________________
દ્રુમપત્રક
૫૩
નોંધ : આખું શરીર રોગોનું સ્થાન છે. જેમ જેમ નિમિત્ત મળે તેમ તેમ તેમનો પ્રાદુર્ભાવ થાય છે. રોગો બાલપણ, યુવાની કે વૃદ્ધાવસ્થા એ બધામાં લાગુ જ છે. જરા પણ શરીર સૌંદર્ય કે સાધનોમાં આસક્ત ન થતાં આત્મસ્વરૂપ વિચરવું.
૨૮. શરદઋતુનું ખીલેલું કમળ, જેમ પાણીથી ઉત્પન્ન થવા છતાં નિરાળું રહે છે તેમ તું તારી આસક્તિથી અલગ થા, અને સર્વ વસ્તુના મોહથી રહિત થઈ હે ગૌતમ ! સમય માત્રનો પણ પ્રમાદ ન કર.
૨૯. ધન અને ભાર્યા (પત્ની)ને છોડીને તેં સાધુતાને આદરી છે. માટે તે વમેલા (ભોગો)નું ફરીથી પાન ન કર. હે ગૌતમ ! સમય માત્રનો (સંયમ માર્ગમાં) પ્રમાદ ન કર.
નોંધ : છોડેલાને એક યા બીજે રૂપે યાદ કરવું કે તેના સંકલ્પ કરવા તે પણ પાપ છે. માટે ત્યાગીઓએ કેવળ અપ્રમત્તપણે આત્મચિંતનમાં જ મસ્ત રહેવું.
૩૦. તેમજ મિત્રજનો, ભાઈઓ અને વિપુલ ધનસંપત્તિના સંચયને (સ્વેચ્છાથી) છોડી દઈને હવે બીજી વાર તેની ગવેષણા (ઇચ્છા) ન કર. હે ગૌતમ ! સમય માત્રનો પણ ગફલત ન કર.
૩૧મા શ્ર્લોકનાં બે ચરણોમાં ભગવાને ગૌતમને સંયમમાં સ્થિર કરવા માટે ભવિષ્યમાં પણ ઉત્તમ પુરુષો કયું આશ્વાસન લઈને સંયમ માર્ગમાં સ્થિર થશે તે બતાવ્યું છે.
૩૧. આજે તીર્થકર પોતે (આ ક્ષેત્રમાં) વિદ્યમાન નથી તો પણ અનેક મહાપુરુષો અનુભવેલો તેઓનો મોક્ષદર્શક માર્ગ તો ખરેખર દેખાય છે. (આ પ્રમાણે ભવિષ્યમાં ધર્મજનો આશ્વાસન લઈ સંયમમાં સ્થિર થશે.) તો હમણાં (મારી હાજરીમાં) હે ગૌતમ ! આ ન્યાય યુક્ત માર્ગમાં શા માટે પ્રમાદ કરે છે ? સમય માત્રનો પ્રમાદ ન કર.
નોંધ : ગૌતમને સંબોધી ભગવાને બતાવ્યું છે કે વર્તમાન કાળે જ સૌએ કાર્ય પરાયણ થવું.
૩૨. હે ગૌતમ ! કાંટાવાળા માર્ગ (સંસાર)થી દૂર થઈને મહા ધોરીમાર્ગ (જિનમાર્ગ)માં તું આવ્યો છે. માટે તે માર્ગ પર નજર રાખ. સમય માત્રનો
પ્રમાદ ન કર.
નોંધ : સંયમ જેવા અમૃતને પામીને વિષયોના ઝેર કોને ગમે ? એક વાર ખાડામાંથી ઊગર્યા પછી તેમાં પડવાનું મન કોને થાય ?