________________
તે સમયે વેદ અને જૈન એ બંને પ્રાચીન હતા, અને બૌદ્ધદર્શન અર્વાચીન હતું. એક સ્થળે ડૉ. હર્મન જેકોબી આચારાંગ સૂત્રની પ્રસ્તાવનામાં લખે છે :
“It is now admitted by all that Nataputta (Gnatriputra), who is commonly called Mahavira or Vardhmana, was a contemporary of Buddha, and that the Niganthas (Nirgranths) now better known under the name of Jains of Arhatas, already existed as an important sect at the time when the Buddhist Church was being founded.
“શ્રમણ ભગવંત મહાવીર પ્રભુને નામે ઓળખાતા જ્ઞાતપુત્ર વર્ધમાન સ્વામી, જે વખતે બુદ્ધ વિચરતા હતા તે વખતે જ તેમના સમકાલીન તરીકે વિદ્યમાન હતા. અને જે વખતે બૌદ્ધ ધર્મ હજી અપાતો હતો તે વખતે જૈનો અથવા અહિતના નામે ઓળખાતા નિગ્રંથો એક અગત્યના પંથ તરીકે ક્યારનાએ વિચરી રહ્યા હતા. એ હવે સર્વમાન્ય થઈ ચૂક્યું છે.'
આ પરથી એમ સિદ્ધ થાય છે કે પાશ્ચાત્ય વિદ્વાનો કે જે પ્રથમ બૌદ્ધ ધર્મ કરતાં જૈન ધર્મને અર્વાચીન ગણતા, તેઓ હવે પુષ્ટ પ્રમાણ મળતાં તેની પ્રાચીનતા બરાબર સ્વીકારી શક્યા છે. પ્રથમ ડૉ. બેંબર, ડૉ. લેસન વગેરે કેટલાક વિદ્વાનોએ તેમ શી રીતે માની લીધું હશે ? તેમ કોઈને શંકા થાય તેનું સમાધાન ડૉ. હર્મન જેકોબી જૈનસૂત્રોની પ્રસ્તાવનામાં આ પ્રમાણે આપે છે :
પ્રો. લેસન બંને ધર્મની એકતા માને છે. તેનાં ચાર કારણો નીચે દર્શાવ્યાં છે :
(૧) ભાષાદષ્ટિ : બુદ્ધનું બધું મૌલિક સાહિત્ય પાલિભાષામાં છે, જ્યારે ભગવાન મહાવીરનું સાહિત્ય અર્ધમાગધી ભાષામાં છે. બંને સાહિત્યમાં બહોળે અંશે ભાષાની સમાનતા તેમને લાગી.
(૨) કેટલાક પારિભાષિક શબ્દોની સમાનતા : જેમકે, જિન, અર્વત, સર્વાજ્ઞ, સિદ્ધ, બુદ્ધ, સંબુદ્ધ, પરિનિવૃત, મુક્ત વગેરે સમાન હોવાથી.
(૩) ગત તીર્થકરોની સમવર્તી ગુણપૂજા. (૪) અહિંસા વગેરે કેટલાક સિદ્ધાંતોની સ્થળ સમાનતા :
પરંતુ આ ચારેની પૃથકતા જૈન સૂત્રની પ્રસ્તાવના ડૉ. હર્મન જેકોબીએ કરી વેદ તથા બૌદ્ધધર્મના સિદ્ધાંતો કરતાં જૈનધર્મના ઘણા સિદ્ધાંતો સાવ