________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૧૧૪
બેસીને એકદા તે નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને મોટાં ચોગાનોને ભિન્નભિન્ન રીતે જોયા કરે છે.
નોંધ : મણિ અને રત્નોનું જડતર એ અહીં ઉપમેય કથન હોવું જોઈએ, કારણ કે અપાર સંપત્તિ હોવા છતાં તેનો આવી રીતે ઉપયોગ તો ન જ થઈ શકે. પરંતુ તે એવા પ્રકારનું જડતર હોય કે જોનારને ત્યાં અમૂલ્ય એવાં મણિ કે રત્નો જ પાથરેલાં લાગે.
૫. તેવામાં તે મૃગાપુત્રે તપશ્ચર્યા, સંયમ અને નિયમોને ધારણ કરનાર, અપૂર્વ બ્રહ્મચારી અને ગુણની ખાણરૂપ એક સંયમીને ત્યાંથી પસાર થતા જોયા. ૬. મૃગાપુત્ર મટકું માર્યા વગર એક દૃષ્ટિથી તે યોગીશ્વરને જોયા કરે છે. જોતાં જોતાં તેને વિચાર આવ્યો કે આવું સ્વરૂપ (વેશ) પહેલાં મેં અવશ્ય ક્યાંક જોયું છે.
૭. સાધુજીનાં દર્શન થયા પછી આ પ્રમાણે ચિંતવતાં શુભ અધ્યવસાય (મનો ભાવના) જાગૃત થયા. અને ક્રમથી મોહનીય ભાવ ઉપશાંત થવાથી ત્યાંને ત્યાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
નોંધ : જૈનદર્શન જીવાત્માને આઠ કર્મોથી ઘેરાયેલો માને છે. અને એ કર્મવશાત્ જ જન્મમરણાદિ દુ:ખો વેઠવાં પડે છે. આ આઠ કર્મો પૈકી બીજા સાત કર્મોમાં કેવળ મોહનીય કર્મ જ મહાન છે. તેની સ્થિતિ પણ ૭૦ કોડાક્રોડી સાગરોપમ એટલે કે બધાં કર્મો કરતાં વધુ અને પ્રબળ માની છે. આ કર્મનો જેટલે અંશે ક્ષય થતો જાય તેટલે અંશે આત્માભિમુખ થવાય. મૃગાપુત્રના મોહનીય કર્મનું ઉપશમન થયું હતું. અને તેથી તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. આ જ્ઞાન થવાથી સંજ્ઞી પંચેન્દ્રિય (મનવાળા પંચેન્દ્રિય વાળાને પોતાના નવસોની સંખ્યા સુધીના પૂર્વભવો સાંભરે છે. જાતિસ્મરણ જ્ઞાન મતિજ્ઞાનનો જ એક ભેદ છે.
૮. ૩ સંજ્ઞી (મનવાળા) જીવને જ ઉત્પન્ન થાય તેવું જ્ઞાન ઉત્પન્ન થવાથી પ્રથમ તેણે ગત જન્મ જોયો અને જાણ્યું કે દેવલોકમાંથી ઊતરીને હું મનુષ્યભવ પામ્યો છું.
વ્ર મહાન ઋદ્ધિમાન મૃગાપુત્ર પૂર્વજન્મને સાંભરે છે. પૂર્વજન્મને સંભારતાં સંભારતાં પૂર્વભવે આદરેલું સાધુપણું પણ યાદ આવ્યું.
નોંધ : આ ગાથા કોઈ કોઈ પ્રતિમાં વધુ આવેલી હોવાથી અનુવાદન કર્યું છે.