Book Title: Visheshavashyak Bhashya Part 01
Author(s): Parshwaratnasagar
Publisher: Chandraprabhu Jain Naya Mandir

View full book text
Previous | Next

Page 373
________________ ૩૫૪ શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ઉપશમ શ્રેણીનું સ્વરૂપ ' ઉપશમ શ્રેણી આરંભનાર અપ્રમત્ત સંયત હોય છે. કેટલાક કહે છે - અવિરતિદેશવિરતિ-પ્રમત્ત અને અપ્રમત્ત સંયત એ ચારમાંથી કોઈપણ પ્રારંભક હોય છે. શ્રેણિથી પાછો ફરે ત્યારે અપ્રમત્ત યા પ્રમત્ત ગુણસ્થાનકે રહે છે, અને જો મૃત્યુ પામે તો દેવગતિમાં અવિરત થાય છે. કાર્મગ્રંથિકમત-શ્રેણિથી પડેલો જીવ મિથ્યાત્વ સુધી પણ જાય છે. ઉપશમ શ્રેણિનો આરંભ આ રીતે થાય છે – પ્રશસ્ત અધ્યવસાયવાળો આત્મા પ્રથમ અંતર્મુહૂર્ત કાળમાં એક સાથે અનંતાનુબંધી કષાયને ઉપશમાવે છે. પછી સમ્યત્વ-મિશ્ર અને મિથ્યાત્વ મોહનીયને ઉપશમાવે છે, પછી પુરૂષ આરંભક હોય તે નપુંસકવેદ અનુદીર્ણ હોય તો પણ પહેલા અંતર્મુહૂર્તમાં ઉપશમાવે છે. પછી અંતર્મુહૂર્તમાં સ્ત્રીવેદ, પછી હાસ્ય-રતિ-અરતિ-શોક-ભયજુગુપ્સારૂપ હાસ્યષક એક સાથે ઉપશમાવે. પછી પુરૂષવેદ ઉપશમાવે. આરંભક જો સ્ત્રી હોય તો પ્રથમ નપુંસકવેદ – પછી પુરૂષવેદ – પછી હાસ્યપર્ક અને પછી સ્ત્રીવેદ ઉપશમાવે. જો નપુંસક આરંભક હોય તો પ્રથમ અનુદિત સ્ત્રીવેદ ઉપશમાવે - પછી પુરૂષવેદ - પછી હાસ્યષક અને પછી નપુંસકવેદ ઉપશમાવે. આ ક્રમે ઉપશમ થયા પછી એકાંતરે સમાનજાતિય ક્રોધાદિનો એક સાથે ઉપશમ કરે. એટલે કે અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન ક્રોધ એક સાથે ઉપશમાવે. પછી, અંતર્મુહૂર્તમાં સંજવલનક્રોધ ઉપશમાવે. પછી અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન માન, પછી સંજવલન માન, પછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન માયા, પછી સંજવલન માયા, પછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન લોભને ઉપશમાવે, પછી અંતર્મુહૂર્તમાં સંજવલન લોભને ઉપશમાવે. આ લોભના ત્રણ ભાગ કરે, તેમાંથી બે ભાગ ઉપશમાવે અને ત્રીજા ભાગના સંખ્યાના ટુકડા કરે, એ ખંડોને પણ જુદા જુદા કાળે ઉપશમાવીને જયારે એ ટુકડામાંનો સંખ્યાતમો ટુકડો બાકી રહે ત્યારે ફરી તેના અસંખ્યાતા ખંડ કરે તે ખંડોને પણ સમયે-સમયે એકેક ખંડ ઉપશમાવી એ બધાને ઉપશમાવે, અહીં દર્શન સપ્તકનો ઉપશમ થાય ત્યારે અપૂર્વકરણ અથવા નિવૃત્તિ બાદર કહેવાય. તે પછી સંખ્યાતા લોભના અંશનો છેલ્લો સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી અનિવૃત્તિ બાદર કહેવાય છે. તથા એ છેલ્લા અંશથી થયેલા અસંખ્યાતા ખંડોનો ઉપશમ કરતાં સૂક્ષ્મ સંપરાય કહેવાય. આ રીતે સંજ્વલનનો સર્વ લોભ અંતર્મુહૂર્તમાં ઉપશમાવે. ઘણા અંતર્મુહૂર્તો થાય તો પણ તે બધા મળીને એક જ મોટું અંતર્મુહૂર્ત થાય છે. બીજી પ્રકૃતિનો ઉપશમકાળ પણ અંતર્મુહૂર્તનો છે. આ આખી શ્રેણિ પણ અંતર્મુહૂર્તમાં પૂર્ણ થાય છે. પ્રશ્ન-૬૯૮ – ઉપશમશ્રેણીમાં સંજ્વલન કષાય-હાસ્યાદિનો ઉદયવર્તિ હોવાથી ઉપશમાં ઘટે છે પણ જે અનંતાનુબંધી આદિ કષાયો છે. તે તો પહેલાં જ સમ્યક્વાદિગુણપ્રાપ્તિ સમયે

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408