________________
૨૮-લાલા લજપતરાય :
૧૧૧
ભગવાન મહાવીર સમસ્ત પ્રાણીઓનું કલ્યાણુ કરનાર મહા
પુરુષ હતા.
ર૯-રાજિષ પુરુષાત્તમદાસ ટંડન :
ભગવાન મહાવીર એક મહાન તપસ્વી હતા, જેમણે સદા સત્ય અને અહિંસાના પ્રચાર કર્યાં.
૩૦-કાકા કાલેલકર :
હું ભગવાન મહાવીરને પરમ આસ્તિક માનું છું. શ્રી ભગવાન મહાવીરે કેવલ માનવજાતિને માટે જ નહિ, પણ સમસ્ત પ્રાણીઓના વિકાસ માટે અહિંસાના પ્રચાર કર્યાં. એમનાં હૃદયમાં પ્રાણીમાત્રના કલ્યાણની ભાવના સદૈવ જ્વલંત હતી. એથી જ તે વિશ્વકલ્યાણના પ્રશસ્ત માગ અંગીકાર કરી શકયા. હું દૃઢતાની સાથે કહું છું કે એમના અહિંસા–સિદ્ધાન્તથી વિશ્વકલ્યાણ તથા શાંતિની સ્થાપના થઈ શકે એમ છે.
૩૧-આચાય નરેન્દ્રદેવ :
ભગવાન મહાવીરે જન્મ-મરણની પરંપરા પર વિજય પ્રાપ્ત કર્યો હતા, એમની શિક્ષા માનવના કલ્યાણ માટે હતી. જો એમની શિક્ષા સકીણું હેત તો જૈનધમ અરબસ્તાન આદિ દેશે। સુધી પહેાંચત નહિ.
૩૨-ધર્માનંદ કૌસબી :
ભગવાન મહાવીરે પૂરા ખાર વર્ષના તપ અને ત્યાગ પછી અહિંસાના સ ંદેશ આપ્યા. દરેક ઘરમાં યજ્ઞ થતા હતા. જો તેમણે અહિંસાના સંદેશ ન આપ્યા હાત તે આજ હિંદુસ્તાનમાં અહિંસાનુ નામ પણ લેવાત નહિ.
૩૩–આચાય શ્રી વિનાખા ભાવે:
મુખ્ય અને મહાવીર ભારતીય આકાશના એ ઉજ્વળ નક્ષત્રેા છે;