________________
નમિપ્રવ્રજયા
૪૫ નોંધઃ તે કાળમાં ક્ષત્રિયોને યજ્ઞ કરાવવા માટે બ્રાહ્મણો પ્રેરણા કરતા અને પોતાને જમાડવામાં જ ધર્મ બતાવતા હતા. ગૃહસ્થાશ્રમના ધર્મ કરતાં આ ધર્મ વિશિષ્ટ ગણાતો હતો. તેથી ક્ષત્રિય કર્મ બતાવી અહીં ધર્મ દિશાનું સૂચન કર્યું છે.
૩૯. આ અર્થને સાંભળીને હતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું :
૪૦. જે પ્રતિ માસે (એકેક મહિનો) દશ દશ લાખ ગાયો દાનમાં આપે તેના કરતાં કંઈ પણ નહિ આપનારનો સંયમ (જ માત્ર અવશ્ય ઉત્તમ છે) વધી જાય છે.
નોંધ : અપરિગ્રહવૃત્તિ એ જ ઉત્તમ ધર્મ છે. એક સંયમી માણસ અવ્યક્ત રીતે સેકડોને પોષી શકે છે. અસંયમી બની કંઈ દાન કરવું તે કરતાં સંયમ પાળવો વધુ યોગ્ય છે. આ શ્લોક ખૂબ જ ઊંડાણથી વિચારતાં આપણી આજની જીવનદશાની વિટંબના મટી જઈ ઊજળો માર્ગ મળી આવે છે.
૪૧. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલો દેવેન્દ્ર નમિરાજર્ષિને વળી આ પ્રમાણે કહેવા લાગ્યો :
૪૨. (ગૃહસ્થાશ્રમ કઠણ છે માટે જ) આ કઠણ આશ્રમને છોડીને તું બીજા આશ્રમ (ત્યાગાશ્રમ)ને ઇચ્છતો લાગે છે. તે મનુષ્યના પાલક મહારાજ ! અહીં જ (ગૃહસ્થાશ્રમમાં જ) પૌષધરક્ત થા.
નોંધ : ગૃહસ્થાશ્રમમાં પણ ક્યાં ધર્મનિયમ નથી થતાં ? માટે ગૃહસ્થાશ્રમમાં રહી પૌષધ (ઉપવાસ કરી કેવળ આત્મચિંતનમાં અહોરાત્રિ ગુજારવી) ક્રિયામાં મશગૂલ બનને. શા માટે ત્યાગાશ્રમને ગ્રહણ કરે છે ?
૪૩. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું :
૪૪. પ્રતિ માસે જે બાલજન કુશ (દાભડા)ના અગ્ર ભાગ જેટલા ભોજનથી ચલાવે (અર્થાત તેટલો પણ ભોગી બને તો) તે પણ સાચા ધર્મીની સોળમી કળાને લાયક થતો નથી,
નોંધ : ગૃહસ્થાશ્રમનો ધર્મ, ત્યાગાશ્રમની યોગ્યતા ન હોય તેને માટે યોગ્ય જ છે. પરંતુ સાચો ત્યાગ હોય તો તે (ગૃહસ્થાશ્રમનો) ધર્મ તેનો આગળ ન્યૂન જ છે. એ વાતને આપણે અનુભવથી પણ ક્યાં નથી જોઈ શકતા ?
૪૫. આ તત્ત્વને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા દેવેન્દ્ર નમિરાજર્ષિને (વળી બીજી રીતે) આ પ્રમાણે કહ્યું :