Book Title: Visheshavashyak Bhashya Part 01
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 379
________________ ૩૬૦ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ મિથ્યાત્વભાવ છે, તે જ ઉપચારથી સમ્યક્ત કહેવાય છે. શુદ્ધ મિથ્યાત્વ સમ્યક્તના પુદ્ગલો શોધિત મદન કોદ્રવ સ્થાનીયા વિરુદ્ધ તેલાદિ દ્રવ્યરૂપ મિથ્યાત્વથી મિશ્રિત છતા તત્કણે જ મિથ્યાત્વ થાય છે. અથવા કુતીર્થિક સંસર્ગ-વચન શ્રણવાદિજન્ય પરિણામથી ક્લિષ્ટબહુરસવાળા કરાયેલા મિથ્યાત્વરૂપતા પામે છે. તેથી તે જ રીતે મિથ્યાદષ્ટિ થઈને ફરી સંસારસાગરમાં ભમ્યા કરે છે. આવો અપાય ફાયિક સમ્યત્વમાં નથી હોતો. સર્વ અનર્થોના મૂળ એવા શુદ્ધ-અશુદ્ધ મિથ્યાત્વના પુદ્ગલો ખપાવેલા હોઈ તે પુગલો ન હોવાથી ક્ષાયિક સમ્યફ શુદ્ધતર છે. અને ક્ષાયોપથમિક મલીમસ છે. એટલે એ દૂર થવા છતાં ક્ષાયિક સમ્યક્ત હોવાથી અદર્શની થતો નથી. પરંતુ, ઉલટો વિશુદ્ધ સમ્યગ્દર્શની છે. તે પછી - ક્ષીણમોહ છદ્મસ્થ ગુણસ્થાનકના દ્વિચરમ સમયે એટલે કે તે સમયમાંના ઉપાજ્ય સમયે નિદ્રા તથા પ્રચલાનો ક્ષય કરે છે, અને છેલ્લા સમયે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ ચાર અને અંતરાય પાંચ એ ચૌદ પ્રકૃતિનો ક્ષય કરીને કેવલજ્ઞાન પામે. કેવલજ્ઞાનની ઉત્પત્તિનો સમય:| નિશ્ચયનયનો મત :- જે સમયે આવરણનો ક્ષય થાય છે, તે જ સમયે કેવલજ્ઞાનની ઉત્પત્તિ નિશ્ચયનય માને છે. કેમકે ક્ષીયમાણ ક્ષીણવાતુ-ક્રિયાકાળ-નિષ્ઠાકાળ એક હોવાથી. કાળના ભેદમાં અન્યકાળ ક્રિયા અને અન્ય કાળે કાર્યોત્પત્તિ થાય એ અસંગત છે. ક્રિયાવિરહમાં પણ કાર્યોત્પત્તિનો સ્વીકાર માનવો પડે. એ રીતે ક્રિયારંભ કાળ પહેલાં પણ કાર્યોત્પત્તિની પ્રાપ્તિ થવાથી અતિવ્યાપ્તિ થાય. તસત્વે તત્સત્વે પતિવ્યાસમ્ વ્યવહાર નય - આવરણ ક્ષયના પછીના સમયે કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ક્ષયસમયે આવરણ ક્ષીયમાણ હોવાથી તે અક્ષીણ છે. ક્રિયા-નિષ્ઠાકાળનો ભેદ હોવાથી. તે બંન્ને એક હોય તો ક્રિયાકાળે પણ કાર્ય વિદ્યમાન હોવાથી ક્રિયાના વૈયથ્યની આપતિ આવે, અને સમાનકાલભાવિ ક્રિયાકાર્યનો કાર્યકારણ ભાવ ઘટતો નથી. નહિતો ડાબા-જમણા ગાયના શિંગડામાં પણ કાર્ય-કારણ ભાવની આપત્તિ આવે. એટલે ક્ષીયમાણ આવરણ છતે જ્ઞાન ઉત્પન્ન થાય એ ઘટતું નથી. એ ક્રિયા કાળ છે અને તે કાળે કાર્યને માનવું દુષિત છે. પણ ક્ષીણ આવરણ છતે જ જ્ઞાન ઉત્પન્ન થાય છે એ નિષ્ઠાકાળ છે. ક્રિયા-નિષ્ઠા કાળ એક ઘટતો નથી તે પ્રતિનિહિત છે માટે. વ્યવહારવાદી ! આવરણના ક્ષયે જો તું કેવલજ્ઞાનોત્પત્તિ માને છે અને ક્ષીયમાણમાં નથી માનતો તો અમે તને પૂછીએ છીએ-આવરણ ક્ષય કાળે ક્રિયા છે કે નહિ ? જો નથી તો ક્રિયાવિના આવરણ ક્ષયમાં કયો હેતુ કરવો ? કોઈ નથી. હવે જો ક્રિયા છે અને તેનાથી

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408