________________
૧૫૪
ઉત્તરાધ્યયન સૂત્ર ક્ષમા, દયા, તપશ્ચર્યા અને ત્યાગ એ તેમને હણવાનાં શસ્ત્રો છે. તે શસ્ત્રો દ્વારા જ કર્મ હણાઈ જાય છે.
૩૯. હે ગૌતમ ! તમારી બુદ્ધિ સુંદર છે. તમે મારા સંશયનું સમાધાન સુંદર કર્યું. હવે બીજો પ્રશ્ન પૂછું છું તેનું સમાધાન કરો.
૪૦. આ લોકમાં ઘણા જીવો બિચારા કર્મરૂપી જાળથી જકડાયેલા દેખાય છે. ત્યાં હે મુનિ ! તમે શી રીતે બંધનથી રહિત થઈ વાયુની પેઠે હળવા થઈ અપ્રીતિબંધપણે વિહરી શકો છો ?
૪૧. (કેશી મહારાજને ગૌતમે કહ્યું :) હે મુને ! શુદ્ધ ઉપાયોથી તે પાશલાઓને છેદીને બંધન રહિત થઈ વાયુની માફક અપ્રતિબંધ રીતે વિચરી શકું છું.
૪૨. ત્યારે કેશીમુનિએ ગૌતમને કહ્યું : તે બંધની ક્યાં ? તે તમે મને કહેશો ? આ પ્રમાણે બોલતા કેશીમુનિને ઉદ્દેશીને ગૌતમ કહેવા લાગ્યા.
૪૩. રાગ, દ્વેષ, મોહ, પરિગ્રહ અને સ્ત્રીસ્વજનો પરની આસક્તિઓ છે તે જ તીવ્ર, ઘાટાં અને ભયંકર સ્નેહબંધનો છે. તેને છેદીને યથાન્યાયે ક્રમપૂર્વક જૈનશાસનમાં રહી મારો વિકાસ સાવું અને વિચારી રહ્યો છું.
૪૪. કેશસ્વામીએ કહ્યું : હે ગૌતમ ! તમારી બુદ્ધિ ઉત્તમ છે. તમે મારો સંશય દૂર કર્યો છે. હવે બીજી વાતને પૂછું છું તેનો જવાબ આપો.
૪૫. હે ગૌતમ ! હૃદયના ઊંડાણ ભાગરૂપ જમીનમાં એક વેલડી ઊગી છે કે જે વેલડીમાં વિષ જેવા ઝેરી ફળ લાગે છે. તે વેલ તમે શી રીતે ઊખેડી નાખી ? (કેશી બોલ્યા).
૪૬. (આ સાંભળીને ગૌતમ બોલ્યા :) તે વિષવેલડીને તો મેં મૂળ સહિત ઊખેડી નાખી છે અને તેથી જ એ વિષવેલનાં વિપફળોથી હું મુક્ત થઈ જિનેશ્વરોનાં ન્યાયમય શાસનમાં આનંદપૂર્વક વિચરી રહ્યો છું.
૪૭. તે વેલ કઈ ? તે મને કહેશો ? આ પ્રમાણે કેશીમુનિએ ગૌતમને કહ્યું. ત્યારે આ પ્રમાણે બોલતાં કેશીમુનિને ગૌતમ કહેવા લાગ્યા :
૪૮. હે મુનિશ્વર ! આ સંસારમાં મહાપુરુષોએ સંસારને વધારનારી તૃણાને જ વિષવેલ કહી છે. તે વેલ ભયંકર અને ઝેરી ફળોન આપી જીવોન જન્મમરણ કરાવી રહી છે. તેને બરાબર જાણી મ ઊખેડી નાખી છે. તે ઉખેડી નાખી હવે હું જિનેશ્વરના ન્યાયશાસનમાં સુખપૂર્વક ચાલી