________________
૨૪
ઉત્તરાધ્યયન સૂત્ર ૧૪. જેમ ગાડીવાન જાણવા છતાં સારા ધોરી રસ્તાને છોડી દઈને વિષમ માર્ગમાં જતાં ધૂસરી (પુરા) ભાંગી જાય ત્યારે શોક કરે છે.
૧૫. તેમ ધર્મને છોડીને તથા અધર્મને અંગીકાર કરીને મરણના માં આગળ ગયેલો પાપી માણસ જીવનધૂંસરી ભાંગી ગઈ હોય તે જ પ્રકારે શોક કરે છે.
૧૬. ત્યારબાદ તે મૂર્ખ મરણને અંતે ભયથી ત્રાસ પામી, કલિથી (જુગારના દાવથી) જીતાયેલ ઠગારાની માફક અકામ મરણે મરે છે.
નોંધ : જુગારમાં કોઈ ધુતારો પણ હારી જાય છે. તેમ અકામ-મરણથી તેવો પાપી જીવ ભવ હારી જાય છે.
૧૭. આ તો બાળકોનું અકામ મરણ કહ્યું. હવે પંડિતોનું સકામ મરણ કહીશ. મને સાંભળો; એમ ભગવાન સુધર્મસ્વામી બોલ્યા :
૧૮. પુણ્યશાળી (સુપવિત્ર) પુરુષો, બ્રહ્મચારીઓ અને સંયમી પુરુષોનું વ્યાઘાત રહિત અને અતિ પ્રસન્ન એવું મરણ જે મેં સાંભળ્યું છે
૧૯. તે બધા ભિક્ષુઓને કે બધા ગૃહસ્થોને પ્રાપ્ત થતું નથી. પણ કઠિન વ્રતો પાળનારા ભિક્ષુઓ અને ભિન્ન ભિન્ન પ્રકારના સદાચાર સેવનારા સહસ્થો જ તે મૃત્યુને વરે છે.
૨૦. કેટલાક કુસાધુઓ કરતાં ગૃહસ્થો પણ અધિક સંયમી હોય છે. પરંતુ સાધુતાની અપેક્ષાએ તો બધા ગૃહસ્થો કરતાં સાધુઓ અધિક સંયમી જ હોય છે.
નોંધ : આ ગાથા અત્યંત ગંભીર અને સાચા સંયમનું પ્રતિપાદન કરનારી છે. વેશ કે અવસ્થા વિશેષ સંયમના પોષક કે બાધક છે જ નહિ.
૨૧. લાંબા વખતનાં ચર્મ, નગ્નત્વ, જટા, સંઘાટિ (બુદ્ધ સાધુઓનું ઉત્તરીયવસ્ત્ર) કે મુંડન આ બધાં ચિહ્નો તે દુરાચારવાળા વેશધારીને શરણભૂત થતાં નથી.
નોંધ : બધાં ભિન્ન ભિન્ન ચિહ્નો સંયમનાં રક્ષક નથી. સદાચાર જ સંયમનો રક્ષક છે.
૨૨. ભિક્ષાચારી કરનાર ભિક્ષુ પણ જો દુરાચારી હોય તો તે નરકથી છૂટી શકતો નથી. (સારાંશ કે) ભિક્ષુ હો ગૃહસ્થ હો ! સદાચારી હોય તે જ સ્વર્ગમાં જ જઈ શકે છે.
નોધ : સાધુને નરક ન હોય કે શ્રાવકને નરક હોય તેવો કોઈને ઈજારો