________________
ઉપર તીર્થંકર મહારાજા બિરાજેલા છે, બે બાજુ ચામરે વિંઝાઈ રહ્યા છે, નમસ્કાર કરતા સુરાસુરના મુકુટમણિઓથી જેમના પગના નખની કાંતિ પ્રદીપ્ત થઈ રહી છે, દિવ્ય પુષ્પોના સમૂહથી જેમની સભાની જમીન ઢંકાઈ ગઈ છે, ઉંચી ડોકે કરીને એક્તાન થઈને મૃગાદિ પશુઓના સમૂહ જેમના મધુર અવનિનું પાન કરી રહ્યા છે, અર્થાત્ પ્રભુની દેશના સાંભળી રહ્યા છે, સમવસરણમાં રહેલા અરિહંત પરમાત્માની આસપાસ દેવ, મનુષ્ય અને તિર્યંચને સમૂહ એકત્રિત થયે છે, સિંહ તથા હાથી વગેરે પ્રાણીઓ પિતાના સ્વાભાવિક વૈરભાવને ભૂલીને પ્રભુના સાંનિધ્યમાં શાંત થઈને બેઠેલા છે, પ્રભુ સર્વ અતિશથી અને પરિપૂર્ણ કેવળજ્ઞાનથી શેભી રહ્યા છે, આવી રીતે સમવસરણમાં રહેલા અરિહંત પરમાત્માના રૂપનું આલંબન લઈને ધ્યાન કરવું તેને રૂપસ્થ દયાન કહેવાય છે.
પ્રભુની પ્રતિમાથી રૂપસ્થ ધ્યાન,
એજ પ્રમાણે શ્રી જિનેશ્વર પરમાત્માની પ્રતિમાના રૂપનું ધ્યાન કરનારો આત્મા પણ રૂપથ ધયાન કરનાર, કહેવાય છે. પ્રતિમાજીનું ધ્યાન કરતી વખતે આ પ્રમાણે ચિંતવવું. શ્રી જિનેશ્વરભગવાનની પ્રતિમા રાગ, દ્વેષ, મહામહ આદિ વિકારના કલંકથી રહિત છે, શાંત છે, કાંત છે અને મને હર છે, સર્વ ઉત્તમ લક્ષણોથી લક્ષિત છે, અન્ય તીર્થવાળાઓથી અપરિજ્ઞાત એવી એગ મુદ્રાની અર્થાત્ ધ્યાનમુદ્રાની મને હરતાને ધારણ કરનારી છે, આંખને મહાન