________________
ગુજરાતી પ્રશ્નોત્તર
વિશુદ્ધિવશ ઉપશાંત થતા વિખંભિતઉદયમાં અંતમુહૂંત ઉદયમાં આવે છે. જીવ અંતમુર્હુતમાત્ર કાળ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે, અને આ આટલો કાળ પૂરો થતાં ત્રણ પુંજ નહિ કરેલા હોવાથી ઔપમિક સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલો મિથ્યાત્વપુંજના જ ઉદયથી મિથ્યાત્વમાં જ જાય છે. શેષ બે પુંજ તો કરેલા નથી એટલે, ભાવાર્થ- સૈદ્ધાંતિકમત-કોઈપણ અનાદિ મિથ્યાદષ્ટિ તેવા પ્રકારની સામગ્રી છતે અપૂર્વકરણથી ત્રણ પૂંજ કરીને શુદ્ધપુંજપુદ્ગલોને વેદતો ઔપમિક સમ્યક્ત્વ લીધા વગર જ પ્રથમથી જ ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ થાય છે. અન્ય તો એમ માને છે યથા પ્રવૃત્તિ આદિ ત્રણ ક૨ણક્રમથી અંતકરણ કરતાં ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. એ ત્રણ ગૂંજ નથી કરતો, પછી ઔપશમિક સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલો અવશ્ય મિથ્યાત્વમાં જ જાય છે. કલ્પભાષ્યમાં કહ્યું છે. આનંવળમતદંતો નફ સમ્રાળું ન મુત્ત ફતિયા । વં યતિપુની મિર્જી વિય વસમી છ્ ॥ જેમ ગાત્ર ઉપાડાતે છતે ઇયળ આગળના આલંબન ન મળતા પૂર્વના સ્થાન ને છોડતી નથી. ફરીથી સંકોચાઈને પૂર્વસ્થાને જ રહે છે. એમ ઉપશમ સમ્યગ્દષ્ટિ ઔપશમિક સમ્યક્ત્વથી પડેલો ત્રણ પૂંજ ન કરેલા હોવાથી મિશ્ર-શુદ્ધપુંજરૂપ સ્થાનાંતરને પ્રાપ્ત ન કરતો ફરીથી મિથ્યાત્વે આવે છે. કાર્મગ્રંથિક મતે – બધા મિથ્યાર્દષ્ટિ પ્રથમથી જ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે એ ત્રણપૂંજ તો કરે જ એટલે ઔપશમિક સમ્યક્ત્વથી પડેલો એ ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ મિશ્ર કે મિથ્યાદૃષ્ટિ થાય છે.
-
૨૨૧
(૨) સાસ્વાદન સમ્યક્ત્વ :- અંતઃકરણમાં કાળમાં જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી ૬ આવલિકાશેષમાં રહેલો કોઈ જીવ અનંતાનુબંધી કષાયના ઉદયથી ઔપશમિક સમ્યક્ત્વથી પડતા અને હજુ મિથ્યાત્વને પ્રાપ્ત કરતા પહેલાં તે જીવન વચ્ચે જઘન્ય-સમય, ઉત્કૃષ્ટ-છ આવલિકાવાળું સાસ્વાદન સમ્યક્ત્વ થાય છે.
(૩) ક્ષાયોપશમિક સમ્યક્ત્વ :- ઉદયમાં આવેલું મિથ્યાત્વ વિપાકોદયથી વેદેલું હોવાથી ક્ષીણ થયેલું હોય અને સત્તામાં રહેલું ઉદયમાં ન આવેલું ઉપશાંત-વિખંભિત ઉદયવાળું કરેલું હોય અને દૂર થયેલ મિથ્યાત્વ સ્વભાવવાળું શેષ મિથ્યાત્વ અર્થાત્-મિથ્યાત્વ-મિશ્રપુંજને આશ્રયીને અટકાવેલા ઉદયવાળું અને શુદ્ધપુંજને આશ્રયીને દૂર કરેલા મિથ્યાત્વ સ્વભાવવાળું હોય તે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહેવાય છે.
પ્રશ્ન-૪૭૫ – જો એમ હોય તો અશુદ્ધ અને મિશ્ર બે પુંજ રૂપ અટકાવેલા ઉદયવાળા ઉપશાંતની જ અનુદીર્ણતા ઘટે છે. નહિ કે, શુદ્ધપુંજરૂપ દૂર કરેલા મિથ્યાત્વ સ્વભાવવાળાની તે તો વિપાકથી સાક્ષાત્ અનુભવાય છે. આપે તો અનુયં ચ વસંત એ પાઠથી ઉપશાંત અનુદીર્ણ બે સ્વભાવવાલું ક્ષયોપશમથી સહિત કહ્યું છે એ કઈ રીતે ?