SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન સૂત્ર ૩૩. ઊલટા માર્ગે ચડી જઈને નિર્બળ ભારવાહક (બોજો વહન કરનાર) પછી ખૂબ ખૂબ પીડાય છે. માટે હે ગૌતમ ! તું માર્ગને ન ભૂલ. સમય માત્રનો પ્રમાદ ન કર. ૩૪. હે ગૌતમ ! મોટા સમુદ્રને ખરેખર હવે તું લગભગ તરી ગયો. હવે વળી કાંઠા સુધી આવી કેમ ઊભો રહ્યો છે ? આ પાર આવવા માટે શીઘ્રતા કર. સમયનો પણ પ્રમાદ હવે ન કર. નોંધ : જીવનના છેલ્લા કાળમાં હવે મોહ શો ? ૫૪ ૩૫. (સંયમમાં કે સ્થિર રહેવાથી) હે ગૌતમ ! અકલેશ્વર (અજન્મા) શ્રેણીને અવલંબી હવે તું સિદ્ધલોકને પામીશ. (જ્યાં ગયા પછી ફરીથી સંસારમાં આવવું પડતું જ નથી. (તે સ્થાન સુખકારી, કલ્યાણકારી અને શ્રેષ્ઠતર છે. ત્યાં જવા માટે સમય માત્રનો પ્રમાદ ન કર. ૩૬. હે ગૌતમ ! ગામ કે નગરમાં જતાં પણ સંયમી, જ્ઞાની અને નિરાસક્ત થઈ વિચ૨. શાંતિમાર્ગ (આત્મશાંતિ)માં વૃદ્ધિ કર, સમય માત્રનો પણ પ્રમાદ ન કરે. ૩૭. આવી રીતે અર્થ અને પદોથી શોભતું અને સદ્ભાવનાથી કહેવાયેલું ભગવાનનું કથન સાંભળ્યા પછી ગૌતમ, રાગ અને દ્વેષ બંને છેદીને સિદ્ધ ગતિમાં ગયા. નોંધ : ગૌતમ જ્યારે સંયમમાં અસ્થિરચિત્ત થયા હતા તે સમયે ભગવાને આ પ્રમાણે ફરમાવેલું. આ ઉપદેશ ગૌતમ મહારાજના જીવનમાં વણાઈ જવાથી તેઓએ અંતિમ ધ્યેય પ્રાપ્ત કર્યું અને શાશ્વત સુખ પામ્યા. આપણો ગોયમ આપણું મન છે. અંતરાત્માની કૃપા આપણા પર જીવનના ઘણા પ્રસંગે થતી રહે છે. જો તે અવાજને સાંભળી જીવનમાં આચરી મૂકીએ તો આપણો પણ બેડો પાર થઈ જાય. મનુષ્ય જીવનની એકેક ક્ષણ અમૂલ્ય રત્ન સમાન છે. અમૃતસમાન છે. આપણે જે ભૂમિકા પર છીએ તે ધર્મ પર સ્થિર રહી અપ્રમત્ત રીતે આગળ વધીએ તો આ જીવન-યાત્રા સફળ થઈ જાય. ફરી ફરી આ સમય અને આ સાધના સાંપડવાનાં નથી. માટે મળેલાનો સદુપયોગ કરવો અને ક્ષણે ક્ષણે સાવધ રહેવું. એ પ્રમાણે કહું છું. એમ દ્રુમપત્રક નામનું દશમું અધ્યયન સમાપ્ત થયું.
SR No.008087
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy