SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન સૂત્રનો પરિચય જૈનના ધાર્મિક ગ્રંથોમાં ઉત્તરાધ્યયનનું સ્થાન અનોખું છે. ઉત્તરાધ્યયન, આવશ્યક, દશવૈકાલિક અને પિણ્ડનિર્યુક્તિ આ ચાર સૂત્રગ્રંથોને જૈનો મૂળ સૂત્રરૂપ સામાન્ય સંજ્ઞાથી ઓળખે છે. મૂળ સૂત્રો શા માટે કહેવાયાં તે પણ જાણવા જેવું છે. શાપેન્ટીયર નામના જર્મન વિદ્વાન એક કલ્પના કરે છે કે આ ગ્રંથોને આવું નામ મળવાનું કારણ એ જ કે એ ગ્રંથો 'Mahavira's own words' (Utt. Su. Introd. p. 32) અર્થાત્ મહાવીર સ્વામીના પોતાના જ શબ્દો તેમાં ગ્રંથિત થયેલા છે. તેમનું આ વિધાન દશવૈકાલિકને દેખીતી રીતે લાગુ પડી શકતું નથી એમ કહી મૂળસૂત્રનો બીજો જ અર્થ Dr. Schubring (ડૉ. બિંગ) કરે છે. તેઓ કહે છે કે “સાધુ તરીકેના જીવનની શરૂઆતમાં જે યમનિયમાદિ આવશ્યક છે, તેનો આ ગ્રંથોમાં ઉપદેશ હોઈ આ ગ્રંથોને મૂળસૂત્રો sèqchi 241047 614 (Work Plahaviviras, P.I.) Prof. Cuerinot (2. ગોરીનોટોનું માનવું એમ છે કે આ ગ્રંથો "Traite's Originaux* અર્થાત અસલ ગ્રંથો છે, જેના ઉપર અનેક ટીકાઓ, નિયુક્તિઓ થઈ છે. ટીકા ગ્રંથને અભ્યાસ કરતાં આપણે પણ જે ગ્રંથ ઉપર ટીકા કરવી હોય તે ગ્રંથને મૂળ ગ્રંથ કહીએ છીએ. વળી જૈન ધાર્મિક ગ્રંથોમાં આ ગ્રંથો ઉપર સૌથી વધારે ટીકાગ્રંથો છે. આ કારણોથી આ ગ્રંથોને ટીકાઓની અપેક્ષાએ મૂળગ્રંથો અથવા “મૂળ સૂત્ર” કહેવાની પ્રથા પડી હશે એમ કલ્પી શકાય છે. ઉત્તરાધ્યયન સૂત્રને પોતાની સંજ્ઞા શી રીતે મળી તે માટે પણ સહેજ મતભેદ પ્રવર્તે છે. Leuman (લ્યુમન) અને 'Later readings' અથવા પાછળથી રચાયેલા ગ્રંથો માને છે, અને તેના સમર્થનમાં જણાવે છે કે આ ગ્રંથ અંગગ્રંથોની અપેક્ષાએ પાછળથી રચાયેલ હોઈ એને “ઉત્તર' એટલે પાછળનો ગ્રંથ કહ્યો છે. પરંતુ ઉત્તરાધ્યયન ઉપરના ટીકા ગ્રંથોમાંથી આપણને જાણવાનું મળે છે કે મહાવીર સ્વામીએ તેમના છેલ્લા ચોમાસામાં છત્રીસ અણપૂછ્યા પ્રશ્નોના ઉત્તર' અર્થાતુ જવાબો આપેલા જે જવાબો આ ગ્રંથના રૂપમાં સંગૃહીત છે. આ માહિતી સત્ય માનવાને આપણી પાસે સબળ પ્રમાણ છે. અને ‘ઉત્તર’ શબ્દનો અર્થ તેમાં પૂર્તિ કરે છે, જેથી એ મત વધારે વજનદાર ગણવામાં કશો વાંધો જણાતો નથી. * La Religion Djaina, p. 79 ૨૧
SR No.008087
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy