________________
આનંદ અને અદભૂત સ્થિરતા આપનાર છે, એવી શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું નિર્મલ મન વડે અને એકાગ્ર દેષ્ટિથી ધ્યાન ધરનાર આત્મા રૂપસ્થ ધ્યાનવાન કહેવાય છે.
તાત્પર્ય એ છે કે શ્રી જિનેશ્વર ભગવાનની પ્રશાંત મનહર અને આનંદી મૂર્તિની સન્મુખ ખુલ્લી આંખ રાખી એક દષ્ટિથી જોઈ રહેવું. આંખ મીંચવી કે હલાવવી નહિં, તેમ કરતાં શરીરનું પણ ભાન ભૂલી જઈ ધ્યાનની એક નવીન દિશામાં પ્રવેશ કરાય છે. જેમાં અપૂર્વ આનંદ અને કર્મની નિર્જરા થાય છે, તે દશાવાળાને રૂપસ્થ દયાન કહેવાય છે.
રૂપસ્થ ધ્યાનનું ફળ :આ રૂપસ્થ ધ્યાનના અભ્યાસ વડે પિતાના ધ્યેય સાથે તન્મયતાને પામેલ સાધક પોતાના આત્માને સકુટ પણે સર્વજ્ઞરૂપ બનેલે જુએ છે. તથા “સર્વજ્ઞ ભગવાન હું પોતે જ છું ? એમ નિશ્ચલપણે જાણે છે. આવી તન્મયતાને પામેલ સાધક સર્વને જાણનાર મનાય છે. નિયમ એ છે કે વીતરાગ પરમાત્માનું આલંબન લઈને ધ્યાન કરનાર આત્મા વિતરાગ થઈને મુક્ત થાય છે. (તે માટે વીતરાગનું ધ્યાન અત્યંત હિતકારી છે.) અને રાગીનું આલંબન લઈ ધ્યાન કરનાર આત્મા રાગવાન બની ક્ષેમ એટલે કે ચંચળતાને પામે છે. જેમ સ્ફટિક મણિ જે જે પદાર્થોની સાથે યોગ પામે છે તે તે રૂપ તે પોતે પણ બની જાય છે, તેમ ધ્યાન કરનાર આત્મા પણ જે જે ભાવનું ધ્યાન કરે છે, તે તે ભાવની સાથે તન્મય-તકૂપ બની જાય છે. એટલા