________________
ચિત્તસંભૂતીય
૭૭
ધર્મપરાયણ થઈશ તો તું અહીં (ગૃહસ્થાશ્રમ)થી પણ ચ્યવીને ઇચ્છા પ્રમાણે રૂપ ધરનારો ઉત્તમ દેવ થઈશ. (ચિત્તમુનિ બોલ્યા).
નોંધ : ગૃહસ્થાશ્રમમાં પણ યથાશક્તિ ત્યાગ કરે તો તે દેવયોનિ પામી શકે છે.
૩૩. (ભોગાસક્ત નૃપતિ કશું ન સ્વીકારી શકવાથી ચિત્તમુનિ નિર્વેદતા અનુભવીને કહે છે :) પરંતુ હે રાજન ! આ સંસારના આરંભ અને પરિગ્રહોમાં તું ખૂબ આસક્ત થયો છે. ભોગોને છોડવાની તારી જરા પણ ઇચ્છા જ નથી. તો આટલો વાર્તાલાપ મેં ફોકટ જ કર્યો એમ માનું છું. હે નૃપ ! હવે હું જવાની ઇચ્છા રાખું છું. (એમ કહીને ચિત્તમુનિ ચાલતા થયા.)
નોંધ : જેવાં કર્મ કરાય તેવું ફળ પમાય.
૩૫. અને ચિત્તમહર્ષિ કામભોગોથી વિરક્ત રહી, ઉગ્ર ચારિત્ર અને ઉગ્ર તપશ્ચર્યા તથા શ્રેષ્ઠ સંયમને પાળીને શ્રેષ્ઠ એવી સિદ્ધિગતિને પામ્યા. નોંધ : ભોગોને ભોગવ્યા પછી ત્યાગવા એ દુર્લભ અને આસક્તિ હઠાવવી એ અતિ દુર્લભ છે. ભોગોની જાળ છૂટવી બહુ બહુ કઠણ છે. માટે મુમુક્ષુએ ભોગોથી દૂર જ રહેવું.
એમ કહું છું.
એ પ્રમાણે ચિત્તસંભૂતિનું તેરમું અધ્યયન સમાપ્ત થયું.