________________
જીવાજીવવિભક્તિ
૨૫૩ ૧૩૫. એ બે ઇંદ્રિય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૩૬. ત્રણ ઇંદ્રિયવાળા જીવો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારે કહ્યા છે. હવે તેઓના પેટા ભેદોને કહું છું તે સાંભળો :
૧૩૭. ૧. કુંથવા, ૨. કીડી, ૩. (ચાંચડ) ઉદ્દશા, ૪. ઉકલીઆ, ૫. તૃણાહારી, ૬, કાષ્ટાહારી, ૭. માલુગા અને ૮. પત્તાહારી
૧૩૮. ૯. કપાસના બીજમાં થનારા જીવો, ૧૦. તિન્દુક, ૧૧. કિંજકા, ૧૨. સદાવરી, ૧૩. ગુલ્મી, ૧૪. ઇંદ્રગા અને ૧૫. મામણમુંડા એમ અનેક પ્રકારના કહ્યા છે.
૧૩૯. તે બધા આખા લોકમાં નહિ પણ લોકના અમુક ભાગમાં રહ્યા છે.
૧૪૦. પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્યની અપેક્ષાએ અંતસહિત છે.
૧૪૧. ત્રણ ઇંદ્રિયવાળા જીવોની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ ૪૯ દિવસની હોય છે.
૧૪૨. ત્રણ ઇંદ્રિયવાળાની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધી ઓછામાં ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ સંખ્યાત કાળ સુધીની કહી છે.
૧૪૩. ત્રણ ઇંદ્રિયવાળા જીવો પોતાની કાયાને છોડીને ફરીથી ત્રણ ઇંદ્રિય કાયા પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું છે.
૧૪૪. એ ત્રણ ઇંદ્રિયવાળા જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૧૪૫. ચાર ઇંદ્રિયવાળા જીવો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના છે. હવે તેઓના પેટા ભેદોને કહું છું. તે સાંભળો :
૧૪૬. ૧. અંધિયા, ૨. પોતિયા, ૩. માખી, ૪. મચ્છર, ૫. ભમરા, ૬. કીડ, ૭. પતંગિયા, ૮. ઢિકણા, ૯. કંકણા
૧૪૭. ૧૦. કુકુટ, ૧૧. સિંગરીટી, ૧૨. નંદાવૃત્ત, ૧૩. વીંછી, ૧૪. ડોલા, ૧૫. ભીંગારી, ૧૬. ચીરલી, ૧૭. અક્ષિવેધક.
૧૪૮, ૧૮અશ્લીલ, ૧૯. માગધ, ૨૦. રોડ, ૨૧. વિચિત્ર પાંખવાળા, ૨૨. કલકારી, ૨૩. ઉપધિ જલકા, ૨૪. નીચકા અને ૨૫. તામ્રકા.