________________
૧૪૮
ઉત્તરાધ્યયન સૂત્ર કેવળજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન તો કર્મનાં આવરણો સંપૂર્ણ બળ્યા પછી જ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન ઉત્પન્ન થનારને જ સર્વજ્ઞ કહેવાય છે. તેવા સર્વજ્ઞ પુરુષોને સંસારમાં ફરીવાર જન્મ લેવો પડતો નથી. (જ્ઞાનના પ્રકારોનું વિસ્તૃત વર્ણન નંદીજી વગેરે સૂત્રોમાં જોઈ લેવું.)
૪. તે શ્રાવતી નગરીમાં નગર મંડળની બહાર એક તિન્દુક નામનું એકાંત (ધ્યાનયોગ્ય ભૂમિ) ઉદ્યાન હતું. ત્યાં પવિત્ર અને જીવરહિત ઘાસની શમ્યા અને આસનો યાચી તે વિશુદ્ધ ભૂમિમાં તેણે વાસ કર્યો.
૫. તે સમયમાં વર્તમાન ઉદ્ધારક અને ધર્મતીર્થના સંસ્થાપક એવા જિનેશ્વર ભગવાન વર્ધમાન આખા વિશ્વમાં સર્વજ્ઞ રૂપે પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા.
૬. લોકમાં જ્ઞાન પ્રદ્યોતથી પ્રકાશના પ્રદીપરૂપ તે ભગવાનના શિષ્ય જ્ઞાન તથા ચારિત્રના પારગામી એવા મહા યશસ્વી ગૌતમ હતા.
૭. બાર અંગોના પ્રખર જ્ઞાતા તે ગૌતમ પ્રભુ પણ બહોળા શિષ્ય સમુદાય સાથે ગામેગામ વિચરતા વિચરતા શ્રાવસ્તી નગરીમાં પધાર્યા.
નોંધ : અદ્યાપી તે બાર અંગોમાંનાં અગિયાર વિદ્યમાન છે અને એક દિષ્ટિવાદ નામનું અંગ ઉપલબ્ધ થતું નથી. તે અંગોમાં પૂર્વતીર્થકરોનાં અને ભગવાન મહાવીરનાં અનુભવી વચનામૃતો છે.
૮. તે નગર મંડળની સમીપ એક કોષ્ટક નામનું ઉદ્યાન હતું. ત્યાં વિશુદ્ધ સ્થાન અને તૃણાદિની આચત્ત શય્યા યાચી નિવાસ કર્યો.
૯. એ પ્રમાણે શ્રાવતી નગરીમાં કુમાર શ્રવણ કેશી મુનિ અને મહા યશસ્વી ગૌતમ મુનિ એ બંને જણ સુખપૂર્વક અને ધ્યાનમગ્ન સમાધિપૂર્વક રહેતા હતા.
નોંધ : તે સમયે ગામની બહારના ઉદ્યાનોમાં ત્યાગી પુરુષો નિવાસ કરતા. ગામમાં જઈ ભિક્ષા માગી સંયમી જીવન ગુજારતા.
૧૦. એકદા (ભિક્ષાચરી કરવા નીકળેલા) તે બંનેના શિષ્ય સમુદાય કે જે પૂર્ણ સંયમી, તપસ્વી, ગુણી અને જીવરક્ષક (પૂર્ણ અહિંસક) હતા. તેમને પરસ્પરના એક જ માર્ગ હોવા છતાં વેશ અને બાહ્ય ક્રિયા ભિન્ન જોવાથી પરસ્પર વિચાર ઉદ્ભવ્યો.
૧૧. આ ધર્મ વળી કેવો ? અને અમે પાળીએ છીએ તે ધર્મ કેવો ? આ આચાર ધર્મની ક્રિયા કેવી અને અમે પાળીએ છીએ તે કેવી ?