________________
૨૬૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્ય
અનુગામી આદિ ફડુકો ત્રણ પ્રકારે (૧) પ્રતિપાતિ (૨) અપ્રતિપાતિ (૩) મિશ્ર બીજી રીતે (૧) તીવ્ર (૨) મંદ (૩) મધ્યમ આ બધા જઘન્ય મધ્યમાદિ ભેદથી વિચિત્ર-નાના પ્રકારના છે. પ્રશ્ન-૫૪૨ – નિયત અનુગામિ અને અપ્રતિપાતિ અનુગામિ ફકોમાં શું ભેદ છે? અથવા અનનુગામિ અને પ્રતિપાતિ વચ્ચે શું ભેદ છે?
ઉત્તર-૫૪૨– જે નિયત અપ્રતિપાતિ છે તે ચાલતી દિપિકા જેમ નિયમો અન્યત્ર જતા અવધિમન્તને અનુસરે જ છે. જે અનુગામિ છે તે નિયત પણ હોય કે અનિયત પણ હોય, અપ્રતિહત ચક્ષુની જેમ અપ્રતિપાતિ પણ હોય કે પ્રતિહત ચક્ષુની જેમ પ્રતિપાતિ પણ હોય.
પ્રતિપક્ષનો ભેદ-પ્રતિપાતિ પડે જ છે, પડેલો પણ ક્યારેક દેશાંતરમાં જાય છે, જ્યારે અનનુગામુક ફડુંક એવો નથી. કારણ કે, એ જે દેશમાં રહેલો ઉત્પન્ન થયેલો છે તે દેશમાં જ રહેલો પડે કે ન પણ પડે. પડેલો પણ દેશાન્તરમાં ફરી ઉત્પત્તિ દેશમાં આવેલાને તે ઉત્પન્ન થાય છે એવો પ્રતિપાતિ-અનનુગામુકમાં ભેદ છે.
મતાંતર
પ્રશ્ન-૫૪૩ – ફડુકોની તીવ્ર-મંદતા વિશુદ્ધિ-સંક્લેશથી થાય છે. તે પ્રાયઃ તિર્યંચમનુષ્યોમાં હોય છે કેટલાક આચાર્યો પtg ય માંહેના ગા.૭૩૮ થી તીવમંદાર કહીને તરત જ કહેવાનારા પ્રતિપાદ-ઉત્પાદદ્વારમાં જ પડ્ડા ય માપુIની ગા.૭૩૯ ગાથામાં કહેલા આનુગામુકાદિ ભેદને કહે છે, તેએ શા માટે એમ કહે છે?
ઉત્તર-૫૪૩ – પ્રતિપાદ-ઉત્પાદ-મનુષ્ય-તિર્યંચના અવધિનો જ ઘટતો હોવાથી તેના વિષય જ પ્રતિપાદ ઉત્પાદ દ્વાર છે. એટલે નર-તિર્યંચના પ્રહણથી આ અનુગામુકાદિ ભેદો પ્રતિપાદ-ઉત્પાદના અંતર્ગત જ છે એવો અન્યાચાર્યોનો અભિપ્રાય છે. અથવા બંને દ્વારોનું આ ભેદ કથન અર્થથી કાંઈપણ વિરુદ્ધ નથી. કારણ કે, બંનેનાં અવધિમાં અનુગામુકાદિ ભેદો ઘટે છે.
પ્રતિપાત-ઉત્પાદદ્વાર
બાહ્યવધિ:- જે અવધિજ્ઞાનીનું અવધિ એક દિશામાં હોય છે અથવા અનેક દિશાઓમાં પણ જે ફડક અવધિથી જે અન્યોન્ય વિચ્છિન્ન-સાંતર હોય તે પણ બાહ્યાવધિ કહેવાય છે અથવા અવધિજ્ઞાની જીવનો સર્વતઃ પરિમંડલાદિ (ગોળ વગેરે) આકારવાળો પણ જે અવધિ