________________
૧૫૬
ઉત્તરાધ્યયન સૂત્ર ૫૮. મન એ જ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો છે. તે સંસારના વિવિધ વિષયો તરફ આમતેમ દોડી રહ્યો છે. ધર્મશિક્ષારૂપી લગામ વડે જાતિમાન ઘોડાની માફક તેનો બરાબર નિગ્રહ કરું છું.
પ૯. હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. તમે મારો આ સંશય દૂર કર્યો. હવે બીજા સંશયને પણ રજૂ કરું છું. તેનો ઉત્તર મને કહો.
૬૦. આ સંસારમાં ખોટા રસ્તાઓ ઘણા છે કે જે રસ્તાઓમાં જઈ દષ્ટિવિપર્યાસને કારણે જીવો સાચા માર્ગને ઓળખી શકતા નથી. અને તેથી ઉન્માર્ગે જઈ દુઃખી થાય છે. તો હે ગૌતમ ! આપ એ ઉન્માર્ગે ન દોરવાઈ જતાં સન્માર્ગે શી રીતે રહી શકો છો ?
૬ ૧. જે કોઈ સન્માર્ગે ચાલ્યા જાય છે તે અને કુમાર્ગે જાય છે તે સૌને મેં બરાબર જામ્યા છે. અને સન્માર્ગ કુમાર્ગનું મને બરાબર ધ્યાન છે, તેથી મારા માર્ગમાં બરાબર ચાલી શકું છું. નષ્ટભ્રષ્ટ થતો નથી.
૬૨. કેશીમુનિએ ગૌતમને કહ્યું : તે માર્ગ કયો ? એ પ્રમાણે બોલતાં કેશીમુનિને ગૌતમે આ પ્રમાણે કહ્યું :
૬૩. સ્વકલ્પિત મતોમાં જે સ્વછંદથી વર્તે છે તે પાખંડીઓ બધા ખોટા માર્ગમાં ભ્રમણ કરી ગોથાં ખાય છે. સંસારના બંધનથી સર્વથા મુક્ત થયેલા જિનેશ્વરોએ સત્યનો જે માર્ગ બતાવ્યો તે ઉત્તમ છે.
૬૪. હે ગૌતમ ! તમારી બુદ્ધિ બહુ ઉત્તમ છે. મારો સંશય તમે છેદી નાખ્યો. હવે એક બીજો પણ સંશય છે. તેનું સમાધાન કરો.
૬૫. જળના મોટા પ્રવાહમાં તણાતાં પ્રાણીઓને તે દુઃખમાંથી બચાવનાર કયું શરણ, કયું સ્થાન, કઈ ગતિ અને ક્યો આધારરૂપ દ્વીપ તમે માનો છો?
૬૬. તે જળના વેગમાં પણ એક વિસ્તીર્ણ મોટો હીપ છે કે જ્યાં એ પાણીના મહાન વેગનું આવવું જવું થતું નથી.
૬૭. કેશમુનિએ ગૌતમને કહ્યું : તે દીપ કયો ? આ પ્રમાણે બોલતા કેશીમુનિને ગૌતમે કહ્યું :
૬૮, જરા અને મરણરૂપી વેગથી આ સંસારનાં પ્રાણીઓ તણાઈ રહ્યાં છે. તેનું શરણ, તેનું સ્થાન, તેની ગતિ અને તેનો આધારરૂપ દ્વીપ જે કહો તે એક જ ધર્મ છે
૬૯. હે ગૌતમ ! તમારી બુદ્ધિ સુંદર છે. મારો તે સંશય તમે છેદી નાખ્યો. હવે બીજો સંશય પણ રજૂ કરું છું. તેનો પ્રત્યુત્તર મને કહો.