SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ભિન્ન અને તે બંને કરતાં ઘણી વિશેષતાઓ દર્શાવતાં તેણે સચોટ પ્રમાણપૂર્વક પુરવાર કર્યા છે. જૈન ધર્મનો પ્રચાર : આ સ્થળે એક સંદેહ થશે કે જૈનધર્મના વિશ્વવ્યાપી સિદ્ધાંતો હોવા છતાં તેનો પ્રચાર હિંદ સિવાય ઇતર દેશોમાં બૌદ્ધધર્મના પ્રચારની જેમ કેદ થવા ન પામ્યો ? તેનાં ઘણાં કારણો છે. તેમાંનાં આ પણ હોઈ શકે : (૧) ભગવાન મહાવીરે ભગવાન પાર્શ્વનાથની પરંપરા કરતાં ઘણાં કડક વિધિવિધાનો સ્થાપ્યાં હતાં અને તેથી જૈનધર્મનો મુખ્ય પ્રચારક શ્રમણ વર્ગ હિંદ બહાર જઈ શક્યો ન હતો અને (૨) પ્રચાર કરવા કરતાં ધર્મની નક્કરતા પર તે વખતે જૈન સંસ્કૃતિનું વિશેષ લક્ષ્ય હોવું જોઈએ. આટલું પ્રસંગોચિત કહ્યા પછી ઉત્તરાધ્યનની વિશેષતા પર આવીએ. જેનધર્મના વિશિષ્ટ સિદ્ધાંતો આત્માનું નિયત્વ : આત્માને પરિણામી નિત્ય માનવો, અર્થાત એકાંત કૂટસ્થ-નિત્ય કે કેવળ અનિત્ય નહિ. આત્મા એ અખંડ નિત્ય હોવા છતાં કર્મશાત્ તેનું પરિણમન થાય છે. કહ્યું છે કે : नो इंदियगेज्झो अमुत्तभावा । अमुत्तभावा वि अ होइ निच्चो । अज्झत्थहेउं निययस्स बंधा । સંસાર ર વયંતિ વંધે છે. આત્મા અમૂર્ત હોવાથી બહિરિન્દ્રિયોથી પ્રત્યક્ષ થઈ શકતો નથી. વળી તે અમૂર્ત હોવાથી નિત્ય છે, પરંતુ આમ હોવા છતાં અજ્ઞાનવશાત્ તે કર્મબંધનોથી બંધાયેલો છે અને બંધન એ જ આ સંસારનો હેતુ છે. સાંખ્યદર્શન તેને કૂટસ્થ નિત્ય માને છે. જ્યારે બૌદ્ધદર્શન એકાંત અનિત્ય માને છે. આ બંને સિદ્ધાંતો વિચારતાં અપૂર્ણ ભાસશે. કારણ કે જો એકાંત કૂટસ્થ નિત્ય હોય તો તેનું પરિણમન થઈ શકે નહિ. પરિણમન ન હોય તો બંધન પણ ન હોય અને બંધન ન હોય તો મુક્ત, નિર્વાણ કે મોક્ષનો પ્રયત્ન પણ હોઈ શકે નહિ. જયારે આપણને તો ક્ષણે ક્ષણે દુ:ખનું સંવેદન થાય છે, શરીરના સારા માઠા દરેક પ્રસંગે આત્મા શુભાશુભ ભાવો અનુભવે છે. તેથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આત્મા પોતે નિત્ય હોવા છતાં કર્મબંધનથી બંધાયેલો છે. ૧૭
SR No.008087
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy