થાય તે) વગેરેને સાંભળો.
૩. ૧. કૃષ્ણ લેશ્યા, ૨. નીલ વેશ્યા, ૩. કાપોતી લેગ્યા, ૪. તેજો લેશ્યા, ૫. પદ્મ લેશ્યા અને ૬. શકલ લેગ્યા. એ તેઓના ક્રમપૂર્વક નામો છે.
૪. કૃષ્ણલેશ્યાનો વર્ણ જળવાળાં વાદળ, પાડાનાં શિંગડાં, અરીઠા, ગાડાની મળી, કાજળ અને આંખની કીકી જેવો શ્યામ હોય છે.
પ. નીલ વેશ્યાનો વર્ણ લીલાં અશોકવૃક્ષ, નીલ ચાસ પક્ષીની પાંખ અને સ્નિગ્ધ વૈડૂર્ય નીલમણિ જેવો હોય છે.
૬. કાપોતી વેશ્યાનો વર્ણ અળશીનાં ફૂલ, કોયલની પાંખ અને પારેવાની ડોક જેવો હોય છે.
નોંધ : કાપોતી વેશ્યાનો વર્ણ કિંઈક કાળો અને કંઈક લાલ હોય છે.
૭. તેજો વેશ્યાનો વર્ણ હિંગળાના જેવો, ઊગતા સૂર્ય જેવો, સૂડાની. ચાંચ જેવો અને દીપકની પ્રભા જેવો હોય છે,
૮. પદ્મ લેશ્યાનો વર્ણ હળદરનાં કટકા જેવો અને શણ (ધાન્ય વિશેષ)ના તથા અશણના ફળના રંગ જેવો પીળો જાણવો.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૩૨
ઉત્તરાધ્યયન સૂત્ર ૯. શુકલ લશ્યાનો વર્ણ શંખ, અંકરત્ન, મચકુંદનાં ફૂલ, દૂધની ધાર અને રૂપાના હાર જેવો ઉવલ હોય છે.
૧૦. કૃષ્ણ લેશ્યાનો રસ કડવા તુંબડાનો, કડવા લીંબડાનો તથા કડવી રોહિણીનો રસ જેટલો કડવો હોય તેના કરતાં સ્વાદમાં અનંત ગણો કડવો જાણવો.
૧૧. નીલ ગ્લેશ્યાનો રસ સૂંઠ, મરી અને પીપરના રસનો સ્વાદ કે હસ્તિ પિપ્પિલી (ગજપીપ)ના રસનો સ્વાદ તીણ હોય તે કરતાં પણ અનંત ગણો તીખો જાણવો.
૧૨. કાપોતી વેશ્યાનો રસ કાચા આંબાના ફળનો સ્વાદ, કાચા કોઠાના રસનો સ્વાદ અને તુંબરના ફળના સ્વાદ જેવો હોય તેના કરતાં અનંત ગણો તુરો જાણવો.
૧૩. તેજોલેશ્યાનો રસ પાકા આમ્રફળના રસનો સ્વાદ અને પાકા કોઠાના રસનો સ્વાદ હોય તે કરતાં અનંતગણી ખટમીઠો જાણવો.
૧૪. પા લશ્યાનો રસ ઉત્તર વારુણી તથા ભિન્ન ભિન્ન પ્રકારના મધુ અને મેરક આસવ, વગેરે દારૂઓના રસથી પણ અનંતગણો ખટમીઠો જાણવો.
૧૫. શુકલ લેગ્યાનો રસ ખજુર, દ્રાક્ષ, દૂધ, ખાંડ અને સાકરના રસનો સ્વાદ હોય તે કરતાં અનંતગણો મીઠો જાણવો.
૧૬. કૃષ્ણ, નીલ અને કાપોતી એ ત્રણે અશુભ લેશ્યાઓની ગંધ મરેલી ગાય, મરેલું કૂતરું કે મરેલા સર્પની ગંધ કરતાં અનંત ગણી ખરાબ હોય છે.
૧૭. તેજલેશ્યા પબલેશ્યા અને શુકલેશ્યા એ ત્રણે પ્રશસ્ત વેશ્યાઓની ગંધ, કેવડા વગેરેનાં સુગંધી પુષ્પો તથા પીસાતા વસાણાની જેવી સુમધુર ગંધ હોય તે કરતાં અનંતગણી પ્રશસ્ત હોય છે.
૧૮. કૃષ્ણ, નીલ અને કાપોતી એ ત્રણે વેશ્યાઓના સ્પર્શ કરવત, ગાય અને બળદની જીભ અને સાગવૃક્ષના પત્ર કરતાં અનંત ગણો કર્કશ હોય છે.
૧૯. તેજો, પદ્મ અને શુકલ એ ત્રણે લશ્યાનો સ્પર્શ માખણ, સરસવનું ફૂલ અને બૂર નામની વનસ્પતિના સમાન સ્પર્શ કરતાં અનંત ગણો કોમળ હોય છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૩૩
લેશ્યા
૨૦. તે છએ વેશ્યાઓના પરિણામ અનુક્રમે ત્રણ, નવ, સત્તાવીસ, એકાસી અને બસો તેતાળીશ પ્રકારનાં જાણવાં.
નોંધ : ત્રણ એટલે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ,પછી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ક્રમથી ત્રણ ત્રણ ભેદો વધારતા જવા.
લેશ્યાનાં લક્ષણો : ૨૧. પાંચે આસ્ત્રવો (મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ)ને નિરંતર સેવન કરનાર મન, વચન અને કાયાથી અસંયમી છે કાયની હિંસાથી નહિ વિરમેલો, આરંભમાં આસક્ત, પાપનાં કાર્યોમાં સાહસિક અને શુદ્ર
૨૨. ક્રૂર, અજિતેન્દ્રિય અને સર્વનું અહિત કરનાર કુટિલ ભાવનાવાળો. આવા બધા યોગથી જોડાયેલો જીવ કૃષ્ણ લેશ્યાનાં પરિણામવાળો જાણવો.
૨૩.-૨૪. ઈર્ષાળુ, કદાગ્રહી (અસહિષ્ણુ), તપ નહિ આદરનાર, અજ્ઞાની, માયાવી, નિર્લજ, લંપટ, દ્વેષી, રસલોલુપી, શઠ, પ્રમાદી, સ્વાર્થી, આરંભી, ક્ષુદ્ર અને સાહસિક ઇત્યાદિ ક્રિયાઓથી જોડાયેલો જીવાત્મા નીલ લેશ્યાવાળો ગણાય.
૨૫.-ર૬. વાણીમાં અને વર્તનમાં વક્ર (અપ્રમાણિક), માયાવી, અભિમાની, પોતાના દોષને છુપાવનાર, પરિગ્રહી, અનર્થ મિથ્યાદ્રષ્ટિ, ચોર, અભિમાની અને બીજાના કાળજાને ભેદી નાખે તેવો કઠોરભાષી, આ બધા યોગોથી જોડાયેલો જીવાત્મા કાપતી વેશ્યાવાન હોય છે.
૨૭.-૨૮. નમ્ર, ચપળ, સરળ, અકુતૂહલી, વિનીત, દાન્ત, તપસ્વી યોગી ધર્મમાં દઢ, ધર્મપ્રેમી, પાપભીરુ અને કલ્યાણનો ઈચ્છુક વગેરે વિશેષણોથી જોડાયેલો જીવાત્મા તેજો વેશ્યાવાન જાણવો.
૨૯. જે મનુષ્યને ક્રોધ, માન, માયા અને લોભ અલ્પ હોય, ચિત્ત શાંત હોય, દમિતેન્દ્રિય, યોગી, તપસ્વી,
૩૦. અલ્પભાષી, ઉપશમ રસમાં જીતનાર અને જિતેન્દ્રિય એ બધા વિશેષણોથી જોડાયેલો પમલેશ્યાનો ધણી જાણવો.
૩૧. આર્ત અને રૌદ્ર એ બંને દુર્ગાનોને છોડીને જે ધર્મ અને શુકલધ્યાન ધરે છે તથા રાગદ્વેષ રહિત, શાંતચિત્તવાળો, દમિતેન્દ્રિય અને પાંચ સમિતિઓ તથા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત- ૩૨, અલ્પરાગી અથવા વીતરાગી, ઉપશાંત અને જિતેન્દ્રિય વગેરે વ્યાપારોથી જોડાયેલો હોય છે તે જીવ શુકલ વેશ્યાવાન જાણવો.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૩૩. અસંખેય અવસર્પિણી અને ઉત્સર્પિણીનાં જેટલા સમય અને સંખ્યાતીત લોકના જેટલા આકાશ પ્રદેશો હોય તેટલાં શુભ-અશુભ લેશ્યાઓનાં સ્થાનો જાણવાં.
નોંધ : દસ ક્રોડાક્રોડી સાગરોપમની એક અવસર્પિણી (ઊતરતો) કાળ અને દસ ક્રોડાકોડી સાગરોપમની એક ઉત્સર્પિણી (ચડતો) કાળ ગણાય છે.
૩૪. કૃષ્ણ વેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમૂહુર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની ઉપર એક મુહૂર્ત જાણવી.
નોંધ : પરલોકમાં જે લેગ્યા મળવાની હોય તે વેશ્યા મરણ પહેલાં એક અંતમુહૂર્ત વહેલી આવે છે. એટલે એક અંતમુહૂર્ત ઉમેર્યું છે.
૩૫. નીલલેશ્યાની સ્થિતિ જધન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમ ઉપર પલ્યોપમના અસંખ્યાતમો ભાગ વધારે જાણવી.
૩૬. કાપોતી વેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ ઉપર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વધારે જાણવી.
૩૭. તેજોવેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ બે સાગરોપમની ઉપર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વધારે જાણવી. - ૩૮. પદ્મ લેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમની ઉપર એક અંતમુહૂર્ત અધિક જાણવી.
૩૯. શુકલેશ્યાની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની ઉપર એક અંતમુહૂર્ત અધિક જાણવી.
૪૦. આ તો ખરેખર લેશ્યાઓની સમુચ્ચય (સંગ્રહ) સ્થિતિ કહી. હવે ચારે ગતિઓમાં વેશ્યાઓની સ્થિતિ ભિન્ન ભિન્ન પ્રકારે કહીશ,
૪૧. (નરક ગતિની વેશ્યાસ્થિતિ કહે છે :) કાપોતી લેગ્યાની સ્થિતિ જધન્ય દસ હજાર વર્ષ અને વધુમાં વધુ ત્રણ સાગરોપમની ઉપર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક જાણવી.
૪૨. નીલ લશ્યાની સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમની ઉપર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમની ઉપર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક જાણવી ,
૪૩. કૃષ્ણલેશ્યાની સ્થિતિ જઘન્ય દસ સાગરોપમની ઉપર પલ્યોપમો અસંખ્યાતમો ભાગ અધિક અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની જાણવી.
૪૪. નરકના જીવોની આ લશ્યાસ્થિતિ વર્ણવી. હવે પશુ, મનુષ્ય અને દેવોની લેશ્યાસ્થિતિ વર્ણવીશ.
Page #268
--------------------------------------------------------------------------
________________
લેશ્યા
૨૩૫
૪૫. શુકલ લેડ્યા સિવાય બાકીની વેશ્યાની તિર્યંચ અને મનુષ્યની સ્થિતિ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય, ચાર ઇંદ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ તથા સંમૂર્ણિમ અને ગર્ભજ મનુષ્યો પૈકી) જેને જયાં જયાં જે જે કૃષ્ણાદિક પાંચ લેશ્યાઓ પ્રાપ્ત થાય તે પ્રત્યેકની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ કેવળ અંતમુહૂર્ત કાળની જાણવી. (તથી કેવળજ્ઞાની આમાંથી બાદ થાય છે.)
૪૬. કેવળી (ભગવાનની શુકલ લેશ્યા કહે છે :) શુકલ લેશ્યાદિની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વમાં માત્ર નવ વર્ષ ઓછા કાળની જાણવી.
૪૭. આ પશુ અને મનુષ્યોની લેશ્યાસ્થિતિ વર્ણવી. હવે દેવોની લયાસ્થિતિ વર્ણવીશ.
૪૮. કૃષ્ણલેશ્યાની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની જાણવી.
૪૯. નીલ ગ્લેશ્યા સ્થિતિ જઘન્ય કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં એક સમય અધિક અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની જાણવી.
૫૦. કાપોતી વેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ નીલ વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં એક સમય અધિક અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની જાણવી.
૫૧. હવે ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક એ ચાર જાતિના દેવોમાં રહેલી તેજોલેસ્થાની સ્થિતિ કહીશ.
પર. તેજોલેશ્યાની સ્થિતિ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ બે સાગરોપમની ઉપર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી અધિક જાણવી.
૫૩. તેજલેશ્યાની સ્થિતિ જધન્ય દશ હજાર વર્ષની (ભવનપતિ અને વ્યંતર દેવોની અપેક્ષાએ) જાણવી અને ઉત્કૃષ્ટ બે સાગરોપમની ઉપર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક (વૈમાનિક દેવોની અપેક્ષાએ) જાણવી. - ૫૪. પદ્મશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ તેજોલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં એક સમય અધિક અને વધુમાં વધુ દસ સાગરોપમની ઉપર એક મુહૂર્ત અધિક જાણવી.
પ૫. શુકલ લેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ પલ્બલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં એક સમય અધિક અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની ઉપર એક મુહૂર્ત અધિક જાણવી.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ઉત્તરાધ્યયન સૂત્ર પદ. કૃષ્ણ, નીલ અને કાપોતી એ ત્રણે અધર્મ વેશ્યાઓ છે. અને એ ત્રણ વેશ્યાઓથી જીવાત્મા દુર્ગતિ પામે છે.
પ૭. તેજો, પદ્મ અને શુકલ એ ત્રણે ધર્મ લેશ્યાઓ છે. અને એ ત્રણ લેશ્યાઓથી જીવાત્મા સુગતિ પામે છે.
૫૮-૫૯. મરણ વખતે આગલા ભવને માટે જીવાત્મામાં જ્યારે લેશ્યાઓ પરિણામ પામતી હોય તે વખતે પહેલે સમયે કે અંતિમ સમયે કોઈ પણ જીવોની ઉત્પત્તિ થતી નથી.
૬૦. સારાંશ કે મરણાંતે આગામી ભવની વેશ્યાઓ પરિણમ્યા પછી અંતમુહૂર્ત બાદ અને અંતમુહૂર્ત બાકી રહે તે વખતે જીવો પરલોકને વિશે જાય છે.
નોંધ : લેયાઓની રચના એવી હોય છે કે તે જે ગતિમાં જવાનું હોય તેવા આકારમાં મૃત્યુની એક સમય પહેલાં જ પરિણત થાય છે.
૬૧. માટે આ બધી વેશ્યાઓના પરિણામોને જાણીને ભિક્ષુ અપ્રશસ્ત લેશ્યાઓને છોડી પ્રશસ્ત લેશ્યાઓમાં અધિષ્ઠાન કરે.
નોંધ : શુભને સૌ ઈચ્છે છે. અશુભને કોઈ નથી ઇચ્છતું. શુભ કેવળ વિચારથી ન પામી શકાય. શુભને માટે સતત શુભ પ્રયત્ન થવો ઘટે.
અપ્રશસ્ત લેશ્યાઓનું ઉત્પન્ન થવું સ્વાભાવિક છે. તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો પડતો નથી. ઈર્ષ્યા, ક્રોધ, દ્રોહ, ક્રૂરતા, અસંયમ, પ્રમત્તતા, વાસના અને માયા વગેરે બધું નિમિત્ત મળતાં જીવાત્મા ઇચ્છાએ કે અનિચ્છાએ સહસા કરી નાખે છે. પરંતુ કોમળતા, વિશ્વપ્રેમ, સંયમ, ત્યાગ, અર્પણતા અને અભયતા વગેરે ઉચ્ચ સગુણો આરાધવા ત્યાં જ કઠિનતા છે. ત્યાં જ કસોટી છે અને ત્યાં જ ઉપયોગની આવશ્યકતા છે.
આવી સરાણે ચઢનાર સાધક જ શુભ, સુંદર અને પ્રશસ્ત લેશ્યાઓને પામી શકે છે.
એમ કહું છું : એ પ્રમાણે વેશ્યા સંબંધી ચોત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.
Page #270
--------------------------------------------------------------------------
________________
અણગારાધ્યયન
૨૩૭
અધ્યયન : પાંત્રીસમું અણગારાધ્યયન
સંસારના બાહ્ય બંધનોથી છૂટવું પણ કંઈ સહેલું નથી. સંસારના ક્ષણભંગુર પદાર્થોમાં કૈંક બિચારા ભોગવિલાસી જીવો રાચી રહ્યા છે, રખડી રહ્યા છે અને સ્વચ્છંદી જીવન ગુજારીને આ લોક અને પરલોકમાં પરમ વેદનાને દેનારાં કર્મોનો સંચય કરી રહ્યા છે.
ત્યાં કોઈ હળુકર્મી જીવને જ સદ્ભાવ કે વૈરાગ્ય જાગે છે. અને ત્યાગની તાલાવેલી લાગે છે.
આવું ત્યાગી જીવન દુર્લભ હોવા છતાં કદાચ પામી શકાય પરંતુ ઘરબાર, સગાંવહાલાં એ બધું છોડ્યા પછી તેટલામાં જ જીવન વિકાસની સમાપ્તિ થઈ જતી નથી.
જેટલું સ્થાન ઊંચું તેટલી જ જવાબદારી અધિક થતી જવાની વગેરે કેટલાં કડક, ઉદાર અને પવિત્ર હોવાં જોઈએ તેનાં અહીં વિધાન છે. ભગવાન બોલ્યા :
૧. જે માર્ગને આચરવાથી ભિક્ષુ દુઃખનો અંત કરી શકે તેવા તીર્થકરના બતાવેલા માર્ગને હું તમને કહી સંભળાવું છું. તેને એકાગ્ર ચિત્તથી તમે સાંભળો. ૨. જે ભિક્ષુસાધક ગૃહસ્થવાસને છોડીને પ્રવ્રજ્યા માર્ગમાં ગયેલો છે તેણે આ આસક્તિઓને બરાબર સમજી લેવી જોઈએ, કે જે આસક્તિઓથી મનુષ્યો બંધાય છે.
નોંધ : સમજી લેવી એટલે બરાબર જાણીને ત્યાગ કરવો જોઈએ.
૩. તે જ પ્રમાણે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, અપ્રાપ્ત વસ્તુઓની ઇચ્છા અને મેળવેલાનો પરિગ્રહ એ પ્રમાણે આ પાંચ સ્થાનોને સંયમીએ છોડી દેવાં. ૪. ચિત્રવાળું પુષ્પ અને અગરચંદનના ધૂપથી સુગંધિત, સુંદર શ્વેત વસ્ત્રના ચંદરવાથી શણગારેલું અને સુંદર કમાડવાળું એવું મનોહર ઘર ભિક્ષુ મનથી પણ ઇચ્છે નહિ.
નોંધ : આવા સ્થાને ન રહેવા માટે જે કહ્યું છે તેનું ખાસ કારણ એ છે કે બહારનું સૌંદર્ય પણ કેટલીક વખત જોવાથી બીજકરૂપે રહેલા વિકારાદિ દોષોને ઉત્તેજિત કરવામાં નિમિત્તરૂપ થાય છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
અણગારાધ્યયન
૨૩૭
અધ્યયન : પાંત્રીસમું અણગારાધ્યયન
સંસારના બાહ્ય બંધનોથી છૂટવું પણ કંઈ સહેલું નથી. સંસારના ક્ષણભંગુર પદાર્થોમાં કૈક બિચારા ભોગવિલાસી જીવો રાચી રહ્યા છે, રખડી રહ્યા છે અને સ્વચ્છંદી જીવન ગુજારીને આ લોક અને પરલોકમાં પરમ વેદનાને દેનારાં કર્મોનો સંચય કરી રહ્યા છે.
ત્યાં કોઈ હળુકર્મી જીવને જ સભાવ કે વૈરાગ્ય જાગે છે. અને ત્યાગની તાલાવેલી લાગે છે.
આવું ત્યાગી જીવન દુર્લભ હોવા છતાં કદાચ પામી શકાય પરંતુ ઘરબાર, સગાંવહાલાં એ બધું છોડ્યા પછી તેટલામાં જ જીવન વિકાસની સમાપ્તિ થઈ જતી નથી.
જેટલું સ્થાન ઊંચું તેટલી જ જવાબદારી અધિક થતી જવાની વગેરે કેટલાં કડક, ઉદાર અને પવિત્ર હોવાં જોઈએ તેનાં અહીં વિધાન છે.
ભગવાન બોલ્યા : ૧. જે માર્ગને આચરવાથી ભિક્ષુ દુ:ખનો અંત કરી શકે તેવા તીર્થકરના બતાવેલા માર્ગને હું તમને કહી સંભળાવું છું. તેને એકાગ્ર ચિત્તથી તમે સાંભળો.
૨. જે ભિક્ષુસાધક ગૃહસ્થવાસને છોડીને પ્રવ્રયા માર્ગમાં ગયેલો છે તેણે આ આસક્તિઓને બરાબર સમજી લેવી જોઈએ, કે જે આસક્તિઓથી મનુષ્યો બંધાય છે.
નોધ : સમજી લેવી એટલે બરાબર જાણીને ત્યાગ કરવો જોઈએ.
૩. તે જ પ્રમાણે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, અપ્રાપ્ત વસ્તુઓની ઇચ્છા અને મેળવેલાનો પરિગ્રહ એ પ્રમાણે આ પાંચસ્થાનોને સંયમીએછોડી દેવાં.
૪. ચિત્રવાળું પુષ્પ અને અગરચંદનના ધૂપથી સુગંધિત, સુંદર શ્વેત વસ્ત્રના ચંદરવાથી શણગારેલું અને સુંદર કમાડવાળું એવું મનોહર ઘર ભિક્ષુ મનથી પણ ઇચ્છે નહિ.
નોંધ : આવા સ્થાને ન રહેવા માટે જે કહ્યું છે તેનું ખાસ કારણ એ છે કે બહારનું સૌંદર્ય પણ કેટલીક વખત જોવાથી બીજકરૂપે રહેલા વિકારાદિ દોષોને ઉત્તેજિત કરવામાં નિમિત્તરૂપ થાય છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
૨ ૩૮
ઉત્તરાધ્યયન સૂત્ર ૫. તેવા ઉપાશ્રયમાં ભિક્ષુને ઇંદ્રિયોનો સંયમ કઠિન થઈ પડે છે. કારણ કે સ્થાન કામ અને રાગનું વૃદ્ધિકારક છે.
૬. માટે સ્મશાન, સૂનું ઘર કે વૃક્ષના મૂળમાં અથવા ગૃહસ્થીઓએ પોતાને માટે બનાવેલાં સાદા એકાંત મકાનમાં ભિક્ષુએ રાગદ્વેષથી રહિત થઈ વાસ કરવો.
નોંધ : તે કાળમાં દરેક ભાવિક ગૃહસ્થો પોતપોતાની ધર્મક્રિયા કરવાનું એકાંત સ્થાન પોતાના ઘરથી અલગ રાખતા હતા.
૭. જે સ્થાનમાં બહુ જીવોની ઉત્પત્તિ ન હોય, પોતાને કે પરને પીડાકારક ન હોય અને સ્ત્રીઓથી વ્યાપ્ત ન હોય તે સ્થાનને વિશે જ પરમ સંયમી ભિક્ષુને રહેવું કહ્યું (તવા સ્થાને રહેવું જોઈએ).
૮. ભિક્ષુ ઘરો કરે નહિ કે બીજા દ્વારા કરાવે નહિ, કારણ કે ઘર કરાવવાની ક્રિયામાં અનેક જીવોની હિંસા થાય છે.
૯. જેમાં સૂક્ષ્મ અને સ્થળ એવા સ્થિર અને હાલતા ચાલતા જીવોની ગૃહકાર્યમાં હિંસા થાય છે. તેથી સંયમીએ ઘર બંધાવવાની ક્રિયા છોડી દેવી.
૧૦. તે જ પ્રમાણે આહાર, પાણીને રાંધવામાં કે રંધાવવામાં પણ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ ઇત્યાદિ) અનેક જીવોનો વધ થાય છે. તેથી તે પ્રાણીઓની દયા ખાતર પોતે રાંધે નહિ તેમ રંધાવે પણ નહિ.
૧૧. જળ, ધાન્ય, પૃથ્વી અને કાઇને આશ્રયે રહેલા અનેક જીવો આહારપાણી પકવવામાં હણાય છે માટે ભિક્ષુએ તે પકાવવું નહિ.
૧૨. સર્વ દિશામાં શસ્ત્રની ધારાની પેઠે ફેલાયેલું ઘણા જીવોનો નાશ કરનાર જયોતિ (અગ્નિ) સમાન એક પણ શસ્ત્ર નથી માટે સાધુએ અગ્નિને ઉદ્દીપન કરવી નહિ.
નોંધ : ભિક્ષુ પોતે તેવી કોઈપણ જાતની હિંસક ક્રિયા કરે નહિ તેમ કરાવે કે મનથી અનુમોદન પણ આપે નહિ.
૧૩. ખરીદવા અને વેચવાની ક્રિયાથી વિરમેલો અને ઢેકું તથા સુવર્ણ જેને સમાન છે તેવો ભિક્ષુ સુવર્ણ તથા ચાંદીને મનથી પણ ઇચ્છે નહિ.
નોંધ : જેમ ઢેફાને નિર્મુલ્ય જાણી કોઈ અડકતું નથી તેમ ભિક્ષુ સુવર્ણને જોવા છતાં અડકે નહિ. કારણ કે ત્યાગ કર્યા પછી સુવર્ણની કિંમત તેને મન ઢેફા સમાન સ્વાભાવિક થઈ જાય છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૩૯
અણગારાધ્યયન
૧૪. ખરીદનાર ગ્રાહક કહેવાય છે અને વેચનાર વાણિયો (વેપારી) કહેવાય છે. માટે જો ક્રયવિક્રયમાં ભિક્ષુ પડે તો તે સાધુ કહેવાતો નથી.
૧૫. ભિક્ષા માગવાના વ્રતવાળા ભિક્ષુએ યાચીને જ લેવું. ખરીદીને લેવું નહિ કારણ કે ખરીદવાની અને વેચવાની ક્રિયામાં તેની પાછળ દોષ સમાયેલો છે. માટે ભિક્ષાવૃત્તિ એ જ સુખકારી છે.
નોંધ : કંચન અને કામિની એ બે વસ્તુ સંસારનું બંધન છે, તેની પાછળ અનેકાનેક દોષો સમાયેલા છે. તેને ત્યાગ્યા પછી ત્યાગીને પરિગ્રહ તો શું? પણ તેનું ચિંતન સુદ્ધાં ન કરવું ઘટે. માટે જ ત્યાગીને માટે ભિક્ષાચરી એ જ ધર્મે બતાવ્યું છે.
૧૬. સૂત્રમાં કહેલા નિયમો પ્રમાણે આનંદિત ઘરોમાં સામુદાયિક ગોચરી કરતાં આહારની પ્રાપ્તિ થાઓ કે ન થાઓ પણ મુનિએ સંતુષ્ટ રહેવું જોઈ.
નોંધ : જે કુળો દુર્ગુણોથી નિંદાયેલાં હોય કે અભક્ષ્ય પદાર્થો ખાતાં હોય તેવાં સ્થળો છોડીને ભિક્ષુએ ભિન્ન ભિન્ન કુળોમાં નિર્દોષ ભિક્ષાવૃત્તિ કરવી.
૧૭. અનાસક્ત અને સ્વાદેન્દ્રિય ઉપર કાબૂ રાખનાર સાધુ રસનો લોલુપી ન બને. કદાચ ન મળે તો તેની વાંછા પણ ન કરે. મહામુનિ ભોજનને રસ માટે નહિ પણ સંયમમાત્રાના નિર્વાહ માટે ભોજનને ભોગવે.
૧૮. ચંદનાદિનું અર્ચન, બેઠકોની રચના, ઋદ્ધિ, સત્કાર, સન્માન, પૂજન કે પરાણે કરાવેલું વંદન, ભિક્ષુ મનથી પણ ન ઇચ્છે.
૧૯. મરણપર્યત સાધુ અપરિગ્રહપણે શરીરના મમત્વને તજીને નિયાણા રહિત થઈને શુકલધ્યાનને ચિતવે અને અપ્રતિબંધપણે વિચરે.
૨૦. કાળધર્મ (મૃત્યુ અવસર) પ્રાપ્ત થાય ત્યારે ચારે આહારનો ત્યાગ કરીને તે સમર્થ ભિક્ષુ આ છેલ્લા મનુષ્ય દેહને છોડીને સર્વ દુઃખથી છૂટી જાય.
૨૧. મમત્વ ને અહંકાર રહિત, અનાસ્ત્રવી અને વીતરાગી થઈ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને પછી કાયમની નિવૃત્તિ પામે.
નોંધ : સંયમ એ ખાંડાની ધાર છે. સંયમનો માર્ગ દેખાવમાં સરળ છતાં આચરવામાં ખૂબ કઠણ છે. સંયમી જીવન સૌ કોઈ માટે સુલભ નથી. છતાં તે એક જ માત્ર કલ્યાણનો માર્ગ છે.
એમ કહું છું : એ પ્રમાણે અણગાર સંબંધીનું પાંત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૪)
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : છત્રીસમું જીવાજીવવિભક્તિ જીવાજીવ પદાર્થોનો વિભાગ
ચેતન; જડ (કર્મ)ના સંસર્ગથી જન્મમરણના ચક્રમાં ફરે છે એનું નામ સંસાર. આવા સંસારની આદિ કેમ કઢાય ? જ્યારથી ચેતન ત્યારથી જડ એમ આ બંને તત્ત્વો જગતના અણુ અણુમાં ભર્યા છે. આપણને તેની આદિની ચિંતા નથી કારણ કે તેની આદિ કયા કાળથી થઈ તે જાણવામાં જ માત્ર આપણું કશુંયે કલ્યાણ નથી તેમ ન જાણવામાં હાનિ પણ નથી.
કારણ કે જૈનદર્શન માને છે કે સંસારની આદિ નથી અને આખા પ્રવાહની અપેક્ષાએ હજુ પણ સંસાર ચાલવાનો છે. તેમ છતાં મુક્ત જીવાત્માઓની અપેક્ષાએ મુક્તિ હતી, છે અને રહેશે.
ચેતન અને જડનો સંયોગ ગમે તેટલો નિબિડ (ઘટ) હોવા છતાં તે સંબંધ સંયોગિક સંબંધ છે. સમવાય સંબંધનો અંત હોતો નથી. પરંતુ સંયોગ સંબંધનો અંત આજે, કાલે કે વધુ કાળ પણ થવો સંભવિત છે.
આજે ચેતન અને જડ પોતપોતાનો ધર્મ ગુમાવી બેઠાં છે. ચેતનમય જડ અને જડમય ચેતન એમ પરસ્પર એવાં તો એકાકાર થઈ ગયાં જણાય છે કે સહસા તેમનો ઉકેલ પણ ન લાવી શકાય.
જડના અનાદિ સંસર્ગથી મલિન થયેલું ચેતન્ય જીવાત્મા કે બરિહાત્મા કહેવાય છે અને જ્યારે તે જીવાત્મા પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે તે સ્થિતિને અંતરાત્મા કહેવાય છે અને જે ચૈતન્યો કર્મરહિત થયાં છે. તે પરમાત્માઓ કહેવાય છે.
જીવાત્માને પ્રથમ જગતના પદાર્થોને યથાર્થ સ્વરૂપે જાણવાની ઇચ્છા થાય તેને જિજ્ઞાસા કહેવાય છે. આવી જિજ્ઞાસા પછી તે જગતનાં બધાં તત્ત્વોમાંથી મૂળભૂત બે તત્ત્વોને તારવી લે છે. એ તારવ્યા પછી જીવની ચૈતન્ય તત્ત્વ પર રુચિ ઢળે છે. અને તુરત જ એ શુદ્ધ બનાવ માટે શુદ્ધ ચૈતન્યની પ્રતીતિ કરી આગળ વધે છે. જીવનતત્ત્વનાં ભિન્ન ભિન્ન સ્વરૂપોને જાણ્યા પછી સ્વયં અજીવતત્ત્વ અને એ બંને તત્ત્વનાં સંયોગિક બળોનો વિચાર કરી લે છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
જીવાજીવવિભક્તિ
આખા સંસારનું સ્વરૂપ તેના લક્ષ્યમાં આવી ગયા પછી આત્માભિમુખ થઈ એ અનુભવ પોતામાં કરતો રહે છે અને આત્મલક્ષ્યની દોરી પર ધ્યાન આપી વર્તમાન કર્મોનો રોધ કરે છે. પછી પૂર્વ કર્મોના સંયોગથી છૂટે છે અને એમ થતાં શુદ્ધ ચૈતન્ય બને છે.
ભગવાન બોલ્યા :
૨૪૧
:
૧. જેને જાણીને ભિક્ષુ સંયમમાં ઉપયોગપૂર્વક ઉદ્યમવંત થાય છે તે જીવ અને અજીવના જુદા જુદા ભેદોને કહું છું : તમે એકાગ્ર ચિત્તથી મને સાંભળો. ૨. જેમાં જીવ અને અજીવ એ બંને તત્ત્વો હોય તેને તીર્થકરોએ લોક કહ્યો છે. અજીવનો એક દેશ એટલે કે જ્યાં માત્ર આકાશ છે- બીજા કોઈ પદાર્થ નથી તેને અલોક કહ્યો છે.
૩. જીવ અને અજીવોનું નિરૂપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારથી થાય છે.
૪. મુખ્યત્વે રૂપી અને અરૂપી એમ અજીવ તત્ત્વના બે ભેદો થાય. તેમાં રૂપી ચાર પ્રકારનાં અને અરૂપી દસ પ્રકારનાં છે.
૫. ધર્માસ્તિકાયના ૧. સ્કંધ, ૨. દેશ અને ૩. પ્રદેશ અને અધર્માસ્તિકાયના ૪. સ્કંધ, પ. દેશ તથા ૬. પ્રદેશ.
૬. અને આકાશાસ્તિકાયના, ૭. સ્કંધ, ૮. દેશ અને ૯. પ્રદેશ તથા ૧૦. અધ્યાસમય (કાળતત્ત્વ), એમ બધા મળી અરૂપીના દસ ભેદો થાય છે. નોંધ : કોઈ પણ સંપૂર્ણ દ્રવ્યના આખા વિભાગને સ્કંધ કહેવાય છે. સ્કંધના અમુક કલ્પેલા વિભાગને દેશ કહેવાય છે અને સૌથી નાનો વિભાગ કે જેના બે ખંડ ન થઈ શકે પણ સ્કંધ સાથે જોડાયેલો હોય તો તેને પ્રદેશ કહેવાય છે. અને તેવો સૂક્ષ્મ ભાગ સ્કંધથી અલગ થઈ જાય તો તેને પરમાણું કહેવાય છે.
૭. (ક્ષેત્રનું વર્ણન :) ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બંને દ્રવ્યોનું ક્ષેત્ર લોક પ્રમાણે છે અને આકાશાસ્તિકાયનું ક્ષેત્ર સંપૂર્ણ લોક અને અલોકમાં પણ છે. સમય (કાળ)નું ક્ષેત્ર મનુષ્યક્ષેત્રના પ્રમાણ જેટલું છે (એટલે કે ૪૫ લાખ યોજન સુધી છે.
૮. (કાળનું વર્ણન :) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યો કાળની અપેક્ષાએ અનાદિ અને અનંત એટલે કે દરેક કાળમાં શાશ્વત છે એમ કહ્યું છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૪૨
ઉત્તરાધ્યયન સૂત્ર ૯. સમય કાળ પણ નિરંતર પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને અનંત છે. પણ કોઈ કાર્યની અપેક્ષાઓ તો આદિ અને અંત સહિત છે.
૧૦. સ્કંધો, સ્કંધના દેશો, તેના પ્રદેશો અને પરમાણુઓ એ રૂપી (જડ) પદાર્થો ચાર પ્રકારના જાણવા.
૧૧. દ્રવ્યથી જ્યારે પરમાણું યુગલો એકઠાં મળે તે રૂંધ ગણાય છે અને અલગ અલગ હોય ત્યારે પરમાણુઓ કહેવાય છે. અને ક્ષેત્રથી સ્કંધો લોકના દેશ અને વ્યાપી અને પરમાણું આખા લોકવ્યાપી જાણવાં. હવે સ્કંધાધિક પુગલોની કાળસ્થિતિ ચાર પ્રકારે કહું છું.
નોંધ : લોકના એક દેશમાં એટલે કે એક આકાશ પ્રદેશમાં સ્કંધ હોય અને ન પણ હોય. પણ પરમાણુઓ તો અવશ્ય હોય.
૧૨. સંસાર પ્રવાહની અપેક્ષાઓ તે બધા અનાદિ અને અનંત છે. પણ રૂપાંતર અને સ્થિતિની અપેક્ષાઓ આદિસહિત અને અંતસહિત છે.
૧૩. એક ઠેકાણે રહેવાની અપેક્ષાઓ તે રૂપી અજીવ પુદ્ગલોની સ્થિતિ ઓછામાં ઓછી એક સમય અને વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધીની સ્થિતિ તીર્થકરોએ વર્ણવી છે.
૧૪. તે રૂપી અજીવ પુગલો પરસ્પર વિખૂટા પડી ફરીથી મળે તેનું અંતર ઓછામાં ઓછું એક સમયનું અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોય છે.
૧૫. (હવે ભાવથી અજીવરૂપી પુદ્ગલના ભેદો કહે છે :) વર્ણથી, ગંધથી, રસથી, સ્પર્શથી અને સંસ્થાન (આકૃતિ)થી એમ તેઓના પાંચ પ્રકારો જાણવા.
૧૬. વર્ણથી પરિણામ પામેલા તે પુલના પાંચ પ્રકારો હોય છે. ૧. કાળા, ૨. લીલા,, ૩. રાતા, ૪. પીળા અને ૫. ધોળા.
૧૭. ગંધથી તે બે પ્રકારે પરિણામ પામે છે. સુરભિ (સુગંધી) ગંધવાળા ને ૨. દુરભિ ગંધવાળા.
૧૮. રસથી તે પાંચ પ્રકારે પરિણત હોય છે. ૧. તીખા, ૨. કડવા, ૩. કસાયલા, ૪. ખાટા અને ૫. મીઠા.
૧૯. સ્પર્શથી તે આઠ પ્રકારે પરિણત કહેવાય છે. ૧. કર્કશ, ૨. કોમળ, ૩. ભારે, ૪. હળવા.
૨૦. ૫. ઠંડા, ૬, ઊના, ૭. સ્નિગ્ધ અને ૮. લુખા. આ પ્રમાણે સ્પર્શથી આઠ પ્રકારનાં કહ્યાં છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
જીવાજીવવિભક્તિ
૨૪૩ ૨૧. સંસ્થાન (આકૃતિ)થી પાંચ પ્રકારમાં પરિણત થાય છે. ૧. પરિમંડળ (ચૂડી જેવો ગોળ આકાર), ૨. વૃત્ત (દડા જેવો ગોળ આકાર), ૩. ત્રાંસો આકાર, ૪. ચોરસ આકાર અને ૫. આયાત (લાંબો આકાર).
૨૨. વર્ણથી જે કાળો હોય તેમાં (બે) ગંધ, (પાંચ) રસ, (આઠ) સ્પર્શ અને (પાંચ) સંસ્થાન (આકૃતિ) એમ (વીસ બોલની) ભજના (હોય કે ન હોય) જાણવી.
નોંધ : ભજના લખવાનું કારણ એ છે કે જે સ્થૂળ અનંત પ્રદેશ સ્કંધ પુગલ વર્ણથી કાળાં હોય, તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન એમ વીસ ભેદો જાણવા અને પરમાણુની અપેક્ષાઓ તો એક ગંધ, એક રસ અને બે સ્પર્શ એમ ચાર ભેદો જ જાણવા. આ પ્રમાણે દરેક સ્થળે સમજી લેવું.
૨૩. જે પુદ્ગલ વર્ષે લીલાં હોય, તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજના જાણવી.
૨૪. જે પુદ્ગલ વર્ણથી રાતો હોય તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજન ગણવી.
૨૫. જે પુદ્ગલ વર્ણથી પીળાં હોય તેમાં ગંધ, રસ, સ્પર્શ ને સંસ્થાનની ભજના ગણવી.
૨૬. જે પુદ્ગલ વર્ણથી સફેદ હોય તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજન જાણવી. - ૨૭. જે પુગલ ગંધથી સુરભિ હોય તેમાં સંસ્થાનની ભજના જાણવી.
૨૮. જે પુદ્ગલ ગંધથી દુરભિ હોય તેમાં સંસ્થાનની ભજના જાણવી.
૨૯. જે પુદ્ગલ રસથી તીખાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના ગણવી.
૩૦. જે પુદ્ગલ રસથી કડવાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના ગણવી.
૩૧. જે પુદ્ગલ રસથી કસાયેલાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના જાણવી.
૩૨. જે પુદ્ગલ રસથી ખાટાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજન જાણવી.
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૩૩. જે પુદ્ગલ રસથી મીઠાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજન જાણવી.
૩૪. જે પુદ્ગલ સ્પર્શથી કર્કશ (ખરબચડો) હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજન જાણવી.
૩૫. જે પુદ્ગલ સ્પર્શથી કોમળ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના ગણવી.
૩૬. જે પુદ્ગલ સ્પર્શથી ભારે લાગતાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી.
૩૭. જે પુદ્ગલ સ્પર્શથી હળવાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી.
૩૮. જે પુદ્ગલ સ્પર્શથી ઠંડાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી.
૩૯. જે પુગલ સ્પર્શથી ઊનાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી.
૪૦. જે પુદ્ગલ સ્પર્શથી સ્નિગ્ધ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજન જાણવી.
૪૧. જે પુદ્ગલ સ્પર્શથી લુખાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના જાણવી.
૪૨. જે પુદ્ગલ આકૃતિથી પરિમંડળ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ભજના જાણવી.
૪૩. જે પુદ્ગલ આકૃતિથી કૃત હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજના જાણવી.
૪૪. જે પુદ્ગલ આકૃતિથી ત્રાંસાં હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજન જાણવી.
૪૫. જે પુદ્ગલ આકૃતિથી ચોરસ હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજન ગણવી.
૪૬. જે પુદ્ગલ આકૃતિથી આયાત હોય તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજના જાણવી.
૪૭. આ પ્રમાણે અજીવ તત્ત્વનો વિભાગ સંક્ષેપથી કહ્યો. હવે જીવતત્ત્વના વિભાગને ક્રમપૂર્વક કહીશ.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૪૫
જીવાજીવવિભક્તિ
૪૮. સંસારી (કર્મસહીત) અને સિદ્ધ (કર્મરહિત) એમ બે પ્રકારના જીવો સર્વજ્ઞ પુરુષો કહ્યા છે. તે પૈકી સિદ્ધજીવો અનેક પ્રકારના કહ્યા છે. તેને હું પ્રથમ કહીશ એવા મને તમે સાંભળો.
૪૯. તે સિદ્ધ જીવોમાં સ્ત્રીલિંગે તથા નપુંસકલિંગ અને જૈન સાધુના વેશે, અન્ય દર્શનના (સંન્યાયી ઇત્યાદિ) વેશે કે ગૃહસ્થ વેશે થયેલા સિદ્ધ જીવોનો સમાવેશ થાય છે.
નોંધ : સ્ત્રી, પુરુષ અને જન્મથી નહિ પણ કૃત નપુંસક એવા જીવો ગૃહસ્થાશ્રમ કે ત્યાગાશ્રમમાં રહી મોક્ષ પામી શકે છે. અહીં તો છ પ્રકાર વર્ણવ્યા છે. પરંતુ તેના વિશેષ ભેદો કરી બધા મળી પંદર પ્રકારના સિદ્ધ પણ વર્ણવ્યા છે.
૫૦. સિદ્ધ થતી વખતે તે જીવોની શરીર અવગાહના (ઊંચાઈ કેટલી હોય તે બતાવે છે) જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યોની અને તે બંને કરતાં મધ્યમ અવગાહના (તેની વચ્ચેની શરીરની ઉંચાઈ)થી ઊંચે (પર્વત પ૨)નીચે (ખાડ વગેરેમાં) તથા તિરછા લોકમાં, સમુદ્રમાં અને અન્ય જલાશયમાં તે જીવો સિદ્ધ દશા પામી શકે.
૫૧. એક સમયમાં દસ નપુંસક (કૃત નપુંસક), વીસ સ્ત્રીઓ અને એકસો આઠ પુરુષો વધુમાં વધુ સિદ્ધ થઈ શકે છે.
પ૨. એક સમયમાં વધુમાં વધુ ચાર જીવો ગૃહલિંગમાં, દસ અન્ય લિંગમાં તથા એકસો આઠ જૈનલિંગમાં સિદ્ધ થઈ શકે છે.
નોંધ : પોતાના શાસનમાં હો કે અન્ય શાસનમાં હો, ગૃહસ્થાશ્રમમાં હો કે ત્યાગાશ્રમમાં હો. જે જે સ્થાનમાં જેટજેટલી યોગ્યતા પ્રાપ્ત થાય તો તે જીવો મોક્ષ પામે છે. ત્યાં કોઈ દર્શન, મત, વાદ કે આશ્રમનો ઈજારો નથી.
પ૩. એક સમયમાં એકીસાથે જઘન્ય (બે હાથની ઊંચાઈવાળા વધુમાં વધુ) ચાર જીવો, અને ઉત્કૃષ્ટ (પાંચસો ધનુષ્યની ઊંચાઈવાળા) બે જીવો તેમજ મધ્યમ (તે બંનેની વચ્ચેની) ઊંચાઈવાળા એકસો આઠ સિદ્ધ થઈ શકે છે. - ૫૪. એક સમયમાં એકી સાથે ઊંચા (મેરુ પર્વતની ચૂલિકા ઉપર) લોકને વિશે ચાર, સમુદ્રમાં બે, નદી ઇત્યાદિમાં ત્રણ, નીચા લોકને વિશે વીસ અને મધ્યલોકમાં એકસો ને આઠ જીવો નિશ્ચય સિદ્ધ થઈ શકે છે.
પપ. સિદ્ધ થયેલા જીવો ક્યાં રોકાયા છે ? ક્યાં સ્થિર રહ્યા છે ? અને ક્યાં શરીર છોડીને સિદ્ધ થયા છે ?
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૪૬
ઉત્તરાધ્યયન સૂત્ર - પ. સિદ્ધના જીવો અલોક જતાં અટક્યા છે, લોકના અગ્રભાગ પર સ્થિર થયા છે. અહીં મધ્ય લોકમાં શરીર છોડીને ત્યાં લોકના અગ્ર ભાગ પર રહેલી સિદ્ધ ગતિમાં સ્થિર થયા છે.
નોંધ : શુદ્ધ ચૈતન્યની અઅલિત ગતિ ઉર્ધ્વગમનની છે પણ ગતિ સહાયક ધર્માસ્તિકાય તત્ત્વ અલોકમાં ન હોવાથી લોકના અગ્ર ભાગ પર જ તેની સ્વાભાવિક સ્થિતિ થઈ રહે છે.
પ૭. (સિદ્ધિસ્થાન કેવું છે તે કહે છે :) સર્વાર્થસિદ્ધિનામના વિમાનની બાર યોજન ઉપર છત્રને આકારે ઇસીપભારા (ઈષતપ્રાગૂભાર) નામની એક મુક્તિશિલા પૃથ્વી છે.
૫૮. તે સિદ્ધશિલા ૪૫ લાખ યોજનની લાંબી અને પહોળી છે. તેનો આખો ઘેરાવો તેનાથી ત્રણ ગણા કરતાં વધારે જાણવો.
પ૯. તે સિદ્ધશિલા મધ્ય ભાગે આઠ યોજનની જાડી અને પછી થોડું થોડું ઘટતાં એકદમ છેડે માખીની પાંખ કરતાં પણ પાતળી છે.
૬૦. તે પૃથ્વી સમભાવે અર્જુન નામના ધોળા સુવર્ણ જેવી ખૂબ નિર્મળ છે અને સમા છત્રને આકારે રહેલી છે. એ પ્રમાણે અનંત જ્ઞાની તીર્થકરોએ કહ્યું છે.
૬૧. તે સિદ્ધશિલા શંખ અને અંક નામના રત્નો અને મુચકુંદના કૂલ જેવી ખૂબ નિર્મળ અને સુંદર છે. અને તે સિદ્ધશિલાથી એક યોજન ઊંચે લોકનો છેડો આવી રહે છે.
૬૨. તે યોજનનો છેલ્લો જે એક કોશ છે તેનો છઠ્ઠો ભાગ એટલે ૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળની ઊંચાઈમાં સિદ્ધપ્રભુઓ રહ્યા છે.
૬૩. મોક્ષમાં મહા ભાગ્યવંત એવા સિદ્ધપુરુષો પ્રપંચથી મુક્ત થઈ ઉત્તમ પ્રકારની તે સિદ્ધગતિને પામીને ત્યાં લોકના અગ્રભાગ પર સ્થિર થયા છે. - ૬૪. (સિદ્ધ થતાં પહેલાં) છેલ્લા મનુષ્યભવમાં જેટલી શરીરની ઊંચાઈ હોય તેના ત્રણ ભાગ પૈકી એક ભાગ છોડીને બે ભાગ જેટલી સિદ્ધ જીવોની ઊંચાઈ સિદ્ધ થયા પછી રહે છે.
નોંધ : સિદ્ધ થયા પછી શરીર રહેતું નથી પરંતુ તે શરીરને વ્યાપી રહેલા આત્મપ્રદેશો તો રહે છે અને શરીરનો ૧-૩ જે ખાલી પ્રદેશ છે તે નીકળી જતાં ર-૩ આકારમાં સર્વ આત્મપ્રદેશો રહે છે અને આત્મપ્રદેશો અરૂપી હોવાથી અનંત જીવો હોવા છતાં તેને પરસ્પર ઘર્ષણ થતું નથી.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૪૭
જીવાજીવવિભક્તિ
૬૫. એક જીવની અપેક્ષાની આદિસહિત અને અંતસહિત છે. પણ આખા સમુદાયની અપેક્ષાઓ આદિ અને અંતરહિત છે.
૬૬. તે સિદ્ધના જીવો અરૂપી, કેવળજ્ઞાન અને કેવળદર્શનથી જ તેમની ઓળખાણ થઈ શકે તેવા છે. તેઓ જેની ઉપમા ન આપી શકાય તેવા અતુલ સુખને પામ્યા છે.
૬૭. સંસારની પાર ગયેલા અને ઉત્તમ સિદ્ધગતિને પામેલા કેવળજ્ઞાન અને કેવળ દર્શનના ધણી તે સર્વ સિદ્ધો લોકના અગ્રભાગ પર સ્થિર થયા છે.
૬૮. સંસારી જીવો તીર્થકરોએ બે પ્રકારના કહ્યા છે. ૧. ત્રસ અને ૨. સ્થાવર. જીવોના પણ ત્રણ ભેદો છે.
૬૯. ૧. પૃથ્વીકાય, ૨. જળકાય અને ૩. વનસ્પતિકાય. વળી એ ત્રણના પણ પેટાભેદો કહું છું : તે સાંભળો. - ૭૦. પૃથ્વીકાયના જીવો સૂક્ષ્મ અને સ્થળ બે પ્રકારના છે. અને વળી તેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બબ્બે ભેદો છે.
૭૧. ધૂળ પર્યાપ્ત હોય છે. તેના મુખ્ય બે પ્રકારો છે. ૧. કોમળ અને ૨. કર્કશ. અને તેમાં પણ કોમળના સાત પ્રકારો છે.
૭૨. ૧. કાળી, ૨. લીલી, ૩. રાતી, ૪. પીળી, ૫. ધોળી, ૬ . પાંડુર (ગોરા ચંદન જેવી) અને ૭. અતિ ઝીણી રેતી. એમ સાત પ્રકારની સુંવાળી પૃથ્વી કહેવાય છે. કર્કશ પૃથ્વીના ૩૬ ભેદો છે તે નીચે પ્રમાણે :
૭૩. ૧. પૃથ્વી (ખાણની માટી), ૨. મરડીયા કાંકરા, ૩. રેતી, ૪. પથ્થરના ટુકડા, ૫. શિલા, ૬. સમુદ્રાદિનું મીઠું, ૭. ખારી ધૂળ, ૮. લોઢું, ૯. ત્રાંબું, ૧૦. કલઈ, ૧૧. સીસું, ૧૨. રૂપું, ૧૩. સુવર્ણ, ૧૪, વજ હીરા
૭૪. ૧૫. હડતાલ, ૧૬. હીંગળો, ૧૭. મણસીલ (એક પ્રકારની ધાતુ), ૧૮. સીસક (જસત), ૧૯. સુરમો, ૨૦. પરવાળા, ૨૧. અભ્રક, ૨૨. અભ્રકથી મિશ્ર થયેલી ધૂળ
૭૫. (હવે મણિના ભેદો કહે છે :) ૨૩. ગોમેદ, ૨૪. રૂચ, ૨૫. અંતરત્ન, રદ . સ્ફટિકરત્ન, ૨૭. લોહિતાક્ષમણિ, ૨૮. મરક્તમણિ, ૨૯. મસારંગલમણિ, ૩૦. ભુજમોચકરત્ન, ૩૧. ઇંદ્રનીલ
૭૬. ૩૨. ચંદનરત્ન, ૩૩. ગૈરકારત્ન, ૩૪. હંસગર્ભરત્ન, ૩૫. પુલકરત્ન અને ૩૬. સાગંધિકરત્ન, ૩૭. ચંદ્રપ્રભારત્ન, ૩૮. વૈડૂર્યરત્ન, ૩૯. જલકાન્ત મણિ અને ૪૦. સૂર્યકાન્તમણિ.
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : અહીં મણિના ભેદો અઢાર બતાવ્યા છે પરંતુ ચૌદ ગણીને જ ઉપરના ૩૬ પ્રકારો છે.
૭૭. એ પ્રમાણે કર્કશ પૃથ્વીના છત્રીસ ભેદો કહ્યા. સૂક્ષ્મ પૃથ્વીના જીવો તે એક જ પ્રકારના છે. ભિન્ન ભિન્ન નથી. અને તે દ્રષ્ટિગોચર પણ થતા નથી. - ૭૮. ક્ષેત્રની અપેક્ષાએ સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો તો આખા લોકમાં વ્યાપાત છે અને સ્થૂળ પૃથ્વીકાયના જીવો આ લોકના અમુક ભાગમાં છે. હવે તેઓના ચાર પ્રકારના કાળવિભાગને કહું છું –
૭૯. સૂક્ષ્મ અને સ્થળ પૃથ્વીકાયના જીવ પ્રવાહની અપેક્ષાએ તો તે જીવો અનાદિ અને અનંત છે, પણ એક એક જીવના આયુષ્યની અપેક્ષાએ તો આદિસહિત અને અંતસહિત છે.
૮૦. સ્થૂળ પૃથ્વીકાયના જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે.
૮૧. પૃથ્વીકાયમાંથી મરીને વળી પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તેને કાયસ્થિતિ કહેવાય છે. સ્થૂળ પૃથ્વીકાયના જીવોની કાયસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત કાળની અને વધુમાં વધુ અસંખ્યાત કાળની હોય છે.
૮૨. પૃથ્વીકાયના જીવો પોતાની પૃથ્વીકાયને છોડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે.
૮૩. (ભાવની અપેક્ષાઓ તેને વર્ણવે છે) એ પૃથ્વીકાય જીવોના વર્ણ ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૮૪. જળકાયના જીવો સૂક્ષ્મ અને સ્થળ એમ બે પ્રકારના હોય છે અને તે બંનેના પ્રર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદો છે.
૮૫. જે સ્થળપર્યાપ્ત જીવો છે તે પાંચ પ્રકારના છે. ૧. મેઘનું પાણી, ૨. સમુદ્રનું પાણી, ૩. તરણા ઉપર રહેલું બિંદુ (ઓસબિંદુ વગેરે) ૪. ધુંવરનું પાણી અને ૫. હિમનું પાણી.
૮૬. સૂક્ષ્મ જળકાયનો એક જ ભેદ છે. ભિન્ન ભિન્ન નથી. સૂક્ષ્મ જળકાય જીવો સર્વલોકમાં વ્યાપી રહ્યા છે અને સ્થૂળ તો લોકના અમુક ભાગમાં જ છે.
૮૭. પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે અને એક એક જીવના આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસાહિત છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
જીવાજીવવિભક્તિ
૨૪૯ ૮૮. જળકાયના જીવોની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત સુધી અને વધુમાં વધુ સાત હજાર વર્ષ સુધીની છે.
૮૯. જળકાયના જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની (ફરી ફરી ત્યાં જ જન્મે) તો ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્ય કાળની કહી છે.
૯૦. જળકાયના જીવો પોતાની જળકાયને છોડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે.
૯૧. જે જળકાય જીવોના વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૯૨. વનસ્પતિકાયના જીવો સૂક્ષ્મ અને સ્થળ એમ બે પ્રકારના હોય છે અને તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદો છે.
૯૩. ધૂળ પર્યાપ્ત વનસ્પતિકાયના જીવોના બે પ્રકાર છે. ૧. સાધારણ (એક શરીરમાં અનંત જીવો રહે તે) શરીરવાળા, ૨. પ્રત્યેક શરીરવાળા.
૯૪. જુદા જુદા શરીરમાં જુદા જુદા રહેલા પ્રત્યેક શરીર જીવો અનેક પ્રકારના કહ્યા છે. ૧. વૃક્ષ (તેના બે ભેદ છે એક બીજવાળા અને બહુ બીજવાળા.) ૨. ગુચ્છાઓ, ૩. વનમાલતી વગેરે, ૪. લતાઓ (ચંપકલતાઓ) ૫. વેલા (તુંબડી) ૭. ધાસ.
૫. ૭. નાળિયેરી, ૮. શેરડી, વાંસ વગેરે, ૯. બિલાડીના ટોપ, ૧૦. કમળ, સાલી વગેરે, ૧૧. હરિકાય ઔષધિ, એ બધાને પ્રત્યેક વનસ્પતિકાયના જીવો કહે છે.
૯૬. સાધારણ શરીરવાળા જીવો પણ અનેક પ્રકારના કહ્યા છે. ૧. બટાટા, ૨. મૂળા, ૩. આદુ.
૯૭. ૪. હરિલી કંદ, ૫. વિરીલીકંદ, ૬. સિસિરિલી કંદ, ૭, જાવંત્રી કંદ, ૮, કંદલી કંદ, ૯. ડુંગળી, ૧૦. લસણ, ૧૧. પલાંડુ કંદ, ૧૨. કુડુવ કંદ.
૯૮. ૧૩. લોહની કંદ ૧૪. હુતાશી કંદ, ૧૫. હૂતકંદ, ૧૬. કુહક કંદ, ૧૭. કૃષ્ણ કંદ, ૧૮. વજ કંદ, ૧૯. સૂરણ કંદ,
૯૯. ૨૦. અશ્વકર્ણી કંદ, ૨૧. સિહકર્મી કંદ, ૨૨. મુસુંઢી કંદ, ૨૩. લીલી હળદર, એ પ્રકારે અનેક જાતના સાધારણ શરીરવાળા જીવો કહ્યા છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૧૦૦. સૂક્ષ્મ વનસ્પતિકાયનો એક જ ભેદ છે. ભિન્ન ભિન્ન જાતથી સૂક્ષ્મ વનસ્પતિકાય જીવો સર્વલોકમાં વ્યાપી રહ્યા છે અને સ્થૂળ તો લોકના અમુક ભાગમાં જ છે.
૨૫૦
૧૦૧. પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે અને એક એક જીવની આયુષ્યસ્થિતિની અપેક્ષાએ આદિ અને અંતઃસહિત છે. ૧૦૨. વનસ્પતિકાયના જીવોની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્તની વધુમાં વધુ દસ હજાર વર્ષની છે.
૧૦૩. વનસ્પતિકાયના જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની (ફરી ફરી ત્યાં જ જન્મે) તો ઓછામાં ઓછી અંતમુહૂર્તની અને વધુમાં વધુ અનંતકાળની કહી છે.
નોંધ : લીલ, ફૂલ, નિગોદ ઇત્યાદિ અનંતકાયના જીવની અપેક્ષાએ અનંતકાળ ગણાવ્યો છે.
૧૦૪, વનસ્પતિકાયના જીવો પોતાની વનસ્પતિકાયને છોડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે.
૧૦૫. એ વનસ્પતિકાય જીવોના વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૦૬. એ પ્રમાણે સંક્ષેપથી ત્રણ પ્રકારના જીવો કહ્યા. હવે ત્રણ પ્રકારના ત્રસજીવોને કહીશ.
૧૦૭. અગ્નિકાયના જીવો, વાયુકાયના જીવો અને (મોટા બે ઇંદ્રિયાદિ) જીવો એ પ્રમાણે ત્રસના ત્રણ પ્રકારો છે. હવે તે પ્રત્યેકના પેટા ભેદોને કહીશ, તમે સાંભળો.
નોંધ : આ સ્થળે અગ્નિ અને વાયરાને સ્થાવર છતાં એક અપેક્ષાએ ત્રસ કહ્યા છે.
૧૦૮. અગ્નિકાયના જીવો સૂક્ષ્મ અને સ્થૂળ એમ બે પ્રકારના છે. અને તેના પણ પર્યાપ્ત એ અપર્યાપ્ત એવા ભેદો છે.
નોંધ : પર્યાપ્ત એટલે જે જે યોનિમાં જેટજેટલી પર્યાઓ મેળવવી જોઈએ તેટલી પૂરી પામે તે પર્યાપ્ત અને પૂરી પામ્યા વિના મરણ પામે તે અપર્યાપ્ત કહેવાય છે. પર્યાપ્ત છ પ્રકારની છે : આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૧
જીવાજીવવિભક્તિ
૧૦૯. ધૂળ પર્યાપ્ત અગ્નિકાયના અનેક પ્રકારો કહ્યા છે. ૧. અંગારા, ૨. રાખમિશ્ર અગ્નિ, ૩. તપેલા લોઢા વગેરેમાં અગ્નિ હોય તે, ૪. અગ્રિવાલા અને ૫. તૂટતી જવાલા. (ભડકા),
૧૧૦. ૬. ઉલ્કાપાતી અગ્નિ અને ૭. વિદ્યુતની અગ્નિ. એમ અનેક ભેદો જાણવા. જે સૂક્ષ્મ પર્યાપ્ત અગ્નિકાયના જીવો છે તે એક જ પ્રકારના હોય છે.
૧૧૧. સૂક્ષ્મ અગ્નિકાયના જીવો સર્વ લોકમાં વ્યાપી રહ્યા છે. અને સ્થૂળ તો લોકના અમુક ભાગમાં જ છે. હવે તેઓનો કાળવિભાગ ચાર પ્રકારે કહીશ.
૧૧૨. પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્ય સ્થિતિની અપેક્ષાએ આદિ અને અંત સહિત છે.
૧૧૩. અગ્નિકાયના જીવોની આયુષ્ય સ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્ય કાળની કહી છે.
૧૧૪. અગ્નિકાયના જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્ય કાળની કહી છે.
૧૧૫. અગ્નિકાયના જીવો પોતાની અગ્નિકાયને છોડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્ય કાળ સુધીનું છે.
૧૧ ૬. એ અગ્નિકાય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૧૭. વાયુકાયના જીવો સૂક્ષ્મ અને ધૂળ એમ બે પ્રકારના હોય છે અને તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદો છે.
૧૧૮. સ્થૂળપર્યાપ્ત વાયુકાયના જીવો પાંચ પ્રકારના છે. ૧. ઉત્કલિક (રહી રહીને વાય તે) વાયુ, ૨. વંટોળિયા, ૩. ધન વાયુ (ધનોદધિની નીચે વાય છે તે), ૪. ગુંજા વાયુ (ગુંજારવ કરે છે) અને ૫. શુદ્ધ વાયુ.
૧૧૯. તથા ૬. સંવર્તક વાયુ ઇત્યાદિ અનેક પ્રકારના વાયુ છે. અને સૂમ વાયુ તો એક જ પ્રકારનો હોય છે.
૧ ૨૦. સૂક્ષ્મ વાયુકાયના જીવો સર્વલોકમાં વ્યાપી રહ્યા છે અને સ્થળ તો અમુક ભાગમાં જ છે. હવે તેઓના કાળ વિભાગ ચાર પ્રકારે કહીશ.
૧૨૧. પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્ય સ્થિતિની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૫૨
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૨૨. વાયુકાયના જીવોની આયુષસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ ત્રણ હજાર વર્ષ સુધીની છે.
૧ ૨૩. વાયુકાયના જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્ય કાળની રહી છે.
૧૨૪. વાયુકાયના જીવો પોતાની વાયુકાયને છોડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોય છે.
૧૨૫. એ વાયુકાય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૨૬. મોટા ત્રસકાયવાળા (બે ઇંદ્રિયાદિ) જીવો ચાર પ્રકારના કહ્યા છે. ૧. બે ઇંદ્રિયવાળા, ૨. ત્રણ ઇંદ્રિયવાળા, ૩. ચાર ઇંદ્રિયવાળા અને ૪. પાંચ ઇંદ્રિયવાળા.
૧૨૭. બે ઇંદ્રિયવાળા જીવો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના કહ્યા છે. હવે તેઓના ભેદો કહું છું તે સાંભળો.
૧૨૮. ૧. કરમિયા (વિષ્ટામાં ઉત્પન્ન થાય તે), ૨. અણસિયા, ૩. સૌમંગલ (એક પ્રકારના જીવ), ૪. માતૃવાહક, ૫. વાંસી મુખા, ૬, શંખ, ૭. નાના શૃંખલા
૧૨૯. ૮. કાષ્ઠ ખાનાર પલુક, ૯, કોડા, ૧૦. જળો, ૧૧. દુષ્ટ રક્તકર્ષણ અને ૧૨. ચાંદણીઆ.
૧૩૦. એ પ્રમાણે બે ઇંદ્રિય જીવો ઘણા પ્રકારના કહ્યા છે, અને તે બધા લોકના એક ભાગમાં રહ્યા છે.
૧૩૧. પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્ય સ્થિતિની અપેક્ષાએ આદિ અને અંત સહિત છે.
૧૩૨. બે ઇંદ્રિયવાળા જીવોની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ બાર વર્ષની કહી છે.
૧૩૩. બે ઇંદ્રિયવાળા જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધીની કહી છે.
૧૩૪. બે ઇંદ્રિયવાળા જીવો પોતાની કાયા છોડીને ફરીથી બે ઇંદ્રિય કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોય છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
જીવાજીવવિભક્તિ
૨૫૩ ૧૩૫. એ બે ઇંદ્રિય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૩૬. ત્રણ ઇંદ્રિયવાળા જીવો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારે કહ્યા છે. હવે તેઓના પેટા ભેદોને કહું છું તે સાંભળો :
૧૩૭. ૧. કુંથવા, ૨. કીડી, ૩. (ચાંચડ) ઉદ્દશા, ૪. ઉકલીઆ, ૫. તૃણાહારી, ૬, કાષ્ટાહારી, ૭. માલુગા અને ૮. પત્તાહારી
૧૩૮. ૯. કપાસના બીજમાં થનારા જીવો, ૧૦. તિન્દુક, ૧૧. કિંજકા, ૧૨. સદાવરી, ૧૩. ગુલ્મી, ૧૪. ઇંદ્રગા અને ૧૫. મામણમુંડા એમ અનેક પ્રકારના કહ્યા છે.
૧૩૯. તે બધા આખા લોકમાં નહિ પણ લોકના અમુક ભાગમાં રહ્યા છે.
૧૪૦. પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્યની અપેક્ષાએ અંતસહિત છે.
૧૪૧. ત્રણ ઇંદ્રિયવાળા જીવોની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ ૪૯ દિવસની હોય છે.
૧૪૨. ત્રણ ઇંદ્રિયવાળાની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધી ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ સંખ્યાત કાળ સુધીની કહી છે.
૧૪૩. ત્રણ ઇંદ્રિયવાળા જીવો પોતાની કાયાને છોડીને ફરીથી ત્રણ ઇંદ્રિય કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું છે.
૧૪૪. એ ત્રણ ઇંદ્રિયવાળા જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૪૫. ચાર ઇંદ્રિયવાળા જીવો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના છે. હવે તેઓના પેટા ભેદોને કહું છું. તે સાંભળો :
૧૪૬. ૧. અંધિયા, ૨. પોતિયા, ૩. માખી, ૪. મચ્છર, ૫. ભમરા, ૬. કીડ, ૭. પતંગિયા, ૮. ઢિકણા, ૯. કંકણા
૧૪૭. ૧૦. કુકુટ, ૧૧. સિંગરીટી, ૧૨. નંદાવૃત્ત, ૧૩. વીંછી, ૧૪. ડોલા, ૧૫. ભીંગારી, ૧૬. ચીરલી, ૧૭. અક્ષિવેધક.
૧૪૮, ૧૮અશ્લીલ, ૧૯. માગધ, ૨૦. રોડ, ૨૧. વિચિત્ર પાંખવાળા, ૨૨. કલકારી, ૨૩. ઉપધિ જલકા, ૨૪. નીચકા અને ૨૫. તામ્રકા.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૫૪
ઉત્તરાધ્યયન સૂત્ર
નોંધ : આ બધાં દેશી ભાષા પરત્વે ભિન્ન ભિન્ન નામો છે.
૧૪૯. એ પ્રમાણે ચાર ઇંદ્રિયવાળા જીવો અનેક પ્રકારના કહ્યા છે. તે બધા લોકના અમુક વિભાગમાં જ રહે છે.
૧૫). પ્રવાહની અપેક્ષાએ એ બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે.
૧પ૧. ચાર ઇંદ્રિયવાળાની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ છ માસની કહી છે.
૧૫૨. ચાર ઇંદ્રિયવાળા જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ સંખ્યાત કાળ સુધીની કહી છે.
૧૫૩. ચાર ઇંદ્રિયવાળા જીવો પોતાની કાયાને છોડીને ફરીથી તે કાયાને પામે તે વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંતકાળ સુધીનું હોય છે.
૧૫૪. એ ચાર ઇંદ્રિય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૫૫. પાંચ ઇંદ્રિયવાળા પુરુષો ચાર પ્રકારના કહ્યા છે : ૧. નારકી (નરકના જીવો, ૨. તિર્યચ, ૩. મનુષ્ય અને ૪. દેવ.
૧૫૬. રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં રહેવાથી નારકો સાત પ્રકારના કહેવાય છે : (ત પૃથ્વીના નામ આ પ્રમાણે છે :) ૧. રત્નપ્રભા, ૨. શર્કરામભા, ૩. વાળુપ્રભા.
૧પ૭. ૪. પંકપ્રભા, ૫. ધૂમપ્રભા, ૬. તમાપ્રભા અને ૭. તમઃ તમસમભા. એ પ્રમાણે ત્યાં રહેનારા નરકના જીવો સાત પ્રકારના કહેવાય છે.
૧૫૮. તે બધા લોકના એક વિભાગમાં રહેલા છે. હવે તેઓના કાળવિભાગ ચાર પ્રકારે કહીશ :
૧૫૯. પ્રવાહની અપેક્ષાએ અનાદિ અને અંતરહિત અને આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે.
૧૬૦. પહેલી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને વધુમાં વધુ એક સાગરોપમની છે.
૧૬૧. બીજી નરકમાં આયુષ્યની સ્થિતિ જધન્ય એક સાગરોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
જીવાજીવવિભક્તિ
૧૬૨. ત્રીજી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે.
૨૫૫
૧૬૩. ચોથી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય દસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમની છે.
૧૬૪. પાંચમી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય દસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમની છે.
૧૬૫. છઠ્ઠી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય સત્તર સાગરોપમની અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની છે.
૧૬૬. સાતમી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય બાવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે.
૧૬૭. નરકના જીવોને જેટલી ઓછામાં ઓછી કે વધુમાં વધુ આયુષ્યસ્થિતિ હોય છે તેટલી જ કાયસ્થિતિ હોય છે.
નોંધ : નરક અને દેવગતિનું આયુષ્ય ભોગવ્યા બાદ અંતર વગર બીજે જ ભવે તે ગતિમાં જવાતું નથી. તેથી જ આયુષ્યસ્થિતિ અને કાયસ્થિતિ સમાન કહી છે.
૧૬૮. નારકીના જીવો પોતાની કાયાને છોડીને ફરીથી તે જ કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોય છે.
૧૬૯. એ નરકના જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૭૦. તિર્યંચ પંચેન્દ્રિય જીવો બે પ્રકારના કહ્યા છે ઃ ૧. સંમૂચ્છિમ પંચેન્દ્રિય અને ૨. ગર્ભજપંચેંદ્રિય.
૧૭૧. તે બેઉના ત્રણ ત્રણ ભેદો છે. ૧. જલચર, ૨. સ્થલચર અને ૩. ખેચર (આકાશમાં ચરનારા). હવે ક્રમથી તેના પેટા ભેદોને કહું છું : મને સાંભળો.
૧૭૨. જલચરના ભેદો આ પ્રમાણે છે : ૧. માછલાં, ૨. કાચબા, ૩. ગ્રાહ્યો, ૪. મગરો અને ૫. સુસુમાર. એમ જલચરના પાંચ ભેદો
જાણવા.
૧૭૩. તે બધા જીવો આખા લોકમાં નહિ, પણ લોકના અમુક ભાગમાં રહેલા છે. હવે તેઓના કાવિભાગને ચાર પ્રકારે કહીશ :
Page #290
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૧૭૪. પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્યની અપેક્ષાએ તો આદિ અને અંતસહિત છે.
૧૭૫. જલચર પંચેન્દ્રિય જીવોની આયુષ્ય સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને વધુમાં વધુ એક પૂર્વ કોટીની કહી છે.
નોંધ : એક પૂર્વની સીતેર લાખ કરોડ ને ૫૬ હજાર કરોડ વર્ષ થાય. એવા એક કરોડ પૂર્વની સ્થિતિને એક પૂર્વ કોટી કહે છે.
૧૭૬. તે જલચર પંચેન્દ્રિય જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૃથક્ પૂર્વકોટીની છે.
૨૫૬
નોંધ : પૃથક્ એટલે બેથી માંડીને નવ સુધીની સંખ્યા.
૧૭૭. જલચર પંચેન્દ્રિય જીવો પોતાની કાયા છોડીને તે કાયા ફરીથી પામે તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે. ૧૭૮. સ્થલચર પંચેન્દ્રિય જીવો ૧. ચાર પગવાળા તે ચોપદ અને ૨. પરિસર્પ એમ બે પ્રકારના છે. અને ચોપદના ચાર પેટા ભેદો છે. તેને હું કહું છું તે તમે સાંભળો.
૧૭૯. ૧. એકખુરા (ઘોડા, ગધેડા વગેરે), ૨. બે ખુરા (ગાય, બળદ વગેરે), ૩. ગંડીપદા (સુંવાળા પગવાળા હાથી, ગેંડા વગેરે), અને ૪. સનખપદા (સિંહ, બિલાડા, કૂતરા વગેરે).
૧૮૦. પરિસર્પના બે પ્રકારો છે : ઉપરિસર્પ અને ભુજપરિસર્પ-હાથેથી ચાલનારા ઘો વગેરે અને ઉપરિસર્પ-છાતીથી ચાલનારા સર્પ વગેરે. અને તે એકેક જાતિમાં અનેક પ્રકારનાં હોય છે.
૧૮૧. તે બધા સર્વત્ર નહિ પણ લોકના અમુક ભાગમાં હોય છે. હવે તેઓના કાવિભાગને ચાર પ્રકારે કહીશ :
૧૮૨. પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્યની અપેક્ષાએ તો આદિ અને અંતસહિત છે.
૧૮૩. તે સ્થલચર જીવોની આયુષ્યસ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે.
નોંધ : પલ્યોપમ એ કાળપ્રમાણ છે.
૧૮૪. સ્થળચર જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ ત્રણ પલ્યોપમ તથા બેથી માંડીને નવ સુધી પૂર્વ કોટી અધિકની છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
જીવાજીવવિભક્તિ
૨૫૭ ૧૮૫. તે સ્થલચર જીવો પોતાની કાયા છોડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંતકાળ સુધીનું છે.
૧૮૬. ખેચર (પક્ષીઓ) ચાર પ્રકારનાં છે : ૧. ચામડાની પાંખોવાળાં (વડવાગોળ), ૨. રોમપક્ષી (સુડા, હંસ વગેરે) ૩. સમુદ્રગ પક્ષી (જની પાંખ ઢાંકેલા ડબરાના જેવી હોય તે આ પક્ષીઓ મનુષ્યક્ષેત્રની બહાર છે), અને ૪. વિતત પક્ષી (સુપડાના જેવી પાંખ પહોળી રહે તે).
૧૮૭. તે બધાં આખા લોકમાં નહિ પણ લોકના અમુખ ભાગમાં રહ્યાં છે. હવે તેઓના કાળવિભાગને ચાર પ્રકારે કહીશ.
૧૮૮. પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્યની અપેક્ષાએ તો આદિ અને અંતસહિત છે.
૧૮૯. ખેચર જીવોની આયુષ્ય સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે.
૧૯૦. ખેચર જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ તથા તેથી અધિક બેથી માંડીને નવ સુધી પૂર્વ કોટીની હોય છે.
૧૯૧. ખેચર જીવો પોતાની કાયા છોડીને તે કાયા ફરીથી પામે તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે.
૧૯૨. તેઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૯૩. મનુષ્યો બે પ્રકારના હોય છે : ૧. સંમૂર્ણિમ પંચેન્દ્રિય અને ૨. ગર્ભજ પંચેન્દ્રિય. હવે તેના પેટા ભેદો કહું છું : તે સાંભળો.
૧૯૪. ગર્ભ જ (મા બાપના સંયોગથી થયેલા) મનુષ્યો ત્રણ પ્રકારના કહ્યા છે : ૧. કર્મભૂમિના, ૨. અકર્મભૂમિના અને ૩. અંતરદ્વીપોના.
નોંધ : કર્મભૂમિ એટલે અસિ, મસિ (વ્યાપાર) અને કૃષિ જ્યાં થતી હોય તે. અંતરદ્વીપ એટલે ચુલહીમવંત અને શિખરી એ બે પર્વત પર ચાર ચાર દાઢાઓ છે. અને પ્રત્યેક દાઢાઓમાં સાત સાત અંતરદ્વીપ છે. ત્યાં અકર્મભૂમિ જેવા જુગલિયા મનુષ્યો ઉત્પન્ન થાય છે.
૧૯૫. કર્મભૂમિના પંદર ભેદો (પાંચ ભરત, પાંચ ઈરવૃત અને પાંચ મહાવિદેહ), અકર્મભૂમિના ત્રીસ ભેદો (પાંચ હેમવય, પાંચ ઐરણ્યવય, પાંચ
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ઉત્તરાધ્યયન સૂત્ર હરિવાસ, પાંચ રમ્યકવાસ, પાંચ દેવગુરુ અને પાંચ ઉત્તરકુરુ), અને છપ્પન અંતરદ્વીપના ભેદો મળી તે બધા એકસો એક જાતિના ગર્ભ જ મનુષ્યો કહ્યા છે.
૧૯૬. સંમૂર્ણિમ મનુષ્યો પણ ગર્ભ જ મનુષ્યના જેટલા જ એટલે કે એકસો એક પ્રકારના કહ્યા છે. આ બધા જીવો લોકના અમુક ભાગમાં જ છે. સર્વત્ર નથી.
નોંધ : માતાપિતાના સંયોગ વિના મનુષ્યના મળજન્ય જીવો ઉત્પન થાય તેને સંમૂર્ણિમ મનુષ્યો કહે છે. ગર્ભજની જેમ તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદો નથી.
૧૯૭. પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંત રહિત છે પણ આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે.
૧૯૮. ગર્ભજ મનુષ્યોની આયુષ્ય સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની કહી છે.
નોંધ : સંમૂર્ણિમ મનુષ્યની તો જઘન્ય અને ઉત્કૃષ્ટ માત્ર અંતમુહૂર્તની હોય છે, અને કર્મભૂમિ મનુષ્યની જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કરોડ પૂર્વની હોય છે. અહીં તો સર્વ મનુષ્યની અપેક્ષાએ ઉપરની સ્થિતિ લીધી છે.
૧૯૯ગર્ભજ મનુષ્યોની કાયસ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને અધિક પૃથક પૂર્વકોટિની જાણવી.
નોંધ : કોઈ જીવ સાત ભવ તો એક એક પૂર્વ કોટિના અને આઠમો ત્રણ પલ્યોપના આયુષ્યનો ભવ કરે, તે અપેક્ષાએ તેટલું વધુ કહ્યું છે, મનુષ્યની કાયા લાગલાગટ સાત કે આઠ ભવ સુધી વધુમાં વધુ મળે તો મળી શકે છે.
૨૦૦. ગર્ભજ મનુષ્યો પોતાની કાયા છોડીને તે કાયા ફરીથી પામે, તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે.
૨૦૧. તેઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૨૦૨. સર્વજ્ઞ ભગવાનોએ દેવો ચાર પ્રકારના કહ્યા છે. તેનું વર્ણન કરું છું. તમે સાંભળ : ૧. ભવનવાસી (ભવનપતિ), ૨. વ્યંતર, ૩. જ્યોતિષ અને ૪. વૈમાનિક.
૨૦૩. ભવનવાસી દેવો દશ પ્રકારના, વ્યંતર આઠ પ્રકારના, જ્યોતિષ્કાર પાંચ પ્રકારના અને વૈમાનિક દેવો બે પ્રકારના હોય છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
જીવાજીવવિભક્તિ
૨૫૯ ૨૦૪. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિસિકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર. એમ દશ પ્રકારના વનવાસી દેવો હોય છે.
૨૦૫. ૧. પિશાચ, ૨. ભૂત, ૩. યક્ષ, ૪. રાક્ષસ, ૫. કિન્નર, ૬. કિંગુરુષ, ૭. મહોરગ અને ૮. ગાંધર્વ. એમ આઠ પ્રકારના વ્યંતર દેવો છે. - ૨૦૬. ૧. ચંદ્ર, ૨. સૂર્ય, ૩. નક્ષત્ર, ૪. ગ્રહ અને ૫. તારાઓ એમ પાંચ પ્રકારના જયોતિષિ દેવતાઓ હોય છે. આમાંના જીવ જે મનુષ્યક્ષેત્રમાં છે તે બધા ગતિ કરનારા અને મનુષ્ય ક્ષેત્રની બહાર રહેનારા સ્થિર હોય છે.
૨૦૭. વૈમાનિક દેવો પણ બે પ્રકારના કહ્યા છે. ૧. કલ્પવાસી અને ૨. અકલ્પવાસી (કલ્પાતીત).
૨૦૮. કલ્પવાસી દેવો બાર પ્રકારના હોય છે : ૧. સૌધર્મ, ૨. ઈશાન, ૩. સનતકુમાર, ૪. મહેન્દ્ર, પ. બ્રહ્મલોક, ૬. લાંતક.
૨૦૯. ૭. મહાશુક્ર, ૮. સહસ્ત્રાર, ૯, આનત, ૧૦. પ્રાણ, ૧૧. આરણ અને ૧૨. અય્યત તે બધા દેવલોકમાં વસતા દેવો બાર પ્રકારના કલ્પવાસી દેવો કહેવાય છે.
૨૧૦. ૧. રૈવેયક અને ૨. અનુત્તર એમ બે પ્રકારના કલ્પાતીત દેવો કહ્યા છે. ત્યાં રૈવેયક નવ પ્રકારના છે.
૨૧૧. રૈવેયક દેવોની ત્રણ ત્રિકો છે : ૧. હેઠેની, ૨. મધ્યમ અને ૩. ઉપરની. અને તેના પણ એક એક ત્રિકના ૧. નીચેનું, ૨. મધ્યમ અને ૩. ઉપર (એમ પેટા ભેદો મળી કુલ નવ થાય છે.) ૧. હેઠલી ત્રિકની નીચેના સ્થાનના દેવો, ૨. હેઠલી ત્રિકના મધ્યમ સ્થાનના દેવો, ૩. હેઠેલી ત્રિકની ઉપરના સ્થાનના દેવો. - ૨૧૨. ૪. મધ્યમત્રિકના હેઠેના સ્થાનના દેવો, ૫. મધ્યમત્રિકના મધ્યમસ્થાનના દેવો અને ૬. મધ્યમત્રિકના ઉપરના સ્થાનના દેવો.
ર૧૩. ૭. ઉપલીત્રિકના હેઠેના સ્થાનના દેવો, ૮. ઉપલત્રિકના મધ્યમસ્થાનના દેવો અને ૯. ઉપલીનિકના ઉપરના સ્થાનના દેવો. એમ નવ પ્રકારના રૈવેયક દેવો કહ્યા છે. અને ૧. વિજય, ૨. વૈજયંત, ૩. જયંત, ૪. અપરાજિત
Page #294
--------------------------------------------------------------------------
________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૨૧૪. અને ૫. સર્વાર્થસિદ્ધ. એમ પાંચે અનુત્તર વિમાનમાં રહેનારા વૈમાનિક દેવો આવી રીતે અનેક પ્રકારના છે.
૨૧૫. આ બધા દેવો લોકના અમુક ભાગમાં જ રહ્યા છે. હવે તેઓના કાળ વિભાગને ચાર પ્રકારે કહીશ.
૨૧૬. પ્રવાહની એપક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે.
૨૧૭. ભવનપતિ દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક સાગરોપમથી થોડી અધિક રહી છે.
૨૧૮. વ્યંતર દેવોની આયુષ્ય સ્થિતિ જધન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની કહી છે.
૨૬૦
૨૧૯. જ્યોતિ દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય એક પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ અને એક લાખ વર્ષ ઉપરની છે. ૨૨૦. સુધર્મદેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ બે સાગરોપમની છે,
૨ ૨૧. ઇશાન દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય એક પલ્યોપમથી અધિક અને ઉત્કૃષ્ટ બે સાગરોપમથી અધિક કાળની છે.
૨૨૨. સનતકુમાર દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય બે સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે.
૨૨૩. મહેન્દ્રલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય બે સાગરોપમથી કંઈક અધિક અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમથી અધિક કાળની છે.
૨૨૪. બ્રહ્મલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય સાત સાગરોપમની અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમની છે.
૨૨૫. લાંતક દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય દસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમની છે.
૨૨૬. મહાશુક્ર દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય ચૌદ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમની છે.
૨૨૭. સહસ્રાર દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય સત્તર સાગરોપમની અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની છે.
૨૨૮. આનત દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય અઠાર સાગરોપમની અને ઉત્કૃષ્ટ ઓગણીસ સાગરોપમની છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
જીવાજીવવિભક્તિ
૨૬૧ ૨૨૯. પ્રાણત દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય ઓગણીસ સાગરોપની અને ઉત્કૃષ્ટ વીસ સાગરોપમની છે.
ર૩૦. આરણ દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય વીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ એકવીસ સાગરોપમની છે.
ર૩૧. અશ્રુત દેવલોકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય એકવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની છે.
૨૩૨. પ્રથમ ગ્રેવેયકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય બાવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ત્રેવીસ સાગરોપમની છે.
૨૩૩. બીજા વૈવેયકના દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય તેવીવ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ચોવીસ સાગરોપમની છે.
ર૩૪. ત્રીજા રૈવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય ચોવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ પચીસ સાગરોપમની છે. - ર૩૫. ચોથા રૈવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય પચીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ છવીસ સાગરોપમની છે.
૨૩૬. પાંચમા સૈવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય છવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સત્તાવીસ સાગરોપમની છે.
ર૩૭. છઠ્ઠા રૈવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય સત્તાવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ અઠ્ઠાવીસ સાગરોપમની છે.
ર૩૮. સાતમા ગ્રેવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય અઠ્ઠાવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ઓગણત્રીસ સાગરોપમની છે.
૨૩૯. આઠમા રૈવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય ઓગણત્રીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ વીસ સાગરોપમની છે.
૨૪૦. નવમા રૈવેયક દેવોની આયુષ્યસ્થિતિ જઘન્ય ત્રીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ એકત્રીસ સાગરોપમની છે. - ૨૪૧. ૧. વિજય, ૨. વૈજયંત, ૩. જયંત અને ૪. અપરાજીત એ ચારે વિમાનોના દેવની આયુષ્યસ્થિતિ જધન્ત એકત્રીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે.
ર૪૨. પાંચમા સર્વાર્થ નામના મહા વિમાનના દેવોની આયુષસ્થિતિ બરાબર તેત્રીસ સાગરોપમની છે. તેથી ઓછી કે વધુ નથી.
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૬ ૨
ઉત્તરાધ્યયન સૂત્ર - ૨૪૩. જેટલી દેવોની ઓછી કે વધુ આયુષ્યસ્થિતિ છે તેટલી જ સર્વજ્ઞ દેવોએ કાર્યસ્થિતિ કહી છે.
નોંધ : દેવનું આયુષ્ય પૂર્ણ થયા પછી લાગતું જ દેવગતિમાં જાવાનું
થતું નથી.
૨૪૪. દેવો પોતાની કાયા છોડીને તે કાયા ફરીથી પામે તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે.
૨૪૫. તેઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૨૪૬. એ પ્રમાણે રૂપી અને અરૂપી એમ બે પ્રકારના અજીવ અને સંસારી તથા સિદ્ધ, એમ બે પ્રકારના જીવોનું વર્ણન કર્યું.
૨૪૭. આ જીવ અને અજીવોના વિભાગને જ્ઞાની પુરુષ પાસે સાંભળી તેની યથાર્થ પ્રતીતિ લાવીને તથા સર્વ પ્રકાર નો નયો (વિચારોનાં વર્ગીકરણો) દ્વારા બરાબર ઘટાવીને જ્ઞાનદર્શન પામી આદર્શ ચારિત્રમાં મુનિ રમણ કરે.
૨૪૮. ત્યારબાદ ઘણાં વર્ષ સુધી શુદ્ધ ચારિત્ર પાળીને નીચેના ક્રમથી પોતાના આત્માનું દમન કરે. - ૨૪૯. (જે તપશ્ચર્યા દ્વારા પૂર્વકર્મોનો તથા કષાયોનો ક્ષય થાય તેવી દીર્ધ તપશ્ચર્યા વિધાન કહે છે) તે સંલેખના (આત્મદમન કરનારી) તપશ્ચર્યા ઓછામાં ઓછા છ માસની, મધ્યમ રીતે એક વર્ષની અને વધુમાં વધુ બાર વર્ષની હોય છે.
૨૫૦. પહેલાં ચાર વર્ષમાં પાંચ વિગય (ઘી, ગોળ, તેલ વગેરે)નો ત્યાગ કરે અને બીજા ચાર વર્ષ સુધી ભિન્ન ભિન્ન પ્રકારની તપશ્ચર્યા કરે.
૨૫૧. નવમું તથા દસમું એમ એ બંને વર્ષો પર્યત ઉપવાસ અને એકાંતર ઉપવાસને પારણે આયંબિલ કરે અને અગિયારમાં વર્ષ પહેલાં છે માસ સુધી અધિક તપશ્ચર્યા ન કરે.
૨૫૨. અગિયારમા વર્ષના પાછલા છ માસમાં તો છઠ આઠમ એવી આકરી તપશ્ચર્યા કરે એ વચ્ચે વચ્ચે તે સવંત્સરમાં આયંબિલ તપ પણ કરે.
નોંધ : આયંબિલ એટલે રસવિહીન ભોજન, માત્ર એક જ વખત કરે.
૨૫૩. તે મુનિ બારમે વર્ષે પ્રથમ અને છેડે સરખું તપ કરે. (પ્રથમ આયંબિલ વચ્ચે બીજું તપ અને વળી તે વર્ષને અંતે આયંબિલ કરે તે કોટી
Page #297
--------------------------------------------------------------------------
________________
જીવાજીવવિભક્તિ
૨૬૩ સહિત આયંબિલ તપ કહેવાય) અને વચ્ચે વચ્ચે માસખમણ કે અર્ધમાલખમણ જેવી મોટી નાની તપશ્ચર્યા કરી આ રીતે બાર વર્ષ પૂરાં કરે.
નોંધ : આવી તપશ્ચર્યા કરતી વખતે વચ્ચે કે તપશ્ચર્યા પછી મરણનો અવસર આવે ત્યારે મરણપર્યંતનું અણસણ કરવાનું હોય છે. જે વિગત આગળ આપી છે. તે વખતે સુંદર ભાવના હોવી જોઈએ.
૨૫૪. ૧. કાંદર્પ, ૨. આત્મિયોગી, ૩. કિલ્બિષિકી, ૪. આસુરી વગેરે અશુભ ભાવનાઓ મરણ વખતે આવી જીવને ખૂબ કષ્ટ આપે છે અને તે બધી દુર્ગતિના હેતુભૂત થાય છે. - ૨૫૫. જે જીવો મિથ્યાત્વદર્શન (અસત્ય પ્રેમી)માં રક્ત, જીવઘાત કરનાર અને નિયાણા કરનાર (થોડા માટે ઘણું વેડફી નાખનાર) હોય છે અને તે ભાવનામાં મરે છે તેવા જીવોને બોધિલાભ બહુ જ દુર્લભ થાય છે.
નોંધ : બોધિલાભ એટલે સમ્યકત્વની પ્રાપ્તિ.
૨૫૬. જે જીવો સમ્યકત્વ દર્શનમાં રક્ત નિયાણાને ન કરનાર અને શુકલલેશ્યા (ઉવલ અંતઃકરણ)ના પરિણામને ધારણ કરવા વાળા હોય છે અને તે જ ભાવનામાં જે મૃત્યુ પામે છે તે જીવોને (બીજા જન્મમાં પણ) બોધિબીજ બહુ જ સુલભ થાય છે.
૨૫૭. જે જીવો મિથ્યાદર્શનમાં રક્ત, કૃષ્ણલેશ્યા (મલિન અંતઃકરણ)ના પરિણામને ધારણ કરવાવાળા અને નિયાણાને કરનાર હોય છે. અને તે ભાવનામાં મરે છે તેવા જીવોને બોધિલાભક બહુ જ દુર્લભ છે.
૨૫૮. જે જિનપુરુષોના વચનમાં અનુરક્ત રહી, ભાવપૂર્વક તે વચન પ્રમાણે આચરણ કરે છે તે પવિત્ર (મિથ્યાત્વના મેલરિહત) અને અસંકિલષ્ટ (રાગદ્વેષના કલેશ રહિત) થઈ થોડા જ સમયમાં આ દુઃખદ સંસારનો પાર પામે છે.
નોંધ : જિન એટલે રાગદ્વેષથી સર્વથા રહિત પરમાત્મા.
રપ૯. જે જીવો જિનવચનને યથાર્થ જાણી શકતા નથી તે બિચારા અજ્ઞાનીઓ ઘણીવાર બાળમરણ અને અકામ મરણ પામે છે.
૨૬૦. (પોતાના દોષની આલોચના કેવા જ્ઞાની સત્પરુષો પાસે કહેવી જોઈએ તેમના ગુણ કહે છે) જે ઘણા શાસ્ત્રના રહસ્યને જાણનાર હોય, જેમનાં વચન સમાધિ (શાંતિ)ને ઉત્પન્ન કરનારાં હોય અને જે કેવળ ગુણના જ ગ્રહણ કરનાર હોય તે પુરુષો જ બીજાના દોષની આલોચના માટે યોગ્ય છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ઉત્તરાધ્યયન સૂત્ર - ૨૬૧. ૧. કંદર્પ (કાયકથાનો સંલાપ), ૨, કૌત્કચ્ય (મુખના વિકારવાળી ચા), ૩. કોઈના સ્વભાવની હાંસી અને કુકથા કે કુચેષ્ટાની બીજાને વિસ્મય કરનાર જીવ કાંદર્પ-ભાવના કરતો હોય છે.
૨૬૨. રસ, સુખ કે સમૃદ્ધિની માટે જે સાધક વશીકરણ વગેરેના મંત્રો કે દોરા-ધાગા કરે છે તે આભિયોગી ભાવનાને કરતો હોય છે.
નોંધ : કાંદર્પ અને આભિયોગી વગેરે દુષ્ટ ભાવનાને કરનાર કદાપિ દેવ થાય તો પણ હલકી કોટિનો દેવ બને છે.
૨૬૩. કેવળ પુરુષો, જ્ઞાની, ધર્માચાર્ય તથા સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાઓની જે નિંદા કરે છે તથા કપટી હોય છે તે કિલ્પિષી ભાવનાને કરતો હોય છે.
ર૬૪. કાયમ રોષનો કરનાર હોય તથા સમય મળતાં શત્રુ બની જતો હોય, એવા દુષ્ટ કાર્યોથી પ્રવર્તતો જીવ આસુરી ભાવનાને કરતો હોય છે.
નોંધ : નિમિત્તનો અર્થ નિમિત્તશાસ્ત્ર પણ થાય છે. તે એક જ્યોતિષનું અંગ છે. તે ખોટી રીતે જોઈ બીજાને ઠગતો હોય તે માણસ પણ આસુરી ભાવનાને પોષે છે.
૨૬૫. ૧. શસ્ત્રગ્રહણ (તલવાર વગેરેથી મરવું), ૨. વિષભક્ષણ (ઝેર ખાઈને મરવું), ૩, જ્વલન (આગમાં બળી મરવું), ૪. જલપ્રવેશ (પાણીમાં મરવું) કે ૫. અનાચારી ઉપકરણો (કુટિલ કાર્યોનું સેવન કરવાથી જીવાત્મા અનેક પ્રકારના નવા જન્મ-મરણો ઉત્પન્ન કરે છે.
નોંધ : અકાળ મરણથી જીવાત્મા છૂટવાને બદલે બમણો બંધાય છે.
૨૬૬. આ પ્રમાણે ભવસંસારમાં સિદ્ધિને આપનાર એવા ઉત્તમ પ્રકારના છત્રીસ અધ્યયનોને સુંદર રીતે પ્રગટ કરીને કેવળજ્ઞાની ભગવાન જ્ઞાતપુત્ર આત્મશાંતિમાં લીન થયા.
નોંધ : જીવ અને અજીવ એ બંનેના વિભાગો જાણવા જરૂરી છે. પછી નરક અને પશુજીવનમાં દુઃખ, સ્વર્ગ અને મનુષ્ય જીવનમાં સુખદુઃખ આદિ અનેક અવસ્થાવાળા આ વિચિત્ર સંસારમાંથી કેમ છૂટી શકાય તે ઉપાય અજમાવવાની તાલાવેલી લાગે છે. આવી તાલાવેલી પછી દુઃખમાં પણ સુખ, વેદનામાં પણ શાંતિ અને સંતોષ વિકસતાં જાય છે.
એમ કહું છું : એમ જીવાજીવ વિભક્તિ સંબંધી છત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.
ઉૐ શાંતિઃ
Page #299
--------------------------------------------------------------------------
________________ 十二 二 一