________________
ઉત્તરાધ્યયન સૂત્ર ૪૬. હે ક્ષત્રિય ! સોનું, રૂપું, મણિ, મોતીઓ, કાંસુ, વસ્ત્રો, વાહનો અને ભંડાર વગેરે વધારીને જા.
૪૭. આ અર્થને અવધારીને હતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું :
૪૮. કૈલાસપર્વત જેવડા, સોના અને રૂપાના અસંખ્ય પર્વતો કદાચ આપવામાં આવે છતાં (તે પણ) એક લોભીને માટે પૂરતા નથી. કારણ કે ઇચ્છાઓ ખરેખર આકાશ જેવી અનંત છે. (આશાનો પાર પમાતો જ નથી. એક પુરાણી ન પુરાણી કે બીજી અનેક જાગે છે.
નોંધ : તૃષ્ણાની ખાડ જ એવી વિચિત્ર છે કે જેમ જેમ તેમાં ભરતી થાય તેમ તે ખાડ ઊંડી ને ઊંડી જાય. તૃષ્ણા આવી કે પાસેનાં સાધનો અપૂર્ણ દેખાય. સંતોષ આવ્યો કે દેખીતું દુઃખ ભાગ્યું એટલે સાધનો બધાં સુખદ સ્વયં બની રહે.
૪૯. આખી પૃથ્વી, શાલીના ચોખા, જવ (પૃથ્વીમાં રહેલાં સર્વ ધાન્યો) પશુઓ અને સોનું આ બધું એક (અસંતુષ્ય મનુષ્યોને માટે પણ પૂરતું નથી. એમ જાણીને તપશ્ચર્યા આદરવી.
નોંધ : તપશ્ચર્યા એટલે આશાનો નિરોધ. આશાને રોકી એટલે જગત જીત્યા. આશાધારી તો આખું જગત છે. એ આશામય પ્રવૃત્તિ તે જ સંસાર છે. અને આશા વિરહિત પ્રવૃત્તિ એ જ નિવૃત્તિ છે.
૫૦. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર નમિરાજર્ષિને આ પ્રમાણે કહ્યું :
૫૧. હે પૃથ્વીપતિ ! અદ્ભુત એવા (મળેલા) ભોગોને તું તજે છે અને નહિ મળેલા એવા કામોને ઇચ્છે છે. ખરેખર તું સંકલ્પથી હણાય છે.
પર. આ વાતને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિ દેવેન્દ્રને ઉદેશી આમ બોલ્યા.
પ૩. કામભોગો શલ્ય છે. કામભાગો વિષ (ઝેર) છે. કામભાગો કાળા નાગ જેવા છે. કામોને પ્રાર્થના કરતાં કરતાં જીવો બિચારા કામને પામ્યા વિના જ દુર્ગતિમાં ચાલ્યા જાય છે.
નોંધ : સંસારનો આસક્ત કોઈ પણ એવો પ્રાણી નથી કે જેની આશા મરતી વખતે ભોગોથી દૂર થતાં થતાં પૂર્ણ થઈ શકી હોય. આશા કે વાસના એ જ જન્મની દાતા છે.