SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સમિતિઓ ૧૬૩ નોંધ : નાનો ગોચ્છો કે જે સંયમીનું પૂંજવાનું ઉપકરણ ગણાય છે. જેનાથી સૂક્ષ્મ જીવો પણ ન હણાય તેવી રીતે પાત્રો વગેરે સાફ કરવાની ક્રિયાને પરિમાર્જન (પૂંજવું) કહેવાય છે. ૧૫. મળ, મૂત્ર, બળખો, નાસિકાનો મેલ કે શરીરના અવયવોનો મેલ તથા અપથ્ય આહાર, ન પહેરી શકાય તેવું જીર્ણ થયેલું વસ્ત્ર અને કોઈ ભિક્ષુનું મૃત શરીર કે તે સિવાયની બીજી ક્ષેપણીય (ફેંકી દેવા યોગ્ય નકામી) વસ્તુઓ હોય તેને (જ્યાં ત્યાં ન ફેંકતાં) ઉચિત જગ્યાએ જ નાંખવી. નોંધ : પરિહાર્ય ચીજ અસ્થાને ફેંકવાથી ગંદકી, રોગ અને ઉપદ્રવ થાય, જીવજંતુઓની હિંસા થાય અને એવા ઘણા મહાદોષો બને તેથી જ જૈનદર્શન વૈજ્ઞાનિક, વૈશ્વિક અને ધાર્મિક દૃષ્ટિનો અપૂર્વ સમન્વય કરી બતાવે છે. ૧૬. તે સ્થાન દસ પ્રકારનાં વિશેષણોથી યુક્ત હોવું જોઈએ. તેમાં પ્રથમ વિશેષણના ચાર ભેદ કહે છે : ૧. તે વખતે કોઈ પણ મનુષ્ય આવતું જતું ન હોય અને કોઈ દેખતું પણ ન હોય તેવું સ્થાન. ૨. કોઈ મનુષ્ય પાસે આવતું નથી પણ દૂરથી જુએ છે. ૩. કોઈ મનુષ્ય આવે છે પણ તે દેખતું નથી, ૪. કોઈ મનુષ્ય આવે પણ છે અને દેખે પણ છે. ૧૭. ૧. ઉપરના ચાર ભેદ પૈકી પહેલા ભેદવાળું ન જોઈ (અર્થાત્ કોઈ આવતું નથી ને દેખતું પણ નથી) ત્યાં જ તે ક્રિયા કરવી. ૨. વળી સ્થાન પોતાને કે પરને દુઃખ ઉપજાવે નહિ તેવું હોય. ૩. તે ભૂમિ પણ સમ હોય. ૧૮. ૪. તે સ્થાન ઘાસ, પાંદડાં કે વનસ્પતિ રહિત હોય. ૫. તે ભૂમિ અચિત્ત (કીડી, કુંથવા વગેરે જીવો રહિત) હોય. ૬. તે સ્થાન સાવ સાંકડું નહિ પણ પહોળું હોય. ૭. તેની નીચે પણ અચિત્ત ભૂમિ હોય. ૮. પોતે જે સ્થાને હોય ત્યાંથી સાવ નજીક નહિ પણ દૂર હોય. ૯. જ્યાં ઉંદર વગેરેનાં દર ન હોય. ૧૦. ત્રસ પ્રાણીઓ કે બીજ ન વેરાયાં હોય તેવા શુદ્ધ સ્થાનમાં જ મળમૂત્રાદિ ક્રિયાઓ કરવી જોઈએ. ૧૯. એ પાંચે સિમિતિઓ બહુ સંક્ષેપમાં કહી હવે ત્રણ ગુપ્તિઓને અનુક્રમે કહીશ : (આ પ્રમાણે જંબૂ પ્રત્યે સુધર્મસ્વામી બોલ્યા.) નોંધ : સમિતિઓનો અધિક વિસ્તાર આચારાંગાદિ સૂત્રોમાં જોઈ લેવા. ૨૦. મનોગુપ્તિના ચાર ભેદ છે ઃ ૧. સત્ય મનોગુપ્તિ, ૨. અસત્ય મનોગુપ્તિ, ૩. સત્યાકૃષા (મિશ્ર) મનોગુપ્તિ અને ૪. અસત્યા અને અમૃષા (વ્યવહાર) મનોગુપ્તિ.
SR No.008087
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2000
Total Pages299
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy