________________
રથનેમીય
૧ ૩૭
અધ્યયન : બાવીસમું
રથનેમીય રથનેમિનું અધ્યયન
શરીર, સંપત્તિ અને સધનો પૂર્વ પુણ્યથી પ્રાપ્ત થાય છે, પુણ્યાનુબંધી પુણ્ય હોય તો પ્રાપ્ત થયેલાં સાધનો સન્માર્ગે જ યોજાય છે અને ઉપાદાનમાં સહકારી નીવડે છે.
શુદ્ધ ઉપાદાન એટલે જીવાત્માની ઉન્નત દશા. આવી ઉન્નત દશાવાળો આત્મા ભોગોના પ્રબળ પ્રલોભનોમાં પડવા છતાં સહજ નિમિત્ત મળે કે સહેજે છટકી જાય છે.
નેમિનાથ કૃષ્ણવાસુદેવના પિત્રાઈ ભાઈ હતા. પૂર્વભવના પ્રબળ પુરુષાર્થથી તેનું ઉપાદાન શુદ્ધ થયું હતું. તેનો અંતરાત્મા સ્ફટિક જેવો ઊજળો હતો. હજુયે તેને ઉન્નત દશામાં જવું હતું તેથી જ આ ઉત્તમ રાજકુળમાં મનુષ્યભવે તેનું આગમન થયું હતું.
ભર યૌવન, સર્વાગ સૌમ્ય શરીર, વિપુલ સમૃદ્ધિ પામ્યા છતાં તેનું મન તેમાં રાચતું ન હતું. પરંતુ કૃષ્ણમહારાજના અતિ આગ્રહવશાત્ તેમનું સગપણ ઉગ્રસેન મહારાજની રંભા સમાન સ્વરૂપવતી પુત્રી રાજીમતી સાથે થયેલું.
ભરપૂર ઠાઠમાઠથી આખા યાદવકુળ સાથે તે કુમાર પરણવા ચાલ્યા. રસ્તામાં બાંધેલાં પશુઓના પોકાર સાંભળી સારથિને પૂછ્યું કે આ બિચારાં શા સારુ પીડાય છે ? સારથિએ કહ્યું : પ્રભુ ! એ તો આપના લગ્નમાં આવેલા મીજમાનોના ભોજન માટે બાંધી રાખ્યાં છે. | મારા લગ્ન નિમિત્તે આ ઘોર હિંસા ? તેજીને ટકોરો બસ છે. તે જ વખતે લગ્નનો હર્ષ સુકાઈ ગયો. એ રાજકુમાર પરણ્યા વિના ઘેર પાછા વળ્યા અને આખરે યુવાનવયમાં રાજપાટ અને ભોગવિલાસ એ બધું ત્યજી મહાયોગી થયા.
સહજ વિચાર જીવનના કેવા પલટા કરી મૂકે છે ? સાવધ થયેલો આત્મા શું નથી કરી શકતો ?