Book Title: Visheshavashyak Bhashya Part 01
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 371
________________ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ પ્રશ્ન-૬૯૫ – તો ૧૨ કષાયોના ક્ષયાદિથી લબ્ધ ચારિત્રના આ પાંચ વિશેષો છે એવો નિયમ શા માટે ન કરાય ? ૩૫૨ ઉત્તર-૬૯૫ કારણ કે સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિ રૂપ ત્રણ જ ચારિત્રો ૧૨ કષાયોના ક્ષયાદિથી પ્રાપ્ત થાય છે. એટલે તેમના ક્ષયાદિલ ચારિત્ર પાંચ પ્રકારે કઈ રીતે થાય ? સૂક્ષ્મ સંપરાય ચારિત્ર તો સંજ્વલ લોભ વિનાના શેષ ૧૫ કષાયોના ક્ષયથી કે ઉપશમથી પ્રાપ્ત થાય છે અને યથાખ્યાત તો ૧૬ કષાયોના ક્ષયથી-ઉપશમથી પ્રાપ્ત થાય છે એટલે સામાન્ય ચારિત્રના જ પાંચ વિશેષો થાય છે. — (૧) સામાયિક :- રાગ-દ્વેષવિરહિત સમની પ્રતિક્ષણ અપૂર્વાપૂર્વકર્મનિર્જરાની હેતુભૂત વિશુદ્ધિનો આય-લાભ=સમાય તે જ સામાયિક-સર્વસાવદ્યયોગવિરમણ રૂપ એના ઉપરથી બધા ય ચારિત્રો સામાયિક જ છે. પરંતુ છેદાદિ વિશેષણ સહિત હોવાથી સામાન્યપણે સામાયિક ચારિત્ર કહેવાય છે. તે બે પ્રકારે છે ઇત્વર અને યાવત્કથિત. સ્વકલ્પકાળ ભાવિઇત્વર એ ભરતૈરાવત ક્ષેત્રોમાં પ્રથમ-ચરમ તીર્થંકરોનાં તીર્થમાં અનારોપિત મહાવ્રતવાળા શિષ્યનું જાણવું. જે જન્મમાં આત્માની યાવજજીવ કથા છે ત્યાં સુધી રહેનાર યાવત્કથિક આ ભરતૈરાવતના મધ્યમ બાવીશ તીર્થંકરોના અને મહાવિદેહના સાધુને હોય છે. તેમને ત્યાં ઉપસ્થાપના હોતી નથી એટલે યાવજજીવનનું ચારિત્ર હોય છે. (૨) છેદોપસ્થાપનીય :- પૂર્વ પર્યાયનો છેદ અને મહાવ્રતોમાં આત્માનું ઉપસ્થાપન તે છેદોપસ્થાપન કરવું. તે પણ ૨ પ્રકારે છે સાતિચાર-અનતિચાર.. અનતિચાર ઇત્વરસામાયિકવાળા શિષ્યને ઉપસ્થાપનામાં આરોપાય છે. અથવા અન્યતીર્થના સંક્રમમાં જેમકે પાર્શ્વનાથના તીર્થથી મહાવીરતીર્થમાં સંક્રમથી પંચાયામ ધર્મના સ્વીકારમાં હોય છે. અને સાતિચાર તો મૂલગુણઘાતિને ફરીથી મહાવ્રતરોપણ કરવાથી હોય છે. (૩) પરિહારવિશુદ્ધિ :- પરિહાર-તપોવિશેષથી કર્મનિર્જરારૂપ વિશુદ્ધિ તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર તે પણ બે પ્રકારે છે નિર્વિશમાનક-નિર્વિષ્ટકાયિક. તે ચારિત્રના આસેવકો નિર્વિશમાનક કહેવાય છે. આ ચારિત્ર પણ તેમનાથી અભિન્ન હોવાથી નિર્વિશમાનક કહેવાય છે. આસેવિત આ ચારિત્ર કાયાવાળા મુનિઓ નિર્વિષ્ટકાયા કહેવાય છે. તે ચારિત્ર પણ તેમનાથી અભિન્ન છે. માટે નિર્વિષ્ટકાયિક કહેવાય છે. (૪) સૂક્ષ્મસંપરાય ચારિત્ર :- સૂક્ષ્મ લોભાંશ અવશેષથી સંપરાયો કષાયો છે તે સૂક્ષ્મસંપરાય. તે બે પ્રકારે છે વિશુદ્ધયમાન અને સંકિલશ્યમાન. વિશુદ્ધયમાન ક્ષપક-ઉપશમ શ્રેણીમાં ચડતાં થાય છે તથા સંક્લિશ્યમાન ઉપશમશ્રેણીથી પડતા થાય છે.

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408