SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવવિભક્તિ ૨૪૩ ૨૧. સંસ્થાન (આકૃતિ)થી પાંચ પ્રકારમાં પરિણત થાય છે. ૧. પરિમંડળ (ચૂડી જેવો ગોળ આકાર), ૨. વૃત્ત (દડા જેવો ગોળ આકાર), ૩. ત્રાંસો આકાર, ૪. ચોરસ આકાર અને ૫. આયાત (લાંબો આકાર). ૨૨. વર્ણથી જે કાળો હોય તેમાં (બે) ગંધ, (પાંચ) રસ, (આઠ) સ્પર્શ અને (પાંચ) સંસ્થાન (આકૃતિ) એમ (વીસ બોલની) ભજના (હોય કે ન હોય) જાણવી. નોંધ : ભજના લખવાનું કારણ એ છે કે જે સ્થૂળ અનંત પ્રદેશ સ્કંધ પુગલ વર્ણથી કાળાં હોય, તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન એમ વીસ ભેદો જાણવા અને પરમાણુની અપેક્ષાઓ તો એક ગંધ, એક રસ અને બે સ્પર્શ એમ ચાર ભેદો જ જાણવા. આ પ્રમાણે દરેક સ્થળે સમજી લેવું. ૨૩. જે પુદ્ગલ વર્ષે લીલાં હોય, તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજના જાણવી. ૨૪. જે પુદ્ગલ વર્ણથી રાતો હોય તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજન ગણવી. ૨૫. જે પુદ્ગલ વર્ણથી પીળાં હોય તેમાં ગંધ, રસ, સ્પર્શ ને સંસ્થાનની ભજના ગણવી. ૨૬. જે પુદ્ગલ વર્ણથી સફેદ હોય તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજન જાણવી. - ૨૭. જે પુગલ ગંધથી સુરભિ હોય તેમાં સંસ્થાનની ભજના જાણવી. ૨૮. જે પુદ્ગલ ગંધથી દુરભિ હોય તેમાં સંસ્થાનની ભજના જાણવી. ૨૯. જે પુદ્ગલ રસથી તીખાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના ગણવી. ૩૦. જે પુદ્ગલ રસથી કડવાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના ગણવી. ૩૧. જે પુદ્ગલ રસથી કસાયેલાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના જાણવી. ૩૨. જે પુદ્ગલ રસથી ખાટાં હોય તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજન જાણવી.
SR No.008087
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy