________________
ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫. વિનય, ભક્ત તથા અવસરના જાણકારી ગૌતમ સ્વામી શિષ્યસમુદાય સાથે કેશીમુનિ (પાર્શ્વનાથના અનુયાયી છે માટે)નું વડીલ કુળ જાણી તેમની પાસે તિન્દુક વનમાં પોતે જાતે આવ્યા.
નોંધ : ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીર પહેલા થયા છે માટે તેના અનુયાયી પણ વડીલ ગણાય. તે વિનય જાળવવા પોતે જ્ઞાની હોવા છતાં ત્યાં પધાર્યા. આ જ નમ્રતા અને જ્ઞાનપાચનનું ચિહ્ન છે.
૧૬. શિષ્ય સમુદાય સાથે ગૌતમ સ્વામીને સ્વયં આવતા જોઈ કેશીકુમાર હર્ષઘેલા થઈ ગયા અને તેમનું આતિથ્ય સુંદર રીતે કરવા લાગ્યા.
નોંધ : વેશ અને સમાચારી ભિન્ન છતાં સંભોગ-સાંપ્રદાયિક વ્યવહારનાં ભૂત ત્યાં નડ્યાં નહિ. જ્યાં વિશુદ્ધ પ્રેમ ઉછળતો હોય અને સંપ્રદાયનો કદાગ્રહ ન હોય ત્યાં તેવું વિષવાતાવરણ હોય જ શાનું ? વાહ ! તે ક્ષણ કેવી અપૂર્વ છે ? આવા સંતસમાગમની એક જ ક્ષણ કરોડો જન્મોનાં પાતકને લય કરી નાખે છે.
૧૫૦
૧૭. કેશીકુમાર શ્રમણ ગૌતમ ભગવાનને આવતા દેખી ઉત્સાહથી તેમને અનુરૂપ અને પ્રાસુક (જીવરહિત શાલીનું, વ્રીહિનું, કોદરીનું અને રાળ નામે વનસ્પતિનું એમ) ચાર જાતનાં પરાળ (ઘાસ) અને પાંચમું ડાભ અને તૃણનાં આસનો લઈ લઈને કેશીમુનિ તથા તેમના શિષ્ય સમુદાય ગૌતમમુનિ અને તેમના શેષ્ય સમુદાયને તે ૫૨ બેસાડે છે.
૧૮. તે વખતનું દશ્ય અનુપમ લાગતું હતું. કુમાર કેશીશ્રમણ અને મહા યશવી ગૌતમમુનિ બંને જણ ત્યાં બેઠાબેઠા જાણે સૂર્ય અને ચંદ્ર જ ન બેઠા હોય ! તેવી રીતે શોભી રહ્યા હતા.
૧૯. આ પરસ્પરના વિચારવાદનું કુતૂહલ જોવા માટે મૃગલા જેવા કૈંક અજ્ઞ સાધુઓ અને કુતૂહલીજનો તથા પાખંડીઓ પણ હાજર થઈ ગયા હતા. તેમજ ડાખોની સંખ્યામાં ગૃહસ્થો પણ ત્યાં એકઠા થયા હતા.
૨૦. (ગગનમાર્ગે અદશ્ય રૂપે) દેવો, દાનવો, ગાંધર્વો, યક્ષો, રાક્ષસો, કિન્નરો તથા અદશ્ય રહેલાં અનેક ભુતો પણ ત્યાં આ દશ્ય જોવા માટે
એકઠા થયાં હતાં.
૨૧. તે વખતે પ્રથમ જ કેશીમુનિએ ગૌતમને ઉદેશીને કહ્યું : હે ભાગ્યવંત ! હું તમને પ્રશ્નો પૂછવા ઇચ્છું છું. આ પ્રમાણે બોલતા કેશીમહારાજર્ષિને સંબોધીને ભગવાન ગૌતમ આ પ્રમાણે બોલ્યા :