SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ નમિપ્રવ્રજયા ૪૫ નોંધઃ તે કાળમાં ક્ષત્રિયોને યજ્ઞ કરાવવા માટે બ્રાહ્મણો પ્રેરણા કરતા અને પોતાને જમાડવામાં જ ધર્મ બતાવતા હતા. ગૃહસ્થાશ્રમના ધર્મ કરતાં આ ધર્મ વિશિષ્ટ ગણાતો હતો. તેથી ક્ષત્રિય કર્મ બતાવી અહીં ધર્મ દિશાનું સૂચન કર્યું છે. ૩૯. આ અર્થને સાંભળીને હતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : ૪૦. જે પ્રતિ માસે (એકેક મહિનો) દશ દશ લાખ ગાયો દાનમાં આપે તેના કરતાં કંઈ પણ નહિ આપનારનો સંયમ (જ માત્ર અવશ્ય ઉત્તમ છે) વધી જાય છે. નોંધ : અપરિગ્રહવૃત્તિ એ જ ઉત્તમ ધર્મ છે. એક સંયમી માણસ અવ્યક્ત રીતે સેકડોને પોષી શકે છે. અસંયમી બની કંઈ દાન કરવું તે કરતાં સંયમ પાળવો વધુ યોગ્ય છે. આ શ્લોક ખૂબ જ ઊંડાણથી વિચારતાં આપણી આજની જીવનદશાની વિટંબના મટી જઈ ઊજળો માર્ગ મળી આવે છે. ૪૧. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલો દેવેન્દ્ર નમિરાજર્ષિને વળી આ પ્રમાણે કહેવા લાગ્યો : ૪૨. (ગૃહસ્થાશ્રમ કઠણ છે માટે જ) આ કઠણ આશ્રમને છોડીને તું બીજા આશ્રમ (ત્યાગાશ્રમ)ને ઇચ્છતો લાગે છે. તે મનુષ્યના પાલક મહારાજ ! અહીં જ (ગૃહસ્થાશ્રમમાં જ) પૌષધરક્ત થા. નોંધ : ગૃહસ્થાશ્રમમાં પણ ક્યાં ધર્મનિયમ નથી થતાં ? માટે ગૃહસ્થાશ્રમમાં રહી પૌષધ (ઉપવાસ કરી કેવળ આત્મચિંતનમાં અહોરાત્રિ ગુજારવી) ક્રિયામાં મશગૂલ બનને. શા માટે ત્યાગાશ્રમને ગ્રહણ કરે છે ? ૪૩. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું : ૪૪. પ્રતિ માસે જે બાલજન કુશ (દાભડા)ના અગ્ર ભાગ જેટલા ભોજનથી ચલાવે (અર્થાત તેટલો પણ ભોગી બને તો) તે પણ સાચા ધર્મીની સોળમી કળાને લાયક થતો નથી, નોંધ : ગૃહસ્થાશ્રમનો ધર્મ, ત્યાગાશ્રમની યોગ્યતા ન હોય તેને માટે યોગ્ય જ છે. પરંતુ સાચો ત્યાગ હોય તો તે (ગૃહસ્થાશ્રમનો) ધર્મ તેનો આગળ ન્યૂન જ છે. એ વાતને આપણે અનુભવથી પણ ક્યાં નથી જોઈ શકતા ? ૪૫. આ તત્ત્વને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર નમિરાજર્ષિને (વળી બીજી રીતે) આ પ્રમાણે કહ્યું :
SR No.008087
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy