________________
ભાવના' એ અર્થ પ્રકરણસંગત અને અર્થસંગત લાગે છે. તે જ પ્રકારે ગુરુણામુવવાયકારએ'માં પણ ગુરુની સમીપ રહેવાનો ભાવ વ્યંજના શક્તિથી તે જ ઘટી શકે છે કે ગુરુના હૃદયમાં રહેનાર. શું ભગવાન મહાવીરના બધા જ શિષ્યો પાસે રહેતા હતા ? માટે તેમ માનવું સુઘટિત ન લાગતાં ઉપરનો અર્થ નોંધમાં સ્પષ્ટ કર્યો છે. આ અને એવાં બીજાં પણ સ્થાનો નોંધમાં યથોચિત રીતે સ્પષ્ટ કર્યા છે.
અર્થદૃષ્ટિ : આ જ પ્રમાણે કેટલીક ગાથાઓના અર્થો પણ પરંપરાથી ભિન્ન ભિન્ન ચાલ્યા આવે છે જેમ કે –
'सपूवमेबं नलमेज्ज पच्छा एसोवमा सासयवाईयाणं । विसीयई सिढिले आयुयम्मि कालोवणीए सरीरस्स मेए ॥
સંસ્કૃત છાયા 'सपूर्वमेवं न लभेत पश्चाद् एषोपमा *शाश्वतवादिकानाम् । विषीदति शिथिले आयुषि कालोपनीते शरीरस्य भेदे ॥'
આનો અર્થ ટબાની પરંપરા પ્રમાણે એ થાય છે કે “પહેલાં ન થયું તો પછી થશે' આમ કહેવું જ્ઞાની પુરુષો માટે યોગ્ય છે, કારણ કે તે પોતાના ભવિષ્યકાળને પણ જાણે છે, પરંતુ સામાન્ય મનુષ્ય જો તેમ કરે અને પોતાની ઉન્નતિનો માર્ગ ચિંતવ્યા સિવાય મૃત્યુ પામે તો તે વખતે તેને ખેદ કરવો પડે છે.' અહીં ત્રણ પ્રકારના પ્રશ્નો ઉદ્દભવે છે :* (૧) ચાલુ પ્રસંગમાં જ્ઞાની પરત્વેનું કથન શું ઘટિત છે? (૨) કદાચ તેમ હોય તોપણ શાશ્વતવાદી વિશેષણ જ્ઞાનીવાચી કેમ હોઈ શકે ? કારણ કે શાશ્વતવાદી અને શાશ્વતદર્શી એ બંનેમાં ઘણી ભિન્નતા છે. શાશ્વત બોલવું તો સૌ કોઈ માટે સુલભ છે, પણ નિત્યદર્શન તો કેવળ જ્ઞાની પુરુષો જ કરી શકે. (૩) જ્ઞાની અર્થ લેવા છતાં પણ એ બંને પદોનો આખો અર્થ શું બરાબર ઘટી શકે છે ? આ બધા પ્રશ્નોની વિચારણા કર્યા પછી જે કંઈ અર્થ ઘટે છે તે નીચે પ્રમાણે છે :
“જે પહેલાં નથી પામતો તે પછી નથી પામતો' અર્થાત્ કે આખા જગતની રચના નિશ્ચિત છે. પહેલાં જે હતું તે જ આજ છે અને રહેવાનું. લોક પણ શાશ્વત અને આત્મા પણ શાશ્વત છે. આપણે કશું ફેરવી શકવાના નથી. તો પછી આત્મવિકાસનો પ્રયત્ન કરવાની આવશ્યકતા શી ? આવી
૧ ૨