________________
૩૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
તેથી, મુગરાદિ (ધોકો) સહકારી કારણની વિષમતાથી વિસદશ કપાલાદિક્ષણ ઉત્પન્ન થાય છે ઘટાદિ તો ક્ષણિક હોવાથી નિર્દેતુક છે અને સ્વાભાવથી જ નાશ થાય છે. એટલું જ સારું છે.
એથી, હેતુવ્યાપારથી નિરપેક્ષપણે ઉત્પન્ન થયેલા ભાવો ક્ષણિક હોવાથી સ્વભાવથી જ નાશ પામે છે હેતુ વ્યાપારથી નહિ.
તેથી એ સિદ્ધ થયું કે ઉત્પત્તિ-વિનાશમાં કોઈનાથી કોઈ અપેક્ષા નથી, અને અપેક્ષાભાવે કોઈ કોઈનું કારણ બનતું નથી. તેથી કોઈ દ્રવ્ય નથી પરંતુ પૂર્વાપર થયેલા અપરાપર ક્ષણરૂપ પર્યાયો જ છે.
પ્રશ્ન-૬૦ – તો પછી દૂધની જેમ પરિણામ જનક હોવાના લીધે પિંડ જ કારણ છે એ જ પદ ઈષ્ટ માનોને?
ઉત્તર-૬૦ – કૃષિG: કાર્યમેવ ન તુ વારંમ્ પ્રતિસમય ૨/પરક્ષાવેજી ભાવાત્ વધ્યાતિવત્ ! એમ કહેવાથી પ્રતિસમય અપરાપરભવન સિદ્ધ ન થતું હોય તો વસ્તુના પુરાણાદિભાવોની અનુપપત્તિ થઈ જાય.
प्रतिसमयं यदि न भवेदपरापररूपतेह वस्तूनाम् । न स्यात् पुराणभावो न युवत्वं नापि वृद्धत्वम् ॥१॥ जन्मान्तरसमये न स्याद् यद्यपररुपतार्थानाम् । तर्हि विशेषाभावाद् न शेषकालेऽपि सा युक्ता ॥२॥
પ્રશ્ન-૬૧ – તો પછી જેમ પ્રતિસમય અન્યાખ્યરૂપે થતો હોવાથી પિંડ એ કાર્ય છે તેમ ઘટપટાદિ સર્વ વસ્તુસમૂહ પણ કાર્ય છે તેથી જ હેતુને પણ કાર્ય સમજવું?
ઉત્તર-૬૧ - ના એ અમને માન્ય નથી અન્યમાન્ય એવી કારણનામની કોઈ વસ્તુ નથી કારણ કે કાર્યના અભાવે કાર્યત્વનો સ્વીકાર ન હોવાથી પ્રતિસમય ભવનનો પણ अस्वी १२ 25 14 छ यत् प्रतिसमयमपरापररुपेण न भवति तद् वस्तु नास्ति, यथा
વિષાણ, અન્ય પક્ષ પ્રતિસમય અપરાપર રૂપે ન થનારા માટીના પિંડાદિને સ્વીકારે છે તેથી મૃત્પિડાદિ વસ્તુ નથી. એમ માને છે અને જે દરેક સમયે અપરાપર ક્ષણરૂપે થાય છે તે ઘટાદિની જેમ વસ્તુ છે એમ માને છે.
આ રીતે નામાદિનયોની પરસ્પર વિપ્રતિપત્તિ દર્શાવીને ઉપસંહારપૂર્વક મિથ્યા-અમિથ્યા ભાવ બતાવે છે -